Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८९२
21. ઈહાં વસ્ત્રાદિક પુદ્ગલના પર્યાય
સ્ વસ્ર કાં ન કહિયઈં? તેહ* વિજાતિમાં સ્વસંબંધ ઉપચરિતŪ છઈં.
एतेन यत्रैव शरीराच्छादकत्वादि तत्रैवास्तु वस्त्रत्वादिकमित्यनुपचरितमेव नोआगमतो भाववस्त्रा तदित्यपि निरस्तम्,
towa
वस्त्रादेः कल्पित्वम्
७ /१८
નામાદિ ભેદઈ કલ્પિત છઈ, નહીં તો વલ્કલાદિક શરીરાચ્છાદક
र्श
वल्कल-कदलीपर्ण-तृणविशेषादेरपि शरीराऽऽच्छादकत्वाऽविशेषाद् वस्त्रत्वादिना क्रयविक्रयादिव्यवहारापत्तेः । अतः नोआगमतो भाववस्त्रादिकमपि वस्त्रत्वादिना औपचारिकमेव स्वीकर्तव्यम् । इत्थं परमार्थतो नाम-स्थापना- द्रव्य-भावभेदेन पुद्गलपर्यायात्मकं वस्त्रादिकमौपचारिकमेव । ततो वस्त्राक दीनां कल्पितपुद्गलपर्यायविशेषरूपतया तत्र स्वीयत्वसम्बन्धोपचारकरणे विजातीयोपचरिताऽसद्भूत
શા :- (તેન.) સારું, તો પછી જે વસ્તુમાં શરીરને ઢાંકવાનું સામર્થ્ય હોય તેમાં જ વસત્વ વગેરે જાતિ માનો. નોઆગમથી ભાવવસ્ર (લોકપ્રસિદ્ધ કપડા) વગેરે જ તેવા છે. કપાસ કે તંતુ વગેરે શરીરનું આચ્છાદન કરવા માટે સમર્થ નથી. તેથી કપાસ વગેરેમાં વસ્રત્વ જાતિ નહિ રહે. તેથી કપાસ વગેરે દ્રવ્યવસ્રનો કે નામવસ્ત્રનો કે સ્થાપનાવસ્ત્રનો વસ્ત્ર તરીકે કોઈ વ્યવહાર કરે તો તેવા વ્યવહારને પ્રામાણિક માનવાની આપત્તિને અહીં અવકાશ નથી. વસ્તત્વશૂન્યમાં વસ્ત્ર તરીકેનો વ્યવહાર ઉન્મત્ત માણસ સિવાય બીજો કોણ કરે આ રીતે શરીરાચ્છાદકત્વરૂપ વસ્રત્વ તો અનુપચરત તાત્ત્વિક જ બનશે ને ?
=
=
શરીરઆચ્છાદકને પણ વસ્ત્ર ન કહેવાય
સુ
CI
સમાધાન :- (વ.) ના, શરીરનું આચ્છાદન કરવામાં સમર્થ વસ્તુમાં વસ્ત્રત્વ જાતિનો સ્વીકાર કરવાની વાત પણ વ્યાજબી નથી. કારણ કે શાલ, ચાદર, પટ વગેરે વસ્ર જેમ શરીરનું આચ્છાદન કરવા માટે સમર્થ છે તેમ વૃક્ષની છાલ, કેળાના વૃક્ષના પાંદડા, વિશેષ પ્રકારનું વિશાળ ઘાસ વગેરે A પણ શરીરનું આચ્છાદન કરવા માટે સમર્થ છે. તેથી વસ્રને ખરીદવા કે વેચવા માટે નીકળેલ માણસ વૃક્ષની છાલ વગેરેને પણ વસ્રરૂપે ખરીદવાનું કે વેચવાનું કાર્ય કરે તો તેવા વ્યવહારને પણ પ્રામાણિક માનવાની આપત્તિ આવશે. પરંતુ વસ્રનો ક્રય-વિક્રય કરવા માટે નીકળેલો માણસ શરીરઆચ્છાદનસમર્થ વૃક્ષછાલ વગેરેનો ક્રય-વિક્રય કરતો નથી. તેથી માનવું જોઈએ કે નોઆગમથી ભાવવસ્ર સ્વરૂપ પદાર્થ પણ વસ્ત્રસ્વરૂપે ઔપચારિક કલ્પિત જ છે. શાલ, ચાદર વગેરે જે વસ્તુ નોઆગમથી ભાવવસ સ્વરૂપે પ્રસિદ્ધ છે તે તો પુદ્ગલ દ્રવ્યનો એક પ્રકારનો પર્યાય જ છે. આમ સિદ્ધ થાય છે કે નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ - આ ચાર ભેદથી પૌલિક પર્યાયસ્વરૂપ વસ્ત્ર વગેરે પરમાર્થથી તો ઔપચારિક જ છે, વાસ્તવિક નહિ. તેથી ઉપચરત પૌદ્ગલિક પર્યાય સ્વરૂપ વસ્ત્રાદિ વસ્તુમાં મારાપણાનો (= માલિકીનો) સંબંધ આરોપિત કરવો, તે ઉપચરિતમાં અન્ય વિજાતીયતત્ત્વનો ઉપચાર કરવા સ્વરૂપ હોવાથી વિજાતીય ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર ઉપનય તરીકે જ માનવો જોઈએ - તેવું ફલિત થાય છે.
♦ પુસ્તકોમાં ‘પુદ્ગલ પર્યાય' પાઠ. કો.(૧૨)નો પાઠ લીધો છે. ૪ કો.(૧૩)માં ‘પર્યાયમાંહિ’ પાઠ. . મ.માં ‘ભેદ’ પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે. ♦ કો.(૧૩)માં ‘તેહને’ પાઠ. * કો.(૧૩)માં ‘સ્વસંબંધે’ પાઠ. I પુસ્તકોમાં ‘ઉપરિઈ’ પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે.