Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 442
________________ १०६८० सम्यक्त्वयोग-क्षेमाद्यभिप्रायेण द्रव्यानुयोगः परिशीलनीय: ० ८/२० हरिणशावको भवति प्रतिपक्षः पञ्चाननस्य' इति न्यायोऽत्र लब्धावसरः । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – नयवादानां स्वरूपतोऽशुद्धत्वेऽपि सम्यग्दर्शनयोगेन फलतः ग शुद्धिरुपलभ्यते इति ज्ञात्वा द्रव्यानुयोगाभ्यासी आत्मार्थी आराधकः षड्दर्शन-सप्तनय-सप्तभङ्गी -प्रमाणचतुष्टय-निक्षेपचतुष्टयमीमांसाप्रवृत्तौ नैश्चयिकसम्यग्दर्शनोपलब्धिलक्ष्यविस्मरणं यथा न स्यात् तथा यतेतेति न केवलमभिलषणीयम्, अपि तु अनिवार्यम् आवश्यकम् आदरणीयञ्च । इत्थञ्च (१)विषय-कषायमन्दता-(२)ज्ञानगर्भवैराग्य-(३)निर्निदानभगवद्भक्ति-(४)निर्निमित्तगुरुसमर्पणभाव क -(५)स्वभूमिकोचितकर्तव्यपालनपरायणतानां निरन्तरं संवेदनान्वितहृदयेन सेवनतः स्वात्मनि ग्रन्थिभेदणि गोचराऽमोघसामर्थ्यमाविर्भाव्य तात्त्विकसम्यग्दर्शनप्रादुर्भावप्रस्तावान्न भ्रंशितव्यमित्युपदेशः। तदनुसरणेन च शीघ्रं “रत्नत्रयं मोक्षः” (अ.सा.१८/१८०) इति ऋजुसूत्रादिनयानुसारेण अध्यात्मसारोक्तो मोक्षः सुलभः ચાતુ/૮/૨૦ બચ્ચે ક્યારેય સિંહના પ્રતિપક્ષી તરીકે ગોઠવાઈ ન શકે - આ ન્યાય અહીં અવસર પ્રાપ્ત છે. ) સ્યાદ્વાદ અને નાચવાદ વચ્ચે વિશેષતા ) સ્પષ્ટતા :- સાચા માર્ગે ચાલીને ઈચ્છિત મંઝિલને પ્રાપ્ત કરવી તે ઉત્સર્ગ છે. પરંતુ સાચા માર્ગથી દૂર રહેલ વ્યક્તિ કાંટાળા માર્ગમાં રહીને પણ સાચા નિષ્કટક માર્ગને મેળવવા માટે પ્રયત્ન કરે છે. ખોટા રસ્તે રહેલ ત્યાંથી સાચા માર્ગને પ્રાપ્ત કરીને ઈચ્છિત મંઝિલને મેળવી લે, તે અપવાદ કહેવાય. સ્યાદ્વાદ = સાચો નિષ્ફટક માર્ગ, નયવાદ = કાંટાળો માર્ગ. સ્યાદ્વાદનું પ્રતિપાદન = ઉત્સર્ગમાર્ગ. નયવાદનું પ્રતિપાદન = અપવાદમાર્ગ. ઉત્સર્ગમાર્ગે ચાલવાનું સામર્થ્ય ધરાવનાર વ્યક્તિ ઉત્સર્ગમાર્ગે ચાલે તે ઉત્તમ છે. જેને D; ઉત્સર્ગમાર્ગ મળે તેમ ન હોય તે વ્યક્તિ અપવાદમાર્ગે ચાલે તે મધ્યમ છે. તેથી પ્રસ્તુતમાં સ્યાદ્વાદનું નિરૂપણ એ ઔત્સર્ગિક ઉત્તમ મોક્ષમાર્ગ છે. તથા નયવાદનું નિરૂપણ આપવાદિક અને મધ્યમ પ્રકારનો મોક્ષમાર્ગ જ {ી છે. ઉત્સર્ગમાર્ગને ન અપનાવી શકનારા જીવોએ અપવાદમાર્ગનો આશ્રય કરવો તે પણ ન્યાયસંગત જ છે. % ગ્રંથિભેદનો માર્ગ અપનાવીએ . આધ્યાત્મિક ઉપનય :- નયવાદમાં સ્વરૂપત અશુદ્ધિ હોવા છતાં સમ્ય દર્શનના યોગે ફલતઃ શુદ્ધિ પ્રાપ્ત થાય છે. આવું જાણીને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરનાર આત્માર્થી સાધક પદર્શનની વિચારણામાં કે સતનય, સપ્તભંગી, પ્રમાણચતુષ્ટય, નિક્ષેપચતુષ્ટય આદિની વિચારણામાં ઊંડા ઉતરે ત્યારે નૈૠયિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું લક્ષ્ય ચૂકી ન જવાય તેની સાવધાની રાખે તે માત્ર ઈચ્છનીય જ નહિ, પરંતુ અનિવાર્ય, આવશ્યક અને આવકાર્ય પણ છે. (૧) વિષય-કષાયની મંદતા, (૨) જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, (૩) નિષ્કામ ભગવદ્ભક્તિ, (૪) બિનશરતી ગુરુસમર્પણભાવ અને (૫) સ્વભૂમિકાયોગ્ય કર્તવ્યપાલનમાં તત્પરતા – આ પાંચ તત્ત્વનું સતત સંવેદનશીલ હૃદયથી સેવન કરવા દ્વારા “પોતાના આત્મામાં ગ્રંથિભેદનું અમોઘ સામર્થ્ય ઉછાળી તાત્ત્વિક સમ્યગ્દર્શનને પ્રગટાવવાની તક ચૂકવી નહિ - આ ઉપદેશ અહીં મળે છે. તેને અનુસરવાથી ઋજુસૂત્રાદિ નિયોના મત મુજબ અધ્યાત્મસારમાં જણાવેલ કર્મોચ્છેદક રત્નત્રયસ્વરૂપ મોક્ષ ઝડપથી સુલભ થાય. (૮/૨૦)

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482