Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८७२
* उपचारप्रयोजनविमर्शः
७ / १३
प
रा
पापप्रवृत्तिसमये तत्फलमभिसन्धाय 'अहं मूढः, अज्ञः' इत्यादिकां धियमुपस्थाप्य पापनिवृत्त्यौपयिकं बलं प्राप्तव्यम्। (२) एवं धर्मप्रवृत्तिकाले ' अहं साधकः, श्रमणोऽहम्' इत्यादिकां प्रज्ञामुत्थाप्य विधिविशुद्धसदनुष्ठानकरणसामर्थ्यं प्राप्यम् । तथा (३) दृष्टशत्रुञ्जयं कर्म- संयोग-काल-नियति-प्रमादादिम पारवश्येन पापप्रवृत्तं भव्यात्मानं दृष्ट्वा तदीयभव्यतां निजचेतसि समारोप्य 'अयं भव्यः आसन्न - सिद्धिकः' इति बोधमुत्पाद्य तद्विषयकद्वेषादिलक्षणोऽप्रशस्तमनोवृत्तिप्रवाहः ताडनादिलक्षणश्चाऽप्रशस्तदेहवृत्तिप्रवाहश्च प्रतिरोध्यः । मैत्र्यादिभावनाश्च तस्मिन् भावयितव्याः प्रयत्नत इत्यत्रोपदेशो लभ्यते। इत्थमप्रशस्तदेह - मनोवृत्तिप्रवाहविरामे सिद्धसुखं सुलभं स्यात्, तस्य कृत्स्नवृत्तिविलयाऽविनाभावित्वात् । प्रकृते “देह - मनोवृत्तिभ्यां भवतः शारीर - मानसे दुःखे । तदभावात् तदभावे सिद्धं सिद्धस्य ૐ સિદ્ધિમુલમ્ ।।” (પ્ર.૨.૨૧) કૃતિ પ્રશમરતિજારિા ભાવનીયા।।૭/૧રૂ||
#t
al
એવો કરી શકાય કે (૧) પાપ કરતી વખતે તેના ફળરૂપે મળનાર તિર્યંચ, નરક વગેરે ગતિને લક્ષમાં રાખીને ‘હું મૂઢ છું’,‘હું અજ્ઞાની છું’ - ઈત્યાદિ બુદ્ધિ ઉભી કરવા દ્વારા પાપને છોડવાનું બળ મેળવવું. (૨) સામાન્ય ધર્મસાધના કરતી વખતે પણ ‘હું સાધક છું. હું સાધુ છું’ આવી બુદ્ધિ ઊભી કરવા દ્વારા વિધિવિશુદ્ધ રીતે ધર્મસાધના કરવાનું સામર્થ્ય સંપ્રાપ્ત કરવું. (૩) તે જ રીતે શત્રુંજયના દર્શન કરનાર કોઈ ભવ્યાત્મા કર્મવશ કે સંયોગવશ કે કાળવશ કે નિયતિવશ કે પ્રમાદાદિવશ પાપ કરી રહ્યો હોય ત્યારે પણ તેની મોક્ષે જવાની યોગ્યતાને લક્ષમાં રાખીને ‘આ ભવ્ય છે, આસન્નમુક્તિગામી છે' - આવી બુદ્ધિ ઉભી કરવા દ્વારા તેના પ્રત્યે દ્વેષ, દુર્ભાવ વગેરે સ્વરૂપ અપ્રશસ્ત ચિત્તવૃત્તિપ્રવાહને તથા તમાચો મારવા વગેરે સ્વરૂપ અપ્રશસ્ત દેહવૃત્તિપ્રવાહને અટકાવવો. તથા તેના પ્રત્યે મૈત્રી વગેરે ભાવોને કેળવવા પ્રામાણિકપણે પ્રયત્ન કરવો - આવી પણ પ્રસ્તુતમાં સૂચના મળે છે. આ રીતે અપ્રશસ્ત દેહવૃત્તિ-ચિત્તવૃત્તિના પ્રવાહનો વિરામ થાય તો સિદ્ધસુખ સુલભ થાય. કારણ કે સિદ્ધસુખ તો પ્રશસ્ત -અપ્રશસ્ત તમામ વૃત્તિઓનો ઉચ્છેદ થયા વિના મળતું નથી. પ્રસ્તુતમાં પ્રશમરતિ પ્રકરણની એક કારિકાની પણ ઊંડાણથી વિભાવના કરવી. મોક્ષમાં સુખની સિદ્ધિ કરવા માટે ત્યાં ઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ છે કે ‘દેહવૃત્તિથી શારીરિક દુઃખ થાય છે તથા મનોવૃત્તિથી માનસિક દુઃખ ઉત્પન્ન થાય છે. સિદ્ધ ભગવંતને દેહવૃત્તિ અને મનોવૃત્તિ હોતી નથી. તેથી શારીરિક અને માનસિક દુઃખ હોતું નથી. તેથી સિદ્ધ ભગવંતને સિદ્ધિમાં મુક્તિમાં સુખ સિદ્ધ થાય છે.' (૭/૧૩)
લખી રાખો ડાયરીમાં......જ
• સાધનાથી ભગવાન સાથેનું ભૌગોલિક અંતર ઘટી શકે. દા.ત. ગગનગામી મુનિ.
ઉપાસનાથી ભગવાન સાથેનું માનસિક અંતર ઘટ્યા વિના રહેતું નથી. દા.ત. શોભન મુનિ.