Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૭/૨૪
* मतिज्ञानोत्कर्षमदः त्याज्यः
सिद्धगुणास्तु नैवम् । ततो विशेषेण तेऽमूर्त्ता एव” (वि. आ.भा.३२७८ वृ.) इति विशेषावश्यकभाष्यमलधारवृत्तिवचनमप्यनुसन्धेयम् ।
८७५
प
रा
उपलक्षणाद् वेदनाजनकत्वात् कर्म अपि विजातीयगुणारोपाद् वेदना प्रोच्यते । इदमेवाभिप्रेत्य માવત્યાં “મ્મ વેવળા” (મ.યૂ.૭/૩/૨૭૧)ત્યુત્તમ્। ‘ર્મ વેવના’ તિથન વિનાતીયપર્યાયે विजातीयगुणोपचारोऽसद्भूतव्यवहार इति भावः ।
म
-
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – ' मतिज्ञानं मूर्त्तमित्युक्त्या तस्मिन्नैव परिपूर्णं स्वाऽऽधिपत्यं शु वर्तते इत्युपदर्शितम् । व्यवधानाऽतिदूरत्वाऽतिसामीप्याऽतिसादृश्यादिना तत् परिस्खलत्यपि । अत क एव व्यापके, सूक्ष्मे, प्रबले चाऽपि स्वकीयमतिज्ञाने नैव निर्भरतया भाव्यम्, न वा तेन मदितव्यम्, अपि तु सततं सोत्साहतया केवलज्ञानोपलब्धयेऽन्तरङ्गापवर्गमार्गगमनोद्यमपरायणता आत्मसात् कार्या। णि ततश्च ““छिंदित्तु जाई - मरणस्स बंधणं उवेइ भिक्खू अपुणागमं गई” (द.वै. १०/२१) इति दशवैकालिक - का सूत्रोक्ताम् अपुनरावृत्तिं सिद्धिगतिं छिन्नजाति - मरणबन्धनः उपैति । ।७ /१४।।
છે. ત્યાં જણાવેલ છે કે “સાધુ ભગવંતો દેહધારી હોવાથી મૂર્ત છે. મૂર્તના ગુણો મૂર્તદ્રવ્યથી અભિન્ન હોવાથી મૂર્તસાધુના જ્ઞાનાદિ ગુણોને કથંચિત્ મૂર્ત કહી શકાય છે. પરંતુ સિદ્ધ ભગવંતના કેવલજ્ઞાનાદિ ગુણો તો ઉપચારથી પણ મૂર્ત કહેવા શક્ય નથી. તેથી તે વિશેષ રીતે અમૂર્ત જ છે.”
- કર્મ વેદના છે !
(૩૫ત્ત.) મતિજ્ઞાનને મૂર્ત કહેવાની વાત ઉપલક્ષણરૂપ છે. તેથી ‘કર્મ વેદના છે' - આ વચન પણ વિજાતીય અસદ્ભૂત વ્યવહાર તરીકે સમજી શકાય છે. કર્મ વેદનાજનક છે. પુદ્દગલ દ્રવ્યનો પર્યાય કર્મ છે. આત્માનો વિભાવગુણ વેદના છે. પુદ્ગલ દ્રવ્ય જડ છે. આત્મા ચેતન છે. તેથી વિજાતીય દ્રવ્યના ગુણનો કર્મમાં આરોપ કરવાથી કર્મ પણ વેદના કહેવાય છે. આ જ અભિપ્રાયથી ભગવતીસૂત્રમાં જણાવેલ છે કે ‘કર્મ વેદના છે.’ આ કથન વિજાતીય પર્યાયમાં વિજાતીય ગુણનો આરોપ કરનાર અસદ્ભૂત વ્યવહાર ઉપનયસ્વરૂપ છે. આ અહીં તાત્પર્ય સમજવું. કર્મ અને વેદના પણ પરસ્પર વિજાતીય છે. * મતિજ્ઞાન ઉપર મુસ્તાક ન બનો
આધ્યાત્મિક ઉપનય :- મતિજ્ઞાનને મૂર્ત કહીને ‘આત્માનું પરિપૂર્ણ આધિપત્ય તેના ઉપર નથી’ તેવું સૂચિત કરેલ છે. દીવાલ વગેરે વ્યવધાન, અતિદૂરત્વ, અતિસાન્નિધ્ય, અતિસાર્દશ્ય વગેરે પરિબળોથી મતિજ્ઞાન સ્ખલના પણ પામે છે. માટે પોતાનું મતિજ્ઞાન ગમે તેટલું વ્યાપક, સૂક્ષ્મ અને બળવાન દેખાતું હોય તો પણ તેના ઉપર મદાર બાંધ્યા વિના, તેના ઉપર મુસ્તાક બન્યા વિના, કેવલજ્ઞાનની સંપ્રાપ્તિ માટે અંતરંગ પુરુષાર્થને પ્રબળ બનાવવા માટે, આત્મસાત્ કરવા માટે સતત ઉલ્લસિત રહેવું. અંતરંગ પુરુષાર્થને પ્રબળ બનાવ્યા બાદ આત્માર્થી સાધક જન્મ-મરણના બંધનને છેદીને જ્યાંથી સંસારમાં પુનરાવર્તન નથી થતું તેવી સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે. આ અંગે દશવૈકાલિકસૂત્રમાં જણાવેલ છે કે “જન્મ-મરણના બંધનને છેદીને ભિક્ષુ સંયમી પુનરાગમનશૂન્ય એવી સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે.” (૭/૧૪) 1. વર્મ વેવના/ 2. છિન્ના નાતિ-મરાયો: વન્ધનમ્, પૈતિ મિથ્યુઃ અપુનરાગમાં ગતિમ્।
=
*