________________
સમયસાર–પૂર્વ રંગ
[ ૧૫ णत्थि मम को वि मोहो बुज्झदि उवओग एव अहमेको । तं मोहणिम्ममत्तं समयस्स वियाणया वेति ॥३६॥ નથી મોહ તે મારે કંઈ, ઉપયોગ કેવળ એક હું, એ જ્ઞાનને, જ્ઞાયક સમયના હનિમમતા કહે. ૩૬.
અથ–એમ જાણે કે મેહ મારો કાંઈ પણ સંબંધી નથી, એક ઉપગ છે તે જ હું છું –એવું જે જાણવું તેને સિદ્ધાંતના અથવા વપરના સ્વરૂપના જાણનારા મોહથી નિમમત્વા કહે છે,
णत्थि मम धम्मआदी बुज्झदि उवओग एव अहमेको ।
तं धम्मणिम्ममत्तं समयस्स वियाणया वेति ॥३७॥ ધર્માદિ તે મારાં નથી, ઉપયોગ કેવળ એક હું, –એ જ્ઞાનને, જ્ઞાયક સમયના ધમનિમમતા કહે. ૩૭.
અર્થ-એમ જાણે કે “આ ધર્મ આદિ દ્રવ્યો મારાં કાંઈ પણ લાગતાવળગતાં નથી, એક ઉપગ છે તે જ હું છું –એવું જે જાણવું તેને સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપરૂપ સમયના જાણનારા ધર્મવ્ય પ્રત્યે નિમમત્વ કહે છે
अहमेको खलु सुद्धो दसणणाणमइओ सदारूवी ।
ण वि अस्थि मज्झ किंचि वि अण्णं परमाणुमेत्तं पि ॥ ३८॥ હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! ૩૮.
અર્થ:––દશનજ્ઞાનચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે: નિશ્ચયથી હું એક છે. શુદ્ધ છે. દશનજ્ઞાનમય છું, સદા અરૂપી છું: કાંઈ પણ અન્ય પદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારું નથી એ નિશ્ચય છે.