Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૬૧૨
અધ્યયન-૨૫:ટિ. ૧૪
બીજો પ્રશ્ન છે યજ્ઞનો ઉપાય (પ્રવૃત્તિ-હેતુ) શું છે? તેના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે જ્ઞનો ઉપાય યજ્ઞાથ' છે. આ વાત વિજયઘોષ સારી પેઠે જાણતો હતો. પરંતુ જયઘોષે તેને એમ બતાવ્યું કે આત્મ-યજ્ઞના સંદર્ભમાં ઈન્દ્રિય અને મનનો સંયમ કરનાર યાજકની પ્રધાનતા છે.
ત્રીજો પ્રશ્ન છે નક્ષત્રોમાં પ્રધાન શું છે? તેના ઉત્તરમાં કહેવામાં આવ્યું–નક્ષત્રોમાં પ્રધાન ચંદ્રમા છે. આની તુલના ગીતાના-નક્ષત્રાણામર્દશી (૧૦૨૧) સાથે કરી શકાય.
ચોથો પ્રશ્ન છે—ધર્મોનો ઉપાય (આદિકારણો શું છે? તેના ઉત્તરમાં કહેવામાં આવ્યું ધર્મોનો ઉપાય કાશ્યપ છે. અહીં કાશ્યપ શબ્દ વડે ભગવાન ઋષભનું ગ્રહણ કરવામાં આવ્યું છે. વૃત્તિકારે આના સમર્થનમાં એક આરણ્યક-વાક્ય ઉદ્ધત કર્યું ७-'तथा चारण्यकम्-ऋषभ एव भगवान् ब्रह्मा, तेन भगवता ब्रह्मणा स्वयमेव चीर्णानि ब्रह्माणि, यदा च तपसा प्राप्तः पदं યમ્ વ્રહાવર્ત તા ૨ વાર્ષિ તાનિ, રવિ પુનસ્તાન વહ્માનિ ?”” વગેરે.
પરંતુ આ વાક્ય કયા આરણ્યકનું છે તે જાણી શકાયું નથી. વૃત્તિ-રચનાકાળમાં સંભવ છે કે આ કોઈ આરણ્યકમાં હોય અને વર્તમાન સંસ્કરણોમાં મળતું ન હોય. અથવા એમ પણ બની શકે કે જે પ્રતિઓમાં આ વાક્ય મળતું હતું તે પ્રતિઓ આજે ઉપલબ્ધ ન હોય.
વૃત્તિકારે પોતાના પ્રતિપાઘનું સમર્થન બ્રહ્માંડપુરાણ દ્વારા પણ કર્યું છે.
સ્થાનાંગમાં સાત મૂળ ગોત્રો બતાવવામાં આવ્યા છે. તેમાં પહેલું કાશ્યપ છે. ભગવાન ઋષભ વાર્ષિક તપના પારણાંમાં કાશ્ય” અર્થાત રસ પીધો હતો, એટલા માટે તેઓ ‘કાશ્યપ’ કહેવાયા. મુનિ સુવ્રત અને નેમિનાથ આ બે તીર્થકરો સિવાયના બાકીના બધા તીર્થકરો કાશ્યપ-ગોત્રી હતા.'
ધનંજય નામમાલામાં ભગવાન મહાવીરનું નામ “અંત્યકાશ્યપ છે. ભગવાન ઋષભ ‘આદિકાશ્યપ’ થયા. તેમનાથી ધર્મનો પ્રવાહ ચાલ્યો, એટલા માટે તેમને ધર્મોનાં આદિ-કારણ કહેવામાં આવ્યા છે."
સૂત્રકૃતાંગના એક શ્લોકથી આ તથ્યની પુષ્ટિ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અતીતમાં જે તીર્થકરો થયા તથા ભવિષ્યમાં જે થશે તે બધા “કાશ્યપ' દ્વારા પ્રરૂપિત ધર્મનું અનુસરણ કરશે.”
પાંચમો પ્રશ્ન છે–પોતાનો અને પારકાનો ઉદ્ધાર કરવામાં સમર્થ કોણ છે? આનો ઉત્તર શ્લોક ૧૮થી ૩૩ સુધી વિસ્તારથી આપવામાં આવ્યો છે. ૧૪. આવવાના કારણે (ાતું)
વૃત્તિકારે ‘આજ તું' પદમાં ‘તુમ' પ્રત્યયને આધાર માની તેના બે અર્થ કર્યા છે– ૧. વૃત્તિ , પત્ર પર !
૪. એજન, ૭ી રૂ૦ વૃત્તિ: વારે ભવ: :- પતવનતિ એજન, પત્ર ૨૫ : મવત દાઇ પુરાપાનેવ સહિપુરા- કારપત પત્યિનિ વાપ:, મુનિસુવ્રતમવન નિના: ! નક્ષણોપેતત્વાસનપુરા ઇમ...તવારિ –“દ ૫. ધનંજય નામમાત્રા, તા ૨૨: हि इक्ष्वाकुकुलवंशोद्भवेन नाभिसुतेन मरुदेव्या नन्दनेन
सन्मतिर्महतिर्वीरो, महावीरोऽन्त्यकाश्यपः । ऋषभेण दशप्रकारो धर्मः स्वयमेव चीर्णः, केवल
नाथान्वयो वर्धमानो, यत्तीर्थमिह साम्प्रतम् ।। ज्ञानलम्भाच्च महर्षिणो ये परमेष्ठिनो वीतरागाः स्नातका निर्ग्रन्था नैष्ठिकास्तेषां प्रवर्तित आख्यातः प्रणीतस्त्रेतायामा
૬. વૃદવૃત્તિ, પન્ન કર૬ : ઘના ‘વારથ:' ભાવાનુવમવ:
मुखं उपायः कारणात्मकः तस्यैवादितत्प्ररूपकत्वात् । વિચાર ”
सूयगडो १।२ । ७४ : ठाणं ७।३० : सत्त मूलगोना पं० तं-कासवा गौतमा वच्छा कोच्छा कोसिआ मंडवा वासिट्टा ।
अभविंसु पुरा वि भिक्खवो, आएसा वि भविंसु सुव्वया। एयाई गुणाई आहु ते, कासवस्स अणुधम्मचारिणो ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org