Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 436
________________ १०६२ ० निश्चयेऽपि लक्षणा सम्मता 0 ८/२० । द्वौ, स्याद्वाद-नयसंज्ञितौ। स्याद्वादः सकलादेशो नयो विकलसङ्कथा ।।” (ल.त्र.३/१२) इति । तथापि नयसप्तभङ्ग्यां प्रतिभङ्ग कालाद्यष्टकाऽभेदशक्तिवृत्त्युपचारवृत्तिभ्यां नयवाक्यस्याऽपि सकलादेशात्मकता सम्मता स्याद्वादरत्नाकरे (४/४३)। इत्थञ्चात्र कालाद्यष्टकाऽभेदशक्तिवृत्त्युपचारवृत्तिभ्यामस्तित्व -तदितराऽखिलधर्मग्रहणाऽभ्युपगमे व्यवहारनयवद् निश्चयनयेऽपि उपचारवृत्तिः लक्षणाऽभिधाना अनाविलैवेति फलितम्। सप्तभङ्ग्याः प्रतिभङ्गं सकलादेशस्वभावत्वादेकैकोऽपि भङ्गः सकलादेशविवक्षायां नयवाक्यरूपोऽपि प्रमाणं स्यात्, कालाद्यष्टभिः अभेदवृत्तिप्राधान्यादभेदवृत्त्युपचाराद् वा यौगपद्येनाऽनन्तधर्मात्मकवस्तुप्रतिपादकत्वात् । इत्थञ्च व्यवहारनये इव शुद्धद्रव्यार्थिकनयात्मके निश्चयनयेऽपि लक्षणाऽभिधाना उपचारवृत्तिः अनाविलैव । ततश्च व्यवहारवद् निश्चयेऽपि उपचारा अपक्षपातेनाऽवश्यं वाच्याः આઠ તત્ત્વના માધ્યમે અભેદગોચર શક્તિવૃત્તિથી કે અભેદગોચર ઉપચારવૃત્તિથી નયવાક્ય પણ સકલાદેશ તરીકે સમ્મત છે. આ વાત સ્યાદ્વાદરત્નાકર ગ્રંથમાં જણાવેલ છે. આ રીતે પ્રસ્તુતમાં કાલાદિ આઠ તત્ત્વસંબંધી અભેદગોચર શક્તિવૃત્તિ કે અભેદોપચારવૃત્તિ દ્વારા અસ્તિત્વનું અને અસ્તિત્વ સિવાયના તમામ ગુણધર્મોનું જ્ઞાન સ્વીકારવામાં આવે તો વ્યવહારનયની જેમ નિશ્ચયનયમાં પણ લક્ષણા' નામની ઉપચારવૃત્તિ નિરાબાધ જ રહે છે – આમ ફલિત થાય છે. આથી નિશ્ચયનયમાં પણ ઉપચાર તો આવ્યો જ. જ નિશ્ચયનયમાં અભેદગોચર ઉપચારવૃત્તિ જ સ્પષ્ટતા :- ચોથી શાખાના ચૌદમા શ્લોકમાં સકલાદેશ, કાલાદિ આઠ તત્ત્વ, અભેદવૃત્તિપ્રાધાન્ય અને અભેદવૃત્તિઉપચાર.. ઈત્યાદિ બાબતની વિસ્તારથી છણાવટ થઈ ચૂકેલ હોવાથી ફરીથી તેનું અહીં વિવેચન કરવામાં નથી આવતું. પ્રસ્તુતમાં તાત્પર્ય એટલું જ છે કે “ચાત્ તિ વ’ આવા વાક્યસ્વરૂપ નિશ્ચયનય દ્વારા મુખ્યતયા જે અસ્તિત્વ ગુણધર્મનો વસ્તુમાં બોધ થાય છે તે જ અસ્તિત્વ ધર્મથી સંકળાયેલ તદ્વસ્તુગત અન્ય અનંતા ગુણધર્મોનું કાલાદિ આઠ તત્ત્વો દ્વારા અભેદગોચર ઉપચારવૃત્તિથી = લક્ષણાથી ભાન થાય છે. મતલબ કે “ચાત્ સ્તિ ઇવ’ વાક્યમાં રહેલ “સ્ત' પદની વસ્તુગત અનંતધર્માત્મકતામાં લક્ષણા થવાથી તે નયવાક્ય પણ અભેદગોચર ઉપચારવૃત્તિથી વસ્તુની સમગ્રતાનું = અનંતધર્માત્મકતાનું પ્રતિપાદન કરે છે. તેથી તે નયવાક્ય પણ સકલાદેશ સ્વરૂપ બને છે. આમ સ્યાદ્વાદરત્નાકર ગ્રંથ મુજબ, નિશ્ચયનયમાં પણ ઉપચારવૃત્તિ = લક્ષણા નામની જઘન્યવૃત્તિસ્વરૂપ ઉપચાર માન્ય જ છે. નિશ્ચયનચમાં પણ લક્ષણા માન્ય છે (સત.) સપ્તભંગીનો પ્રત્યેક ભાંગો સકલાદેશાત્મક સ્વભાવને ધારણ કરે છે. તેથી સકલાદેશની વિવેક્ષા હોય ત્યારે સપ્તભંગીનો એક-એક પણ ભાંગો નયવાક્યસ્વરૂપ હોવા છતાં પ્રમાણાત્મક બનશે. કારણ કે કાલ વગેરે આઠ તત્ત્વના માધ્યમથી અભેદવૃત્તિપ્રાધાન્યથી કે અભેદવૃત્તિઉપચારથી સપ્તભંગીનો પ્રત્યેક ભાગો વસ્તુમાં એકી સાથે અનન્તધર્માત્મકતાનું પ્રતિપાદન કરે છે. આ રીતે વ્યવહારનયની જેમ શુદ્ધદ્રવ્યાર્થિકનયસ્વરૂપ નિશ્ચયનયમાં પણ લક્ષણા' નામની ઉપચારવૃત્તિ તો નિરાબાધ રીતે સંભવે જ છે. તેથી દેવસેનજીએ વ્યવહારનયની જેમ નિશ્ચયનયમાં પણ, પક્ષપાત કર્યા વગર, અવશ્ય ઉપચારોને

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482