________________
માટે જમીનમાં ખાડો ખોદે છે. ત્યાંથી પણ પુણ્યયોગે ચરુ મળે છે. ત્યારે અનુપમાદેવીએ કહ્યું : ‘જેને નીચે જવું હોય તે ધનને નીચે દાટે અને જેને ઊંચે જવું હોય તે ઊંચે સ્થળે-સન્માર્ગમાં વાપરે !'
આ ટૂંકું પણ મર્માળું વચન વસ્તુપાળને ગમ્યું, અને એણે આબુના શિખર પર ઊંચે ભવ્ય મંદિરો બંધાવ્યાં.
આજે વસ્તુપાળ કે તેજપાળ નથી, પણ તેઓનાં નામને શોભાવનાર સ્થાપત્યો ઊભાં છે. સંપત્તિને કોઈ યાદ કરતું નથી, પણ તેનાં સુકૃત્યોને સૌ યાદ કરે છે. જિનમંદિરોની કારીગરી જોઈ, પ્રેક્ષકોનાં મન અને મસ્તક નમી પડે છે. જોનારનું મન સ્થાપત્યના સર્જનહારને અભિનંદન આપવા દોડી જાય છે. આ છે, સુકૃતમાં વપરાયેલી લક્ષ્મીનો પ્રતાપ.
જેમ વર્ષો પહેલાંનું એમનું સર્જન, આજે આપણને યાદ આવે છે, તેમ આપણે પણ કાંઈક એવું સર્જન કરી જવું જોઈએ, કે જેથી આપણા ગયા પછી પણ લોકો યાદ કરે. દીકરાઓ નામ રાખે કે ડુબાડે, તેના કરતાં આવું સર્જન કરી, તમારું કામ જ નામ રાખે એવું કરી જવું શું ખોટું છે ?
લક્ષ્મીના ત્રણ પ્રકાર છે : દાન, ભોગ અને નાશ. એક ઘીનો ડબ્બો હોય તે કોઈને ખવડાવશો તો ખાનાર બધા રાજી થશે. ધરમાં રોટલા ઉપર ચોપડો, તો તમે રાજી થાવ પણ એ આગમાં બળી જાય તો દુ:ખ થાય. પહેલામાં આત્માની પ્રીતિ છે; બીજામાં દેહતૃપ્તિ છે; ત્રીજામાં વ્યથા છે.
લક્ષ્મી ઘરમાં આવ્યા પછી એને નિયમિત વહેતી રાખવા સારુ, ગંગાનાં પાણી જુઓ. એ સતત વહે છે ને કિનારાઓને લીલા રાખે છે. એક જગ્યાએ જ એ ૨હે અથવા એનો સંગ્રહ થાય તો એ બંધાય અને ગંધાય. લક્ષ્મી પણ બંધાય અને સંગ્રહિત થાય તો ચિંતા-ભય, વૈમનસ્ય ઊભાં કર્યાં વિના રહે જ નહિ. જેમ લક્ષ્મી મળી નથી, એવાઓ એની સેવા કરે. જ્યારે લક્ષ્મીવાન વિચારે કે મારે શું કરવું ? ખરી રીતે તો એવા માણસોએ છૂટા હાથે દાન જ આપવું જોઈએ.
લક્ષ્મી કેમ મળે છે તેનો વિચાર કર્યો છે ? મહેનતથી જ મળે છે કે પુણ્યથી ? તમારા ઘરમાં ઘાટી-નોકર છે. ૨૪ કલાક મજૂરી કરે છે. તમે રાજી થઈ કેટલા પૈસા આપવાના ? પાંચ કે પચ્ચીસ. તે બિચારો જીવનભર શ્રમ કરે તોય શ્રીમન્ન ન થાય, અને તમે ગાદી પર પડ્યા હો તોય લક્ષ્મી ચાલી આવે છે, કારણ કે ત્યાં તમારું પુણ્ય રળે છે.
પુણ્યના દિવસો જ્યાં સુધી હોય ત્યાં સુધી સુખ; પછી તો દુ:ખ જ
Jain Education International
૨૧૮
* ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org