Book Title: Dharmaratnana Ajwala
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 300
________________ ચન્દ્રને મારો ગ્રંથરૂપી રાહુ ગળી જતો હતો, તેને મેં જળમાં પધરાવ્યો.” રઘુને તમ્મર આવી ગયાં : “મિત્ર, તેં આ શું કર્યું ? આવું અપૂર્વ સર્જન તેં આ જળમાં પધરાવ્યું ? જે પુસ્તક તારી કીર્તિને અમર બનાવત, તેને તે આમ સહજતાથી જળશરણ કર્યું ?' ચૈતન્ય કહે: “રઘુ ! માણસની કિંમત છે; કીર્તિ એની આગળ ગૌણ છે. મારા મિત્રની પ્રસન્નતા આગળ બધું જ નહીંવત્ છે. માણસના મૂલ્ય આગળ કીર્તિ ને નામનાનું મૂલ્ય શું છે ? તારું સર્જન એ મારું સર્જન છે ને ? તારી બાર-બાર વર્ષની મહેનતને મારું મન આદરથી જુએ છે.” વિચારો, તમારેય મિત્ર તો છે ને ? પણ તમારે માટે એવો કોઈ ત્યાગ કે ભોગ આપવા તૈયાર છે ? તમારી મુશ્કેલીના સમયે તમારી પડખે ઊભાં રહેનારા કેટલા ? તમારા મિત્રો તો એવા કે સાથે બેસીને તમારા ગુણ ગાય અને પાછળથી નિંદા કરે, કારણ કે એમના મનમાં તમારા વ્યક્તિત્વની છાપ કરતાં તમારા ધનની છાપ વધારે છે. એટલે ધનને સલામ કરે અને તમારી નિંદા કરે. માટે એવા મિત્રોથી સો જોજન દૂર જ રહેજો. વસ્તુને આપણે કઈ રીતે જોઈએ છીએ એ પર ઘણી વાર વસ્તની ઓળખનો આધાર રહે છે. એ જ રીતે વસ્તુને કયા સાધનથી જોઈએ છીએ તે પર પણ વસ્તુની કિંમત સમજવાનો આધાર રહે છે. કાળાં ચમાં ચઢાવીને જોશો તો પીળી અને ધોળી વસ્તુ પણ શ્યામ દેખાશે, કારણ કે કાચનો કાળો રંગ વસ્તુ ઉપર રંગનો આરોપ કરે છે, એટલે વસ્તુને જોવામાં યોગ્ય સાધન જોઈએ. વસ્તુને એના મૂળ રૂપે ઓળખ આપે એવું એ સાધન હોય તો વસ્તુની વિશિષ્ટતાનો આપણને ખ્યાલ આવે. એ જ રીતે, આત્માને ઓળખવા માટે પણ આ આંખ કામ લાગે તે કરતાં દિવ્ય આંખ અનેકગણી વધારે કામ લાગે. શરીરની આંખ એટલે ભૌતિકતાને જોનારી આંખ. એ સ્થૂલ વસ્તુને જોવાની. જીવનની પરમ સૂક્ષ્મ એવી ચેતનાનું દર્શન એ કેમ કરી શકે ? અને માનવજીવન એ કંઈ માત્ર હાલતું ચાલતું પૂતળું કે યંત્ર નથી. એ તો છે ચેતનાનો ધબકાર, આત્માનો અને કર્મસત્તાનો આવિષ્કાર ! આપણા દેહના કેન્દ્રમાં ચેતના છે, આત્મા છે. એને ઓળખવા દિવ્ય નયન જોઈએ. એ દિવ્ય નયનની પ્રાપ્તિ સાથે જ વિશ્વનું દર્શન પલટાઈ જશે. પછી તમને દરેક વસ્તુની પાછળ રહેલ શ્રેષ્ઠ વસ્તુનું દર્શન થશે. પછી સ્ત્રી એટલે વિલાસ અને વિકારનું સાધન નહિ, પણ કોમળ અને ભક્તિભર્યા સમર્પણના વિચારોને જીવનમાં સંક્રાન્ત કરનાર પ્રેરણામૂર્તિ દેખાશે; પુરુષ એટલે પૈસો પેદા કરી ઉપભોગનાં સાધનો પૂરાં પાડનાર એક માત્ર યંત્ર ચાર સાધન ૨૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338