________________
Jain Education International
+>&>
૪૭. સમષ્ટિની ભક્તિમાં મુક્તિ
ગલો પાઠ બરાબર સમજાય એ
આ માટે પાછલા પાઠનું જ્ઞાન જેમ
જરૂરી છે, તેમ એક ગુણ બરાબર પચાવ્યા પછી જ નવો ગુણ પીરસાય છે. કોઈનું ભલું કરેલું સંભારવું નહિ અને કોઈએ આપણું ભલું કર્યું હોય તો ભૂલવું નહિ. આથી કૃતજ્ઞતાનો ગુણ આવી શકશે.
જ્યારે માણસ કૃતજ્ઞી બને છે ત્યારે તે પરહિતમાં મગ્ન બની જાય છે. પછી તો પરહિતનિરતઃનો ગુણ એની પ્રકૃતિરૂપ બની જાય છે. ખાવું, પીવું, સૂવું એ જેમ પ્રકૃતિ ગણાય છે તેમ સદ્ગુણો આપણી પ્રકૃતિ બની જવા જોઈએ. પરહિતમાં નિરત માણસથી ભલું કર્યા વગર રહી શકાય નહિ. જો કોઈનું ભલું તેનાથી ન થઈ શકે, તો એના મોં ૫૨ શૂન્યતા છવાઈ જાય અને એ દિવસ એને નિષ્ફળ લાગે. પણ આજે તો સ્થિતિ જુદી છે. લોકો કામ કરે થોડું અને એ થોડું પણ ઘણું કેમ દેખાય એની ધમાલ એટલી કરે કે એટલી ધમાલ જો કામ માટે કરે તો કેટલાનું ભલું થઈ જાય !
૧૯૮ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org