Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/२
* आध्यात्मिकनिश्चयनये गुण-गुण्यभेदविधायकता
९११
**
सोपाधिकत्वात्, मतिज्ञानादिकमशुद्धगुणमुपादाय तत्राऽऽत्मनोऽभेदस्योपदर्शनात्। इदमभिप्रेत्य विशेषावश्यकभाष्यमलधारवृत्ती “असौ (= अभिनिबोधः) आत्मैव, ज्ञान- ज्ञानिनोः कथञ्चिदव्यतिरेकाद्” (वि.आ.भा.८१ वृ.) इत्युक्तम् । अत्र हि अभिनिबोधाऽपराऽभिधानमतिज्ञानमात्मत्वेनोपदर्शितम् । मतिज्ञानादिकमशुद्धगुणमुद्दिश्य तादात्म्यसम्बन्धेनाऽऽत्मनो विधानं अशुद्धनिश्चयनये भवतीति भावः।
एतेन '“नियमा सुयं तु जीवो” (बृ.क.भा.१३९) इति बृहत्कल्पभाष्योक्तिः, “सुयं तु परमत्थओ र्श નીવો” (વિ.ગા.મા. ૧૧) કૃતિ = વિશેષાવચમાવ્યોતિરપિ વ્યાક્યાતા, પરમાર્થતઃ = ઞશુદ્ઘનિશ્વયતઃ, श्रुतज्ञान-ज्ञानिनोः अनन्यभूतत्वेन श्रुतमुद्दिश्य तादात्म्यसम्बन्धेन आत्मनो विधानात् ।
पूर्वोक्तः (५/१६) सप्तमो द्रव्यार्थिकः वक्ष्यमाणया (१३/४ ) साध्यवसानालक्षणया इदंत्वेन श्रुतादिकं जीवगुणं जीवविधया दर्शयति, अयं तु वक्ष्यमाणया (१३/४) सारोपालक्षणया श्रुतत्वादिनैव । का ગ્રહણ કરીને તેમાં આત્માના અભેદનું દર્શન પ્રસ્તુત નિશ્ચયનય કરાવે છે. તેથી તે નિશ્ચયને અશુદ્ધ કહેવામાં આવે છે. આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિમાં જણાવેલ છે કે ‘આ અભિનિબોધ આત્મા જ છે.કારણ કે જ્ઞાન-શાની વચ્ચે કથંચિત્ અભેદ રહેલો છે.’ અહીં અભિનિબોધ એટલે કે મતિજ્ઞાન આત્મદ્રવ્યસ્વરૂપે જણાવેલ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કર્મજન્યઉપાધિગ્રસ્ત અશુદ્ધ એવા મતિજ્ઞાનાદિને ઉદ્દેશીને તાદાત્મ્યસંબંધથી આત્માનું વિધાન અશુદ્ધ નિશ્ચયનયમાં થાય છે.
* વિશેષાવશ્યકભાષ્યની સ્પષ્ટતા #
(૫ે.) બૃહત્કલ્પભાષ્યમાં તથા વિશેષાવશ્યકભાષ્યમાં “પરમાર્થથી તો શ્રુત નિયમા આત્મા છે” આ પ્રમાણે જે જણાવેલ છે, તેનું પણ સ્પષ્ટીકરણ ઉપરોક્ત રીતે થઈ જાય છે. કેમ કે ‘પરમાર્થથી અશુદ્ઘનિશ્ર્ચયથી' - આવું ત્યાં અભિપ્રેત છે. તેથી ત્યાં તાત્પર્ય એમ સમજવું કે - અશુદ્ધ નિશ્ચયનયથી શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાની વચ્ચે અભેદ હોવાથી શ્રુતજ્ઞાનને ઉદ્દેશીને અભેદસંબંધથી આત્માનું વિધાન થાય છે.
=
શંકા :- પૂર્વે પાંચમી શાખામાં જણાવેલ અન્વયદ્રવ્યાર્થિક નામનો સાતમો દ્રવ્યાર્થિક પણ આત્માના ગુણને આત્મા તરીકે જણાવીને ગુણ-ગુણીનો અભેદ જણાવે છે. તથા પ્રસ્તુત શુદ્ધ અને અશુદ્ધ નિશ્ચયનય પણ આત્મગુણને આત્મા તરીકે દર્શાવીને ગુણ-ગુણીનો અભેદ જ બતાવે છે. તેથી સાતમા દ્રવ્યાર્થિકમાં અને પ્રસ્તુત શુદ્ધ-અશુદ્ધ નિશ્ચયનયમાં ઐક્ય થવાની આપત્તિ આવશે.
૪ અન્વયદ્રવ્યાર્થિક અને શુદ્ધ-અશુદ્ધનિશ્વય વચ્ચે ભેદ
સમાધાન :- (પૂર્વા.) પાંચમી શાખામાં જણાવેલ સાતમો અન્વયદ્રવ્યાર્થિકનય શ્રુતત્વાદિસ્વરૂપે નહિ પરંતુ વત્ત્વ સ્વરૂપે = પુરોવર્તીસ્વરૂપે શ્રુતાદિ તમામ આત્મગુણોને આત્મદ્રવ્ય તરીકે સાધ્યવસાના લક્ષણા વડે જણાવે છે. જ્યારે પ્રસ્તુત અશુદ્ધ નિશ્ચયનય તો સારોપા લક્ષણા વડે શ્રુતત્વાદિસ્વરૂપે શ્રુતાદિ આત્મગુણોને આત્મા તરીકે જણાવે છે અને શુદ્ધ નિશ્ચયનય કેવલજ્ઞાનત્વાદિસ્વરૂપે કેવલજ્ઞાનાદિ આત્મગુણોને આત્મા તરીકે દર્શાવે છે, ઈદત્ત્વસ્વરૂપે નહિ. સાધ્યવસાના અને સારોપા લક્ષણા આગળ (૧૩/૪) જણાવવામાં આવશે. તદુપરાંત, સાતમો દ્રવ્યાર્થિક પદાર્થલક્ષી છે. જ્યારે પ્રસ્તુત નય તો આત્મલક્ષી 1. નિયમાત્ શ્રુતંતુ નીવ/ 2. શ્રુત તુ પરમાર્થતો નીવઃ