Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૧૦૦૮
પરિશિષ્ટ ૫: ભૌગોલિક પરિચય
ઈપુકાર (ઉસુથાર)નગર – જૈન ગ્રંથકારોએ આને કુરુ જનપદનું એક નગર માન્યું છે. અહીં ઈષકાર’ નામે રાજા રાજય કરતો હતો.
ઉત્તરાધ્યયનમાં વર્ણવાયેલ આ નગર સંબંધી કથાનો ઉલ્લેખ બૌદ્ધ-જાતક (સં. ૫૦૯)માં મળે છે. ત્યાં વારાણસી’ નગરીનો ઉલ્લેખ છે અને રાજાનું નામ “એષકાર’ છે.
રાજતરંગિણી (૭૧૩૧૦, ૧૩૧૨)માં હુશકપુર નગરનો ઉલ્લેખ થયો છે. આજે પણ કાશ્મીરમાં ‘બારામૂલ' (સં. વરદ, વેરામૂન))થી બે માઈલ દક્ષિણપૂર્વમાં વીફટ નદીના પૂર્વ કિનારે “હુશકાર’ કે ‘ઉસકાર' નગર વિદ્યમાન છે.
હ્યુએન શાને કાશ્મીર ખીણમાં, ઈ. સ. ૬૩૧ના સપ્ટેમ્બર મહિનામાં પશ્ચિમ બાજુએથી પ્રવેશ કર્યો હતો. તેણે પૂજનીય સ્થાનોની ઉપાસના કરી ‘હુશકાર'માં રાત વીતાવી હતી.'
અબુરિહાને પણ ‘ઉસકાર'નો ઉલ્લેખ કરી તેને નદીની બન્ને બાજુ વસેલું માન્યું છે.
અલ્બરૂનીનું કથન છે કે કાશ્મીરની નદી જેલમ ‘ઉસકાર’ નગર પાસેથી પસાર થઈને ખીણમાં પ્રવેશ કરે છે. સંભવિત છે કે આ ‘ઉસકાર’ નગર જ ‘ઇપુકાર-એષકાર’ નગર હોય.
કલિંગ-વર્તમાન ઓરીસાનો દક્ષિણ પ્રદેશ “કલિંગ' તરીકે ઓળખાય છે. સાડા પચીસ આર્ય દેશોમાં તેની ગણતરી કરવામાં આવી છે. બૌદ્ધ-ગ્રંથોમાં ઉલ્લેખ પામેલ ૧૬ મહાજનપદોમાં તેનો ઉલ્લેખ નથી. યૂઆનું ચુઆંગે કલિંગ જનપદનો વિસ્તાર પાંચ હજાર ‘લી અને રાજધાનીનો વિસ્તાર વીશ ‘લી’ બતાવ્યો છે." કલિંગ દેશની રાજધાની કાંચનપુર માનવામાં આવતી હતી. સાતમી શતાબ્દીથી આ નગર ભુવનેશ્વર' નામે પ્રસિદ્ધ છે.
ગાંધાર—આનાં સ્થાનની ચર્ચા કરતાં કનિંગહામે લખ્યું છે કે આનો વિસ્તાર પૂર્વ-પશ્ચિમ એક હજાર લી’ અને ઉત્તરદક્ષિણમાં આઠસો ‘લી’ હતો. તેના આધારે આની હદ પશ્ચિમમાં સંધાન અને જલાલાબાદ સુધી, પૂર્વમાં સિંધુ સુધી, ઉત્તરમાં સ્વાત અને બુનિર પર્વત સુધી તથા દક્ષિણમાં કાલબાગ પર્વત સુધી હતી.
આ રીતે સ્વાતથી જેલમ નદી સુધીનો પ્રદેશ ગાંધાર અંતર્ગત હતો. જૈન સાહિત્યમાં ગાંધારની રાજધાની તરીકે “પંડ્રવર્ધનનો ઉલ્લેખ છે અને બૌદ્ધ સાહિત્યમાં ‘તક્ષશિલા' નો. ગાંધાર ઉત્તરાપથનું પ્રથમ જનપદ હતું.
સૌવીર-આધુનિક વિદ્વાનો “સૌવીર’ને સિંધુ અને જેલમ નદીની વચ્ચેનો પ્રદેશ માને છે.“ કેટલાક વિદ્વાનો તેને સિંધુ નદીની પૂર્વમાં મુલતાન સુધીનો પ્રદેશ માને છે."
સિંધુ-સૌવીર’ એવું સંયુકત નામ જ વિશેષરૂપે પ્રચલિત છે. પણ સિંધુ અને સૌવીર જુદા જુદા રાજયો હતા. ઉત્તરાધ્યયનમાં ઉદ્રાયણને ‘સૌવીરરાજ' કહેવામાં આવ્યો છે. ટીકા દ્વારા પણ તે વાતની પુષ્ટિ થાય છે. તેમાં ઉદ્રાયણને સિંધુ, સૌવીર વગેરે સોળ જનપદોનો અધિપતિ દર્શાવ્યો છે.૧૧
८. इण्डिया एज डिस्क्राइब्ड इन अर्ली ट्रेक्ट्रस ऑफ बुद्धिज्म
एन्ड जैनिज्म, पृ. ७०। ૯. પત્નિટિવલન ફ્રિસ્ટ્રી ઓફ ઈશયર ઇયા, પૃ. ૬૦૭,
૧. ઉત્તરાધ્યયન નિયુક્તિ, થા રૂદ્ધ | ૨. રિાિચા મા યિા , પૃ. ૬૦૪-૨૦૫ I ૩. એજન, પૃ. ૨૫૪T ૪. મન્વેસ્વિની's fuડયા, પૃ. ૨૦૭૫ પ. પુમાન યુઝા ટ્રેન્સ ફન રૂપિયા, મા ૨,પૃ. ૨૧૮ . ૬. ગૃહdવ સૂત્ર, મારૂ, પૃ. ૧૧૩ . ૭. રિ ના ચોપ્રાણી પણ રૂપિયા (સં. ૨૮૨), .
૪૮.
નોટ?
૧૦.૩રાધ્યયન, ૨૮૪૮ ૧૧. પુષ્યવોથા, પત્ર ર૧૨ .
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org