Book Title: Dharmaratnana Ajwala
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 316
________________ અમારા સંસ્કારની જ્યોતને જલતી રાખવાનો છે. તમારા મિત્રને પણ થાય કે આ તો મારો સાથીદાર છે. જીવનની મૂંઝવણભરી ખીણમાંથી સાંગોપાંગ બહાર નીકળવા માટે આ જ મારો સહારો છે. કહો, તમને આવા બનવું ગમે ને ? આવા બનવું હોય તો જીવન જીવવાની સાચી દિશા આજથી જ નક્કી કરો અને તે મુજબ જીવનને આકાર આપો. તમને થશે : આ રીતનો નિર્ણય શી રીતે લઈ શકાય ? આવો, હું તમને રસ્તો બતાવું. તમારે જો જીવન જીવવાની સાર્થકતા માણવી હોય તો તમારી સોબત સારી રાખો. દિલ નીડર રાખો અને મનને કેળવણી આપો. સત્સંગ, નિર્ભયતા અને મનની કેળવણી જો જીવનમાં હશે તો જ જીવન ઊર્ધ્વગામી બની રહેશે. જીવનને ઊર્ધ્વગામી બનાવનારી આ જ શિક્ષા અને દીક્ષા છે. ચાર સાધન * ૩૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338