Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૭૩૦
સંજ્વલનનો અર્થ છે ‘ગુણ-પ્રકાશન’.’
ભક્તિનો અર્થ છે ‘હાથ જોડવા, ગુરુ આવી પહોંચતાં ઊભા થવું, આસન આપવું’ વગેરે વગેરે.ર
બહુમાનનો અર્થ છે ‘આંતરિક અનુરાગ’.
દશવૈકાલિક ચૂર્ણિમાં ભક્તિ અને બહુમાનમાં જે અંતર છે તેને એક ઉદાહરણ વડે સમજાવવામાં આવેલ છે.
७. ( मणुस्सदेवदोग्गई ओ...मणुस्सदेवसोग्गईओ)
અપરાધપૂર્ણ આચરણ કરનાર વ્યક્તિ મનુષ્યની દુર્ગતિનું જીવન જીવે છે અને સદાચારનું પાલન કરનાર વ્યક્તિ મનુષ્યની સુગતિનું જીવન જીવે છે.
દેવતાની દુર્ગતિનો અર્થ છે—દેવતાઓમાં કિક્વિષિક વગેરે બનવું અને દેવતાની સુગતિનો અર્થ છે—દેવલોકમાં ઈન્દ્ર વગેરે બનવું.
૮. સિદ્ધિ સુગતિનો માર્ગ (સિદ્ધિ સોનૢ)
સુગતિ સિદ્ધિનું વિશેષણ છે. વૃત્તિકારે ‘સિદ્ધિસો’ને એક પદ માન્યું છે.
સ્થાનાંગમાં ચાર સુગતિઓનો ઉલ્લેખ છે—સિદ્ધ-સુગતિ, દેવ-સુગતિ, મનુષ્ય-સુગતિ અને સુકુળમાં જન્મ.’
૯. માયા, નિદાન અને મિથ્યા-દર્શન-શલ્યોને (માયાનિયામિચ્છાનુંમળસકાળ)
જે માનસિક વૃત્તિઓ અને અધ્યવસાય શલ્ય (આંતરિક વ્રણ)ની માફક ક્લેશકારી હોય છે, તેને ‘શલ્ય’ કહેવામાં આવે છે. તે ત્રણ છે—
(૧) માયા
(૨) નિદાન – તપના ફળની આકાંક્ષા કરવી, ભોગની પ્રાર્થના કરવી.
(૩) મિથ્યા-દર્શન – મિથ્યાર્દષ્ટિકોણ.
-
૧. વૃત્તવૃત્તિ, પત્ર ૭૬ : સત્વનનું—ગુળોદ્માસનમ્ ।
૨. એજન, ભક્ત્તિ:-પ્રવ્રુતિપ્રદાવિજ્ઞા।
૩.
એજન, વદુમાનમ્—આન્તરપ્રીતિવિશેષ: ।
૪.
રાવેાલિન, બિનવામ વૃત્તિ, પૃ. ૨૧ ।
૫.
बृहद्वृत्ति, पत्र ५७९ : सिद्धिसोग्गइं ति सिद्धिसुगतिं ।
૬.
ટાળ, ૪૪ ૨૩૨ ૫
આ ત્રણે મોક્ષ-માર્ગના વિઘ્નો અને અનંત સંસારના હેતુઓ છે. સ્થાનાંગ (૧૦/૭૧)માં કહેવાયું છે – આલોચના (સ્વદોષ-પ્રકાશન) તે જ વ્યક્તિ કરી શકે છે જે માયાવી હોતી નથી.
૧૦. મોહને ક્ષીણ કરવામાં સમર્થ પરિણામ-ધારાને (રાજુસેવિં)
સંક્ષેપમાં ‘કરણ-સેઢિ’નો અર્થ છે ‘ક્ષપક-શ્રેણિ’. મોહ-વિલયની બે પ્રક્રિયાઓ છે—જેમાં મોહનો ઉપશમ થતાં-થતાં તે સર્વથા ઉપશાંત થઈ જાય છે, તેને ‘ઉપશમ-શ્રેણિ’ કહેવામાં આવે છે. જેમાં મોહ ક્ષીણ થતાં-થતાં પૂર્ણપણે ક્ષીણ થઈ જાય છે, તેને ‘ક્ષપક-શ્રેણિ’ કહેવામાં આવે છે. ઉપશમ-શ્રેણિથી મોહનો સર્વથા ઉદ્દાત થતો નથી, એટલા માટે અહીં ક્ષપક-શ્રેણિ જ લેવાય. કરણનો અર્થ ‘પરિણામ’ છે. ક્ષપક-શ્રેણિનો પ્રારંભ આઠમા ગુણસ્થાનથી થાય. ત્યાં પરિણામ-ધારા એવી શુદ્ધ હોય છે જેવી પહેલાં ક્યારેય હોતી નથી. એટલા માટે આઠમા ગુણસ્થાનને ‘અપૂર્વ-કરણ’ કહેવામાં આવે છે. અપૂર્વ-કરણ વડે જે ગુણશ્રેણિ પ્રાપ્ત થાય છે તેને ‘કરણ-ગુણ-શ્રેણિ’ કહેવામાં આવે છે. તે જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે મોહનીય કર્મના પરમાણુઓની
Jain Education International
અધ્યયન-૨૯ : ટિપ્પણ ૭-૧૦
૭.
૮.
૯.
बृहद्वृत्ति, पत्र ५७९ : निदानं - ममातस्तपः- प्रभृत्यादेरिदं स्यात् इति प्रार्थनात्मकम् ।
એજન, પત્ર ૮૦ : પ્રમાÆપળિવવૃદ્ઘતે ।
એજન, પત્ર ૮૭૬ : રોન—અપૂર્વજોન શુળહેતુા શ્રેણિ: करणगुणश्रेणिः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org