Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૬૮૬
અધ્યયન-૨૮ : ટિ.૧૬
કહેવામાં આવેલ છે. અથવા “પ્રપંચસંબંધના વિલયને મોક્ષ કહેવામાં આવેલ છે. મોક્ષાવસ્થામાં જીવમાં ન સુખ છે, ન આનંદ છે કે ન જ્ઞાન છે–‘તસ્મતુ નિ:સભ્યો નિરાશ મોક્ષ / મુક્તાવસ્થામાં આત્મામાં ‘જ્ઞાનશક્તિમાત્ર' જ્ઞાન રહે છે. સાથોસાથ તેની સત્તા તથા દેખવ્ય વગેરે ધર્મો તો તેનામાં રહે જ છે. આ જ આત્માનું નિજ-સ્વરૂપ છે, જેના વડે તે મોલમાં સ્થિત રહે છે-“ચર્ય વં નૈનં રૂપ જ્ઞાનસત્તાવ્યત્વ સિવંતષ્ઠિત '3
પ્રભાકર ધર્મ તથા અધર્મનો સંપૂર્ણ નાશ થવાથી દેહના આત્યંતિક ઉચ્છેદને “મોક્ષ' કહે છે. તેનો મત છે કે આત્મ-જ્ઞાન વડે ધર્માધર્મનો નાશ થાય છે અને તે જ મુક્તિ છે. મુક્તાવસ્થામાં જીવની સત્તા માત્ર રહે છે."
ભાસ્કર વેદાંત અનુસાર ઉપાધિઓથી મુક્ત થઈને પોતાના સ્વાભાવિક સ્વરૂપને ધારણ કરવું તે મોક્ષ છે. તેના બે ભેદ છે(૧) સંઘોમક્તિ અને (૨) ક્રમમક્તિ, જે સાક્ષાત કારણ-સ્વરૂપ-બ્રહ્મની ઉપાસના કરવાથી મુક્તિ પામે છે. તેમની ‘સઘોક્તિ છે અને જે કાર્ય-સ્વરૂપ-બ્રહ્મ વડે મુક્તિ પામે છે, તેમની મુક્તિ “ક્રમમુક્તિ છે. અર્થાત્ તેઓ દેવયાનના માર્ગે અનેક લોકોમાં ઘૂમીને મુક્ત બને છે." મુક્ત-જીવ મન વડે મુક્તિમાં આનંદનો અનુભવ કરે છે. મુક્ત-દશામાં ‘સંબોધ' અથવા “જ્ઞાન” આત્મામાં રહે જ છે, ધ્યાન, ધારણા અને સમાધિ મુક્તિનાં સાધનો છે.
રામાનુજાચાર્યે ત્રણ પ્રકારના જીવાત્માઓ માન્યા છે—(૧) બદ્ધ, (૨) મુક્ત અને (૩) નિત્ય. તેમના અભિમતાનુસાર સત્યવૃત્તિઓ દ્વારા જીવ ઈશ્વરની પાસે જાય છે, ત્યારે તેનામાં બધી જાતના, બધી અવસ્થાને યોગ્ય ભગવાન પ્રત્યે સેવક-ભાવ તથા સ્નેહ આવિર્ભત થઈ જાય છે અને એ બધાનો અનુભવ જીવને થવા લાગે છે. એવા ‘જીવો’ મુક્ત કહેવાય છે. એ ‘મુક્ત જીવો' બ્રહ્મની સમાને ભોગ ભોગવે છે. તેઓ પણ અનેક છે તથા બધા લોકમાં પોતાની ઈચ્છા મુજબ વિચરણ કરે છે. મુક્તાવસ્થામાં મુક્ત-પુરુષોનું જ્ઞાન ક્યારેક-ક્યારેક વ્યાપક હોતું હોય છે.
નિમ્બાર્કાચાર્ય બે પ્રકારના મુક્ત-જીવો માન્યા છે–નિયમુક્ત અને બીજા કે જે સત્કર્મ કરતાં-કરતાં પૂર્વ જન્મના કર્મોનો ભોગ ભોગવી સંસારના બંધનથી મુક્ત બની જાય છે. મુક્ત થતાં તે બધા અર્ચિરાદિ માર્ગથી ‘પર:ોતિઃ' સ્વરૂપને પામીને પોતાના યથાર્થ સ્વરૂપમાં પ્રકટ થઈ જાય છે અને ફરી સંસારમાં આવતા નથી. તેમનામાંથી કેટલાક માત્ર આત્મ-સાક્ષાત્કાર કરીને જ તૃપ્ત થઈ જાય છે અને કેટલાક ઈશ્વર-તુલ્ય બની જાય છે. તેમના અનુસાર મુક્ત-જીવો પણ ભોગ ભોગવે છે.
મધ્વાચાર્ય અનુસાર મુક્ત-જીવ પોતાની ઈચ્છાથી શુભ સત્ત્વમય દેહ ધારણ કરી યથેષ્ટ ભોગનો અનુભવ કરે છે અને ફરી સ્વેચ્છાપૂર્વક તેમનો ત્યાગ કરે છે. કોઈ કોઈના મતે મુક્ત-જીવ પાંચ ભૌતિક શરીર દ્વારા પણ ભોગ ભોગવી શકે છે. આવું શરીર તેમનું ‘સ્વેચ્છા-સ્વીકૃત શરીર' કહેવાય છે. તે અનુસાર સંસાર તથા મોક્ષ—બંને ય અવસ્થાઓમાં જીવોમાં પણ પરસ્પર ભેદ છે. પરમાત્મા આ બધાથી ભિન્ન છે. જ્ઞાનની તરતમતાને કારણે પરમ આનંદની અનુભૂતિમાં પણ તારતમ્ય રહે
છે.
સાંખ્ય અનુસાર પ્રકૃતિનો વિયોગ થઈ જવો એ જ મોક્ષ છે અથવા વિવેક-ખ્યાતિ કે વિવેક-બુદ્ધિ પ્રાપ્ત કરવી તે મુક્તિ છે. મોક્ષાવસ્થામાં પણ પ્રકૃતિનો સાત્ત્વિક અંશ રહે છે. મુક્તિમાં મુક્ત જીવોની સંખ્યા અનંત છે.૧૨
૧. શાસ્ત્રીપિકા, . ૧ર : ત્રિવિધ સ્થાપિ વથળાત્ય
न्तिको विलयो मोक्षः। શાસ્ત્રીfપવા, પૃ. ૨૨-૩૦ | એજન, પૃ. ૨૨૦ प्रकरणपंचिका, पृ. १५६ : आत्यन्तिकस्तु देहोच्छेदो મોક્ષઃ | એજન, પૃ. ૨૬૬-૬૭ | भास्कर भाष्य।
૭. તપતિ તરીfપવા, પૃ. ૨૨-૩૬ ! ૮. તર્વત્રયાગ, . રૂબરૂદ્દા ૯. વેકાનપરિઝાતરમ, ૪ ૪ ૨૩, ૨ | ૧૦. મધ્વમિ-દ્વાન્તસાર, પૃ. ૨૬-૨૭૫ ૧૧. પાર્થસંપ્રદ, પૃ. ૩૨૫ ૧૨. સાંદ્યવારા ૭૦ : મહાવૃત્તિા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org