________________
આત્માની સ્વભાવ દશા ગુણસમુહને ગ્રહણ નહીં કરી શકવાથી પુદ્ગલ સ્કવોને ગ્રાહક થાય છે અને પુદગલ સ્કને સંગ્રહ કરે છે. પરપુદ્ગલના લાભથી, લાભપણું માને છે. શુભાશુભ પુદુ
લેના દાનને દાન સમજે છે. શુભાશુભ મુહુગલેના ભેગઉપભેગને જ ભેગ તથા ઉપગ સમજે છે. વીર્ય પણ બાલવીય અર્થાત્ પુદ્ગલ ગ્રહણ–બધન પ્રમુખ આઠ કરણપણે પ્રવર્તે છે. આ પ્રમાણે અનાદિકાળથી જીવની તથા લબ્ધિની પ્રવૃત્તિ વિપરીત હેવાથી પૂરભાવ અર્થાત્ કર્મનો વિસ્તાર પ્રાપ્ત કરે છે. આ કારણથી સંસાર છે થતો નથી. અને સંસારમાં ભ્રમણ કરતાં વિવિધ દુખસમુહને અનુભવે છે. આજ આત્માની વિભાવદશા છે.
જીવ અને પુદ્ગલ બને મિશ્ર હોવા છતાં પણ જીવ તે પુદ્ગલ બની જતું નથી અને પુદગલ તે જીવ બની જ નથી. માટે એક બીજાથી અલગ થઈ શકે છે. આત્મા જેટલા અંશે કમથી મુક્ત થાય છે તેટલા અંશે તેની જ્ઞાનાદિશક્તિ કામ કરી શકે છે.
આત્મા સાથે સંબંધિત કાર્મણવર્ગના પુદગલમાં વિવિધસ્વભાવ ઉત્પન્ન હોવાની દૃષ્ટિથી મુખ્યતઃ તેને આઠ વિભાગમાં વિભક્ત કરી શકાય છે. (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણય, (૩) વેદનીય (૪) મેહનીય (૫) આયુ (૬) નામ (૭) મૈત્ર અને (૮) અંતરાય. આમાં જ્ઞાનાવરણયદર્શનાવરણું–મેહનીય અને અંતરાય એ ચાર કર્મ, આત્માન ક્રમશઃ અનંતજ્ઞાન, અનંતદર્શન અનંતચારિત્ર