________________
૬૫. મૈત્રીની મંગળ ભાવના
ભ ણાખરા ધર્મો ધર્મના ફળનું જ
વર્ણન કરે છે, પણ જૈનદર્શનની વિશિષ્ટતા એ છે કે, ધર્મના સ્વરૂપનું દર્શન છે કરાવ્યા પછી ધર્મના ફળનું વર્ણન કરે છે.
ધર્મથી સુખ મળે છે, શાંતિ મળે છે. આ થયું ધર્મનું ફળ. આ ફળની બાબતમાં
દુનિયાના બધા જ ધર્મો અને દર્શનકારો ૐ એકમત છે, પણ ધર્મના સ્વરૂપમાં મતભેદ
છે. ધર્મ કહેવો કોને ? આ પ્રશ્ન આવતાં જ કોકડું ગૂંચવાય છે.
એક તોલા સોનાના ૧૪૦ રૂપિયા મળે એ તો થયું સોનાનું ફળ, પણ સોનું કહેવું કોને ? એ થયો સોનાના સ્વરૂપનો પ્રશ્ન.
કસોટી પર પાર ઊતરે, અગ્નિપરીક્ષામાં ઉત્તીર્ણ થાય, તેજાબમાં
શ્યામ ન પડે અને છેદમાં દગો ન જણાય, છે તેનું નામ સોનું. આ થયું સ્વરૂપ. તેમ જ જૈનધર્મ કહે છે કે, જેમાં મૈત્રીનો આનંદ ડ હોય, પ્રમોદને પ્રસન્નતા હોય, કારુણ્યની
૩૧૨ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org