Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• नैगमतृतीयभेदनिरूपणम् ।
७३७ ભાખિઈ જિમ “ભક્ત પચિઈ” વર્તમાનારોપ રે; કરઈ કિરિયા ભૂત લઇ, ભૂતવચન વિલોપ રે /૬/૧૭ના (૮૩) બહુ. જિમ (ભાખિઈ=) કહિયરું “ભક્ત (પચિઈ=) રાંધિયઈ છઈ.” ઈહાં ભક્તના કેતલાઈક અવયવ સિદ્ધ થયા છઇ, અનઈ કેતલાઈક સાધ્યમાન છઈ, પણિ પૂર્વાપરીભૂતાવયવક્રિયાસંતાન એક બુદ્ધિ આરોપીનઈ તેહનઈં વર્તમાન કહિયરું (= વર્તમાનારોપ કરઈ) છઈ. वर्तमाननैगमनयोदाहरणमाह - 'प्रयोग' इति।
प्रयोगः ‘पचति व्रीहीन्' साम्प्रताऽऽरोपतो यथा।
क्रियते भूतकार्याद्धि भूतोक्तिस्तु विलीयते ।।६/१०।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – यथा साम्प्रताऽऽरोपतः ‘व्रीहीन् पचति' (इति) प्रयोगः क्रियते (सः ।, साम्प्रतः नैगमः)। भूतकार्याद्धि भूतोक्तिस्तु विलीयते ।।६/१०।।
यथा 'व्रीहीन पचति' इति प्रयोगः क्रियते साम्प्रतनैगमनयेन। प्रकृते ‘भाजनगताः कियन्तो क व्रीहयः सर्वथा पक्वाः कियन्तश्च न तथा' इत्यर्थः न बोध्यः किन्तु 'प्रत्येकं व्रीहिषु कियन्तोऽवयवाः पक्वाः कियन्तश्च अपक्वाः पच्यमानाः सन्ति' इत्यर्थो बोध्यः । तथापि पूर्वापरीभूतावयवक्रियासन्तानं वर्त्तमानत्वाऽवगाहिन्यां बुद्धावारोप्य तत्र वर्तमानत्वं प्रकृतप्रयोगेन कथ्यते ।
અવતરપિકા - નવમા શ્લોકના ઉત્તરાર્ધમાં નૈગમનયના ત્રીજા ભેદનું લક્ષણ બતાવેલ હતું. દશમા શ્લોકમાં ગ્રંથકારશ્રી તેના ઉદાહરણને દર્શાવે છે :
નૈગમનયના ત્રીજા ભેદનું ઉદાહરણ આ બ્લોકાણ :- જેમ કે વર્તમાનતાના આરોપથી તે ચોખાઓને પકાવે છે - આવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. (તે સાંપ્રત નૈગમનાય છે. તેના અભિપ્રાયથી) અતીત ક્રિયાથી ભૂતકાળના પ્રત્યયથી ઘટિત વચન વિલીન થાય છે. (૬/૧૦)
- ૬ ભૂત-ભાવી પણ વર્તમાન ક યાખ્યાર્થ:- જેમ કે તે ચોખાઓને પકાવે છે'- આ પ્રમાણે શબ્દપ્રયોગ સામ્પ્રતનૈગમનય કરે છે છે. પ્રસ્તુતમાં તપેલીમાં રહેલા અમુક ચોખા પૂરેપૂરા રંધાઈ ગયા છે અને અમુક ચોખા બિલકુલ રંધાયા નથી - આ અર્થ સમજવાનો નથી. પરંતુ એ અર્થ સમજવાનો છે કે પ્રત્યેક ચોખાના કેટલાક અવયવો સ પાકી ગયા છે, કેટલાક અપક્વ અવયવો પાકી રહ્યા છે. તેમ છતાં આગળ-પાછળની તંદુલાત્મક અંશોમાં રહેલી અનેક ક્રિયાઓના સમૂહનો વર્તમાનત્વનું અવગાહન કરનારી એક બુદ્ધિમાં આરોપ કરીને ક્રિયાસમૂહમાં ઉપરોક્ત વાક્યપ્રયોગ વર્તમાનતાને જણાવે છે. આશય એ છે કે તપેલીમાં રહેલ ચોખાના કેટલાક અવયવો પાકી ગયા છે, કેટલાક અપક્વ અવયવો પાકી રહેલા છે, કેટલાક અપક્વ અવયવોમાં પાકક્રિયા થવાની બાકી છે. ક્રિયા ક્ષણભંગુર છે. આથી અનેક ચોખાઓમાં અનેક પાકક્રિયા થાય. તેમ • કો.(૧૨+૧૩)માં ‘પયઈ પાઠ. જે પુસ્તકોમાં “રાંધિઈ પાઠ. કો.(૧૩)માં પાઠ. કો.(૮)નો પાઠ લીધો છે.