________________
આત્માની વિભાવ દશા
૨૩
-
-
-
-
કેવળજ્ઞાન અને કેવળદનને એક એક ભેદ ગણતાં સ્વભાવિક અને વિભાવિક એમ બને મળી આઠ ભેદ જ્ઞાનના અને ચાર ભેદ દર્શનના છે. શપથમિક જ્ઞાન-દર્શન યુક્ત આત્મદશા તે વિભાવિક અને ક્ષાયિક જ્ઞાન-દર્શન યુક્ત આત્મદશા તે સ્વભાવિક દશા છે.
ત્રણે લોકમાં રહેલ રૂપી–અરૂપી સર્વદ્રવ્યની ત્રણેકાળ અંગેની ઉત્પાદ–વ્યય અને ધૃવરૂપ ત્રણે પ્રકારની પરિણતિ સકળ સમયે જાણવાની આત્મામાં જ્ઞાન શક્તિ હોવા છતાં પણ કર્મ પુદ્ગલથી આચ્છાદિત તે જ્ઞાનશક્તિ, અરૂપી (વર્ણ ગંધ, રસ અને સ્પર્શ રહિત) પદાર્થને તે સાક્ષાત્ આત્માથી જાણ અનુભવી શકતી જ નથી. કર્મપુદ્ગલથી આચ્છાદિત તે જ્ઞાન શક્તિ અનેક પ્રકારની હોવાથી તેમાં કેટલીક જ્ઞાનશક્તિની માત્રાઓ તે પદાર્થને મનયુક્ત ઈન્દ્રિ દ્વારા જ જાણી શકે છે. આંખથી જોવાય છે, જીભથી ચખાય છે, નાકથી સુંઘાય છે, કાનથી સંભળાય છે અને ચામડીથી અડાય છે, તે બધા જ્ઞાનમાં આવા પ્રકારની જ્ઞાન શક્તિ જ કામ કરી રહી છે. તર્કશક્તિ, અનુમાન કરવાની શક્તિ, સ્મૃતિમાં લાવનાર શક્તિ આ બધી શક્તિઓ આવા પ્રકારની જ્ઞાનશક્તિના પ્રકારે છે. આ જ્ઞાનશક્તિની માત્રાઓને જૈન દર્શનકારીએ
મતિજ્ઞાન”ની સંજ્ઞા આપેલી છે. આ મતિજ્ઞાનને ઉપચેગ પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠ મનથી જ પ્રવર્તે છે. અમુક ઈન્દ્રિયથી અમુક વિષયને જ ગ્રહણ કરી શકાય છે. જે વિષય જે ઈન્દ્રિયનો હોય તે વિષયને યાલ તેજ ઈન્દ્રિય