Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 349
________________ નિર્વહન કર્યું, તે વસ્તુતઃ અત્યંત મહાન, અદ્વિતીય, અનુપમ, અદ્ભુત તેમજ મુમુક્ષો માટે પ્રેરણાનું અખંડ સ્ત્રોત રહ્યું અને રહેશે. સાળ ન રહ્યું અને રામ અભ - - 1 1 1 ' + , r . ' ન ક '' ', , લ , ધારિણી અર્વતી રાજયના અધીશ્વર મહારાજે પાલકના નાના પુત્ર રાષ્ટ્રવર્ધનની પત્ની (ચંડપ્રદ્યોતની પૌત્રવધુ) હતી. સાધ્વી ધારિણીનું જીવનચરિત્ર જૈન ઇતિહાસમાં આદર્શ નારીનું પ્રતીક ગણવામાં આવે છે. શ્રમણી ધર્મમાં દીક્ષિત થતા પહેલાં જ એમણે પોતાના સતીત્વની રક્ષા માટે અતુલ ઐશ્વર્ય અને પોતાનાં સંતાનો સુધ્ધાંનો મોહ ત્યાગવો પડ્યો હતો. દીક્ષા પછી બે રાજ્યોમાં સંભવિત ભીષણ નરસંહારને રોકીને મહાસતી ધારિણીએ સંસારને અહિંસા અને અયુદ્ધનો પ્રેરક સંદેશ આપ્યો. એમનો સમય વી. નિ. સં. ૨૪-૬૦ની આસપાસનો માનવામાં આવે છે. (સાધ્વી વિજયવતી અને વિગતભયા) - “આવશ્યક ચૂર્ણિમાં મહત્તરા વિજયવતી અને એમની શિષ્યા વિગતભયાનો ઉલ્લેખ આવે છે. જે વખતે અવંતીસેને કૌશાંબી ઉપર આક્રમણ કર્યું, એના થોડા વખત પહેલાં સાધ્વી વિગતભયાએ કૌશાંબીમાં સંલેખનાપૂર્વક અનશન કર્યું હતું, એમના સંલેખનાના ઉપલક્ષ્યમાં કૌશાંબીના શ્રાવક-શ્રાવિકા સંઘે આધ્યાત્મિક મહોત્સવનું આયોજન કરી મહાસતી પ્રત્યે સન્માન દર્શાવ્યું હતું. એમનો સમય વિ. નિ. સં. ૪૪ની આસપાસનો માનવામાં આવે છે. (એક અજ્ઞાત સાધી અને મરંડ-રાજકુમારી) જે પ્રમાણે ભ. મહાવીરનાં શ્રીચરણોમાં એ સમયે વિદેશી ગણાતા ચિલોતરાજનો શ્રમણધર્મમાં દીક્ષિત થવાનો ઉલ્લેખ મળે છે, એ જ રીતે વીર નિર્વાણની પાંચમી-છઠ્ઠી સદીમાં પણ એક વિદેશી મહિલાનો શ્રમણીધર્મમાં દીક્ષિત થવાનો ઉલ્લેખ પણ ઉપલબ્ધ થાય છે. વિશેષાવશ્યક ભાષ્ય” અને “નિશીથ ચૂર્ણિ'ના ઉલ્લેખ પ્રમાણે વિદેશી શકશાસક મુડરાજની સામે એની વિધવા બહેને પ્રવ્રજિત થવાની ( ૩૪૦ 9િ9696969696969696969]ન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨)

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386