Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/१४
० षट्पर्यायार्थिककल्पनाऽनुचिता 0 संसारित्वादिग्राहकस्य कर्मोपाधिसापेक्षानाद्यनन्ताऽशुद्धपर्यायार्थिकस्य, (५) भव्यनिष्ठैकेन्द्रियत्वादिग्राहकस्य कर्मोपाधिसापेक्षानादि-सान्ताऽशुद्धपर्यायार्थिकस्य, (६) अभव्यनिष्ठव्यवहारराशिवर्तित्वादिग्राहकस्य कर्मोपाधिसापेक्षसाद्यनन्ताऽशुद्धपर्यायार्थिकस्य (७) औपशमिक-क्षायोपशमिकसम्यक्त्वादिग्राहकस्य च कर्मोपाधिसापेक्षसादि-सान्तशुद्धपर्यायार्थिकस्य अवश्यवक्तव्यत्वापत्तेः, युक्तेरुभयत्राऽविशेषात् । ततश्च पर्यायार्थिकस्य त्रयोदशभेदाः प्रसज्येरन् देवसेनस्य ।
वस्तुतः अनाद्यनन्त-साधनन्त-सादिसान्ताऽनादिसान्तरूपेण पर्यायचातुर्विध्यात् पर्यायार्थिकस्य विषयभेदप्राप्तभेदस्य चत्वार एव भेदा देवसेनेन वाच्याः, तत्रैवेतरप्रकाराणां समावेशात् । तदुक्तं स्थितिपुरस्कारेण पर्यायचतुष्कनिरूपणावसरे देवचन्द्रवाचकैः नयचक्रसारे “(१) मेर्वाद्यनादिनित्यपर्यायाः, (२) चरमशरीरत्रिभागन्यूनावगाहनादयः सादिनित्यपर्यायाः, (३) सादिसान्तपर्यायाः भाव-शरीराऽध्यवसायादयः, નથી. કારણ કે જન્મ-મરણાદિ અનિત્ય છે. જ્યારે અભવ્યનો સંસાર તો શાશ્વત = નિત્ય છે. તથા (૫) ભવ્યાત્મામાં રહેલ એકેન્દ્રિયત્યાદિ પર્યાય અનાદિ-સાન્ત છે. તે કર્મસંયોગજનિત અશુદ્ધદશા છે. તેથી તેને ગ્રહણ કરનાર કર્મોપાધિસાપેક્ષ અનાદિ-સાન્ત અશુદ્ધપર્યાયાર્થિકને પણ સ્વતંત્રસ્વરૂપે દેવસેને જણાવવો પડશે. (૬) અભવ્ય અનાદિકાળથી અવ્યવહારરાશિમાં છે. તે ભવિતવ્યતાદિવશ વ્યવહારરાશિમાં આવે છે ખરો. પણ તે કદાપિ મોક્ષે જતો નથી. તેથી અભવ્યાત્મામાં વ્યવહારરાશિવર્તિત્વ સાદિ -અનંતકાલીન પર્યાય છે. તે કર્મસંયોગજનિત અશુદ્ધ પર્યાય છે. માટે તેને ગ્રહણ કરનાર કર્મોપાધિસાપેક્ષ સાદિ-અનન્ત અશુદ્ધપર્યાયાર્થિકને પણ દેવસેનજીએ જુદો જણાવવો પડશે. (૭) પથમિક, લાયોપથમિક સમકિત વગેરેને ગ્રહણ કરનાર કર્મોપાધિસાપેક્ષ સાદિ-સાન્ત શુદ્ધ પર્યાયાર્થિકને પણ દેવસેને જરૂર જુદો દર્શાવવો પડશે. કારણ કે જન્મ-મરણાદિ જેમ કર્મોદયજન્ય હોવાથી અશુદ્ધ છે, તેમ સમકિત વગેરે અશુદ્ધ નથી. કર્મઉપદમાદિજન્ય હોવાથી વ્યવહારથી તે શુદ્ધ છે. દેવસેનજીએ જે છ પર્યાયાર્થિક જણાવેલા છે, તેમાંના પ્રથમ પાંચની અંદર જો છઠ્ઠાનો સમાવેશ ન થઈ શકતો હોય તો ઉપરના ચાર નયોનો પણ દેવસેનદર્શિત છ પર્યાયાર્થિકનયોમાં સમાવેશ નહિ થાય. જે યુક્તિ છઠ્ઠા પર્યાયાર્થિકને પાંચ પર્યાયાર્થિકથી સ્વતંત્રરૂપે સિદ્ધ કરવા માટે દેવસેન દર્શાવશે, તે જ યુક્તિથી ઉપરોક્ત ચાર પર્યાયાર્થિકમાં પણ સ્વતંત્રતા સિદ્ધ થઈ જશે. કેમ કે યુક્તિ તો બન્ને સ્થળે સમાન લાગુ પડે છે. તેથી દેવસેનસંમત છ પર્યાયાર્થિક + ત્રણ + ચાર = તેર પર્યાયાર્થિકભેદો દેવસેનમતે સિદ્ધ થવાની આપત્તિ આવશે.
સર્વ પર્યાયોનો ચાર પર્યાયમાં સમાવેશ ૪ (વસ્તુ) વાસ્તવમાં તો (૧) અનાદિ-અનંત, (૨) સાદિ-અનંત, (૩) સાદિ-સાન્ત અને (૪) અનાદિ -સાન્ત આ સ્વરૂપે પર્યાયના ચાર ભેદ હોવાથી પર્યાયાર્થિકનયના ચાર ભેદ જ દેવસેનજીએ દર્શાવવા જોઈએ. કારણ કે વિષયભેદ જ નયભેદમાં નિયામક છે. પર્યાયાર્થિકના બાકીના ભેદોનો સમાવેશ તે ચાર પ્રકારમાં જ થઈ જાય છે. કાલિક સ્થિતિને મુખ્ય કરીને ઉપાધ્યાયશ્રી દેવચન્દ્રજી મહારાજે ચાર પ્રકારના પર્યાયનું નિરૂપણ કરવાના અવસરે નયચક્રસાર પ્રકરણમાં જણાવેલ છે કે “(૧) ગુગલની મેરુપર્વત વગેરે અવસ્થા તે અનાદિ નિત્ય પર્યાય છે. (૨) ચરમશરીરની અવગાહના કરતાં ત્રીજો