Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
સામાચારી
૬૩૫
અધ્યયન-૨૬: ટિ.૬
બધા સાધુઓ સ્વાધ્યાય કરે છે, વચ્ચેના બે પ્રહરમાં નિદ્રા લે છે. વૃષભ-સાધુ બીજા પ્રહરમાં પણ જાગે છે, તેઓ માત્ર ત્રીજા પ્રહરમાં જ નિદ્રા લે છે. આચાર્ય ત્રીજા પ્રહરમાં સ્વાધ્યાય કરે છે. શયન-વિધિના આ જુદા-જુદા પ્રકારો જોતાં એ જ નિષ્કર્ષ પર પહોંચાય છે કે ત્રીજા પ્રહરમાં સુવાની વિધિ યા તો કોઈ વિશિષ્ટ સાધુ વર્ગ માટે છે અથવા ઓઘનિયુક્તિનું વિધાન પૂર્વકાલીન નથી.
મુનિ માટે સુવાની નિયુક્તિકાલીન વિધિ આ પ્રમાણે છેપહેલો પ્રહર આખો વીત્યા પછી ગુરુની પાસે જાય. ‘ફૂછમિ ઉમીયમો વં૪િનાવMMાનિલયિ મન્થાઇ વંશ, વમાસમળા ! વદુ પડયુઇUTI પોલિસી અનુજ્ઞાદિ રાફસંસાર–આવો પાઠ બોલીને સુવાની આજ્ઞા માગે. પછી પ્રશ્નવણ કરે. જયાં સુવાનું સ્થાન હોય ત્યાં જાય. ઉપકરણો ઉપર જે દોરી બાંધી હોય તે ખોલે. સંસ્કાર-પટ્ટ અને ઉત્તર-પટ્ટનું પ્રતિલેખન કરી તેમને ઉરુ (સાથળ) ઉપર રાખે. પછી સુવા માટેની ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરે. ત્યાં સંસ્તાર-પટ્ટ પાથરે, તેના પર ઉત્તરપટ્ટ પાથરે. મુખ-વસ્ત્રિકા વડે ઉપરના શરીરનું અને રજોહરણ વડે નીચલા શરીરનું પ્રમાર્જન કરે. ઉત્તરીય વસ્ત્ર ડાબી બાજુમાં મૂકી દે. પથારી પર બેસતાં પાસે બેઠેલાં વડીલ સાધુઓની આજ્ઞા લે, પછી ત્રણ વાર સામાયિક પાઠનું ઉચ્ચારણ કરી સુવે. હાથનું ઓશીકું કરે. ડાબે પડખે સવે. પગ ફેલાવે ત્યારે મરઘીની માફક પહેલાં આકાશમાં ફેલાવે. તેવી રીતે ન રહી શકે ત્યારે ભૂમિનું પ્રમાર્જન કરી પગ નીચે રાખી દે. પગને સંકોચે ત્યારે ઉરુ-સંધિનું પ્રમાર્જન કરે. ૨ ૬. પ્રહર (પરિશિં):
પૌરુષી પ્રકરણમાં પુરુષ’ શબ્દના બે અર્થ છે-(૧) પુરુષ-શરીર અને (૨) શંકુ. પુરુષ-શરીર વડે તેનું માપ કાઢવામાં આવે છે, એટલા માટે તેને ‘પૌરુષી' કહેવાય છે. શંકુ ૨૪ આંગળ પ્રમાણનો હોય છે અને પાનીથી ઘૂંટણ સુધીનું માપ પણ ૨૪ આંગળ હોય છે. “ જે દિવસે વસ્તુનો પડછાયો તેના માપનો હોય છે તે દિવસ દક્ષિણાયનનો પહેલો દિવસ હોય છે." યુગના પ્રથમ વર્ષ (સૂર્ય-વર્ષ)ના શ્રાવણ વદી એકમને દિવસે શંકુનો પડછાયો શંકુના માપ ૨૪ આંગળ મુજબનો પડે છે. ૧ર આંગળપ્રમાણનો એક પાદ હોવાથી શંકુનો પડછાયો બે પાદનો હોય છે.
યુગના પ્રથમ સૂર્ય-વર્ષમાં શ્રાવણ વદી ૧ને દિવસે બે પગ-પ્રમાણ પડછાયો હોય છે અને મહા વદ ૭ના દિવસે ચાર પગપ્રમાણ .
બીજા ચંદ્ર-વર્ષમાં શ્રાવણ વદ ૧૩થી વૃદ્ધિ-પ્રારંભ અને મહા સુદ ૪થી હાનિ-પ્રારંભ. ત્રીજા વર્ષમાં શ્રાવણ સુદી ૧૦થી વૃદ્ધિ-પ્રારંભ અને મહા વદી ૧થી હાનિ-પ્રારંભ. ચોથા વર્ષમાં શ્રાવણ વદી ૭થી વૃદ્ધિ-પ્રારંભ અને મહા વદી ૧૩થી હાનિ-પ્રારંભ.
પાંચમા વર્ષમાં શ્રાવણ સુદી થી વૃદ્ધિ-પ્રારંભ અને મહા સુદી ૧૦થી હાનિ-પ્રારંભ. પૌરુષીનું કાળમાન
પૌરુષીનું કાળમાન એક નથી. તે એક દિવસ સાપેક્ષ હોય છે. જ્યારે દિવસનું કાળમાન વધે છે ત્યારે પૌરુષીનું કાળમાન ૧. નિર્યુક્ટ્રિ માર્ગ, જાથા ૬૬૦ :
૪. એજન, ૨૮ ૨૦ ૨૨ : सव्वेवि पढमजामे, दोन्नि उ वसभा उ आइमा जामा ।
चतुर्विशत्यंगुलस्य, शंकोश्छाया यथोदिता । तइओ होइ गुरूणं, चउत्थओ होइ सव्वेसि ।।
चतुर्विंशत्यंगुलस्य, जानोरपि तथा भवेत् ।। ૨. વૃત્તિ , પત્ર રૂટ, કરૂ? I
એજન, ૨૮ ૨૨૩ : काललोकप्रकाश, २८ १९९२ :
स्वप्रमाणं भवेच्छाया, यदा सर्वस्य वस्तुनः । शंकुः पुरुषशब्देन, स्याद् देहः पुरुषस्य वा ।
तदा स्यात् पौरुषी, याम्या-यानस्य प्रथमे दिने ।। निष्पन्ना पुरुषात् तस्मात्, पौरुषीत्यपि सिद्ध्यति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org