________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૩ ભાસ થાય છે. આહા.. હા ! વીતરાગનો માર્ગ અલૌકિક છે ભાઈ ! આ વાત પરમાત્મા કહે છે. અને જે પરમાત્મા કહે છે તે સંતો કહે છે. સંતો પણ વસ્તુનું સ્વરૂપ જ કહે છે.
ભગવાન! તમે તો શુદ્ધ સ્વરૂપ આનંદકંદ છોને! એવું હોવા છતાં પણ તારી વર્તમાન દશામાં મલિનપણાની દશા પર્યાયમાં પરિણત છે. એ પરિણમન કર્મથી થયેલું નથી, અને તારી ચીજ અંદર જે શુદ્ધ ચૈતન્ય છે તેનાથી પણ થયેલું નથી, તારી પર્યાયમાં વિકારનું પરિણમન છે તેનાથી ભિન્ન કરવાનું છે. અવસ્થા એટલે હાલતમાં પુણ્યપાપના ભાવ છે, એ રૂપે પર્યાય પરિણમી છે. પર્યાય પરિણમી છે, આત્મા-દ્રવ્ય નહીં હોં!
તે પંડિત એમ કહે છે કે પ્રવચનસારમાં એમ આવે છે કે શુભ પરિણામે પરિણમે ત્યારે દ્રવ્ય શુભ થાય છે. તે વાત તો પર્યાયની છે. જ્યારે આત્મા શુભરૂપે પરિણમે છે તો ત્યારે પર્યાય શુભરૂ૫ (ભાવ) થી તન્મય છે. શુભભાવ પરમાં છે અને પોતાની પર્યાયમાં તે નથી તેમ નથી અને અશુદ્ધપણે પર્યાયમાં થાય છે ત્યારે પર્યાયમાં અશુદ્ધપણું તાદાભ્ય તન્મય છે હોં! તે અશુધ્ધપણું દ્રવ્યથી તન્મય નથી.
શ્રોતા:- તે તો આપ કહો છો ને! ઉત્તર:- નહીં, તેમાં (પ્રવચનસારમાં) આમ છે.
અહીંયા કહે છે – સામ્પ્રત જીવદ્રવ્ય રાગાદિ અશુદ્ધ ચેતનારૂપે પરિણમ્યું છે તેનો અર્થ પર્યાયમાં પરિણમ્યું છે. આહાહા...! મોટી ગરબડ. હજુ તો સને ઝીલવામાં વાંધા તેને અસત્ જ્ઞાનમાં (સત્ ) નિર્ણય કેમ થઈ શકે?
જ્ઞાન એટલે આત્મા વિકારરૂપ પરિણમ્યું છે તેવો પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ થાય છે તેથી જ્ઞાન વિકારરૂપ થઈ ગયું છે? એ તો પર્યાયમાં વિકારરૂપ થયું છે અને અજ્ઞાનીને એમ ભાસે છે કે – વસ્તુ વિકારરૂપ થઈ ગઈ છે. શુદ્ધ ચૈતન્યધન આનંદકંદ પ્રભુ! અતીન્દ્રિય આનંદનો રસકંદ તે તો અનાદિ અનંત શુદ્ધ અને નિર્મળ જ છે. પછી તે એકેન્દ્રિયમાં હો, નિગોદમાં હો, નવમી રૈવેયકમાં હો કે દ્રવ્યલિંગ સાધુ થઈને પાંચ મહાવ્રત પાળતા હો ! ત્યારે જે અશુદ્ધરૂપ પરિણમન છે તેનાથી ભગવાન તો અંદર ભિન્ન શુદ્ધ ચૈતન્ય જ છે. સમજમાં આવ્યું?
અજ્ઞાનીને વિકારી પરિણમનને લીધે એમ પ્રતિભાસે છે કે – જાણે આત્માજ્ઞાનવિકારી થઈ ગયું હોય! કેમ કે- પર્યાયની દૃષ્ટિ વિકાર તરફની છે. પર્યાયના અસ્તિત્વમાં વિકાર છે તેથી તે એમ માને છે કે દ્રવ્ય પણ જાણે વિકારરૂપ થઈ ગયું હોય ! દ્રવ્ય તો દ્રવ્ય જ છે. શુદ્ધ ચૈતન્ય આનંદકંદ એ તો ત્રિકાળ જ્ઞાયકભાવપણે જ રહ્યો છે.
પ્રશ્નઃ- જે દ્રવ્ય છે તે જ પર્યાય છે ને?
ઉત્તર:- બન્ને ભિન્ન છે. ક્ષેત્રથી અલગ છે, ભાવથી અલગ છે, શક્તિથી અલગ છે, ફળથી અલગ છે. પર્યાયમાં સંસાર છે, પર્યાયમાં મોક્ષમાર્ગ અને પર્યાયમાં સિદ્ધ દશા છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com