Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરજઝયણાણિ
૯૩૨
અધ્યયન-૩૬: ટિપ્પણ ૧૨
ઉર્દુ-જૈન સાહિત્યમાં લોકને ત્રણ ભાગમાં વિભક્ત કરવામાં આવેલ છે – ઊર્ધ્વ-લોક, અધો-લોક અને તિર્ય-લોક. જો કે મૂળ પાઠમાં ‘ઊર્ધ્વ' શબ્દનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે, પરંતુ પ્રકરણ મુજબ તેનો અર્થ ‘ઊર્ધ્વ-લોક' થાય છે. ઊંચાઈની દષ્ટિએ સમગ્ર લોક ૧૪ રજૂ-પ્રમાણ છે. ઊર્ધ્વ-લોકની ઊંચાઈ ૭ રજ્જથી કંઇક ઓછી છે. સાધારણ રીતે જીવો તિર્યકલોકમાં સિદ્ધ થાય છે, પણ કયારેક મેરુ પર્વતના શિખર પર પણ જીવો સિદ્ધ થઈ જાય છે. મેરુ પર્વતની ઊંચાઈ એક લાખ યોજન પરિમાણ છે, આથી તે ઊર્ધ્વ-લોકની સીમામાં આવી જાય છે. આથી કરીને ત્યાંથી મુક્ત થનારા જીવોનું ‘સિદ્ધિ-ક્ષેત્ર’ ઊર્ધ-લોક જ હોય છે.'
મદે-અધો-લોકના ક્ષેત્રની લંબાઈ સાત રેન્જથી કંઈક વધુ છે. સાધારણ રીતે ત્યાં મુક્તિ નથી થતી, પરંતુ મહાવિદેહના બે વિજય મેરુના સુચક પ્રદેશોની નીચે સુધી પહોંચે છે. તિર્ય-લોકની સીમા નવ સો યોજન છે. તેનાથી આગળ અધો-લોકની સીમા આવી જાય છે. તે સો યોજન ભૂમિમાં જીવો કર્મ-યુક્ત બને છે. જે
તિનિયંતિયફ-લોક “મનુષ્ય-ક્ષેત્રને જ કહે છે. અઢી દ્વીપ પ્રમાણ ત્રાંસા અને અઢારસો યોજન લાંબા આ ભૂમિ-ભાગમાં કોઈ પણ સ્થળેથી જીવો સિદ્ધ થઈ શકે છે. નંદી (સૂત્ર ૨૧)માં સિદ્ધોના પંદર પ્રકારનો નિર્દેશ મળે છે–
(૧) તીર્થ સિદ્ધ - અરિહંત દ્વારા તીર્થની સ્થાપના થયા પછી મુક્ત થનારા. (૨) અતીર્થ સિદ્ધ – તીર્થસ્થાપના પહેલાં મુક્ત થનારા. (૩) તીર્થકર સિદ્ધ – તીર્થકર-અવસ્થા પૂર્વે મુક્ત થનારા. (૪) અતીર્થકર સિદ્ધ – તીર્થકર સિવાયના મુક્ત થનારા. (૫) સ્વયંબુદ્ધ સિદ્ધ –પોતાની જાતે જ – કોઈ બાહ્ય નિમિત્તની પ્રેરણા વિના – દીક્ષિત થઈને મુક્ત થનારા. (૬) પ્રત્યેકબુદ્ધ સિદ્ધ – કોઈ એક નિમિત્તથી દીક્ષિત થઈ મુક્ત થનારા. (૭) બુદ્ધબોધિત સિદ્ધ – ઉપદેશથી પ્રતિબોધ પામી, દીક્ષિત થઈ, મુક્ત થનારા. (૮) સ્ત્રી-લિંગ સિદ્ધ - સ્ત્રીરૂપે મુક્ત થનારા. (૯) પુરુષલિંગ સિદ્ધ –પુરુષરૂપે મુક્ત થનારા. (૧૦) નપુંસકલિંગ સિદ્ધ – જે જન્મથી નપુંસક ન હોય પરંતુ કોઈ કારણવશ નપુંસક બન્યા હોય અને એવી
સ્થિતિમાં મુક્ત થનારા. (૧૧) સ્વલિંગ સિદ્ધ – જૈન સાધુઓના વેશમાં મુક્ત થનારા. (૧૨) અન્યલિંગ સિદ્ધ – અન્ય સાધુઓના વેશમાં મુક્ત થનારા. (૧૩) ગૃહલિંગ સિદ્ધ – ગૃહસ્થના વેશમાં મુક્ત થનારા. (૧૪) એક સિદ્ધ – એક સમયમાં એક જીવ સિદ્ધ થાય તેવા.
(૧૫) અનેક સિદ્ધ – એક સમયમાં અનેક જીવો સિદ્ધ થાય છે, (ઉત્કૃષ્ટપણે ૧૦૮ થઈ શકે) તેવા સિદ્ધ, સિદ્ધ અવસ્થામાં આત્મ-વિકાસની દૃષ્ટિએ સિદ્ધ જીવો બધી રીતે સમાન હોય છે, માત્ર તેમની અવગાહનામાં ભેદ હોય છે. સિદ્ધ જીવો સમગ્રલોકમાં વ્યાપ્ત નથી હોતા, પરંતુ તેમના આત્મા એક પરિમિત ક્ષેત્રમાં રહે છે. પૂર્વાવસ્થાની ઉત્કૃષ્ટ-પાંચ
૧. વૃત્તિ , ત્રિ ૬૮૨ : ‘કર્ણ' fમચૂર્ણનો
मेरुचूलिकादौ सिद्धाः।
૨. એજન, પત્ર ૬૮૩ : ‘અથ' મતો લેડથરઘો
लौकिकग्रामरूपेऽपि सिद्धाः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org