Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७८७
० जयधवलाकारमते ऋजुसूत्रसूत्रणम् ० प्रकाशनद्वारा तच्छुद्धाऽशुद्धत्वप्रतिपादनपरत्वात् तद्गाथयोरिति दिक् ।
प्रकृते “ऋजु = प्रगुणं सूत्रयति = सूचयति इति ऋजुसूत्रः। अस्य विषयः पच्यमानः पक्वः। पक्वस्तु स्यात् पच्यमानः, स्यादुपरतपाक इति । ‘पच्यमान इति वर्तमानः, पक्व इति अतीतः। तयोः एकस्मिन् अवरोधः विरुद्धः' इति चेत् ? न, पाकप्रारम्भप्रथमक्षणे निष्पन्नांशेन पक्वत्वाऽविरोधात् । न च तत्र पाकस्य म सर्वांशैः अनिष्पत्तिः एव, चरमावस्थायाम् अपि पाकनिष्पत्तेः अभावप्रसङ्गात् । ततः पच्यमान एव पक्व इति सिद्धम् । तावन्मात्रक्रियाफलनिष्पत्त्युपरमाऽपेक्षया स एव पक्वः स्यादुपरतपाकः इति, अन्त्यपाकापेक्षया निष्पत्तेः છે. અહીં જે કંઈ કહેવાયેલ છે, તે તો એક દિગદર્શન માત્ર છે. આ દિશાસૂચન મુજબ વિજ્ઞવાચકવર્ગે તત્ત્વમીમાંસાના માર્ગે આગળ વધવું.
સ્પષ્ટતા:- પ્રત્યેક વસ્તુ પ્રતિસમય પરિણમનશીલ છે. તેથી વાસ્તવમાં તો એક પર્યાય એક સમય સુધી જ રહે છે. તે એક સમયવર્તી પર્યાય અર્થપર્યાય કહેવાય છે. તે અર્થપર્યાય સૂક્ષ્મ ઋજુસૂત્રનયનો વિષય છે. પરંતુ તે અર્થપર્યાયના આધારે લોકવ્યવહાર ચાલી શકતો નથી. વ્યવહારમાં તો જ્યાં સુધી એક સ્થૂલ પર્યાય રહે, ત્યાં સુધી લોકો તેને વર્તમાન પર્યાય કહે છે. જેમ કે મનુષ્ય પર્યાય આયુષ્ય પર્યન્ત રહે છે. આવા સ્થૂલ પર્યાયને સ્કૂલ ઋજુસૂત્રનય ગ્રહણ કરે છે. પ્રસ્તુત સ્થૂલ પર્યાય વ્યંજન પર્યાય કહેવાય છે. ઋજુસૂત્રનય અર્થાય છે. તેમ છતાં સ્કૂલ ઋજુસૂત્રનય વ્યંજનપર્યાયને ગ્રહણ કરે છે, તે તેની અશુદ્ધિ છે. જ્યારે સૂક્ષ્મ ઋજુસૂત્રનય કેવલ અર્થપર્યાયનો ગ્રાહક હોવાથી શુદ્ધ છે. આમ સૂક્ષ્મ ઋજુસૂત્રનય શુદ્ધ છે અને સ્કૂલ ઋજુસૂત્રનય અશુદ્ધ છે' - તેવું ફલિત થાય છે.
* “ધ્યાન પવાર - જુસૂત્રનય & (પ્ર.) પ્રસ્તુતમાં કષાયપ્રાભૃતની જયધવલા વ્યાખ્યાનો એક પ્રબંધ પણ અનુસંધાન કરવા યોગ્ય છે. ત્યાં દિગંબરાચાર્ય વીરસેનજીએ જણાવેલ છે કે “ઋજુ = પ્રગુણ = એકસમયવર્તી પર્યાયને જે સૂત્રિત કરે = સૂચિત કરે તે ઋજુસૂત્રનય છે. તેનો વિષય “પદ્યમાનઃ પવ' છે. અર્થાત્ પાકી રહેલ છે હોય તે પાકી ચૂકેલ છે. જ્યારે પક્વ તો કથંચિત્ પાકી રહેલ છે, કથંચિત્ ઉપરત પાક = વિશ્રાન્સપાક (= પાકી ચૂકેલ) છે.
દલીલ :- “પધ્યમન' શબ્દ વર્તમાનકાલીન પાકક્રિયાને જણાવે છે. જ્યારે વ’ શબ્દ તો અતીત પાકક્રિયાને દર્શાવે છે. તેથી બન્નેનું એક પદાર્થમાં રહેવું એ વિરોધગ્રસ્ત છે. તેથી પ્રવ્યમાન ને પર્વ કહી ન શકાય.
નિરાકરણ :- ના, તમારી વાત બરાબર નથી. આનું કારણ એ છે કે પાકપ્રારંભની પ્રથમ ક્ષણે પાકેલા અંશની અપેક્ષાએ પદાર્થને પક્વ હોવામાં કોઈ વિરોધ નથી. પાકપ્રારંભની પ્રથમ ક્ષણે પાક બિલકુલ થયો જ નથી' - એવું તો માની શકાતું નથી. કારણ કે તેવું માનવામાં તો પાકની અંતિમ દશામાં પણ પાકની નિષ્પત્તિ થઈ નહિ શકે. તેથી જ પ્રવ્યમાન = પાકી રહેલ છે તે જ વવવ = પાકી ચૂકેલ પણ છે - આમ સિદ્ધ થાય છે. તથા જેટલા અંશમાં પાકક્રિયાના ફળની ઉત્પત્તિ સમાપ્ત થઈ ચૂકેલ છે. અર્થાત્ ચૂલા ઉપર ચઢેલા ચોખા વગેરે જેટલા અંશમાં પાકી ચૂકેલ = પક્વ છે તે અંશની અપેક્ષાએ ચોખા પક્વ છે, કથંચિત ઉપરપાક છે. તથા અંતિમ પાકક્રિયાની સમાપ્તિનો અભાવ