________________
ચાવી જ નીચે કારમાં રહી ગઈ છે ! આમ આજે બોમ્બ અને ઍટમની શોધમાં માનવી ૬૦ માળ ચઢી ગયો છે. હવે તેને લાગ્યું, કે અહિંસારૂપી ચાવી તો હું નીચે ભૂલી ગયો છું. આ ચાવી મેળવવા માટે દુનિયાની નજર આજે ભારત તરફ મંડાઈ રહી છે. સૌ ભારત તરફ આવી રહ્યા છે. એ લોકો અહીં આવી પહોંચે તે પહેલાં, અહિંસારૂપી આપણી ચાવી ભારતમાંથી ગુમ ન થાય તો સારું ! જગતની નજર આજે જ્યારે ભારતના ઉચ્ચ સિદ્ધાંતો ભણી વળી રહી છે, ત્યારે ભારત પોતે આજે ભૌતિક વિલાસની પાછળ જઈ રહ્યું છે. કોંગ્રેસનાં અધિવેશન ભરાય છે અને માંસાહારનાં રસોડાં થવા લાગ્યાં છે. જરાક તો વિચાર કરો કે ભારત જેવા દેશમાં આ શોભે ? ગાંધીજીની કોંગ્રેસ માટે આ કલંક નથી ?
આપણે ભૌતિક રીતે વિચારીએ તો એમાં કંઈ નથી, અને આધ્યાત્મિક રીતે વિચારીએ તો એમાં ઘણુંબધું છે. આજે તમારામાં કળા, વિજ્ઞાન - સાયન્સ બધું જ હશે, પણ જો માનવતા નહિ હોય, તો એ રેતી પર ઊભેલા મહેલ જેવું બની રહેશે એ યાદ રાખજો.
આજે મહાવીર જયંતીનો મંગળ દિન છે. તે દિવસે આપણે પ્રતિજ્ઞા કરીએ કે મારે હવે માનવ બનવું છે, તેના ગુણો ગાવા છે. બાહ્ય નહિ, આંતરસમૃદ્ધિથી સમૃદ્ધ થવું છે.
એક સુતારે લાકડાનો સિહ બનાવ્યો. પેન્ટરે રંગ પૂર્યો. વૈજ્ઞાનિક તેને જીવતો કરવા ગયો. ત્યાં ફિલોસોફરે કહ્યું : “ઊભા રહો. તમારી આ કળા કેવી રીતે કામ કરે છે તે જોવા માટે તો કો'ક જીવતો રહેવો જોઈએ ને ! માટે મને ઝાડ પર ચડી જવા દો.” તે ઉપર ચડી ગયો. પછી તે જીવતા બનેલા સિંહે, પેલા ત્રણેને મારી નાખ્યા. ફિલોસોફર પાસે તો અમી હતું; તેણે તે છાંટીને ત્રણેને ફરી જીવતા કર્યા.
આજે માનવીએ વિજ્ઞાનનું સર્જન કર્યું છે, આ સર્જન જ આજે જાણે માનવીનું ભક્ષણ કરવા તૈયાર થયું છે. આપણે આ ન ભૂલીએ એ જરૂરી છે.
માનવીએ નવી સર્જન કરેલી શક્તિ માનવીના જ વિસર્જનના કાર્યમાં ન લાગી જાય તે જોવાનું છે ! પોતે તૈયાર કરેલો સિંહ, પોતાને જ ખાઈ ન બેસે એનું ધ્યાન રાખવાનું છે.
ભગવાન મહાવીરના આ વિચારો માત્ર જૈનો કે હિંદુસ્તાનને જ ઉપયોગી છે એમ ન માનશો; સારાયે વિશ્વને તેની જરૂર છે. એ વિચારોને પ્રથમ તો જૈનોએ આચારમાં મૂકીને દાખલો બેસાડવો પડશે. દુનિયામાં એકલા શબ્દો કામ
૨૮૨
પર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org