Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
કર્મપ્રકૃતિ
૩. કર્મોનો અનુભાવ
કર્મના વિપાકને અનુભાગ, અનુભાવ, ફળ કે રસ કહેવામાં આવે છે. વિપાક બે પ્રકારનો છે – તીવ્ર અને મંદ. તીવ્ર પરિણામો વડે બંધાયેલા કર્મનો વિપાક તીવ્ર તથા મંદ પરિણામો વડે બંધાયેલા કર્મનો વિપાક મંદ હોય છે. વિશેષ પ્રયત્ન દ્વારા તીવ્રનો મંદ અને મંદનો તીવ્ર બની જાય છે.
૪. કર્મોનો પ્રદેશાગ્ર
કર્મ પ્રાયોગ્ય પુદ્ગલ જીવની શુભ-અશુભ પ્રવૃત્તિ દ્વારા આકૃષ્ટ થઈને આત્માના પ્રદેશો સાથે ચોંટી જાય છે. કર્મો અનંતપ્રદેશી પુદ્ગલ-સ્કંધો હોય છે અને આત્માના અસંખ્ય પ્રદેશો સાથે એકરૂપ બની જાય છે.
Jain Education International
૮૫૧
અધ્યયન-૩૩ : આમુખ
For Private & Personal Use Only
www.jainelibrary.org