Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
આમુખ
આ અધ્યયનમાં કર્મની પ્રકૃતિઓનું નિરૂપણ છે, એટલા માટે તેનું નામ ‘જન્મપયડી’-‘ર્મપ્રકૃતિ’ છે.
‘કર્મ’ શબ્દ ભારતીય દર્શનનો બહુ જાણીતો શબ્દ છે. જૈન, બૌદ્ધ અને વૈદિક – બધા દર્શનોએ એને માન્ય કરેલ છે. આ ક્રિયાની પ્રતિક્રિયા છે, આથી તેનો અસ્વીકાર પણ કરી શકાતો નથી. વૈદિક આદિ દર્શનો કર્મને સંસ્કારરૂપે સ્વીકારે છે, જૈનદર્શનની વ્યાખ્યા તેમનાથી વિલક્ષણ છે. તેના અનુસાર કર્મ પૌદ્ગલિક છે. જ્યારે જ્યારે જીવ શુભ કે અશુભ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હોય છે ત્યારે ત્યારે તે પોતાની પ્રવૃત્તિ વડે પુદ્ગલોનું આકર્ષણ કરે છે. તેવા આકૃષ્ટ પુદ્ગલો આત્માની ચોપાસ પોતાના વિશિષ્ટ રૂપ અને શક્તિનું નિર્માણ કરે છે. તેમને કર્મ કહેવામાં આવે છે.
કર્મની મૂળ પ્રવૃત્તિઓ આઠ છે
૧. જ્ઞાનાવરણ – જે પદ્ગલો જ્ઞાનને આવૃત કરે છે. ૨. દર્શનાવરણ – જે પુદ્ગલો દર્શનને આવૃત કરે છે.
૩. વેદનીય – જે પુદ્ગલો સુખ-દુઃખના હેતુ બને છે.
૪. મોહનીય – જે પુદ્ગલો દૃષ્ટિકોણ અને ચારિત્રમાં વિકાર પેદા કરે છે.
૫. આયુષ્ય – જે પુદ્ગલો જીવન-કાળ નિષ્પન્ન કરે છે.
૬. નામ – જે પુદ્ગલો શરીર વગેરે વિવિધ રૂપોની પ્રાપ્તિના હેતુ હોય છે. ૭. ગોત્ર – જે પુદ્ગલો ઉચ્ચતા કે નીચતાની અનુભૂતિમાં હેતુ બને છે. ૮. અંતરાય – જે પુદ્ગલો શક્તિ-વિકાસમાં બાધક બને છે.
૧. જ્ઞાનાવરણ પાંચ પ્રકારનું છે
–
Jain Education International
(૧) આભિનિબોધિક(મતિ) જ્ઞાનાવરણ, (૨) શ્રુતજ્ઞાનાવરણ,
(૩) અવિધ જ્ઞાનાવરણ,
(૪) મન:પર્યવ જ્ઞાનાવરણ, (૫) કેવળજ્ઞાનાવરણ.
૨. દર્શનાવરણ નવ પ્રકારનું છે –
(૧) નિદ્રા,
(૨) પ્રચલા,
(૩) નિદ્રાનિદ્રા,
(૪) પ્રચલા-પ્રચલા,
(૬) ચક્ષુદર્શનાવરણ, (૭) અચક્ષુદર્શનાવરણ,
(૮) અવધિદર્શનાવરણ,
(૯) કેવલદર્શનાવરણ.
(૫) સ્થાનદ્ધિ,
૩. વેદનીયના બે પ્રકાર છે – (૧) સાતવેદનીય અને (૨) વેદનીય.
૪. મોહનીયના બે પ્રકાર છે –
(૧) દર્શન મોહનીય. તેના ત્રણ ભેદ છે – સમ્યક્ત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને સમ્યક્ત્વ મિથ્યાત્વ મોહનીય.
(૨) ચારિત્ર મોહનીય. એના બે ભેદ છે – કષાય મોહનીય અને નો-કષાય મોહનીય.
For Private & Personal Use Only
www.jainelibrary.org