Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ટિપ્પણ અધ્યયન ૨૮: મોક્ષમાર્ગ-ગતિ
૧. ચાર કારણોથી યુક્ત (ઘડારસિંગુ)
મોક્ષ-ગતિના ચાર કારણો છે. તે આગળના શ્લોકમાં પ્રતિપાદિત કરાયું છે. મોક્ષમાર્ગની ગતિ તે ચાર કારણોથી યુક્ત હોય છે. જ્ઞાન અને દર્શન તેમનાં લક્ષણ બતાવવામાં આવ્યા છે. જ્ઞાન અને દર્શનના કારણના રૂપમાં પ્રતિપાદન છે પછી લક્ષણના રૂપમાં તેમનું પ્રતિપાદન શા માટે ? આનું સમાધાન એવું છે કે સાધનાકાળમાં જ્ઞાન અને દર્શન મોક્ષનાં સાધન છે. સિદ્ધિ-અવસ્થામાં તે આત્માનાં સ્વરૂપ છે. ચાર કારણોમાં તેમનો સાધનના રૂપમાં ઉલ્લેખ છે. લક્ષણમાં તેમનો આત્મ-સ્વરૂપ વિષયક ઉલ્લેખ છે. ૨. (શ્લોક ૨)
આ શ્લોકમાં મોક્ષના ચાર માર્ગો–(૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચારિત્ર અને (૪) તપ–નો નામનિર્દેશ છે. “તપ” ચારિત્રનો જ એક પ્રકાર છે પરંતુ તેમાં કર્મ-ક્ષય કરવાની વિશિષ્ટ શક્તિ હોવાને કારણે તેને અહીં સ્વતંત્ર સ્થાન આપવામાં આવ્યું છે. ઉમાસ્વાતિએ “સદર્શનશાનવરિત્રાળ મોક્ષમઃ' – આ સૂત્રમાં તપસ્યાને સ્વતંત્ર સ્થાન આપ્યું નથી. આ રીતે મોક્ષમાર્ગની સંખ્યા સંબંધી બે પરંપરાઓ મળે છે. તેમનામાં માત્ર અપેક્ષા-ભેદ છે. તપને ચારિત્રની અંતર્ગત માની લેવાથી મોક્ષના માર્ગ ત્રણ બની જાય છે અને તેને સ્વતંત્ર માની લેવાથી ચાર.
બૌદ્ધ સાહિત્યમાં અષ્ટાંગિક-માર્ગને મુક્તિનું કારણ માનવામાં આવેલ છે. (૧) સમ્યફ દૃષ્ટિ (૨) સમ્યફ સંકલ્પ (૩) સમ્યક વચન (૪) સમ્યક્ કર્માન્ત (૫) સમ્યફ આજીવ (૬) સમ્યફ વ્યાયામ (૭) સમ્યફ સ્મૃતિ અને (૮) સમ્યફ સમાધિ—આ અષ્ટાંગિક-માર્ગ કહેવાય છે.? ૩. (શ્લોક ૪)
આ શ્લોકમાં જૈન દર્શનાભિમત પાંચ જ્ઞાનો-(૧)શ્રુતજ્ઞાન (૨) આભિનિબોધિક જ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪)મનઃજ્ઞાન (મન:પર્યવજ્ઞાન) અને (૫) કેવળજ્ઞાન–નો ઉલ્લેખ થયો છે. આ જ ગ્રંથ (૩૩૪)માં જ્ઞાનાવરણના ભેદોમાં આ પાંચ જ્ઞાનોનો ઉલ્લેખ થયો છે. ત્યાં પણ આ જ ક્રમ છે. સાધારણ રીતે જ્ઞાનના ઉલ્લેખનો ક્રમ છે–મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ. પરંતુ આ શ્લોકમાં શ્રતની પછી આભિનિબોધિક (મતિ)નો ઉલ્લેખ થયો છે. ટીકાકારોએ આનું કારણ બતાવતાં કહ્યું છે કે બાકીના બધા જ્ઞાનો (મતિ, અવધિ, મન:પર્યવ અને કેવળ)નું સ્વરૂપજ્ઞાન આ શ્રુતજ્ઞાનથી જ થાય છે. આથી આની પ્રધાનતા દેખાડવા માટે આમ કરવામાં આવ્યું છે. આની પુષ્ટિ અનુયોગદ્વારસૂત્રથી પણ થાય છે. એવો પણ સંભવ છે કે છંદની દૃષ્ટિએ આમ કરવામાં આવ્યું હોય.
ઈન્દ્રિયો યોગ્ય દેશમાં અવસ્થિત વસ્તુને જ જાણી શકે છે, આનો બોધ “અભિ વડે થાય છે. તેઓ પોતપોતાના નિશ્ચિત વિષયને જ જાણી શકે છે, આનો બોધ ‘નિ’ વડે થાય છે. જે જ્ઞાન વડે યોગ્ય દેશમાં અવસ્થિત વસ્તુનું જ્ઞાન અને નિશ્ચિત વિષયનો બોધ થાય છે. તે આભિનિબોધિકજ્ઞાન છે." १. बृहवृत्ति, पत्र ५५६ : इह च चारित्रभेदत्वेऽपि तपसः ५. अणुओगदाराई, सूत्र २ : तत्थ चत्तारि नाणाई ठप्पाई पृथगुपादानमस्यैव क्षपणं प्रत्यसाधारणहेतुत्वमुपदर्शयितुं,
ठवणिज्जाइं-नो उद्दिसंति, नो समुद्दिसंति, नो अणुण्णविતથા ૪ વતિવા (૩) વિભુટ્ટ'
ज्जंति, सुयनाणस्स उद्देसो अणुण्णा अणुओगो य पवत्तइ । ૨. તત્વાર્થ સૂત્ર, શા.
बृहद्वृत्ति, पत्र ५५६ : तथाभिमुखो योग्यदेशावस्थित૩. સંયુનાવ ( રૂ8ા રૂ ૫ ૧), ભાગ ૨, પૃ. ૫૦૬ .
वस्त्यपेक्षया नियतः स्वस्वविषयपरिच्छेदकतयाऽवबोधः૪. (ક) વૃત્તિ , ત્રવધ૭૫ (ખ) મુલવા , પત્ર રૂ૨૧ I
अवगमो ऽभिनिबोधः, स एवाभिनिबोधिकम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org