Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરાયણાણિ
૧010
પરિશિષ્ટ ૫: ભૌગોલિક પરિચય
મહાભારત અનુસાર ચંપાનું પ્રાચીન નામ “માલિની' હતું. મહારાજ ચંપે તેનું નામ બદલાવી “ચંપા” રાખ્યું હતું.'
એમ પણ માનવામાં આવે છે કે મગધસમ્રાટ શ્રેણિકના મૃત્યુ પછી કુમાર કૂણિકને રાજગૃહીમાં રહેવું સારું ન લાગ્યું. તેણે એક સ્થળે ચંપાના સુંદર વૃક્ષો જોઇને ત્યાં “ચંપાનગર વસાવ્યું.
પિહુડ–આ સમુદ્રકિનારે આવેલ એક નગર હતું. સરપેન્ટિયરે માન્યું છે કે આ ભારતીય નગર હોય તેમ જણાતું નથી. સંભવિત છે કે આ બ્રહ્મદેશનું કોઈ તટવર્તી નગર હોય. જેકોબીએ આ વિશે કંઈ ઉહાપોહ કર્યો નથી.
ડૉ. સિલ્લાં લેવાનું અનુમાન છે કે આ જ પિહુડનગર માટે ખારવેલના શિલાલેખમાં પિહુડ (પિગુડ), પિહુડગ (પિથંડગ) નામ વપરાયું છે તથા ટૉલેમીનું ‘પિટુન્ડે’ પણ પિડુંડનું જ નામ છે. લેવી અનુસાર આની ઉપસ્થિતિ મૈસોલસ અને માનદસઆ બે નદીઓ વચ્ચે આવેલા અંતરિમ ભાગમાં હોવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો ગોદાવરી અને મહાનદીની વચ્ચેનો પુલિન (Delta) પ્રાચીન પિહુંડ છે."
ડૉ. વિમલચરણ લોએ લખ્યું કે આ નગરની શોધ ચિકાકોલ અને કલિંગપટમના આંતરિક ભાગોમાં નાગાવતી (અપરનામ લાંગુલિયા) નદીના તટવર્તી પ્રદેશોમાં કરવી જોઈએ. ૬
સમ્રાટ ખારવેલનો રાજ્યાભિષેક ઈ. પુ. ૧૬૬ લગભગ થયો હતો. રાજ્યકાળના અગિયારમા વર્ષે તેણે દક્ષિણ દેશ જીતી લીધો અને પિથુંડ (પૃથુદકદર્ભપુરી)નો નાશ કર્યો. આ પિણ્ડ’ નગર ‘પિહુડ’ હોવું જોઈએ.
સોરિયપુર – આ કુશાવર્ત જનપદની રાજધાની હતી. વર્તમાન સમયમાં તેની ઓળખાણ આગરા જિલ્લાના યમુના નદીના કિનારે વટેશ્વર પાસે આવેલ ‘સૂર્યપુર” કે “સૂરજપુર’ સાથે કરવામાં આવે છે.”
સોરિક (સોરિયપુર) નારદની જન્મભૂમિ હતી. સૂત્રકૃતાંગમાં એક ‘લોરી'ના અનેક નગરો સાથે “સોરિપુર'નો પણ ઉલ્લેખ થયો છે. ૧૦
દ્વારકા - દ્વારકાના મૂળ સ્થાન વિશે અનેક માન્યતાઓ પ્રચલિત છે(૧) રાયસ ડેવિગ્ને દ્વારકાને કંબોજની રાજધાની ગણાવી છે.૧૧
(૨) બૌદ્ધ સાહિત્યમાં દ્વારકાને કંબોજનું એક નગર માનવામાં આવેલ છે. ૧૨ ડૉ. મલલશેખરે આ મત સ્પષ્ટ કરતાં કહ્યું છે. કે આ કંબોજ કંસભોજ' હોવાનો સંભવ છે કે જે અંધકવૃષ્ણિદાસ પુત્રોનો દેશ હતો.૧૩
(૩) ડૉ. મોતીચંદ્ર કંબોજને પામીર પ્રદેશ માનીને દ્વારકાને બદરવંશાની ઉત્તરમાં આવેલ દરવાજ' નામ નગર માનેલ છે.૧૪
(૪) ઘટ જાતક (સં. ૩૫૫) અનુસાર દ્વારકાની એક બાજુ સમુદ્ર હતો અને બીજી બાજુ પર્વત હતો. ડૉ. મલલશેખરે આ જ વાત માન્ય રાખી છે.૧૫
૧, મહાભારત, ૨૨૫ રૂરૂ૪ ૨. વિવિધ તીર્થ ૫, ૬. દૂધમાં 3. उत्तराध्ययन चूर्णि, पृ. २६१ : समुहतीरे पिहुंडं नाम
નારા 8. The Uttaradhyayana Sutra, p. 357. ૫. ચોપ્રા પણ વૃદ્ધિન, પૃ. ૬ ! ૬. સમ નૈન નોનિન નટવેર, પૃ. ૨૪૬ ા ૭. ભારતીય તિહાસ : વૃષ્ટિ, પૃ. ૨૮૫ ૮. વાત-થાસંપ્રદ, પોષાત, પૃ. ૨૨
૯. માવવૃદ્ધિ, સત્તરમા , પૃ. ૨૨૪] ૧૦. સૂત્રકૃતાં બૂકિ, પત્ર ૨૨૬ ! 9 9. Buddhist India p.28. Kamboja was the adjoining country
in the extreme north-west, with Dvaraka as its capital. ૧૨. વેતવધુ, મા ૨,પૃ.૨ . ૧૩. રિદિવાની માઁ પત્ની પ્રૉપર નેસ, ITI , પૃ. ૨૨૨૬ ! ૧૪. ચોપન vફોનમ ડી ન રૂન રી મહામારત, પૃ.
રૂ૨-૪ | ૧૫.ર ડિવાની પણ પત્ની પ્રÍપર નેમ, મા ૨,પૃ. ૨૧ર !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org