________________
કળશ-૧૫૪
૨૫
એને આજીવિકા ન મળે તો શું થશે ? સમજાણું કાંઈ ? વૃદ્ધાવસ્થા થઈ ગઈ, છોકરાઓ કોઈ રહ્યા નહિ, સગાંવહાલા મરી ગયા, મારું કોઈ શરણ રહ્યું નહિ. એને ભય નથી. આહા...હા...! જંગલમાં એકલો હોય... આહા..હા..!
શાસ્ત્ર તો એવું કહે છે, સમકિતી છે, શ્રાવકની વાત આવે છે. મગરમચ્છ પગ ઝાલીને અંદર પાણીમાં) તાણી ગયો. સમકિતી શ્રાવક ! અંદર નિર્ભય પડ્યા છે ! આવે છે, એક કથામાં શેઠની વાત આવે છે. અંદર લઈ જાય છે. આહા..હા...! નિર્ભય છે, શરીર તો જડ છે, મારે ક્યાં છે ? ઈ હણાય તોપણ મારું ક્યાં છે ? આહા..હા..! જે ન હણાય તે મારી ચીજ અને હણાય એ તો પરની ચીજ છે. સમ્યગ્દર્શનમાં આટલું જોર છે !! સમજાણું કાંઈ ? આહા..હા...!
આવો વીતરાગનો માર્ગ ! જિનેન્દ્રદેવ ! એવી શાશ્વત ચીજ છે, એનો જેને અનુભવ થઈને અંદર પ્રતીત થઈ છે એ સમ્યફદૃષ્ટિને સ્વભાવ જ નિર્ભય થઈ ગયો છે. જેમ વસ્તુમાં ભય નથી તેમ તેની પ્રતીતિ સમ્યગ્દર્શનમાં – પર્યાયમાં કોઈનો ભય નથી. આહા..હા...! વસ્તુને કોઈ ભય છે કે, વસ્તુ ઓછી થઈ જાય, હણાય જાય, ઘસાય જાય ? આ...હા...હા...! એવો જે અંદર ભગવાન આત્મા ! એનું જેને સમ્યગ્દર્શન થયું અને પોતાનો સમ્યગ્દર્શનનો સ્વભાવ નિર્ભય થઈ ગયો. આ..હા...હા...હા...! અહીં તો જરીક પ્રતિકૂળતા (આવે) તો રાડારાડ (કરે), હાય.. હાય.. (કરે), રોવે ! આહા...હા...!
અમે તો ઘણું બધું જોયું છે ને ! એક બાઈ રોતી હતી. પોણોસો વરસ પહેલાંની વાત છે. આજીવિકાનું સાધન ન મળે. ધણિ રળી શકતો નહોતો અને મોટો છોકરો મરી ગયેલો, ખાવા સાધન ન મળે, નાના છોકરાઓ, પછી ઘરની... શું કહેવાય આ ? છાશ કરવાની (હોય ને)? ગોળી ! પિત્તળની ગોળી ને પિત્તળના ઠામ ક્યાંક મૂકીને પૈસા લાવીને રોટલા કરે. આહા...હા...! પછી એ બાઈ રોતી હતી. આહા...હા...! ઈ છોકરો મરી ગયેલ. આજીવિકાનું સાધન નહિ, ઘરમાં પૈસો કાંઈ ન મળે. ઘરના ઠામ મૂકીને કાંઈક પૈસા લઈ આવે. શું કહેવાય ઈ ? ઉધારે... કે શું કહેવાય ? ગિરો ! ગિરવી (ભૂકી દે). હોય સો રૂપિયાની વસ્તુ) પણ પચાસ રૂપિયા લે અને એનું વ્યાજ આપે. પછી એ બાઈ રોતી હતી. એ. દીકરા તું ચાલ્યો ગયો, મારે અહીં સાધન નથી, જ્યારથી મોડિયો બાંધ્યો ત્યારથી હખ –સુખ) નથી. એમ રોવે. આહાહા.... જ્ઞાનીને એવા પ્રસંગ અનંતવાર બને તોપણ ડર નથી કહે છે. આવું સ્વરૂપ છે. સમજાણું કાંઈ ?
મુમુક્ષુ :- જ્ઞાનીઓ તો લડાઈઓ કરે.
ઉત્તર :- લડાઈઓ કરે, એ તો અંદર રાગ છે. એને (કર્તાબુદ્ધિએ) કરતો નથી. થાય તેને જાણે છે. એની દૃષ્ટિમાં – માન્યતામાં ફેર છે ને ? ઈ વસ્તુને કારણે નથી. ધર્મી છે ઈ પોતાના સ્વભાવની દૃષ્ટિ રાખી, એનું જ્ઞાન કરી અને રાગ આવે એનું પોતામાં રહીને