Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• सामायिककरणकाले नयमतभेदनिरूपणम् . __(२) नैगममते सामायिके उद्दिष्टे एव जीवः सामायिकस्य कर्ता भवति, सङ्ग्रह-व्यवहारौ तु । तदनन्तरं गुरुपादमूले समासीनः शिष्यः तत्कर्तेति ब्रुवाते । तदुक्तम् आवश्यकनियुक्तिलघुभाष्ये '“उद्दिद्वे नेगम, उवट्ठिए संगहो अ ववहारो” (आ.नि.१०२७ गाथोत्तरं ल.भा.१७७) इति । विशेषावश्यकभाष्ये अपि
દ ક્વેિય મનસ 7ISTટનમનો વિ” (વિ.કી.મી.રૂરૂ99) તિ, “સંહ-વવદીરા નું पच्चासन्नयरकारणत्तणओ। उद्दिट्ठमि तदत्थं गुरुपामूले समासीणो ।।” (वि.आ.भा.३३९२) इति दर्शितम् । श्री
(३) ग्रामोदाहरणेऽपि सङ्ग्रहमताद् नैगममतं भिद्यत इति व्यक्तं बृहत्कल्पभाष्ये (१०९९)।
एतेन “तुल्लत्ते पि इह नेगमस्स वत्यंतरे भेओ” (वि.आ.भा.३८) इति विशेषावश्यकभाष्यवचनं । व्याख्यातम् , विशेषाभ्युपगमे नैगमस्य व्यवहारेण सह सदृशाभिप्रायत्वेऽपि सामान्याऽभ्युपगमे नानात्वस्येव सामान्याऽभ्युपगमे नैगमस्य सङ्ग्रहेण सह समानाभिप्रायत्वेऽपि विशेषाऽभ्युपगमे नानात्वस्या-क
Y/ સામાચિકકાળમાં નયમતભેદ / (૨) જીવ સામાયિકને ક્યારે કરે છે? આ પ્રશ્નના જવાબમાં નૈગમનય એમ કહે છે કે સામાયિકનો ઉદ્દેશ જીવ કરે કે તરત જ જીવ સામાયિકનો કર્તા બને છે. જ્યારે સંગ્રહ અને વ્યવહાર નય એમ કહે છે કે સામાયિકના ઉદેશ પછી સામાયિક અધ્યયન ભણવા માટે ગુરુદેવના ચરણકમલની સમીપ બેસેલો શિષ્ય સામાયિકનો કર્તા થાય છે. આ અંગે આવશ્યકનિયુક્તિ લઘુભાષ્યમાં જણાવેલ છે કે “સામાયિકનો ઉદેશ કરવા માત્રથી નૈગમનયમતે સામાયિક ઉત્પન્ન થાય છે. જ્યારે સંગ્રહ અને વ્યવહાર નય કહે છે કે સામાયિક માટે ગુરુ પાસે ઉપસ્થિત થવામાં આવે ત્યારે સામાયિક ઉત્પન્ન થાય છે.” આ જ બાબતનો વિસ્તાર કરતાં વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “સામાયિક અધ્યયનને ન ભણવાગ છતાં પણ સામાયિકનો ઉદેશ થાય ત્યારે જ નૈગમનયના મતે જીવ સામાયિકનો કર્તા થાય છે. જ્યારે સંગ્રહ અને વ્યવહાર નય કહે છે કે - સામાયિકનો ઉદ્દેશ કર્યા પછી સામાયિક અધ્યયન ભણવા માટે શિષ્ય જ્યારે ગુરુના ચરણકમલ પાસે બેસેલો હોય ત્યારે તે સામાયિકનો કર્તા થાય છે. કારણ કે સામાયિકના ઉદેશ કરતાં સામાયિકને ભણવા માટે ગુરુસમીપ અવસ્થાન એ સામાયિકનું વધુ નજીકનું કારણ છે.” .
(૩) “ગ્રામ ઉદાહરણમાં પણ સંગ્રહમત કરતાં નૈગમમત જુદો પડે છે. આ વાત બૃહત્કલ્પભાષ્યમાં સ્પષ્ટ છે. તેથી સંગ્રહ અને વ્યવહાર કરતાં નૈગમ સ્વતંત્ર નય તરીકે સિદ્ધ થાય છે.
ઈ નૈગમની સ્વતંત્રતા અબાધિત લઈ (ત્તે.) આના દ્વારા વિશેષાવશ્યકભાષ્યની એક વાતનું સ્પષ્ટીકરણ થઈ જાય છે. ત્યાં શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણે જણાવેલ છે કે “નૈગમ-વ્યવહારનય તુલ્ય હોવા છતાં પણ સામાન્યપદાર્થને વિશે નૈગમનય વ્યવહારનય કરતાં જુદો પડી જાય છે.” મતલબ એ છે કે જેમાં વિશેષ પદાર્થનો સ્વીકાર કરવાની દૃષ્ટિએ નૈગમનયનો વ્યવહારનયની સાથે અભિપ્રાય સમાન હોવા છતાં પણ સામાન્ય પદાર્થનો સ્વીકાર કરવાની દૃષ્ટિએ નૈગમ વ્યવહારનય કરતાં જુદો પડી જાય છે તેમ સામાન્ય પદાર્થનો સ્વીકાર 1. उद्दिष्टे नैगमः, उपस्थिते सङ्ग्रहश्च व्यवहारः। 2. उद्दिष्टे एव नैगमनयस्य कर्ताऽनधीयानोऽपि। 3. सङ्ग्रह-व्यवहारयोः प्रत्यासन्नकारणत्वतः। उद्दिष्टे तदर्थं गुरुपादमूले समासीनः।। 4. तुल्यत्वेऽपि इह नैगमस्य वस्त्वन्तरे भेदः।