________________
. જૈન દર્શનને કર્મવાદ
કારેએ બતાવેલ સ્કંધ નિર્માણની એક સમુચિત રાસાયણિક વ્યવસ્થાને વિષય સમજ અતિ મહત્વનું છે. પરંતુ તે સમજવા માટે પ્રથમ તે પરમાણુમાં રહેલ વર્ણ—ગધ-રસ અને સ્પર્શના સૂક્ષ્મ યા નિવિભાજ્ય અંશની સમજ હેવી જોઈએ.
પ્રત્યેક પુદ્ગલ પરમાણુમાં કેઈપણ એક વર્ણ, એક ગંધ, એક રસ અને રૂક્ષ (૯) યા સ્નિગ્ધ (ચીકણે) એ બનેમાંથી એક, તથા શીત (63) યા ઉષ્ણ (ઉ) એ બનેમાંથી એક, એમ બે સ્પર્શતે અવશ્ય હોય છે.
પ્રત્યેક પરમાણુમાં અમુક જ વર્ણ—ગધ-રસ કે સ્પર્શ સદા કાળને માટે શાશ્વત હોઈ શકતા નથી. કેઈ વખત અસક વર્ણાદિ હોય તે કઈ વખત અન્યવર્ણાદિ પણ હોય છે.
વળી એકના એક વર્ણાદિ પણ સરખા સ્વરૂપે હાઈ શકતા નથી. કારણ કે પ્રત્યેક વર્ણાદિના જૈન દર્શનકારોએ તે અનેક પેટા ભેદે બતાવ્યા છે. જેમકે જેટલી લાલ ચીજો જગતમાં હોય છે તે દરેકને લાલ રંગ પણ એક સરખે, જ હોઈ શકે એ નિયમ નથી. લાલરંગ કહેવાતે હવા છતાં પણ લાખો-કરેડે કે અનંત જાતને તે લાલ રંગ. જગતની ચીજોમાં જોવામાં આવે છે. દિવાલ પર લગાવેલે લાલ રંગ શરૂઆતમાં જે ચમકતા સ્વરૂપે દેખાય છે, તેવું ચમકતું સ્વરૂપ અમુક દિવસ પછી તે લાલ રંગમાં દેખાતું નથી.