Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરજ્ઝયણાણિ
૧૦૨૧
(૫) જે સત્યવાદી છે, ધર્મનિષ્ઠ છે,
(૬) જે પંશુકૂલ (ફાટેલા ચીથરાંનુ બનેલ ચીવર) ધારણ કરે છે,
(૭) જે દુબળો, પાતળો અને નસોથી મઢેલા શરીરવાળો છે,
(૮) જે અકિંચન છે, ત્યાગી છે,
(૯) જે સંગ અને આસક્તિથી વિરત છે,
(૧૦) જે પ્રબુદ્ધ છે, જે ક્ષમાશીલ છે, જે જિતેન્દ્રિય છે, (૧૧) જે ચરમ-શરીરી છે,
(૧૨) જે મેધાવી છે, માર્ગ-અમાર્ગને જાણે છે,
(૧૩) જે સંસર્ગ-રહિત છે, અલ્પેચ્છ છે,
(૧૪) જે અહિંસક છે, અવિરોધી છે, જે સત્યવાદી છે, જે અચૌર્યવ્રતી છે, જે અતૃષ્ણ છે, જે નિઃસંશય છે, જે પવિત્ર છે, જે અનુસ્રોતગામી છે, જે નિષ્લેશ છે, જે પ્રાણીઓની સ્મૃતિ અને ઉત્પત્તિને જાણે છે અને
(૧૫) જે ક્ષીણાશ્રવ છે, અર્હત્ છે, જેની પૂર્વ, પશ્ચાત્ અને મધ્યમાં કંઈ નથી, જે સંપૂર્ણ જ્ઞાની છે – તે બ્રાહ્મણ છે.
પરિશિષ્ટ ૬ ઃ તુલનાત્મક અધ્યયન
મહાભારત અનુસાર બ્રાહ્મણ
(૧) જે લોકોની વચ્ચે રહેતો હોવા છતાં અસંગ હોવાને કારણે સૂનો રહે છે.
(૨) જે જે કંઈ વસ્તુ વડે પોતાનું શરીર ઢાંકી લે છે,
(૩) જે લુખ્ખું સૂકું ખાઈને પણ ભૂખને મારે છે,
(૪) જે ગમે તેવા સ્થળે સૂઈ રહે છે,
(૫) જે લોકેષણાથી વિરત છે, જેણે સ્વાદને જીતી લીધો છે, જે સ્ત્રીઓમાં આસક્ત નથી થતો,
(૬) જે સન્માન પામીને ગર્વ કરતો નથી,
(૭) જે તિરસ્કાર પામીને ખિન્ન થતો નથી,
(૮) જેણે બધાં પ્રાણીઓને અભયદાન આપ્યું છે,
(૯) જે અનાસક્ત છે, આકાશની માફક નિર્લેપ છે,
(૧૦) જે કોઈપણ વસ્તુને પોતાની નથી માનતો, (૧૧) એકાકી વિચરણ કરે છે, જે શાંત છે,
Jain Education International
(૧૨) જેનું જીવન ધર્મ માટે હોય છે, જેનો ધર્મ હરિ(આત્મા) માટે હોય છે, જે રાત-દિન ધર્મમાં લીન હોય છે, (૧૩) જે નિસ્ક્રૃષ્ણ છે, જે અહિંસક છે, જે નમસ્કાર અને સ્તુતિથી દૂર રહે છે, જે બધા પ્રકારનાં બંધનોથી મુક્ત છે, (૧૪) જેનાં મોહ અને પાપ દૂર થઈ ગયાં છે, જે ઈહલોક અને પરલોકના ભોગોમાં આસક્ત નથી હોતો – તે બ્રાહ્મણ છે – બ્રહ્મજ્ઞાની છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org