________________
૮૪]
દર્શન અને ચિંતન તર્કશાસ્ત્રની શુદ્ધ અને ક્રમિક દલીલે બુદ્ધિધન સિવાય ન સમજાય. એક બાજુ, દુરાગ્રહથી ધણ આને સ્પર્શતા કે જાણતા પણ નથી; બીજી બાજુ, આને સર્વસ્વ માનનાર, સદા પાઠ કરનાર એને સમજવાની વાસ્તવિક રીતે તૈયારી કરતા નથી. અને એકાંતે છે.
આ શાસ્ત્રનાં સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજીમાં ભાષાંતરે થયાં છે, પણ એની ખરી ખૂબી મૂળ ગુજરાતીમાં જ છે. જૈન પરંપરાના સર્વમાન્ય ગુજ. રાતી પ્રામાણિક ધર્મગ્રંથ તરીકે આ શાસ્ત્ર સરકારી, રાષ્ટ્રીય કે અન્ય કોઈ પણ સંસ્થાના પાઠ્યક્રમમાં સ્થાન લેવાની યોગ્યતા ધરાવે છે.
વિશિષ્ટ ભાષાંતરકૃતિમાં દિગંબરાચાર્ય કુંદકુંદકૃત પ્રાકૃત “પંચાસ્તિકાયનું તેમણે ગુજરાતીમાં કરેલું અવિકલ ભાષાંતર (૭૦૦) આવે છે. વિવેચનકૃતિઓમાં આધ્યાત્મિક શ્વેતામ્બર મુનિ આનંદઘનજી (૬૯૨), ચિદાનંદજી (૯)નાં કતિપય પદ્યો ઉપર તેમણે કરેલાં વિવેચને મળે છે. પ્રસિદ્ધ દિગંબર તાર્કિક સમતભદ્રના માત્ર એક જ પ્રસિદ્ધ સંસ્કૃત શ્લોકનું વિવેચન (૮૬૮) તેમણે કર્યું છે. આ વિવેચને પ્રમાણની દૃષ્ટિએ નહિ, પણ ગુણની દૃષ્ટિએ એવાં મહતવનાં છે કે કઈ પણ વિવેચકને તે માર્ગદર્શક થવાની યોગ્યતા ધરાવે છે. એ વિવેચન પાંડિત્યમાંથી નહિ પણ સહજભાવે ઊગેલી આધ્યાત્મિકતામાંથી જન્મ્યાં હોય એવો ભાસ થાય છે.
અપૂર્વ અવસર એ ક્યારે આવશે એ ધ્રુવપદવાળું શ્રીમતું કાવ્ય (૪પ૬) આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામેલું હેવાથી, માત્ર જૈન કે ગુજરાતી જનતામાં જ નહિ, પણ ગુજરાતી ભાષા થેડેઘણે અંશે સમજનાર વર્ગમાં પણ જાણીતું થયું છે અને થતું જાય છે. આ પદ્યને વિષય જૈન પ્રક્રિયા પ્રમાણે ગુણશ્રેણી છે. એમાં પ્રક્રિયાનું જ્ઞાન અને ભાવતાદામ્ય સ્પષ્ટ છે. તે એવા આત્મિક ઉલ્લાસમાંથી લખાયેલ છે કે વાંચનારને પણ તે શાંતિ આપે છે. જૈન પ્રક્રિયા હોવાથી ભાવની સર્વગમ્યતા આવવી શક્ય જ નથી. નરસિંહ મહેતા આદિનાં ભજને કપ્રિય છે, કારણ તેની વેદાંતપરિભાષા પણ એટલી અગમ્ય નથી હોતી, જેટલી આ પદ્યમાં છે. આનું વિવેચન સાધારણ અને સર્વદર્શનપરિભાષામાં તુલનાદષ્ટિથી થાય, તો તે વધારે ફેલાવો પામે. નરસિંહ મહેતાના વૈષ્ણવજન તે તેને કહીએ” એ ભજનમનો વૈષ્ણવજન (બૌદ્ધ પરિભાષામાં બેધિસત્વ) સાધનાના ક્રમમાં લેક
* આ પુસ્તકમાં જુઓ પાન ૮૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org