Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરાયણાણિ
૮૯૨
અધ્યયન-૩૬ : આમુખ
પ્રથમ સમયના તિર્યચ, અપ્રથમ સમયના તિર્યચ. પ્રથમ સમયના મનુષ્ય, અપ્રથમ સમયના મનુષ્ય.
પ્રથમ સમયના દેવ, અપ્રથમ સમયના દેવ. (૮) નવ પ્રકારના જીવ–પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાલિક, વનસ્પતિકાયિક, લીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. (૯) દસ પ્રકારના જીવ
પ્રથમ સમયના એકેન્દ્રિય, અપ્રથમ સમયના એકેન્દ્રિય. પ્રથમ સમયના દ્વીન્દ્રિય, અપ્રથમ સમયના દ્વીન્દ્રિય. પ્રથમ સમયના ત્રીન્દ્રિય, અપ્રથમ સમયના ત્રીન્દ્રિય. પ્રથમ સમયના ચતુરિન્દ્રિય, અપ્રથમ સમયના ચતુરિન્દ્રિય.
પ્રથમ સમયના પંચેન્દ્રિય, અપ્રથમ સમયના પંચેન્દ્રિય. આ રીતે આગમ-ગ્રંથોમાં અનેક વિવક્ષાએ જીવોના અનેક વિભાગો કરાયેલા મળે છે. પ્રસ્તુત અધ્યયનમાં અજીવના બે ભેદ કરાયા છે – રૂપી અને અરૂપી (શ્લો. ૪). અરૂપી અજીવના દસ ભેદ છે (શ્લો. ૪,૫,૬) – (૧) ધર્માસ્તિકાય,
(૬) અધર્માસ્તિકાયનો પ્રદેશ, (૨) ધર્માસ્તિકાયનો દેશ, (૭) આકાશાસ્તિકાય, (૩) ધર્માસ્તિકાયનો પ્રદેશ, (૮) આકાશસ્તિકાયનો દેશ, (૪) અધર્માસ્તિકાય, (૯) આકાશસ્તિકાયનો પ્રદેશ અને (૫) અધર્માસ્તિકાયનો દેશ, (૧૦) અદ્ધા-સમય. રૂપી અજીવના ચાર ભેદ છે (ગ્લો. ૧૦) – (૧) સ્કંધ
(૩) સ્કંધ-પ્રદેશ અને (ર) અંધ-દેશ
(૪) પરમાણુ. પ્રજ્ઞાપના અને જીવાજીવાભિગમ સૂત્રમાં પણ અજીવનું આ જ વિભાગીકરણ માન્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org