SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ઊં ચા શિખર ઉપર ચડવા માટે જેમ પગથિયાંની જરૂર રહે છે, તેમ ધર્મને શિખરે પહોંચવા માટે પણ અમુક પગથિયાં જરૂરી બને છે. ધીમે ધીમે અને એક એક કરતાં ચડનારો, ક્યારેક પણ આવા શિખરને હસ્તગત કરી શકે છે. ૧૭. અધૂર જીવનનાં બધાં શિખરોમાં, મોટામાં મોટું અને ઊંચામાં ઊંચું શિખર તે ધર્મશિખર. હિમગિરિનું ઉત્તુંગ શિખર સર કરી જેમ તેનસિંગે પરાક્રમની પરાકાષ્ઠા દાખવી, તેમ આ ધર્મ-શિખરે જે પહોંચે તે આપણા જીવનના અધ્યાત્મની પરાકાષ્ઠા દાખવે છે. આપણે સૌ આ શિખરના પ્રવાસી છીએ. એ ન હોત તો આપણે અહીં ભેગાં ન થાત. દરેકમાં આ ધર્મ-શિખરના પ્રવાસની ઝંખના, ઇચ્છા, કામના છે, એમ જણાય છે. આપણે જીવનમાં જે પાળવાનું, સાધવાનું છે તે આ ધર્મ-શિખર. પણ આ ધર્મ-શિખરે પહોંચવાનાં પગથિયાં સારાં, વિશાળ જોઈએ કે જેથી સરળતાથી ચડી ૭૦ * ધર્મરત્નનાં અજવાળાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy