Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
(૧) વૈગ્નસિક—પુદ્ગલોમાં સંઘાત-વિધાતથી થનાર. (૨) પ્રાયોગિકજીવના પ્રયત્નથી થનાર.
શબ્દ પ્રસરણશીલ છે. તેનાથી બે વ્યક્તિ સંબંધિત બને છે—વક્તા અને શ્રોતા. એટલા માટે આ બંનેની મીમાંસા આવશ્યક બને છે કે વક્તા કેવી રીતે બોલે છે અને શ્રોતા તેને કેવી રીતે સાંભળે છે ? પુદ્ગલોની અનેક વર્ગણાઓ છે. તેમાં એક ભાષાવર્ગણા છે. કોઈ પણ પ્રાણી જ્યારે બોલવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તે સહુથી પહેલાં ભાષા-વર્ગણાના પરમાણુ-સ્કંધોને ગ્રહણ કરે છે, તેમને ભાષારૂપમાં પરિણત કરે છે અને તે પછી તેમનું વિસર્જન કરે છે. આ વિસર્જનને ‘ભાષા’ કહેવામાં આવે છે.
શબ્દ ગતિશીલ છે, એટલા માટે તે વક્તાના મુખમાંથી નીકળતાવેંત જ ફેલાવા લાગે છે. વક્તાનો પ્રયત્ન તીવ્ર હોય છે તો શબ્દના પરમાણુ–સ્કંધો ભિન્ન થઈ ફેલાય છે અને જો તેનો પ્રયત્ન મંદ હોય છે તો શબ્દના ૫૨માણુ-સ્કંધો અભિન્ન રહી ફેલાય છે. જે ભિન્ન થઈને ફેલાય છે તે સૂક્ષ્મ થઈ જાય છે અને બીજા-બીજા અનંત પરમાણુ-સ્કંધોને પ્રભાવિત કરી લોકાંત સુધી ફેલાઈ જાય છે. જે અભિન્ન રહી ફેલાય છે તે અસંખ્ય યોજનો સુધી પહોંચી નષ્ટ થઈ જાય છે—ભાષારૂપથી ચ્યુત થઈ જાય છે.
શબ્દ
ભાષાત્મક
અક્ષર-સંબદ્ધ
૧.
૨.
૩.
૪.
૫.
નો-અક્ષર-સંબદ્ધ
મવડું, ૧૩ । ૧૨૪ : માસિગ્નમાળી મામા ।
पनवणा, पद ११ ।
તત
Jain Education International
૬૮૦
न्यायकुमुदचन्द्र, पृ. ६६९ ।
મવડું, હું । ૨૨૭, ૨૮ ।
(ક) સ્યાદ્વામં નરી ( ારિા ૬) : ન ચ તમમ: पौद्गलिकत्वमसिद्धम्, चाक्षुषत्वाऽन्यथानुपपत्तेः
આતોઘ-શબ્દ
વિતત
૬.
નો-ભાષાત્મક
અધ્યયન-૨૮ : ટિ.૧૩
ઘન શુષિર ઘન શુષિર
૧૩. અંધકાર (સંધયાર)
જૈન-દષ્ટિ અનુસાર અંધકાર પુદ્ગલ-દ્રવ્ય છે, કેમ કે તેમાં ગુણ છે. જે-જે ગુણવાન હોય છે તે-તે દ્રવ્ય હોય છે, જેમ કે આલોક વગેરે. તે પ્રકાશની માફક ભાવાત્મક દ્રવ્ય છે, અભાવાત્મક નહિ. જે રીતે પ્રકાશનું ભાસ્વર રૂપ અને ઉષ્ણ સ્પર્શ પ્રસિદ્ધ છે, તે જ રીતે અંધકારનું કૃષ્ણ રૂપ અને શીત સ્પર્શ પ્રસિદ્ધ છે.
ગણધર ગૌતમે ભગવાનને પૂછ્યું–‘ભગવન્ ! શું દિવસમાં ઉદ્યોત અને રાત્રિમાં અંધકાર હોય છે ?’
ભગવાને કહ્યું—‘હા ગૌતમ ! દિવસમાં ઉદ્યોત અને રાત્રિમાં અંધકાર હોય છે.’
‘એમ કેમ થાય છે ભગવન્ ?’ ગૌતમે પૂછ્યું.
ભગવાને કહ્યું–‘ગૌતમ ! દિવસમાં શુભ-પુદ્ગલો શુભ-પુદ્ગલ-પરિણામમાં પરિણત થાય છે અને રાત્રિમાં અશુભપુદ્ગલો અશુભ-પુદ્ગલ-પરિણામમાં પરિણત થાય છે. એટલા માટે દિવસમાં ઉદ્યોત અને રાત્રિમાં અંધકાર થાય છે.
અંધકાર પુદ્ગલનું લક્ષણ છે—કાર્ય છે, એટલા માટે તે પૌદ્ગલિક છે." તે પુદ્ગલનો એક પર્યાય છે. વૈદ્યક શાસ્ત્રમાં પણ
प्रदीपालोकवत्... रूपवत्त्वाच्च स्पर्शवत्त्वमपि प्रतीयते शीतस्पर्शप्रत्ययजनकत्वात् ।
(ખ) રન્નાવરાવતારા, પૃ. ૬૧ : તમ: સ્પર્શવત્, રૂપવાત્, पृथिवीवत् न च रूपवत्वमसिद्धं अंधकारः कृष्णोयमिति कृष्णाकारप्रतिभासात् ।
દ્રવ્યસંગ્રહ, ગાથા ૧૬ ।
ભૂષણ-શબ્દ
For Private & Personal Use Only
નો-આતોઘ શબ્દ
નો-ભૂષણ-શબ્દ
તાલ-શબ્દ કંસિકા-શબ્દ
www.jainelibrary.org