Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૮૬૦ ० मिथ्यात्वदायविचार: 0
૭/૨૮ स्वामित्वं सम्भवति । अतः तत् तेषु असद्भूतमिति 'वस्त्राणि मे' इति उपचारः विजातीयोपचरिता
ऽसद्भूतव्यवहारोपनय इति कथ्यते। तदुक्तम् आलापपद्धतौ “विजात्युपचरितासद्भूतव्यवहारः, यथा - रा वस्त्राऽऽभरण-हेम-रत्नादि मम” (आ.प.पृ.११) इति। तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “आहरण म -हेम-रयणं वच्छादीया ममेति जप्पंतो। उवयरिय-असब्भूओ विजाइ दव्येसु णायव्यो ।।” (न.च.७४, द्र.स्व.प्र.२४३) " इति। एतादृशमत्यभिनिवेशाद् मिथ्यात्वदाढ्यं भवति। तदुक्तं योगसारप्राभृते अमितगतिना “मयीदं - વાર્મ દ્રવ્ય રોડત્ર ભવામ્યહમ્ યવહેવાડમતિસ્તાન્નિધ્યાવં નિવર્તતા” (યોસા.પ્ર.રૂ/૬) /
ननु नाम-स्थापना-द्रव्य-भावभेदेन वस्त्रादीनि चतुर्धा भवन्ति । न च चतुर्विधानामेतेषामौदारिकादिणि पुद्गलपर्यायरूपता समस्ति, आगमतो भाववस्त्रादीनां वस्त्राधुपयोगाश्रयरूपत्वेन ज्ञातृस्वरूपत्वात्, का सूक्ष्मदृष्ट्या च वस्त्राधुपयोगरूपत्वेनाऽऽत्मगुणस्वरूपत्वात् । तत्कथं वस्त्रादीनां पुद्गलपर्यायरूपता,
येन विजातीयोपचरिताऽसद्भूतव्यवहारोपनयरूपता ‘मम वस्त्राणि' इति प्रयोगस्य स्यादिति चेत् ? વગેરે પૌદ્ગલિક પર્યાયોમાં જીવને પ્રતીત થતું મારાપણું અસદ્દભૂત = કાલ્પનિક છે. તેથી “આ મારા વસ્ત્રો છે' - તે પ્રમાણેનો ઉપચાર પ્રસ્તુતમાં વિજાતીય ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે. તેથી આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “વિજાતિ ઉપચરિત અસદ્દભૂત વ્યવહારને ત્રીજા ઉપનયનો બીજો ભેદ જાણવો. જેમ કે “વસ્ત્ર, આભૂષણ, સોનું, રત્ન વગેરે મારા છે' - આ પ્રમાણેનો વ્યવહાર.” નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “પ્રસ્તુતમાં, “આભૂષણ, સોનું, રત્ન અને વસ્ત્ર વગેરે મારા છે' - આવું કથન વિજાતીય દ્રવ્યમાં ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય તરીકે
જાણવા યોગ્ય છે.” આવા પ્રકારની બુદ્ધિની પક્કડ આવવાથી મિથ્યાત્વ દઢ બને છે. તેથી જ અમિતગતિ રણ દિગંબરે યોગસારપ્રાભૃતમાં જણાવેલ છે કે “મારામાં આ કાર્મણ દ્રવ્ય રહેલું છે. આ કામ કરવામાં અધિકારી થાઉં છું – આવી દુર્બુદ્ધિ જ્યાં સુધી છે, ત્યાં સુધી મિથ્યાત્વ દૂર થતું નથી.”
• વસ્ત્ર કેવલ પુગલપર્વાચસ્વરૂપ નથી છે પૂર્વપક્ષ - (17) નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ - આ પ્રમાણે દરેક પદાર્થના ઓછામાં ઓછા ચાર નિલેપ (=પ્રકાર) પડે છે. તેથી વસ્ત્ર, આભૂષણ વગેરેના પ્રસ્તુતમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપે ચાર નિક્ષેપ ( ભેદ) થશે. જેમ કે (૧) નામવસ્ત્રાદિ, (૨) સ્થાપનાવસ્ત્રાદિ, (૩) દ્રવ્યવસ્ત્રાદિ અને (૪) ભાવવસ્ત્રાદિ. પરંતુ નામાદિ ચારેય પ્રકારના વસ્ત્રાદિ દારિક આદિ પુદ્ગલના પર્યાય સ્વરૂપ બને તેવું સંભવિત નથી. કારણ કે અનુયોગદ્વારસૂત્રની પરિભાષા મુજબ વસ્ત્ર આદિના ઉપયોગવંત જ્ઞાતા (= જ્ઞાયક જીવદ્રવ્ય) આગમથી ભાવવસ્ત્ર આદિ તરીકે માન્ય છે. તથા સૂક્ષ્મ દૃષ્ટિથી તો આગમથી ભાવવસ્ત્ર વગેરે વસ્ત્રાદિના ઉપયોગસ્વરૂપ છે. તથા જ્ઞાનાદિઉપયોગ તો આત્માનો ગુણ છે. તેથી આગમથી ભાવવસ્ત્ર આદિ આત્મગુણ સ્વરૂપ બનશે, પુદ્ગલપર્યાય સ્વરૂપ નહિ. દ્રવ્યવસ્ત્ર વગેરે પુદ્ગલના પર્યાય સ્વરૂપ હોવા છતાં પણ નામાદિ ચારેય પ્રકારના વસ્ત્રાદિ પુદ્ગલપર્યાયસ્વરૂપ નથી કે જેના લીધે “આ મારાં વસ્ત્ર છે” - એવા પ્રકારનો વાક્યપ્રયોગ વિજાતીય ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય સ્વરૂપ બની શકે. 1. आभरण-हेम-रत्नानि वस्त्रादीनि ममेति जल्पन्। उपचरिताऽसद्भूतो विजातिद्रव्येषु ज्ञातव्यः ।।