________________
Jain Education International
ઊં
ચા શિખર ઉપર ચડવા માટે જેમ પગથિયાંની જરૂર રહે છે, તેમ ધર્મને શિખરે પહોંચવા માટે પણ અમુક પગથિયાં જરૂરી બને છે. ધીમે ધીમે અને એક એક કરતાં ચડનારો, ક્યારેક પણ આવા શિખરને હસ્તગત કરી શકે છે.
૧૭. અધૂર
જીવનનાં બધાં શિખરોમાં, મોટામાં મોટું અને ઊંચામાં ઊંચું શિખર તે ધર્મશિખર. હિમગિરિનું ઉત્તુંગ શિખર સર કરી જેમ તેનસિંગે પરાક્રમની પરાકાષ્ઠા દાખવી, તેમ આ ધર્મ-શિખરે જે પહોંચે તે આપણા જીવનના અધ્યાત્મની પરાકાષ્ઠા દાખવે છે.
આપણે સૌ આ શિખરના પ્રવાસી છીએ. એ ન હોત તો આપણે અહીં ભેગાં ન થાત. દરેકમાં આ ધર્મ-શિખરના પ્રવાસની ઝંખના, ઇચ્છા, કામના છે, એમ જણાય છે.
આપણે જીવનમાં જે પાળવાનું, સાધવાનું છે તે આ ધર્મ-શિખર. પણ આ ધર્મ-શિખરે પહોંચવાનાં પગથિયાં સારાં, વિશાળ જોઈએ કે જેથી સરળતાથી ચડી
૭૦ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org