Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
એક સમવાયથી લઈને કોટાનકોટિ સમવાય પછી ૧૨ સૂત્રોમાં દ્વાદશાંગીનો “ગણિપિટક'ના નામથી સારભૂત પરિચય આપવામાં આવ્યો છે.
તત્તર સમવસરણનું વર્ણન તથા જમ્બુદ્વીપના ભરત ક્ષેત્રની અતીત ઉત્સર્પિણી અને અવસર્પિણીના કુળકરો તથા વર્તમાન અવસર્પિણીના કુળકરો તથા એમની ભાર્યાઓ (પત્ની)નું વર્ણન કરવા પશ્ચાત્ વર્તમાન અવસર્પિણીના ૨૪ તીર્થકરો સંબંધમાં ઘણું જ મહત્ત્વપૂર્ણ વિવરણ આપવામાં આવ્યું છે.
ચક્રવર્તીઓ, બળદેવો અને વાસુદેવો સંબંધમાં આવશ્યક પરિચય અને પ્રતિવાસુદેવોનાં નામ આપવામાં આવ્યાં છે. સમવાયાંગમાં પ્રતિવાસુદેવોની મહાપુરુષમાં ગણના નથી કરવામાં આવી.
તદ્દનત્તર સર્વપ્રથમ જમ્બુદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં થયેલ એ અવસર્પિણીના ૨૪ તીર્થકરો, ભરતક્ષેત્રની આગામી ઉત્સર્પિણીના સાત કુળકરો, ઐરાવત ક્ષેત્રની ભાવિ ઉત્સર્પિણીના ૧૦ કુળકરો અને ભરતક્ષેત્ર તથા ઐરાવતક્ષેત્રના આગામી ઉત્સર્પિણીકાળના ૨૪ તીર્થકરો, બળદેવો અને વાસુદેવો સંબંધમાં વિસ્તૃત જાણકારી તથા પ્રતિવાસુદેવોનાં નામ આપવામાં આવ્યા છે.
સમવાયાંગની પ્રત્યેક સમવાય, પ્રત્યેક સૂત્ર, પ્રત્યેક વિષયના જિજ્ઞાસુઓ અને શોધાર્થીઓ માટે જ્ઞાતવ્ય મહત્ત્વપૂર્ણ તથ્યોનો ભંડાર છે. સમવાયાંગના અંતિમ ભાગને એક પ્રકારથી સંક્ષિપ્ત જૈન પુરાણની સંજ્ઞા આપી શકાય છે. વસ્તુતઃ વસ્તુવિજ્ઞાન, જૈન સિદ્ધાંત અને જૈન ઈતિહાસની દૃષ્ટિથી સમવાયાંગ એક અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે.
(પ. વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ ) - પાંચમુ અંગ વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ છે. એને ભગવતી સૂત્રના નામે પણ ઓળખવામાં આવે છે. એમાં જીવ, અજીવ, જીવાજીવ, સ્વસમય, પરસમય, સ્વપરસમય, લોક-અલોક અને લોકાલોક વિષયક વિસ્તૃત વ્યાખ્યા - ચર્ચા આપવામાં આવી છે. પ્રસ્તુત આગમમાં ૧ શ્રુતસ્કંધ, - ૧૧૧ અધ્યયન, ૧૦૦૦૦ ઉદ્દેશનકાળ, ૧૦૦૦૦ સમુદ્રેશનકાળ, ૩૬૦૦૦ પ્રશ્ન અને એના ઉત્તર તથા ૨૮૮000 પદ છે. એમાં જિનેન્દ્ર ભગવાન જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) D969696969696969696962 ૬૩ |