Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
માતાએ કહ્યું : પુત્ર ! તે હિંસામાં વધારો કરનારા ગ્રંથ વાંચ્યા છે, એનાથી તો જન્મ-મરણરૂપી ભવના ફેરામાં જ વધારો થઈ શકે છે. આ સ્થિતિમાં મને કેવી રીતે સંતોષ થાય? સ્વ-પરનું કલ્યાણ કરનારા દૃષ્ટિવાદની શિક્ષા લઈને આવ્યો હોત તો મને સંતોષ મળત.”
પુત્રે દષ્ટિવાદ અને એના જ્ઞાન સંબંધમાં માતાને પૂછતાં માતાએ કહ્યું કે - “ઇશુવાટિકામાં વિરાજેલા આચાર્ય તોષલિપુત્ર દષ્ટિવાદના જ્ઞાતા છે.” રક્ષિતે માતાને આશ્વાસન આપીને બીજા દિવસે માતા પાસેથી અનુમતિ મેળવીએ ઈશુવાટિકા તરફ જવા આગળ વધ્યો.”
નગરની બહાર નીકળતા જ સામેથી સોમદેવના બાળમિત્ર એક વૃદ્ધ રક્ષિતને ૯ પૂર્ણ અને એક વો - એમ સાડાનવ ઇક્ષ દંડ આપ્યાં. એનો સંકેત એવો હતો કે રક્ષિત સાડાનવપૂર્વનું જ્ઞાન મેળવશે. ઇશુવાટિકામાં ગયા પછી રક્ષિતે એક શ્રાવકનું અનુસરણ કરીને ઉપાશ્રયમાં પ્રવેશ કરી આચાર્ય તોષલિપુત્રને વિધિવત્ પ્રણામ કર્યા.
ત્યાર બાદ આચાર્યએ આગમનનું કારણ પૂછતાં રક્ષિતે સવિનય નિવેદન કર્યું : “ભગવાન ! હું દૃષ્ટિવાદનું અધ્યયન કરવા માટે તમારી સેવામાં આવ્યો છું.”
જ્યારે આચાર્યએ જણાવ્યું કે - “દૃષ્ટિવાદનું જ્ઞાન તો માત્ર દીક્ષિત થયા પછી જ આપી શકાય છે.” ત્યારે રક્ષિત તરત જ દીક્ષા ગ્રહણ કરવા માટે રાજીખુશીથી તૈયાર થઈ ગયો. શ્રમણદીક્ષા લઈ લીધા પછી રક્ષિત મુનિએ પોતાના ગુરુ-આચાર્ય તોષલિપુત્રની છત્રછાયામાં ઘણી તન્મયતાપૂર્વક અભ્યાસ કરીને અલ્પ સમયમાં જ આચારાંગ આદિ અગિયાર અંગોનું પૂર્ણ અધ્યયન કરી લીધું અને દૃષ્ટિવાદનું જેટલું પણ જ્ઞાન આચાર્ય તોષલિપુત્ર પાસે હતું, એનું અધ્યયન કરી લીધું. - ત્યાર બાદ આચાર્ય તોબલિપુત્રએ મુનિ રક્ષિતને પૂર્વોના આગળના અધ્યયન માટે દશપૂર્વધર આચાર્ય વજ સ્વામી પાસે મોકલ્યો. આર્ય વજની સેવામાં જતી વખતે મુનિ રક્ષિત ઉજ્જૈનમાં પહોંચ્યા. ત્યાં સ્થવિર ભદ્રગુપ્તએ એમનો અંત-સમય નજીક આવેલો જાણી મુનિ રક્ષિતને એમના નિર્યાપક બની એમની સંલેખના પૂરી થવા સુધી એમની પાસે રોકાવાની મનેચ્છા જાહેર કરી. તપોધન શ્રમણશ્રેષ્ઠ વિરની અંતિમ સેવાના સોનેરી અવસરને પોતાનું અહોભાગ્ય ૨૦૬ 6969696969999999જન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨).