Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૬૪૬
અધ્યયન-ર૬ : ટિ. ૨૭-૨૮
૨૭. કયું તપ ગ્રહણ કરું (તિવં પડવે જ્ઞામિ)
કાયોત્સર્ગમાં સ્થિત મુનિ વિચારે કે હું કયું તપ ગ્રહણ કરું? ભગવાન વર્ધમાને છ મહિનાની તપસ્યા કરી, શું હું પણ એટલી દીર્ઘ તપસ્યા કરવા માટે સમર્થ છું કે નહીં? આમ વિચારતાં-વિચારતાં એક-એક દિવસ કરતાં-કરતાં અંતમાં એવી સ્થિતિએ પહોંચી જાય કે હું કમથી કમ એક પ્રહર અથવા એક નવકારસીનું તપ તો ચોક્કસ કરું. ૨૮. સિદ્ધોનું સંસ્તવન (સિદ્ધાળ સંથd)
પ્રતિક્રમણની પરિસમાપ્તિવેળાએ ત્રણ વાર ‘નમોલ્યુi કહેવાની વિધિ છે. વૃત્તિકારે ‘સ્તુતિત્રયનો ઉલ્લેખ કર્યો છે. પ્રચલિત વિધિમાં પહેલી સ્તુતિ સિદ્ધની, બીજી અહંની અને ત્રીજી આચાર્યની કરવામાં આવે છે. શ્રીમદ્ જયાચાર્યે પણ આચાર્યની સ્તુતિને માન્ય કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org