Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 351
________________ અને સાધ્વીના અનુપમ ધૈર્ય અને સાહસ પર આફરીન થઈ ગયા. છેલ્લે સાધ્વી પાસે પોતાનાં પહેરેલાં વસ્ત્રો સિવાય કંઈ પણ બાકી રહ્યું નહિ ત્યારે આ દશ્ય જોઈ રહેલી ગુસ્સાથી વ્યાકુળ ભીડે મહાવતને લલકાર્યો - બંધ કરો આ ધૃષ્ટતા ને !' મહાવતે મુરુડરાજની તરફ જોયું. મુરુડરાજનો સંકેત મળતાં જ મહાવતે હાથીને અંકુશમાં કરી લીધો. આ ઘટના ઘટવા પછી મુરુડરાજે એની બહેનને કહ્યું : - ‘સહોદરે ! આ અગાધ ધૈર્યશાલિની સમર્થ સાધ્વીની પાસે તું પ્રવ્રુજિત થઈ શકે છે. વસ્તુતઃ આ ‘સાધ્વીનો ધર્મ શ્રેષ્ઠ અને સર્વજ્ઞ પ્રરૂપિત છે.’ પોતાના ભાઈની પરવાનગી મેળવી મુરુડ રાજકુમારીએ એ તપોપૂતા જૈનસાધ્વી પાસે દીક્ષા લઈ લીધી. હજારો લોકોએ એમનો જળઘોષ કરીને સન્માન આપ્યું. એ બંને સાધ્વીઓએ જન-જનના મનમાં શ્રદ્ધાનો વણથંભ્યો સ્રોત પ્રવાહિત કરી દીધો. એ સાધ્વીઓનાં નામ ભલે અજ્ઞાત હોય, પણ એમનું જીવન સંયમ અને સાહસની પ્રેરણા આપતું રહેશે. પરમ પ્રભાવિકા યક્ષા આદિ સાધ્વીઓ આચાર્ય સંભૂતિવિજયના આચાર્યકાળ(વી. નિ. સં. બીજી-ત્રીજી સદી)માં મહામંત્રી શકડાલની ૭ પુત્રીઓના દીક્ષિત થવાનો ઉલ્લેખ મળે છે. યક્ષા આદિ સાતેય બેહેનોની યાદશક્તિ ઘણી પ્રખર અને પ્રબળ હતી. કઠોરથી કઠોર તેમજ કેટલાંયે લાંબાં ગદ્ય અથવા પદ્યને માત્ર એકવાર સાંભળીને જ યક્ષા એને પોતાના સ્મૃતિપટલ ઉપર અંકિત કરી તત્કાળ યથાવત્ સંભળાવી દેતી હતી. એ જ પ્રમાણે બીજી, ત્રીજી એમ સાતે સાત બહેનો ક્રમશઃ બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત વાર સાંભળી કોઈ પણ ગદ્ય-પદ્યને યથાવત્ સંભળાવી દેતી હતી. આ સાતેય બહેનોએ અંતિમ નંદની રાજસભામાં વરરુચિ જેવા પંડિતને પોતાની અદ્ભુત યાદશક્તિના ચમત્કારથી હતપ્રભ કરી એના ઘમંડને ઉતાર્યો હતો. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તીએ બાળપણથી જ એ સમયની મહાન વિદુષી આર્યા યક્ષાના સાંનિધ્યમાં રહીને એકાદશાંગીનું જ્ઞાન મેળવ્યું હતું. ૩૪૨ ૭૭ 8 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386