Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
પ્રવચન-માતા
પ૯૫
અધ્યયન-૨૪: ટિ. ૭-૯
૨. માન–માનના આવેશમાં વ્યક્તિ જૂઠું બોલી નાખે છે તે કહે છે–જાતિ, ઐશ્વર્ય વગેરેમાં મારી બરોબરી કરનાર કોઈ
નથી.
૩. માયા–માયાના આવેશમાં વ્યક્તિ અપરિચિત સ્થાનમાં બીજાઓને સંશયમાં નાખવા માટે જૂઠું બોલી નાખે છે–તે કહી દે છે–ન આ મારો પુત્ર છે અને ન તો હું તેનો પિતા છું.
૪. લોભ-લોભના આવેશમાં વ્યક્તિ બીજાઓની વસ્તુઓને પોતાની બતાવવા માંડે છે. ૫. હાસ્ય-હાસ્યને વશ થઈ વ્યક્તિ ગમ્મત-ગમ્મતમાં કુલીન વ્યક્તિને પણ અકુલીન બતાવી દે છે.
૬. ભય–ભયને વશ થઈ વ્યક્તિ પોતે આચરેલા અનાચારની બાબતમાં પૂછવામાં આવતાં કહી દે છે––હું તે સમયે ત્યાં હતો જ નહિ.
૭. મૌખર્ય–વાચાળતાને વશ થઈ વ્યક્તિ બીજાની નિંદા કરવામાં મશગૂલ બની જાય છે. ૮. વિકથા-વિકથામાં લીન વ્યક્તિ સ્ત્રીઓનાં સૌંદર્ય, લાવણ્ય, કટાક્ષ વગેરેની પ્રશંસા કરવા લાગે છે.
સ્થાનાંગ ૧૦૯૦માં જૂઠું બોલવાનાં દસ કારણોનો નિર્દેશ છે. તેમાં પ્રેયસ-નિશ્રિત, દ્વેષ-નિશ્રિત અને ઉપઘાત-નિશ્રિતઆવાં ત્રણ કારણો વધારે છે. મૌખર્યનો ત્યાં ઉલ્લેખ નથી. ૭. પરિભોગેષણામાં દોષ-ચતુષ્ક (પરિમોનિ વક્ર)
આ ચરણમાં એમ બતાવવામાં આવ્યું છે કે મુનિ પરિભોગ-એષણામાં ચાર વસ્તુઓ–(૧) પિંડ, (૨) શા–નિવાસ, (૩) વસ્ત્ર અને (૪) પાત્ર—નું વિશોધન કરે.
દશવૈકાલિક (દ૪િ૭)માં અકલ્પનીય પિડ વગેરે ચારેય લેવાનો નિષેધ કરવામાં આવ્યો છે. પ્રકારતરે ચતુષ્ક દ્વારા સંયોજના વગેરે દોષોનું ગ્રહણ કરવામાં આવેલ છે. જો કે ભોજનનાં સંયોજન, અપ્રમાણ, અંગાર, ધૂમ, કારણ વગેરે પાંચ દોષો છે, છતાં પણ શાન્તાચાર્યે અંગાર અને ધૂમ બંનેને એક-કોટિક માનીને અહીં તેમની સંખ્યા ચાર માની છે. ૮. ( વહોવાદિય)
ઉપધિના બે પ્રકાર હોય છે—ઓઘ ઉપધિ અને ઔપગ્રહિક ઉપધિ. જે સ્થાયી રૂપે પોતાની પાસે રાખવામાં આવે છે તેને “ઓઘ-ઉપધિ’ અને જે વિશેષ કારણવશ રાખવામાં આવે છે તેને ઔપગ્રહિક-ઉપધિ' કહેવામાં આવે છે. જિનકલ્પિક મુનિઓને બાર, સ્થવિરકલ્પિક મુનિઓને ચૌદ અને સાધ્વીઓને પચીસ ઓધ-ઉપાધિ હોય છે. તેનાથી અધિક ઉપધિ રાખવામાં આવે છે તે સર્વ ઔપગ્રહિક હોય છે.* ૯. ઉપકરણોને (મંડાં)
આનો અર્થ છે–ઉપકરણ. ઓઘનિયુક્તિ અનુસાર ઉપધિ, ઉપગ્રહ, સંગ્રહ, પ્રગ્રહ, અવગ્રહ, ભંડક, ઉપકરણ અને કરણ–આ બધાં પર્યાયવાચી છે.' ૧. વૃત્તિ, પત્ર લદ્દા
विशोधयेत्,'चतुष्कं च संयोजनाप्रमाणाङ्गारधूकारणात्मकम्, એજન, પત્ર ૨૭ : ‘પરિમા ' તિ પરમ પUTTયાં
अङ्गारधूमयोर्मोहनीयान्तर्गतत्वेनैकतया विवक्षितत्वात् । चतुष्कं पिण्डशय्यावस्त्रपात्रात्मकम्, उक्तं हि-'पिंडं
ओघनियुक्ति, गाथा ६६७ : सेज्जं च वत्थं च, चउत्थं पायमेव य'त्ति, विशोधयेत्,
ओहे उवग्गहमि य दुविहा उवही य होइ नायव्यो : इह चतुष्कशब्देन, तद्विषय उपभोग उपलक्षितः, ततस्तं
એજન, થા ૬૭૨-૬૭૭૫ વિધતિ, વોડ: ?-૩મોિપાત:
ओघनियुक्ति, गाथा ६६६। शुद्धमेव चतुष्कं परिभुञ्जीत्, यदि वोद्गमादीनां दोषोपलक्षणत्वात् 'उग्गम'त्ति उद्गमदोषान् 'उप्पायणं'
उवही उवग्गहे संगहे य तह पग्गहुग्गहे चेव । ति उत्पादनादोषान् 'एसण' त्ति एषणादोषान्
भंडगं उवगरणे य करणे वि य हुंति एगट्ठा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org