Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Catalog link: https://jainqq.org/explore/036402/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અક્ષય કુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. . ગુજરાતી ભાષાન્તર. ભાગ પહેલે. વિસ્તૃત પરિશિષ્ટ-ટિપ્પણી ચુત ધિત-વતિ દ્વિતીયાવૃત્તિ. કર્તા–મોતીચંદ ઓધવજી ભાવનગરી. ભરતેશ્વરબાહુબલિવૃત્તિ”, “સમ્યકત્વ કૌમુદી', “લેકપ્રકાશ ઇત્યાદિના ભાષાન્તર કર્તા. પ્રકાશક–શેઠ ન. મં. જૈ. સા. ફંડના કાર્યવાહક ઝવેરી ભાઈચંદ નગીનચંદ, સુરત. Lives of great men all remind us We can make our life sublime. - (મહાત્મા પુરૂષોના જીવનવૃત્તાન્તો આપણને એવો અનુબોધ આપે છે કે આપણે પણ આપણું જીવનને ધારીએ તે ઉન્નત કરી શકીએ.) Longfellow. વિ. સં. 1982 છે. સ. 1927 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #2 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર ભાગ 2 જે. કર્તા રા. મોતીચંદ ઓધવજી, ભાવનગર. - - sooooooo- Xxx જેન ઉપાધ્યાય શ્રીમદ્ ચંદ્રતિલકના એક સંસ્કૃત મહાકાવ્યનો આ ગુજરાતીમાં અનુવાદ છે. અનુવાદો તે હમેશાં આવી અસલ કૃતિઓનું સહસ્ત્રાંશ જ તેજ ઝીલી શકે. છતાં પણ જ્યારે અનુવાદની અંદર જ આટલે રસ જોઈએ છીએ ત્યારે અસલ કૃતિની રસભરતા કેવી હશે તેની કલ્પના આકરી પડે છે. આ અનુવાદમાંથી પણ જ્યારે આપણે કલ્પનાની વિભૂતિ, અલંકારની પ્રભુતા અને વર્ણનશક્તિનું માપ કાઢવા બેસીએ છીએ ત્યારે બોલી જવાય છે કે શ્રી ચંદ્રતિલક એટલે કવિ કાલિદાસ અને બાણભટ્ટએ બન્નેને ગુપ્ત વારસદાર. પ્રસંગે પ્રસંગે અલંકારો ઝરે છે છતાં તે એટલા Originalનૂતન છે કે કંટાળો આવવાને બદલે રસના હિલોળે ચડે છે. * * * ઠાવક વિનોદ પણ સ્થળે સ્થળે ઝરે છે. x x xએકંદરે અનુવાદ ઘણો સફળ થયે કહેવાય. સાહિત્યરસિકેને તેમજ શ્રી મહાવીરના સમયની સમાજસ્થિતિ, માનવપ્રકૃતિ જાણવાની રૂચિવાળાઓને આ ગ્રંથ ઉપકારી થઈ પડશે. (“સૈરાષ્ટ્ર” પત્રની સમાલોચના માંથી.) બીજા અભિપ્રાયો માટે જુઓ આ પુસ્તકના છેવટના પૃ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #3 -------------------------------------------------------------------------- ________________ જીઅજયકુમાર મંત્રીશ્વરનું છવરિત્ર જાગ >> May 2 પી નધહે આનંદ છે. મૂળ છે કે કેટલોક ભાગા મેલી રેયો છે. ભાષા72 કર્ક અને સરળ છે એ ઍન્ટી ખાવા લાયક ખુબી છે ખા મફ કોથી લાભક ખાદની સાછે ધો નnખો મળે એમ છેભાષા ઝેડ . મોતીકંદ મોદેવએ ભાણા ઝર એની સાદક ભાષામાં કર્યું છે કે જkગર નો ભyrછે. કિલષ્ટ છે છે તેવું થી એ એનો સચર છે. પૃષ્ઠટિપૂes) તેમજ પૂ . 9 પોષાત્કાર ધારા વશ્વકર્ગને માટે ઉજાગી છે ખપી છે કૂછ ગ્રકાર જ અંતિલકનું મ ળે. દર છે ,_ તે હરખ છે અને તોનો ઉદ્ય ને ખઈજીરન્સસ સ્ટેછે જે છે) ખાવા દર ઝfબને ૨૦૦ઝેરી પ્રમ લાકક્ષ મૂકી કા-મોજીસ) ગુર્જર ઝફલછી સારી ઍવા ખુબવી છે ? 'જીક ઉત્તેજ છે 32 છે 23-1-84 કમળાશંકર મહાશંકરને Gunnasuri M. Jun Gun Aaradhak TFK Page #4 -------------------------------------------------------------------------- ________________ श्री सागरानन्दगुरुपदेशाद्व, यो जैन साहित्य विकासनाय / तदीयकोशेऽर्पितवान् धनंस्वं, सोऽयं सुधीः श्रेष्ठि नगीनचन्द्रः // 1 // શેઠ નગીનભાઈ મંછુભાઈ ઝવેરી સુરત જન્મ વિકમ 114 સ્વર્ગવાસ વિક્રમ 1977 વૈશાખ કૃષ્ણ 3 કાર્તિક શુકલ 10 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #5 -------------------------------------------------------------------------- ________________ 1 નયો નિર્દોષ આનન્દ હદય મુજ ઝીલતું છે, મહારાજા તણાં રાજ્ય સમું સુખ કે તું શાને દે? ધરા નિજ બાળને અર્પે સરવ સંસારના સુખ જે-- તથા સેજે વિના મને મળ્યાં સંસારનાં સુખ જે- બધાં ને દીલે લાવ, દિલે ધ્યાવો તથાપિ ના શકે મારાં મને જાયા-સુખોથી તુલના કે હ્યાં; અધિકારી જનનાં વિભાથી હીન છું, તે થે કદિ અભ્યર્થના છે ન શાણું ચિત્ત મારૂં એ. ચહું હું નિસ્પૃહી વૃત્તિ, મને હમેશ છે તૃપ્તિ; નથી બીજે કદિ આલમ્બ, મ્હારા માનસે ના દશ્ન; ત્યજી મર્યાદ ના કે દિ ઉચિતતાને દૂરે મૂકી; (છું) જીવનનિર્વાહને અર્થે અપેક્ષિત વસ્તુને યોગી. 3 નહિં ગર્વિષ્ટ શાસનને સહ્યું મેં દીનતા દાખી; . કશું જે ન્યૂન છે મુજને, પૂરે મન તેહ વેગેથી; આહા ! આવા મને પ્રેર્યો સુખે ઘેર્યો વિચારું છું“મહારાજાતણ રાજ્ય સમું સુખ શું ન પામું હું”? 4 બહોળી છે સમૃદ્ધિ–તે અતિ ઉદ્વેગકારી જે; ત્વરાએ જે ચઢે છે તે પડે છે શીધ્ર ધારી જે, નિરાહારે પીડાતા તે દુ:ખી જેવાં દુ:ખી તેવાં અતિ આહાર લેનારાં સમજ દષ્ટાન્ત આ લેવાં. દિપાવ્યાં આસન ઉંચાં, અખત્યારે હજારોશા; દબાવ્યા દુષ્ટ દૈવે તેય, નીહાળે નેત્ર મારાં ના ? ઉપાજ્ય દ્રવ્ય આયાસે, વળી રહ્યા ભયે આશેરહ્યા જન એહ અભ્યાસે નહિં મુજ દીલ તે હાશે. 6 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #6 -------------------------------------------------------------------------- ________________ બીજાના દુઃખને દેખી હસું ના, ના કરૂં શેખી; બીજાનાં સુખને દેખી ગ્રહાઉ ના. અસૂયાથી. સમુદ્ર નાવને જળનાં તરંગે તે ઉછાળે છે, ન માનસનાવને મારાં ઉપાધિ કઈ કાળે છે. નથી દુશ્મન મારે કે, પછી શી ભીતિ મારે કે”; " નથી કે મિત્ર મારે તે, જગું કયાં ગીત ત્યારે તે ન ગહું જીન્દગાની આ, ભરીને દુઃખના ભરથી; ન સ્પણું જીન્દગાની આ, ડરીને મૃત્યુના ડરથી. 8 સમૃદ્ધિશાળી યાચે જે ! અકિંચન-હું ન યાચું કે, છતે દ્રવ્ય દ્રરિદ્રી એ, વિના એ હું ધનેશ અહો ! જુઓ એ દીન, હું અર્થેશ કે” માગે ભલે આપું; નથી ત્યાં કાંઈ; મારે ત્યાં બધું; તે ગ્લાનિ હું કાપું. કશું મારું હવે તે રહે, નથી શોધે બીજે જાવું; ચહું સન્તોષની ભૂમિ, નથી લેભાદ્રિએ જાવું. દુઃખે ચે ઘેર્યને ધારી વૃથા શ્રમ હું ન કરનારે; ગણું આ શાન્ત માનસને ખજાને જ્યાં ન મળનાર. 10 (એક અંગ્રેજ કવિ " સર એડવર્ડ ડાયરના” ના - એક કાવ્યપરથી અનુવાદિત.) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #7 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. ભાગ પહેલે. પિતાનું રાજ્ય–પુત્રની દિવાનગિરિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #8 -------------------------------------------------------------------------- ________________ d. It will e Bow submissiv that he is hin In all times and places, the hero has been worshipped. It will ever be so. We all love great men: love, venerate and bow submissive before great men. Ah, does not every true man feel that he is himself made big. ger by doing reverence to what is really above him ? No nobler or more blesssd felliug dwells in man's heart. સર્વ સ્થળે અને સર્વ કાળે વીર પુરૂષ પૂજાયા છે. હમેશાં બન્યા કરશે પણ એમજ. આપણે સર્વે એ વીરપુરૂષને હાઈએ છીએ, એટલું જ નહિં પણ એમના તરફ પૂજ્યબુદ્ધિ દર્શાવીએ છીએ અને એમને સવિનય નમન કરીએ છીએ. (કારણકે ) શું પ્રત્યેક મનુષ્યને એમ નથી લાગતું કે જે પુરૂષ પોતાના કરતાં નિ:સંશય શ્રેષ્ઠ છે તેને સત્કાર કરવાથી પિતેજ શ્રેષ્ઠ બને છે? આવા ઉત્તમ પુરૂષના સત્કાર કરતાં કોઈ વિશેષ સુખપ્રદ કે ઉદાર લાગણું મનુષ્યના અન્ત:કરણમાં હોઈ શકે નહીં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના-બીજી આવૃત્તિની. વાચકવર્ગ સમક્ષ આ ભાષાન્તરની બીજી આવૃત્તિ મૂકતાં નિવેદન કરવાની રજા લઉં છું કે પ્રથમ આવૃત્તિ પછી ઘણે કાળે પણ આ બીજી આવૃત્તિ તૈયાર કરવામાં પ્રથમની ભાષા આદિકમાં કહિંક કહિક અધિક સરલતાવાળી શૈલી અને અન્ય ગ્રન્થોમાંથી મળી આવેલા સામાન્ય વિચાર દશક ટીકાઓની લગભગ આઠ ફારમ જેટલા પરિશિષ્ટરૂપ વૃદ્ધિ થયેલી જોઈ મને સવિશેષ આનન્દ વેચે છે. * આ ભાષાન્તર માટે અનેક વિદ્વાનોએ દર્શાવેલા અપૂર્વ સંતોષ અને સદવિચારોથી હું અનુગ્રહીત થયો છું અને વર્તમાનપત્રો આદિકના માનવંતા સમ્પાદકોએ એનું અનુકૂળ વિવેચન કીધું છે તે માટે એમને આભાર માનું છું. આ ભાષાન્તરની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થતાં સર પ્રભાશંકર દલપત્તરામ પટ્ટણું, કે. સી. આઈ. છે, જેઓશ્રી વિદ્યાવિલાસી હોઈ ગ્રન્થકારને ઉત્તેજન આપતા આવેલા છે એમના તરફથી મળેલા આશ્રય માટે એમને માનપૂર્વક ઉપકાર માનું છું. અને શ્રીયુત કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી, એમ. એ., એલએલ. બીએમણે આપેલી કિમતી સલાહ માટે અને પ્રેફેસર રા. બ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી–એમણે કૃપા કરીને ભાષાન્તર મૂળ સાથે સરખાવી એને માટે પોતાને સન્તોષ જણાવી મને કૃતાર્થ કર્યો છે તે માટે તેમને પણ અતિશય આભારી છું. ભાવનગર. મેતીચંદ એધવજી. વિ. સં. ૧૯રપની મૈત્રી પૂર્ણિમા. ઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના–પ્રથમ આવૃત્તિની. શિશુ ! જગતમાં જન્મી, તક્ષણ રડતું વસ્ત્ર વિનાનું તું, માતાપિતા–ઉસંગે બેઠું–દેખી સર્વ કેઈ હસતું. 1 જીવ જીવન તું એવું, દીર્ઘ મૃત્યુ—નિદ્રાને વશ થાતાં " તું પોતે જા હસતું, મેલી તુજને સાથ સકળ રડતા. 2 (એક અંગ્રેજ કવિ.) એક સંસ્કૃત વિદ્વાને " धर्म तत्परता मुखे मधुरता दाने समुत्साहिता मित्रेऽवंचकता गुरौ विनयिता चित्तेऽतिगम्भीरता / आचारे शुचिता गुणे रसिकता शास्त्रेऽतिविज्ञानिता रुपे सुन्दरता प्रभौ भजनिता सत्स्वेव संदृश्यते // " આ શ્લેકમાં ગણાવેલાં લક્ષણોથી ઉપયુક્ત એવા ઉત્તમ પુરૂષનાં સમગ્ર જીવન અત્યન્ત ઉપગી છે. એઓ વિદ્યમાન છતે એમનાં પ્રત્યક્ષ નિરૂપણથી, અને એઓ નામશેષ થયે, એમનાં શ્રવણ-મનનથી વ્યવહાર અને પરમાર્થ –ઉભયના આદર્શરૂપ બની, આપણું જીવન ઉચ્ચતર કરવામાં એ સહાયભૂત થાય છે. કારણ કે, પૂર્વાવસ્થામાં, (કદાચિત ) . પ્રતિકુળતારૂપી સરિતાને ઓળંગવા માટે સ્વાશ્રયરૂપી પૂલ બાંધી. ઉત્તરાવસ્થામાં, શુદ્ધ બુદ્ધિ અને ઉદાર અન્તઃકરણને સહાયક બનાવી, રાગ અને દ્વેષને કટ્ટા શત્રુ ગણી, દૂરતઃ ત્યજી દઈ, જન મંડળના કલ્યાણને અર્થે અને ગુણસંતતિની ઉત્પત્તિને અર્થે, પૂવોનુભવને ઉપગ એઓ કેવી રીતે કરે છે એ સર્વનું એમાં નિરૂપણ કરેલું હોય છે. 1 નિર્ગમન કર. 2 ધર્મને વિષે તત્પરતા, વાણીને વિષે મધુરતા, દાન દેવામાં ઉત્સાહ, મિત્ર પ્રતિ નિષ્કપટતા, ગુરૂપ્રતિ વિનય, ચિત્તની અતિ ગંભીરતા, આચારને વિષે પવિત્રતા, ગુણીજનપર અનુરાગ, શાસ્ત્રનું પરિપૂર્ણ જ્ઞાન, રૂપને વિષે સૌન્દર્ય અને પરમાત્મા ની ભકિત• આ સર્વ ઉત્તમ પુરૂષોમાં દ્રષ્ટિગોચર થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂર્વે ગ્રીસ- રેમ આદિ પાશ્ચમાત્ય દેશના ઇતિહાસકારોએ પિતાના સમકાલીન કે પૂર્વકાલીન મહાપુરૂષોનાં વૃત્તાન્ત લખી એમનાં નામ અમર કરવાને એગ્ય પ્રયાસ કર્યો છે, તેમ વર્તમાન સમયના ચરિત્ર નિરૂપકે પણ પિતાની ઈષ્ટ વ્યકિતને અમર કરવાની અન્તઃકરણની લાગણી, અને મુખ્યત્વે કરીને એ વ્યક્તિના કીતિકથનદ્વારા સમુદાયની ઉન્નતિને પરિપૂર્ણ વિશ્વાસ-એ ઉભય વિચારથી નામાંકિત પુરૂષને જગ પ્રસિદ્ધ કરે છે. - જ્યારે આમ છે ત્યારે જે મહાપુરૂષે એક વખતે (1) પિતાની વકતૃત્વશક્તિથી, (2) અત્યન્ત ગહન સિદ્ધાન્તોને વિકસિત કરનારા પિતાના સામર્થ્યથી, (3) મનોજ્ઞ, દુપ્રેક્ષ્ય (dazzling) અને સવશે યુતિમત પ્રમાણોને ગ્રહણ કરી લેનારા પિતાના વિચારબળથી અને (4) વિશાળ આશયે તથા અખ્ખલિત પુરૂષાર્થથી, અત્યન્ત વ્યગ્રતાએ આકુળ છતાં પણ નિષ્કલંક અને બહદેશી દક્ષતાએ પૂર્ણ—કાર્યભાર વહન કરનાર રાજ્યનીતિજ્ઞ અમાત્ય તરીકે, કવચિત નમીને તે કવચિત્ નમાવીને દીર્ઘ દષ્ટિ પહોંચાડી દરેક કાર્ય કર્યું છે; વળી સ્વતંત્ર સત્તા વિના પણ પ્રધાનપદનું નિર્વહણ કરી, શાસન અને સાધુતાના સંમલનથી પિતાના પૂર્ણ મહત્વની છાપ પાડી ઉત્તમ પ્રકારની નિપુણતા સિદ્ધ કરી આપી છે; તથા રાજકુળમાં બનતા અનેક વિધવાના પ્રસંગે શમાવવારૂપ આયાસમય ફરજ બજાવતાં, પ્રપંચ કરવામાં પ્રવીણ અને કાવતરાં * કરવામાં કુશળ કહેવાતા પિોલીસ ખાતાની અંગભૂત મારફાડ ક્યો વિના પણ વિજયપરંપરાઓ મેળવી અત્યન્ત અભિનન્દનીય ચાતુર્ય દશોધ્યું છે; એટલું જ નહીં પણ, ઉત્તમ પ્રકારની કાર્યશકિત, અંગીકૃત કાર્યમાં અખંડિત ઉત્સાહ અને દેશકાળને અનુસરતા વર્તનવડે, પિતાની કીર્તાિને અક્ષય અને અજરપદ પ્રાપ્ત કરાવ્યું છે;–એવા એક શાશ્વપ્રસિદ્ધ નરરત્નનું જીવનચરિત્ર જનસમાજની એહિક તેમજ આમુર્મિક ઉન્નતિનું ઉત્તમ સાધન રૂપ થશે--એવી ધારણાથી આ અભયકુમાર 1 “અભયકુમાર મંત્રીની બુદ્ધિ હો " એ આપણા દર નવા વર્ષના દફતરમાં માંગલિક અર્થો લખાતા અનેક ઉત્કસૂચક વાકયોમાંનું એક છે. એપરથી પણ સમજાય છે કે અભયકુમારની બુદ્ધિ તીર અને સમયોચિત હેનેજ દષ્ટતાસ્પદ થઈ પડી ન જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #12 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વરનું જીવનચરિત્ર મૂળ સંસ્કૃતમાં ધી ગુજરાતીમાં લખી પ્રસિદ્ધિમાં મૂકવાને વેગ આવ્યું છે. બીજું આ કાવ્યને વિષે કત્તો-કવિ ઉપાધ્યાયે અનેક અતિ ઉપયેગી વિષને અનુપમ સંગ્રહ કર્યો છે. ધર્મનું યથાર્થ સ્વરૂપ, તત્વને યપૂર્વક નિર્ણય, સ્વર્ગનરકાદિકનાં સુખદુઃખને તાદશ ચિતાર, પ્રાસંગિક ઉત્તમ સ્ત્રી પુરૂષની લ્હાની માટી ઉપકથાઓ તથા સર્વથી અધિક કેવળી ભગવંતને, સંસારી જીવને ઉપકાર કરનારે ઉપદેશ--ઈત્યાદિ પ્રકરણના પ્રસ્ફટનને વેગે જાણે વૈરાગ્યરસના પ્રવાહની નદીઓ વહેતી કરી છે; તો એવા અમૂલ્ય અમૃતમય ઝરણામાંથી સર્વ વિવેકી જને યથારૂચિ પાન કરે એ પણ આ પ્રયાસને એક હેતુ છે. વળી ગ્રંથકારે આ ગ્રંથમાં ધર્મના અધિકારની સાથે પ્રસ્તુત મંત્રીશ્વરની બુદ્ધિકળાના દાંતો અને ચમત્કારી કાર્યોની નેંધ લેતાં, ઉત્તમ કવિત્વશકિતદર્શક ઉચ્ચ કલ્પનાઓ તથા પ્રોઢ પણ સરલ શબ્દશેલી સહિત સ્થળે સ્થળે ભિન્ન ભિન્ન હતુઓનાં વર્ણન, ગ્રામ-નગર–પર્વતાદિ પૃથ્વીના વિભાગોના આબેહુબ ચિત્રે, મૃષ્ટિ દર્યદર્શક સ્થળનો મનહર આળેખ—વગેરે અભુત રસમય કાવ્યકળાના ચિત્તને આલાદ ઉપજાવનારા વિષયે રૂપી પુષ્પોને અનેક અર્થ–ચમત્કૃતિ, વિવિધ વૃત્ત અને નવનવીન અલંકાર રૂપી દેરીઓ વડે ગુંથીને, આ ગ્રંથરૂપી પુષ્પહારની એવી મનપસંદ રીતે રચના કરી છે કે એ સંસ્કૃત હારને સંસ્કૃતના અધિકારીઓ એકલાજ ઉપગ ન લે પણ ગુજરી ભાષાને વિક સુદ્ધાં એ જુએ–-નિરખે-હસ્તને વિષે ગ્રહણ કરે અને હોંશે હોંશે એના પરિમળથી આકર્ષાઈ એને સદાકાળ પિતાના કચ્છપ્રદેશને વિષે આરે પણ કરી રાખે–એવી પણ એક પ્રબળ ઈચ્છાને લીધે ભાષાંતર કત્તો એ પુષ્પહારને–એ મનહર અને નિત્યસુવાસિત હારને ગુજર જનમંડળને અર્પણ કરે છે. તો સવ ગુણજ્ઞ અને મહાનુભાવ આર્યજને એને સાદર પરિધાન કરશે એવી અભિલાષા રાખવામાં આવે છે. અભયકુમાર મગધદેશના રાજ્યકત્તા શ્રેણિક મહીપાળનો પુત્ર હતો. યુવરાજ શ્રેણિક પોતાના પિતાની હયાતીમાં એક વખતે પિતાથી રીસાઈને દૂર દેશાંતર જતો રહે છે. ત્યાં કેઈ ભદ્રછીની નન્દા નામે પુત્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #13 -------------------------------------------------------------------------- ________________ સાથે એનાં લગ્ન થાય છે. નન્દાને ગર્ભ રહે છે. એવામાં એના પિતા પ્રસેનજિત રાજાને પ્રાણહર વ્યાધિ થાય છે અને શ્રેણિક કયાં છે એના ઉડતા સમાચાર મળે છે. પિતા પુત્રને બોલાવી લે છે. આજ્ઞાંકિત પુત્ર પણ વૃદ્ધ પિતાને આદેશ શીરપર ચડાવી એમની સેવામાં હાજર રહેવાને ચાલી નીકળે છે. નન્દાને પિતે કેણ છે એ વિષે એક સમસ્યા આપી જાથ છે. તે પણ અભણ નન્દી તે સમજતી જ નથી. અહીં પ્રસેનજિત રાજાને વ્યાધિ વધી પડવાથી એનું મૃત્યુ નીપજે છે અને યુવરાજ ગાદીનશીન થાય છે. પાછળ નન્દાને પુત્ર પ્રસરે છે. તે માટે થાય છે અને પિતાને પિતા કયાં છે એ સ્વાભાવિક પ્રન માતાને પુછે છે. માતા પણ શ્રેણિકે જતી વખતે એ આપેલી નિશાની પુત્રને બતાવે છે. વિદ્વાન પુત્ર તુરત સમજી જાય છે. પિતે એક રાજપુત્ર છે. અને એની માતા એક રાજપની છે એમ જાહેર કરે છે. પછી માતામહની આજ્ઞા લઈ માતાની સાથે પિતાને નગર જવા નીકળે છે. તે વખતે શ્રેણિક રાજા પિતાના અનેક મસ્ત્રીઓમાંના એકને મંત્રીશ્વર –સર્વથી શ્રેષ્ઠ મંત્રી–Prime Minister–ની પદવી આપવાને માટે પરીક્ષા લે છે. તે પરીક્ષા સર્વ કેઈને માટે–પ્રજા જનને માટે–કઈ પણ દેશાન્તરથી આવેલા પ્રવાસીને માટે પણ ખુલ્લી હતી. વય સુધાંનું પ્રમાણ બાંધ્યું ન હતું. પણ એ પરીક્ષામાં કઈ ઉતીર્ણ ( વિજયી) થતું નથી. આબાળ વૃધ્ધ સવ–અધિકારી વર્ગ પણ સર્વ નાસીપાસ થાય છે. એવામાં મોસાળમાં રહી જે પિતાના અતુલ બુદ્ધિબળ વડે સકળ વિદ્યાને અભ્યાસ કરી પારંગત થયે છે એવો વિદ્વાન અભય ત્યાં આવી પહોચે છે. રાજાની પરીક્ષા વિષે સાંભળી પોતે એક ઉમેદવાર તરીકે બહાર પડે છે અને વયે ન્હાને પણ ચતુર અભય વિજયી નીવડે છે. રાજા વિજયી અભયને પિતાની પાસે બેલાવે છે; અને ઓળખાણ નીકળે છે. પિતા પુત્રને ભેટે છે અને મુખ્ય અમાત્યની મુદ્રિક અર્પણ કરે છે. આમ પુત્ર–અભય પિતા-શ્રેણિક રાજાને મંત્રી થાય છે, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #14 -------------------------------------------------------------------------- ________________ (અહિં પહેલા સર્ગની સમાપ્તિ થાય છે). આ પ્રમાણે અમાત્યની પદવી પ્રાપ્ત કરીને અભયકુમાર રાજા, પ્રજા, ઉભયનાં હિતનાં કાર્યો કેવી કુશળતાથી બજાવી આપે છે એ વગેરે પછીના સગોમાં વર્ણવેલું છે. અભયકુમાર મંત્રીની ખરેખરી રાજનીતિજ્ઞતા તે એજ છે કે પિોતે જેને પુત્ર છે એને પાછો અમાત્ય પણ પિતેજ છતાં, એક તરફ સ્વાર્થવૃત્તિથી ન દેરાતાં રાજા–પિતાના પિતા–નું હિત સાચવી જાણે છે અને એજ સમયે પાછો પરમાથી એ એ પ્રજાનાં મન પણ રંજન કરી જાણે છે. આવા એક નમુનેદાર મંત્રીનું જીવનચરિત્ર પ્રજાને લેશ પણ બેધપ્રદ જણાઈને આવકારદાયક થઈ પડશે તો હું આ મારો પ્રયાસ ફળીભૂત થયેલે સમજીશ; અને આ ચરિત્રને ઉત્તર ભાગ, જે વિશેષ ચમત્કારી અને ઉપદેશાત્મક હોઈને ઉતરાવસ્થાને પ્રાપ્ત થયેલા મનુષ્યના સ્વભાવતઃ શંકાશીલ હૃદયેના પ્રશ્નોના ઉત્તર આપી સમાધાન કરવામાં એક ગુરૂ કે મહાત્મા યોગી સમાન છે તે પણ–પ્રજા સન્મુખ મુકવાને ભાગ્યશાળી થઈશ. છેવટ; આ સંસ્કૃત મહાકાવ્યનું ગુજરાતી ભાષાન્તર મેં મારાથી બન્યું તેટલું શુદ્ધ કર્યું છે, જરૂર જણાઈ ત્યાં ત્યાં કુટનેટ આપી છે, અને વળી રહી ગયેલી પૂટનોટ, ટીક વગેરે માટે ગ્રંથને છેવટે પરિશિષ્ટ સુદ્ધાં મુકવા ભૂલ્યા નથી–છતાં “મનુષ્ય માત્ર દેષને પાત્ર છે તે હું આ મારા પ્રયાસમાં રહી ગયેલી હરકેઈ ભૂલે માટે વાચક વર્ગની ક્ષમા ચાહું છું. વળી ભાષાન્તર કરતાં શંકા પડેલી ત્યાં, મને સદા શિષ્યદ્રષ્ટિથી નીહાળનાર મારા ગુરૂવર્ય પન્યાસજી શ્રીમગંભીરવિજયજી મહારાજે, અને મુનિરાજ શ્રી ચારિત્રવિજયજીએ સમાધાન કરેલું છે એ બાબતમાં એઓશ્રીને અંતઃકરણપૂર્વક ઉપકાર માની આ પ્રરતાવના સમાપ્ત કરૂં છું. ભાવનગર. ) આષાઢી બીજ. જે ભાષાન્તરે કતા, વિ, સં. 1964. . - 0 - ~ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #15 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. સર્ગ પહેલે મંગળાચરણ, જંબુદ્વીપ - ભરતખંડનું વર્ણન. મગધદેશકુશાગ્રપુરનું વર્ણન. પ્રસેનજિત રાજા–એનું અંતઃપુર. પુત્રજન્મ-પરીક્ષા. શ્રેણિકકુમારનું અનુપમ બુદ્ધિબળ. “ભંભાસાર " શ્રેણિક, શ્રેણિકનું વિદેશગમન, ભદ્રશેઠનું આતિથ્ય. વિવાહ-પ્રાર્થના સ્વીકાર. નન્દાનું વર્ણન. નંદા ગર્ભવતી. પ્રસેનજિત રાજાની માંદગી. પિતા-પુત્રનો મેળાપ. રાજ્યાભિષેક. શ્રેણિકરાજાનાં કાયોનુષ્ઠાન. નન્દાના દેહદ. અભયકુમારને જન્મ. જન્મ-મહત્સવ. નિશાળગરણું. અભયકુમારની વિદ્વત્તા. માદીકરાની વિદાયગિરિ. અભયકુમારને બુદ્ધિપ્રભાવ સમાગમ ઓળખાણ... ................પૃષ્ઠ 3 થી 49 સુધી. સગે બીજો: પ્રવેશ મહોત્સવ.સં. નન્દા પટ્ટરાણીપદે. સપત્નીનું વિષમચરિત્ર. અભયકુમારને વિવાહ મંડપ. વધુનાં વસ્ત્રાલંકાર. અભયકુમાર વરરાજા. પાણિગ્રણ-મંત્રીશ્વરની પદવી. નાગસારથિ-સતી સુલસા. પ્રશંસા-પરીક્ષા. પુત્ર-પ્રાર્થના. બત્રીસ પુત્રને જન્મ. ચેટકરાજા-એની સાત પુત્રીઓ. ધર્મ-પાંચ પ્રકારની શુદ્ધિ. સુચેષ્ટા-એને પટ્ટપર આલેખ. પિતાની નિરાશા-પુત્રને પ્રયાસ. સુષ્ઠાની તીવ્ર અભિલાષા. કાર્યસિદ્ધિ. “રામનું સ્વમ ભરતને ફળ્યું.” ! હર્ષ અને ખેદ–લાભ અને હાનિ. સુલસાને વિલાપ-અભયકુમારનાં શિક્ષાવચન. રાજકુમાર અને મંત્રીપુત્ર. તપસ્વી ગુરૂને ભક્તિમાન્ શિષ્ય. ! તપસ્વીનો પરાભવ-સંકલ્પ નિયાણું. ચિલ્લણને ભયંકર દેહુદ. અશેકચંદ્ર ઉર્ફે “કુણિત " ને જન્મ. 'પૃષ્ઠ 50 થી 101 સુધી. સર્ગ ત્રિીઃ શાસ્ત્ર પારગામી સ્વપ્રપાઠકે. નવી રાણીને નવો દેહદ. અભયકુમારનો મિત્ર-દેવતા. અકાળે વષો-એનું વર્ણન. મેઘકુમારને જન્મ-દાસીને હર્ષાવેશ. વનાવસ્થા-પાણિગ્રડુણ. દંપતીને ગોષ્ટીવિનેદસમશ્યાપૂર્તાિ. સમશ્યાપૂર્તાિ (શરૂ), શ્રી વીરભગવાનનું સમવસરણ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #16 -------------------------------------------------------------------------- ________________ દેવ-મનુષ્યતિર્યંચની પર્ષદ. ઉદ્યાનપાળકની વધામણી. પ્રભુના અતિશય–શ્રેણિક રાજાની સ્તુતિ. પ્રભુની દેશના-નારકીનું સ્વરૂપ. મનુષ્યભવનાં દુઃખ. ઘેર ઘેર માટીના ચૂલા.” શ્રાદ્ધધર્મએને અતિચાર, શ્રાદ્ધધર્મ એના અતિચાર (શરૂ). સમવસરણને વિષે બળિ–એને પ્રભાવ. મેઘકુમારને વિરક્તભાવ, વત્સલ માતાને સત્વવંત પુત્ર. દીક્ષા મહોત્સવ. નવદીક્ષિતનું સંકિલષ્ટ ચિત્ત. પૂર્વભવ-ગ્રીષ્મઋતુનું વર્ણન. વનને વિષે મહાન દાવાગ્નિ. તિર્યંચ છતાં પણ દયાની ઓળખાણ, દુષ્કર તપશ્ચયો. અભયકુમારનું “ટાઈમ ટેબલ”. બુદ્ધિશાળી મંત્રીશ્વરની ઉત્તમ ભાવના............ ............... પૃષ્ટ 15 થી 15 સુધી. સર્ગ ચે: શિશિર તુના સંતાપ શ્રેણિક રાજાની શંકા. “મુંડાવ્યા પછી વાર શે પૂછવો?” એકદંડીઓ મહેલ. રાજારાણી કે દેવદેવી? ચેર પકડવાની યુક્તિ. કરિયાણું સારું અવશ્ય ખપનારૂં. પતિવ્રતા પદ્મિનીની પૂર્ણ પ્રતિજ્ઞા. પ્રભાતને સમય. ચેરનું પકડાવું. શ્રી વીરપ્રભુનું પુનઃ આગમન. “ઘેર બેઠાં ગંગા.” કેમુદી મહોત્સવ. મન અને મુદ્રા ચારનાર તસ્કરરાજ. રાજાને રાગ-રાણીને વૈરાગ્ય. લેહખુર ચેર. ચેરપિતાને ચેરપુત્ર રોહિણેય. પ્રજાની ફરિયાદ–રાજાને કેપ. રોહિણેય પકડાય છે. અભયકુમારની બુદ્ધિને ઉઠાવ-ઈન્દ્રજાળ કે સ્વમ? ઠગબાજ ચેરને છેવટ પશ્ચાત્તાપ. વિરાગ્ય–શુદ્ધિ..... પૃષ્ઠ 161 થી 203 સુધી. સગ પાંચો: અભયકુમાર–એને મિત્ર આદ્રકુમાર. અનુપમ ભેટ. પૂર્વભવનું સ્મરણ. મિત્રદર્શનની ઉત્કંઠા. આદ્રકકુમાર પ્રત્યેકબુદ્ધસાધુને વરનારી શ્રીમતીની વાવસ્થા. પિતાને આગ્રહ–પુત્રની દલીલ. ભાવિની પ્રબળતા–આદ્રક મુનિ સંસારી. ગૃહસ્થાશ્રમનાં બાર વર્ષ. ધર્મ ની વ્યાખ્યા. ગોશાળા સાથે વાદવિવાદ. હસ્તીને “મોક્ષ.” આદ્રક મુનિનું મેક્ષગમન. જિનદત્ત શેઠ અને એનું કુટુંબ. લક્ષ્મીને નાશ– દારિદ્રય. યોગી જેવો જણાતો પુરૂષ. ભૂતનું સ્મરણ–વર્તમાનનું અવલકન. ધમને પ્રભાવ–પુનઃભાગ્યને ઉદય. આનંદમાં વિઘ–અમૃતમાં વિષ. દરિશિરોમણિ વિપ્ર સેડુબક. મૂર્ખશિરોમણિની યાચના. કૃતજ્ઞી પુત્રને પ્રપંચી પિતા. વિધાતાની અનુકુળતા–દેહ જ સ્વર્ગ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #17 -------------------------------------------------------------------------- ________________ સેતુબકના ઉત્તર ભવ. કલ્પદ્રુમ છતાં દારિદ્રય? સત્વવંત રાજા–દેવતાની અનુપમ ભેટ. આપે તેવું મળે–વાવે તેવું લણે. ગાડરીઓ પ્રવાહ તે મૂખોનેજ શેભે. વિષને પરિત્યાગ–અમૃતનું ગ્રહણ. પૃષ્ટ 207 થી 263 સુધી. પરિશિષ્ટ ટિપ્પણી................ પૃષ્ટ ર૬૪ થી 320 સુધી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #18 -------------------------------------------------------------------------- ________________ ओन्नमः श्रीसर्वज्ञाय / અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, સગ પહેલો. आदौ धर्मोपदेष्टार केवलालोकभास्करम् / सुरासुरनतं वन्दे श्रीनाभेयजिनेश्वरम् // 1 // हरयोऽपि नमस्यन्ति येषां पादान बतानिशम् / तेऽन्येप्यजितनाथाद्या जयन्ति जिनकुंजराः // 2 // यस्य कान्तिः स्वर्णवर्णोल्लसन्ती चैत्यपादपे / स्थिताऽधाद्गरुडस्यामा सं वीरः श्रेयसेऽस्तु मे // 3 // स्वस्यासदपि यो वस्तु स्वशिष्येभ्यः किमप्यदात् / श्रीगोतमगणेन्द्राय तस्मै लब्धिमते नमः // 4 // श्रीसुधर्मगणाधीशमुख्या दुःप्रसभान्तिमाः। निवसन्तु मम स्वान्ते श्रीयुगप्रवरागमाः // 5 // + આ “અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર” એક મહા કાવ્ય છે; કારણ કે “મહાકાવ્ય”નાં કહેલાં સર્વ લક્ષણથી એ સમેત છે. કર્તા કવિ શ્રીચંતિલક ઉપयाय आशीर्नमस्क्रिया वस्तुनिर्देशो वाऽपि तन्मुखम् (भाशाह, नम२४२ કે વસ્તુનિદેશથી કાવ્યનો પ્રારંભ કરવો જોઈએ) એ વચન પ્રમાણે (એ ત્રણभाथा ) नमस्कार ३५भगथा व्यते। आर 42 . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #19 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પ્રથમ ધર્મોપદેશક, કેવળજ્ઞાનરૂપી પ્રકાશવાળા સૂર્ય, અને સુર તેમજ અસુરેશ જેમને નમન કરે છે એવા શ્રીકૃષભદેવ ભગવાનને હું વંદન કરૂં છું. 1 Jદ્રો પણ જેમના ચરણને અહનિશ નમે છે એવા અજિતનાથ આદિ બીજા જિનવરે પણ જયશાળી વતે છે. 2 - જેમની દેદિપ્યમાન હેમવણી કાન્તિ અશોકવૃક્ષને વિષે રહી છતી ગરૂડની કાતિને ધારણ કરતી પહેવી એ શ્રીવીરપ્રભુ મારા કલ્યાણને અર્થે હે. 3 જેમણે પિતાની પાસે રહેતી એવી પણ કોઈ અવશ્ય વતુ પિતાના શિને આપી હતી એવા લબ્ધિવાળા -શ્રીગૌતમ ગણધરને નમસ્કાર. 4 1 સાધુધર્મ અને શ્રાવકધર્મ એ ઉભય પ્રકારનો ધર્મ લેકેને પહેલે આદિ પ્રભુ શ્રી ઋષભદેવેજ બતાવ્યો હતો. 2 આપણા જૈનશાસ્ત્રમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન (કૈવલ્ય) એમ ઉત્તરોત્તર પાંચ પ્રકારનાં જ્ઞાન કહ્યાં છે. તેમાં કેવળજ્ઞાન=સર્વજ્ઞતા એ સર્વથી ઉંચું છે. 3 બહુવચન: કારણ કે એમની સંખ્યા 64 છે. 4. અશોકવૃક્ષ જિનેશ્વર ભગવંતના આઠ પ્રાતિહાર્યો (સાથેને સાથે રહેનારા attendants) માંનું એક છે. ગરવાવૃક્ષ: guસ્કૃષ્ટ ध्वनि श्चामर मासनं च / भामंडलं' दुन्दुभि रातपत्रं स्युः प्रातिશાનિ જિનેશ્વરાળ ને 5 સમવસરણને વિષે શ્રી વીરપ્રભુ દેશના (ઉપદેશ– પ્રતિબંધ) આપતા હોય ત્યારે ઉપર રહેલા અશોકવૃક્ષને વિષે એમના શરીરની સુવર્ણવર્ણ કાન્તિ-તેજ-પ્રકાશ પડે; માટે વૃક્ષવાસી અને પીતવર્ણન ગરૂડની કાન્તિ સાથે એ (શ્રી મહાવીરની કાન્તિ) ને સરખાવી છે. હું એમની પાસે ન હેતી એવી અવશ્ય વસ્તુ તે કેવળજ્ઞાન એમના નવદીક્ષિત શિરોને એમનાથી પહેલું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું, એમને પછી પ્રાપ્ત થયું હતું. હું અગમ્ય શક્તિ, ચમકાર. high attainments. ગૌતમ ગણધરની લબ્ધિ માટે કહ્યું છે કે - અઠમને પારણે તાપસકારણે ક્ષીર લબ્ધ (લબ્ધિએ) કરી અખુટ કીધી. ૮ગણ= સમૂહશિએને સમૂહ. ગણધર એટલે એ શિષ્યને વિષે મુખ્ય મહાવીરના મુખ્ય શિષ્ય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #20 -------------------------------------------------------------------------- ________________ છે : મંગલાચર, . - જેમને વિષે શ્રી સુધર્માગણધર પ્રથમ થઈ ગયા છે અને દ:પ્રભ એ નામના છેલ્લા થશે એવા "યુગપ્રધાને મારા હૃદયને વિષે વાસ કરે. 5 જ્ઞાન અને ક્રિયાને ચઢવાને વાસ્તે થડરૂપ ચરણ છે જેમને એવા; વળી જેમને હસ્ત એ શાખાઓ છે; આંગળીએ પ્રશાખા છે; નખરૂપ પલ્લવે છે; દંતપંકિતરૂપ પુપિ છે; એણરૂપી મકરંદ છે; ચક્ષુરૂપી ભ્રમરે છે; કર્ણલતારૂપ સરસ્વતી અને સંયમશ્રીને હિંચકવાના હિંચકા છે; મેક્ષરૂપી ઉત્કૃષ્ટ ફળ છે, અને ભાળ અને નાસિકાવંશ રૂપી, સરસ્વતી દેવીએ હિંચકતી વખતે (તે વૃક્ષ ઉપર) સ્થાપન કરેલા અલાબુ અને વીણદંડ છે;–એવા, વિબુધોથી સેવાતા, જંગમ કલ્પવૃક્ષરૂપ શ્રી જિનેશ્વરસૂરીંદ્ર મનવાંછિતને પૂર્ણ કરે.' 1 પિોતપોતાના યુગ એટલે કાળને વિષે પ્રધાન એટલે શ્રેષ્ઠ=શ્રેષ્ઠ આચાર્યો. એવા યુગપ્રધાનોની કુલ સંખ્યા 2004 ની કહી છે. 2 વિબુધે H (1) વિદ્વાન લોકે (2) દેવતાઓ. 3 કલ્પવૃક્ષ સ્થાવર હેય માટે જંગમ મુનિની સાથે સાદૃશ્ય ન બેસે–એ વિસંવાદિપણું દૂર કરવાને માટે કલ્પવૃક્ષને “જગમ” એ વિશેષણ આપ્યું છે. 4 અહિં જિનેશ્વરસૂરિને કલ્પવૃક્ષની સાથે સરખાવ્યા છે ? કલ્પવૃક્ષને થડ-શાખા-પ્રશાખાઓ-પલવો-પુ-મરકંદ (રસ) અને ભ્રમર,–તેવાં જ સૂરિને ચરણ-હસ્ત–આંગળીઓ-નખ-દંતાવળી (દાંતની હાર)-ઓષ્ઠ અને ચક્ષુ; કલ્પવૃક્ષને દેવીઓને હિંચકવાની લતા હોય તેમ અહિં સૂરિને, સરસ્વતીદેવીને અને ચારિત્રલક્ષ્મીદેવીને હિંચકવાને બે કર્ણરૂપી લતાઓ; કલ્પવૃક્ષ ફળ આપે છે એમ મુનિથી–મુનિની દેશના (ધર્મોપદેશ) થી- દેશનીના શ્રવણ–ધારણ-નિદધ્યાસથી મેક્ષરપી ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. આટલા સાદૃશ્યથી બસ ન હોય તેમ ગ્રંથકર્તા હજુ વિશેષ સાદૃશ્ય કહે છે : સરસ્વતીદેવી વૃક્ષ પર ચઢીને હિંચકે ત્યારે પોતાના અલાબુ અને વીણાદંડ (વીણા અને ગજ) વૃક્ષપર મુકે એવું અહિં મુનિના સંબંધમાં શું ? તે કહે છે કે-એમનું ભાળ-પાળ ( જે અલાબુસમાન વિસ્તીર્ણ છે) અને નાસિકા વંશ–નાકની દાંડી (જે વીણાદંડ-ગજ જેવી સીધી પાતળી અને અણીદાર છે.) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #21 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. સર્વ વિદ્યારત્નના સાગર, ઉદાર તથા નિર્મળ ચિત્તવાળા અને સર્વ સાધુઓના શિરોમણિ શ્રીવિજયદેવસૂરિને હું નમસ્કાર કરું છું કે જેમની પાસેથી અથગ્રંથિને પ્રાપ્ત કરીને મંદબુદ્ધિ એ પણ હું, વણિક પુત્રની પેઠે જ્ઞાનરૂપી ત્રાદ્ધિવાળે થાઉં. જેની કૃપારૂપ નિસરણીને પ્રાપ્ત કરીને જડપુરૂષ પણ કવિપ્રબંધરૂપ મહેલપર સુખેથી ચઢી શકે છે એવી, જિનેશ્વર ભગવાનના મુખકમળને વિષે વસનારી, અને ચિંતામણિની પેઠે ઈછિન ફળ આપનારી સરસ્વતીદેવીને હું સ્તવું છું. અનેક અદ્ભુત, શાંત આદિ રસરૂપી નીરના સરોવર તુલ્ય એવું અભયકુમારનું ચરિત્ર હું કહું છું. ચરિત્રારંભ. જેમ વિમાનને વિષે ઉડુ વિમાન અને નક્ષત્રને વિષે ચંદ્રમાં પ્રસિદ્ધ છે તેમ દ્વીપને વિષે શ્રેષ્ઠ જંબુદ્વીપ નામે પ્ર. સિદ્ધ દ્વિીપ છે. એમાં સીમાપર્વતથી ભિન્ન થયેલ 'ભારતાદિ પિળો, વિદેહરૂપી ચિટાં, સુંદર ઉંચા સૂરલ પવિજયાદિ ચાર દ્વારવાળે કિલ્લો અને સમુદ્રરૂપ ખાઈ હેવાથી એ જાણે એક 1 અર્થગ્રંથિ: (1) અર્થની ગુંથણી રચના (2) અર્થ=દ્રવ્ય–ની થેલી. 2. (કાવ્યગ્રંથમાં) રસ=ભાવ, એ રસ આઠ છેઃ શંગાર-હાસ્ય-કરૂણુંરેદ્ર-વીર-ભયાનક-બીભત્સ–અદ્દભુત. કેટલાક શાંતરસને પણ એક રસ ગણે છે. વળી કેટલાએક વાત્સલ્યરસને એમાં ઉમેરીને બધા મળી દશ રસ ગણાવે છે. કાવ્યમાં રસ છે વત્ત કે પૂર્ણ અંશે આવેજ. (વા રભિ ) 3 સીમા પર્વત=વર્ષધર પર્વત. એ સાત છે. હેમવંત, મહાદેમવંત, નિષધ, શિખરી, પી, નીલવંત અને મેરૂ. 4 ભારતાદિ=ભરત વગેરે; અર્થાત ભારત, હેમવંત, હરિયાસ, ઐરવંત, ઐરયવંત, રમકુ અને મહાવિદેહ (જે સાત વર્ષ. ધર ક્ષેત્રો છે). 5 જ બુદીપને વિજય આદિ ચાર દરવાજા છે. (1) વિજય (2) વિજાત (3) જયત અને (4) અપરાજિત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #22 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્વીપ-ભરતખકનું વર્ણન નગરની શોભાને ધારણ કરે છે. વળી સવ દ્વીપને એ સ્વામી હેયની એ છે; કારણ કે મેરૂપર્વતરૂપ એને અતિ ઉચ્ચ કીર્તિસ્તંભ જણાય છે. વિજયે રૂપ આભૂષણવાળો એવો એ વળી વિજયી નૃપની લક્ષ્મીને ધારણ કરે છે, કારણ કે અન્ય દ્વીપરૂપી રાજાઓ એને પિતાની વચ્ચે રાખીને રહેલા છે. અથવા તે તીર્થકરની જન્મભૂમિ એ એ ( દ્વિીપ ) વાણીને ગમ્ય જ નથી, કારણ કે હસ્તીના પગલાને વિષે સર્વ (ના) પગલાં સમાઈ જાય છે. એ જ બુદ્વીપને વિષે ધર્મરૂપી કણલક્ષ્મીને મેઘસમાન ભરતખંડ નામને ખંડ છે તે, સાધુને ધર્મ જેમ છ વ્રતમાં વહેંચાયેલું છે તેમ પછ ભાગમાં વહેંચાયેલું છે. એ, લવણ જળના પૂરના આગમનને રૂંધનારા અને (તેથી) વૈતાઢયરૂપી સ્થિર પડેલા બાણને સંધાન કરવાને ઇચછાતુર એવા જંબુદ્વીપે, એ લવણસમુદ્રના ઉચ્છેદને અર્થે ખેંચેલું જગતીને કેટરૂપી પીડવાળું અને હિમાદ્રિરૂપી પણુછવાનું જાણે એક ધનુષ્ય હાયની એ દેખાય છે. વળી એ નિઃસંશય વસુંધરારૂપી સ્ત્રીનું લલાટ 1 જંબદ્વીપને નગરની ઉપમા આપી ત્યારે જે જે નગરમાં હોય તે બધું જંબૂદીપમાં પણ જોઈએ (જુઓ) નગરને આસપાસ ખાઈ હોય તેમ જંબુદ્વીપને આસપાસ વીંટાયેલો સમુદ્ર એ જ ખાઈ; નગરને પિળો હોય તેમ જંબુદ્વીપને ભારતાદિ પિળે; નગરને બજારો હોય તેમ જ બીપને મહાવિદેહના 32 વિજ૨પી બજાર; નગરને કોટ હોય તેમ જંબુદ્વીપને વમય જગતીનો કોટ; અને નગરમાં દેવમંદિર (દેરાસરો) હોય તેમ જંબુદ્વીપમાં દેવમંદિર (દેવતાઓને રહેવાના સુંદર આવાસ) આવી રહ્યાં છે * 2 પગલામાં હેટામાં મોટું પગલું હસ્તીનું, તેમ ભૂમિમાં ઉત્તમમાં ઉત્તમ તીર્થકરની જન્મભૂમિ, માટે એ ભૂમિનું વિશેષ વર્ણન શું કરવું ? 3 ધાન્ય 4 સાધુના છ વ્રતઃ પ્રાણાતિપાત વિરમણ (જીવહિંસા ન કરવી તે), મૃષાવાદ-વિરમણ (અસત્ય ન બોલવું તે), અદત્તાદાનવિરમણ (ચોરી ન કરવી. તે), બ્રહ્મચર્ય, પરિમહત્યાગ, (પાસે દ્રવ્ય ન રાખવું તે), રાત્રીજનત્યાગ. 5 વૈતાઢય અને હિમાદ્રિ પર્વતોથી, તથા ગંગા અને સિધુ નદીઓથી ભરતક્ષેત્રના છ ભાગ પડેલા છે તે આ પ્રમાણેઃ બે સિન્ધખંડ, બે મધ્યખંડ, બે ગંગાખંડ. એ (ભરતખંડ)... જાણે એક ધનુષ્ય હાયની...(આમ સંબંધ છે). P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #23 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. છે, કારણ કે એને પણ ગંગા એજ જાણે 'તિલક. આમ છતાં પણ એને અષ્ટમીના ચંદ્રમાનું સાદ્રશ્ય અપાય નહિ, કારણ કે એ ચંદ્રમા તો એના હજારમાં ભાગની કળાને યે ધારણ કરનાર નથી.” આ ભરતખંડમાં મગધ નામને એક દેશ છે. એ નિશ્ચયે સ્વર્ગને જ એક વિભાગ હેયની એ છે કારણ કે એને પામીને પંડિતે અમર થયા છે. ત્યાંના સરવરે માનસરોવર જેવાં છે, નદીઓ સ્વર્ગગંગા તુલ્ય છે, ત્યારે દેવતાઓની વાવ સમાન છે, અને દ્રહ પદ્મદ્રહ સરખા છે. ત્યાં ધાન્યને (એક વાર ) લણી લીધા છતાં પણ, પાપી અને બળ પુરૂએ હરી લીધેલી ભા. ગ્યવંત પુરૂષની લક્ષમીની પેઠે, પુનઃ પુનઃ ઉત્પન્ન થાય છે. શંખની ઉત્પત્તિવાળી એની ભૂમિ લીલાં અને વિચિત્ર હરિત નામના સ્વાદિષ્ટ ઘાસને લીધે, મેરુપર્વતની સુવર્ણના તૃણવાળી ભૂમિકાજ હોયની એવી શોભી રહી છે. ત્યાં ધટપૂર દુધ આપનારી હજારે ઉદાર ગાયે જાણે વિધ્યાચળની હાથણીઓ હોયની એમ સ્વેચ્છાએ ફર્યા કરે છે, નારંગ, કદળી, આમ્ર, બીજપૂર, આદિથી પૂર્ણ એવા એના વનમાં ક્યો કરતો માણસ જાણે એક નગરમાં ફરતે હેય તેમ કદિ પણ શ્રમિત . . 1 લલાટને વિષે તિલક જોઈએ; તો ભરતક્ષેત્રરૂપી લલાટને વિષે (લલાટાકારે વહેતી) ગંગાનદી–એજ (જાણે) તિલક. 2 ભરતક્ષેત્રને લલાટ ઠરાવ્યું ત્યારે સર્વ લલાટને અષ્ટમીના ચંદ્રની ઉપમા અપાય છે તેમ એને પણ એ સાદશ્ય અપાવું જોઈએ; પણ કવિ કહે છે કે એને એ સાદસ્ય અપાય નહિં. 3 કવિની આ ઉઝેક્ષા કળા શબ્દના બે અર્થ ઉપર છે. કળા= (1) ચંદ્રમાની કળા digit (2) એક જાતનું માપ. ભરતખંડ, 19 કળાનો એક યોજના એવા પર૬ જન અને 6 કળાને છે. એટલે કે (પર૬૪૧૯)+=૧૦૦૦૦ કળાને છે અને અષ્ટમીના ચંદ્રમાની તે 8 જ કળા છે તે 10000 કળાનો 1000 મો ભાગ પણ ન થયો. આ ઘટપૂર=ઘટઘટ-ઘડેઘડ: 5 વનમાં એ બધાં નામનાં વૃક્ષે; નગરમાં ટા , પાથરમાજિ. . . ; ; '' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #24 -------------------------------------------------------------------------- ________________ મગધ–કુશાગ્રપુર-નું વર્ણન છે. થતું નથી. ઉત્તમ રાજ્ય, આરોગ્યતા, સિભાગ્ય, નિર્ભયતા અને નિરીતત્વ–એ સર્વ સુખના કારણો, ઉસુક સ્ત્રી જેમ સુભાગ, જનને ભજે ( ઈચ્છે ) તેમ, નિરતર એ દેશને ભજતા હતા. પિતાપિતાના ફળને આપનારી સવે ( ) અતુઓ, સંધિ આદિ ગુણે જેમ ઉત્તમ મહિપતિને ભજે છે તેમ યથાકાળ એને (મગધદેશને) ભજતી હતી. " એ દેશમાં, આકાશને વિષે સૂર્ય અને સરવરને વિષે કમળની જેવું ( ભી રહેલું ) જગવિખ્યાત કુશાગ્રપુર નામનું નગર હતું. ત્યાં સંયમ, પગુપ્તિ, સમિતિ અને 1 (1) અતિવૃષ્ટિ (બહુજ વર્ષાદ) (2) અનાવૃષ્ટિ (બીલકુલ વર્ષાદ નહિંદુષ્કાળ) (3) તીડને ભય () ઉંદરને ભય (5) પિપટનો ભય અને (6) પરરાજ્યને ભય એ છ ઈતિ' કહેવાય છે. (તિનાવૃષ્ટિ રામા: મૂપણ રાઃ | પ્રત્યાનાહ્ય જ્ઞાનઃ તા ઈંતઃ તાઃ ) એ ન હોવાપણું એ 'નિરીતત્વ.” 2 એટલે કે એ પાંચેવાનાં એ દેશમાં હતાં. * - 3 સંધિ આદિ () ગુણો: (1) સંધિ (મંત્રી), (2) વિગ્રહ યુદ્ધ), (3) યાન (લડવા માટે કુચ કરવી તે), (4) આસન (પડાવ નાખીને રહેવું તે), (5) ધીભાવ (શત્રને બહારથી મિત્રીભાવ દર્શાવવા તે છેતરપીંડી) અને (6) આશ્રય, (શક્તિ ન હોય તે બળવંત ધાર્મિક નૃપને આશ્રય લે તે –આ છ રાજાના ગુણો કહ્યા છે. એ છ એ ગુણોથી શોભતા રાજાની પેઠે મગધ દેશ પણ છ થે ઋતુના અનુકુળપણાથી દીપી રહ્યો હતો. 4 સંયમ (1) સંજમ-દીક્ષા, એ મુનિઓનેજ હતી; (2) બંધન–એ કેદન હતું. 5 ગુપ્તિ (1) નિગ્રહ, દાબ. (એ ત્રણ પ્રકારે છે–મનગુપ્તિ વચનગુપ્તિ, અને કાયમુર્સિ)-એ મુનિઓને જ હતો; (2) કારાગ્રહ, કારાગ્રહ એટલે બધીખાનામાં કેઈને જવું પડતું નહિં (ગુન્હાઈત કૃત્યો કોઈ કરતું ન હતું તેથી). * * - 6 સમિતિ=સમ્યક્ પ્રવૃત્તિ moderation. એના પાંચ પ્રકાર છેઃ (1) ઈસમિતિ એટલે ચાલવામાં સમ્યફ પ્રકારે જોઈને ચાલવું (2) ભાષાસમિતિ એટલે . વિચારીને બેસવું; (3) એષણા સમિતિ એટલે આહારાદિ શુદ્ધ ગ્રહણ કરવો; (4) આદાનનિક્ષેપસમિતિ એટલે વસ્તુઓ લેતાં મૂકતાં જીવજંતુની વિરાધના ન થાય તેમ વર્તવું; (5) પરિષ્ઠોપનિકાસમિતિ એટલે શરીરનાં અનુપકારી મળમૂત્રાદિ જીવરહિત ભૂમિકાએ પરઠવવા–સ્થાપવાં. એ સમિતિ સાધુઓને જ હતી. સમિતિ શબ્દનો બીજો અર્થ “વેરભાવ.” એ (પ્રજામાં) કયાંય પણ નહતો, - - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #25 -------------------------------------------------------------------------- ________________ I ! 1 . " અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર, નિરગારતા મુનિઓનેજ હતી. દંડ પણ કેવળ એમના હસ્તમાં જ દેખાતે. અપત્ય પ્રત્યયાભાવ, વિકાર, કંકા વિગ્રહ, ક્રિયાતિપત્તિ, વિશ્લેષ, વનાશ, વિપર્યય, નિપાત, આગમબાધ, સેપસર્ગક વિકરણ, ગુરૂ પર અને લઘુ પૂર્વ એ સર્વ વ્યાકરણમાં જ હતાં. ત્યાં નિશ્ચયે નિરન્તર વરૂણદેવની પૂજા થયા કરતી હતી કારણ કે અન્યથા ત્યાં સ્વાદિષ્ટ અને નિર્મળ જળવાળી તળાવડી, વાવ અને કવાઓ પુષ્કળ ન હોય. તે નગરમાં સર્વ શ્રેડિજને રાજાએ (જેવાં) જ હતા એમાં કઈ પણ સંશય નથી કારણ કે એઓ પણું દાનમાંડપને વિષે દાન આપતા હતા, અન્ય રીતે ( એટલે પિતાને ઘેરે) નહિં, ત્યાંના લેકે યુગલીઆની પેઠે સ્વદારાસંતુષ્ટ અને અલ્પદોધવાળ હતા અને એમને પુણ્યરૂપી કલ્પમિથી સર્વ મનવાંછિત પ્રાપ્ત થતાં હતાં. તે (નગર) નાં પુણ્ડરીક કમળ સમાન વેત મહિલે ઉપરની સુવર્ણના કુંભેની પંકિત, જાણે એ કમળની અંદરથી બહાર આવી રહેલે સાક્ષાત 1 મુનિએ જ નિરંગાર-અગાર રહિત-ઘર રહિત હતા (કારણકે યોગી જનને પિતાનાં રહેવાનાં ઘર હતાં નથી); પ્રજાજનમાં કેઈ નિરગાર-ઘર વગરના-આથતા–રખડુ હતા. 2 દંડ. (1) કાષ્ઠનો દંડ-એ ફક્ત મુનિઓને જ હત; (2) શિક્ષા. પ્રજામાં કેઇને શિક્ષા કરવી પડતી નહિં. - 3 અર્થાત લોકમાં-પ્રજાજનમાં, એમાંનું કંઈ પણ હતું નહિ અપત્ય એટલે પુત્રપુત્યાદિક એને આધાર–એનો અભાવ હતો (સો સંતતિવાળાં હતાં; સે વિકા–રહિત હતાં કંક-યુદ્ધ એમને કરવું પડતું નહિં; વિગ્રહ-કલેશ એમનામાં નહોતો; ક્રિયા-નિત્ય કર્મ-નું ઉલ્લંઘન તેઓ કદિ ન કરતા; વિશ્લેષ-વિયોગએમનામાં કદિ થતો નહિ; વણ-એક બીજાની માનપ્રતિષ્ઠા–નો ભંગ એઓ કદાપિ કરતા નહિં; વિપર્યય -દુર્ભાગ્ય–વાળું એમનામાં કોઈ ન હતું; નિપાત–અકાળનાશકઈ થતો નહિં; આગમબાધ એટલે શાસ્ત્રનું ઉલ્લંઘન કઈ કરતું નહિં; ઉપસંગ-દુખ દેનારા વિકરણ-વ્યાધિ ત્યાં હતા નહિ; ગુરૂજન-વડીલ વર્ગ પૂર્વ એટલે પ્રથમ ચોલ, અને લઘુજન પર એટલે પાછળ રહેતા (હાના હેટની આમન્યા રાખતા, લેકે વિવેકી હતા). 4 વરૂણદેવ જળના અધિષ્ઠાયક દેવ હોવાથી એમની પૂજાનાં બદલોમાં ફેંકાને જળનું હરેક પ્રકારનું સુખ મળે જ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રસેનજિત રાજા-એનું અન્તપુર કિંજલ્કને સમૂહ હોયની એવી ભી રહી હતી. ત્યાં હરિના ઉદરને વિષે જેમ સર્વ ભુવને તેમ, પ્રત્યેક દુકાને કપુર આદિ સર્વ કરિયાણાં હતાં. ત્યાં ઉંચી ફરકી રહેલી ધ્વજાઓવાળી ચનાથી ધૂળેલી મનહર હવેલીઓ દેવતાઓના વિમાન જેવી દીપી રહી હતી. એ નગરને વિષે, જગતને આનંદ આપનાર, ત્રાસરહિત, અને હારના મુખ્ય મણિ (ચકદા ) જે પ્રસેનજિત રાજા રાજ્ય કરતો હતો. તેણે વનસ્તી જેવા ઉન્મત્ત અને અત્યંત બળથી શોભતા એવા પિતાના શત્રુઓ પર વિજય મેળવીને પિતાના નામને સાર્થક કર્યું હતું. તેના કરને વિષે, જાણે આકાશ ગંગાને પિતાના સંગ થકી પવિત્ર કરવાને ( આકાશમાં ) જતી યમુના નદીજ હાયની એવી ઉંચુ મુખ કરી રહેલી ખગ્રલતા ઝળહળી રહેતી હતી. તેનો હસ્તકમળ અનેક અથી જનેના મુખચંદ્રને જોતો છતો પણ કદાપિ સંકેચ પામતે નહીં. આ રાજા વળી સાક્ષાત કામદેવજ હતો-કે જેણે વેરિએની પદ્ધોને લીધે પિતાની વલ્લભા રતિ અને પ્રીતિને સગે આલેષ દઈને રાખી હતી. સુંદર આકૃતિને લીધે શોભી રહેલા અને પરસ્ત્રીના સહેદર એવા તે 1 કિંજલ્ક=કમળની અંદરના સૂત્રતંતુ જેવા રેસા. (જેમનો રંગ પણ પીળો હોય છે.) 2 હસ્તકમળ, ચરણકમળ, નયનકમળ, આવા આવા કવિજનોના શબ્દો શરીરના તે તે અવયવનું કમળ સમાન સોન્દર્ય-કમળત્વ આદિ દાખવે છે; જો કે એ સમાન ભાવમાં, એએ અવયવો જે ઉપમેય છે, તે, કમળ જે ઉપમાન છે તેના કરતાં, ચઢીયાતાં નથી, બલકે ઉતરતાં છે અને કવિજને. તેમને વર્ણનને ખાતરજમાત્ર, સમાન ભાવમાં મૂકે છે. પણ અહિ તો આ કવિ, એવા એક અવયવ-હસ્ત-ને સમાન ભાવમાં જ નહિ પરંતુ અધિકતાશ્રેષ્ઠતામાં લાવી મૂકે છે. હસ્તને કમળ કરતાં અધિક બતાવ્યો છે. એમ કહીને કે, સાધારણ કમળ છે તે ચંદ્રમાને જોઈને, અર્થાત ચંદ્રમા ઉદય થયે છતે એટલે કે રાત્રીએ, સંકોચાઈ જાય છે, પણ આ (રાજાને હસ્ત ) કમળ તે અનેક (અર્થીજનોનાં મુખ-) ચંદ્ર જોતાં છતાં પણ, અર્થાત ગમે તેટલા યાચકે એની પાસે દાન લેવા આવે તે પણ, કદી દાન આપવાથી સંકોચાતો નહીં–પાછો હઠતો નહીં. . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #27 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. રાજાએ ત્રાતિસ્તત્ર ગુનઃ એ વચનને સત્ય કરી બતાવ્યું હતું. જેમ ચંદ્રમાએ શુદ્ધ દક્ષપુત્રીઓને વરીને ઉજ્વળ અંતઃપુર બનાવ્યું હતું તેમ આ મહીપતિએ પણ બીજા રાજાઓની કન્યાઓનું પાણિગ્રહણ કરીને પોતાનું ઉત્તમ અન્તઃપુર કર્યું હતું. પાર્શ્વનાથ ભગવાનના શાસનરૂપી આમ્રવૃક્ષને વિષે શુકસમાન અને સમ્યકત્વ અણુવ્રતને ધારણહાર એવો છે નરેશ ઉત્તમ ફળવાળા તરૂવર જેવો શેભત હતો. એ રાજાને જેમ ઈંદ્રને શચી-ચંદ્રમાને રોહિણ-અને હરિને લક્ષમી તેમ, ધારણ નામે પટ્ટરાણી હતી. અનેક રાજાઓથી ભેગવાતી, જડ (ળ) ના સંબંધવાળી, છિયુક્ત અને પંકિલ એવી કસ્યપાત્મજા–ધરણીની સાથે, એનાથી વિપરીત ગુણવાળી ધારણીની તુલના થાયજ શી રીતે? બીજું તે એક બાજુએ રહ્યું, માત્ર અધિક માત્રાવાળા પિતાના નામે કરીને પણ તેણે (ધારણીએ) તેને (ધરણીને) જીતી લીધી હતી. શીલરૂપી રત્નાલંકારથી અલંકૃત છે શરીર જેનું એવી એ રાણીના શેષ ગુણ એના સિભાગ્યની ઉપર મંજરીરૂપ હતા. આમ શુદ્ધ ધર્મને વિષે લીન એવી એ રાજપત્નીના સર્વ ગુણ, જેમ મૂળ સજીવન હોય તે લતાના પત્ર-પુષ્પ-ફળ ખીલી રહે છે તેમ, સવિશેષ ખીલી રહ્યા હતા. 1 ધરણી એટલે પૃથ્વી યે આ રાજાની સ્ત્રી (કારણ કે રાજાઓ પૃથ્વીપતિ કહેવાય છે) અને આ ધારણ કે આ રાજા (શ્રેણિક) ની સ્ત્રી, પરંતુ ધારણ ધરણી કરતાં સર્વ વાતે અસમાન હતીઃ ધરણીને અનેક રાજાઓ પતિ, ધારણીને આ એકજ પતિ; ધરણી જડ–ળ ના સંબંધવાળી એટલે કે એને અનેક જડ વસ્તુઓ પાષાણ–પર્વતાદિની સાથે અને જળની સાથે સંબંધ, પણ આ ધારણીને તો ફક્ત ચૈતન્ય સાથે સંબંધ ધરણી છિયુક્ત એટલે અનેક ગુફા-કુવા–ખીણ વગેરે છિદ્રવાળી, પણ ધારણ છિદરહિત એટલે ગમે તેવા ગુણમંત્રને સાચવવાવાળી–ગે પવનારી; ધરણ પંકિલ–કચરા કાદવવાળી– અશુદ્ધ, અને ધારણી ચંકિલ-વિશુદ્ધ, આમ સર્વ ગુણમાં વિપરીતતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #28 -------------------------------------------------------------------------- ________________ પુત્ર-જન્મ-પરીક્ષા. આવા નિરન્તર ઉત્તમ ભેગેને ભોગવતા દંપતીને, ઇંદ્રઈન્દ્રાણીને જેમ જયન્ત તેમ, કુલનન્દન શ્રેણિક નામને પુત્ર થયે. તે દુ:ખીજનોની શ્રેણિને રક્ષણને અર્થે, સુભટની શ્રેણિને યુદ્ધને અથે, અને અથજનોની શ્રેણિને દાનને અર્થે બેલાવશે એમ જાણીને જ જાણે એના માતપિતાએ એ ત્રણ પ્રકારે વરના અન્વયવાળું શ્રેણિક નામ પાડ્યું હોયની ! આ શ્રેણિક કુમાર અખિલ તિકશાસ્ત્રને પારંગત છતાં પણ નિરન્તર તિથિની બ્રાન્તિરૂપ મહેટી ભૂલ કયો કરતે હત; કારણ કે પારકાના પર્વત સમાન મહેટા દેને જોતાં છતાં પણ એની જીન્હા હમેશાં મન એકાદશીનું વ્રત આચરતી હતી. શ્રેણિકની પછી બીજા પણ શૂર-ઉદાર-સ્થિર-ધીર-ગંભીર અને રૂપવંત પુત્રે પ્રસેનજિત રાજાને થયા, રોહણાચળથી મણિઓ ઉત્પન્ન થાય તેમ. એકદા આ પ્રસેનજિત રાજાને વિચાર થયે કે " [ મારે ઘણું પુત્ર છે પરંતુ એમાંના | ક્યા કુમારમાં શેષનાગની પેઠે પૃથ્વીને ધારણ કરી રાખવાનું ખરું સામર્થ્ય છે એ નક્કી કરવાને મારે એમની પરીક્ષા લેવી જોઈએ અને તે પણ પ્રથમથી જ લઈ મૂકવી જોઈએ, કારણ કે યુદ્ધ સમય આવે ત્યારેજ અને ખેલાવીને આધીન કરાતા નથી. ( પરંતુ એમને પહેલાંથી જ તૈયાર રાખવા જોઈએ છીએ.) આ વિચાર કરીને એણે બ્રાહ્મણના શ્રાદ્ધમાં અપાય છે તેવી રીતે ઘી, ખાંડ અને ખીર પીરસેલી 1 શ્રી વીરપ્રભુની પેઠે ધર્મવીર, યુદ્ધવીર અને દાનવીર. 2 “મન એકાદશી વ્રત આચરવું " એ વાકયના (1) શાબ્દિક અને (2) પારમાર્થિક અર્થ ઉપર અહિં કવિની ઉઝેક્ષા છે. પારકાના દેશ જતાં છતાં પણ એ નિરન્તર મેન એકાદશીનું વ્રત આચરતો હતો એટલે કે મોન રહેતો હતો, એ દેષોને પ્રગટ કરતો નહિં–એ પારમાર્થિક અર્થ. માટે નિરન્તર મૌન એકાદશીનું વ્રત આચરવું એટલે નિત્ય નિત્ય એકાદશીજ સમજીને એનું વ્રત કરવું. હમેશાં એકાદશીજ, જાણે બીજી તિથિઓજ નથી એમ તિકશાસ્ત્રનો પારંગત એવો છતાં પણ, શ્રેણિક સમજતો હોયની એ ઉàક્ષા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #29 -------------------------------------------------------------------------- ________________ 12 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. થાળીઓ કુમારને બેલાવીને જમવા આપી. કુમારે સ્વાદેથી જમવા લાગ્યા એટલે રાજાએ તેમના તરફ ભંડેના ટેળાની માફક, અનેક પહોળામુખવાળા કૂતરા છોડી મૂક્યા. એ જોઈને બધા ભયભીત થઈને અર્ધા જમેલા ઉચ્છિષ્ટ મુખે અને ઉચ્છિષ્ટ હાથે ઉઠીને નાસી ગયા. ફક્ત શ્રેણિક કુમાર એકલેજ, ભતને જેમ બળિના શરાવ આપે તેમ, તેમને ખીરની થાળીઓ આપતે ગયે, અને એ થાળીઓમાંથી એ ચાટવા મંડ્યા એટલામાં પિતે પણ જમી લીધું. ' આ જોઈને તે રાજા પિતાને જાણે એક નિધાન હાથ લાગ્યો હોય તેમ હર્ષઘેલા થઈ ગયા અને વિચારવા લાગે " જેમ ગારૂડી લેકે સપને થંભાવે છે તેમ નિશ્ચયે આ કુમાર શત્રુએને સ્તબ્ધ કરશે, અને પિતાની વહાલી પ્રાણવલ્લભાની પેઠે પૃથ્વીને ઉપભોગ કરશે. પણ, આ એક પરીક્ષામાં પસાર થયે તેયે એની પુનઃ પણ પરીક્ષા કરવાની આવશ્યકતા છે. કારણ કે આ થયું છે એ કદાચ કાકાલીય ન્યાયથી થયું હોય. એમ ધારીને એણે વળી સર્વ કુમારને મુખ બંધ કરેલા મીઠાઈના કડીઆ અને સાક્ષાત્ કામદેવના કુંભજ હોયની એવા જળના કુંભ (ઘડા) આપ્યા. સાથે સર્વને જણાવ્યું કે-વિદ્યાસિદ્ધ પુરૂષોની પેઠે, કંડીઆ કે જળકુંભની મુદ્રા ઉખેડ્યા શિવાય એ મોદક જમે અને એ જળનું પાન કરે. પણ શ્રેણિક શિવાય બીજા સર્વ મંદબુદ્ધિવાળા હેવાથી નહિ જમી શક્યા ને નહિં પાણી પી શક્યા કારણ કે ઉપાયને નહિં જાણનારા એવા પુરૂષેની કાર્યસિદ્ધિ કેવી રીતે થાય? શ્રેણિકે તે પિતાને કંડીઓ હલાવી હલાવીને તેમાંથી નીકળેલ મોદકને ભૂકે ખાવા માંડ્યો કારણ કે નિર્મળ બુદ્ધિ કામધેનુ સમાન સર્વ મનવાંછિત પૂર્ણ કરનારી છે. વળી એણે કુંભની તરફ જવવા લાગેલું પાણું પણ કળામાં એકઠું કરી પીધું. બુદ્ધિમાનને વાર શી? બીન એ અને તે જળ હા નિર્મળ બુદ્ધિ ભિની ચાતર 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક કુમારનું અનુપમ બુદ્ધિબળ. શ્રેણિક કુમારનું આવું અનુપમ બુદ્ધિબળ જોઈને તે રાજાના અન્તઃકરણમાં જે આનન્દ થએ તે તેમાં સમાયે પણ નહીં. કારણ કે ચંદ્રમાના ઉદયથી સાગર ઉભરાઈ ઉભરાઈજ જાય છે. પુનઃ તે વિચારવા લાગ્ય–આ તો આ પરીક્ષામાંચે પૂર્ણ ફતેહમંદ નીવડ્યો; નિશ્ચયે કસોટીથી કરો કે અગ્નિને વિષે આંચ દ્યો પણ સુવર્ણ તે સુવર્ણજ રહેવાનું. ( ત્યારે હવે એક છેલ્લામાં છેલ્લું કરવાનું છે તે કરી લઉં ). કર્મશાસ્ત્રને વિષે નિપુણ એવો પુરૂષ જેમ કર્મબંધાદિકને વિચારે તેમ સર્વને વિષે શ્રેષ્ઠ એવું જ મહત્વરાજ્યલક્ષણ તે સંબંધી વિચાર મારે કરવો જોઈએ. એમ ધારીને તેણે કુમારે કહ્યું–જેમ શિષ્ય પિતાના ગુરૂના ચરણ પ્રક્ષાલે તેમ તમે પણ હેમકુંભમાં જળ ભરી લાવીને મારા ચરણનું પ્રક્ષાલન કરે. એ સાંભળીને અન્ય સર્વ કુમારોએ ભાર વહન કરનાર [મજુર) ની પેઠે પિતાપિતાને સ્કંધે કળશ મૂકી લઈ આવીને પિતાના ચરણનું પ્રક્ષાલન કર્યું. પણ શ્રેણિકે તો પિતાના મિત્ર મંત્રીપુત્રને ખભે કળશ મૂકીને આ કારણ કે બહેરહિત એવા પણ બહિશિશુની ચેષ્ટા તો બર્ડિ જેવીજ હોય. તેણે રાજ્યાભિષેક સમયે આદીશ્વરપ્રભુના લક્ષ્મીવંત અને વિબુધાર્ચિતર ચરણને યુગલીઆ જેવી રીતે પ્રક્ષાલન કરે તેવી રીતે પિતાના લક્ષ્મીવંત અને વિબુધાર્ચિત ચરણને પ્રક્ષાલન કર્યો. શ્રેણિકનું આવું આચરિત જોઈને રાજાએ, અંગને વિષે હર્ષ ઉભરાઈ જવાથી, શીષ હલાવ્યું; તે જાણે એ હર્ષને પૂરેપૂરું સ્થાન આપવાને [ સમાવી દેવાને ] જ હોયની ! વળી તે વિચારવા લાગે " અહો ધન્ય છે એના શિાને, એની બુદ્ધિને, અને એના નેતૃત્વને ! એ સર્વ એનાં અપૂર્વ છે. ત્રણ ત્રણ વારની પરીક્ષાથી એની યેગ્યતા નિશ્ચયે ઠરી ચુકી છે. ખરેખર ત્રણવાર બેલીને કરેલું સર્વ નિશ્ચળ થાય છે. સર્વ કુમારમાં આ જ રાજ્યલક્ષમીને દીપાવનાર થશે; સિધુને 1. બહંક(૧) પિચ્છ, કલાપ; (2) પરિજન સેવક વર્ગ. બહિશિશુ= મેરનું બચ્ચું. 2. વિબુધ (1) દેવ-(એમણે પૂજન કરેલા) 3. વિદ્વાન લેકે–એમનાથી સેવાતા). P.P. Ac. Gunratnasuri M.S. Page #31 -------------------------------------------------------------------------- ________________ 14 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. વિષે મણિ તે પુષ્કળ છે પણ હરિનું ભૂષણ તે કેતુભમણિ જ થયું છે. હવે એ નગરને વિષે સ્ત્રીના અંત:કરણથકી ગુહ્ય વાતની જેમ, લેકેના ઘર થકી, સાધારણ રીતે અગ્નિ શીધ્રપણે પ્રગટી ઉઠતો. તે પરથી રાજાએ પટહ વજડાવીને અમારીષણાની પેઠે સાદ પડાવ્યું કે જેના ઘરમાંથી, રાફડામાંથી સપ નીકળે તેમ અગ્નિ સળગી ઉઠશે તેને સભામાંથી કુષ્ઠિની જેમ, નગરમાંથી બહાર કાઢવામાં આવશે. આમ વાત થયા પછી એક માણસના ઘરમાં એ નિરંકુશ અગ્નિ પ્રદીપ્ત થયાથી એને, સ્વર્ગમાંથી સંગમક દેવની જેમ, નગર બહાર કાઢી મૂકવામાં આવ્યું. અન્યદા રાજાના પિતાના મહેલને વિષે, રસોઈ કરનારાઓના પ્રમાદને લીધે અગ્નિ લાગે. ( અહો આ વિશ્વને વિષે દુર્જન અને અગ્નિ બન્ને સરખા છે. ) શત્રુઓના યુદ્ધની જેમ અગ્નિ વૃદ્ધિ પામ્યું છતે રાજાએ સુભટની જેમ, કુમારને આજ્ઞા કરી કે “હે વત્સ, આમાંથી હસ્તિ આદિ ગમે તે વસ્તુ જે લઈ લેશે તે તેની છે કારણ કે બુડતામાંથી ગમે તે પ્રકારે ઉદ્ધાર કરવા સારે છે. એ સાંભળીને કેઈએ અશ્વ, તો કેઈએ હસ્તી; કેઈએ મેતીને સમૂહ તે કેઈએ કુંડળે કેઈએ કંઠના આભૂષણો, તો કેઈએ એકાવળી હાર; કેઈએ બાજુબંધ, તે કેઈએ સુંદર મુકુટ; કેઈએ ચચતા કંકણ, તે કેઈએ માણિક્યન સમૂહ; કેઈએ સુવર્ણ તો કેઈએ સોનૈયા; કેઈએ રૂપાના ઢગલા તો કેઈએ નેપાળની કસ્તુરી, [ એમ સિ કેઈએ પોતપોતાને મનગમતી વસ્તુઓ ] લીધી. વળી કેઈએ કેસર કુકુમ તો અન્ય ચંદનના કટકા કેઈએ કૃષ્ણગુરૂ તે અન્યએ અપકવ કપુર; કેઈએ યક્ષકઈમર તે 1. શ્રી મહાવીર પ્રભુને છઘસ્થ અવસ્થામાં ઉપસર્ગ કરનાર દેવ. 2. કુંકુમ, અગુરૂ, કસ્તુરી, કપુર અને ચંદન–એટલા સુગંધી પદાર્થોને યકર્દમ બને છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #32 -------------------------------------------------------------------------- ________________ ભંભાસાર” શ્રેણિક. 15 કેઈએ ઉત્તમ ગુલાલ, તે કેઈએ ઉંચું એવું નિશાન [ મુખ્ય ધ્વજ ] એમ લેભને લીધે સૌએ જે જે હાથમાં આવ્યું એ લીધું. કારણ કે ઈચછા પ્રમાણે લેવાનું ઠર્યા પછી કેણ પાછું વાળીને જુએ? પણ શ્રેણિકે તે, પિતાને પ્રાપ્ત થનારી રાજ્યલક્ષ્મીનું સત્યકાર હેયની એવી રાજાઓના ચિન્હરૂપ ઢક્કાર ગ્રહણ કરી. એ જોઈ અન્ય કુમારે તે સામસામા તાળી દઈ હસવા લાગ્યા “અરે! જુઓ તો ખરા, આણે આ ભાંભિકને ઉચિત શું ગ્રહણ કર્યું ?પિતાએ પણ પૂછ્યું–આ તે શું કર્યું? આવે વખતે એક બાળક પણ પુષ્કળ દ્રવ્ય લઈ લે. પણ શ્રેણિકે અંજલિ જેડી ઉત્તર આપે–પિતાજી, આ જે મેં લીધું છે તે વિજયનું ચિહ છે; અને રાજાને વિજય એજ સર્વસ્વ છે, માટે એ કિકા] મહાધન [ પુષ્કળ દ્રવ્ય ! કેમ ન કહેવાય ? હે સ્વામી, રાજાઓને દિગયાત્રાના આરંભમાં શંખના વિનિની પેઠે આના જ શબ્દથી મંગળિક થાય છે. જેણે રણક્ષેત્રને વિષે એનું રક્ષણ કર્યું તે વિજયી થયે સમજવો, અને જેણે એ ગુમાવી તે પરાજય પામ્ય સમજી લે. માટે આ હકક્ષાનું તો રાજાઓએ પિતાની પત્ની અને કીર્તિની પેઠે સર્વ પ્રયત્નથી રક્ષણ કરવું જોઈએ. શ્રેણિકનાં આવાં વચન સાંભળીને, મેઘની ઘેર ગજેનાથી વિરપર્વતની ભૂમિ રત્નાંકુરોથી છવાઈ જાય તેમ, રાજા રોમાંચથી ભરાઈ ગયે; ને વિચારવા લાગ્ય–અહે ! આનું વાકચાતુર્ય અપૂર્વ છે; હું માનું છું કે દેવગુરૂ-બૃહસ્પતિની પણ એવા પ્રકારની વાણી નહિ હેય. અહે! એ બાળક છતાં પણ એનો કઈ અવર્ણ ઉદાર આશય જણાય છે; કારણ કે સિંહના બચ્ચાને હસ્તીને જીતવા જ મરથ હેાય છે; લઘુ એવા પણ દીપકને અંધકારના સમૂહનું પ્રાશન કરવાની રૂચિ થાય છે; અમૃતના - 1. બહાનું advance pay neut. 2. ડક-ભંભા 3. ભંભાવાળા. 4 ખાઈ જવાની–અર્થાત-નાશ કરવાની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #33 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. એક બિંદને પણ સર્વ વ્યાધિઓને નાશ કરવાની ઈચ્છા હોય છે. આમ વિચારી રાજાએ શ્રેણિકને, અદ્ભુત પરાક્રમ કરી આવેલા સુભટને બિરૂદ આપે તેમ, ભંભાસાર એવું નામ આપ્યું. પછી એકદા રાજાને “જેના ઘરમાંથી અગ્નિ પ્રકટી નીકળશે તેને નગર બહાર કાઢી મુકવામાં આવશે " એવી પિતાની કરાવેલી ઉદુષણા યાદ આવી. કારણ કે સત્પરૂષને સ્મૃતિ સમીપ રહેલી હોય છે. એને વિચાર થયે કે જો હું મારા બેલ્યાને અમે મારા ઉપર નહિ કરું તે પછી " પારકાને જ શિખામણ દેવાય” એમ કહેવાશે; કારણ કે જે વૈદ્ય પિતાનાની ચિકિત્સા નથી કરી શકતે, તે પારકાની તે કયાંથીજ કરી શકે? માટે આ નગરની બહાર આવાસ લઈને હું મારી પ્રતિજ્ઞાને સત્ય કરું, કારણ કે સજ્જનની પ્રતિજ્ઞા મિથ્યા હેય નહિં. રામચરિત્રને વિષે પણ સંભળાય છે કે રામ પિતાની પ્રતિજ્ઞાને સત્ય કરવાને રાજ્યને ત્યાગ કરીને વનમાં ગયા હતા. પણ અહા ! બહાર રહેવા જવાની પ્રતિજ્ઞાવાળા મારામાં અને એમનામાં મેરૂ અને સરસવ જેટલું અન્તર છે. આ પ્રમાણે બુદ્ધિથી વિચાર કરીને બૃહસ્પતિની. વિદ્વત્તાવાળે રાજાએ દિવિજયને વિષેજ હાયની એમ નગરની બહાર પડાવ નખાવ્યું. તે વખતે છાવણીમાં ફરતા લેકે માંહોમાંહે સંલાપ કરવા લાગ્યા-અરે તું ક્યાં જાય છે? [ઉત્તર મિત્ર, હું રાજગૃહે | રાજાને આવાસે | જાઉં છું, એ પરથી મહીપતિએ ત્યાં નગર વસાવી એનું નામ રાજગૃહ પાડ્યું. એની આસપાસ વળી એક કિલ્લે ચણા અને ખાઈ ખેદાવી. વળી સુંદર દેવમંદિરે, ઉત્તમ બજારે તથા બાળકને માટે પાઠશાળાઓ, રમ્ય હવેલીઓ, કુવા, તળાવ, વાવ અને બગીચા વગેરે પણ તેમાં કરાવ્યા. રાજા પિતે સુદ્ધાં ત્યાં રહેવા લાગ્યું તેથી અનુક્રમે એ નગર પણ કુશાગ્રપુરની જેવું થઈ પડયું; કારણ કે જ્યાં સૂર્ય ત્યાં દિવસ. 1. ઇલકાબ. 2. ભંભા એજ છે ગ્ય જેનું. . . 4. પડાવ નાખીને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિકનું વિદેશગમન. T o listalihu આ વખતે રાજાને વળી ચિન્તા થઈ કે “જે હું વસ્ત્રાલંકાર વગેરેથી શ્રેણિકનું સન્માન કરીશ તે અન્ય સર્વે કુમારે એને રાજ્યગ્ય માનીને એનું અશુભ કરશે; કારણ કે શુભગ્રહ [પણ] વખતે ઘણું ક્રૂર ગ્રહ થકી પરાભવ પામે છે. માટે હું એના પ્રતિ અનાદર અને બીજાઓ પ્રતિ આદર બતાવું; કારણ કે બુદ્ધિમાન પુરૂષોએ કાળને યેગ્ય કાર્ય કરવું જોઈએ. " એમ વિચારીને એણે સર્વ કુમારને, પોતાની માનીતી રાણીઓના પુત્રો હાયની તેમ પૃથક્ પૃથક્ દેશે હેંચી આપ્યા. પણ શ્રેણિકને અણમાનીતીના પુત્રની જેમ કંઈ પણ આપ્યું નહિં-એમ ધારીને કે એને તો [ આખું ) રાજ્ય મળવાનું છે. નિઃસંશય સંત પુરૂષે દીર્ઘદશી હોય છે. આવું જોઈને શ્રેણિક વિચાર કરવા લાગે--હું નિત્ય વિનયી રહ્યા છતાં મારા પિતા પણ આમ વતે છે તો શું હું એમને પુત્ર નથી ? જે અન્ય કેઈ ગમે તે સામર્થ્યવાન પુરૂષ મારે પરાભવ કરે છે, એને તે હું (ધ) દિવસે તારા દેખાડી દઉં. પણ આ તો મને જન્મ આપી કરનાર મારા ગુરૂજન ઠયો એટલે મારે શું કરવું? કારણ કે જેઓ આપણુ પૂજ્ય હેય એમને કોપાવવા નહિં એવી નીતિ છે. મારા જેવા–તાતને પરાભવ પામેલા–ને લેકેને વિષે પ્રતિષ્ઠા દુર્લભ છે; કારણ કે જે ઘરને વિષે હલકે પડે એને વાયુ પણ બહાર કાઢી મૂકે છે. આધિ, વ્યાધિ, તૃષ્ણા, ક્ષુધા, વનવાસ, સારાં; પણ અપમાન સહન કરવું એ વિષકન્યાની પેઠે બીલકુલ સારું નથી. માની પુરૂને સામાન્ય પરાભવ પણ દુસહ હેય છે. માટે મારા જેવા પરાભવ પામેલાએ વિદેશગમન કરવું શ્રેય છે; સંધ્યાકાળે મંદપ્રતાપવાળા સૂર્યની જેમ. એમ વિચારીને માન એજ જેનું સર્વસ્વ છે એવે તે (શ્રેણિકકુમાર) વનમાંથી સિંહ નીકળે તેમ, નગરમાંથી નીસરી જઇને વિણાતટ નગરે ગયે. ત્યાં એણે જગમ લક્ષ્મીજ હોયની એવા ઉત્તમ વસ્ત્રાભરણ અને સુગંધી વિલેપન યુક્ત સ્વરૂપવંત જનેને યા. આવા નગરના દર્શનથી તે અન્તઃકરણને વિષે અત્યા P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #35 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. આનન પામે; કારણ કે સુંદર વસ્તુઓ જોવાથી કોને પ્રમોદ, ન થાય ? ( ફરતાં ફરતાં ) શ્રેણિકે એક દુકાને વિશાળ ઉંચી બેઠકપર બેઠેલા તે નગરના અધિષ્ઠાયક દેવતા હોયની એવા ભદ્ર નામના શ્રેષ્ઠીને દીઠા. એ શેઠ આકૃતિએ સૌમ્ય હતા; અવસ્થાએ વૃદ્ધ હતા; અને શરીરે સુંદર અને ભાગ્યશાળી હતા; તથા એમની મૂછ અને શીષના વાળ લાંબા વધેલા હતા. ભદ્રસૂતિ શ્રેણિક તે એમને ઉદ્યશીલ પુત્ર હાયની તેમ એ શેઠની કરિયાણાથી ભરેલી દુકાન ઉપર જઈને બેઠે. ' " એ દિવસે નગરને વિષે ઉત્સવ હોવાથી, શિષ્યથી ગુરૂ વ્યાકુળ થઈ જાય તેમ, શેઠ ઘરાકોથી વ્યાકુળ થઈ ગયા હતા. કઈ ઉત્તમ વર્ણવાળા લક્ષણની જેવું કપુર માગતા હતા, તે કઈ તાપને નાશ કરવાવાળું સદાગમ જેવું ચંદન માગતા હતા. કઈ અર્થનીતિ જેવી અર્થસારા કસ્તુરી, તે કોઈ રંગને આપનારું, તર્કશાસ્ત્ર જેવું તીક્ષણ કુંકુમ માગતા હતા. કોઈ સ્કુરાયમાન વાસવાળા, નિર્દોષ ધર્મગ્રંથ જેવા સુધી પદાર્થો માગતા હતા, તે કઈ સવેગન ગ્રંથની જેમ દ્રવ્યોગથી બનાવેલું દ્રવ્ય માગતા હતા. કેઈ મહાકાવ્યની જેવી સ્વચ્છ અને ચણ• થઈ શકે તેવી ખાંડ માગતા હતા, તે કઈ અલંકારની પંકિત જેવી સરસ સાકર માગતા હતા. (આ અવસરે) 1. ઉત્તમ વર્ણવાળું = ઉત્તમ રંગવાળું (કપુર); અર્થાત્ બહુજ શ્વેત કપુર; ઉત્તમ વણવાળું (લક્ષણ)=ઉત્તમ અક્ષરોએ યુક્ત એવું લક્ષણ. 2. સદ્દ આગમ શ્રેષ્ઠશાસ્ત્ર. (બાહ્ય) તાપનો નાશ કરનાર ચંદન, અને (અન્તર ) તાપનો નાશ કરનાર સદાગમ. 3. (1) મનહર (કસ્તુરી); (2) અર્થ–દ્રવ્ય-ની સારભૂત (અર્થનીતિ). 4. રંગ (1) રંગ colour (2) આનન્દ. 5. વાસ (1) ગંધ (2) સંસ્કાર 6. નિર્દોષ (1) દોષ વિનાના (ગ્રંથ; (2) દેશ= જીવજંતુ આદિ દેપ-રહિત (૫દાર્થો). 7. સંગ-વૈરાગ્ય-ના ગ્રંથ. 8. દ્રવ્ય યોગથી [1) દ્રવ્યાનુયેગના વિચારથી (ઉત્પન્ન થતા સંવેગન ગ્રંથ); (2) - અમુક અમુક દ્રવ્યો ચીજો) ના ગ–મેળવણી–થી તૈયાર કરવામાં આવેલું ૨પ-વ્યવિશેષ). 9. (1) શીધ્ર સમજાય તેવું (2) વેત. 10. (1) પદ્છે દ થઈ શકે તેવું (2) ભાંગી શકે તેવી. 11. [1] રસ-મીઠાશ-વાળી (સાકર); (2) કાવ્યમાં શૃંગાર આદિ રસ આવે છે તે રસ–વાળા અલંકાર–કાવ્યાલંકાર figures of speech. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #36 -------------------------------------------------------------------------- ________________ ભદ્ધશતુ માતિ. જેમ વિકરણ, પ્રત્યય અને પ્રકૃતિના વાચ અર્થને વિષે સહાય કરે છે તેમ શ્રેણિક પડિકા વાળી આપવામાં શેઠને સહાય આપવા લાગ્યો. એટલે બહુ દ્રવ્ય કમાવાથી શેઠને ઘણે હર્ષ થયે; કારણ કે વણિજન, દુકાન પર જે લાભ થાય છે તેને પુત્રલાભ કરતાં પણ વિશેષ ગણે છે. એ બે -આજે મને આ શ્રેણિક) ના પ્રભાવથી અલ્પકાળમાં આખા વર્ષ જેટલે લાભ થશે. વળી જાણે આજે પ્રભાતે મારી પુત્રીનું પાણિગ્રહણ કરતો જે રત્નાકર સમાન પુરૂષ મેં સ્વપ્રને વિષે જે હતો તે નિઃસંશય આ જ છે. કારણ કે પ્રભાતનું સ્વમ, પ્રભાતની મેઘગર્જના અને પ્રભાતની સ્મૃતિ એ સર્વ સર્વદા ફળદાયી હોય છે. આવા રામ જેવા નરમણિ અને ઉત્તમ સ્વામીને પામનારી મારી પુત્રી નંદાના પણ જનકનંદના સીતા જેવાં ધન્યભાગ્ય સમજવાં. વળી અમારા જેવા સંબંધીઓ પણ ભાગ્યશાળી ઠયો કે પુત્રીને આ પતિ મળે; કારણ કે રૂપ અને શીલ ગુણએ યુક્ત જમાઈ મળ ખરેખર દુર્લભ છે. પુત્રીને અર્થે સ્વામીની શોધમાં ઘેરઘેર. ભમતા પિતાને, રાત્રીને સમયે શેઠીઆઓના ચરણનું મર્દન કરતા વણિકપુત્રની જેમ, બહુ દુઃખ સહન કરવું પડે છે. પાત્રને વિષે સદ્દગુરૂની વિદ્યાની જેમ, કઈ ઘણું ભાગ્યશાળીનીજ કન્યા ઉત્તમ ગુણયુક્ત સ્વામીને વિષે પ્રતિષ્ઠિત થાય છે. આવો વિચાર કરીને તે ઉદાર આશયવાળો શેઠ કુમારને પુછવા લાગે ( કારણ કે કૃપણુતાના ગુણવાળાઓને આવી સ્તુતિ કરવી બહુ ગમે છે)–જેવી રીતે દેવતાઓને જ સેવ્ય એવું પારિજાત કિમણીને પ્રાપ્ત થયું હતું તેવી રીતે તું કયા ભાગ્યશાળીને ત્યાં અતિથિ થયે છે ? કુમારે કહ્યું–હે તાત, લક્ષમીવંત પિતાને પુત્ર પિતાના ઘર શિવાય બીજે ક્યાંય જાય ખરે? કુમારનાં આવાં વચન સાંભળીને, અશોકવૃક્ષ પર જેમ પુષ્પ ઉગી નીકળે તે પ્રમાણે, શેઠને શરીરે હર્ષનાં રોમાંચ ખડાં થયાં. એણે કહ્યું મારાં મહભાગ્ય ! મેં પૂર્વે પૂણ્ય કર્યા હશે! કે તમે મારા અતિથિ થયા; કારણ કે પુણ્યરહિત પ્રાણુઓને . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #37 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. કૃષ્ણ ચિત્રાવેલની પ્રાપ્તિ હોય જ નહિ. જે તમે મારે ઘેર પધારશે તે હું સમજીશ જે હું પૂરે પુણ્યશાળી છું કારણ કે પુણ્યને ઉર્ય થાય છે ત્યારેજ ગુરૂ લગ્નને પૂર્ણ દૃષ્ટિથી જુએ છે. તમે મારે ત્યાં પગલાં કરશે તે હું પવિત્ર થઈશ. કારણ કે સરસ્વતી નદી પોતાના નીરથી સર્વ પાપપ્રદેશને પવિત્ર કરે છે. આમ કહી શેઠ શ્રેણિકકુમારને પિતાની સાથે ઘેર તેડી છે. શેઠના ઘરને નાના પ્રકારની શાળા-ઓરડા-પ્રશાળ વગેરે હતાં; સેંકડ સોદા સ્તંભ હતા ચૂનાએ ધોળેલી ભીત હતી; અને નગરને જેવાના. એના ચક્ષુઓ હેયની એવા, ચારે દિશામાં ગવા આવી રહ્યા હતા. ત્યાં કોઈ સ્થાને ખાંડ તે કઈ સ્થાને સોપારીના ઢગલાં પડેલા હતા. કઈ જગ્યાએ ઉત્તમ મજીઠ તો અન્યત્ર નાળિયેરના સમૂહ દેખાતા હતા. એક સ્થળે એલચી, લવીંગ, કક્કોલ અને જાયફળ હતાં તે બીજે સ્થળે ચંદન, કપુર, કેસર, કસ્તુરી વગેરે હતાં. કોઈ સ્થળે સુંદર વર્ણવાળું સુવર્ણ તે કઈ સ્થળે કંઈક રક્ત એવું ' તામ્ર પડયું હતું. એક ઓરડામાં મુક્તાફળ-પ્રવાળા ઈત્યાદિ હતાં તે બીજામાં રૂપાના પાટે દ્રષ્ટિએ પડતા હતા. કાંઈક રેશમી વસ્ત્રોના ગંજને ગંજ તે કયાંઈક કલમ-શાલ આદિ ધાન્યના ઢગલાં પડ્યાં હતા. ઘેર લઈ જઈને શેઠે કુમારને રેમ-ત્વચા-માંસ-અસ્થિ આદિને સુખ ઉપજાવવામાં કુશળ એવા પિતાનો મર્દન કરનારા સેવકપાસે શત પાક તેલનું મર્દન કરાવ્યું. પછી એક જણે એને ઉષ્ણુજળથી સ્નાન કરાવી વસ્ત્ર પહેરાવ્યાં; કારણ કે, કયે વિચક્ષણ પુરૂષ ચિન્તારત્નને પ્રાપ્ત કરીને એને આદર ન કરે? ત્યાર પછી એને સન્માન સહિત સકામગુણવાળું ભેજન કરાવ્યું અને નેહથી જ હાયની એમ. ચંદન તથા કપુરનું વિલેપન કરાવી શેઠે પિતાને હાથે પાંચસુગધિયુક્ત એવું તાંબુલ આપ્યું. 1. કાળી ચિત્રાવલી નામની વેલ (વલ્લી) આવતી કહેવાય છે તેના ઉપર જે કોઈ ખાલી વાસણું આદિ મુકવામાં આવે છે તે વાસણ જે પદાર્થનું હોય તે પદાર્થ તેમાં ભરાઈ જાય છે એમ લેકેતિ કહે છે. 2. ગુરૂ (1) બૃહસ્પતિ (2) મહાટો પુરૂષ. 3. લગ્ન (1) (તિષ્યિમાં) લગ્ન કુંડળી (2) સંસર્ગમાં આવેલા * * * * * * * * Jun Guri karadhak Trust P.P.Ac. Gunratnasuri M.S. Page #38 -------------------------------------------------------------------------- ________________ વિવાહ પ્રાર્થના સ્વીકાર ખરેખર ભેગી પુરૂષને સર્વ અવસ્થાને વિષે ભેગ પાસે જ હોય છે. આ પ્રમાણે શેઠના ઘરમાં શ્રેણિકે પિતાનાજ ઘરની જેમ રહેતાં ઘણા દિવસ સુખમાં નિર્ગમન કર્યા. એક દિવસે શેઠે ભાગ્યના ભાજન એવા શ્રેણિકને કહ્યું-જેમ નળરાજ દમયન્તીને વયો હતા તેમ તમે પણ મારી પુત્રીનું પાણિગ્રહણ કરે. એ સાંભળી નિસ્પૃહશિરોમણિ એવા શ્રેણિકે ઉત્તર આપે—હે તાત, તમે મારું કુળ જાણ્યા શિવાય મને કેવી રીતે કન્યા આપશે? એક નિર્ધન માણસ પણ વરનું કુળ જાણ્યા પછી જ એને કન્યા આપે છે, તો તમારા જેવા યુક્તાયુક્તને વિચાર કરવાવાળા સમૃદ્ધિવંતની તો વાત જ શી ? તમે એક વસળ પિતા થઈને તમારી સગી પુત્રીને આ પ્રમાણે શા માટે કુવામાં નાખવાનું કરે છે? શેઠે એ પરથી કહ્યું–હે શ્રેણિક, મુનિને વિષે જેમ જ્ઞાનાદિક તેમ વરને વિષે કુળ-રૂપ તથા વિભૂતિ જોવાય છે. દાઢમ ગાયનું દુધ અને ચંદ્રમાના કિરણો સમાન નિર્મળ એવા તમારા ગુણોથી મેં તમારું કુળ પ્રથમથી જ જાયું છે, કારણ કે રૂપ પ્રમાણેજ ફળમાં રસ હોય છે. તમારી. વિભૂતિ પણ મેં આ તમારા શરીરની કાંતિથી જાણી લીધી છે; કારણ કે મૂળને વિષે સરસતા વિના તરૂમાં લીલાશ હોયજ નહિ. વળી તમારું રૂપ તે મકરધ્વજને પણ જીતે એવું છે એ તો પ્રત્યક્ષ જ છે. માટે લક્ષ્મીને જેમ શ્રીકૃષ્ણ, તેમ મારી પુત્રીને તમે જ પેચ ભતો છો. હે કુમાર, જગતને વિષે ચંદ્રમા જેવા જે તમે-એમને હું આ નિર્મળ ત્સનાની સાથે સંબંધ કરાવું છું તેમાં તમે શાને ઉપાલંભ આપો છો? વળી તમે અહીં આવ્યા તેની આગલી રાત્રીએ સ્વપ્રને વિષે મેં કે રત્નાકર સદશે પુરૂષને મારી પુત્રીનું પાણિગ્રહણ કરતા જ છે. માટે આ તમને દેવજ આપે છે; એમાં હું તે માત્ર સાક્ષીભૂત છું–જેવી રીતે હવે પછી પાણિગ્રહણ સમયે અગ્નિ સાક્ષીભૂત થશે તેમ. આ બધું સાંભળી, નમી જવાનું છે સ્વભાવ જેને એવા શ્રેણિકકુમારે ભદ્રષ્ટીનું વચન સ્વીકાર્યું. કારણ કે હેટા પુરૂષ પિતાના વ્રતની જેમ, પરની પ્રાર્થના, ભગ કરતા નથી. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #39 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. શ્રેણિકકુમારે હા કહી એટલે ભદ્રશેઠે ક્ષણમાત્રમાં વિવાહની સામગ્રી તૈયાર કરાવી; કારણ કે મોટા કેનાં કાર્ય એમના બોલ્યા પહેલાં જ થાય છે. સર્વ સ્વજન સંબંધીઓએ એકત્ર મળીને ભજનમંડપ નાંખ્ય કારણ કે ઉદ્યમીના મનને ભેજનની સામગ્રી કશી ગણત્રીમાં નથી. પછી વેતશાળ, ઘીના બનાવેલાં નવીન વડાં, ખાંડના ખાજાં, તળેલી પુરીઓ, મધુર ળ આદિ પકવાન્ન રઈઆ પાસે તૈયાર કરાવી શેઠે સકળ વર્ગને જમાડ્યા, અને તેમને ચંદનાદિથી વિલેપન કરી પાન સોપારી આપ્યાં; કારણ કે સારું કહેવરાવવાની ઈચ્છાવાળા ગૃહસ્થને આ બધું કરવું ઘટેજ છે. ત્યારપછી દાસીઓએ નંદાને દશાયુક્ત ઉજવળ વસ્ત્ર પહેરાવી ચંદનનું વિલેપન કરી, આભૂષણ સાથે પુષ્પમાળા પણ આરોપણ કરાવી, માતૃગૃહ (માયરા)માં આવ્યું. ત્યાં તે કુલદેવીને નમીને સામી ઉભી રહી. શ્રેણિકકુમાર પણ કેસર દિનું વિલેપન તથા ઉત્તમ વસ્ત્રો ધારણ કરી, જગમ કલ્પવૃક્ષ હાયની એ જણાત, દેવીના ભવન પ્રત્યે આવ્યું. ત્યાં નન્દાને હર્ષથી નિહાળી એ રાજપુત્ર શૃંગારરસમાં ડુબતે ચિત્તને વિશે વિચારવા લાગે –અહે! આના રક્ત ઉન્નમ ચરણ કેવા શેભે છે ! નિશ્ચય એનાથી પરાજય પામીને જ જાણે પદ્મકમળ જળદુર્ગને આશ્રય લીધે હોયની ! આના મુખની સાથે સ્પધો કરવાથી પિતાને અપરાધી ગણી, આની આરાધનાને અર્થે જ જાણે ચંદ્રમા નખના મિષે આના ચરણમાં પડેયે જણાય છે. દિયાત્રાથે પડાવ નાખી રહેલા ભગવાન કામદેવના પટમંદિરમાંના ચાર મહાન સ્તંભેમાંથી એક સરલ જોડલું પ્રચ્છન્નપણે અહિં આવીને રહ્યું હાયની એવી દેખાતી આની બે જંઘાઓ મારાં ચક્ષુને અત્યંત આનન્દ પ્રાપ્ત કરાવે છે. અહો ! આના ગેળ અને વિશાળ ઉરૂ મારા ચિત્તને વિષે રમ્યા કરે છે; એમનાથીજ પરાભવ પામીને કદલીવૃક્ષે જાણે વનમાં જતાં રહ્યાં હોયની ! આના વિશાળ, Pર 1 જળરૂપી કિલ્લે. 2 તબુ. Jun Gun Aaradhak Trust Page #40 -------------------------------------------------------------------------- ________________ * .. * ને દાનું વર્ણન. - : , કોમળ અને સુંદર નિતઓ કામદેવની જાણે અભ્યાસભૂમિ હાયની ! એનું ઉદર કૃશતાને પામેલું છે તે જાણે ઉપર રહેલા વજના ભારને વહન કરવાથી જ હેની ! આલાનસ્તંભનું ઉમૂલન કરીને તથા શૃંખલાને ત્રોડી નાંખીને, કામદેવરૂપી ગજ નિશ્ચયે આના જ શરીરરૂપી નગરને વિષે ફક્યો કરે છે, કારણ કે અન્યથા ગંભીર નાભિના મિષે વિવર અને મરાજિના મિષે લેહશંખલા અહીં હોય કયાંથી ! મારા નેત્રને કામણરૂપ આના પુષ્ટ અને ઉન્નત સ્તન જોઈને જ જાણે કુંભસ્થળે હસ્તીને શરણે ગયા હોયની ! સરલ અંગુલિરૂપી પલ્લવવાળી એની રમ્ય ભુજાઓ સ્ત્રી પુરૂષના મનનાં અભીષ્ટને પૂર્ણ કરવાવાળી જાણે કલ્પ લતાઓ હેયની ! આને રેખાવાળો અને શંખ સમાન ગળાકાર, કંઠરૂપી કંદલ નિશ્ચયે વદન રૂપી કમળનાં નાળનાં વિભ્રમને ધારણ કરે છે. આના કાન્તિમાન્ અને નિરન્તર ગોળ એવા મુખથી પરાજય પામીને જ ચંદ્રમા જાણે શૂન્યભાવને ધારણ કરતો હોયની ! વિદ્રુમને પણ કનિષ્ઠ ગણતા આને અધરોષ્ઠ તે જાણે, હદયમાં નહિં સમાવાથી મુખરંધ્ર થકો બહાર નીકળી ગયેલે મારા પર તેણુને રાગ જ હાયની ! દાંતની બે ઉજવળ પંક્તિને ધારણ કરતી આ બાળા, એને કેઈએ રતિ ધારીને બે કુંદપુષ્પની માળાથી એની પૂજા કરી હેયની એવી દેખાય છે ! જેમ વાદ કરનારા એવા બે વાદીઓની મધ્યસ્થ સભા હોય તેમ આના બે નેત્રોની મધ્યસ્થ આની સરલ નાસિકા (વિરાજી રહી) છે. પરાભવ પામેલા પરાભવ પામેલાની સાથે મિત્રી બાંધે છે એ વાત સત્ય છે કારણકે એના નેત્રથી જાણે પરાભવ પામેલા નીલપદ્મ ચંદ્રમાના પક્ષમાં ગયા છેઝ તમાલપત્રના સમાન અને સ્નિગ્ધ વાળવાળા એનાં ભવાં, જાણે એનાં નેત્રોએ કમળો પર મેળવેલા વિજયને પાટે વીરપટ્ટપ બાંધ્યા હાયની - 1 ભા. 2 રાગ (1) સ્નેહ (2) રંગ. 3 મધ્યસ્થ. [1] કોઈનો પણ પક્ષ કર્યા વિના મધ્યસ્થ રહીને ફેંસલે આપનાર Umpire. (2) વચ્ચે. ૪–અને એથી જ જાણે ચંદ્રમામાં કલંક છે ! 5 વિજયી વીરાને આપવામાં આવતા પટ્ટા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #41 -------------------------------------------------------------------------- ________________ 24 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. એવાં છે. એના અંધપર રહેલા મનહર કર્ણય જાણે યુવાન પરૂષના અસ્થિર ચિત્તને બાંધી લેવાને તૈયાર કરેલી પાશ હાયની ! વળી, પત્રવાળી આની ભાળસ્થળી, કામદેવે કર્મને પરિણામે મનુષ્યદેશને પ્રાપ્ત કરાવેલી તેની શાળાજ હાયની ! અહો ! આ નંદા ચરણથી મુખપર્યન્ત લાવણ્યરસથી ભરેલી છે; અન્યથા કેશના મિષે રહેલા આ વોકર અહિં હોય નહીં! નિશ્ચચે આને ગરીની સમાન કેવળ સુવર્ણના પરમાણુઓથી નિર્માણ કરેલી અથવા હેમકૂટ પર્વત થકી આકૃષ્ટ કરેલી હોયની ! - શ્રેણિક કુમાર આ પ્રમાણે ચિતવન કરતો હતો એવામાં, સિદ્ધાન્તને પાઠ કરતા સાધુને પિણી પિરસી 4 થાય તેમ લગ્નવેળા થઈ. એટલે જકાત લેનાર અધિકારી જેમ વ્યાપારીને કર (જકાત) લે તેમ શ્રેણિક કુમારે હર્ષ સહિત નન્દાને કર ગ્રહણ કર્યો. વેદિકાની પાસે આવીને એ પતિપત્નીએ, માગશર માસની પ્રથમ તિથિએ રેહિણી ને શશી જેમ મેરૂપર્વતની પ્રદક્ષિણા કરે તેમ, અનિની પ્રદક્ષિણા કરી. કરમેચનને વખતે શ્રેષ્ઠીએ અધાદિકનું દાન કર્યું કારણ કે ઉદાર પુરૂષનું નિત્ય આવુંજ આચરણ હેય છે. આ હસ્તમેળાપ પુષ્કળ દ્રવ્યના વ્યયને લીધે બહુજ પ્રશંસાપાત્ર થયે; કારણ કે ઘણે કસું નાખવાથી વજને વિષે પણ રાગ (રંગ) થાય છે. આ વખતે શ્રેણિકને વિચાર થશે કે મારા પિતાએ કરેલું મારું અપમાન પણ મારા ઉદયને અર્થે થયું મસ્તક પર ફિલ્લો તે થયે પણ એથી અને શીતતા મળી. અહા પૂજયવર્ગો કરેલું અપમાન સારૂં, પણ નીચ જજોએ કરેલ સત્કાર સારો નથી; અરેગ્યથી થતી કૃશતા સારી, પણ વાયુથી ઉત્પન્ન થતું પીનત્વ સારૂં નથી. - શ્રેણિક સંબંધી આ સર્વ વૃત્તાન્ત એના પિતા પ્રસેનજિત રાજાએ જાયે કારણ કે અન્ય લેકે તે પિતાનાંજ નેત્રથી જુએ 1 પીળ કાઢેલી. 2 કપાળ. 3. (1) લાવણ્ય રસ અને રિ] લાવણ્યરૂપી જળ. જ્યાં દૂવૉકરો હોય ત્યાં રસ (જળ) હાયજ; અહીં (નંદામાં) (કેશરપા) દૂકુરો છે, માટે એનામાં રસ (લાવણ્ય) છે. 4 સાધુની અમુક ક્રિયાને પારસી કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #42 -------------------------------------------------------------------------- ________________ . . , ન ગર્ભવતી... . છે પરંતુ રાજાઓ તે પારકાં નેત્રથી (ચરપુરૂષથી) પણ જુએ છે. - હવે શ્રેણિકકુમાર નાની સાથે ઉત્તમ ભેગ ભગવતે દેગક જાતિના દેવની પેઠે કાળ નિર્ગમન કરે છે એવામાં એકદા સુખમાં નિદ્રાવશ થયેલી નન્દાની કુક્ષિને વિષે, પદ્મિનીને વિષે કલહંસની જેમ, કઈ પુણ્યનિધિ જીવ અવતર્યો. એટલે શસ્થાને વિષે સૂતેલી એવી તેણીએ ( નિદ્રામાંજ ) પ્રભાતને સમયે ચારે દિશાઓના મદેન્મત્ત નાગ ( દિનાગ ) ને જીતીને યશના પિડ પ્રાપ્ત ક્યો હાયની એવા ચાર ઉદાર દન્તુશળને ધારણ કરતો; ગર્ભનું અતિ સૂક્ષમદર્શી પારું જણાવતે હેયની એમ લોકોને અભયદાનને અર્થે જેણે પિતાની શુંઢ ઉંચી રાખી છે એ પંખા જેવા નિરન્તર હાલ્યા કરતા એવા પિતાના કણેએ કરીને જાણે [ નંદાની ] ભવિષ્યમાં થનારી દુરવસ્થાને જણાવતે હેયની એ; ઉદારતા આદિ ગુણોએ કરીને જાણે બંદિજનરૂપ મુખર જમશને દાન આપતો હોયની એ; વેત વર્ણવાળે, ઐરાવણ જે ગજરાજ પિતાના મુખમાં પ્રવેશ કરતો જોયે. એટલે જાગી જઈને શીધ્રપણે પલંગથી ઉતરી, હર્ષાતુર બનેલી છે, જેગમ રાજ્યલક્ષ્મીજ હોયની એમ પતિની પાસે ગઈ. ત્યાં આમ્રવૃક્ષના અંકુર ખાવાને લીધે સ્કૂટ છે કંઠ જેને એવી કેકિલાની જેવી મધુર વાણીવડે નન્દાએ હુરતીના સ્વમની વાત સ્વામીને નિવેદન કરી, ને પૂછ્યું-હે સ્વામી, ઉત્તમ શુકન જેવા આ મારા સ્વપ્રથી મને શું ફળ પ્રાપ્ત થશે ? એ સાંભળી, શ્રુતસામ્રાજયના લાભની પિઠે અદ્વૈત આનન્દને ધારણ કરતા શ્રેણિકકુમારે પિતાની બુદ્ધિને અનુસારે એ સ્વમનું ફળ કહ્યું –હે પ્રિયે તને સર્વલક્ષણસંપૂર્ણ અને વિવિધ બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન પુત્ર થશે; ઋકિમણીને પ્રશ્ન થયે હતો તેમ. “દેવગુરૂના પ્રસાદથી અને આપના પુય–ઉદયથી મને એમ થાઓ " એમ કહીને નન્દાએ ગુરૂની શિક્ષાની જેમ સ્વામીનાથના વચનને સ્વીકાર કર્યો; અને, જેમ . નિર્ધન પુરૂષ દેવતાએ આપેલું ચિન્તામણિ (રત્ન) ગાંઠે બાંધી 1 નિરન્તર ભોગવિલાસની લાલસાવાળા દે. 2 કમળ પુથી ભરેલી તળાવડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #43 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. છે તેમ એણે તેને શકુનની ગાંઠ બાંધી લીધી. પછી તે એક સાધ્વી જેમ પિતાના ચારિત્રનું યથાયોગ્ય રીતે પાલન કરે તેમ, પિતાના ગર્ભનું,નહિં અતિ સ્ત્રિગ્ધ કે નહિં અતિ કઠોર, અતિ ઉષ્ણ પણ નહિ તેમ અતિ શીત પણ નહિ, અતિ કટ પણ નહિં તેમ અતિ લવણ પણ નહિં, નહિં તીખા કે નહિં મેળા, નહિ અપકવ કે નહિં અતિ કષાયવાળા, નહિં અતિ આસ્લ કે નહિં અતિ મધુર, દેશ-કાળ-વયને અનુસરતા, ગર્ભને પષનારા, અનવદ્ય અને મિત આહારથી પિષણ કરવા લાગી. - આ સમયે કુશાગ્રપુરનગરને વિષે, અભવ્યની જેમ પ્રસેનજિત્ રાજને કશળ વૈદ્યોથી પણ અસાધ્ય એ કઈ વ્યાધિ થયે. વ્યાધિને અસાધ્ય જાણીને, રાજાએ મૂર્તિમાન ક્ષાત્રધર્મ જેવા પ્રેણિકને તેડી લાવવા ઉટવાળાઓને મોકલ્યા. એ માણસે મિન ધારણ કરી રહેલી, મનના જેવા વેગવાળી, પીતવર્ણ, દુબળમુખવાળી, લઘુકણ, કેટનેવિષે લટકતી માળાવાળી, ચરણનેવિષે શદકરતા નૂ પુરવાળી, ઘૂઘરમાળથી શોભતી સાંઢણુઓ પર આરૂઢ થઈને વેણુતટનગરે આવી પહોચ્યા. અસ્થિર કાન, બલિષ્ટ સ્કંધ, કુચા જેવી લાંબી રોટલી અને પદ્મપત્ર સમાન વિશાળ નેત્રોવાળા, એ-રાજાના સદા વિશ્વાસુ ગારવણસેવકને દૂરથીજ જોઈને શ્રેણિક અતિ આનદ પામ્યઃ પિતાના દેશના અવર માણસને પણ બહ કાળે જેવાથી હર્ષ થાય છે તે પિતાનાજ માણસેને જોવાથી તો વિશેષજ થાય. એ આવીને કુમારને ચરણે પડ્યા અને કુમારે એમની પીઠ પર હસ્ત મૂક; કારણ કે ઉચિત કરવામાં સપુરૂષે કદાપિ ભૂલ કરતા નથી. પછી મારા વિશ્વપાલક પૂજ્યપાદ પિતાશ્રી પિતે ખુશીમાં છે? મારા પુત્રનેહથી પૂર્ણ માતાજી સારાં છે? મારી અપર માતાઓ પણ સારી પેઠે છે કે? મારા વડીલ ભાઈઓ અને હાના બંધુઓ પણ આનંદમાં છે કે ? મારાં બીજા મમતાળું સંબંધીઓ પણ કુશળ છે કે? રાજ્યકાર્ય કરનારા એવા પ્રધાને 1 સામગ્રીને સદ્ભાવ છતાં પણ મોક્ષ જેને ન મળી શકે એવા (પ્રાણી). P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrusts Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રસેનજિત રાજાની માંદગી. પણ ખુશીમાં છે કે? બુહસ્પતિની બુદ્ધિવાળા અમાત્યે પણ સારા છે કે ? સદ્દગુણોથી શોભતો એ સકળ પરિગ્રહ પણ સારી પેઠે છે કે ? પુજ્ય વડીલે નિરન્તર લાડ લડાવેલ એવા નગરવાતિજને પણ આનંદમાં વતે છે કે.? પૂજ્ય પિતાએ પાલન કરાતા સર્વ માંડળિક રાજાઓ પણ કુશળ છે કે ? આવા આવા અને શ્રેણિકકુમારે ગુરૂભક્તિને લીધે એમને પૂછયા અથવા તિરસ્કાર પામતાં છતાં પણ ભક્ત તો ભક્ત જ રહે છે; કલ્યાણકારીને વિષે સર્વ કલ્યાણમય જ હોય છે. સેવકેએ ઉત્તર આપે, છે સ્વામિ, વિજયશાળી એવા આપના પિતાના પ્રભાવથી સર્વત્ર કુશળ પ્રવર્તે છે; સૂર્યને ઉદય થયે અલ્પકાર કેવું ? પણ એક વિજ્ઞાપના કરવાની છે. આ " વિજ્ઞાપના કરવાની છે " એ શબ્દથી ધીરશિરોમણિ એવા કુમારનું મન પણ, આકાશને વિષે વિદ્યુત ઝબકે તેમ, સહસા કંપાયમાન થયું. એટલે તેમણે કમારને એકાન્તમાં રાજાને વ્યાધિ થયાના સમાચાર કહ્યા અને એના ઔષધ તરીકે પોતે તેને તેડવા આવ્યા છે એમ જણાવ્યું. - આવા કર્ણને વિષે વિષસમાન સમાચાર સાંભળીને શ્રેણિકકુમાર બહુ વિષાદ પામ્ય; કારણકે ખાંડ ચાવતાં આ માંહે કાંકરા આવ્યા જેવું થયું. “અહે ! મારા જેવા મંદભાગ્ય પુત્રે તાતસેવા પણ તજી દીધી ! નિષ્ફળ વૃક્ષની પેઠે મારા દિવસે પણ અફળ ગયા ! સામગ્રી પામ્યા છતાં પણ મારા જે ગુરૂકમર પ્રાણી ગુરૂજનની સેવા કરી શકે નહિં ! અથવા તો પુજ્યપિતાનું નિત્ય સ્મરણ કયો કરવાથી હું એ નથી ડરતે એમ મારૂં અન્તઃકરણ સાક્ષી પૂરે છે. પણ હવે ચિંતા કરવી રહેવા દઈ મારે પિતાનું વચન માન્ય કરવું. કારણકે વ્યાધિગ્રસ્ત અવસ્થાને માટે લાંબો વિચાર કરે શેભતો નથી. જ્યારે મારા પિતા અતિ માંદગીને વશ છે ત્યારે મારાથી મેડું કેમ જવાય ? ગાડી અટકી પડ્યા પછી વિનાયક ( વિક્વ દૂર કરનાર ) ગણપતિ શું કરે ? 1 પરિવાર. 2 ઘણું કર્મવાળા-ભારેકમ.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #45 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. આમ વિચાર કરી પિતાસમાન શ્વશુર-શ્રેણીની આજ્ઞા માગી શ્રેણિકકુમાર, હંસ હંસીની પાસે જાય તેમ, નન્દા પાસે ગયે. ત્યાં જઈ વક્તાઓને વિષે શિરોમણિ એ એ બોલ્યા- હે પ્રિયા. હે સદ્ધર્મચારિણી, મારા પિતાએ મને તેડાવ્યો છે માટે હું અહિંથી જાઉં છું. જેને લીધે લેકે તને બીજના ચંદ્રમાની પેઠે નમે છે એવા તારા શીલવ્રતનું તું તારી જાતની પેકેજ રક્ષણ કરવામાં નિતર યત્નવતી રહેજે. કારણકે એ શીલ કુળની ઉન્નતિ કરવાવાળું, વિપત્તિને નાશ કરવાવાળું અને (સર્વ કેઈનું) કલ્યાણ કરવાવાળું પરમભૂષણરૂપ છે. મારે વધારે શું કહેવું ? એવું વર્તન રાખજે કે જેથી બન્ને લેક અને બને કુળ ઉજવળ રહે. તારા જેવી અદ્વિતીય ગુણવાળી સ્ત્રીને મારે શિખામણ આપવી એ ચંદ્રમાને ઉજવળ કરવા પ્રયત્ન કરવા જેવું છે. આમ કુમારે નન્દાને અમૃત . સમાન કોમળ વાણુથી બોધ આપે. કારણકે અન્ય સ્થળે મૃદુતા રાખવી કહી છે તે સ્ત્રીઓને વિષે મૃદુતા રાખવી જોઈએ) એમાં તે શુંજ કહેવું? પછી હુનરશા પી વી દે પુરે એવા ઉત્તમ મંત્રના બીજ સમાન અક્ષરે લખીને એણે નન્દાને અર્પણ કર્યો એટલે નન્દાએ કહ્યું- હે સ્વામિ, તમારા માર્ગ વિપત્તિરૂપ દધિને મન્થન કરનારે થાઓ; અને તમને સંપત્તિ પ્રાપ્ત થાઓ. પછી મૂર્તિમાન શુભ ભવિતવ્યતા હોયની એવી સાંઢણી ઉપર આરૂઢ થઈને, પિતાનાં પુણ્ય હેયની એવા ઉંટવાળાઓની સંગાથે તેણે રાજગૃહ નગર પ્રત્યે પ્રયાણ કર્યું. માર્ગને વિષે સંસારી જીવની પિઠે અખંડ પ્રયાણ કરતે એ કુમાર ભજન કરતો ત્યાં પણ બીલકુલ બેટી થતો નહિં. તેના મસ્તક પર વૃક્ષે સ્ત્રીજન “લાજ ' ને વર્ષાદ વરસાવે તેમ, પુષ્પને વષોદ વરસાવવા લાગ્યા; રસવાળાં પકવ ફળની, ભવિષ્યમાં રાજા થનારા એવા એને જાણે ભેટ આપવા લાગ્યા; મન્દ વાયુથી હાલતા રક્તપલુરૂપી કરવડે, “તને રાજ્ય મળવાનું 1 એ નામનું એક જાતનું ધાન્ય. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust - Page #46 -------------------------------------------------------------------------- ________________ 29 પિતા-પુત્રને મેળાપ. છે માટે શીધ્ર ગમન કર " એમ જાણે અભિનય કરવા લાગ્યા; અને પ્રચંડ પવનથી હાલેલી–માટે જાણે નમન કરતી હોય એવી–શાખાઓવડે ( રૂપમાં ) કામદેવને જીતનાર એવા કુમારને જાણે વંદન કરવા લાગ્યાં. આ બધે ઉપચાર એમણે જાણે એમ ધારીને કર્યો કે આપણે આ આપણા જન્મદાતાની ભૂમિને વિષે વસીએ છીએ માટે જાણે એ એમને કર આગે.” (વાટ પૂરી થઈ અને ઈચ્છિત સ્થળે આવી પહોચ્યા) એટલે નગરને વિષે પ્રવેશ કરતાં એને મયૂર-નકુળ-ધાન–ચાષપક્ષી– વૃષભ-શુક અને ખંજનપક્ષી-એ સર્વ જમણાં ઉતર્યા; અને કુંભછત્ર–અશ્વત્રી અને ઉન્નત સુંઢવાળે ગજના કરતો હાથી–એ સર્વ ઉત્તમ રાજ્યલક્ષ્મીનાં મુખ હાયની તેમ એની સન્મુખ આવ્યાં. આવાં ઉત્તમ મંગળિકસૂચક શકુને સહિત તે, ભવ્ય પ્રાણું જિનેશ્વરના શાસનને પામે તેમ, પિતાના મહેલ પ્રત્યે પામે (હેલે પહ); અને વિમળ જેમ અપ્રમત્તગુણસ્થાને ચઢે તેમ, તે અનુક્રમે એ મહેલને સાતમે માળે ચડ્યો. ત્યાં એને પિતાના દર્શન થતી વખતે પિતે પૂર્વે કદિ નહિં અનુભવેલો એ હર્ષ થયે. પણ પાસે ગયે એટલે એમને વ્યાધિગ્રસ્ત જોઈ વિષાદ પામ્યો; લોકો રાહુથી ગ્રસ્ત એવા સૂર્યને જોઈને વિષાદ પામે છે તેમ. આમ એકે કાળેજ હર્ષવિષાદથી જેનું મન પૂરાઈ ગયું છે એ શ્રેણિક શિષ્યની પેઠે ઘણેકાળે ગુરૂજનને ચરણે પડે; એટલે રાજાએ પ્રમોદ સહિત તેના મસ્તકપર પિતાને હુક્ત સ્થા, તે જાણે દશમ દ્વાર દ્વારા પિતાના ભુજબળનું તેને (કુમારને) વિષે સંક્રમણ કરાવતે હોયની ! પછી પિતા પ્રસેનજિત રાજાએ પુત્ર-શ્રેણિકમાર પ્રત્યે કહ્યું- હે પુત્ર, ધર્મકાર્યને અર્થે જ હોયની એવી ત્વરાથી તું અહિં આવ્યું છે તે બહુ ચગ્ય કર્યું; કારણ કે મારે તારાં દર્શન થયાં. હે બધુવત્સળ પુત્ર ! તારો મેળાપ થયે એજ કહી આપે છે કે - - - 1 એક જાતનું વાજિત્ર 2 વિમળ એ આત્મા. 3 ગુરૂજન. [1] અધ્યાપક [2] વડીલ. 4 મસ્તક યોગના દશ દ્વાર કહ્યાં છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #47 -------------------------------------------------------------------------- ________________ 70 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. યામિકની પેઠે મારી પ્રજાનાં ભાગ્ય હજુ જાગ્રત છે. હે પુત્ર, પરાભવ પામ્યા છતાં પણ ગુરૂજન પ્રતિ, વિકાર ન જણાવતાં, તે સશિષ્યની પેઠે ભક્તિમાન રહ્યું એથી તું મારા પુત્ર જણાઈ આવે છે. અગર જે પુત્રની સ્તુતિ ન કરવી જોઈએ તોપણ કરૂં છું, કારણ કે તારા ઉપર મારી અકૃપા છતાં પણ તેં મારી આજ્ઞાને મસ્તક પર ધારણ કરી જ. ગર્જના કરીને મેઘ રહી જાય તેમ, આ પ્રમાણે ભૂપતિ બેલી રહ્યા પછી, મયૂરની પેઠેર શ્રેણિક હર્ષથી ગદગદુ કઠે કહેવા લાગે તાત, મને વિકાર રહિત ક્યાં ભાન્ય ? અને મારી ભક્તિ પણ શી દીઠી ? તો માનભંગ સમજીને મારી (બાલ- ) બુદ્ધિ અનુસાર ક્ષણવારમાં દેશાન્તર જાતે રહ્યા. મારે વિષે ગુણનું આરોપણ, એ છીપને વિષે રૂપાના આરે પણ જેવું છે; ગુરૂજનને પ્રબળ પક્ષપાત એજ આમાં કારણભૂત છે. જ્યાં સ્વામિની ઉજ્વળ દૃષ્ટિ પડે છે ત્યાં ગુણ હોય છે એમ કહે છે એ સત્ય છે, કારણ કે એ સ્વયમેવ દેખાય છે, પ્રત્યક્ષ છે. આ પ્રમાણે પિતાની લઘુતાના વચને કહીને શ્રેણિક મન રહ્યો; કારણકે ગુરૂજનની આગળ અધિક ભાષણ શોભતું નથી. પુનઃ ભૂપતિએ કહ્યું- હે વત્સ, તારા પિતાનું રાજ્ય તું હવે ગ્રહણ કર. કમરેગથી પીડાતા અમે તે હવે આત્મસાધન કરીશું. પણ પુત્રે કહ્યું- હે તાત, હું તો પાળાની જેમ નિરન્તર, આપના સમાન ચિરંજીવી પિતાના ચરણની સેવા કરીશ. આપ યાવચંદ્રદિવાકરે સામ્રાજ્ય ભગવે. આપને વ્યાધિ છે તે, મણિને મેલ વન્ડિથી દૂર થાય છે તેમ, ધર્મકાર્યથી દૂર થશે. એ સાંભળી પિતાએ કહ્યું-મારા કુળમંદીરના દીપક ! કલ્પવૃક્ષની પેઠે સર્વ અવસ્થાને વિષે સેવવા યુગ્ય એ ધર્મ તેતે મારે સેવાજ છે; ને રાજ્ય પાત્રને વિષે અર્પવું છે. જે (આમ પુત્રને શપથ આપી બેલતો બંધ કરી ) પ્રસેનજિત 1 પહેરેગીર. 2 મેઘની ગજને પછી મયૂરની કેકા, તમે.k Trust - P.P. Ac. Gunratnasuri M.S. Page #48 -------------------------------------------------------------------------- ________________ રાજ્યાભિષેક. રાજાએ એના અભિષેકને અથે સામગ્રી તૈયાર કરાવવા માંડી; એક સૂરિ પોતાના શિષ્યને સૂરિપદ આપતી વખતે કરાવે તેમ. સુવર્ણ સમાન કાન્તિવાળા શ્રેણિકને સુવર્ણના સિંહાસન ઉપર બેસાડ્યો–તે વખતે એ અન્ય મેરૂ પર્વત હાયની એ શોભવા લાગે. પૂર્વ દિશાને વિષે રાજા પિતે અને અન્ય ત્રણે દિશાઓમાં સામન્ત હસ્તને વિષે સુવર્ણના જળકુંભે લઈને ઉભા રહ્યા તે વખતે એઓ ગજદંતની ર જેવા શોભવા લાગ્યા. મેઘ જેમ ગિરિના શિખર પર અભિષેક કરે તેમ એમણે કુમારને અભિષેક કર્યો, અને રાજાએ રૂપાના કળામાં ચન્દન મંગાવી એના ભાલપ્રદેશપર પિતાને હાથે તિલક વિસ્તાર્યું–કર્યું–તે જાણે “તું પણ આમ નિરન્તર વિસ્તાર પામ” એમ સૂચવન કરવાનું હોયની! પછી, શિષ્યને શિક્ષાપાઠ આપીને ગુરૂ નમે તેમ રાજાએ પુત્રને નમન કર્યું; કારણકે સપુરૂષે ઉત્તમ પ્રકારે વર્ણવેલા ન્યાયને દીપાવવામાં સદા તત્પર રહે છે. પછી સામન્ત આદિ અન્ય જનેએ પણ એને સાધુની જેમ નમન કર્યું; કારણકે મહંત પુરૂષોએ પાડેલે માર્ગ અન્ય જનને દુષ્કર રહેતા નથી ( સરલ થઈ જાય છે ). કુળની વડીલ સ્ત્રીઓએ પણ, નિર્બળ શત્રુઓ પર બાણને વર્ષાદ વરસાવવામાં આવે છે તેમ, એના મસ્તક પર દહીં, દુર્વા અને અક્ષતની વૃષ્ટિ કરી. પછી કૃતકૃત્ય એ પ્રસેનજિત રાજા સૂરિની જેમ, નવા રાજાને, રાજાને ભેચ્ય એવી શિક્ષા આપવા લાગ્યો –હે મહા સામન્તના અધિપતિ, ચિરકાળ પર્યત રાજ્ય કરવાની ઈચ્છાવાળા તારા જેવા રાજપુત્રે પદાતિ સિન્યને પોતાના સમાન ગણવું; કારણકે એના વિના, મહા કાર્ય સાધવું હોય તે સધાતું નથી. અને વાડ વિના વૃક્ષની રક્ષા થતી નથી તેમ એના વિના શરીરની રક્ષા પણ થતી નથી. વળી સર્વ મંત્રી પ્રમુખ અધિકારીઓને એવી રીતે રાખવા કે જેથી એઓ કદાપિ પણ. ઉદાસીન થઈને કાર્યની ઉપેક્ષા કરે નહિં. હે પૃથ્વીપતિ, આમ 1 પાળા-પગે ચાલતું સૈન્ય. ર ચાર દિશાઓમાં ચાર ગજદત પર્વત આવેલા છે તે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #49 -------------------------------------------------------------------------- ________________ કર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. કરીને તારે તારી પ્રજાનું તારી પિતાની સંતતિની પિકે પાલન કરવું તે એવી રીતે કે એને તારા પૂર્વજોનું સ્મરણ કરવું પડે નહિં. કોઠાર અને કેશ પણ તેમને જ હોય છે કે જેઓ પિતાની પ્રજાનું પાલન કરે છે, કારણકે અહીં વિના માખણની આશા રાખવી વ્યર્થ છે. ( વળી તારે) ધર્મ-સિદ્ધિને અથે સર્વ તપસ્વિની રક્ષા કરવી; અને જીવિતવ્યને અથે બીજા અંગેની રક્ષા કરતાં, મસ્તકની રક્ષા સવિશેષ કરવી. હે રાજન, તારે એવી પ્રવૃત્તિ રાખવી કે જેથી ૫દ્રુમની પેઠે તેને સર્વ ન્યાયશાલી પુરૂષે રૂપ તરૂવરની મધ્યે પ્રથમ પંકિત પ્રાપ્ત થાય. પિતાના આ સવ આદેશને, શ્રેણિકે અંજલિ જેડી, મેઘજળને ગ્રહણ કરતા ચાતકની પિકે, પડતાં પૂર્વેજ ગ્રહણ કર્યો. આ પુત્રની પછી, સામન્ત આદિ પરિગ્રહને પણ, પ્રસેનજિત્ રાજાએ શિક્ષાવચન કહ્યાં (કારણકે બન્ને પક્ષને શિખામણ દેવી એજ ખરી શિખામણ કહેવાય છે ) :- આટલા દિવસ પર્યત મેં તમને પુત્રપેરે પાળ્યા છે; તમને કદાપિ પુપનો પ્રહાર પણ કર્યો નથી, તે હવે આ કુવલયાનન્દ, તમોભેદી અને ઉકળાનિધિ કુમાર નક્ષત્રોને જેમ ચંદ્ર તેમ, તમારે સ્વામી થયે છે તેની સાથે તમે, અદ્યાપિ પર્યન્ત મારી સાથે વર્તતા હતા તેવી જ રીતે, વજે; કારણકે મેં શિશુના દેની પેઠે તમારા દેષ પણ કદિ ગણ્યા નથી. તમારે એના શાસનનું ઉલ્લંઘન કરવું નહિં; કારણકે પ્રચંડ શાસનવાળો એ, સૂર્ય અન્ધકારને સહન કરતો નથી તેમ, તમારા અપરાધને સહન કરશે નહિં. માટે એની ઈચ્છા પ્રમાણે વર્તી તમારે એની દેવની જેમ આરાધના કરવી અને કાર્યસાધક એવી એની આજ્ઞાને શેષાની જેમ મસ્તકે ધારણ કરવી. 1 1-2-3 આ ત્રણે વિશેષણ કુમારને માટે તેમજ ચંદ્રમાન પણ છે. કુમારની સાથે લેતાં [1] પૃથ્વીરૂપી વલયને આનન્દ આપનાર (2) અજ્ઞાન રૂપી તમઃઅન્ધકાર–ને ભેદનાર (ડ) કળા-પુરૂષની 72 કળા–નો નિધાન. ચંદ્રમાની સાથે લેતાં (1) કુવલય–કમળ–ને આનન્દ આપનાર–વિકસાવનાર રિ] અલ્પકારને હ9નાર 3 (ચંદ્રમાની) 16 કળા કહેવાય છે તેને નિધાન, 4 દેવ આગળ નૈવેધ-બલિ આદિમાંથી બેંચવામાં આવે છે તે શેષ-કે જે પવિત્ર ગણાય છે.ak Trust P.P.Ac. Gunratnasuri M.S. Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિકરાજાનાં કાર્યોનુષ્ઠાન.. રાજની શિક્ષાને પરિજનવગે પણ પિતાની શોભા હોય તેમ ગ્રહણ કરી; (કારણ કે ) એ કેણ હેાય કે જે મુખને વિષે પ્રવેશ કરતા અમૃતને આડે હાથ દઈને નિષેધ કરે? આ વખતે વિપ્રોએ મંત્ર ભણવા માંડ્યા, બંદિજને વિના માંગલિક બોલવા લાગ્યા, વાજિંત્રે ઉંચે સ્વરે વાગવા લાગ્યા અને પ્રમદા નૃત્ય કરવા લાગી. પ્રજાજનો મદન્મત્ત હસ્તીઓ, નાનાવિધ તરંગમે, તેજસ્વી રને, સુવર્ણ પાણદાર મુકતાફળ, હાર-કેયૂર-વૈવેયક-માળા આદિ વિવિધ અંગેના આભૂષણો, નાના પ્રકારના શસ્ત્ર-વસ્ત્ર-પત્ર-પુષ્પ-ફળો અને અ-ક્ષતર અક્ષત પાત્રે આદિની ભેટ ધરવા આવવા લાગ્યા; કારણકે પુત્રના ઉત્સવે આવક હસ્તને વિષે રહેલી ( હાજર-તૈયાર ) જ છે. આ અભિષેક-મહોત્સવમાં બંદીવાનેને છોડી મુકવામાં આવ્યા; પણ એ કંઈ આશ્ચર્ય નહોતું; પ્રાણીઓને કમરૂપી ગુપ્તિથ્થી છોડવવા એજ આશ્ચર્ય. વળી ઘેરઘેર અને હાટેહાટે તોરણો અને ઉંચી કસુંબાની વજાઓ બાંધવામાં આવી અને નાટ્યારંભ થવા લાગ્યા. એથી આ નગરી સ્વર્ગપુરી સમાન શોભવા લાગી. અનુકમે ઈહલેક સંબંધી સર્વ પાપની નિન્દા કરતા, અને સુકૃતની પ્રશંસા કરતા પ્રસેનજિત રાજાએ મરણ સમયે ચાર શરણ અંગીકાર કર્યો. પછી વર્તમાન તીર્થના પ્રભુ પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરતે એ રાજા સ્વર્ગે ગયે; કારણકે એના જેવા ઉત્તમ-દષ્ટિ જી સ્વર્ગેજ જાય છે. પછી શ્રેણિક નરપતિ, સદ્ગુરૂ શિષ્યોને આપે તેમ, ગંધહસ્તીઓને ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપવામાં; કઈ કઈ વાર વક્રમુખ–વિશાળ છાતી-પુષ્ટ અંગે પાંગ–નિગ્ધ રામરાજિ-સુંદર કાન-અને-ઉન્નત સ્કંધ-વાળા. અશ્વોને ખેલાવવામાં; કદાચિત વિદ્વજને સાથે ગોષ્ઠીસુખમાં તે અન્ય વખતે ધર્મકાર્યો આચરવામાં કઈ વખત પદ્મિનીસ્ત્રીઓની સાથે વિવિધ ભેગવિલાસ 1 કંઠના આભૂષણ 2 અખંડ. 3 આવરણ. 4 અરિહંત-સિદ્ધ–સાધુ અને કેવળીપ્રણીત ધર્મ-એમ ચાર. 5 તે સમયે વતતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #51 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર, ભોગવવામાં તે કઈ વખત સામ-ભેદ-દંડ આદિ ઉપાયોથી શત્રુઓને વશ કરવામાં -આમ ધર્મ–અર્થ અને કામને વિષે યથાકાળ પરાયણ રહેતા, પૃથ્વીને શેષનાગની પેઠે વિધિવત ધારણ કરવા લાગ્યા. અહિં વણાટ નગરમાં, મેઘમાળાને વિષે રહેલા ચંદ્રમાની કાન્તિની પેઠે, નન્દાને, ગર્ભના ચિન્હો પ્રકટ દેખાવા લાગ્યાઃ તેનાં અંગે સર્વ ઢીલાં પડી જવા લાગ્યાં ( કારણ કે મહાપુરૂષને સંપર્ક થયે છતે કેણ સ્તબ્ધપણને ત્યાગ નથી કરતું ?) તેનાં મુખ અને લોચન ફીકી પડી ગયાં (કારણકે શરઋતુ આવ્યે મેઘસમૂહ શું અભ્રકમ સમાન વેત નથી થતું?); તેનાં મુચકુંભ પણ " આના (આ નન્દાના) ગર્ભમાં રહેલા પુરૂષરત્નને આપણું અતર્ગતબળ કંઈ પણ સહાય કરી શકતું નથી ? એવા જાણે વિષાદને લીધેજ હાયની તેમ, મુખને વિષે અતિશય સ્પામતા અને અન્ય સર્વત્ર ફીકાશ ધારણ કરવા લાગ્યા. વિજયી રાજાના રાજ્યની પેઠે, એનું વિકારરહિત ઉદર વળિનો ભંગ કરીને વૃદ્ધિ પામવા લાગ્યું. એની ગતિ જે મૂળે મંદ તે હતી તે હવે વિશેષ મંદ થઈ મહેતા માણસથી સમાકાન્ત થયે છતે ( જરાએ ) હલી કે ચલી શકવું એજ આશ્ચર્ય છે. એને આળસ બહુ થતું હતું એ જાણે બાળક ક્ષમાશીલ થશે એમ સૂચવતું હતું; વળી એના દક્ષિણ અંગની ગુરૂતા અનુમાન કરાવતી હતી કે ગર્ભમાં પુત્ર છે. ઉષ્ણતા થશે તો ગર્ભને દુઃખ થશે માટે એના સુખને અર્થે શીતવાયુ ગ્રહણ કરવાને માટેજ 1 મેઘનીમાળા અર્થાત વાદળાં. 2 અક્કડપણું. + અબરખ. - 3 ગર્ભવતી સ્ત્રીના સ્તન મુખ–ડીટડી–ની આસપાસ શ્યામ થઈ જાય છે. કે આ વિશેષણ સાભિપ્રાય છે. વિકાર-વ્યાધિ-રહિત. વ્યાધિને લીધે ઘણાને ઉદર વૃદ્ધિ પામે છે, પણ આ તે વ્યાધિ વિના વૃદ્ધિ પામવા લાગ્યું. 5 વળિ વાટા, પિટ ઉપર વાટા પડે છે તે. ગર્ભવતીનું ઉદર વધે એટલે એ વળિો ભંગ થાય, વળી મટી જાય. 6 મોટો માણસ પાસે હોય ત્યારે સામે માણસ થંભાઈ જાય છે; તેમ નન્દાની પાસે (=ગર્ભમાં) મહાપુરૂષ હોવાથી જાણે મંદગતિ થઈ. 9 દક્ષિણ અંગ ભારે હોય છે તે ગર્ભમાં પુત્ર, અને વામ અંગ ભારે હોય છે તે, પુત્રી હેય છે એમ કહે છે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #52 -------------------------------------------------------------------------- ________________ નન્દાના દેહદ. 35 હાયની એમ એને વારંવાર બગાસાં આવવા લાગ્યાં. વળી હવે નન્દાને વિશેષ લજજા આવવા લાગીઃ અથવાતો ગુણવાનની સંગતિમાં ગુણની વૃદ્ધિ થાય એ ગ્યજ છે. બહારથી પણ એનું રૂપ અતિ ખીલી નીકળ્યું. મણિનાગથી મુદ્રિકાનું પણ એવું જ સૌન્દર્ય જણાય છે. અનેકઉત્તમગુણયુક્ત ગર્ભનું વિધિ પ્રમાણે પાલન કરતાં નન્દાને ત્રીજે માસે દેહદ ઉત્પન્ન થયે કે, હું હસ્તીપર આરૂઢ થઈને, નગરને વિષે સર્વત્ર અમારિ ઘોષણા સંભળાવું; અને કલ્પવૃક્ષ પર રહેલી છે એની ) લતાની પેઠે દીન-અનાથ જનોના મરથ પૂરૂં. અન્તઃકરણને વિષે પ્રમોદ પામતી નન્દાએ એ પિતાને દેહદ પિતાને સંભળાવ્ય; કારણકે ન કહી શકાય એવું હોય તે પણ ગુરૂજનને અવશ્ય કહેવું જોઈએ, તે આવી વાત કહેવી એમાં શું ? નન્દાને દેહદ સમજીને ભદ્રશ્રેષ્ટિને હર્ષ થયે કે " નિશ્ચયે એના ગર્ભને વિષે કઈ ઉત્તમ જીવ છે; કારણ કે ઉદરને વિષે જેવું ભેજન હોય છે તેજ ઉદ્ગાર આવે છે. માટે હું ત્વરાએ પુત્રીના દેહદ પૂર્ણ કરૂં; કેમકે દેહદ પૂર્યો વિના તરૂ પણ ફળતા નથી. આમ વિચાર કરીને નન્દાને પિતા રતનેને થાળ ભરીને રાજા પાસે ગયે; કારણ કે અન્ય વખતે પણ રાજાની પાસે રિક્તહસ્તે જવું કહ્યું નથી તે આવે વખતે તે કહેવું જ શું ? ભેટ મૂકીને ચતુરઐષ્ટિએ અંજલિ જેડી નમન કરીને વિજ્ઞાપના કરી કે " હે દેવ, એક મહીપતિની પત્નીની પેઠે, મારી પુત્રીને હસ્તીપર બેસવા આદિને મનોરથ થ છે. આપના પ્રસાદે મેં લક્ષમી તે ઉપાર્જન કરી છે, પણ નિભોગીની પેઠે અમારા જેવા વણિકજનને એ મને રથ પૂરવાનું સામર્થ્ય કયાંથી હોય ! માટે 1 ગુણવાનું . ( અહિં ) ગર્ભ. 2 ગુણ. ( અહિં ) લાજ. 8 દેહદ–ગર્ભવતી સ્ત્રીની ઈચ્છા. 8 કવિઓ કહે છે કે તરૂએને પણ કળિઓ ફુટવાને સમયે દેહદ થાય છે; જેમકે અશોકવૃક્ષ યુવતી સ્ત્રી ચરણ પ્રહાર કરે છે ત્યારે પુષ્પ ધારણ કરે છે, બકુલ વૃક્ષ એના મુખથકી મદિરાને છંટકાવ પામે છે ત્યારે વિકસ્વર થાય છે; પ્રિયંગુ એના શરીરના સ્પર્શથી-ઇત્યાદિ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #53 -------------------------------------------------------------------------- ________________ 36 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. હે સ્વામી, કૃપા કરીને સેવકને હસ્તી પ્રમુખ આપે; કેમકે આશ્રિતવર્ગપર સ્વામી વત્સરળભાવ રાખેજ છે. એ પછી રાજાએ શેઠે ધરેલા ભેટના થાળમાંથી શેષા માત્ર લીધી; કારણ કે કીર્તિરૂપી સ્ત્રીને વિષે લુબ્ધ એવા રાજાઓને નિસ્પૃહતા જ પ્રિય હોય છે. એણે હર્ષ સહિત શેઠને કહ્યું-વણિશિરોમણિ ભદ્રશેઠ, મારે તારા કરતાં કંઈ પણ અધિક નથી; મારું ધન તે તારૂંજ છે, મારી જે જે વસ્તુઓ–પાણીદાર મુક્તાફળો, આભૂષણો પ્રમુખ તારા ઉપયોગમાં આવી શભાભૂત થતી હોય તેને કૃતકૃત્ય જાણવી: અથવા અહિં સર્વ તારું જ છે; એને તું યથેચ્છ ઉપયોગ કર. અમે તો કેટવાળની પેઠે આ વસ્તુઓની કેવળ ચેકી કરવાવાળા છીએ. શેઠે કહ્યું-સ્વામી, આપ મહારાજા કહે છે તે યથાર્થ જ છે કારણ કે કલ્પવૃક્ષ પણ કદાપિ પોતાને માટે ફળ ધારણ કરતું નથી. આપના પ્રસાદથી આજે મારૂં મને રાજ્ય પૂર્ણ થયું છે; કારણ કે રત્નાકરને સેવક કદિ મણિ વિનાને રહે? પછી રાજાએ શેઠને પિતાને હાથે તાંબૂલ આપ્યું: ખરે! મનના ગરવ સહિત અપાય એજ આપ્યું કહેવાય છે. રાજાએ તરત પિતાના અધિકારી વર્ગને " તમે આદર સહિત મધ્યે રહીને શેઠનું કાર્ય ભાવી આપો” એમ આજ્ઞા કરી એટલે શેઠ “આપની મહા કૃપા થઈ " એમ કહી નમન કરી રાજાના પ્રતિબિમ્બે હાયની એવા અધિકારીઓને સાથે લઈ ઘેર ગયે. ત્યાં એમણે છત્ર પ્રમુખને ક્ષણ માત્રમાં એગ્ય એગ્ય સ્થાને ગોઠવી દીધાં. સોનું અને વળી સુગધી-એને કણ ન આદર કરે ? હસ્તિપર બેઠેલી નન્દા, શૈશવાવસ્થામાં રમતી વખતે, સહેદર એવા ઐરાવત પર બેઠેલી લક્ષ્મી જેવી શોભવા લાગી. એના મસ્તક પર રહેલું છત્ર, ઐરાવણુ અને લક્ષ્મીને સહેદરની બ્રાન્તિથી મળવા આવેલું ચંદ્રબિમ્બ હેયની એવું શેભવા લાગ્યું. એને વીંજાતા વેત ચામરે છત્રરૂપી ચંદ્રમાના કિરણોને 1 રાજાએ યશરાજ ભુખ્યા હોય છે એમ કહે છે. 2 ઐરાવત, લક્ષ્મી, ચંદ્ર, ઈત્યાદિ ચેદ રને સમુદ્રમાંથી નીકળ્યાં કહેવાય છે, માટે એમનું એકજ ઉત્પત્તિસ્થાન એથી એઓ સદર કહેવાય.. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #54 -------------------------------------------------------------------------- ________________ - અભયકુમારને જન્મ. સમૂહ હોયની એવા વિરાજવા લાગ્યા. માથે વેત મેઘ આવી રહ્યો હોય એવા ગિરિવર ઉપર એક સુવર્ણની કમળનીને, ઘડીમાં આવતા ને ઘડીમાં પાછા ઉડી જતા એવા કલહંસવાળું કમળ હોય, તો તે કમળની, હસ્તી પર બેઠેલી અને તમે છત્રને ધારણ કરતી નન્હાના-હાલતા ચામરથી વીંજાતા-મુખને ઉપમા આપી શકાય. પછી સુંદર વસ્ત્રાભરણથી વિભૂષિત એવી નન્દાએ વિરતિની પેઠે સર્વ જન્તુઓને અભય આપી, ચિન્તામણિની પેઠે અનાથ-દીન-પંગુ-અબ્ધ-વ્યાધિગ્રસ્ત આદિને મનેરને પૂર્ણ કરી ચાટ–ચોક વગેરેમાં ફરી, મેઘમાળાની જેમ દાન આપીને લેકેને શાન્ત કર્યા. આ પ્રમાણે ભદ્રશેઠે નાના મનોરથ પૂર્ણ કર્યા. દક્ષિણ કર ઉદાર થયે છતે કયા કાર્ય સિદ્ધ નથી થતાં ? - હવે ગૂઢગભો નન્દા, પિતાના મનોરથ પૂર્ણ થયે, દુહ એવા ગભંભારને, પૃથિવી અમૂલ્ય નિધાનને ધારણ કરે તેમ, આનન્દ સહિત વડન કરવા લાગી. પિતાના આત્માની પેઠે અત્યન્ત સુખમાં ગર્ભને પાલન કરતાં નવ માસને સાડાઆઠ દિવસ વ્યતિકમ્યા, તે વખતે દિશા નિર્મળ થયે છતે, વાયુ અનફળ થયે છતે, મહીતળ પુષ્કળ ધાન્યસમૃદ્ધિથી ભરાઈ ગયે છતે, જ્યારે સર્વ ઉત્તમ ગ્રહે કેન્દ્રાદિસ્થાનમાં હતા અને ગુરૂ મુખસ્થાનને વિષે હતો એવા ઉભયકુળને લાભપ્રદ ઉત્તમ સમયે, પરમ ઉત્કૃષ્ટ વૈભવની વચ્ચે, પૂર્વ દિશા રવિમંડળને પ્રસવે તેમ, નન્દાએ, અતિ સુખશાતિથી, પ્રસરતી કાન્તિવાળા પુત્રને જન્મ આપે. તે વખતે, અત્યન્ત પરિશ્રમને લીધે સરી જતી નીવીને વામ હસ્તવડે ગ્રહણ કરી રાખતી, ઉતરી જતા ઉત્તરીય વસ્ત્રને દક્ષિણ હસ્તવડે મસ્તકપર લઈ લેતી, કીડારને જોતરેલા બળદની પેઠે અતિશય હાંફતી, અને નિતમ્બ તથા વજના ભારને લીધે પદે પદે સ્કૂલના પામતી પ્રિયંકરા નામની દાસી શીધ્ર શ્રેણીની પાસે . 1 સવ સાવઘથી વિરમેલા–સર્વ નિન્ય વ્યાપાર ત્યજેલા–સાધુ યુનિ. 2 અર્થાત દાન આપવાથી. આપનારો હાથ એ દક્ષિણ હાથ છે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #55 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પહોંચી; અથવા લાભ થતો હોય તે કોણ ત્વરા નથી કરત? શ્રેણીની પાસે જઈ એણે વધામણી આપી કે, " હે તાત, આપની પુત્રી નન્દાને દેવકુમાર તુલ્ય પુત્રને પ્રસવ થયે છે. " એ સાંભળીને શેઠે એને પિતે પહેરેલાં મુદ્રિકા આદિ તથા એક સુવર્ણની છબ્લિકા' આપ્યાં; કારણ કે ઉદાર પુરૂષે પ્રિયભાષણ કરનારને શું નથી આપતા ? વળી હર્ષને લીધે શેઠે એને દાસપણામાંથી પણ મુક્ત કરી; અથવા તો પુણ્યવંત પુરૂષને જન્મ કેના અભ્યયને માટે નથી થતું ? પછી, આ બાળક અગ્રેસર થઈને ધર્મધુરાને ધારણ કરશે તથા દુષ્કર્મરૂપી ધાન્યને સાફ કરી નાંખશે એમ સૂચવનાર, ખડીથી ચિત્રેલા, જયસ્તંભ અને મુશલ, સૂતિકાગ્રહના દ્વારની દક્ષિણ અને વામ બાજુએ મુકવામાં આવ્યા. બધુઓ ઘેર નાના પ્રકારના તોરણ બાંધી સુંદર વસ્ત્રાભરણ પહેરવા લાગ્યા. વાજિત્રોના નાદ થવા લાગ્યા; સિભાગ્યવંતી સ્ત્રીઓ નૃત્ય કરવા લાગી, ગયા ગીત ગાવા લાગ્યા, અક્ષતના પાત્રો આવવા લાગ્યા અને ગોળધાણ વહેંચાવા લાગ્યા. સુંદરીઓનાં ગારવણ મુખ પિંજરિત–સુવર્ણવ થયાં અને ભાલને વિષે સાક્ષાત્ રાગ હેયની એવા કુંકુમના સ્તબકે રચાયાં. વળી આ બાળની પાસે, મંગળિકને અર્થે લાલ કસુંબાવાળું અને આમ્રવૃક્ષના પાત્રોએ યુક્ત એવું દર્પણ ધરવામાં આવ્યું તે જાણે, મસ્તકે લાલ ફટકે બાંધીને પિતાના ભ્રાતા કલ્પવૃક્ષના અંગજ એવા પત્રો સહિત ચંદ્રમા, બૃહસ્પતિને પણ જીતનાર એવા આ બાળકની પાસે વિદ્યા શીખવા આવેલે હેયની શું એમ દેખાવા લાગ્યું. 1 જીભ. જીભવતી હર્ષના સમાચાર આપ્યા માટે સુવર્ણની બનાવેલી છw (એટલે જીભના ઘાટને સુવર્ણના પત્રાને કટકે ) આપે. 2 રાગ (1) સ્નેહ. ( ર ) રંગ. 3 આડ; પીળ, છુંદણું (?) 4 લાલ વસ્ત્ર અને લીલા પત્રોએ યુક્ત એવું દર્પણ કહ્યું છે, તે ચંદ્રમા સાથે દર્પણનું સાદસ્ય લાવવા માટે ચંદ્રમામાં પણ એવા વિશેષણો જોઈએ; તેટલા માટે કવિએ ચંદ્રમાને “લાલ ફટકા યુક્ત " અને “(કલ્પવૃક્ષના) લીલા પત્રની સંગાથ આવેલ " ચિતર્યો છે. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #56 -------------------------------------------------------------------------- ________________ * . જન્મ મહોત્સવ. 39 એવામાં એક મોટા શિષ્યના હાથમાં, જગતની મંદતાનું ઉમૂલન કરવાને અર્થે જ જાણે હેયની એમ, એક દંડ આપી, મૂળાક્ષરોને પાઠ કરતા નિશાળીઆઓને સાથે લઈ, ઉપાધ્યાયે ભદ્રશેઠને ઘેર આવવા લાગ્યા; તે જાણે બાળકઅભયકુમારની સદ્દબુદ્ધિનું સેવન કરવાને અર્થે હાયની ! એ ઉપાધ્યાયને, શેઠે પણ વચ્ચતાંબૂલ આદિથી સત્કાર કર્યો, તે જાણે કુમારને ભણાવવાને માટે આગળથી એમની નિમણૂક કરી હાયની ! પછી શેઠ નિશાળીઆઓનાં મસ્તક ધોવરાવ્યાં અને ગળ વહેંચે; તે જાણે એટલા માટે કે એ મુળાક્ષરે બેલતા એ વિદ્યાથીઓ એ થકી મધુર અને સ્નિગ્ધ થાય. વળી ભાણેજના જન્મને શેઠ વર્ધનકર પણ કર્યો; પણ આમ–વૃદ્ધિને વિષે વળી. વર્ધનકરૂ એ ખરેખર આશ્ચર્ય થયું. જન્મને ત્રીજે દિવસે બાળકને ચંદ્ર-સૂર્યનાં દર્શન કરાવ્યાં તે એટલા વાસ્તે કે સિામ્ય અને દિત એવા એ બાળને જોઈ એઓ પણ ગર્વરહિત થાય. છટ્ટે દિવસે એના સ્વજનેએ ધર્મજાગરણ કર્યું એ એમ બતાવવાનું કે એમ કરવાથી એ બાળક નિત્ય જાગ્રત રહેશે. વળી એમણે દશમે દિવસે સૂતકશુદ્ધિ કરી કારણકે વિચક્ષણ જન લોકધર્મની સ્થિતિને ઉલ્લંઘન કરતા નથી. બારમે દિવસે સર્વ બાંધવોને એકઠા કરીને વિવિધ પ્રકારના ઉત્તમ ભેજન જમાડી તેમની સમક્ષ ભદ્રશ્રેષ્ટિએ, ગુરૂ જેમ સર્વ સંઘની સમક્ષ શિષ્યનું નામ પાડે તેમ પોતાના દેહિતાનું નામ પાડયું: " એ ગર્ભમાં હતો ત્યારે એની માતાને અભયદાન દેવાને મને રથ થયે હતું તેથી એનું અભયકુમાર એવું ગુણવાળું નામ થાઓ. નામ પાડીને ઘેરઘેર કંસારની 1 મહેતાજીઓ. 2 જન્મ-મહોત્સવ. 3 આ શબ્દના બે અર્થ થાય છે. બીજો અર્થ “વૃદ્ધિ' છે. અહિં આ બીજો અર્થ એવોઃ વૃદ્ધિને વિષે વૃધ્ધિ–એ આશ્ચર્ય 4 ચંદ્રમામાં “સોમ્ય” ( શાન્તપણું ) છે અને સૂર્યમાં “દીપ્તિ' ( તેજસ્વીપણું) છે; એમ એ બેઉને પોતપોતાના ગુણોને લીધે “ગવ” થાય. પણ અભયમાં એ બેઉ ગુણો જોઈને એ ઉભય ગર્વ રહિત થાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #57 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર લાણી મોકલવામાં આવી; કારણકે મુખ મીઠાં ન કરાવે તે એનું નામ પણ કેણ જાણે? હવે પાંચ ધાવમાતાઓથી પાલન કરાતા કુમાર, પાંચ સમિતિએ કરીને શુદ્ધ એવા સાધુના ચારિત્રની પેઠે રાત્રિદિવસ વૃદ્ધિ પામવા લાગે. લાલનપાલનમાં ઉછરતે એ એ અભયકુમાર બાળક, જેમ ઉત્તમ રત્ન ચતુર ઝવેરીઓના હાથમાં ફરે તેમ એકબીજા બાજોના હાથમાં ફરવા લાગ્યું. લેકે એ સ્વરૂપવાન કુમારના અંગ ચુંબન કરવા લાગ્યા તે જાણે એના શરીરના કુંદપુષ્પસમાન ઉજવળ ગુણોને ગ્રહણ કરવાની ઈચ્છાને લીધેજ હાયની. શરીર અને કાન્તિએ સિત પક્ષના ચંદ્રમાની સમાન વૃદ્ધિ પામતે એ કુમાર પાંચ વર્ષને દિવસે એને એની માતાના પિતાએ નિશાળે બેસાડ. તે વખતે સ્વજનોએ, અભ્યાસ કરવાના મનવાળા એ અભયને, એની પાસે વ્રત કરાવતા હેયની એમ, વેતવસ્ત્ર પહેરાવ્યાં. વળી એના છત્રાકાર મસ્તકની ઉપર શેભાને અર્થે કુસુમને મુકુટ પહેરાવવામાં આવ્યું કારણ કે પુપને હમેશાં ઉચ્ચ જ સ્થાન મળે છે. એના કંઠપ્રદેશને વિષે પણ કુસુમની માળા નાખવામાં આવી, તે જાણે એના હૃદયમાં રહેલી ઉત્પત્તિકી પ્રમુખ બુદ્ધિઓની પૂજાને અર્થેજ હાયની ! વળી સકળ વિશ્વના ભૂષણરૂપ એવા એ કુમારને આભૂષણ પણ પહેરાવવામાં આવ્યા; કારણ કે સુવણની મુદ્રિકા હોય તેમાં પણ મણિ બેસારે છે. પછી એને એક ઉત્તમ અશ્વપર બેસારવામાં આવ્યે પણ એમાં કાંઈ પણ આશ્ચર્ય નહોતું કારણ કે થોડા સમયમાં તે એ હસ્તીપર પણ બેસવાને છે. વળી એના મસ્તકપર રમ્ય ને શેભાયમાન છત્ર પણ ધરવામાં આવ્યું તે જાણે પાદવડે સ્પર્શ કરતા સૂર્યથી એને દૂષણ ન લાગે એટલા માટેજ હોયની ? 1 વ્રતવાળા માણસે શ્વેત વસ્ત્રો ધારણ કરે છે એ રિવાજ છે; કારણકે વેત શિવાયના બીજ વર્ણ ઇન્દ્રિયને સતેજ કરવાવાળા છે, (જે વતિને ન જોઈએ). * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #58 -------------------------------------------------------------------------- ________________ આ નિશાળગરાણું. પછી બાર પ્રકારના વાજિંત્રેના મંજુલ સ્વરની વચ્ચે, ગીત ગાતી સુંદર સ્ત્રીઓ સહિત, અને એકત્ર થયેલા નિશાળીઆઓની સંગાથે, પ્રજ્ઞાવિશાળ ભવ્યપુરૂષને શ્રીજિનાગમ પાસે લઈ ગઈ હતી તેમ શ્રેષ્ઠી અભયને ઉપાધ્યાયને ઘેર લઈ ચાલ્યા. ત્યાં અભયે સરસ્વતી દેવીને ભક્તિ સહિત નૈવેદ્યવડે પૂજીને નમન કર્યું; કારણ કે એની જ કૃપાથી મૃતસાગર તરી શકાય છે. પછી એ ઉપાધ્યાયની પૂજા કરી નમીને એમની પાસે બેઠે; કારણ કે એક પદ શિખવનાર ગુરૂ પૂજવા એગ્ય છે તો શાસ્ત્ર શિખવનાર હોય એમાં શું આશ્ચર્ય ? ( શિષ્ય પાસે બેઠે એટલે ) ગુરૂએ પિતે એને મૂળાક્ષરાની વાચના આપી કારણકે પૂર્વે શ્રીકૃષ્ણ જેવા નિશાળીઆ ગુરૂને " કલ્પદ્રુમ જેવા થઈ પડ્યા હતા. પછી - નિશાળીઆઓને ખાવાની વસ્તુઓથી ભરેલા ખડીઆ પ્રમુખ આપ્યા; કારણકે સર્વ કેઈને પોતપોતાને લાયકની વસ્તુઓની ઈચ્છા હોય છે. આ પ્રમાણે જેનું નિશાળગરણું કરવામાં આવ્યું એવો શ્રેણિકપુત્ર અભયકુમાર, શયામાંથી ઉઠીને, હાનું બાળક માતા પાસે જાય તેમ, નિશાળે જવા લાગ્યું. વિનયી, રસિક અને બુદ્ધિવંત એવો એ પ્રેરણું વિનાજ શીખવા લાગે, કારણ કે કળાપ પૂરવામાં મયૂરને બીજાને ઉપદેશની જરૂર પડતી નથી. પછી તે એકસરખા, ભરેલા, ગોળ અને છૂટા છૂટા અક્ષરે પાટી પર પિતાને હાથે લખવા મંડ્યો. વળી અનધ્યાયને દિવસે તે કે ઈ વખતે વેષ કાઢવાની, તે કઈ વખતે ગેડીદડાની, એક વાર ચેપાટની તે બીજી વાર ઘોડા ઘડાની, આજે એક પગે ચાલવાની તો કાલે વર્તુળાકારે ફરવાની, કઈ વખત ભમરડાની તો બીજી વખત કેડીઓની-એવી એવી રમતો પિતાના સમાનવયના નિશાળીઆઓની સાથે રમવા લાગ્યઃ અહે બાળકને સ્વભાવ કે દુરતિકમ છે ? આઠમે વર્ષે તો એણે, દર્પણ પદાર્થોને ઝડણ કરે તેમ, લેખનથી તે પક્ષીઓના રૂદન સમજવા સુધીની બહોતેરે કળા ગ્રહણ કરી લીધી. 1 જુઓ, ઉપમિત ભવપ્રપંચ કથા. એમાં કહેલી અમુક વાતને ઉદ્દેશીને આ કહ્યું છે.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #59 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. - એકદા અભયને કઈ બાળક સાથે કલહ થયે; કારણકે સબત છે તેજ પ્રાયઃ દ્વેષ કરાવનારી છે. પેલાએ કહ્યું–અભય, તેને પાંચ અક્ષર આવડ્યા ત્યાં તે અનાજના કણથી ઉંદર જ જેમ, તેમ તું તને મહટ થઈ ગયે માને છે! તું બુદ્ધિમાં બૃહસ્પતિ તુલ્ય છે તે, શિવના પિતાની જેમ તું તારા પિતાને પણ જાણતા નથી એનું તું શું કહીશ ? અભયે કહ્યુંભાઈઓ, મારા પિતા ભદ્રષ્ટી છે કે જેઓ સૂર્યની જેમ સકળ ભુવનને વિષે પ્રસિદ્ધ છે. એ સાંભળીને એક જણે કહ્યું–હે માતૃપત્રક, એ તે તારી માતાના પિતા છે; પણ સત્ય છે-તું બાળક હોવાથી તારા માતામહને તારા પિતા સમજે છે. એમાં શું આશ્ચર્ય કે બાળકે કિંચિત્ પણ મુખ મીઠું કરાવે એમનાજ થાય છે, જેમકે શ્વાન. એ સાંભળીને સંશય ઉત્પન્ન થવાથી, અભયે જઈને માતાને પૂછયું–હે માતા, મારા પિતા કેણ છે તે કહે. નન્દાએ ઉત્તર આપ્યો-જેમ બુધને પિતા ચંદ્ર છે તેમ તારાપર હાલ રાખનાર ભદ્રષ્ટી તારા પિતા છે. પણ વાચાળ અભય બેલી ઉદ્યો–માતા, એ તે તારા પિતા છે; માટે ગુરૂ શિષ્યને કહે તેમ, આ વાતનું તું મને રહસ્ય કહે. અથવા તે તેં આ બુધ અને ચંદ્રમાનું દૃષ્ટાન્ન આપ્યું તે સમાનતાને લીધે તું નિશ્ચ આ વાતનું પ્રતિપાદન કરેજ છે; કારણકે જીલ્ડા છે તે સત્ય બોલનારી છે. માટે જેમ [ પુત્ર એવો | બુધ મંડળને વિષે રહે છે અને (પિતા-) ચંદ્રમા અન્ય દેશને વિષે ફો કરે છે; તેમ હું આ ભદ્રશ્રેષ્ઠીના ઘરમાં છું, પણ મારા પિતા તે દેશાન્તરને વિષે છે. એ પછી નદીએ નેત્રમાં અર્થ સહિત ગદ્ગદ્ વાણીએ ઉત્તર આપે-મેઈલ સાક્ષાત દેવકુમાર 1 આશ્ચર્ય છે કે ભદ્રશ્રેષ્ઠી, લગ્ન સમયે પણ, નન્દાના પાણિગ્રહણ કરનારનું નામ ઠામ સુધ્ધાં જાણવાની તકલીફ લેતા નથી–એટલું જ નહિ પરંતુ જમાઈ થઈ પિતાના જ ઘરમાં રહીને નન્દાને ગર્ભવતી મુકીને જાય છે ત્યારે પણ એને વિષે કંઈ પણ પૃચ્છા થઈ હોય એવું કવિ જણાવતા નથી. વળી જેમાં શું છે તે પત્ની જાણતી સુદ્ધાં નથી એવો એક કાગળને કટકે આપી જતાં, પતિ જાણે પિતાનું સર્વસ્વ ગર્ભવતી પત્નીને આપીને સંતોષ પમાડી પોતાની ફરજ અદા P.P. Ac. Gunratnasuri M.S. Page #60 -------------------------------------------------------------------------- ________________ અભયકુમારની વિદ્વત્તા. 43 જેવા દેશાન્તરથી અહિં આવ્યા હતા એમની સાથે મારાં લગ્ન થયાં; પણ કેટલેક કાળ વ્યતીત થયા પછી, તું ગર્ભને વિષે હતો તે વખતે કેટલાક ઉંટવાળા આવ્યા તેમની સાથે ગુપ્ત વાતચિત કરીને તારા પિતા તત્કાળ અહિંથી ગયા છેઃ કારણકે નિભોગી જનની પાસે ચિંતામણિ કેટલોક કાળ રહે? આ સાંભળી અભયે પૂછયું–હે માતા, મારા પિતા અહિંથી ગયા ત્યારે તને કંઈ નિધાન જેવું આપતા ગયા છે? નંદાએ ઉત્તર આપે-આ એક પત્ર આપતા ગયા છે પરંતુ હું એને ભાવાર્થ જાણતી નથી; કારણકે સ્ત્રીઓને બુદ્ધિભવ કેટલો હૈય? " એણે એમ કહી અભયના હાથમાં પત્ર આપે; અભયે તે વાંચ્યું એટલે તુરત તેને હાર્દ સમજી જઈને હર્ષ પામે, ને માતાને કહેવા લાગે-માતાજી, મારી વધામણી છેઃ મારા પિતાજી રાજગૃહ નગરના રાજા છે. જે! હુરટ્ટી એટલે કહેતા ભીંત, અથૉત્ વેત ભીંતવાળા મહેલ; અને જપા એટલે પૃથિવી પાન-રાજા; કારણકે જે શબ્દ પૃથિવીવાચક છે. આ સાંભળીને નન્દા તે બહુ વિસ્મય પામી કે હે ! આ હાને બાળક છતાં એની બુદ્ધિ અસાધારણ છે. અથવા એવા પિતાના પુત્રને વિષે શું અસંભવિત છે? શાળના બીજ થકી નિરંતર શાળના અંકુર જ ઉત્પન્ન થાય છે. પછી નીતિશાસ્ત્રને વિષે નિપુણ એ અભય કહેવા લાગ્યા માતાજી, હવે આપણે આ સુંદર એવા પણ તારા પિતાના ઘરમાં રહેવું યુક્ત નથી. કારણ કે સ્ત્રીને, કુમારી હોય ત્યારે પિતા, વનને વિષે સ્વામી, અને વૃદ્ધ વયે પુત્ર પરમ કરી સંતોષ પામે છે, ત્યારે પત્ની, તે કાગળ મળ્યો એટલે બસ, બધું મળ્યું એમ સમજીને સંતોષ પામી રહે છે. ને પૂછ્યું નામ, ન પૂછ્યું ઠામ, નથી પૂછતી કે કયારે પાછા આવશે વગેરે ? વળી પિતાને સ્થાને ગયા પછી તે ગર્ભવતી સ્ત્રીને મુકી આવેલાને એ વાત સ્મરણમાંથી જતી જ રહે છે, કયાંસુધી કે પુત્ર મહેટ થઈ પિતાની પાસે આવે છે ત્યાં સુધી. કવિ આ વાતને કોણ જાણે કેમ ઈસારો સર કરતા નથી . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #61 -------------------------------------------------------------------------- ________________ 44 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. શરણ છે. આમ છે માટે બીજી સ્ત્રીઓ સુદ્ધાં પિતાને ઘેર રહે નહીં, તે રાજાની સ્ત્રી તે શા માટે ત્યાં રહે? શતમૂલ્ય મણિની રક્ષા કરવી જોઈએ તે લક્ષમૂલ્ય મણિની કરવી પડે એમાં તે કહેવું જ શું? માટે મારા માતામહના ઘર થકી હવે આપણે મારા પિતાને ઘેર જવું જોઈએ. એ વાતની નન્દાએ હા કહી એટલે અભયે શ્રેષ્ઠી પાસે જઈ લલાટનેવિષે અંજલિ રાખી નમન કરી વિજ્ઞાપના કરી ( કારણકે વિનય તો કુલપરંપરાગત હોય છે )-મારા પિતા તે રાજા છે માટે અમને હવે એમને ત્યાં મેકલે; કારણકે વલ્લભ એ દેહિતા પણ મેસાળમાં રહેતું નથી. મોસાળ રહેનારાઓના પિતાનું નામ પણ જાય છે, તે એમ પિતાના નામને નાશ કરનારા હલકા જનેનું જીવિત જ શા કામનું છે? કારણકે . उत्तमाः स्वगुणैः ख्याता मध्यमाश्च पितुर्गुणैः / अधमा मातुलैः ख्याताः श्वशुरै वाधमाधमाः // quo ततोऽधमतरा ज्ञेया ये ख्याता भगिनीभुजा / 'जामात्रा ये पुनःख्याता स्तन्नामापि न गृह्यते // ભદ્રશ્રેષ્ઠીને તે આવાં કર્ણભેદી વચને શ્રવણ કરીને બહુ દુખ થયું; કારણકે પ્રિયબધુને વિયેગ નેહીજન સહન કરી શકતા નથી. એમણે બેઉને મોકલવાની મહાપ્રયાસે હા કહી; કારણકે એલા દુધને છોડી દેતાં દુઃખ થાય છે તો સાથે વળી સાકરને કેમ ત્યજાય ? ' પછી એમને મોકલવાને અર્થે ભદ્રષ્ટીએ બહુ ઉત્તમ પ્રકારની સામગ્રી તૈયાર કરવા માંડી; કારણકે કંઈપણે ( દ્રવ્યાભરણવસ્ત્રાદિ) લીધા વિના જનારી પુત્રી સાસરામાં આદરભાવ પામતી નથી. માતાએ પણ પુત્રીને શિખામણ દીધી કે–હે પુત્રી, સાસરે જઈને તું સાસુની ભક્તિ કરજે, કારણ કે ત્યાં એજ માતા તુલ્ય છે; સપત્નીની સાથે હેનની જેમ વર્તજે, કારણકે કલહ થવાથી આ ભવને તેમજ આવતા ભવને પણ નાશ થાય છે. વળી તારા પતિની તું દેવતુલ્ય સેવા કરજે; કારણકે નીતિશાસ્ત્રમાં કહ્યું છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus Page #62 -------------------------------------------------------------------------- ________________ . માટીકરાની વિદાયગિરિ. 5 કે સ્ત્રીઓને પતિ એજ ગુરૂ છે. બીજું એ કે એ તારા હાથમાં હશે તો બીજાઓ તારો પરાભવ નહિં કરી શકે; જે ! તીક્ષણ એવા પણ તીર બખ્તરે કરીને યુક્ત એવા શરીર પર શું કરી શકે છે ? કલ્યાણી નન્દાએ પણ આ પ્રમાણે માતપિતાએ આપેલી શિખામણ ગ્રહણ કરી; કારણ કે એ પિતાને ઈષ્ટ હતું અને વળી વૈદ્ય બતાવ્યું. વળી અભયને પણ એમણે કહ્યું-તું નિરંતર તારા માતપિતાના વચનને અનુસરીને ચાલજે, કારણકે એ તારા આ લોકના ગુરૂ છે. વળી હે વત્સ, તારી પ્રજાને તારા પર સ્નેહ થાય એમ વર્તજે. જે એમ કરીશ તે જ તારા પિતાની પેઠે તને પણ રાજ્ય મળશે. નિરન્તર આનન્દમાં મગ્ન એવો તું મારૂં ઘર ત્યજી જાય છે, તો હવે ચંદ્રવિનાના આકાશની પેઠે તે કેમ શેભશે ? બન્ધવિનાના મારા જેવા અતિ નિર્ભાગીને હવે તારા વિયેગને લીધે દિશાઓ શૂન્ય લાગશે. વધારે શું કહું ? તારા પિતાને ઘેર જઈને અમને ભૂલી ન જતે ( સંભારજે ); કારણકે સ્વર્ગે ગયેલાઓ પ્રાયઃ પાછળનાને સંભારતા નથી. પછી અભયે કહ્યું- હે તાત, સૂર્યના કિરણથી જેમ આકાશ તેમ આપના જેવા મારા પૂજ્યપાદ પિતામહુથી આ ઘર બહુ શોભે છે. આપના સર્વત્ર વ્યાપી રહેલા નિર્મળ ગુણો છતાં દિશાઓ કેવી રીતે શૂન્ય લાગશે ? નિર્મળ ગુણવાળો પટ તે શૂન્ય નથી લાગત. આપના ઉપકારો તે, સ્તંભને વિષે કતરેલા અક્ષરેની પિઠે, મારા હૃદયને વિષે નિરન્તર સ્થાપેલા છે; છતાં જે હું આ૫નું વિમરણ કરૂં તો હું કે કહેવાઉં ? વળી આપ-વડીલે મને જે, પિતાની ભક્તિ કરજે ઈત્યાદિના આદેશ કર્યો તે હું નિરન્તર પાળીશ કારણકે એ કેણ હેય કે જે છતે કાને, મણિમંડળ મળે તે ન પહેરી લે ? પછી શ્રેષ્ઠીઓ અભય સહિત નન્દાને પુષ્કળ વૈભવ સાથે વિદાય કરી; કારણ કે ગુણવાન પ્રજાને કણ અલ્પ આપવાની ઈચછા કરે ? જેમ સર્વ કર્મ ક્ષીણ થયે જીવ સ્વર્ગથી શિવવાસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #63 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પામે છે તેમ ગામ-નગર આદિ ઓળંગતા ઓળંગવા માતા અને પુત્ર રાજગૃહ નગરે પહોચ્યા. ત્યાં અભયે માતાને પરિવાર સહિત ઉદ્યાનને વિષે રાખી ત્યાં તે જાણે ઋતુઓથી યુક્ત એવી સાક્ષાત્ વનદેવી હેયની એમ શેભવા લાગી. પછી પિતે માર્કડ ઋષિ જેમ વિશ્વની સ્થિતિનું અવલેકન કરવાને હરિની કુક્ષિને વિષે પિઠા હતા તેમ, નગરવૃત્તાન્ત નિહાળવાને અંદર પ્રવેશ કર્યો. ત્યાં તેણે કથા કહેનારા વ્યાસની કથામાંજ હોયની એમ ઘણા માણસને એક સ્થળે એકઠા થયેલા જોયા. એટલે એણે ટેળામાંના એકને પૂછ્યું–આ સમાજ અહિં કેમ મળી છે ? શું અહિં ગોળ વહેંચાય છે? પેલાએ ઉત્તર આપે-તું વત્સ, ગેળને સારી રીતે ઓળખતે જણાય છે; પરંતુ અહીં તો એવું હેંચાય છે કે જેની દેવતાઓ પણ ઈચ્છા કરે. કારણ કે વાત એમ બની છે કે— - શ્રેણિક રાજાએ, વિદ્વત્તાવાળા પંડિત શાસ્ત્રને પ્રાપ્ત કરે તેમ ચારસોનેનવાણું મંત્રિઓ તે પ્રાપ્ત કર્યો છેપણ એ હવે બૃહસ્પતિને પણ પરાજય કરે એવા કેઈ શ્રેષ્ઠ નરને તેમને અગ્રેસર સ્થાપવાને ઈચ્છે છે. એટલા માટે એવા નરવીરની પરીક્ષાને અર્થે રાજાએ પોતાની મુદ્રિકાને, ભૂમિને વિષે નિધાનની પિઠે, અહિં એક શુષ્ક કુવાને વિષે નાખી છે; અને પિતાના સેવકજનેને એવો આદેશ કર્યો છે કે-જે વીરપુરૂષ કુવાના તટપર રહીનેજ, લેહચુંબકમણિ લેહને આકર્ષે તેમ, પિતાના હાથવતી એ અંગુઠીને ગ્રહણ કરશે એને હું એના એ બુદ્ધિકૌશલ્યને ખરીદનારી મુખ્ય અમાત્યની પદવી આપીશ, અદ્ધરાજ્ય આપીશ અને વળી મારી પુત્રી પણ પરણાવીશ; અથવા તે એવા પુરૂષરત્નને જેટલું આપીએ એટલું ઓછું છે. આ સાંભળીને અભયને કેતુહલ ઉત્પન્ન થયું તેથી તે, એક આખલો જેમ ગાયના વાડાને વિષે પ્રવેશ કરે તેમ એ માણસના ટેળામાં પેઠે; ને કહેવા લાગ્યુંઅરે ભાઈઓ, તમે એ અંગુઠીને કેમ નથી લઈ લેતા ? એ કાર્ય અશક્ય નથી. તમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #64 -------------------------------------------------------------------------- ________________ અભયકુમારને બુદ્ધિપ્રભાવ. 47 કેમ ચિંતામાં પડ્યા છે ? લેકેએ ઉત્તર આપે–વત્સ, અમે તે દર્પણને વિષે પ્રતિબિમ્બરૂપે રહેલા મુખની જેવી એ અંગુઠીને ગ્રહણ કરવાને અસમર્થ છીએ. એટલે અભયે પુછયું-કેઈ પરદેશી પણ એ લઈ શકે ખરે ? તેને ઉત્તર મ –ભાઈ, એમાં શું ? ગા વાળે તે અર્જુન.૧ " અનેક દેશોમાં ફરેલા, વયેવૃદ્ધશાસ્ત્રપારંગત અને વળી પળી સુદ્ધાં આવેલા એવા અમારા જેવામાં પણ તે ગ્રહણ કરવાનું સામર્થ્ય નથી તે આ ઉત્કંઠાવાળો છતાં પણ લઘુ બાળક જેવા એ કેવી રીતે લઈ શકશે ? ઉચે હોવાથી દુપ્રાપ્ય એવા ફળને વામન નર કેવી રીતે પહોંચી શકશે ? અથવા તે જેવું એના મુખનું તેજ છે એવી એનામાં કળા પણ હશે; કારણ કે ચંદ્રમાને વિષે પણ જે કાન્તિને સમૂહ રહે છે એ એની કળાઓને લીધેજ છે. " લોકે આ પ્રમાણે વિચાર કરે છે એવામાં તો અભયકુમારે સેવકો પાસે તાજું ગામય મંગાવ્યું અને એ પેલી મુદ્રિકા પર ફેંકયું, તેથી સજ્જનને વિષે ઉપકારની જેમ, મુદ્રિકા ગોમયને વિષે ચોંટી ગઈ. પછી એ ગોમયને સૂકવી નાંખવાને માટે એક ઘાસને પૂળો મંગાવી સળગાવીને માંહે નાંખેઃ ખરૂં છે કે સમયે ઉષ્ણને પણ ખપ પડે છે. પછી એણે પાસે રહેલા એક જળભરેલા કુવામાંથી નીકવાટે જળ અણાવી આ ખાલી કુવાને ભરાવી નખાવ્યું. એટલે, જેમ સ્ત્રીના ચિત્તને રાજી કર્યોથી ગુઢવાત પણ તેના ( હદયમાંથી) મુખ પાસે આવે છે તેમ પેલું સુકાઈ ગયેલું ગોમય કુવામાંથી ઉપર તરી આવ્યું. તે અભયે લઈ તેમાંથી અંગુઠી કાઢી લીધી; તે જાણે અસાર થકી પણ સાર વસ્તુને ગ્રહણ કરી લેવી એ નીતિના સ્મરણ થકીજ હેયની ! લોકે તે નેત્ર વિકાસી રહ્યા અને મસ્તક ધુણાવવા લાગ્યા. વળી એમનાં હૃદય પણ આલેખાઈ ગયાં. એઓ વિચારવા લાગ્યા-આપણા જેવા વયોવૃદ્ધથી પણ ન બની શક્યું એવું દુકર કાર્ય, શિવાવસ્થાને વિષે ધનુષ્ય ચઢાવનાર રામની પેઠે 1 અત્યારે આપણામાં આને મળતી એવી કહેવત છે કે " ગાયો વાળે તે ગોવાળ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #65 -------------------------------------------------------------------------- ________________ 48 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. આ ન્હાના બાળકે કર્યું, અથવા તો લઘુ પણ સદ્ગુણિ નર સર્વ કાયને સાધે છે; કારણકે એક દીપક છે તે પોતાની નાનીશી શિખાથી આખા ઘરને શું નથી પ્રકાશિત કરતા ? હાનું સરખું વજી પણ પર્વતને નથી ભેદી શકતું ? અડદના દાણા જેવડું ચિતારત્ન પણ શું મનવાંછિત નથી પૂરતું ? વયે વૃદ્ધ પણ જ્ઞાનવિહીન એવા જન જ કંઈ પણ પ્રાપ્ત કરી શકતા નથી; કારણ કે મોટા તે ડુંગરા યે છે. - લેકે આમ વિચારે છે એવામાં રાજસેવકે હર્ષમાં ને હર્ષમાં રાજા પાસે ગયા ને તેને વિજ્ઞાપના કરવા લાગ્યા–હે. રાજન, વનથકી વીર પુરૂષની જેમ, કેઈ એક વિદેશી બાળ અહીં આવી ચડ્યો છે તેણે, સપના દરમાંથી મણિ ગ્રહણ કરનાર સાહસિક નરની પિઠે, પિતાની બુદ્ધિના પ્રભાવે, કેની સમક્ષ મુદ્રિકાને બહાર કાઢી છે. એ સાંભળીને નરપતિએ એ બાળક (અભય ) ને ત્વરાથી બોલાવી મંગા; કારણકે એવા ન્હાના બાળવારને જોયા વિના એક ક્ષણ જાય છે તે પણ પ્રહર જે લાગે છે. અભય પણ આવીને પરમ ભક્તિ સહિત પિતાને ચરણે નમે, કારણકે અંન્ય જને પણ રાજપુત્રોને વિનય જોઇને એનું દષ્ટાંત લે છે. રાજાએ તેને પિતાના પુત્રની જેમ આલિંગન દીધું; અથવા તો નેત્ર, જાતિમરણજ્ઞાન ઉત્પન્ન થયું હોય તેમ, નહિં જોયેલી એવી પણ પિતાની વસ્તુને ઓળખી કાઢે છે. ઉદયાચળની ઉપર રહેલા ચંદ્રમાની - સામે જે બુધ ગ્રહ હોય તો તેની સિંહાસન પર બેઠેલા રાજાની સન્મુખ રહેલા અભયને ઉપમા આપી શકાય.' પછી રાજાએ તેને પૂછ્યું–હે બુદ્ધિમાન, તમે ક્યા સ્થાનને તમારી ગેરહાજરીથી, ચંદ્રમાએ ત્યજી દીધેલા આકાશદેશની દશાને પમાડયું છે ? એ સાંભળીને, મથન કરાતા સમુદ્રના જેવા ગંભીર નાદથી અભય બે-હું વેણુતટથી આવ્યું છું; પણ આપે . 1 અર્થાત, સિંહાસન પર બેઠેલા રાજાની સન્મુખ રહેલ અભયકુમાર, જાણે ઉદયાચળ પર રહેલા ચંદ્રમાની સન્મુખ બુધ ગ્રહ જ હોયની ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aarau Page #66 -------------------------------------------------------------------------- ________________ સૂમાગમ-એ જે “ચંદ્રમાએ ત્યજી દીધેલ –ઇત્યાદિ કહ્યું, એ કેવી રીતે ? કારણ કે હું અહીં આવ્યું છું છતાં એ નગર તે જેવું ને તેવુંજ છે. રત્નાકરમાંથી એક શંખ ગયો તો તેથી તેનું શું ઘટી ગયું ? ખદ્યોત એટલે પતંગોઆના જતા રહેવાથી આકાશની શોભા કિંચિતમાત્ર જૂન થતી નથી. . અહે ! શી આના વચનની વિચિત્રતા છે? આમ વિચાર કરતા શ્રેણિકરાજાએ તેને પૂછ્યું–હે ભદ્રમુખ, તું ત્યાંના ભદ્રઠીને ઓળખે છે ? કુમારે કહ્યું-હા નાથ, હું તેને સારી રીતે ઓળખું છું; કારણકે આપની સંગાથે હમણું થયું તે મારે એમની સાથે બહુ સમાગમ છે, અન્ય ભદ્રહસ્તી જેવા એ ભદ્રશ્રેષ્ઠીનું કલ્યાણ થાઓ કે જેના કર થકી નિરંતર દાનને ઝરો વહ્યા કરે છે. વળી રાજાએ પૂછયું–તેને નંદા નામની પુત્રી છે તે પૂર્વે ગર્ભવતી હતી તેને શું અવતર્યું ? તેના ઉત્તરમાં અભયે કહ્યું–મહારાજ, “કમલિની પાને જન્મ આપે તેમ એણે એક પુત્રને જન્મ આપે છે.” વળી “એનું કેવું રૂપ છે? એના શા સમાચાર છે ? એ બાળકનું નામ શું ? " આવા આવા પ્રશ્નના ઉત્તર પણ અભયકુમારે સ્પષ્ટ રીતે આપ્યા કેધરણીના ઇંદ્ર, શરીરે–રૂપે–આચરણે તથા વયે એ હારા જેજ છે. વળી લેકેને આકૃતિએ આકૃતિએ ભેદ માલમ પડે છે; પણ હારી ને તેની આકૃતિમાં તે તલ માત્રને પણ તફાવત નથી. વળી હે રાજન, રણક્ષેત્રને વિષે તમે તમારૂં તીક્ષણ ખડ્ઝ ખેંચીને ઉભા રહે તે વખતે તમારો નિબળ શત્રુ કંઠને વિષે કુહાડે લઇને તમારી પાસે શું માગે છે ? રાજાએ ઉત્તર આખે-અભય માગે. એટલે અભયે કહ્યું- ત્યારે તમે એજ એનું નામ છે એમ જાણજે. વળી તમને કહું છું કે કઈ બે મિત્ર હોય તેમના તે ચિત્ત પણ વખતે જુદાં હોય; પણ મારું ને તેનું તો શરીર સુદ્ધાં એક છે. " આવી એની વક્રોક્તિથી રાજાએ નિશ્ચયપર આવીને કહ્યું ત્યારે એ નિઃસંશય તુંજ છે; 1 દાન (1) ( હસ્તીના સંબંધમાં) મદ; (2) દાન આપવું તે, 2 ધરણીધી. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #67 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીવરનું જીવનચરિત્ર. નહિતે આમ કહે નહીં. એટલે લજજાથી નીચું જોઈ અભ કહ્યું-આપ પૂજ્યપાદ કહે છે તેમજ છે. " એટલે તો જાણે મા જૈ ગાયત્તે પુત્ર એ વાક્ય પ્રમાણે સ્મિા અને પુત્રનું એકય સૂચવતો હોય તેમ મહીપાળે તેને દઢ આલિંગન દીધું, અને પર્વત જેમ પિતાની ગુફાને વિષે સિંહના બાળને રાખે તેમ તેણે લક્ષ્મીના રંગમંડપરૂપ પિતાના ઉત્સગને વિષે તેને બેસાડ્યો. વળી તે તેનું મસ્તક પણ વારંવાર સુંઘવા લાગ્યા તે જાણે તેની સુગંધ પિતે લેવાને અથવા પિતાની તેને આપવાને ઇચ્છતું હોય એટલા માટે જ હેયની ! શ્રેણિકરાજાએ વળી હર્ષના આંસુઓથી પુત્ર--અભયકુમારને હુવરાવી દીધો તે જાણે તેના શરીરરૂપી ક્ષેત્રને વિષે ઉત્પન્ન થયેલ બુદ્ધિના અંકુરને છંટકાવ કરવાને અર્થેજ હાયની ! એ વખતે હર્ષ પામેલા મહીપતિના ઉત્સગરૂપી આકાશને વિષે ચંદ્રમા સમાન શોભી રહેલા, સિદર્યવડે કામદેવ ઉપર પણ વિજય મેળવનાર રાજકુમાર અભયના મિલનથી, ઈદ્રપુત્ર જયંતના આગમનથી જેમ દેવસભાને વિષે આનંદ ફેલાય તેમ, રાજલોકને વિષે આનંદ આનંદ વોઈ રહ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #68 -------------------------------------------------------------------------- ________________ સર્ગ 2 જો. શ્રેણિક રાજા કુમારના પ્રત્યેક અંગે દુષ્ટિ ફેરવતો મનથી ચિત્રાઈ, આળેખાઈ જતે, ગીજન ગવડે પરમાત્માનું સ્વરૂપ દષ્ટિગોચર કરે તેમ, તેનું રૂપ નિહાળવા લાગ્યું -અહે ! આના ચરણતલ રક્ત, મૃદુ, સિગ્ધ અને અવક છે; તથા ચંદ્રમા–વજી– આદિત્ય-શંખ-અંકુશ-પ-અશ્વ-દર્પણ અને હસ્તીના ચિહેથી યુકત છે; આના રક્ત, તેજસ્વી, ગેળ, ઉંચા અને વિશાળ નખ જાણે દિશાઓના દર્પણ હોયની એવા છે; ચરણ કાચબાની સમાન ઉનત, સ્નિગ્ધ, માંસલ, લિસ્ટ, એક સરખા અને કમળ જેવા ( કમળ ) છે; ગુલફ ઉત્તમ મણિની સમાન ન્હાના છે; જાનુ ગૂઢ છે અને જેઘા સરલ છે; આના મૃદુ અને વિશાળ ઉરૂ કદળીસ્તંભ જેવા ગારવણો છે. કટિભાગ વિશાળ સુવર્ણના ફલક સમાન છે; નાભિ દક્ષિણ આવર્તવાળી અને કૃપસદશ ગંભીર છેઃ ઉદર મૃગપતિ સિંહના જેવું છે; સત્વ સર્વ પ્રાણીઓને આશ્ચર્ય પમાડનારું છે. આનું ઉરાસ્થળ પ્રતળી એટલે પિળના દ્વાર જેવું વિસ્તીર્ણ અને શ્રી કૃષ્ણ વાસુદેવ (ના ઉર સ્થળ) ની પેઠે કેશના ગુચ્છને ધારણ કરનારૂં છે; આનું પૃષ્ટ વિશાલ છે, તે રાજ્યની ચિંતાથી ખિન્ન થયેલા મારા જેવાને જાણે પૃષ્ટપટ્ટ. ( સહાયક ) જેવું લાગે છે; આના બાહુ સરલ અને જાનપર્યન્ત દીર્ઘ છે તે જાણે આકાશને ગ્રહણ કરવાને ઇચ્છતા હોયની ! આના હસ્ત કઠિન છે, તથા કમળના મર્દનથી જ હાયની એમ રક્તવણો અને ઉત્તમ રેખાવાળા છે. આના સ્કંધ સામ્રાજ્યની અને મંત્રિપણાની ધુરાને વહન કરવાને વૃષભના સ્કંધ જેવા ( બલિષ્ટ ) છે. આના કંઠ ઉપર કંબૂની પેઠે ત્રણ રેખાઓ છે તેથી કંઠના ચાર વિભાગ જણાય છે તે જાણે ચાર વિદ્યાઓને સુખે કરીને રહેવાને માટે જ હોયની ! બિંબફળ સમાન કાન્તિવાળા આના ઓઠ જાણે નગરજનેને સાક્ષાત્ અનુરાગ 1 પૃ. 2 શંખ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #69 -------------------------------------------------------------------------- ________________ પર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. હાયની (એવા શેભે છે) ! આના વેત અને દઢ એવા બત્રીશે દાંત જાણે પુરૂષના ( બત્રીશે ) લક્ષણો હોયની એવા છે. આની જિહા કંઈક રકતવણી અને સ્પષ્ટ છે કમળસમાન કાંતિવાળું તાળુ શૂરાતનને સૂચવનારૂં છે; કળિયુગળ, જાણે મૃદુવાણું અને લકમીને સુખે વિશ્રામ લેવાને ઓશીકાં જ હોયની એવા છે. આની નાસિકા દીર્ઘ, ઉંચી અને સરલ છે તે જાણે બુદ્ધિના વિજયથી પ્રાપ્ત થયેલી કીર્તિની યષ્ટિ હોયની ! આનાં નીલવણ કમળ-૫૫ જેવાં નેત્રે જાણે બને લોકને જેવાથી જ હોયની એમ પ્રકુલિત (થયેલાં) છે. વળી આની ભ્રકુટી, પુણ્યરૂપી કણના સમૂહથી પૂર્ણ એવા ક્ષેત્રને વિષે પાપરૂપી કાક–પક્ષીઓને નિષેધ . કરવાને સુંદર નાસિકારૂપી વંશની ઉપર, ભાલની ઉર્ધ્વ રેખાના મિષથી, ખેંચાતી છે પણછ જેની એવું, શરયુક્ત ધનુષ્ય હોયની શું (એવી શોભે છે ) ! આના દેલાની સમાન આકૃતિવાળા, રચનાવિશેષને લીધે રમ્ય તથા સ્કંધ પર્યન્ત આવીને વિશ્રાન્ત થયેલા કર્ણ, જાણે બુદ્ધિના, ત્યાં આવીને કીડા કરી રહેલા વિમર્શ અને પ્રકષ નામના ભ્રાતૃસુત ( ભત્રિજા ) હાયની એવા છે !. વળી આનાં નેત્રે છે તે તો જાણે કમળ જ છે; મુખ જાણે નવીન ચંદ્રમા છે; અને સ્નિગ્ધ અંજન સમાન શ્યામ એવા કેશ છે તે તે જાણે સ્ત્રીઓનાં મનને બાંધી લેવાને પાશ સમાન છે. આના મસ્તક પર વાળના ગુચ્છ દક્ષિણ દિશા તરફ વળેલા છે એ પણ એને અનુકુળ છે, પણ એમાં કંઈ આશ્ચર્ય નથી કારણ કે દક્ષિણ એટલે દક્ષ જનેને આખી પૃથ્વી દક્ષિણ એટલે અનુકુળ જ હિય છે. એણે ગતિથી રાજહંસને જીતી લીધા છે તે એ મંત્રશક્તિથી પણ રાજહુસેને જીતી લેશે એમાં કંઈ આશ્ચર્ય નથી. વળી આ બુદ્ધિમાન્ કુમારે પિતાના સ્વરથી, જળભયો ભાદ્રપદના મેઘને જીતી લીધું છે એ પણ યુક્તજ છે. વળી આ જે ઉંચી પદવીની ઈચ્છા રાખે છે તે નિશ્ચચે ઉર્વશી છેઅથવા તો 1 લાકડી. 2 હિંચકે. 3 એ નામના પક્ષીઓ. 4 ઉત્તમ રાજા. 5 એ મેઘને સ્વર ગંભીર છે; પણ આ કુમારનો તે એથી વધારે ગંભીર છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશમહોત્સવ. પહ એનું જે જે અંગે હું જોઉં છું તે તે મને સુંદર અને લોકેત્તર લાગે છે. શું વિધાતાએ સામુદ્રિક શાસ્ત્ર જોઈને એમાં કહેલાં લક્ષણોએ યુક્ત આને સરળે છે ? અથવા તે આને જ જોઈને એને સાર જાણી લઈ પછી સામુદ્રિક શાસ્ત્ર રચ્યું હશે ?" - આ પ્રમાણે હર્ષસહિત કુમારના અંગેનું નિરૂપણ કરી, રાજાએ એને પૂછ્યું–મારા કુળરૂપી આકાશના સૂર્ય હાલ તારી માતા કયાં છે ? અભયે ઉત્તર આપે-હે તાત, આપના અગણિતગુણયુક્ત ચરણકમળનું હંસીની પેઠે નિત્ય સ્મરણ કરતી મારી માતા નગરની બહાર ઉદ્યાનમાં છે. આ સાંભળીને રાજાએ, કુમારને આગળ રાખીને નન્દાને નગરને વિષે પ્રવેશ કરાવવાને સેવકજનેને આદેશ કર્યો અને પોતે પણ પાછળ ગયે; કારણકે રાગી પુરૂષ શું નથી કરતે ? પછી પવિત્ર શીલના પાત્રરૂપ એવી નન્દા હર્ષમાં અંગપર ઉત્તમ વસ્ત્રાભૂષણ સજવા લાગી પણ એને અભયે વારી ( અહે ! માતાને પુત્રનાં શિક્ષાવચન પણ સારા માટે છે); કારણકે પતિ પરદેશ હોય ત્યારે સ્ત્રીઓએ એવાં વસ્ત્રાભરણ ધારણ કરવા ગ્ય નથી : સૂર્ય અન્ય દ્વિપમાં હોય ત્યારે કમલિની પણ વિકસ્વર થતી નથી. એટલે વિચારને વિષે બધુસમાન એવા પુત્રનાં વચન સાંભળીને ના પૂર્વના જ વેષમાં રહી? કારણકે ડાહ્યા માણસેએ બાળકનાં પણ હિતકારક સાર વાકય ઔષધિની પેઠે અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. રાજાએ આવીને ઢીલાં પડી ગયેલા કંકણવાળી, નેત્રને વિષે અંજન વિનાની અને મલિન વસ્ત્રમાં રહેલી નન્દાને જોઈ તો એ એને અલ્પ જળમાં ઉગેલી એક કમળની જેવી લાગી. એણે પછી નન્દાને કહ્યું–અહો ! તારાં અંગ દુર્બળ થઈ ગયાં છે : અથવા તે એમાં કંઈ આશ્ચર્ય નથી કારણકે સતીનું ચરિત્ર સાધી જેવું હોય છે એમ કહીને ચિંતાતુર નન્દાને યોગ્ય રીતે આનન્દ આપવા લાગ્યું. પછી એણે હર્ષમાં દુકાને દુકાને કસુંબાની વજાઓથી અને રસ્તે રસ્તે ઉત્તમ તોરણે બંધાવીને નગર શણગારાવ્યું. આગળ પુત્ર ને પાછળ ઉત્તમ વસ્ત્રાભૂષણ પહેરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #71 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. સતી નન્દાએ હસ્તી ઉપર બેસીને નગરને વિષે પ્રવેશ કર્યો, જયન્ત સહિત ઈન્દ્રાણ પ્રવેશ કરે તેમ. તે વખતે વાયુને લીધે હાલતી કેવાઓથી દુકાનની પંક્તિઓ, પુત્ર સહિત પ્રવેશ કરતી નન્દાના જાણે લણ ઉતારતી હેયની એમ દેખાવા લાગી અને અત્યન્ત રૂપવતી નન્દાને અને તેના પુત્રને જોઈને લેકેની દૃષ્ટિ જાણે થંભાઈ ગઈ હોય એમ નિશ્ચળ થઈ ગઈ. વળી કેતક જેવાને ઉત્સુક એવી સ્ત્રીઓને વિષે આવી આવી ચેષ્ટાઓ થઈ રહી કઈ એકાવળી હારને સ્થળે વિચિત્ર મણિ અને સુવર્ણની મેખલા પહેરવા લાગી, અને કેઈ કુંડળની જગ્યાએ કંકણ પહેરવા લાગી. કેઈ સ્ત્રીઓએ બાજુબંધ પડતા મુકીને ઉતાવળમાં ને ઉતાવળમાં હાથે નૂપુર પહેયો અને કેઈએ તે કુતૂહળ જેવાના આવેશમાં એકને બલે બીજું વસ્ત્ર પહેરી લીધું. કેઈએ તે બિલાડીના બચ્ચાને પિતાનું બાળક ધારી કેડમાં બેસાડી લીધું કેઈએ કેળના બચ્ચાને તે કેઈએ કપિલાસુત જેવા વાનરને અને કેઈએ તે વળી ભૂંડના બચ્ચાંને તેડી લીધું ! તેથી સખી સખીઓમાં હસાહસ થઈ રહી કે અહિ ! તે નવાં નવાં બાળકે લાવી. અહે! સમાન વસ્તુઓને વિષે હમેશાં ભૂલ થાય છે. " આ પ્રમાણે હસવા સરખા વેષની ચેષ્ટાઓ કરતી સ્ત્રીઓ ઘરની બહાર નીકળીને રસ્તે રસ્તે ઉભી રહી નન્દાને અને એના પુત્રને જોઈ હર્ષવડે કહેવા લાગી -નિશ્ચયે આણે પૂર્વભવને વિષે સુપાત્રદાન દીધું હશે, નિષ્કલંક શીલ પાળ્યું હશે, કર તપ કર્યું હશે અને ધર્મરૂપી પૃથ્વીને વિષે કુશળતારૂપી બીજ વાવ્યું હશે એને લીધે જ એ આવા ઉત્તમ પુત્રની જનની અને એવા શ્રેણિકનૃપ જેવા મહાન રાજાની સ્ત્રી થઈ છે. દેવાંગનાઓથી પણ અધિક એનું લાવણ્ય છે, અન્યને વિષે ન જ હેય એવું એનું રૂપ છે અને સર્વ જગત કરતાં ઉત્કૃષ્ટ એનું ગાંભીર્ય છે કે જે એને સગે વ્યાપી રહ્યું છે. કાંચનની કાન્તિને હરી લેનારૂં એવું એનું શૈર્ય છે; અંગની પ્રિયતાનું એકજ ધુર્ય એવું એનું માધુર્ય છે. વળી સર્વ લોકે એનું નામ P.P. Ac. Gunratnasuri M.S. Page #72 -------------------------------------------------------------------------- ________________ સિ૦ ના પટ્ટરાણી પદે. જાણે છે એને ઓળખે છે ( એવું એનું આદેયનામકર્મ છે), આમ એક સ્ત્રીને વિષે જેજે આકર્ષણ કરનારા ગુણે જોઈએ તે આ (ના) માં છે. વળી અહે! આ બ્રીજનને વિષે શિરેમણિ એવી નન્દાએ, વિડુરપર્વતની ભૂમિ વડુ મણિને જન્મ આપે તેમ, આ દેવકુમાર તુલ્ય અને સદ્ગણોના એકજ સ્થાનરૂપ પુત્રને જન્મ આપે છે. આ શ્રેષ્ઠી પુત્રી સર્વ ભાગ્યવતી સ્ત્રીઓને વિષે શ્રેષ્ઠ છે કારણકે એને આ ભૂપતિ પતિ મલ્ય છે; અને વળી રતનેને પ્રસવનારી નારીઓને વિષે પણ એ મુખ્ય છે, કેમકે આવો અભયકુમાર જે એને પુત્ર થયેલ છે. વિધાતા પ્રસન્ન થાય ને આપણનેય એવું મળે ! * નગરની સ્ત્રીઓને આવે આ સંલાપ સાંભળતી (છતાં ) અભિમાન રહિત એવી નન્દાને રાજાએ, નગરજનના નાદ અને પ્રતિનાદથી પૂરાઈ ગયેલા દિગંતોની વચ્ચે, મોટા ઉત્સવ સહિત નગરને વિષે પ્રવેશ કરાવ્યું. એટલે એણે પણ પુત્ર સહિત રાજમહેલમાં આવી સાસુઓને મસ્તક નમાવીને પ્રણામ કર્યા; કારણકે ઉત્કૃષ્ટ લક્ષ્મીને વિષે લીન એવા પણ કુલીન જને પિતાના માર્ગનું ઉલ્લંઘન કરતા નથી. સાસુઓએ બહુ માન સહિત આશિષ આપી કે-હે વત્સ તું યાવરચંદ્રદિવાકરે તારા ભતોના સિભાગ્યરૂપ થા, સિભાગ્યવતી રહે, પુત્રવતી થા અને વિજય પામ; અને વસ્ત્ર અભય, તું પણ એક હસ્તી પિતાના યૂથનું અધિપતિપણું પ્રાપ્ત કરે તેમ રાજ્યનું આધિપત્ય પામ, અને ચિરંજીવી થા; સાથે વળી વૃદ્ધા માતાની એ પણ આશિષ છે કે સર્વે સમૃદ્ધિને વિષે તને સંતતિની પણ વૃદ્ધિ થાઓ. પછી શ્રેણિકનૃપતિએ અનેકગુણવતી નન્દાને પટ્ટરાણીને પહે સ્થાપી. આ પ્રમાણે રૂપવતી અને ઉત્તમ કુળને વિષે જન્મેલી નજા શ્રેણિકની મુખ્ય રાણી થઈ અને વીરપુરૂષની માતા થઇ.. - હવે શ્રેણિકનૃપતિને કેઈ વિદ્યાધરાધિપતિની સાથે પરમ મિત્રતા હશે, પરન્તુ એ, સિંહની સાથે શિયાળની મિત્રી જેવું હતું; માટે એને દઢ કરવાને એણે પિતાની બહેન સુસેનાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #73 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. એને વેરે પરણાવી હતી. ( કારણ કે વૃક્ષોની આદ્રતા પણ જળ આદિથી એની સેવા કયો શિવાય દીર્ઘકાળ પર્યન્ત ટકતી નથી.) પછી શ્રેણિકે પિતાના બનેવીને કહ્યું-મારી બહેન સુસેનાને તમે સારી પેઠે સાચવજો. સ્વપ્રને વિષે પણ એને દુભવશો નહિ. આ સુસેનાને તે, મેં તમારા વિશે ધારણ કરેલી સાક્ષાત્ મિત્રી જ સમજજે. વિદ્યારે પણ એનાં વચન અંગીકાર કયો; કારણ કે સત્પરૂની મિત્રી ઉભય પક્ષને શોભાવનારી હોય છે. પછી વિચિત્ર લીલા અને વિનયના એક ધામરૂપ એવી સુસેનાને વિદ્યાધર વિમાનમાં બેસાડીને પિતાને સ્થાને લઈ ગયે. ત્યાં ભાગ્ય, મિષ્ટવચન અને સુંદરરૂપ વગેરે ગુણોને લીધે એ એની માનિતી થઈ પડી; કારણકે પુત્રીને વાસ્તે જમાઈને ઘણું કહેવામાં આવે છે પણ એની પ્રાર્થના તે એના ગુણોને લીધે જ થાય છે પછી એણે બીજી સ્ત્રીઓમાં નહિં દેખાતા એવા એના ગુણોને લીધે, હર્ષ પામી એને પટ્ટરાણી સ્થાપી; કારણકે વિદ્વાન કૃતજ્ઞ પુરૂષે નિરન્તર ગુણોને અનુરૂપ જ પદવી આપે છે. - હવે પતિની સાથે ધર્મ, અર્થ અને કામ સંબંધી વિષયને અનુભવતી સુસેનાને કેટલેક કાળ, તલાવડીને વિષે કમલિની ઉત્પન્ન થાય તેમ, એક પુત્રી થઈ. પણ સુસેનાપર પિતાના સ્વામીને અત્યંત રાગ અંતઃપુરની બીજી રાણીઓ સહન કરી શકી નહિં. પણ તેથી તે ઉલટે આ રાજપુત્રીએ એને એવી રીતે રાખ્યો છે. બીજી રાણુંઓ એની સાથે ભાષણ સરખું ન કરી શકે. એટલે-હવે આપણે શું કરવું—એ વિચારમાં પડેલી એવી એ બીજી બેલી-અહો આપણુ જેવી આકાશગામી વિદ્યાધરના વંશને વિષે જન્મ પામેલી સ્ત્રીઓને એણે પરાભવ કયી છે; એ દીન કાગડી સરખીએ રાજહંસીના મસ્તક પર પગ મૂકયા છે. ઉગ્રવિષવાળા સપને ગ્રહણ કરવાની ઇચ્છા સારી, પારકાના સ્થાનને વિષે નિરન્તર ભિક્ષા પણ સારી, પોતાના કરતાં નીચ : 1. અર્થાત એનામાં ગુણ હોય તેજ એને સ્વામી એના ગુણથી આકર્ષાઈ એની પ્રાર્થના કરતે આવે Jun Gun Aaradhak Trust Page #74 -------------------------------------------------------------------------- ________________ સપનીનું વિષમ ચરિત્ર. પિ૭ પુરૂષને વચનપ્રહાર પણ સારે, અન્ન ને જળનાં સાંસાં પણ સારાં, વસ્ત્રાભૂષણ રહિત શરીર પણ સારું, અને ભયકંર અટવીને વિષે વાસ હોય તે પણ સાર; પણ સપની–જે-શેક્ય–તેનાથી પરાભવ પામવો એ સારું નથી. માટે આ શક્યરૂપી વ્યાધિને, તે પુત્રજન્મરૂપે વૃદ્ધિ પામે તે અગાઉ, ઉચ્છેદ કર ગ્ય છે. નહિં તે પાછળથી એ અપર શબ્દની પેઠે અનેક યુક્તિઓ કરતાં છતાં પણ અસાધ્ય થશે. વૃક્ષ પણ જે એના મૂળ બહુ ઉંડાં ગયા હોય તો ઉખેડી નાખવું મુશ્કેલ પડે છે; બાહુલ્યપણાની સ્થિતિવાળી મેહનીય કર્મની ગ્રંથિને ભવ્યપુરૂષે પણ ભેદી શકતા નથી. ' ' * આ વિચાર કરીને એ નિર્દયે રાણીઓએ સુસેનાને વિષ કે એવું કંઈ દઈને પ્રાણ લીધા; અથવા કલહ એજ છે અગ્રેસર જેમાં એવા શાક્યના વેરને માટે શું શું કરવા યોગ્ય નથી? આ શોકનું આવું વિષમ ચરિત્ર જોઈને વિદ્યારે વિચાર્યું કે કામાતુર પ્રાણીઓ અન્યભવને નહિં. વિચાર કરીને આવાં પાપાચરણ કરે છે (કારણ કે ) મહામહને વશ થઈને આ સ્ત્રીઓએ માતંગીની પેઠે નિર્દય કાર્ય કર્યું છે; અથવા તો જે પ્રાણી કામદેવથી પરાભવ પામ્યું તે પ્રાણી સર્વથી પરાભવ પામ્ય સમજવો. હવે મારે સુસેનાની પુત્રીને રક્ષાને અર્થે શ્રેણિકને સોંપી દેવી ગ્ય છે કારણ કે વિવેકશૂન્ય પ્રાણીઓ વૈરિની સંતતિ પર પણ વેર રાખે છે. આમ ધારીને એણે એ કન્યા શ્રેણિકને સોંપી, એમ કહીને કે, હે રાજન, આ તારી ભાણેજનું કુશળપણે રક્ષણ કરજે.. હવે શ્રેણિકનરપતિના મંદિરને વિષે રહેતી એ કન્યા મેરૂ પર્વત ઉપરની કલ્પલતાની પેઠે વૃદ્ધિ પામવા લાગી. એટલે રાજાએ વિચાર કર્યો–મારી પુત્રી તો અભયને કલ્પ નહીં માટે આ " 1. વ્યાધિ. કહેવાની મતલબ એ છે કે સુસેનાને પુત્રપ્રાપ્તિ થાય એ પહેલાં એના પ્રાણ લેવા જોઈએ. 2 સંસ્કૃતમાં ગg શબ્દ છે તે અવ્યય હોવાથી એનાં રૂપ ન થાય એટલે એ “અસાધ” કહેવાય છે. * * 3. બીજાં બધાં કર્મોની સ્થિતિથી મેહનીય કર્મની સ્થિતિ વધારે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #75 -------------------------------------------------------------------------- ________________ 58 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. મારી બહેન સુસેનાની પુત્રી જે અકથ્ય રૂપગુણને ભંડાર છે તેને એને વેરે આપું; કારણ કે અનુરૂપ સ્વરૂપવાન જેડાનો વિવાહ જવાથી નિઃશંસય મારી કીતિ ગવાશે. એમ વિચારીને તેણે નિરંતર શાસ્ત્રના પરિચયવાળા જ્યોતિષીને વિવાહલગ્ન પૂછયું તે તેણે નિમેષમાત્ર વિચાર કરીને રાજાને કહ્યું –રાજન, આ વખતે ઉત્તમ વૃષ લગ્ન છે કેમકે એમાં મુખ્ય સ્થાને બૃહસ્પતિ છે, બીજા સ્થાનમાં ચંદ્રમા છે અને શનિ તથા રાહુ ત્રીજે છે. ચેથા સ્થાનને વિષે શુક છે; મંગળ છઠું સ્થાને છે અને બુધ દશમે સ્થાને છે. વળી સૂર્ય એકાદશ સ્થાને છે. માટે એ સર્વ હર્ષ–સંપત્તિ-આરોગ્ય અને પુત્રવૃદ્ધિના કારણભૂત છે. એ સાંભળીને મહીપતિએ એ કુલગુરૂનું વસ્ત્રાદિથી સન્માન કરી તેને વિસર્જન કર્યો; કારણ કે વિદ્યા-એ સવકેઈને પૂજ્ય છે. પછી નરપતિશ્રેણિકના આદેશથી તેના પ્રધાને વિવાહની સકળ સામગ્રી કરાવવામાં પડ્યા -ગૃહોને લીપાવીને ચુનાથી ધળાવ્યાં ને તેમના દ્વારે લીલા તેણે અને નાના પ્રકારના ઉલ્લેચ બંધાવ્યા, ત્રિલેકને આશ્ચર્યકારી એવા ચિત્ર કલાવાન કારીગરે પાસે ચિત્રાવ્યાં અને અનેક ઉત્તમ વ, તથા નાગવઠ્ઠી સપારી આદિ વસ્તુઓ ખરીદી. સેની લેકે ઉત્તમ મણિબદ્ધ સુવર્ણનાં આભૂષણ ઘડવા લાગ્યા; માળીલોકે સુગંધી પુષ્પોની માળા ગુંથવા લાગ્યા અને નગરવાસિને પણ ઉત્તમ વસ્ત્રાભરણ સજવા લાગ્યા. વળી તેમને આમંત્રણ કરીને મંડપને વિષે ઉત્તમ આસન પર બેસારીને મોટા થાળે તેમને પીરસવામાં આવ્યા. તેમાં અડ, ખજુર, નાળિએર, આમ્રફળ, રાયણ, . દાડિમ, જબીર, રંભાફળ, નાગરંગ વગેરે ફળ; વાલુક, કુષ્માંડ, કપિસ્થ, સૂંઠ, હરડે આદિના બનાવેલા પ્રલેહ; અનેક શાક, વડાં, નવાં આમ્રફળ તથા પરિપકવ આંબલીની બનાવેલી ચટણીઓ; સુગંધી શાળને બનાવેલું વ્રતથી તૃપ્ત કરેલ અને સુવર્ણના જેવા વર્ણન બિરંજ, અત્યંત સુવાસિત મોદક તથા ખાંડના ખાજા, અને દુઃખ દૂર કરી સુખને આપનારી સુખડી; કપૂરની વાસવાળા ધૃતથી પૂર્ણ એવા ઉત્તમ પુડલા; ગરમ દુધની ક્ષીર અને સાથે P. Ac. Gunrathasuri M.S. Page #76 -------------------------------------------------------------------------- ________________ અભયકુમારને વિવાહમંડપ. પ૯ મીઠી લાપશી; વળી સ્વાદીષ્ટ દહીં તથા દહીંના ઘોળ-વગેરે વગેરેથી તેમને તૃપ્ત કરી ચંદનના લેપ ચચ તાંબૂલ આપવામાં આવ્યાં. એ નાગરિકને પણ આવો આદરસત્કાર પામીને વિચારવા લાગ્યા કે આપણા આ મહારાજાના મહેલમાં તે આપણને જાણે સદાયે પર્વદિવસે જ વોય છે. વળી ત્યાં તો અક્ષતનાં પાત્ર આવ્યાં; ઉત્તમ વસ્ત્રાભરણ સજીને નારીઓ નૃત્ય કરવા લાગી; અને મધુર કંઠવાળા ભાટ, ચારણ અને વામનજને ઉત્તમ ગીત ગાવા લાગ્યા. વળી સેવકજને અન્ય સર્વ કાર્યો સમાપ્ત કરીને ક્ષણવારમાં ઉત્તમ મંડપ રચવા લાગ્યા. તેને વિષે આકાશમાંના મેઘ જેવા નાના પ્રકારનાં સુંદર ઉલેચ બાંધી દીધા અને વચ્ચે મુક્તાફળની માળાઓ લટકાવી દીધી, તે જાણે મહીપતિની કીતિ ઉંચે ( સ્વર્ગમાં ) જવાને પ્રવૃત થઈ હેયની તેમ શેભવા લાગી. તેની ચારે બાજુએ મણિના સમૂહથી વિરાજિત એવાં તોરણે પણ બાંધી દીધાં અને ખંભે ખંભે સુંદર વસ્ત્રાલંકારવાળી અને સ્વરૂપવાન પુતળીઓ મુકી દીધી, તે જાણે કદિ ન જોયેલો. એ પાણિગ્રહણને પ્રસંગ નીરખવાને આકાશમાંથી દેવીએ ઉતરી આવી હેયની એવી શોભવા લાગી. આસપાસ વંદનમાળા એટલે તેરણોને સ્થળે નીલવર્ણના આમ્રતરૂના પત્રોની માળા ગોઠવી દીધી, તે જાણે મંડપને વિષે ગવાતાં ધવળમંગળને અભ્યાસ કરવાને પિોપટની પંક્તિઓ આવી હેયની એવી વિરાજી રહી. મંદમંદ પવનથી હાલતી નજાઓ અને તે ઉપર રહેલી ઘુઘરીઓ અનુક્રમે વિવાહિની સ્ત્રીઓની ગેરહાજરીમાં જાણે હર્ષથી નૃત્ય કરતી હોય તથા ગીત ગાતી હોય તેમ જણાવા લાગી. વળી એ મહાન મંડપની ઉપર અત્યન્ત કાન્તિમાન સુવર્ણના કુંભે ચળકાટ મારવા લાગ્યા; કારણકે વરવધુના પ્રવેશને સમયે શુભ શકુનને અર્થે એવા પૂર્ણ કુંભ મુકવામાં આવે છે. પછી ઘાટાકુંકુમને છંટકાવ કરીને ભૂમિ ઉપર પુષિ વેરવામાં આવ્યા, તેથી તે ( ભૂમિ ) જાણે અભયકુમારને વિવાહ સાંભળીને હષોથુથી ભીંજાઈ ગઈ હોયની અને રોમાંચથી પૂરાઈ ગઈ હોયની એવી જણાવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #77 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. લાગી. ચોતરફ લીલા વાંસ બાંધી લઈને, તેમની વચ્ચે અત્યંત ગેળ, ધવળ તથા સુંદર વેદીના કળશની ચાર હાર ( ચેરી ) ગોઠવવામાં આવી. ( અહિં કળશની હારને આશ્રય લઈને વાંસ રહ્યા, તે ઉપર કવિ ઉઠેક્ષા કરે છે કે) વૃત [ સ્થિર ] અને અવદાત [ પવિત્ર, નિષ્કલંક ] એવી વસ્તુને કણ આશ્રય લે ? વળી ત્યાં સ્ત્રીઓ પણ આ અવસરે અત્યંત હર્ષમાં આવી જઈને પરસ્પર ઉત્સાહ વધારતી પિોતપોતાના કાર્યને વિષે અતિ ત્વર કરતી કહેવા લાગી હે કપૂરિ, તું અહિં કપૂર લાવ; હે ચંદનિ, તું ચંદન ઘસી કાઢ; હે ચટા, તું મુકોને અહિં આગળ લાવ; હે પુષ્પદંતિ, તું પુપની માળાઓ લઈ આવ; અલી સ્થીતિ, જા, અપૂર્વ દવ-દધિના પિંડ સદશ ચંદન-તથા અક્ષત એવા ચેખાને, વરને અઘ આપવાને માટે એક સુંદર અમૂલ્ય થાળને વિષે તૈયાર કરીને મૂક; અલી દશે, તું પણ જલદી ઉત્તમ કેસર અને કુકુંમ પુષ્કળ તૈયાર કર, કે જેથી સ્ત્રીઓના સીમંત દેશ (સેંથા) પાસે રમ્ય સ્તબક રચાય; બહેન ચતુરા, જા તું પણ દ્વારઆગળ જાતિવંત મુક્તાફળોને એક મનહર સાથિઓ રચી કાઢ; સખિ ગામટે, તે વેદિમધ્યે ગેમયને ગેમુખ બનાવીને તૈયાર રાખે છે કે ? અલી આચારવિ, તે વરને બેસવાની મંચિકા, અને ચરણને વિષ ધારણ કરવાની પાદુકા અહિં આણી રાખી કે ? તમે કેમળ કંડને ધારણ કરનારી બહેને, ચાલે ધવળમંગળ ગાઓ અને તમારી એ કળાને સફળ કરે; અલી વસ્તિનિ જા કસ્તુરી ઉતાર, કારણ કે હેનના ( કન્યાના ) ઉજ્વળ કપાળસ્થળપર, અશેષ વિશ્વજનના નેત્રને આકર્ષવાને યંત્ર સમાન એવી પત્રવલ્લી ( પીળ ) કાઢવી છે. અલી ચંદ્રિ, તું કેમ આમ દીનની જેમ બેડી છે? અલી પદ્મા, હજુ તું કેમ નિદ્રામાં છો ? અલી કપિલવાદિનિ ચપલા, તું આજ તારૂં વિસ્તારવાળું ભાષણ પડતું મૂક; અલી ગારવણ ગરી, તું નિરાંતે પુનઃ પુનઃ શરીરને જળવડે પ્રક્ષાલન કર્યા કરે છે તે તેમાં તને એટલીબધી વાર લાગી છે કે લગ્નને અવસર થઈ ગયે તેની પણ તને ખબર પડતી નથી. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #78 -------------------------------------------------------------------------- ________________ વધૂનાં વસ્ત્રાલંકાર. આમ બેલીને સ્ત્રીજને અતિ હર્ષ સહિત પરસ્પર ઉત્સાહ વધારતી બહુ ઝડપથી પિતાપિતાનાં કાર્યો કરવા લાગી; કારણકે એમને એક બીજાને કામ કરતી જોઈને બહુ આનંદ ઉપજે છે. તે વખતે મધુર કંઠવાળી સ્ત્રીઓ પૂરતાનમાં ધવળમંગળ ગાવા લાગી અને બીજી સન્નારીઓ સુસેનાની પુત્રીને પીકિ ઉપર બેસારીને ઉત્તમ તેલવડે અત્યંગ કરવા લાગી. પછી કમળ હસ્તવાળી સ્ત્રીઓએ તેને સર્વોગે પીઠી ચોળી. ત્યાર પછી બીજી શેષ વિધિ કરવાને અર્થે તેને એકાતે લઈ જઈ એક ઉંચી માંચી આણી ચારે ખુણે સુજ્ઞસ્ત્રીઓએ રંગની પુડલીઓ મૂકી; અને કન્યાને હર્ષસહિત ઉત્તમ કસુંબાના વસ્ત્ર પહેરાવ્યાં. પછી રતિ અને પ્રીતિના જેવી રૂપવતી એ વિદ્યાધરપુત્રીને એ માંચી ઉપર બેસારી ઉત્તમ વાવાળી સૈભાગ્યવતી સ્ત્રીઓએ તજનીવડે તિલક કર્યો. પછી તરાકના કાંતેલા, કસુંબા જેવા લાલ સૂત્રને તેના દક્ષિણ અને વામ જાનુએ સ્પર્શ કરાવ્યે; એ પ્રમાણે તેને વર્ણકમાં નાંખી, ને પછી તેની ઉદ્ધવણુંક કરવા માંડી તે આ પ્રમાણેઃ તેને સ્નાન કરવાના આસન ઉપર બેસારીને સુવર્ણના કુભમાંથી જળસ્નાન કરાવ્યું અને તેના ભીના કેમળ શરીરને રૂંવાટાવાળા વસ્ત્રવડે લુછી કેરું કર્યું, જળથી ભરેલા કેશને પણ વળ દઈ દઈને નીચેવ્યા તેમાંથી મુક્તાફળ જેવાં જળબિંદુઓ ટપકવા લાગ્યા, તે જાણે ગાયના સ્તનમાંથી દેહવાતી હીરની ધારાજ હેયની ! પછી એના કેશપાશને સુવાસિત કરવાને અર્થે સુગંધી ધપ વડે ધૂપ કર્યો; લાક્ષારસવડે હાથપગ રંગ્યા અને અંગે કેસરને લેપ કર્યો. બન્ને ગાલ ઉપર કામદેવના યશવર્ણન જેવી સુંદર પીળ કાઢી અને નેત્રમાં અંજન આયું. આમ પ્રત્યેક અંગે અનંગને તીવ્ર કર્યો. તેના લલાટને વિષે ઉત્તમ ચંદનનું તિલક કરવામાં આવ્યું તે જાણે અષ્ટમીના ચંદ્રમાના ભ્રમથી ત્યાં આદ્રો (નક્ષત્ર આપ્યું હેયની, અથવા મંત્રીધર (અભયકુમાર) ની (થનારી) પત્ની પાસેથી બુદ્ધિ પ્રાપ્ત કરવાને ઇંદ્રને મંત્રી 1 વર્ણક-પીઠી. વણકમાં નાખી=પીટીઆતી કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #79 -------------------------------------------------------------------------- ________________ 2 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. (બહસ્પતિ) આવ્ય હાયની ! વળી તેમણે પ્રસરી રહેલી સુવાસ વાળો અને પુષ્પથી ગતિ એ એને અંડે રચે, કે જેને વિશે, તપશ્ચર્યા કરતે સ્વેચ્છાચારી કામદેવ જાણે વાસ કરતે હેયની ! ત્યારપછી ચક્ષુને એકદમ સ્થિર કરનારા અર્થાત અત્યંત મનોહર એવા ઉજ્વળ વ તેને પહેરાવ્યાં, અને મસ્તકપર પુષ્પને મુકુટ બાયે. કારણકે શીષ–એ સર્વ ગાત્રામાં પ્રધાન છે. વળી કર્ણને વિષે પણ દાસીજનોએ શોભાને અર્થે આભૂષણ પહેરાવ્યાં; કારણકે જનસમૂહને અન્ય કૃતિ ( વેદ ) પણ પૂજ્ય છે તે પિતાની કૃતિ | શ્રવણ-કાન | પૂજ્ય હોય તેમાં તે શું કહેવું? વળી તેમણે એના કાનના નીચલા ચાપકાને વિષે, સ્કંધ ઉપર વિશ્રામ લેઈ ઝુલતા, કુંડળ પહેરાવ્યાં, તે જાણે તેના મુખ રૂપ ચંદ્રમાના ભ્રમથી રખે ત્યાં રાહુ આવે એને ભય પમાડવાને વાતે બે ચકો | રાખ્યાં ] હેયની ! ત્રણ રેખાએ યુક્ત એવા એના કંઠને વિષે પણ તેમણે સુવર્ણની કંઠી પહેરાવી એ પણ ઠીક કર્યું કારણકે શંખ ઉપર વિજય મેળવવાથી યશ પામેલા એ કંઠને એવું આભૂષણ જોઈએ જ. શ્રેષ્ઠ અને પાણીદાર મુક્તાફળને, નાભિ સુધી લટકતે હાર એના હૃદયને વિષે વિરાજવા લાગ્યા; તે જાણે એના નાભિકુપમાં રહેલા લાવણ્યજળને કાઢવાને ઘટીયંત્ર માંડેલું હાયની (એ લાગતો હતો ) ! તેના ગરવણું બાહુને વિષે રહેલાં, હેમમય ઈદ્રનીલમણિજડિત, કેયૂર ઉત્કટપની વાસથી નવા પદ્મનાલની બ્રાન્તિએ કરીને, આવીને લાગેલા મધુરની પંક્તિ હેયની એવાં દીપી રહ્યાં હતાં. વળી એ સ્ત્રીઓએ એના હસ્તને વિષે મુક્તાફળજડિત સવર્ણના ઉત્તમ કંકણના મિષે ચરણ અને મસ્તકને કમળાની સામે વીરપટ્ટ બાંધે હાયની ! તેની સર્વ આંગળીઓને વિષે સારી રીતે બંધબેસતી વજીની મુદ્રિકાઓ પહેરાવી તે જાણે કામદશાથી વિરક્ત રહેલા વિધિરૂપી રાજા પાસેથી તેણે મેળવેલી મુદ્રા અથવા લેખ હાયની ! એના કટિપ્રદેશને વિષે મણિની મેખલા પહેરાવી તે P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #80 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર વરરાજ. જાણે કામદેવરૂપી હસ્તીને બાંધવાને વાસ્તે સાંકળ હેયની ! વળી તેના ચરણને વિષે નૂપુર પહેરાવ્યાં તે જાણે પદ્માદેવી [લક્ષ્મી નો પરાજય કરીને તેની પાસેથી લઈ લીધેલાં હેયની ( એવાં શેભતાં હતાં ). મુક્તાફળ અને હીરાઓથી અંકિત એવી સુવર્ણની અંગુડીઓ એના ચરણની આંગળીઓમાં પહેરાવવામાં આવી તેથી જાણે એમણે ( આંગળીઓએ ) દશે દિશાઓની લક્ષ્મીના કેશાલયને વિષે પ્રવેશ કર્યો હોયની એવી શોભવા લાગી. આ પ્રમાણે એને દેવકન્યાની પેઠે યથાસ્થાને ચગ્ય આભૂષણો પહેરાવીને દાસીજનેએ, તેડીને સુરાલય (સ્વર્ગ ) તુલ્ય માતૃગૃહ (માયરા) માં આણી. અહિં નન્દાપુત્ર અભયકુમાર પણ સર્વ મંગળકાર્ય પૂર્ણ કરીને વરને એગ્ય એવાં વસ્ત્ર સજી અશ્વપર આરૂઢ થઈને પિતાના ઘરથી બહાર નીકળે. તેની પાછળ પહેરેગીરે ચાલતા હતા; મયૂરપિચ્છનું છત્ર તેનાપર ધરવામાં આવ્યું હતું; ચામર વિજાતાં હતાં અને ભાટલેકે ઉંચા ઉંચા હાથ કરીને મંગળ ગાન ગાતા હતા. સર્વ માંગલિક કલેક માટે સાદે બેલાવાથી સ્કુરાયમાન થતા તેને તારસ્વર પૃથ્વીની કુક્ષિને વિષે ભરાઈ જતો હતે. મૃદંગ-વીણા-ઉત્તમ વેણુ આદિના શબ્દોની સંગાથે પ્રમદાન નૃત્ય થઈ રહ્યો હતો. પાછળ બેઠેલી બહેન અન્યજનના ટુષ્ટિદોષનું નિવારણ કરવાને ભાઈના લવણ ઉતારતી હતી. એમ અનેક અનુકુળ શક સહિત વરરાજા મંડપના દ્વાર આગળ આવી પહોંચ્યા. ત્યાં અશ્વપરથી નીચે ઉતરી સર્વ રીતભાતના જ્ઞાનવાળો અભયકુમાર દૃષ્ટિમાંથી અમૃત વર્ષાવતે ક્ષણવાર ઉભો રહ્યો. એટલે એક સ્ત્રીએ આવીને વોનું પાત્ર-મુસળ–યુગ ( ઘસરૂ) અને મંથા (ર) ત્યાં આણીને મૂક્યા. વળી બીજી આવોને, જેમાં અગ્નિ અને લવણ હોવાથી તડતડ અવાજ થયા કરતે હતો એવાં સંપુટાકારે બાંધેલા સરાવ મુકી ગઈ, કેમકે આવું કામ કરવામાં વડીલ સ્ત્રીઓજ પ્રગલ્ય હોય છે. પછી " હે મૃગના જેવા નેત્રવાળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #81 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. (વેવાણ ) ! યેગ્ય એવા આ વરરાજાને અઘ” આપ; ( રંગને ) છટકાવ કર; વેત દુ-દધિ-ચંદન વગેરે ચતુરાઈ સહિત થાળમાંથી ફેંક. આ ઉત્તમ વેષવાળો મહેટ વરરાજા તારા આંગણામાં નમીને પડદામાં ઉભે છે, તેને તું જે; એ તે કામદેવ છે કે દેવકુમાર છે ? પુષ્પ અને ચંદન શુષ્ક થઈ જાય છે માટે સાસુ, હવે વરરાજાને ખોટી ન કરે. " આવા ગીત સાંભળીને, સાસુપદને ધારણ કરનારી પ્રમદા હતી તે હર્ષ સહિત ઉભી થઈ. યુગ-મંથા અને મુશલસહિત વરરાજાને અર્ઘ આપીને-ક્ષણમાં છંટકાવ કરીને–ત્રણવાર અક્ષતથી વધાવ્યું. પછી રાજકુમારે પેલા શરાવના સંપુટને એકદમ વામપગે કરીને ચુરી નાંખ્યું એટલે ગળાને વિષે રહેલા એના ઉટ અને ઘટ્ટવસ્ત્ર (એસ)ના છેડાએ ખેંચીને એને વધુ પાસે લઈ ગયા. ત્યાં, તેને વિદ્યાધરની પુત્રીની સન્મુખ આસન ઉપર બેસાડયો. પછી વરવધુને હસ્તે ઉત્તમ મદનફળ (મીંઢળ) બાંધ્યા. એ વખતે, જેના માતાપિતા અને સાસુસસરા હયાત હતા એવી એક સિભાગ્યવતી અમદાએ અશ્વત્થ અને શમી વૃક્ષની ત્વચાને તક્ષણ પીસીને તેને લેપ બનાવીને વધુના કરમાં આવે. પછી સાક્ષાત ભાગ્ય જેવું અત્યુત્તમ લગ્ન આવ્યું કે તરત બ્રાહ્મણે ભાજનના શબ્દની સાથે વરવધુને હસ્તમેળાપ કરાવ્યું. “હવે પછી ભાગ્યવંત એવા તમે દંપતીનું સદા એજ્યજ જળવાઈ રહે " એમ સૂચવતી હોયની એમ વરરાજાની મુદ્રિકા વધુના હસ્તમાં રહેલા લેપને વિષે નાંખી. પછી તારામલક સમયે વરવધુ અને અનિમેષ ને એક બીજા સામું જોવા લાગ્યા; જેવી રીતે જન્મભવન અને કલત્રભવનને વિષે રહેલા (ગ્રહ), અથવા કર્મભવન અને સુખભવનને વિષે રહેલા ગ્રહો એક બીજા સામું જુએ છે તેવી રીતે. પછી ક્ષણવારમાં સર્વ વિધિને વિષે પ્રવીણ એવા વિપ્રે વરવધુના વચ્ચેના છેડા બાંધ્યા; તે જાણે તે વખતે હસ્તમેળાપ થયે 1. છેડાછેડી બાંધી. જ્યોતિષની કુંડળીમાં બારભવન હોય છે. તન, ધન, પ્રાણ, સુખ, સુત, કચ્છ, સ્ત્રી, મૃત્યુ, ભાગ્ય, કર્મ, લાભ અને ખર્ચ. આ બાર ભવનમાં જન્મભવન અને કલત્રભવન સામસામાં આવેલાં છે; તેમજ કર્મભવન અને સુખભવન પણ સામગ્રામાં આવેલાં છે. Aaradhak Trust - P.P. Ac. Gunratnasuri M.S. Page #82 -------------------------------------------------------------------------- ________________ પાણિગ્રહણ-મંત્રીશ્વરની પદવી. જોઈને હર્ષમાં આવીને બને પિતાની મેળે મળ્યા હોયની ! ત્યાર પછી અભયકુમારે સદગુણોનું એકજ સ્થાન એવી વધુની સાથે વેદિકાને વિષે પ્રવેશ કર્યો, જેવી રીતે સંસારી જીવ ભવ્ય એવી ભવિતવ્યતાને પામીને નનિને વિષે પ્રવેશ કરે તેમ. પછી " ધ્યાનરૂપી અગ્નિને વિષે કર્મરૂપી ધાન્યને આ પ્રમાણે પ્રક્ષેપવા (ખપાવી નાખવા) " એમ બેલી બ્રાહ્મણે મંત્રોચ્ચાર સહિત અગ્નિને વિષે સાત ધાન્ય નાંખ્યા-ફેંક્યા તેથી અગ્નિ પ્રજ્વલિત થયે એટલે કુમારે વધુ સહિત તેની પ્રદક્ષિણા કરી. તે વખતે તે દેદીપ્યમાન મેરૂપર્વતની પ્રદક્ષિણું કરનાર છાયાયુક્ત સૂર્યજ હાયની એ શોભી રહ્યો ! ચારે મંડળને વિષે ફરતી વખતે તેણે ઉત્તમ હસ્તી, અશ્વ ઈત્યાદિ મેળવ્યા. અથવા તે ફરીફરીને મેળવ્યું એમાં આશ્ચર્ય શું ? એ તો હવે બેઠાબેઠાંજ અનેક મંડળ (દેશ)માંથી ઘણું ઘણું ભેટ મેળવશે. અગ્નિની સાક્ષીવાળા ચેથા મંડળમાં ફરતી વખતે, વરરાજા પાસેથી બક્ષિસ લેવા, એના સાળાએ એને પાદાંગુષ્ટ–અંગુઠે ભી રાખે; જેવી રીતે અમાસને ચંદ્રમા સૂર્યના પાદ ભી રાખે છે તેમ. એટલે રાજકુમારને તેના માણસે કહેવા લાગ્યા-દીન, દુઃખી, દયાનાસ્થાન અને તમારા ચરણકમળ લાગેલા એવા આ ગરીબને કંઈ આપીને સંતેષ પમાડે. તે પરથી બાળક એવા કુમારે પણ તેને ધાયોથી પણ અધિક ધન આપ્યું; કારણ કે ન્હાને સરખો કુવો પણ માણસને યથેચ્છ જળ આપેજ છે. કરમચન સમયે કુમારને અસંખ્ય દ્રવ્ય આપવામાં આવ્યું કારણકે કરી મૂકાવ એ રાજાઓને કીર્તિયુક્ત શાશ્વત ધર્મ છે. જે વખતે કરમોચન કરવામાં આવ્યે તે જ વખતે બ્રાહ્મણે વસ્ત્રના છેડા પણ છોડ્યા. કારણ કે એકજ ગે થયેલ કાર્યોની પ્રવૃત્તિ કે નિવૃત્તિ સાથેજ થવી જોઈએ. પછી “સ્ત્રીજન તે સર્વ જગની પાછળ લાગેલજ છે” એવું સૂચવતે હોયની એમ વરરાજા ( અભયકુમાર ) વધુને પાછળ બેસારીને આગળ પિતે ગિરિસમાન અશ્વપર આરૂઢ થયે. જનસમૂડને વિષે આનન્દ અને 1 કિરણ. 2. અહિ, કરવેર Tax. 3 છેડાછેડી છેડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #83 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. કલ્યાણ પ્રવર્તી રહ્યાં, મંગળિક કેના નાદથી દિશાઓ પૂરાઈ ગઈ અને દંપતી વરરાજાના મંદિર પાસે આવી પહોંચ્યા. ત્યાં લગ્નના હર્ષમાં લેકે વરવધુના અશ્વને આદર સહિત ખેલાવવા કુદાવવા લાગ્યા. કારણ કે સ્તરીખેલનકુર્દન આદિ પ્રાચે શંગારવિધિને વિષે રહસ્યભૂત છે. જાનની સર્વ સ્ત્રીઓ હવે ગીત નૃત્યાદિકની સમાપ્તિ કરવાને છેવટે યથેચ્છ નૃત્ય કરવા લાગી; અને ગીત ગાઈને કામદેવને જગાડવા લાગી. પછી સર્વ વિઘને દૂર કરનારી એવી ઉત્તમ મંગળવિધિ કરી રાજકુમારે પ્રિયા સહિત સ્વસ્થ ચિત્ત કેલાસ જેવા આવાસને વિષે પ્રવેશ કર્યો. વિવાહ પૂર્ણ થયે શ્રેણિકનરપતિએ પુત્ર–અભયકુમારને અર્ધ રાજ્ય અને મંત્રિપવી અર્પણ કરી, અથવા તે શ્રેષ્ઠ વૃષભ—બળદને પ્રાપ્ત કરીને કર્યો વિચક્ષણ જન તેના પર ભાર ન નાખે ? પછી રાજાએ કુમારને આજ પ્રમાણે બીજી રાજપુત્રીઓ પણ પરણાવી કારણ કે સાધારણ મનુષ્ય પણ બે ત્રણ સ્ત્રીઓ પરણે છે તો તેમને અધિપતિ જે રાજા તે પરણે તેમાં તે શું કહેવું? પછી અભયકુમારે પોતાના પ્રતિપક્ષિઓ પર વિજય મેળવવા માંડ્યો. કેટલાક ગર્વિષ્ટ હતા તેમને સામ પ્રયોગથી જીત્યા, કેટલાએકને ક્ષમા આપીને પિતાના કરી લીધા; બીજાઓ લેભી હતા તેમને ભેટ આપીને નમાવ્યા, વળી કેટલાક અભિમાની હતા તેમને નમ્રપણે હરાવ્યા; જેઓ અવિશ્વાસુ હતા તેમને ભેદથી પરાજય કર્યો, બીલકુલ વિરૂદ્ધ હતા તેમને અજુપણે, અને જેઓ બલવાન હતા તેમને શિક્ષા કરીને જીતી લીધા; સંતોષ થકી મુનિ લેભને જીતે તેમ. ગુરૂજનપર અતિભક્તિવાળો કુમાર પિતાને પિતાને એક પદાતિ માત્ર ગણત; અને લક્ષ્મણ જેમ રામનાં કાર્ય સાધતો તેમ, પિતાનાં, ગમે તેવાં અશક્ય કાર્યોને તે નિર્વિલએ સાધી લેતે. - હવે ઈંદ્રને માતલિ હતું તેમ પ્રસેનજિત્ રાજાને નાગ 1 સ્તરીખેલકૂદન તરીનું ( અનું ) ખેલવું કુદવું વગેરે; અથવા સ્તરી (શયા) ને વિષે ખેલવું કૂદવું ઇત્યાદિ. Jun Gun Aaradhak Trust PAC Gunraturi M.S Page #84 -------------------------------------------------------------------------- ________________ નાગસારથિ-સતી સુલસા. નામને કામદેવ સમાન રૂપવાન સારથિ હતો. તે ગર્વિષ્ટ શત્રુરૂપી વૃક્ષને ભંગ કરવાને હસ્તી છે, અને કલ્યાણ તથા કળાકૌશલ્યના નિવાસસ્થાનરૂપ હતો. વળી તે યુધિષ્ઠિર સમાન સત્યવચની હતો; અને બાંધવજાપર નિરંતર કરૂણાષ્ટિ રાખતો. તે ઉત્તમ શ્રાવક હતો અને પિતાની સ્ત્રી શિવાય અન્ય સ્ત્રીઓને બહેન સમાન ગણતો. તેને સુલસા નામની મહાપતિવ્રતા અને સમકિતધારી સ્ત્રી હતી. શરમાળપણું તે તેને મહે સગુણ હતું. એક દિવષે રાત્રીને અંતે આ નાગસારથિ નીચી દૃષ્ટિ કરી દીર્ઘ નિઃશ્વાસ મૂકી, સદા દરિદ્ર એવા ધનના અથી પુરૂષની પેઠે વિચાર કરવા લાગ્યા–“ હું પુત્રને ખોળામાં બેસાડીશ, તેને ચુંબન કરીશ, વળી તેનું મસ્તક સુંઘીશ ”_આ મારે મનોરથ હતો તે, પુત્ર વિના, અશોકવૃક્ષના પુપની સમાન અફળ રહ્યો. બ્રહ્મચર્ય પણ ન પાળ્યું અને પુત્ર પણ ન થયે. આમ મારે તો કામની વિડંબનાને લીધે ન સધાએ આ લેક, કે ન સધાયો પરલોક. ત્રિશંકુની પેઠે, ન રહ્યો પૃથ્વી પર કે ન ગયે સ્વર્ગમાં. " આવા વિચારમાં રજથી છવાઈ ગયેલા સૂર્યની પેઠે કાન્તિ રહિત થઈ ગયેલા પિતાના પતિને જોઈને સરલ સ્વભાવની સુલસા અંજલિ જેડી કેલના જેવા મધુર સ્વરે બલી-હે સ્વામિ, આજે શું. સમુદ્ર અગ્નિરૂપ થયે છે, કે કંઈ અને વિનાશ થયે છે, કે , રાજા આપનાથી પરાડ-મુખ થયા છે ? અથવા કે અન્ય સ્ત્રી આપના હૃદયમાં છે ? અથવા કંઈ શરીરે પીડા થઈ છે કે જેથી આપ ( રાહુથી ) ઘેરાયેલા ચંદ્રમા જેવા દીસે છો ? જે એ કહેવા જેવું હોય તો આપ આ દાસીને કહેશે. * શેકસમુદ્રમાં પૂર્ણ ડુબેલે છતાં પણ પ્રિયાનાં આવાં આશ્વાસક વચને સાંભળી, ચાલતી વખતે ચળકાટ મારતા મણિવાળા નાગ ( સર્ષ ) ની જે નાગસારથિ બોલ્ય-પ્રિયે ! તારા જેવી ભક્તિપરાયણ સ્ત્રીની પાસે શું ન કહેવા જેવું હોય ? કહ્યું છે કે " ચિત્તને અનુસરવામાં ચતુર એવી સ્ત્રીને, વિપત્તિને વિષે ઉપકાર કરનાર મિત્રને, ઉત્તમ સેવકજનને અને હૃદય જાણનાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #85 -------------------------------------------------------------------------- ________________ : 68 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. સ્વામિને આપણું દુઃખ નિવેદન કરીને સુખી થવું. " હે પ્રિયે ! જેમ તૃષાતુર જેને જળની ઈચ્છા કરે છે તેમ હું પુત્રની વાંછા કરૂ છું. કારણ કે મેઘ વિનાની પૃથ્વીની પેઠે પુત્ર વિના કુળની આશાં વૃથા છે. " સુલતાએ કહ્યું- હે નાથ, પુનઃ કેઈ કુળવાનું બાળાઓનું પાણિગ્રહણ કરે; તેમનામાંથી કોઈને તો પુત્ર થશે; કારણકે સામટું સંગ્રહું કરનાર કદિ નિરાશ થતો નથી. એ સાંભળી સારથિશિરોમણિ નાગ પણ કહેવા લાગે છે હરિણાક્ષિ ! તું એ શું બોલી ? આ ભવમાં તે મારે તું એક સ્ત્રી છે તેજ હો, અન્ય કેઈની મારે ઈચ્છા નથી. હે મૃદુઅંગવાળી પ્રિયે, તે તારા અંગથીજ ઉત્પન્ન થયેલ કામદેવસમાન પુત્રને યાચું છું; હંસને હંસીનાં પુત્રનું જ કામ છે; બાકી એટલે કાગડીના પુત્રને તે શું કરે? વહાલી ! તુજ સર્વના સારભૂત થા; એમ જાણ કે હું ચંદ્રમાં અને તું મારી ચંદ્રિકા છે; માટે નિરન્તર એવા ઉપાય છે જે કે જેથી મનકામના સિદ્ધ થાય. સ્વામીનાં આવાં વચને શ્રવણું કરીને સુલસા નમીને બેલી-પ્રાણપતિ, ઉપાય તે અનેક છે; પણ ખરે ઉપાય તે એક સદ્ધર્મ જ છે; જળને નિમેળ કરનાર ફકત એક અગત્યજ હતાં. એ ધર્મ ધનના અથીને ધન આપે છે; પુત્રના અથીને પ્રયાસ લઈ તેનું કાર્ય કરી આપે છે; ભેગેપભેગની ઇચ્છાવાળાઓને પણ તૃપ્ત કરે છે, અને પીપરૂપી પર્વતને ભેદવામાં વજનું કામ કરે છે. વળી એ મુમુક્ષુજનને મોક્ષસુખ આપે છે, અને સ્વર્ગના અર્થીને સ્વર્ગનું સુખ આપે છે. અશેષ ભુવન માં કઈ પણ એવું કાર્ય નથી કે જે ધર્મથી સાધ્ય ન થાય. માટે હું આ પુત્ર, હું તે ધર્મ આદરીશ, તેજ કેઈ વખત ફળીભૂત થશે; કારણકે ઉપાય આદરનારા મનુષ્યને સુખે કરીને મનવાંછિત સિદ્ધ થાય છે. ત્યારપછી સુલસા (અન્ય આભૂષણોને ત્યાગ કરીને ) ફક્ત અંલ્પ મુક્તાફળની માળા પહેરવા લાગી; પાપકાર્યના વેગથી દૂર રહેવા લાગી, આયંબિવ એટલે ફક્ત એક વખત મોળું ભજન કરવા લાગી અને ફક્ત કસુંબના વસ્ત્ર પહેરવા લાગી, અખંડ ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradifak Trust Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રશંસા-પરીક્ષા. શીલત્રત પાળવા લાગી; વૈરાગ્યનાં શાસ્ત્રો વાંચવા લાગી; અને જાણે ચારિત્ર લેવાને ઇચ્છાતુર હોય તેમ તે શાસ્ત્રોની પૂર્ણ રીતે તૂલન કરવા લાગી. . એ વખતે મહાવિસ્તારવંત એવા લક્ષવિમાનવાળા સિધર્મ દેવકને વિષે અનેક સામાનિક લેપાળને સુધમાં નામે સ્વામી દેવતાઓને ઈદ્ર હતું. તેણે એકદા સભાને વિષે સિંહાસન પરથી આ સુલસાની અતિહષ સહિત પ્રશંસા કરી કે-ભરતક્ષેત્રની ભૂમિને વિષે હાલ સુલસી શ્રાવિકા જેવી અન્ય કેઈ સ્ત્રી શ્રાવિકાના ગુણનું અનુપાળન કરનારી નથી. ચિંતામણિની રેખા કે ઈ સ્થળે અથવા કોઈ સમયે શેષ મણિઓ પ્રાપ્ત કરી શકતા નથી. કે મનુષ્ય, બેચર, દેવ કે દાનવ એને ધર્મથી ચલિત કરવાને શક્તિમાન નથી. તો અન્ય દીન જન તો શું કરી શકે ? એ સાંભળીને સભામાં બેઠેલો એક દેવ અતિરે ભરાઈ કહેવા લાગે–અહે ! ઇંદ્ર પણ બંદિજનની પેઠે એક માત્ર સ્ત્રીની કેવી પ્રશંસા કરે છે? નિશ્ચયે આ તો અનીતિ થાય છે. એ સ્ત્રીને ચળાવવાને કેઈનામાં શકિત નથી ?' એમ તે કહે છે તે આપણને હલકાં પાડનારા વચને કહે છે, અથવા તેમને કેણ નિષેધ કરનારે છે–એવી હેટાઈના બળને લીધે એ એમ બેલે છે. કારણકે એવું સ્વામિત્વ સર્વ કેઈને બહુ રૂચે છે-કે જેને વિષે પિતાને કેની સંગતિ છે એ કહેવું પડતું નથી; પિતાના મનમાં આવે તેમ વર્તાય છે; અને અપયશને જરા પણ ભય નથી. માટે હું હમણુંજ જઈને તેનું સાહસ ભેદી નાંખીને એ સુંલસાને ચળાવી આવું છું. વાયુ જેસબંધ વાય છે ત્યારે વૃક્ષના મૂળ સુદ્ધાં હલી જાય છે તે આકડાનું રૂ તો શાનું જ નિશ્ચળ રહે ? એવો નિશ્ચય કરીને સાધુનો વેષ લઈ તે દેવતા સુલસા ઘેર જઈ ત્રણવાર નિસ્ટિહિ કહી ઉભો રહ્યો; કારણકે ધૂર્તપુરૂષેનું છળ આવુંજ શાન્ત અને ભપકાવાળું હોય છે. સાધુને જોઈને ધમ ઉપર મજીઠના રાગ (રંગ) કરતાં પણ અધિક રાગવાળી સુલસા પ્રફુલ્લિત વદને હર્ષાશ્રુ વર્ષાવતી આનન્દના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #87 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીકવરનું જીવનચરિત્ર. સમુદ્રમાં ડુબી જતી ઉભી થઈને તેમને નમી. પછી તેણે ભાવ સહિત તેમને પૂછયું- હે ભગવન, આપનું આગમન શા કારણથી થયું છે? દેવસાધુએ ઉત્તર આપ્યો-ભદ્ર, એક ગુણવાનું સાધુ રેગથી પીડાય છે તેને માટે વૈદ્યકાએ શુદ્ધ પરિપકવ લક્ષપાક તેલ બતાવ્યું છે માટે હું તેની ભિક્ષાને અર્થે તારી પાસે આવ્યો છું; કારણકે મુનિઓને શ્રાવકજને જ ભિક્ષાના સ્થાન છે. તે સાંભળી અતિષ પામી તુલસા. બેલી-એ તેલ અને બીજું પણ આપને જે જોઈએ તે આપ ગ્રડણ કરે; જે સાધુના ઉપયોગમાં આવે તેજ ધન્ય છે; અન્ય સર્વ તે રાનનાં પુષ્પની જેવાં વૃથા છે. આ પૃથ્વી પર આજે જ મારો જન્મ થયે સમજુ છું કારણકે આજે તમે મારી પાસે ( વસ્તુને માટે ) પ્રાર્થના કરવા આવ્યા છે. કુમાંડવલ્લીને ક૯૫વલ્લીની બક્ષિસ ક્યાંથી હિય? એમ કહી તે ઘરમાંથી તેલને ઘડે લઈને આવી. પણ તરત તે દેવની શકિતથી ભૂમિ ઉપર પડી ગયે અને ભાંગી ગયે, પણ શ્રેષ્ઠભાવયુક્ત એવું તેનું ( સુલસાનું) મન ભાંગ્યું નહીં. બીજે ઘડે આણ્યો તે પણ તેજ પ્રમાણે પૂટી ગયે; પણ તેને આત્મા લેશમાત્ર વિષાદ ન પામ્યા; નહિંતે તેનું નામ ચતુર્થ સંઘ (શ્રાવિકાઓ)ને વિષે સિથી પ્રથમ (લેવાય છે તે) ન લેવાત. ત્રીજે ઘડે લાવી તે તે પણ ભાંગે તથાપિ ચિત્તને વિષે પણ તેણે શાપ ઉચાર્યો નહીં. પણ હવે પિતે સાધુની પ્રાર્થના પૂર્ણ કરવાને બેનસીબ થઈ તેથી પિતાના આત્માની અતિ નિંદા કરવા લાગી. “સુપાત્રને ખપની એગ્ય સામગ્રી મારી પાસે હોવા છતાં પણ તેને કેવી રીતે સહસા એકસામટે નાશ થયે ? માટે હુંજ નિશ્ચયે અપુણ્યરાશિવાળી ઠરી; અથવા તે અજાના મુખમાં કુષ્માંડ ફળ સમાયજ ક્યાંથી ?" પેલા દેવતાએ પણ તેની આવી શ્રદ્ધા અને મેરૂ સમાન નિશ્ચળ સ્વભાવ જોઈને, પોતાની ઉત્તમ કાન્તિવાળું રૂપ જાહેર કર્યું, જેમ ઇ ભરત ચકવતી પાસે પિતાને અંગુઠે (જાહેર) કર્યો હતે તેમ. 1 કુષ્માંડ એક હલકી જાતનો વેલે થાય છે. કલ્પવલ્લી =કલ્પવૃક્ષની લતા. સુલસા કહે છે કે મારા જેવી કુષ્માંડવલ્લીને કલ્પવૃક્ષની બક્ષીસ કયાંથી? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #88 -------------------------------------------------------------------------- ________________ પુત્ર-પ્રાર્થના. 1. આમ પિતાના મૂળ રૂપમાં પ્રસિદ્ધ થઈને તે દેવ કહેવા લા-હે કલ્યાણિ, સુરલેકને વિષે ઈંદ્ર તારી પ્રશંસા કરી; પણ દરભવ્ય જન જિનેશ્વરની વાણીને જેમ માને નહિં તેમ મારા જેવા મૂર્ખશિરોમણિએ એ વાત સત્ય માની નહિં. હું સધર્મક૯પને નિવાસી દેવ છું. જેવી રીતે સનત કુમારની ધમને વિષે પરીક્ષા કરવાને પૂર્વે બે દેવતા આવ્યા હતા, તેવી રીતે હું પણ ધર્મશીલને વિષે તારી પરીક્ષા કરવાને પૃથ્વી ઉપર આવ્યો છું. હે ઉત્તમ શ્રાવિકા, દેવલોકના અધિપતિએ કહી હતી તે કરતાં પણ તું અધિક છે. કારણ કે સુવર્ણની શલાકાની જેમ તું છેદ-તાપ-અને કસને વિષે પૂર્ણ નીવડી છો. હે સુશ્રાવિકા, તું સદ્ગુણેની એક ભૂમિરૂપ છે, તથાપિ તારામાં એક પરમ દેષ છે કે તેં તારી ક્ષીરસમાન ઉજવળ કીતિવડે સિાધર્મદેવલોકને વેત બનાવી દીધું છે, તો હવે “એ દેવકને વિષે વિમાને પાંચવર્ણના છે” એવું જે જિનેન્દ્રનું વચન છે તેને દેવતાઓને સમાજ કેવી રીતે માનશે, કારણકે તેઓ સાક્ષાત તેમને ઉજવળ દેખે છે. તે સમ્યકત્વરત્નના નિધાનની ભૂમિરૂપ પવિત્રાંગી સુલસા, હું તને શું આપી શકું એમ છું ? તોપણ કંઈક માગ કે જેથી દેવદર્શન નિષ્ફળ ન જાય. તે સાંભળીને સુલસા સ્વામીના સંતોષને અર્થે કહેવા લાગી—નથી મારે દ્રવ્યની ખામી, કે નથી મારે કામગની જરૂર, કે નથી મારે નિશ્ચળ એવા ધમની અપૂર્ણતા; મારે ફકત દેવીની પેઠે એક પુત્રની ખામી છે. લક્ષમીથી ભરપૂર એવું છતાં પણ મારું ઘર, પુત્રવિના, પીલતાં છતાં રસ ન નીકળે એવા ઈક્ષુદંડ જેવું નીરસ, અને કાકપક્ષીના શબ્દ જેવું ફીકકું જણાય છે. માટે હે દેવ, જે તમે સંતુષ્ટ થયા છો એ સત્યજ હોય તો, મારા કર્મબંધને હેતુ નિકાચિત ન હોય તો મને પુત્ર આપો; કારણ કે નિકાચિત કર્મબંધ હોય છે ત્યાં જિનેશ્વર ભગવાન પણ કંઈ કરી શકતા નથી, તે બીજા તો ક્યાંથી જ કરી શકે? પણ એ દેવતાએ સુલસાને પુત્રનો અભાવ જોઈને એને બત્રીશ ગળી આપી અને કહ્યું કે " આ ગેળીઓ તું અનુક્રમે ખાજે; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭ર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. તને બત્રીશ પુત્ર થશે. હવે તારે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મને સ્મરણ કર; હું પુનઃ આવીશ.” એમ કહીને તે અન્તર્ધાન થઈ ગયે. ખરું કહ્યું છે કે દેવતાઓને જે સત્વથી જીત્યા હોય તે તેઓ કિંકર કરતાં પણ અધિક થાય છે. - હવે સુલસા મનમાં વિતર્ક કરવા લાગી–જે આ ગોળીઓ અનુક્રમે ખાઈશ તે ઈષ્ટ એવા પણ બાળકની અશુચિ નિરંતર કણ દૂર કરશે ? માટે હું એ સર્વ ગોળીઓ એક સાથેજ ખાઈ જાઉં; જેથી મારે એક પણ બત્રીસલક્ષણયુકત પુત્ર થશે અને એકજ પુત્રવાળી સિંહણ શું સુખમાં નથી રહેતી ?" ( રહે જ છે). એવો નિશ્ચય કરીને સુલસા એ સર્વ ગેળીઓ એકજકાળે ખાઈ ગઈ. ખરૂં છે કે પ્રાણીઓને બુદ્ધિ અને ચેષ્ટા નિરન્તર કર્મને અનુસારે જ થાય છે. હવે સુલસા એકજ વખતે બત્રીશે ગોળીઓ ખાઈ ગઈ તેથી તેને બત્રીશ ગર્ભ રહ્યા; દેવતાઓ એ સ્પષ્ટ વચન કહ્યાં હોય તે પણ પ્રાણી વિપરીત ચાલે છે એ આશ્ચર્ય પણ અહિં જોયું ! કૃશઉદરવાળી સુલસા, સ્વભાવથી જ વા સમાન ગુરૂ એવા ગર્ભને વહન કરવાને અસમર્થ થઈ. કારણ કે મૃદુ એવી સહકારની શાખા પાકને તૈયાર થયેલા આમ્રફળને ધારણ કરી શકતી નથી, પણ ઉપાયની જાણ એવી સુલસાએ પિલા દેવતાને હત્યમાં ધારીને કાર્યોત્સર્ગ કર્યો, કારણકે સંપત્તિ આપવાને જે સમર્થ છે તે વિપત્તિને નાશ કરવાને કેમ શક્તિમાન ન હોય ? સ્મરણ કર્યાની સાથે જ તે એ ઉત્તમ શ્રાવિકાની પાસે આવ્યે; પણ એમાં કાંઈ વિચિત્ર નહતું કારણકે મહાન પુરૂષે પિતાની પ્રતિજ્ઞા પાળવામાં એક હોય છે. તેણે આવીને કહ્યું- હે ધર્મશીલ સુલસા, તેં મને હમણાં શા માટે યાદ કર્યો ? આપણે સમાન ધર્મના છીએ; માટે તારા બંધુને કહેતી હે તેમ મને કહે તે સાંભળીને તેણે પણ પોતે સર્વ ગોળી એક સાથે ખાઈ ગયાની વાત તેની આગળ કહી સંભળાવી; કારણકે બાળક પણ રૂદન વિના સ્તનપાન પામતું નથી. દેવતાએ એ સાંભળી કાં-તું એ સર્વ એક સાથે ખાઈ ગઈ તે તેં કીક ન કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Gundarathaus Page #90 -------------------------------------------------------------------------- ________________ સુલસાના બત્રીશ પુત્ર. 73 એમ કરવાથી તને એટલીજ સંખ્યામાં ગર્ભ રહી છે; કારણકે જેટલા બીજ હોય તેટલા અંકુરે ઉત્પન્ન થાય છે. તેને પુત્રો થશે તે બત્રીશે ગુણશાલી થશે; પણે એમનું સર્વેનું આયુષ્ય સરખું થશે; અથવા તે ભાવિ વસ્તુ બનવાની હોય તેજ બને . છે. હું તારી પીડા દૂર કરીશ, તું વિષા કરીશ નહિ” એમ તેને સમજાવીને દેવતા સ્વર્ગમાં ગયે. સુલસા પણું વ્યથી દૂર થવાથી, વિદેહભૂમિ ઊંચા ઊંચા વિજયેને ધારણું કરે છે . તેમ ગર્ભને ધારણ કરવા લાગી. પૂ. માસે અને દિવસે, એણે પ્રશસ્ત સમયે અને ઉત્તમ મહતું, કમલિની પાને જન્મ આપે તેમ, બત્રીશ શ્રેષ્ઠ અને ગુણવાને પુત્રને નિર્વિકને જન્મ આપે તે વખતે સારથિશિરોમણિ નાગશ્રાવકે પણ વધામણી લાવનારને સારી રીતે સંધ્યા. સંતતિ નથી હતી તેને એક પણ પુત્ર અવતરે તે પ્રીતિદાયક થઈ પડે છે તો આને આ બત્રીશ વિશેષ હર્ષ આપે છે. પિતાના નેત્રને અમૃત સમાન એવા એ પુત્રનું ધાત્રીઓ પરિપાલન કરવા લાગી; એમનું શરીર રૂપ અને સિભાગ્યથી શોભવા લાગ્યું અને એ રાજપુત્રોની જેમ વયે વૃદ્ધિ પામવા લાગ્યા. અંક-શીર્ષ-ખભા-ચરણપૃષ્ટ–અને ભુજા, એમ સર્વ અંગે વળગેલા પુત્રેથી નાગસારથિ, ફળના ભારથી લચી ગયેલા ઊંચા ઉર્દુબેર વૃક્ષ સમાને શોભવા લાગ્યા. વળી તે વારંવાર તેમના ચુંબન–આલિંગન વગેરથી પોતાના મનોરથો પણ કરવા લાગ્યો; અથવા તે ભાગ્યવાનજનને આ લેકની લહમી તો હોયજ, પણ પરલોક સંબંધી લીમી એ તેને હરતને વિષે છે. અનકમે સવે પુત્રો સમાને વયના હેઈ અશેષ કળાને વિષે નિપુણ થયા; અને રાજહંસનું અન્ય હંસ અનુગમન કરે તેમ તેઓ શ્રેણિકરાજાનું અનુગમને કરવા લાગ્યા; તથા રાજ્યલમીના સ્વામી શ્રેણિકમહીપતિનું સારથિપદે બજાવવા લાગ્યા; કારણકે પુત્રે પિતાના કમથી ચાલ્યા આવતા પતું પરિપાલન કરેજ છે. આ વખતે, મેરૂપર્વતની ઉપર જેમ અમરાવતી નગરી છે P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #91 -------------------------------------------------------------------------- ________________ 74 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. તેવી રીતે મધ્યખંડને વિષે એક વિશાળ અને પૃથ્વીના તિલકભૂત વૈશાલિકા નામની નગરી હતી. દક્ષિણદિશાને પૂરી નાંખતી તે કુબેર જેવા અનેક શ્રેષ્ઠીઓથી ઉભરાઈ ગઈ હતી અને આકાશ સુધી પહોચતા સુધાસમાન ઉજજવળ દેવમંદિરને લીધે જાણે અલકાપુરીને હસી કાઢતી હતી. વિદ્વજનને અંતઃકરણની પેઠે તેના બજાર ભિન્નભિન્ન પ્રકારના રસ, સૂત્ર અને નાના પ્રકારના અર્થથી ભરપૂર હતા. તર્કશાસ્ત્રની પેઠે તેમાં અનેક જાતિઓ હતી અને ફળને નિર્ણય કરવાને તર્કસહિત ન્યાયને ઉપયોગ થતું હતું. વળી તેને વિષે, સ્ત્રી-પુરૂષ-હસ્તી–અશ્વમયૂર-હંસ સરોવર-કમળપુષ્પો વગેરેના ચિત્રામણવાળા નાનાપ્રકારના ગવાશે, ચુનાથી ધેલા-પુતળીવાળા-સેંકડો સ્તંભેવાળી અતિવિશાળ શાળાઓ, અને નિર્મળ, સ્વાદિષ્ટ તથા સુગંધિ જળવાળી પરબ ચિરકાળ પર્યત જઈને પાWજને, યુવાનપુરૂષ સ્વરૂપવાન તરૂણીને જોઈને જ જેમ-તેમ, પિતાના ઘર તરફ જવાની ઈચ્છા કરતા નહેતા. " : " એ નગરીમાં હૈયયફળને ચેટક નામે મહીપતિ રાજ્ય કરતે હતે; જેના ગવરૂપી સર્ષે તેના શત્રુગણને દંશ દીધા હતા. પિતે સૂર્યની સમાન તેજરૂપી લક્ષ્મીનું ધામ હતુંઅને તેને ચંદ્રમા સમાન ઉજજવળ યશ સમસ્ત જગતને વેત બનાવી દે હતે છતાં તેના શત્રુઓના મુખપર કાળાશ પાથરી દેતો હતે એ એક વિચિત્રતા હતી ! પણ વિધાતાની પ્રતિકુળતા દુઃખદાયક જ છે. તેની લેટેત્તર ખલતા તેના શત્રુઓની. સ્ત્રીઓનાં ખારાં અને કંઈક ઉષ્ણ નેત્રજળથી સિંચાતાં છતાં, સ્વાદિષ્ટ અને શીત ફળને આપતી હતી ! નીતિમાનું એ એ રાજા જેમ અન્ય જનેના અપરાધ સહન કરતે નહીં તેમ પિતાના દેષ પણ સહન કરતા નહીંજે પિતાની ષષ્ટીનું જાગરણ કરે નહીં તે બીજાની ષષ્ઠીને દિવસે તે શાને જ જાગૃત રહે? યાચકને નિરન્તર દાન આપનારે એને દક્ષિણ કર કદાપિ પરાડભુખ થતો નહીં, પણ શત્રુને પૃષ્ઠભાગેnબાણું આપવામાં Page #92 -------------------------------------------------------------------------- ________________ - ચેટકરાજ–એની સાત પુત્રીઓ, (મારવામાં) તે પરાડ-મુખ જ રહેતે. આશ્રય લેવા ગ્ય, પુરૂષમાં - અગ્રણી એ એ ભૂપાળ સત્વને ભંડાર હેઈ, શરણાગત દીન મનુષ્યને, મહાસાગરે પર્વતને પ્રતિ સેંપી દીધા તેમ 1 [શત્રુને] મેંપી દેતે નહીં. વળી એ મહીપતિ ધર્મને પિતા સમાન અને પ્રાણીમાત્ર પ્રતિ જે દયા-એને જનની સમાન ગણતે; સાધર્મિકજને તરફ નેહાળું બાધવની બુદ્ધિએ જેતે; અને પ્રજાને પુત્ર સમાન માનતો. પ્રતિદિન દેવગુરૂના સ્મરણ વડે તે એ વિવેકી નૃપતિ પિતાના ચિત્તને પવિત્ર કરતે; સ્વાધ્યાયરૂપી પ્રકાશવડે વાણીને, અને જિનેશ્વરભગવાનની પ્રતિમાના પૂજનવડે પિતાની કાયાને પવિત્ર કરતો હતો. અથવા એ શ્રીવમાનસ્વામીના માતુલ [ મામા ) ના હું કેટલાક ગુણ વર્ણવું ? રણક્ષેત્રને વિષે એક દિવસે ફક્ત એકજ બાણ ફેંકવું એ સુદ્ધાં એને નિયમ હતે. જેમ હેમગિરિને દક્ષિણ દિશાને વિષે ગંગા પ્રમુખ નદીઓ, તેમ આ રાજાને પૃથક પૃથક સ્ત્રીથી જન્મ પામેલી, પવિત્રતારૂપી ભૂમિવાળી, સાત પુત્રીઓ હતી. દેદીપ્યમાન આભૂષણોમાંના રત્નના કિરણોના સમૂહવડે સર્વ દિશાઓને પ્રકાશમય કરી દેતી એ કન્યાઓ પિતાના આવાસને વિષે ફરતી ત્યારે સ્વર્ગમાં ફરતા સપ્તર્ષિ તારા સમાન વિરાજી રહેતી. પણ પરમાર્થવેદી વિશાલાને સ્વામી એમના વિવાહની ના જ કહેતો; કેમકે ઘણુ લેકે સેંકડે કુંભેએ ( ઘડે ) હાય છે છતાં, એક બિન્દુમાત્રને એમને સ્પર્શ થતો નથી. તે પણ પાંચ કન્યાની માતાઓએ તો રાજાને વિવેકથી સમજાવી તેની આજ્ઞા લઈ પિતાની પુત્રીઓને પરણાવી; કેમકે ઉત્તમ સ્ત્રીઓને એ કુળધમજ છે કે સર્વ કાંઈ પતિને પૂછીને કરવું. વીતભયા નગરીના સ્વામી શ્રીમાન્ ઉદાયન ભૂપતિ વેરે પ્રભાવતીને વિવાહ કર્યો; ચંપાનગરીના રાજા દધિવાહન નૃપતિને પદ્માવતી દીધી, કેશાંબી નગરીના અધિપતિ શતાનિક ભૂપાળની સાથે મૃગાવતીનાં લગ્ન કર્યો, જેથી શિવા 1 હેમગિરિ-પિતાથી દક્ષિણદિશારૂપી માતાની કુક્ષિએ ઉત્પન્ન થયેલી નદીરૂપી પુત્રીઓ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #93 -------------------------------------------------------------------------- ________________ 76 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. નામની કન્યાને ઉજજયિની નગરીના સ્વામી પ્રદ્યાતનામના નરપતિ વેરે પરણાવી, અને જ્યેષ્ઠાને શ્રીમાન મહાવીર તીર્થકરના મોટાભાઈ નંદિવદ્ધનને દીધી. બાકીની બે સુયેષ્ઠા અને રોલણા કમારી રહી. અંગે ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કરીને તે બન્ને હસ્તને વિષે થિીઓ રાખી ફરવા લાગી અને મહામહે એકબીજાથી શ્રેષ્ઠ હોવાનું અભિમાન કરવાને લીધે જાણે સરસ્વતી અને લમી હોય એવી જણાવા લાગી. જવું–આવવું–બેસવું-ચૈત્યપૂજા કરવી–પ્રતિક્રમણ કરવાં, એવાં એવાં જેમનાં મુખ્ય કૃત્યે છે એવી તે ઉભય બાળાઓ એકબીજાની પ્રતિબિંબ હાયની તેમ નિત્ય સાથે જ રહીને કલા ગ્રહણ કરવા લાગી. એકદા, હંસીઓથી ભરેલા એવા સરોવરને વિષે બકી ( કાગડી) આવે તેમ, ચેટકરાજાની કુમારીઓના આવાસમાં એક વૃદ્ધ તાપસી આવી. મરૂગ્રામની સભાને વિષે હાયની તેમ, આ કન્યાઓની પાસે તે આ પ્રમાણે કહેવા લાગી–જળશુદ્ધિ એજ ધર્મનું મૂળ છે તે વિના સર્વ જગત્ બ્રાન્તિમાં પડ્યું છે. જુઓ ! કે હસ્તને વિષે દંડ ધારણ કરી તેલીની જેવાં મલિન વસ્ત્ર પહેરી, કેશકુંચન કરાવીને કલેશ પામે છે; તે બીજાઓ, ઘેલા માણસની પેઠે ઉભા ઉભા ભજન લે છે અને નગ્ન રહી સંતાતા ફરે છે. કેટલાએક પિતાના શરીરને ખરની પેઠે ભસ્મવાળું કરે છે અને જટાને વૃથા ભાર વહન કરે છે, તે બીજાઓ સ્ત્રીઓની જેવું કટીવસ્ત્ર પહેરી ગોવાળની જેમ ગાયે ચાર્યા કરે છે. કેટલાક વળી અન્નના અર્થે હસ્તને વિષે ભાંગેલા માટીના પાત્રને લઈને રાંકની જેમ આથડતા ફરે છે. પણ એ સર્વની જલશુદ્ધિવિનાની ચેષ્ટાઓ કેતરાં ખાંડવા જેવી ( વૃથા) છે. એ સર્વ સાંભળીને, શાસ્ત્રને વિષે તીણ બુદ્ધિવાળી સુજ્યેષ્ઠાએ તેને કહ્યું-અરે તાપસી, તું સમશાનને વિષે ભૂલી પડી છે ! તને આ વાયુ થયું છે કે ઘેલી બની ગઈ છે ? અથવા તને સન્નિપાત થયે છે કે બલિષ્ટ ગ્રહએ તારું ગ્રહણ કર્યું છે ? P.P. Ac. Gunratnasuri M.S. Yun Gun Aaradhakust Page #94 -------------------------------------------------------------------------- ________________ ધર્મ-પાંચ પ્રકારની શુદ્ધિ. | ভ9 તને કેઈએ ઠગી છે અથવા વૃદ્ધાવસ્થાને લીધે તું કંઈ ચળી ગઈ છે ? કે જેથી તું આવી વિપરીત વાત સમજાવે છે ? તું જલશુદ્ધિ એજ ધર્મ " એમ જે કહે છે તે સત્ય નથી. શુદ્ધિ તે પાંચ પ્રકારે છે–પ્રથમ દયાશુદ્ધિ, બીજી સત્યવચનશુદ્ધિ, અને ત્રીજી તપાશુદ્ધિ છે; એથી શુદ્ધિ પિતાની ઇન્દ્રિય ઉપર વિજય મેળવવો એ છે; અને જળશુદ્ધિ તે છેલ્લી છે. પહેલી ચાર શુદ્ધિ વિના જળશુદ્ધિ ગમે એવી રીતે કરે તો પણ પાપરૂપી પંકથી લેપાયલે આત્મા મદ્યના પાત્રની જેમ શુદ્ધ થતા જ નથી. હે દુષ્ટ બુદ્ધિવાળી ! જે જળને વિષે પડી તેને ખુબ મંથન કરવાથીજ ધર્મ સધાતો હોય તે તે જળમાંજ રહેનારા શિશ માર-મસ્ય-બક આદિ પ્રાણીઓ સિાથી પ્રથમ સ્વગે જાય. જે જળથીજ પરલોકસિદ્ધિ થાય છે તે તે આ દંભરૂપ પાખંડ કેમ આદર્યો ? દેડકીની પેઠે નદીના જળમાં તું કેમ નથી પડી રહેતી ? પવિત્ર અને માનયુક્ત જળથી શુદ્ધિ કરી જિનો પદિષ્ટ માર્ગને વિષે પ્રવર્તનાર પ્રાણીઓ જ સંસારસાગરને તરી જાય છે; પણ તારા જેવા પ્રાણીઓ તે બીજાઓને સાથે લઈને ડુબે છે. એ સાંભળીને તાપસીમાં તે ઉત્તર આપવાનું સામર્થ્ય રહ્યું નહીં, તેનું ચિત્ત વિલક્ષ બની ગયું અને તેણે મન ધારણ કર્યું. કારણકે જગને વિષે સૂર્યની પ્રભા સ્કુરાયમાન થાય એટલે પતંગીઆની કાન્તિને ક્યાંથી અવકાશ મળે ? પછી પિતાની સ્વામિનીના મતને વિજય થશે તેથી હર્ષ પામેલી અંતઃપુરની દાસીઓ શોર મચાવી મૂકી પરસ્પર તાળી દેવા લાગી, અને ' ન્હાનાં બાળકે કેઈ ઘેલી થઈ ગયેલી સ્ત્રીને હસે તેમ, હેટેથી તેને ઉપહાસ કરવા લાગી; એટલુંજ નહિં, પણ, એમ થવાથી નિસ્તેજ થઈ ગયેલા મુખવાળી તે તાપસીને સાયણની જેમ કંઠેથી પકડીને બહાર કાઢી મૂકી અને બિચારી દુઃખી તો હતી તેને વળી વધારે દુઃખી કરવાને ચુંટવા માંડી ( પડ્યા ઉપર પાટુને માર પડ્યો ). આમ થવાથી તે વિચારવા લાગી–અહા ! આમણે પણ મારે તિરસ્કાર કર્યો ? રાજની આવી વિદ્વાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #95 -------------------------------------------------------------------------- ________________ 78 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. ગણાતી પુત્રીએ મને શામાટે આ પ્રમાણે કાઢી મૂકાવી ? પિતે વિદ્વાન છે માટે મારા જેવી ભેળા સ્વભાવ વાળીને તો તે કશા લેખામાં ગણતી નથી, માટે જે હું એને શિક્ષા ન કરે તે ભિક્ષા શિવાય હું કંઈ જાણતીજ નથી (એમ સમજવું. ) પણ એને કયે પ્રકારે સારી રીતે શિક્ષા અપાય ? હા, સમજાયું. એને અનેક સપત્નીઓને વિષે નાખું; કારણકે સ્ત્રીઓને એ મહા દુઃખ છે.” એમ વિચારીને એણે એક છબિ આળખનારીની પિઠે તે રાજકુમારીનું રૂપ એક પટપર આળેખી લીધું. પછી વિધાતાના સર્વ નિર્માણના સારરૂપ એવા એ રૂપને તેણે જઈને શ્રેણિકરાજાને બતાવ્યું. એ મહીપાળ પણ પટમાં ચિલી આકૃતિને નિહાળીને અન્ય સર્વ સ્ત્રી સમાજને વિરૂપજ ધારવા લાગ્યું, અને તેને વિષેજ એકતાન થઈ વારંવાર શીર્ષ ધુણાવતે ચિત્તને વિષે સંતોષ પામવા લાગે -સ્નિગ્ધ અને ભ્રમર સમાન નીલ એ જે એને કેશપાશ છે તે જાણે તેણીએ પિતાના સ્વરવડે મયૂરને જીતીને, તેની પાસેથી, સુભગ સ્ત્રીઓના અભિમાનરૂપી વિષને ઉતારવાને, આગ્રહ કરીને, તેને કલાપ લઈ લીધે હાયની (એ સુંદર જણાય છે ) ! એના અત્યન્ત ગોળ મુખને જોઈને, પૂર્ણિમાને ચંદ્રમા એવી રીતે ભગ્ન થઈ ગયે છે કે કથંચિત બહુલપક્ષ પામીને પણ તે દિવસે દિવસે કૃશ થતું જાય છે. એના નવનીત અને રૂ સમાન સુકમળ બાહુ જાનુપર્યત પહેચેલાં છે, તે જાણે, પરાજય પામવાથી પલાયન થઈ જતી રતિ અને પ્રીતિને કેશવતી પકડી લેવાને જ હોયની ! આણે નિશ્ચયે કેઈ બે લેકની સ્ત્રીઓ પર વિજય મેળવ્યા જણાય છે; નહિં તે પ્રજાપતિ પાસેથી એને પુષ્ટ પધરને મિષે બે સુવર્ણકુંભ શેના મળે ? અહો ! એના અતિકૃશ એવા ઉદરે પણ ત્રણ રેખા પ્રાપ્ત કરી છે ! પણ એમાં આશ્ચર્ય નથી; કારણકે આ લોકમાં સ્થલતાથી કંઈ પણ મળતું નથી; મધ્યસ્થતા એજ અભ્યદયને હેતુ છે. આને અપ્રતિમ નિતમ્બભાગ કઈ - ખરેખર મદ-વિશાલ-અને ઉન્નત છે; નિશ્ચયે . એજ સ્થળરૂપી Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક સુચેષ્ટાની છવિ નીરખે છે. 79 દુર્ગપર રહીને કામદેવરૂપી ભિલ્લ નિરન્તર યુવાનેને (બાણુવતી ) વિધે છે ! નિરન્તર ફળદાયી અને અતિ સત્વવાળા એવા એના ઉરૂને, સારરહિતમધ્યભાગવાળા અને એકજવાર અલ્પફળને આપનાર એવા કદલીવૃક્ષની ઉપમા કેવી રીતે અપાય ? જ્યાં સુધી આ સ્ત્રીના વિશાલ નેત્રે અને મૃદુ તથા સરલ જંઘા જોઈ નથી ત્યાં સુધી હરિણુઓ ભલે હર્ષમાં પોતાના પુચ્છ હલાવે અને આકાશને વિષે કૂદકા મારે ! વળી એના રક્ત અને અતિશય કાન્તિવડે સંવમિત'–એવા ચરણને યુદ્ધ કરવા ઉતરેલા જોઈનેજ જાણે એના શત્રુ કમળ જળદુને વિષે પેસી ગયા હોયની ! ( અહે ! એમને યુદ્ધને ભય હજુ પણ ગયે નથી !). આમ એનું રૂપ અવશ્ય છે, એનું સન્દર્ય અમાનુષ છે, અને એનું લાવણ્ય અપૂર્વ છે ! અથવા તે આનામાં સર્વ કંઈ લકત્તર જ છે (આ લેકમાં ન હોય તેવું છે ). ત્રણે જગને વિષે, મહાન સ્ત્રીમંડળને ઉત્પન્ન કરતા વિધાતાનું શિલ્પ અહિં જ (આ રૂપમાં જ) પરાકાષ્ટાએ પહોંચ્યું છે; જેવી રીતે વારંવાર ગસાધના કરવાથી યોગીનું નિર્મળ જ્ઞાન પરાકાષ્ટાએ પહોંચે એમ. આ પ્રમાણે, વૃદ્ધ તાપસીએ આણેલા પટ્ટમાં ચિત્રેલુંરૂપ ધારી ધારીને નિહાળી રહી શ્રેણિકરાજા તેને પુછવા લાગ્યઆ તારી છબિ કોની છે ? લાવણ્ય અને સૌભાગ્યના નિધિરૂપ એવી આ મૃગાક્ષી કેઈ ઉત્તમ કવિએ કપેલી મહાકથા જેવી કલ્પના છે કે રામકથા જેવી સત્યવાત છે ? પેલીએ ઉત્તર આપે–હે નૃપતિશિરોમણિ શ્રેણિક મહારાજા, એ જેવી છે. તેવી જ આળખવાનું તે કઈમાં સમર્થ નથી. વિધાતાના હસ્તથી પણ તે ઘુણાક્ષરજ્યાચે જ આવું રૂપ પામીને હાર પડી છે. એ સાંભળી સવિશેષ રાગ ઉત્પન્ન થવાથી રાજાએ પુનઃ પૂછ્યું-જેમ શચી (ઈંદ્રાણી) સ્વર્ગને અલંકૃત કરે છે તેમ આ મનહર નારી તેના ચરણકમળ વડે કઈ નગરીને અલંકૃત કરે છે ? તથા સીતાને જેમ જનક તેમ એને કેણ પિતા છે ? વળી અસંખ્ય પુણ્યના ભાજન * 1. કાન્તિરૂપી બખ્તરમાં સજજ થયેલા. 2 અજાણતાં. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #97 -------------------------------------------------------------------------- ________________ 80 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. એવા કેઈ નરે એને કર ગ્રહણ કરે છે કે નહિં? એટલે એ તાપસી સદ્ય સ્પાયમાન અને તાર સ્વરે હર્ષ સહિત કહેવા લાગી–હે નરેંદ્ર, એ નામે અને ગુણે " સુઠા એવા નામથી જગતને વિષે વિખ્યાત છે. મહામૂલ્યવાન મણિથી સુવર્ણની મદ્રા શોભી ઉઠે છે તેમ એનાથી વૈશાલિકા નામની નગરી દીપી રહી છે, અને અમૃતને જેમ ક્ષીરસમુદ્ર જનક છે તેમ એને ચેટકનૃપતિ જનક છે. એ હજુ કુમારી છે, તેજ બહુ સારું છે; પણ લક્ષમી જેવી એ સ્ત્રીને હવે કયા પુરૂષોત્તમની સાથે સંબંધ થશે તે હું જાણતી નથી; કારણકે વિધાતાની વૃત્તિ અન્ય કેઈને આધીન નથી. જો તમે એને કર નહિં પ્રાપ્ત કરે તે તમે જે પૃથ્વીને કર ગ્રહણ કરે છે તે વૃથા છે; કારણકે એનું ફળ-જે વિષપભેગ-તે સ્ત્રીથીજ છે; અને સ્ત્રી જોઈએ તે આ સ્ત્રી જ શ્રેષ્ઠ છે. હે રાજન, તમારું રાજ્ય લક્ષમીથી પૂર્ણ છે; પણ જ્યાં સુધી સુચેષ્ઠા નથી ત્યાંસુધી વ્રતની ધારા વિનાના ભેજનની પિઠે, તે સર્વ સ્વાદ રહિત છે. " પછી શ્રેણિક રાજાએ તેને વસ્ત્રાદિથી સંતેષી વિસર્જન કરી કારણકે જે તે માણસ પણ ઇચ્છિત અર્થ નિવેદન કરનારની ભક્તિ કરે છે તે પૃથ્વીને સ્વામી કરે તેમાં તે શું કહેવું ? - હવે, એ તાપસી ગયા પછી રાજાએ પિતાના અંગીભૂત એવા એક ચતુર દૂતને ચેટકરાજાની પાસે મેકલ્ય; કારણકે પ્રજનના અથી જને ઉપાય તે કરે છે; પણ સિદ્ધિ થવી ન થવી એ દેવાધીન છે. તે દૂત શ્રેણિકભૂપતિના મનની સાથે વિશાલાનગરીમાં જઈ ત્યાંના રાજાને નમન કરી શ્રેણિકરાજાને સંદેશે યથાવત કહેવા લાગે. કારણકે દૂતને ધર્મ સ્કુટ રીતે એવેજ છે. દૂતે કહ્યું- હે નરંક, અમારે શ્રેણિકમહીપતિ આપની પાસે ગરવ સહિત આપની કન્યા સુઝાની માગણી કરે છે અથવા સર્વ રાજાઓને ચિરકાળથી અદરાયેલ એજ માગ છે. શ્રેણિકનરપતિ સમાન વિશ્વને એકવીર, ભાગ્યવાન Pવૈર્યવાન વર મળતું હોય તે પછી શું અધરું રહ્યું ? કારણકે અને Page #98 -------------------------------------------------------------------------- ________________ પિતાની નિરાશા-પુત્રને પ્રયાસ, કન્યાજન છે તેને જેને તેને આપવી તે પડશેજ, હે મહારાજા, જળયક્ત મેઘને વિષે ઝબકારા કરતી વિદ્યુત જેવી શોભે છે તેવીજ આ આપની કન્યા શ્રેણિક રાજાના સંબંધથી શોભશે. માટે આ સંબંધ બહુ ઉચિત છે. એ સાંભળીને ચેટકરાજાએ કહ્યું–હે હૂત, તારે સ્વામી વાહીકગોત્રને છતાં હૈહયવંશની કન્યાની યાચના કરે છે તો તે પિતાને –ની જાતને) ભૂલી ગયે જણાય છે; કારણકે લીંબડાને વૃક્ષે કલ્પલતા શેભે ખરી ? પધરાગમણિ રૂપાની મુદ્રિકાને વિષે શેભે ખરું ? માટે તારા સ્વામીના ગુણનું વર્ણન હવે બંધ કર; તેના કુળ ઉપરથી જ તેના ગુણ જણાઈ આવે છે. માટે હું મારી પુત્રી આપવાને નથી; જે પગે તું આપે છે તે પગે જ પાછો ચાલ્યો જા. આવું સાંભળીને એ દ્વત, (કંઈપણ વૃદ્ધિ કયો શિવાય ) પિતાનું મૂળ દ્રવ્ય લઈને વણિકપુત્ર જાય તેવી રીતે, જે આવ્યો હતો તે પાછો ગયો. તેની પાસેથી નિષેધની વાત સાંભળીને મગધાધિપતિ વિષાદ પામ્ય કહ્યું છે કે અકેક આશા સારી; એક સામટી પચાસ નહિં સારી. એ વખતે હાથમાંથી એક અમૂલ્ય મણિ ગુમાવનાર પુરૂષની પેઠે અતિ વિષાદમાં પડેલા પિતાને જોઈને અભયકુમારે નમન કરીને પૂછ્યું–હે તાત, આપનું મુખકમળ આજે કેમ નિસ્તેજ જણાય છે ? પિતાએ તે પરથી કહ્યું–હે પુત્ર, ચેટકરાજા ઘણી પ્રાર્થના કર્યા છતાં પણ પિતાની કન્યા આપવાની ના કહે છે; જેના હાથમાં એ જશે તે વિજયી સમજ. એ સાંભળી અભયકુમારે કહ્યું–પિતાજી, એમાં ખેદ શા વાસ્તે કરો છો ? હજુ તો હું બેઠેછું; તે કલ્પવૃક્ષ સમાન એવા આપની કૃપાથી, આપનાં ઈચ્છિતની શીધ્રપણે સિદ્ધિ થશે એવા પ્રયત્ન હું કરીશ. એમ કહી સર્વ કળાઓના નિધિ અને આકાશરૂપી વિમાનને . વિષે સૂર્ય સમાન એવા અભયે પોતે સદ્ય એક પટને વિષે પિતાની યથાસ્વરૂપ છબિ આખી. પછી ગુરૂજનના કાર્યને અર્થે ઉપાય શોધનારા પુત્રે, પિતે કેઈ સ્થળે પૂર્વે જેયેલા ગુટિકાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #99 -------------------------------------------------------------------------- ________________ 82 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પ્રયોગથી પિતાને સ્વર અને વર્ણ બદલ્ય; કારણકે વૃત્તિને સારી રીતે ગુપ્ત રાખ્યાથી જ કાર્યસિદ્ધિ થાય છે. પછી એ વણિકને વેષ લઈને વૈશાલિકા નગરીએ ગયે; કારણકે એ આચાર પાળ્યા વિના સામા માણસને બરાબર છેતરી શકાતા નથી. બુદ્ધિસાગર રાજપુત્રે ત્યાં રાજાના અંતઃપુરની પડોશમાંજ એક દુકાન લીધી; કારણકે લેકને વિષે પણ, લેહચુંબક મણિ દૂર રહીને કદિ પણ લેહને આકર્ષણ કરી શકતું નથી. તે દુકાને અંતઃપુરની દાસીઓ જે કઈ વસ્તુ લેવા આવે તે એમને ઝાઝી ઝાઝી આપવા લાગે. અથવા તે દાનરૂપી જળવડે સિંચાવાથી માણસની બુદ્ધિરૂપી કલ્પલતા ફળદાયક થાય છે. વળી જ્યારે જ્યારે પેલી દાસીએ ત્યાં કંઈ લેવાને આવે ત્યારે અભયકુમાર પેલી ભૂપતિની છમિની મહા આદરસહિત પૂજા કરે; અથવા તે હરકેઈ દશાને વિષે એવા મોટા પુરૂષની પૂર્વચેષ્ટા ખીલી જ નીકળે છે. એ જઈ પેલી દાસીઓએ પૂછ્યું-શેઠ, તમે હમેશાં દેવના જેવી ભક્તિથી આ કેની પૂજા કરે છે ? અભયે કહ્યું-ભાગ્યશાળી એવા આ મારા સ્વામી શ્રેણિકરાજ છે. એટલે પેલીઓએ તે છબી જેવા લીધી અને જઈને કહેવા લાગી અહે ! આનું રૂપ કામદેવને પણ જીતી લે એવું છે. એને વર્ણ સુવર્ણને પણ નિસ્તેજ કરી નાંખે એવે છે, અહો ! એનું પુણ્ય અને લાવણ્ય અગણિત છે. અભયે કહ્યું-બાઈએ, એ જેવા રૂપવંત છે એના એકમે અંશે પણ આ છબિમાં આલેખાયા નથી. વિધાતા પણ એને કાકતાલીયન્યાયથી (અણધાર્યો) આવા બનાવીને વિસ્મિત થયા છે. એમણે પિતાના શાયગુણવડે સિંહને પરાજય કર્યો છે, અવર્ણ એવા મદેન્મત્ત સ્વભાવે કરીને નાગને નિસ્તેજ કરી નાંખે છે, ગાંભીર્ય ગુણવડે મહાસાગરની કીર્તિ હરી લીધી છે, અને ધેર્યગુણવડે, હેમાદ્રિ-મેરૂપર્વતપર પણ વિજય મેળવ્યું છે. વધારે શું કહ્યું? ત્રણે જગતને વિષે જે જે સદગુણે છે તે સર્વેએ એકસામટે એનામાં વાસ કર્યો છેyadhaો જેવી રીતે P.P.AC. Gunratnasum M.S. Page #100 -------------------------------------------------------------------------- ________________ સુજ્યેષ્ઠાની તીવ્ર અભિલાષા. સૂર્ય—ચંદ્ર-નક્ષત્ર–ગ્રહ અને તારાઓ સર્વ સાથે આકાશને વિષે વાસ કરી રહ્યા છે તેમ, આ બધું જોઈ તથા સાંભળીને દાસીઓએ સુભેચ્છા પાસે જઈને કહ્યું–હે સ્વામિની, એક વણિશ્રેણીની પાસે અમે એક પટમાં આળેખેલું પુરૂષનું રૂપ જોયું તેવું રૂપ ભૂતકાળને વિષે નહેતું-ભવિષ્યને વિષે પણ થવાનું નથી. તે સાંભળીને ચેટકરાજપુત્રીને તે રૂપ જવાની તીવ્ર અભિલાષા થઈ; કારણકે એવી વયે એવી અપૂર્વદષ્ટ વસ્તુ જેવાને કેનું મન ઉત્સુક ન થાય ? એટલે તેણે પિતાની સખી સમાન એવી એક મુખ્ય દાસીને તે. લઈ આવવાનું કહ્યું; કારણકે ગુરૂવાત જેની તેની પાસે કહેવાય નહીં. તે દાસી પણ રાજપુત્ર પાસે જઈને ચિત્રપટની યાચના કરવા લાગી–મારી બાઈને એ જોવાની બહુ ઈચ્છા થઈ છે; કારણ કે જોવા લાયક વસ્તુને જેવી એજ નેત્રો પામ્યાનું ફળ છે, પણ મગધ રાજપુત્રે કહ્યું –ભ, હું તે આપી શકતો નથી; કારણકે તમે સર્વ એકઠી થઈને એની અવજ્ઞા કરે; અને વળી મારૂં સર્વસ્વ એજ છે. દાસીએ કહ્યું-તમારી બહેન હેય ત્યાં કદિપણ એવું થાય ? હું જાતિએ દાસી છું, પણ કમે દાસી નથી; માટે ભાઈ, કૃપા કરીને એ મને ઝટ આપ. હે દાક્ષિણ્યના સમુદ્ર, ક્વચિત કેઈ સ્થળે તમે મને આટલી બધી વાચાળ થઈને બેલતાં જોઈ છે? માટે હું મારી બાઈની પાસે ખરી ઠરૂં એમ કરે. અભયે પણ વળી એને કહ્યું-જે એમજ હોય તે તું આ ભલે લઈ જા; હું એ અન્ય કેઈને નથી આપતા; પણ તારા જેવા ગ્ય જનને આપવામાં મને કંઈ અડચણ નથી. દાસી પણ એ લઈ હર્ષ પામતી પિતાની બાઈ પાસે ગઈ અને તેને એ ચિત્રપટ આપ્યું. તે જોઈ અન્વેષ્ટા પોતે તેની સાથે સ્પર્ધા કરતી હાયની તેમ, આળેખાઈ ગઈ. નિશ્ચયે, દૃષ્ટિએ કેઈ ઉત્તમ ગુરૂની પાસે શ્રદ્ધાપૂર્વક કામણને અભ્યાસ કર્યો છે; નહિં તો બીજી ઇઢિયરૂપી પત્નીઓને મૂકીને ચિત્તરૂપી પતિ એને વિષે ( એ દષ્ટિને વિષે) કેમ લીન થાય? પછી એ ગુમરીતે દાસીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #101 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. કહેવા લાગી- તિરૂમ જેમ દેવતાઓના સ્વામી ઇદ્રને વરી હતી. તેમ હું પણ આ સિભાગ્યવંત, રૂપવાન અને લાવણ્યના સાગર એવા મહીપતિને વરીને મારો જન્મ સફળ કરીશ. તોપણ જે દેવગે હું એમને કર ગ્રહણ કરવાને ભાગ્યશાળી નહિ નીવડું, તે હું ભેગ સવે ભગિની ભેગની જેમ દૂર કરીશ.૧ માટે જે તને મારા ઉપર સ્વામિભાવનું મમત્વ હોય તે તું તેને ઉપાય ચિંતવ. અથવા તે એ વણિકશ્રેણી પિતે જ એને ખરે ઉપાય જાણતો હશે અને કરશે; કારણકે આપણી સાથે એને સંબંધ ઉદય પામતે છે; અને ઉદય પામતે સૂર્ય પણ પ્રકાશ આપે જ છે. આ પરથી દાસી વણિકશ્રેણીના વેષમાં રહેલા અભયકુમાર પાસે ગઈ અને તેને કહેવા લાગી–જેમ રુકિમણીને વિષ્ણુ ઉપર રાગ બંધાયો હતો તેમ મારી બાઈને આપના રાજા તરફ રાગ બંધાય છે અને તેની પત્ની થવાને ઈચ્છે છે. માટે આપ અમારૂં એટલું કાર્ય કરે; અને એ મારી બાઈ પણ એ રાજાને પતિ તરીકે મેળવીને આનંદ પામે. એટલે અભયકુમારે કહ્યું—એ તારું કહેવું એગ્ય છે; કારણકે મુક્તા (મેતી) તે સુવર્ણન કુંડળને વિષેજ (જડાયેલું) શેભે છે. પણ અહિં આપણે દઢ પ્રતિજ્ઞા કરવી જોઇશે; કે જેથી આપણું કાર્ય કુશળતાથી પરિપૂર્ણ થાય; જે આદરીને ત્યજી દઈએ તે નિશ્ચયે આત્મહાનિ થાય અને વળી સર્વ કે ઉપહાસ કરે. હું એક ઉત્તમ સુરંગ ખોદાવીશ, અને તે માર્ગે નૃપતિને પ્રવેશ કરાવીશ; અને તારી સ્વામિની એમને રથમાં બેઠેલા જોઈને, પદ્મિની સૂર્યને જોઈને વિકાસ પામે તેમ, વિકાસ પામશે. તે તેમને જેશે કે તરત, ચિત્રને અનુસાર, પહેલે જ ક્ષણે ઓળખી કાઢશે; એટલે પછી તેણે, મયૂરી દેવતાઓના મહેલના શિખરપર ચઢી જાય તેમ, શીધ્રપણે રથને વિષે બેસી જવું. એમ કહીને અભયકુમારે તે દાસીને સંકેત આપે કે-યુદય એવા અમારા રાજા પિતે અહીં અમુક દિવસે–અમુક પહોરે અને અમુક ક્ષણે આવશે. આ સર્વ વાત દાસી રાજકુમારીને નિવેદન કરી આવી જ 1 સર્વે ભોગપભોગ ભોસિપની ભગ–ણની જેમ દૂર રાખીશ. P.P. Ac. Gunratnasuri M.S. Page #102 -------------------------------------------------------------------------- ________________ કાર્યોસિદ્ધિ. ને અભયકુમારને કહેવા લાગી-આપનું વચનજ અમને પ્રમાણ છે; કારણકે અનેક ચિત્તથી કાર્યસિદ્ધિ થતી નથી. પછી અભયકુમારે શ્રેણિકભૂપતિને સમાચાર કહેવરાવ્યા કે “ચેટકરાજાએ જેને નિષેધ કર્યો હતો તેને હું લાગે છું.” પછી રાજપુત્રે પિતાના માણસો પાસે ત્વરાથી ઉત્તમ સુરંગ ખોદાવ્યા; કારણકે અન્યનેને જે કાર્યમાં મહિના ને મહિના થાય તે કાર્ય રાજાઓને તેટલા દિવસમાં થાય છે. તે દિવસથી નિત્ય મગધાધિપતિ શ્રેણિકમહિપાળનું સ્મરણ કરતી ચેટકરાજપુત્રી સુજ્યેષ્ઠા, રાત્રીને વિષે ચકવાક અને ચકવાની પીડાય તેમ, તાપે પીડાવા લાગી. હિંમ-હાર-ચંદ્રમાના કિરણો-કમળપુષ્પ-મૃણાલના તંતુઓ-ઉત્તમ ચંદનને લેપ-ચંદ્રચૂર્ણથી ઘર્ષણ-એવા એવા શીતઉપચારોથી તે એને ઉલટ વિશેષ દાહ થવા લાગે; જેમ રજવરથી પીડાતાને થાય તેમ. રાત્રિએ કે દિવસે, શયનનેવિષે કે બહારના ગૃહનેવિષે, અન્ય સ્ત્રીઓના સાથમાં કે એકલાં રહેવાથી પણ તેને ક્ષણ માત્ર ચેન પડતું નહીં; કારણકે કામકૃતવિકાર દુઃખદાયક છે. પેલી દાસી તેને સમજાવવા લાગી-બાઈ સાહેબ, ધીરા થાઓ, મેહ ત્યજી ઘો; આપણી મનકામના સિદ્ધ થશે–એમ હું માનું છું, કારણકે એ વણિકશ્રેષ્ઠી વિશ્વાસપાત્ર દેખાતો હતો. હે સ્વામિની, આપ ઉત્તમ વિચારવાળા રાજપુત્રી છે, વિદ્વાન છે; તમારે વિયેગી સ્ત્રીની ચેષ્ટા બતાવવી એ સારું નથી. કારણકે કાર્ય ગુપ્ત રાખવું છે તેને એ પ્રકાશમાં લાવી દેશે. આવું દાસીનું સુયુક્તિવાળું વચન સાંભળીને સુજયેષ્ટા પુનઃ પિતાના મૂળભાવ ( સ્વભાવ ) તરફ વળી; કારણકે અમૃતવલ્લી શુષ્ક થઈ ગઈ હોય તોપણ પુનઃ જળથી સિંચાય તે પાછી તાજી થાય છે. - હવે કુમારે રાજાને સંકેતને દિવસે પહોંચાય એવી રીતે બેલાવ્યા. એટલે એ પણ ત્યાંથી મનને વેગે ચાલ્ય; અથવા તે સ્વાર્થને વિષે ત્વરા કણ નથી કરતું ? સુલસાના પુત્રો જેવા પાછળ ચાલનારા અંગરક્ષક સહિત માર્ગને વિષે પ્રયાણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #103 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીવરનું જીવનચરિત્ર. કરતા શ્રેણિકરાજાને જોઈને જ જાણે દિગપાળ દશ દિશાને વિષે જતા રહ્યા છે ! એ બત્રીશે જણને સાથે લઈને વીરરૂપ એવા એ ભૂપતિએ સુરંગને વિષે પ્રવેશ કર્યો, તે જાણે વ્યંતર દેવાધિપતિઓને પરાજય કરીને તેમને સ્થાને એમને | એ બત્રીશ સુલસાપુત્રને ] સ્થાપવાને અર્થેજ હાયની ! ક્ષણમાત્રમાં, સંકેત કરી રાખેલે સમયે, રાજગૃહનગરીને સ્વામી | શ્રેણિક ] સુરંગના મુખ પાસે પહોંચ્ય; જેવી રીતે ચૈત્રમાસની પૂર્ણિમાએ પદ્મદ્રહને વિષે સુવર્ણનું કમલ આવે છે તેવી રીતે. તેને જોઈને રચેટકરાજપુત્રી ચિત્રના અનુસારે સારી રીતે ઓળખી, ચકેરી ચંદ્રબિંબને જોઈને હર્ષ પામે તેમ, અત્યંત હર્ષ પામી કહેવા લાગી–પટને વિષે જેવું રૂપ મેં જોયું હતું તેથી આ રેખામાત્ર પણ ન્યૂન નથી કારણકે હવે એ, એક બિબના, દર્પણને વિષે પડેલા પ્રતિબિમ્બની પેઠે, પ્રત્યક્ષ દેખાય છે. હવે આ વખતે સુજ્યેષ્ઠાએ પિતાની સર્વ હકીકત યથાવત્ ચેલણને નિવેદન કરી; કારણકે પિતાની પરમસખીથકી જ્યારે રહસ્ય ગોપવવું ન જોઈએ, ત્યારે સહોદરા બહેન થકી તે શામાટે જ ગાવવું? એટલે ચલ્લણાએ તેને કહ્યું- એમ હેતે હું પણ તારી સાથે આવીશ; અહિં જેમ આટલા દિવસ સાથેજ નિર્ગમન કર્યા છે તેમ હવે પછી પણ થાઓ; કારણકે ભાખંડ પક્ષીના જોડલાં કદિપણ જુદાં પડતાં નથી, એ સાંભળી અને હર્ષથી રોમાંચિત થતી સુચેષ્ટા ચેલ્લણને કહેવા લાગી–તે આ વિચાર કર્યો તે તારી બહેન પરત્વે ( અર્થાત્ મારી પરત્વે ) બહુ સારા વિચાર કર્યો છે; ચિત્રા અને સ્વાતિને એક સાથે ઉદય થાય એ શું ઈચ્છવા યોગ્ય નથી ? પછી તે ( સુચેષ્ટા) ચેલ્લણને રથમાં બેસારીને પિતે પિતાનાં આભરણ લેવા ગઈ; કારણકે મહાન જેને ન્હાના બધુને સુખી કરીને પછી જ પિતાના કાર્યને આરંભ કરે છે. એ વખતે નાગસારથિના પુત્રે રાજાને કહેવા લાગ્યા–હે દેવ, શત્રુના સ્થાન કરતાં વિષ સારું; માટે સર્પના ધામ જેવા આ સ્થળને વિષે વધારે વખત રહેવું સારું નથી. વળી, આ કુમારિકા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak kust Page #104 -------------------------------------------------------------------------- ________________ “રામનું સ્પર્મ ભરતને ફળ્યું.” 87 પણ રથને વિષે આવીને બેઠી છે; માટે મહારાજ, હવે ચાલે આપણું નગર પ્રત્યે જઈએ; કારણકે સુજ્ઞજન, કાર્યસિદ્ધિ થયે છતે, રિજનને ફાવવાને પ્રસંગ આપતા નથી. તે સાંભળી શ્રેણિકરાય પણ, રથમાં સુજ્યેષ્ઠાજ બેઠી છે એમ માની, સમુદ્રના તટ થકી જળનો પ્રવાહ પાછો વળે તેમ, સુરંગના મુખથકી પાછો વળી જે માગે આવ્યો હતો તે માર્ગે ચાલી નીકળે. એટલામાં રત્નાભૂષણોને કરંડિઓ લઈને સુકા આવી. પણ તેણીએ, પૃથિવીને વિષે ગુમ થઈ ગયેલા નિધાનની પેઠે, ત્યાં મગધનાથને જોયા નહીં તેથી હદયને વિષે બહુ વિષાદ પામી અને બોલી–પતિને અર્થે ઉપાય મેં કર્યો; પણ તે, રામનું સ્વમ ભરત ને ફળ્યું તેમ, ચેલ્લણાને ફળે. મને આવા ઉત્તમ પતિને ગ ન થયો તે નહિં; પણ ઉલટે બહેનને વિયેગ થયેલ નિભંગી વણિકુજનને લાભ થ તે બાજુએ રહે પણ ઉલટી મૂળ દ્રવ્ય (મુડી) માં હાનિ થાય—એના જેવું જ મારે થયું. આમ વિચાર કરી ન્હાની બહેનના વિરહના દુઃખે દુઃખી થઈ એણે પિકાર કર્યો–સમુદ્રના મંથનસમયે દે સુધાને (અમૃતને લઈને જતા રહ્યા હતા તેમ શત્રુઓ ચેલ્લણાને હરી જાય છે. એ સાંભળી બખ્તર ધારણ કરી તૈયાર થતા ચેટકનરપતિને પ્રણામ કરી, તેને વીરંગક નામને સારથિ કહેવા લાગ્યું–હજુ હું વિદ્યમાન છતે આપને આ કાર્યને વિષે ઉપાધિ કેવી ? હે દેવ, મને આજ્ઞા કરે એટલે હું ક્ષણમાત્રમાં શત્રુઓને પરાભવ કરીને તેમની પાસેથી રાજકન્યાને પાછી લઈ આવું; અથવા તો જાતિવંત સેવકપુરૂષોને આ ધર્મજ છે. ભૂપતિએ આજ્ઞા આપી એટલે જાણે મહા કૃપા થઈ હોય એમ ચિત્તને વિષે હર્ષ પામતા સારથિએ, મૃગાધિરાજ સિંહ હિમગિરિની ગુહાને વિષે પ્રવેશ કરે તેમ, સહસા સુરંગને વિષે પ્રવેશ કર્યો. કવચથી સજ્જ થયેલા એ અસહ્ય બાહુવીર્યવાળા મહારથી વીરંગક સારથિએ ત્યાં, સિંહ હસ્તીના બાળકની સાથે યુદ્ધ કરે તેમ, નાગસારથિના પુત્રોની સાથે યુદ્ધ કર્યું. “મારે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #105 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. સ્વામી એક બાણુવતી એક શત્રુને હણ શકે છે માટે હું તેનાથી અધિક કરી બતાવી તેને સંતોષ આપું " એમ માની તેણે તે બત્રીને એક સાથે હણ્યા. સુરંગ પહોળી નહતી તેથી તે | જવાનો માર્ગ કરવાને વાસ્ત] તેમના રથને તેમાંથી બહાર કાઢવા રહ્યો એટલામાં તે મગધનાથ શ્રેણિકરાજા બહુ દૂર પહોચી ગયે; કારણકે અતિ વેગવાળા અવેની સહાયથી જતાં શાની વાર લાગે ? ઈચ્છિત મને રથ સિદ્ધ થયેલ નહિં તોપણ વીરંગક હવે નિર્વિલએ પાછો વળે; કારણકે ભૂમિપર રહીને વામન પુરૂષ કદાપિ પોતાના હાથવડે તાળવૃક્ષના ફળને ગ્રહણ કરી શકે નહિં. તેણે આવીને ચેટકરાજાને નિવેદન કર્યું કે તેના સર્વ રથિને મેં હણ્યા છે; પરંતુ શત્રુ રાજકુમારીને બહુ દૂર લઈ ગયો માટે શું કરીએ ? હવે આપણે આકાશને વિષે પ્રહાર કરવા જેવું છે. રાજાને સમકાળે, પુત્રીના હરણથી વિષાદ અને શત્રવર્ગના સંહારથી હર્ષ થયો. - હવે સુષ્ઠાને તો અહિં, મહામુનિરાજે પણ જેની ઈચ્છા કરે છે એવી, વૈરાગ્યદશા પ્રાપ્ત થઈ. અહા એ સત્ય છે કે ભવ્ય પ્રાણીઓ એક નિમિત્તાત્રે કરીને સદ્ય પરમબોધ પ્રાપ્ત કરે છે. " આપણા જેવા વિષયાસક્ત પ્રાણીઓ, આદિ–મધ્ય–અથવા અવસાનને વિષે, સુરાપાન કરનારા અને ચળેલાઓની પેઠે બહુબહુ પ્રકારની વિડંબના પામે છે. જે વિષયભેગને વિષે કંઈ પણ લાભ હોય તે, તેને પરિત્યાગ કરવામાં તે તેનાથી સાઠહજાર ગણે લાભ છે.” આમ વિચાર કરીને તે સુયેષ્ઠા ગાઢ તપશ્ચર્યા કરવા લાગી. તે પ્રાણીઓને જ ધન્ય છે, તે પ્રાણુઓજ કૃતકૃત્ય છે, તેજ દેવતુલ્ય છે, તેઓજ નિર્મળ છે કે જેઓ બાલ્યાવસ્થાથીજ બ્રહ્મચર્યનું, દ્રવ્યની પિઠે પાલન કરે છે. પછી તેણે કમારાવસ્થાને વિષે જ રાજીમતીની પેઠે રાજ્યલક્ષમીને ત્યાગ કરી તરતજ દીક્ષા લેવાનો વિચાર કર્યો, કારણકે ધર્મની ગતિ ત્વરિત છે. પછી તેણીએ એ પિતાની ઈચ્છા પિતાને પ્રણatnકરીને નિવેદન કરી; કારણકેપળ વિજ્ઞાનશાળી જનોએ Page #106 -------------------------------------------------------------------------- ________________ . હર્ષ અને ખેદ-લાભ અને હાનિ. કંઈ પણ કાર્ય પિતાની જ ઈચ્છાનુસાર ન કરવું જોઈએ; તો પછી દીક્ષાના સંબંધમાં તે શું જ કહેવું ? કારાગૃહ સમાન આ સંસારમાં રહેવારૂપ પાશથી, હું બંદિજનની પિઠે . કંટાળી ગઈ છું; માટે હું આપની કૃપાથી, અચિંત્ય ચિંતારત્નના જેવી દીક્ષા ગ્રહણ કરીશ. તે સાંભળીને રાજાએ કહ્યું-ઉત્કૃષ્ટ એવા જ્યેષ્ઠપદ (મોક્ષ)ની અભિલાષાને લીધે, સુયેષ્ઠા એવા યથાર્થ નામને ધારણ કરનારી તારા જેવી પુત્રીથી મને ઘણે હર્ષ થાય છે. બાલ્યાવસ્થાને વિષે જ, ઉત્તમ ચારિત્રની ઈચ્છા કરનારી એવી તું મારી સર્વ પુત્રીઓને વિષે, કુળના આભૂષણરૂપ છે. અથવા તે, વંશલતાએ ઘણું. હોય છે, પણ પ્રાસાદને શોભાવનારી કેઈ વિરલજ દેખાય છે. પછી રાજકુમારીએ ચંદના નામની મહત્તરી સાધવીની સમીપે મહા આડંબર સહિત પ્રવ્રજ્યા ગ્રહણ કરી; કારણકે હંસી તે કમલિનીને વિષેજ કીડા કરે છે. હવે અહિ રથને વિષે, જેને ખબર નથી પડી એ શ્રેણિકરાજા તે ચેલૂણા પ્રતિ પિતાની રાણીની સમાન આદરસત્કાર બતાવતે, તેને વિષેજ એકચિત્ત થયે છતે, મંત્રાક્ષ ઉરચાર હાયની એમ વારંવાર “સુયેષ્ઠા” સુણા” એમ બોલવા લાગ્યું. એટલે ચેલ્લાએ કહ્યું- હે રાજન, હું સુજયેષ્ઠા નથી; હું તેની બહેન પેલ્લેણું ; સુયેષ્ઠા ન આવી પહોંચી એ અમારા કે મારા ભાગ્યને જ દેષ છે. રાજાએ તેને સમજાવીછે મૃગાક્ષી, તું જ મારે મન સુજ્યા છે. તું એનાથી કઈરીતે હીન નથી; કારણકે ચંદ્રમાની કઈ પણ કળા બીજીથી ઉતરતી નથી. પણ ચેલૂણું તો આવો પતિ મળવાથી હર્ષિત થઈ, ને તે, સાથેજ, અત્યંત દુઃસહ એવા બહેનના વિયોગથી ખિન્ન થઈ; કારણકે સંસારનું સુખ એકજ રંગનું ન હતાં ભિન્ન ભિન્ન . રંગનું હોય છે. જેને લાભની સાથે હાનિ પણ થઈ છે એ શ્રેણિકરાજ પણ થોડા દિવસમાં પોતાને નગરે પહોંચે નદીનાં જળથી પૂરાતા પણ વાડવાગ્નિવાળા સમુદ્રને વિષે કદિ પણ . લબ્ધિ હોયજ નહીં. બુદ્ધિસાગર અભયકુમાર પણ શ્રેણિક રાજાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #107 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પાછળ ત્વરિત આવી પહ; કારણકે વિદ્વાન્ પુરૂષ તીર્થને વિષે જઈને ફળજ ગ્રહણ કરીને આવતા રહે છે, ત્યાં સ્થિરવાસ કરીને વસતા નથી. પછી મહાઉદાર પ્રકૃતિવાળા નશ્વર રાજપુત્રી ચેલ્લણાની સાથે ગાંધર્વવિધિએ વિવાહ કર્યો કારણકે આવી રીતે પતિ પત્ની થએલાઓને વિસતાર શેભે નહિ. એ પછી અભયને સાથે લઈ જઈ શ્રેણિક રાજાએ નાગસારથિને અને તેની સ્ત્રીને તેમના પુત્રનું સર્વ સ્વરૂપ માંડમાંડ કહી સંભળાવ્યું; કારણ કે પુરૂષ વ્યથાકારી વચન મહા દુઃખે ઉચરે છે. પિતાના પુત્રની એવી, કર્ણને વિષે વિષસમાન હકીકત સાંભળીને તેઓ વિલાપ અને રૂદન કરવા લાગ્યા; કારણકે મહાપ્રયાસે પ્રાપ્ત કરેલા પુને એક સાથે વિયાગ થાય તે અત્યંત દુઃસહ છે. " અરે નિય, પાપી કૃતાંત (કાળ, યમ) ! તું પારકું સુખ જોઈ શકતો નથી; અમને આવી રીતે, એક પ્રહણની પેઠે, દુખસમુદ્રમાં શા માટે ફેંકી દે ? અરે ! અમારા નિર્દોષ પુત્રોને એક સાથે અકાળે હરી જનારા દુરાચારી કાળ ! જેવી રીતે સહસ્ત્રઘાતી વિષ સર્વ વિષેને વિષે, તેમ તું સર્વ ખલપુરૂષને વિષે અગ્રેસર પદવી ધારણ છે. પણ કદાચિત તારું કહેવું એમ હોય કે મારા પુત્રોએ તારે કંઈ અપરાધ કર્યો છે, તે, હું પૂછું છું કે સર્વેએ તે નથી કર્યો ને ? કારણકે આ અખિલ વિશ્વ ( પૃથ્વી પરના તમામ માણસે) ક્યાંય દુર્દાન્ત હોય એ ઘટતું નથી. વળી કદાપિ તું એમ કહીશ કે [ સર્વેએ અપરાધ નથી કર્યો પણ) ડા એ ( તારે અપરાધ કર્યો હતો ), તે ( હું કહું છે કે) હે કર્મચાંડાળ, તે સર્વના પ્રાણ લઈને, આ લેકમાં, તારે સમવતિભાવ. અગ્નિના સમવતભાવની જેમ પૂર્ણપણે સત્ય કરી આપે છે. અથવા તો, તું રાંક છો, તારે લેશમાત્ર દેશ નથી; તે અમારા ક્ષીણ ભાગ્યને જ દોષ, કે ગુણને નાશ થવાથી હારમાંથી મુક્તાફળ જતાં રહે તેમ અમારા પુત્રો અમારા હાથમાંથી જતા રહ્યા. અથવા તે, 1. ઉદ્ધત. 2 નિષ્પક્ષપાતીપણું. 3 ગુણ (1) પુણ્યરૂપી ગુણ; (2) દેરી. Page #108 -------------------------------------------------------------------------- ________________ સુલસાને વિલાપ–અભયકુમારનાં શિક્ષાવચન. દેવતાએ પ્રથમથી જ કહ્યું હતું કે–તારે પુત્રો થશે તે સર્વ સમાન આયુષ્યવાળા થશે; અને તેવા યોગના વશે થયું પણ તેમજ કારણકે દેવતાનું વચન વૃથા થતું નથી. " આ પ્રમાણે ગાઢ વિલાપ કરતા જોઈને તેમને, બુદ્ધિમાન અભયે વૈરાગ્યયુક્ત મધુર વચનેએ કરીને સમજાવ્યા અથવા અભય જે રાજપુત્ર કયા વિષયમાં અપૂર્ણ હેય ? તેણે કહ્યું-વહસ્તીના કણની પેઠે અસ્થિર સ્વભાવવાળા આ સર્વ લેકને વિષે, જેઓ સારાસારના વિવેકવાળા છે તેઓ કદાપિ શેક કરતા નથી, કારણકે એ (શેક) ક્રોધની પેઠે પુરૂષાર્થને શત્રુ છે. અગ્નિને ઉપાય જળ છે; વ્યાધિને ઉપાય ચિકિત્સા છે; શત્રને ઉપાય શસ્ત્રાદિ છે; વિષને ઉપાય મંત્ર છે એમ સર્વકઈ વસ્તુઓને ઉપાય છે; પરંતુ આ નિરંકુશ એવા મૃત્યુને ઉપાય નથી. જન્મની સાથે મૃત્યુ પણ છે; તરૂણાવસ્થાની સાથે વૃદ્ધાવસ્થા પણ લાગેલી જ છે; ઉદયની સાથે અસ્ત પણ હોય છે; અને પુત્રાદિને પેગ એ વિયેગનું કારણ પણ છે ( ગ ન થયો હોત તે વિગ થાતજ કેને?). શરીર નિરન્તર અનેક રોગોથી યુક્ત છે; દારિદ્રયના ભયને લીધે, લક્ષ્મી પણ દુઃખદાયક છે; સ્નિગ્ધ એવા પણ મિત્રે ક્ષણમાં શત્રુરૂપ થાય છે, માટે જેમને નિરન્તર શત્રુઓનું દુઃખ છે એવી આ સર્વ વસ્તુઓને ધિક્કાર છે ! વળી વીરજનના મુકુટ જેવા તમે બને સાધારણ માણસની પેઠે અતિ શેક કરશો તે પછી ઘેર્યગુણ કે આશ્રય કરીને રહેશે ? કારણકે દુઃખને વિષે સહનશીલતા એજ ખરૂં ધર્યું છે. વાયુ નથી વાત ત્યાં સુધી રૂના ઢગલામાં અને પર્વતમાં કંઈ ભેદ જણાતું નથી; દુઃખ આવી પડે ત્યારેજ પુરૂષનું સત્વાસત્વ જણાઈ આવે છે. અન્ય જજોએ પણ શેક કરવો જોઈતો નથી, તો આપના જેવાઓની તે વાત જ શી ? કારણકે વિવેકરૂપી આભૂષણથી અલંકૃત એવા પંડિતજનેને તે ચોમ ( થયું તે ખરૂં ) એજ ખરૂં છે. તમારા પુત્ર સુરંગમાં કયાંથી ગયા ! શત્રુને તેમની તેજ વખતે કયાંથી ખબર પડી ! અને તેમને એક સાથે કયાંથી નાશ થયે ! અથવા તે આ ભવિતવ્યતા અન્યથા થતી નથી. મરવાનેજ જેમણે નિશ્ચય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #109 -------------------------------------------------------------------------- ________________ 92 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. જોઈએ. અથવા તે સ્વામીના કાર્યને વિષે જેઓ પોતાના જીવિતને અર્પણ ન કરે તેને શું સેવક ગણવા? આવાં આવાં વચને કહીને કુમારે તેમના શોકને પરિહાર કર્યો; કારણકે મંત્રવિજ્ઞ પુરૂષ ઉત્કૃષ્ટમંત્રને પ્રવેશ કરે ત્યાં વિષ કેટલો કાળ ટકી રહે ? પછી રાજા તેમની સાથે આદર સહિત સંભાષણ કરી સ્વસ્થાનકે ગયે; કારણકે જેમના પુત્રોએ તેના ઉપર આ ઉપકાર કર્યો તેમને આટલે પણ લાભ ન હોય? અનુકમે જન્માક્તરને વિષે ઉપાર્જન કરેલા પુણ્યકર્મને લીધે જેની સર્વ મનકામના સિદ્ધ થતી હતી એ એ રાજા, હરિ જેમ લક્ષ્મીની સંગાથે તેમ, ચેલૂણાની સંગાથે સુખ ભોગવવા લાગે. - હવે, આ જ ખંડને વિષે વસંતપુર નામના નગરમાં પૂર્વે જિતશત્રુ નામને રાજા હતા. તેણે મહેટા, ગર્વવાળા, બલવાનું અને દુષ્ટ શત્રુઓને જીતીને પિતાના નામને યથાર્થ કર્યું હતું. એ રાજાને અમરસુંદરી નામની રાણી હતી, જેનાથી ભય પામીને જ જાણે અમરસુંદરી (દેવીઓ) સ્વર્ગને વિષે જતી રહી હતી ! એમ કે આપણું રૂપ તે એણે હરી લીધું છે, રખે વળી આપણી અનિમેષતા પણ લઈ જશે ! આ દંપતીને સુમંગળ નામને પુત્ર તે જાણે એકદમ નવીને મંગળ હેયની એ હતો; કારણકે એ આકૃતિએ જેમ ભવ્ય હિતે તેમ એનામાં મૂળથીજ રાગ પણ હતઃ એના મસ્તક પર ઉત્તમ છત્રનું ચિન્હ હતું; એનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું હતું નેત્ર વિશાળ હતાં; કર્ણ લાંબા હતા, નાસિકા સરલ અને ઉંચી હતી; અને દંતશ્રેણિ કુંદપુષ્પની જેવી અતિઉજજવળ હતી. વળી એના ઓષ્ટબિંબ, ચરણ અને હસ્તકમળ કંઈક રક્ત હતા; કંઠપ્રદેશ વર્તુળાકારે ગેળ હતું, અસ વૃષભની જેવા ઊનત હતા; બાહુ જાનુપર્યન્ત - 1 દેવતા અનિમેષચક્ષુવાળા હોય છે એટલે કે એમના ચક્ષુ નિમેષ-રહિત હોય છે-મટકું મારતા નથી એ જે એમનાં ચક્ષને ગુણ તે અનિમેષતા. 2 એવાં ચિહે કે જેનાથી યુક્ત એ માણસ ભવિષ્યમાં રાજા થશે એમ કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #110 -------------------------------------------------------------------------- ________________ રાજકુમાર અને મંત્રીપુત્ર. લાંબા હતા; વક્ષસ્થળ કપાટસદશ હતું; પૃષ્ઠભાગ વિસ્તીર્ણ હતું અને મધ્યભાગ ( કટિભાગ) કૃશ હતે. એટલું જ નહિં પણ એની નાભિ ગંભીર હતી; ઉરૂ કદલીતંભ જેવા હતા; જાનુ લક્ષ્ય હતા; જઘા હસ્તીની સૂંઢ જેવી હતી; અને ચરણયુગ પુષ્ટ અને કુન્નત હતા. વધારે શું કહીએ? એનાં સર્વ અંગ સુંદર હતાં. આ જ નગરને વિષે એની જ વયન સેનક નામને મંત્રીપુત્ર હતો; તે, દૈભાગ્યનાપાત્ર અગ્નિશમની પેઠે, અશુભ લક્ષણોનો ભંડાર હતો. એનું મસ્તક ત્રિકોણાકાર હતું; એના કેશ અગ્નિસમાન પીળાવર્ણના હતા; નેત્ર મારનાં જેવાં અને કર્ણ મૂષકના જેવા હતા. એને ઓષ્ટ અને કંઠ લાંબા હતા; નાસિકા બેઠેલી હતી; અને દાંત ભુંડીની પેઠે મુખ થકી બહાર નીકળતા હતા. એના ખભા બેસી ગયેલા હતા; બાહુ બહુ ટુંકા હતા; વક્ષ:સ્થળ સાંકડું હતું, ઉદર ગણેશના જેવું (માટુ) હતું. ઉરૂ બહુ હસ્વ હતા; જાનુ સ્કુટપણે દેખાતા હતા; જઘા વક હતી અને ચરણ સૂપડા જેવા હતા. ત્રિક-ચતુષ્ક–રાજમાર્ગ દેવમંદિર કે વનમાં-જ્યાં જ્યાં તે જોવામાં આવતે ત્યાં ત્યાં, પિતાના રૂપને અભિમાની સુમંગળરાજપુત્ર એની હાંસી કરતે; એના મસ્તક ઉપર ત્રણ ટકેરા કરી એને હાથ મરડીને એને ધબ્બા મારતો; કારણકે તરૂણજનેને વિવેક કયાંથી હોય ? આવી કદર્શન પામવાથી સેનકને અત્યંત દુઃખ લાગતું; કારણકે ઝેરી શસ્ત્ર સહન થાય, પણ નિષ્કારણ વિડંબના સહન ન થાય. આમ અનેકવાર પરાભવ પામવાથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયે ! પણ એ આશ્ચર્યજનક હતું; કારણકે વિરાગ્યનું કારણ પ્રાપ્ત થયા છતાં પણ વૈરાગ્ય પામવો એ સુલભ નથી. તે વિચારવા લાગ્ય-નિશ્ચયે મેં પૂર્વભવને વિષે મુનિઓને અથવા સતી સ્ત્રીઓને ઉપહાસ કયો હશે; અન્યથા, પક્ષીઓને વિષે જેમ વાયસ તેમ હું જનસમુદાયને વિષે વિરૂપ અને દુર્ભગ ક્યાંથી થયે ? માટે મેં કોઈ એવા 1 દ્વાર જેવું (વિસ્તીર્ણ) 2 જણાય નહીં એવા. 3 કાચબા જેવાવચ્ચેથી ઉંચા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #111 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પ્રકારને કર્મબંધ કર્યો હશે કે એથી ઉપાર્જન કરેલાં દર્ભાગ્ય આદિથી, રજસમૂહથી ચંદ્રબિંબની પિઠે, મારૂં ક્ષીર-અને-હિમ સમાન ઉજજવળ કુળ ઢંકાઈ ગયું. માટે હવે હું કઈ એવા પ્રકારના ઉગ્ર સુકૃત્ય આચરૂં કે જેથી મારાં પૂર્વભવના પાપકર્મોને નાશ થાય. એમ વિચારીને તે, શરીરમાંથી આમ ચાલી નીકળે એમ, સ્વજન અને સ્વનગરનો ત્યાગ કરીને ચાલી નીકળે. કેટલાએક દિવસ વ્યતીત થયા પછી સુમંગળના પિતા જિતશત્રએ તેને મહાવભવ સહિત પિતાને પદે આરોપણ કયે; કારણકે પિતાને પુત્રપ્રતિ એ ધર્મ છે. એ સુમંગળે પણ ગાદી ઉપર આવીને, ગ્રીષ્મઋતુના મધ્યાહુકાળના સૂર્યના જેવા અતિ ઉગ્ર પ્રતાપવડે અનેક મહીપતિઓને વશ કર્યા; કારણકે સિંહને પુત્ર સિંહ જ હોય છે. - હવે પેલે સેનક કે જેણે તાપસી દીક્ષા ગ્રહણ કરી હતી તે હર્ષ સહિત પિતાને કૃતકૃત્ય માનતો હતે; કારણકે અન્યને પણ સ્વબુદ્ધિએ ધર્મ તે કરે છે, પણ તેવા પ્રકારની કદર્થનાથી પરાભવ પામેલાઓ એ વિશેષ પ્રકારે કરે છે. એકદા એને પિતાના દૈભાગ્યનું સ્મરણ થવાથી વેરાગ્યયુક્ત થઈ એણે પિતાના ગુરૂની પાસે ઉષ્ટ્રિકાભિગ્રહ કર્યો. કહ્યું છે કે ઓછા જ્ઞાનવાળાને, બંધ કષ્ટને અથે છે. એકદા પૃથ્વી પર વિચરતો એ તપસ્વી રાગને વશે પુનઃ વસંતપુરે આ અહે લેકેને ધિક્કાર છે કે પરાભવ પામ્યા છતાં પણ પુનઃ પિતાની જન્મભૂમિ પ્રત્યે ઉત્કંઠા રાખે છે ! તપસ્વીને જેઈને નગરના સર્વ લોકે ભક્તિસહિત તેની પૂજા કરવા લાગ્યા; કારણકે આ તપશ્ચયો જ જગતને વિષે પૂજ્ય છે, તે તેને આદરવાવાળો શા માટે આદર ન પામે? ક્યા કારણે વિરાગ પામી તે ગૃહને ત્યાગ કરી આવી કષ્ટદાયક તપશ્ચયો આદરી છે” એમ પ્રશ્ન પૂછતા લોકેને કુરૂપમંત્રીપુત્ર પણ ઉત્તર આપ્યો કે–આ તમારા રાજાએ કુમારાવસ્થામાં મારે 1. ઉષ્ટિકાભિગ્રહ. ઉંટ પર બેસવું આકરે પડે છે તે આકરો માસમાસના - ઉપવાસને અભિગ્રહ, Jun Gun Aaradhak Trust: Page #112 -------------------------------------------------------------------------- ________________ તપસ્વી ગુરૂને ભક્તિમાન શિષ્ય! 95 પરાભવ કર્યો હતો તેથી મને વૈરાગ્ય ઉત્પન થયેલ છે. તેણે કેને આ વાત હતી તેવી કહી; કારણકે સત્ય વચન જ તપને અનુકુળ છે, પછી કર્ણ પરંપરાએ એ વાત રાજાને કાને પહોંચી; કારણકે નિયાયિક આદિ મને વિષે શબ્દ " વિચિતરંગ " નામના ન્યાયે ગમન કરે છે. સુમંગળ રાજા તો એ વાત સાંભળતાં જ મહા વિષાદ પામ્યા; અથવા તે મહાન પુરૂષે પિતાના અપરાધને શલ્યથકી પણ વધારે માને છે એ યુક્ત જ છે. પછી એણે તપસ્વી પાસે જઈ ભક્તિસહિત નમન કરી એની ક્ષમા માગી કે અજ્ઞાનભાવથી મેં આપને જે અપરાધ કર્યો છે તેની, પિતા પુત્રને આપે તેમ, આપે મને ક્ષમા આપવી. એ સાંભળીને શાંતચિત્તવાળા તપસ્વીએ કહ્યું- હે નરેંદ્ર, તારા જેવા ગુરૂની મારાથી ભક્તિ તો કાંઈ થાય એમ નથી–તો શું ક્ષમા પણ નહિં આપી શકાય? હું ક્ષમા કરૂં છું. કારણકે આ મારી તપસ્યાને તું હેતુરૂપ છે અને એ તપસ્યા સંસારસમુદ્રના સેતુરૂપ છે, અને દુઃખપરંપરારૂપી દાવાનળને શાન્ત કરવામાં તથા કલ્યાણરૂપી લત્તાને ઉત્પન્ન કરવામાં મેઘરૂપ છે. પછી " આવા પાત્રને આપેલું દાન મહા ફળદાયક થાય છે” એમ ધારીને રાજાએ એ તપસ્વીને પારણને વાતે નિમંત્રણ કર્યું; કારણકે બક્ષભક્તિ તે કૃપણ જનની હેય છે. હવે જે કે એ લોકેને રાજપિંડ ખપે નહિ, તે પણ પોતે બહુ પ્રસન્ન થયે હતું તેથી તેણે રાજાનું વચન માન્ય કર્યું; કારણકે તપસ્વિજને દાક્ષિણ્યગુણવાળા હેય છે. પછી રાજા તેને નમીને તથા તેની આશિષ ગ્રહણ કરીને સ્વસ્થાનકે ગયે. તપસ્વી પણ માસક્ષપણ પૂર્ણ થયે રાજાના મહેલના દ્વાર પાસે ગયે. કારણકે મુનિઓ સત્યપ્રતિજ્ઞાવાળા હોય છે. તે વખતે રાજાને મહા શિરેબાધા થયેલી હોવાથી કેઈને અંદર પ્રવેશ કરવા દેતા નહેતા; તેથી તપસ્વી ચિત્તને વિષે લેશમાત્ર પણ ઉદ્વિગ્ન થયા વિના હર્ષ સહિતજ પાછો વળે; કારણકે તપોધનેને ( તપસ્વીઓને ), તપશ્ચર્યા એજ વૃદ્ધિને અર્થે છે. જે પહેલેજ ગૃહે પારણું ન થાય તે પહેલાની ઉપરજ બીજું માસક્ષપણ કરવું " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #113 -------------------------------------------------------------------------- ________________ 96 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. એવા પિતાના અભિગ્રહને લીધે તપસ્વી આ વખતે પૂર્વની જેમ માસક્ષપણ કરીને રહ્યા; કારણકે સત્વવંત જને સત્વને ત્યાગ કરતા નથી. આ દ્વિતીય માસક્ષપણને સમયે તેણે “આ લોકો સુધા કેવી રીતે સહન કરતા હશે” એ પ્રશ્ન પૂછનારને નહિ જોવાને ઈરછ હોય તેમ, અધમુખ મુદ્રિકા ધારણ કરી. બીજે દિવસે સારું થયું ત્યારે રાજાને પારણની વાત યાદ આવી એટલે જઈને નમન કરીને તેણે મુનિ પાસે ક્ષમા માગી; કારણકે તપસ્વીજન ભક્તિથીજ રીઝે છે. તેણે કહ્યું–હે મુનીશ્વર, મારા જેવા પાપીજને આપને નિમંત્રણ કરીને, બાળકની જેમ આમ બહુ છેતર્યા છે; આપને અન્ય સ્થળે પણ પારણું થયું નહીં. અહો ! મારા જેવા પાપીજનેનું આવું જ કૃત્ય હોય છે ! જેવી રીતે લક્ષયવસ્તુને ભેદવામાં પ્રવૃત્ત થયેલ અચતુર ધનુધારી પહેલા જ પિતાને હસ્ત ભાંગે છે તેવી જ રીતે ધમને મિષે પાપ ઉપાર્જન કરનારા મારા જેવા નિભોગ્યશિરોમણિને થયું છે. તે સ્વામિ, હવે હું યોગ્ય ન કહેવાઉં, તથાપિ, ગંગાનદીનું પૂર જેમ મધ્યદેશને પવિત્ર કરે છે તેમ, આપે પધારીને મારા આંગણાને પવિત્ર કરવું. મુનિએ કહ્યું- હે નરેશ્વર, ખેદ ન કર; એ દેષ તે પ્રમાદથી થયેલ છે; તારા ભાવ કિંચિત્માત્ર દૂષિત નથી; હું તારી ઈચ્છા પૂર્ણ કરીશ.” અથવા તે મહંત પુરૂષે પરમાર્થમાં તો સર્વદા તત્પર જ હોય છે. પછી રાજા મુનિને નમીને ઘેર ગયે, ને પારણાના દિવસની રાહ જોતાં બીજે માસ માંડમાંડ વ્યતિક; કારણકે ઉત્સુક-ચિન્તાતુર માણસેને દિવસ લાંબાલાંબા લાગે છે. પણ પુનઃ પણ રાજા અસ્વસ્થ હેવાથી એ દુર્બળ થઈ ગયેલા તપસ્વીને પૂર્વની પેઠેજ પાછા જવું પડયું; કારણકે એવા પુરૂષને પણ લાભના ઉદય વિના ભિક્ષા સુદ્ધાં મળતી નથી. પછી રાજાએ એને ત્રીજી વખતે પણ ગરવ સહિત નિમંત્રણ કર્યું અને એણે પણ એ સ્વીકાર્યું; કારણકે કેઈની પ્રાર્થનાને જેવા તેવા કારણથી ભંગ ન કરે જોઈએ. જ્યારે અવધિ પૂર્ણ થયે એ તાપસ ભિક્ષાને અર્થે ગયે ત્યારે તે ભૂપતિને પુત્ર જન્મના હર્ષમાં પારણુની વાત પણ P.P. Ac. Gunratnasuri MS. Page #114 -------------------------------------------------------------------------- ________________ તપસ્યાને પરાભવ–સંકલ્પ-નિયાણું. 97 સ્મરણમાં નહતી; કારણકે સુખમાં તેમજ દુઃખમાં પ્રમાદ એક સરખો થાય છે. હવે તે આ વખતે યે ભિક્ષા નહિં મળવાથી એ ધાને લીધે અતિ કૃશ થઈ ગયેલું હોવાથી રાજા ઉપર અતિ ફોધે ભરાયે; કારણકે અત્યંત ઘર્ષણથી, ચંદનના કાન્ટમાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે મુસાફરી જેવી વૃદ્ધાવસ્થા નથી; દારિદ્રય જેવો પરાભવ નથી; મૃત્યુ સમાન ભય નથી, અને સુધા સમાન વેદના નથી. પછી એ તપસ્વી, કૃપણ પુરૂષના ઘરથકી જ જેમ, તેમ રાજાના આવાસથી પાછું વળીને, ખિન્ન થતા પિતાને સ્થાને ગયે; અને વિચારવા લાગ્ય-આ રાજા નામેજ સુમંગળ છે; પણ એના મંગળના ગ્રહના જેવાં ફળ હોવાથી એ કુમંગળ છે. મેં ત્રણત્રણવાર એની પ્રાર્થના સ્વીકારી તો પણ એ કુટિલે મને ભિક્ષા આપી નહિં, એ એની દૃષ્ટતા જ ( ઉદ્ધતસ્વભાવ જ ) સમજવી; કારણકે ત્રીજી વાર ઉડી જતી વખતે તે પક્ષી પણ પકડી લઈ શકાય છે. અથવા તે શ્વાનના પૂછને નળીને વિષે નાંખે તો પણ એ પિતાને વકભાવ છોડતી નથી; અને લીંબડાના વૃક્ષને ( પાણીને બદલે ) દુધ પાઓ તો પણ તે મધુર થતું નથી. તે પિતે રાત્રિદિવસ મુખમાં પાણી આવે એવાં મિષ્ટાનપાન જમે છે તેથી, વંધ્યા સગર્ભાની પીડા ન જાણે તેમ, પિતે બીજાનું દુઃખ જાણતો નથી. એણે મને વારંવાર આમંત્રણ કરી કરીને આ પ્રમાણે સુધાએ મારી નાંખે; હવે જીવીશ ત્યાં સુધી એને ત્યાં નહિ જાઉં; હવે ગંગદત્ત પુનઃ કુપને વિષે નહિં આવે. ક્રોધને લીધે જેનાં ભાવચક્ષુ જતાં રહ્યાં છે એવા એ તપસ્વીએ મુગતિનું હેતુભૂત એવું નિદાન ( નિયાણું ) કર્યું કે " હું એને વધ કરનારે થાઉં; " અથવા તો નિર્બળ પુરૂષે નિકરૂણ હોય છે. અહો ! એણે નિપ્રયજન કષ્ટ વેઠયું ! એણે તપશ્ચયોજ શા માટે કરી ? અથવા તો બાળતપસ્વીનું પુણ્ય પાપના 1 પંચતંત્રમાં ગંગદત્ત દેડકાની એક વાર્તા છે તેને ઉદેશીને આ કહ્યું છે. ગંગદત્ત પણ એમ છેતરાઈ ગયો હતો તેથી તે છેવટ બોલ્યો હતો કે न गंगदत्तः पुनरेति कूपम् / P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #115 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. અનબંધને અર્થે થાય છે. નિરભિમાની રાજાને પશ્ચાત્તાપ તો ઘણે થયે; પણ લજજાને લીધે, એ તપસ્વીની ક્ષમા માગવાને હવે ચોથીવાર આવ્યો નહીં કારણકે લજજા કુલીનજનેને સદા નીચું જોવરાવે છે. - હવે કેટલેક કાળે એ તપસ્વી મૃત્યુ પામીને અપદ્ધિક વ્યંતર થયે; પણ આવા ક્રોધાતુર મનવાળા તપસ્વીઓને મન તે એ પણ બહુ છે. સુમંગળરાજાએ પણ નિરન્તર રાજ્યનું પરિપાલન કરી પર્યન્તકાળે તે સર્વ તૃણની પેઠે ત્યજી દઈને તાપસી દીક્ષા ગ્રહણ કરી; કારણકે સંતજને ભેગને વિષે સદાકાળ લુબ્ધ રહેતા નથી. પછી એ (રાજા) ત્યાં પણ પિતાને તાપસાચાર સારી રીતે પાળી, વિશુદ્ધલેશ્યા સહિત આયુષ્ય પૂર્ણ કરીને સંપુરૂષની ગતિ (સદ્દગતિ) ને પામ્યા; તે જાણે વેરના અનુબંધને નાશ કરવાને જ હેયની ! અનુક્રમે એ સુમંગળને જીવ ત્યાંથી અવીને શ્રેણિકરાજા થયે; એણે રાજ્યલક્ષમીને બહુ લાડ લડાવ્યાં હતાં તેથી જ જાણે એ લક્ષ્મી અહીં પણ એની સાથેને સાથે જ રહી. કેટલેક સમયે એ સેનકતાપસને જીવ ચવીને ચેટકરાજપુત્રી ચેલણાની કુક્ષિને વિષે પુત્રપણે અવત. હવે એ બને જીવન પૂર્વભવના વેરને લીધે જ, એ તાપસને જીવ હજુ ગર્ભને વિષે હતો ત્યાંજ ચેલૂણુને પતિનું માંસ ખાવાને મહા ભયંકર દેહદ ઉત્પન્ન થયે, તે જાણે તેના હૃદયને વિષે શાકિનીમેત્રે પ્રવેશ કર્યોથી હાયની ? પણ ચેલણું ચિંતાતુર છતાં પણ પિતાને એ દેહદ કેઈને કહી શકી નહીં; કારણકે આવી ભયંકર વાત વગર પૂછયે પતિરૂપ દેવતાને કેમ કહેવાય? વળી, જળથી સારી રીતે સિંચાતા-એવા પણ કેટરને વિષે ગુપ્ત રહેલા અગ્નિવાળા વૃક્ષની શાખા જેમ શુષ્ક થઈ જાય છે, તેવી રીતે રાણી, ઉત્તમ પ્રકારના ભેજન લેતી છતાં પણ, પિતાને એ દેહદ પૂર્ણ નહિ થવાથી, શરીરે સુકાવા લાગી. પાપ વહેરી લઈને પણ તેણે નાના પ્રકારના ગર્ભપાતનના ઉપાયે કરી જોયા; તથાપિ ગર્ભપાત થઈ શકશે નહિં; કારણકે, જેને હજુ P.P.Ac. Gunratnasuri M.S. Page #116 -------------------------------------------------------------------------- ________________ ચલ્લણને ભયંકર દેહદ. આરંભ થ નથી એવું આયુષ્ય ક્ષયને નથી. એવામાં રાજાએજ તેને પૂછ્યું–હે દેવિ, તું કૃષ્ણ પક્ષને વિષે ચંદ્રમાની કળાની પેઠે શરીરે કેમ ક્ષીણ થતી જાય છે ? શું તારૂં કઈ કાર્ય સંપાદન થતું નથી ? અથવા કેઈએ તારી આજ્ઞા ખંડિત કરી છે ? શું કંઈ દુષ્ટ સ્વપ્નપરંપરા તારા જોવામાં આવી છે ? અથવા કંઈ અપશકુન થયાં છે ? અથવા શરીરે કંઈ પીડા ઉત્પન્ન થઇ છે ? સવાંગસુંદર, જેવું હોય તેવું ફુટપણે કહીદે. એ સાંભળી ચેલ્લણાએ, પોતાની કુક્ષિને વિષે રહેલા ગર્ભને વિષે પિતાને શ્વાસ આસક્ત થઈ ગયે હાયની એમ ઉડે નિશ્વાસ મૂકી રાજાને પોતાની ઈચ્છા વિરૂદ્ધ પિતાનું સ્વરૂપ કહી બતાવ્યું; કારણકે કહ્યાથીજ પ્રતીકાર ( ઉપાય ) થાય છે. રાજાએ કહ્યું- હે સુભગા, હું તારે મરથ સદ્ય પૂર્ણ કરીશ; કારણકે વસ્તુ દૂર હોય તેને યે લાવી આપું; તે આત મારા શરીરમાંજ છે તેથી પ્રાપ્ત થઈ ચુકી સમજ. આ પ્રમાણે એનાં ચિત્તને ઉલ્લાસ પમાડીને, શ્રેણિક રાજાએ અભયકુમાર પાસે જઈને એના દેહદની વાત કહી; કારણકે છીંક જતી રહે ત્યારે સૂર્યની સામે નજર કરવી પડે છે. પછી અભયકુમારે કહ્યું-હે તાત, હું હમણાં જ એની ઈચ્છા પૂર્ણ કરૂં છું: નિશ્ચયે બુદ્ધિમાન જનની દૃષ્ટિને વિષે આવી વાત કઠિન લાગતી નથી. પછી રાજપુત્રે પોતાના માણસ પાસે સસલાનું માંસ મંગાવ્યું; કારણકે દારૂણ અવસ્થાને પ્રાપ્ત થયેલા માણસને, અપવાદ શું ઉત્સર્ગ કરતાં બલવાનું નથી ? ( અપવાદ સેવ જ પડે છે. ) * પછી રાજાને ચત્તા સુવરાવીને, અભયકુમારે તેના ઉદર ઉપર એ માંસ મૂકયું; કારણકે કાર્ય એવી રીતે કરવું જોઈએ કે જીવિતની હાનિ ન થાય તેમ યષ્ટિને ભંગ પણ ન થાય. પછી એક તીક્ષણ છરી લઈને તેનું અંગ કાપતો હોય એમ બતાવવા લાગ્યો; અને રાજા પણ મુખ થકી સીત્કાર કરવા લાગ્ય; કારણકે માયા વિના સામે માણસ ખરૂં માનતો નથી. ભૂપતિએ એ માંસ ચેલૂણને મોકલાવ્યું, અને એણે પણ પતિના આદેશથી એ એકાન્ત ખાધું; કારણકે મહેટા માણસોને પણ કુનીતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #117 -------------------------------------------------------------------------- ________________ 100 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર, શોભતી નથી. એ વખતે તેને સ્વામીનું સ્મરણ થતાં હય કંપવા લાગ્યું; અને વળી ક્ષણવાર પછી ગર્ભનું સ્મરણ થયું એટલે ચિત્તને વિષે ઉલ્લાસ થ; કારણકે પ્રાણીને ઠેષ અને રાગ એ બને એક સાથે થતા નથી. આમ ચલ્લણને દેહદ તે પૂર્ણ થયે પણ એ “પતિને ઘાત કરનારી મારા જેવી સ્ત્રીને ધિક્કાર છે " ! એમ કહી કહીને પિતાની નિન્દા કરવા લાગી; કારણકે કંઈ કારણવશે પાપકાર્ય ક્યો પછી પણ સુવાસનાવાળા પ્રાણીઓને તો અતિ પશ્ચાત્તાપ થાય છે. પછી, નિશા સમયે પૂર્ણ ચંદ્ર જેમ કમલિનીને ઉલ્લાસ પમાડવાને પિતાનું પૂર્ણ રૂપ બતાવે છે, તેવી રીતે રાજા તરતજ એ રાણીના મનનું સમાધાન કરવાને અર્થે તેને પિતાની અક્ષત કાયા બતાવવા ગયે; અને તેને કહેવા લાગે કે-હે સિભાગ્યવતી, સંહિણી ઔષધીના પ્રાગથી મને તેજ વખતે ક્ષણમાત્રમાં આરામ થયે છે; કારણકે ઐષધીઓને પ્રભાવ અવશ્ય છે. ચેલ્લણ પણ પિતાના પ્રાણપ્રિય પતિને નિરાબાધ જેઈને ઉચ્છવાસ પામી; કારણકે પોતાના સ્નેહીજનને આપત્તિ તરીને પાર ગયેલા–જોઈને કેને હર્ષ ન થાય ? પછી ચેલ્લાએ નવમાસ અને સાડાઆઠ દિવસ નિવિને નિર્ગમન કરીને હાથાણું કલભરતને જન્મ આપે તેમ સર્વ અંગે સંપૂર્ણ એવા પુત્રને જન્મ આપે. રાણીએ તેને તેના પિતાને મહાશત્રુ જાણીને તે જ વખતે દાસીને કહ્યું-આને તું કઈ સ્થાને જઈને મૂકી આવ; કારણકે શરીરમાં ઉત્પન થયેલે છતાં પણ દુઃખ દેનારે એ " વાળો " દૂર કરવા ગ્ય નથી ? દાસી પણ એને, જાણે વનદેવતાઓની કીડાને અર્થેજ હોયની એમ, અશોકવાટિકાને વિષે મૂકી આવી. પણ તે પાછી વળી તે વખતે વાગે રાજાએ તેને પૂછયું-ભ, તું ક્યાં જઈ આવી ? તેણે કહ્યું-હું રાણીના આગ્રડથી બાળકને મૂકવા ( ત્યજી દેવા ) ગઈ હતી; કારણકે જેનું અન્ન ખાતા હોઈએ તેને આદેશ ઉઠાવ 1 કુલભ એટલે હાથીનું બચ્ચું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #118 -------------------------------------------------------------------------- ________________ અશેકચંદ્ર ઉફે “કૃણિત ને જન્મ. 101 પડે છે; પછી તે શુભ હોય વા અશુભ હેય. એ સાંભળી માર પ્રમુખ જાનવરોથી એને નાશ થશે એવી શંકાએ, ત્વરિત પગલે રાજા ત્યાં ગયે અને પુત્રને બન્ને હાથે ઉપાડી લીધે; કારણકે પિતાને પુત્ર પર અપ્રતિમ સ્નેહ હેય છે. પછી રાણી પાસે આવીને તેણે કહ્યું- હે સુજ્ઞ અને વિવેકશાળી કુલીન રાણી–સ્વેચ્છજનની સ્ત્રીઓ પણ ન કરે એવું આ કુકમ મેં શું કર્યું ? જેને આપણા જેવું જ્ઞાન નથી એવી તિર્યંચની સ્ત્રી પણું, બહુ પુત્રવાળી હોય તે પોતાના રસ પુત્રને ત્યજી દેતી નથી, તે હારા જેવી માનુષીથી તે કેમ ત્યજી દેવાય ? જનસમૂહને પૂજ્ય એવું રાજ્ય મળી શકે, અવિનાશી એ રાજાને અનુગ્રહ પણ પ્રાપ્ત કરી શકાય, સિભાગ્યલક્ષ્મીના જેવી તેજોમય લક્ષમી પણ મળી શકે, કામદેવ સમાન સ્વરૂપ પણ મળી શકે, નિરાબાધ એવી કળાઓને સમૂહ પણ પ્રાપ્ત થઈ શકે, રોગપદ્રવરહિત સર્વ ભેગ પણ પ્રાપ્ત થઈ શકે; અને શત્રુઓને દુઃખ દેનારી એવી ઉજજ્વળ કીર્તિ પણ પ્રાપ્ત થઈ શકે પણ પુત્રરત્ન તે ક્યાંથી પણ મળી શકે નહિં. એને વાસ્તે તે સ્ત્રીઓ રાત્રિદિવસ દુગો પ્રમુખ દેવીઓનું પૂજન કરે છે, વૃક્ષનાં મૂળ ઘસઘસીને પીએ છે, ભુજાએ રક્ષાપોટલી તથા કડાં બાંધે છે, અને અનેક તિષીઓને પિતાના ગ્રહ કેવા છે તે વિષે પ્રશ્ન કરે છે; ને તેં તો તને પ્રાપ્ત થયેલા એવા આ તનુજને, પુણ્યહીન જન ચિંતારત્નને ત્યજી દે તેમ ત્યજી દીધે ! રાણીએ એ બધું સાંભળીને ઉત્તર આપે-હે સ્વામિ, આપ જે કહે છે તે સર્વ સત્ય છે, પરંતુ આપને આ, ઉગ્રસેન રાજાને કંસ થયેલ હતું તેમ, પુત્રરૂપ એક મહાન શત્રુ ઉત્પન્ન થયે છે; નહીં તો, એ ગર્ભમાં આવ્યા ત્યારે મને આ મહા ઘેર દેહદ કેમ થાય ? માણસના ઉદરમાં લેશ પણ લસણ જાય છે ત્યારે શું અતિ દુર્ગન્ધ નથી ઉત્પન્ન થતી ? પણ રાજા તે પુત્ર પર નેહાળું હોવાથી બેલ્થ-હે હરિણાક્ષી, ભલે વૈરી નીવડે તે પણ એ પુત્ર છે; કારણકે પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય. અહે ! તું વિચક્ષણ થઈને, આમ હારા પહેલા જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #119 -------------------------------------------------------------------------- ________________ 102 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. બાળકને ત્યાગ કરે છે, તે કુશના અગ્રભાગની ઉપર રહેલા જળબિન્દુઓની પેઠે હાર શેષ બાળકે કેવી રીતે સ્થિર (સ્થીતિમાહયાત) રહેશે ? ચેલ્લણાને પોતાને એ રૂચિકર નહોતે છતાં ફક્ત રાજાની આજ્ઞાથી એણે એને વધાવી લીધે; કારણકે સતી સ્ત્રીઓથી કદિ પણ પતિની આજ્ઞાને ભંગ થાય ? ચન્દ્રમાના દ્રવ જેવી પિતાની કાન્તિવડે એ બાળકે અશોકવાટિકાને વિષે ઉદ્યોત કરી મૂકે હતો તેથી રાજાએ એનું અશેકચંદ્ર એવું નામ પાડ્યું. પણ બાગમાં કુકડાએ તેની એક કનિષ્ટ આંગળી કરડી હતી તેની પીડાને લીધે તે બહ રૂદન, કરવા લાગે; છતાં તેને જ્યાં ફેંકી દીધું હતું ત્યાં એ આટલાથી જ (જીવતો) બચે એ જ આશ્ચર્યું હતું. રાજા તેની એ આંગળીને પિતાના મુખને વિષે રાખવા લાગે તેથી તેની ઉષ્માથી એને સુખ થયું. પછી જ્યારે તેને ત્રણ રૂઝાઈ ગયે ત્યારે આંગળી કૂણિત ( ટુંકી) થયેલી દેખાઈ; તેથી તેના સમાનવયના ગઠીઆઓએ મળીને તેનું કૂણિત નામ પાડ્યું. કારણકે એઓ મશ્કરીમાં (ઘણીવાર ) એવું અપનામ (ખરાબ નામ ) પાડે છે. અનુક્રમે રાણીએ, પૂર્વ દિશા જેવી રીતે પર્વદિવસે બે પુપદને જન્મ આપે છે તેવી રીતે, હલ અને વિહલ નામના બે તેજસ્વી અને કાન્તિના નિધાનરૂપ પુત્રને જન્મ આપે. ચેલ્લણની કુક્ષિથી જન્મ પામેલા એ ત્રણ કુમારે પિતાને સુખરૂપ થઈ પડ્યા; અને કલહ-કપટને સર્વથા ત્યાગ કરીને નગરને વિષે ફરતા છતા, શ્રી ત્રિકુટ પર્વતની ભૂમિ પરના ઉંચા શિખરની પેઠે વિરાજવા લાગ્યા.. તેજોમય ભામંડળ સમાન શેભતા શ્રેણિકનારેશ્વર જેવા પિતાને પ્રમોદરૂપી સંપત્તિને આપનાર-તથા એમને અને એમની પર્વત સમાન ઉચ્ચ પ્રતિજ્ઞાઓને સફળ કરનાર–અને સર્વ દૂષણને વરિ-દાક્ષિણ્યવાન-નિર્ભય અભયકુમાર, પિતાના અશોકચંદ્ર પ્રમુખ ભાઈઓની સાથે રહીને લક્ષમણ ભરત–અને શરદનથી સંયુક્ત રામચંદ્ર જ હેયની એ શેાભવા લાગ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #120 -------------------------------------------------------------------------- ________________ સર્ગ 3 જે. પછી શ્રેણિકરાજાએ ધારિણી નામે એક સદ્દગુણના ભંડારરૂપ એવી નવી રાણી આણી; કારણકે હસ્તીને શું એક જ હાથણી હેાય ? તેના રૂપવાનું–સોંદર્યવાન અને સભાગ્યવાન શરીરને વિષે કયાંઈપણ એકે અલક્ષણ નહેતું; અથવા તો શંખને વિષે કાળાશ હાય જ નહીં. સતીશિરોમણી એ ધારિણી પિતાના અમૂલ્ય અને પવિત્ર એવા શીલરત્નનું રક્ષણ કરવાનો નિશ્ચયે લજારૂપી રક્ષિકાને ધારણ કરતી હતી. એ પતિવ્રતા સ્ત્રી કમલિનીની જેમ પિતાના પતિરૂપ ચંદ્રમાના મુખ શિવાય અન્ય કેઈનું મુખ જતી નહિં. બાલ્યાવસ્થાને વિષે દુધ પીવાથી એની રસના મધુર થઈ હેયની, તેથીજ જાણે એ કદિ પણ કડવાં વચન ઉચ્ચરતી નહિં ! એણે નિશ્ચયે કોઈ શ્રેષ્ઠ અધ્યાપકની પાસે દાનને અભ્યાસ કર્યો હશે; નડિતે અથજનેને દાન આપતાં એને હાથ કેમ ન થાકી જાય ? સૂર્યને જેમ દિવસરૂપી લમીની સાથે, તેમ રાજાને એની સાથે ઉત્તમ પ્રકારના ભોગ ભેગવતાં કેટલેક કાળ વ્યતીત થયે. એકદા પાછલી રાત્રીએ, પંચવર્ણના સુગંધી દ્રવ્યેથી સુવાસિત થયેલા કુસુમના સમૂહવાળા, અને ધુપથી બહેકી રહેલા આવાસભવનને વિષે, નાના પ્રકારનાં મણિ સુવર્ણ અને રૂપાથી જડેલા-હંસનાવાળના સમૂહથી સંપુર્ણ—ઉત્તમ પટ્ટસૂલીથી વિરાજતાપાંગથે અને મસ્તકને સ્થાને મૂકેલા ઓશીકાથી શોભી રહેલા-બહુ મૂલ્યવાન અને નવનીત સમાન મૃદ્ધ એવા પ્રચછદપટવાળા-ગાલ રહે તે સ્થાને સુંદર ગાલમસૂરીઆંથી યુક્તઉપર જડી લીધેલા ઉલ્લોચથી દીપતા–મધ્યભાગે જરા નમેલાગંગાના પુલિનપ્રદેશ જેવા–અને જાણે દેવશય્યાજ હાયની એવા જણાતા પલંગને વિષે સૂતેલી એ ધારિણીદેવીએ સ્વપ્રને વિષે, નંદાની પિઠે, એક ઉંચા-મદઝરતા-ચાર દંતૂશળવાળા અને ઉજવળ વર્ણના હસ્તીને (પિતાના ) મુખને વિષે પ્રવેશ કરતે 1 રાખડી. 2 સૂતરની પાટી (8). 3 ચાદર. 4 રેતીવાળો કીનારે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #121 -------------------------------------------------------------------------- ________________ 104 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. જે. સૂર્યના દર્શનથી ઉત કુલ્લ પવાળી પદ્મિનીની જેમ, એ સ્વપ્ન જોઈને પ્રકૃલ્લિત થયાં છે ને જેનાં એવી એ મહાદેવી તરતજ જાગી; કારણકે એવા જનેને નિદ્રા અલ્પ હોય છે. જાગીને, ગતિને વિષે હસીને પરાજય કરનારી એ રાણી રાજા પાસે ગઈ, અને તેને કેમળ વચનથી જગાડ્યો; કારણકે સ્ત્રીઓને તે મૃદુતાજ શેભે છે. પછી પતિને તેણે કહ્યું–હે સ્વામિન, મેં હમણું સ્વપ્નમાં હસ્તી કે, તે વૃક્ષની જેમ એનું શું ફળ થશે? વષોતુને વિષે મેઘજળનો વૃષ્ટિથી કદમ્બવૃક્ષ અંકુર ધારણ કરે તેમ આ વાત સાંભળી હર્ષ પામી રોમાંચ ધારણ કર શ્રેણિકરાજા કહેવા લાગે-“હે પ્રિયે, તે સ્વપ્નને વિષે ગજરાજ જે તેથી નિશ્ચયે કુંતીએ જેમ ભીમને જન્મ આએ હતું તેમ તું, એક કુળદીપક-કુળરત્ન-કુળને વિષે મુકુટ સમાન, કુલપર્વત સમાન અને કુળને વૃદ્ધિ પમાડનાર, તથા હસ્તી સમાન બળ અને પરાક્રમવાળા એક પુત્રને જન્મ આપીશ.” પિતાના પતિના આ શબ્દને રાણુએ નિશ્ચયે શકુનની ગાંઠના મિષે બાંધી લીધા-એમ કે છુટા રહેશે તે કે એને લઈ જશે. વળી એ બોલી કે આપની કૃપાથી મને અલ્પ સમયમાં એમ થાઓ; કારણ કે ઉત્તમ જનેનું વચન કદિ પણ અન્યથા થતું નથી. પછી રાજાની આજ્ઞા લઈને રાણી પિતાના શયનખંડમાં ગઈ; કારણકે કુળવાન સ્ત્રીઓ સર્વ કાર્ય પતિની આજ્ઞા પ્રમાણે કરે છે. સુંદર શકુન બીજા અપશકુનેથીજ જેમ તેમ, આ મારૂં શુભ સ્વપ્ર બીજા દુઃસ્વમોથી પ્રતિઘાત ન પામે, માટે હું સાધ્વીની પેઠે ધર્મજાગરણ કરું કે જેથી મને. કુમુદિનીની પેઠે હવે નિદ્રા ન આવે એમ વિચારીને એણે સખીઓની સાથે સુંદરી-બ્રાહ્મી-નર્મદા-દમયંતી-અંજના-રાજિમતીસીતા-દ્રૌપદી-નંદા-કાલિદત્તા-અને મનોરમા પ્રમુખ સતી સ્ત્રીઓની કથા કાઢી. પછી એના ધર્મજાગરણને વધારે શ્રવણ કરવાને અનાતુર હેયની અમ રાત્રી પણ ક્ષણમાં વ્યતીત થઈ. AA આ સમયે કાળ નિવેદન કરનારે પુરૂષn ઉચે જ ઘરે બેલવા Page #122 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રપારગામી સ્વપ્ન પાઠકે. 105 લાગે–( કારણકે રાજાનું પ્રચંડ શાસન હોય તે પિતાને નિયમિત વખતે કેણુ નથી જાગતું?) “આ કંઈક રક્તમંડળવાળે તેજેનિધિ સૂર્ય આપની પેઠે . પિતાનાં સુકમળ કરવતી ભુવનનું પિષણ કરતો છતે ઉદય પામે છે. કાળરૂપી માળીની પુત્રી જ હોયની એમ આ દિનલક્ષ્મી પણ આપને જેવાને ઉત્સુક બની આપને માટે સૂર્યરૂપ પકવદાડિમ તૈયાર કરી રહી છે. " એ સાંભળીને મગધાધિપતિએ વિચાર્યું –અહે ! આ ચતુર બંદિજન આજે બહુ સરસ પાઠ બેલ; માટે નિશ્ચયે રાણીને કુળને ઉદય કરનારો પુત્ર થશે; અન્યથા ઉદય સંબંધી ફળનું આવી રીતે સૂચવને થાત નહીં. પછી વ્યાયામ કરીને, સુવાસિત તેલવતી મર્દન કરાવી એણે સુગંધી જળથી સ્નાન કર્યું, અને ચંદનાદિથી વિલેપન કર્યું. પછી દેવપૂજા કરીને, તિલક કરતી વખતે, એણે મસ્તકપર સુવર્ણને મુકુટ, કર્ણને વિષે ચલાયમાન કુંડળ, ઉર સ્થળને વિષે સ્થળ-નિર્મળ–અને ચળકતા મુક્તાફળને હાર, અને ભુજાઓને વિષે કેયૂર, એવાં એવાં આભૂષણો, જાણે તે તે સ્થળના બહુમાનને અર્થેજ હાયની એમ, ધારણ કર્યોવળી પ્રકષ્ટભાગ (પંચા) ને વિષે સુવર્ણનાં વલય પહેર્યા, તથા મૃદુતાને અર્થે અંગુલિને પણ મુદ્રિકાને મિષે સુવર્ણથી ભૂષિત કરી. વળી સંપ્રતિ, ભુવનને વિષે એના સમાન અન્ય કોઈ વીરપુરૂષ નથી એમ બતાવવાને એણે દક્ષિણ ચરણને વિષે વીરવલય ધારણ કર્યું એ પ્રમાણે સજ્જ થઈને એ, ઈંદ્ર જેમ સુધર્માને વિષે પધારે તેમ, દેવતા સમાન રૂપવંત મંત્રી અને સામંતોએ શોભાવેલી સભાને વિષે આવીને બેઠે. ત્યાં તેણે સ્વપ્નશાસ્ત્રના પારગામી એવા આઠ સ્વપાઠકેને બોલાવવાને સેવકને મોકલ્યા. એટલે એ પણ સ્નાન કરી, શરીરે વિલેપન તથા ભાલને વિષે તિલક કરી, મસ્તકને વિષે દધિ-વેત સરસવ-દૂવી તથા અખંડ અક્ષત રાખી, વેત વસ્ત્ર પહેરી ફળાદિ લઈ સભાને વિષે આવ્યા; અને એ ફળાદિક રાજાની આગળ ભેટ મૂકીને, એને આશીર્વાદ દઈ, એમને માટે મૂકી રાખેલા પીઠાસન પર બેઠા એટલે તેઓ મેરૂની સન્મુખ કુલાચળ પર્વતે શે તેમ રાજાની સન્મુખ શેભવા લાગ્યા. તે વખતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #123 -------------------------------------------------------------------------- ________________ 106 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. ધારિણી રાણી પણ, હસ્તી-સિંહ-મૃગ-વાઘ–અશ્વ-શુકર-સંબરમયર-ચક્રવાક–અને હંસ વગેરે જેની ઉપર ચિન્નેલાં હતાં, એવા પડદાની પાછળ આવીને બેઠી; કારણકે રાજાની રાણીઓ સૂર્યપર કહેવાય છે (પડદામાં રહેવાને એમને પ્રસિદ્ધ રિવાજ છે.) રાજાએ રૂમપાઠકને સત્કાર કરીને પૂછયું–આજે રાત્રીને છેલ્લે પહોરે ધારિણીદેવીએ સ્વપ્નને વિષે હસ્તી જે તે તે સ્વપ્નનું શું ફળ થશે તે તમે ફુટપણે કહે, કારણકે સૂર્યના કિરણો જ વસ્તુઓને ઉદ્યોત કરવાને સમર્થ હોય છે. એ પરથી સર્વેએ એકત્ર થઈ શ્રેષ્ઠ રીતે ઊહાપોહ (વિચાર ) કરી સદ્ય સ્વપ્નના અર્થને પ્રાપ્ત કર્યો, કારણકે શાસ્ત્રને અભ્યાસ બહુ ઉત્તમ વસ્તુ છે. પછી એમણે કહ્યું–મહારાજ, સાંભળો. સર્વ સ્વમશાને વિષે બહેતર સ્વપ્ન કહેવાય છે. તે બહેતરમાં ત્રીશ મહાસ્વપ્ન કહેવાય છે. એ કલ્પવૃક્ષની પેઠે મહા ફળદાયક હોય છે. તે ત્રીશમાં વળી સિંહ-હસ્તી-વૃષભ-ચંદ્ર-સૂર્ય–સરોવર-કુંભ–ધ્વજ-સમુદ્ર-પુષ્પની માળા-રત્નને સમૂહ-વિમાન-ભવન અને અગ્નિ એ ચાદ મહાને તીર્થકર અથવા ચક્રવતીરાજા ગર્ભને વિષે આચ્ચે છતે તેમની માતાઓ દેખે છે. વાસુદેવની માતા એમાંના સાત સ્વપ્ન દેખે છે; બળદેવની માતા ચાર દેખે છે; અને મંડળ એટલે દેશના અધિપતિની માતા એક સ્વપ્ન દેખે છે. માટે ધારિણદેવી મેરૂપર્વતની ભૂમિની પિઠે નંદનને જન્મ આપશે. એ પુણ્યનિધિ શુરવીર પુત્ર નિશ્ચયે રાજ્ય પ્રાપ્ત કરશે; કારણકે ચક્ષુએ જોયેલું ચલિત થાય, પણ શાસ્ત્રરૂપી ચક્ષુએ જોયેલું કદાપિ ચલિત થતું નથી. એ સાંભળીને પછી કલ્પવૃક્ષની બરાબરી કરનારા રાજાએ તેમને નિત્યની આજીવિકા બાંધી આપીને તેમનું દરિય હર કર્યું. કહ્યું છે કે, શેરડીનું ક્ષેત્ર, સમુદ્ર, નીનું પિષણું, અને રાજાઓની કૃપા–એટલાં વાનાં ક્ષણમાત્રમાં દરિયા દૂર કરે છે. વળી ગરવ સહિત વસ્ત્ર-તાંબુલ પ્રમુખ આપવાવડે રાજાએ તેમને સત્કાર કર્યો, કારણકે બુદ્ધિ-એ શું કલ્પલતા 1 ( 1 ) નન્દન વન. (2) પુત્ર. 2 ઢોરઢાં પર આધુિં. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aadhak Trust Page #124 -------------------------------------------------------------------------- ________________ 17, નવી રાણીને ન દેહદ, નથી ? પછી નેહને લીધે રાજાએ પિતે ધારિણીની પાસે જઈને તેમનું કહેલું એને કહી સંભળાવ્યું કારણકે પ્રેમની ગતિજ આવી હોય છે. પછી પુષ્ટિના હેતુરૂપ અને અતિ તેલ વગેરે વસ્તુઓથી રહિત એવા આહારવડે, રાણી ગર્ભનું પોષણ કરવા લાગી; માંદો માણસ પશ્ચવડે દેહનું પોષણ કરે તેમ. - હવે સુખે કરીને ગર્ભનું પાલન કરતી રાણીને ત્રીજે માર્સ અશોકવૃક્ષની જેમ દેહદ ઉત્પન્ન થયે કે, વરસાદ વરસતે હાયતેની સાથે વીજળીની ગર્જના થઈ રહી હોય–નદીઓ ચાલી રહી હેય-ઝરા વહેતા હોય–પૃથ્વી પર લીલા અંકુરે પથરાઈ ગયા હિય-મયૂર નૃત્ય કરી રહ્યા હોય અને દેડકાએ ડ્રાંઉં ડ્રાંઉ શદ કરી રહ્યા હોય એવે વખતે ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કરી હું હાથણીની ઉપર બેસીને નગરમાં તથા બહાર વૈભારગિરિ સુધી ફરું, મારા પર છત્ર ધરવામાં આવે, ચામર વીંઝાય, સામંતાદિ પરિવાર સહિત રાજા પણ સાથે આવે અને બન્દીજને ગાયન ગાતા આગળ ચાલે–એમ વષોડતુની ઉત્તમ શેભાનું હું યથેચ્છ સન્માન કરૂં. પણ આ દેહદ તેને અકાળે ઉત્પન્ન થયે: પ્રાયઃ મનુષ્ય જે દૂર હોય અને જે દુર્લભ હેય તેનીજ વાંછા કરે છે. આ અકાલીન દેહદ નહિં પૂર્ણ થઈ શકે એ હોવાથી તે ઉષ્ણ તુની રાત્રીની શ્રેણિની જેમ દિવસે દિવસે ક્ષીણ થવા લાગી. તો પણ તેણે એ વાત કેઈને કહી નહિં, કારણકે મહેટા લેકએ પિતાનું દુષ્કર કાર્ય કોઈની આગળ કહેવું મહા મુશ્કેલ છે. પણ તેની અંગિત દાસીઓએ એ વાત રાજાને જણાવી, કારણકે સેવકવર્ગ નિત્ય પિતાના કુલાચારની રક્ષા કરે છે. રાજા તરતજ ધારણિની પાસે ગયે; કારણકે પ્રિયજન અસ્વસ્થ હોય ત્યારે કેણ ઉતાવળ નથી કરતું ? ત્યાં જઈને તેણે ચેલૂણાની જેટલાજ પ્રેમથી તેને પૂછયું; કારણકે મહાન્ પુરૂષોને એક વામા ( ઓછી ) ને બીજી દક્ષિણ ( વધતી ) એ કંઈ વિભાગ હેતું નથી. રાણીએ કહ્યું- હે સ્વામિનાથ, મને તક્ષક નાગના મસ્તકના ભૂષણરૂપ ચુડામણિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #125 -------------------------------------------------------------------------- ________________ 108 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. ગ્રહણ કરવા જે અકાળે મેઘવૃષ્ટિ જેવાને દેહદ ઉત્પન્ન થયે છે. છે આર્યપુત્ર-તે માટેજ હું તે આપની પાસે કહી શકતી નહોતી. કારણકે અસંભાવ્ય ઈચ્છા કરનારાને લેકે ઘેલા ( ગાંડે ) ગણી કાઢે છે. પણ રાજાએ તેને કહ્યું- હે પ્રિય, ધીરજ ધર, હું તારે મને રથ સત્વર પૂર્ણ કરીશ. જેને બૃહસ્પતિ તુલ્ય બુદ્ધિમાન અભયકુમાર જે મંત્રી છે તે આ અવષ્ટભવાળ (હિંમતભર્યો ) ઉત્તર કેમ ન આપે ? રાણીને આ પ્રમાણે ધીરજ આપીને રાજા, કમલિનીને આશ્વાસન આપી સૂર્ય જેમ ગગનને વિષે ચઢે છે તેમ, સભાને વિષે આવીને સિંહાસન પર આરૂઢ થયે. પણ રાણીને દેહદ સંપૂર્ણ કરવાની ચિંતાને લીધે ઉદાસી એ એ મહીપતિને ભયભીત પુરૂષની પેઠે દિશાઓ શૂન્યકાર જેવી દેખાવા લાગી. એટલે મહા ચતુર એવા અભયકુમારે નમન કરીને અંજલિ જોડી ભક્તિવડે નમ્રવાણીથી પિતાને વિજ્ઞાપના કરી કે હે પૂજ્ય પિતા, શું શ્વાનની પેઠે કેઈ રાજા આપણા મંડળમાં ઉપદ્રવ કરે છે ? અથવા અન્ય કઈ પિતાના જ આત્માને દુશ્મન એ આપણું આજ્ઞાને મસ્તકને વિષે માલાની જેમ નથી ધારણ કરતો ? અથવા તો અચિંત્ય ભાગ્યવાળા એવા આપને કંઈ ઈચ્છા પૂર્ણ થતી નથી ? અથવા દુજનની જેમ કેઈ વ્યાધિ અધિક પીડા આપે છે ? હે પ્રભુ, આપ, દિવસના ચંદ્રમાની જેમ, નિસ્તેજ થઈ ગયા છે માટે આપના સરલ પુત્રને તેનું કારણ જણા. રાજાએ કહ્યુંકારણ હેટું છે, પણ તે ગણાવ્યાં એમાંનું એકે નથી. તારી માતાને આજ અકાળે મેઘવૃષ્ટિ જેવાને દેહદ ઉત્પન્ન થયેલ છે. તે બુદ્ધિનિધાન, તે પૂર્ણ કરવાને તને જ સંભાર પડ્યો છે, કારણકે આહારને કવળ (કેળીઓ ) કંઠે રહે છતે જળનેજ શેધવું પડે છે. અભયકુમારે કહ્યું- હે તાત, આપ નિશ્ચિંત રહે; એ કાર્ય કલ્પવૃક્ષની તુલ્ય એવા આપની કૃપાથી હું પૂર્ણ કરીશ. - હવે અભયકુમારને પૂર્વે કઈ દેવતાની સાથે સમાગમ થયે હતો ( કારણકે મનુષ્યને મનુષ્યની મિત્રતા તે સર્વત્ર હોય છે માટે એમાં કંઈ આશ્ચર્ય નહીં ) તે પરથી તેણે તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #126 -------------------------------------------------------------------------- ________________ અભયકુમારને મિત્ર–દેવતા. 109 દેવને ઉદ્દેશીને ધમયાન કર્યું–પિષધશાલાને વિષે જઈ, બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી દર્ભની શય્યાને વિષે રહી ઉપવાસ કર્યો, કારણકે દેવતાનું આકર્ષણ જેવી તેવી રીતે થતું નથી. એ પ્રકારના એના ધર્મધ્યાનથી ત્રીજે દિવસે એ દેવ સ્વર્ગથકી આવીને પ્રત્યક્ષ થયે; કારણકે આકર્ષણમંત્રથી તે સ્વર્ગની અપ્સરાઓ પણ આકર્ષાઈ આવે છે. એ દેવતાના મુકુટના રત્નોના કિરણજાળથી આકાશને વિષે ઈંદ્રધનુષ્ય રચાયા હતા. એના ચલાયમાન કુંડળો એના ગાલપર સ્પર્શ કરતા લટકતા હતા. એના કંઠને વિષે તાજા પુષ્પોની અત્યંત સુગંધમય માળા રહી ગઈ હતી. એની ભુજાઓને વિષે ઉદ્ઘસતી કાન્તિવાળા કેયૂર શેભી રહ્યાં હતાં. એના દેદીપ્યમાન પ્રકેષ્ટ (પિચા ) ને વિષે શ્રેષ્ઠ આભરણો ચળકાટ મારતાં હતાં. ( વસ્ત્રની ઉપર ) કંઠથી જાનુપર્યન્ત હાર લટકી રહ્યો હતો. ચરણને વિષે મણિજડિત સુવર્ણનાં વલયે દીપી રહ્યાં હતાં અને હાથની આંગળીઓને વિષે પણ અનેક મણિમુદ્રિકાઓ બહાર આપતી હતી. વળી એણે અતિ મૃદુ અને દિવ્ય દેવદુષ્ય વચ્ચે ધારણ કર્યા હતાં, અને પિતાના દેહની કાન્તિના સમૂહથી બાર બાર સૂર્યોના ઉદ્યોત પર વિજય મેળવ્યું હતો. એના ચરણ ભૂમિતળથી ચારઆંગળપ્રમાણ ઊંચા રહેતા હતા અને એનાં બને નેત્રકમળ નિમેષ-ઉમેષથી રહિત હતાં., એ દેવ અભયકુમારની પાસે પ્રત્યક્ષ થઈ કહેવા લાગ્યું–હે પવિત્ર કુમાર, તેં શામાટે મારું સ્મરણ કર્યું છે? દુષ્કર એવું પણ તારું શું કાર્ય કરૂં તે કહે. એ સાંભળી અભયકુમારે તેને કહ્યું- હે દેવ, મારાં માતુશ્રીને આજ અકાળે મેઘની વૃષ્ટિ અનુભવવાને દેહદ ઉત્પન્ન થયેલા છે. માટે મારા પર સ્નેહ ધરાવતા હે તે તમે એ પૂર્ણ કરે; કારણકે બુદ્ધિમાન એવા પણ મનુષ્યમાં વરસાદ વરસાવવાની શક્તિ હોતી નથી. અથવા તો તમારાં દર્શન થયાં ત્યારથી જ એ પૂર્ણ થયેલ છે. કારણકે જેને રત્નાકર (રત્નની ખાણ સાગર) ની જેવા મિત્ર હોય તેને નિરાશ થવાનું હેય નહિં. એ સાંભળીને દેવતા " તથાસ્તુ ? એમ કહીને તિરોધાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #127 -------------------------------------------------------------------------- ________________ 110 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. થયે; કારણકે દેવતાઓ મનુષ્યલોકને વિષે વિશેષ વખત રહેતા નથી. પછી અભયકુમાર પણ સ્વસ્થ થઈને ઘેર ગયે; અને પારાણું કર્યું. અથવા બીજા પણ એમજ ( ઈષ્ટસિદ્ધિ થયે છતે જ ) ભજન લે છે. પછી દેવના પ્રભાવે કરીને, જાણે ભૂમિ ફાટતી હોયની એમ સહસા વષોના ચિહે ઉત્પન થયાં હેટ વટેળીઓ નીકળવાથી સર્વ તૃણ-વૃક્ષલતા પ્રમુખ સ્થાન ધરીને રહ્યાં હેયની એમ સ્થિર થઈ ગયાં અને શબ્દ કરતા પણ બંધ થયા. વળી લેકે પણ અત્યંત તાપથી અતિશય વ્યાકુળ થતા છતા વીંજણાઓથી કંઈક સુખ લેવા લાગ્યા. " આ સર્વવ્યાપક વિભુ શૂન્ય કેમ છે ? " એમ કેઈએ કહ્યું હેય તે ઉપરથી જ જાણે આકાશ પદાતિ જેવા મેઘવૃન્દથી સર્વત્ર છવાઈ ગયું. વળી " આપણુ જેવા ઉન્નત જનકની સંતતિ થઈને આ વારિ (જળ) નીચ તરફ ગમન કરનારું થયું ? એવા દુઃખથી જ હાયની એમ એ મેઘ પણ શ્યામ થઈ ગયા. એટલામાં તો પૂર્વ તરફને વાયુ વાવા લાગ્યો અને વૃષ્ટિ થઈ, કારણકે ક્ષિતિના સંગ વિના બીજમાંથી પણ અંકુર નીકળતા નથી. જેમ જેમ જળની હેટી હેટી ધારા વર્ષવા લાગી તેમ તેમ પથિકજનેના શરીરને વિષે કામના બાણને પ્રહાર થવા લાગે. પિતાની સ્થળધારાવડે પૃથ્વીને ભેદીને એણે અંદર પ્રવેશ કર્યો છે, તેને વિષે રહેલી પિતાની શત્રુરૂપ-ઉમાનો નિશ્ચયે નાશ કરવાને અર્થેજ હાયની ! વળી વષો તરૂપ રાજાને આકાશ માગે જવાને વાસ્તે આગળ દીપિકા હાયની એમ વીજળી પણ અત્યંત ઝબાકા કરવા લાગી; જાણે એજ ( વષત્રિતુ રૂપ) રાજાના, ત્રાંબાના બનાવેલા હોયની એવા સુસ્વર શબ્દ ગ્રીષ્મઋતુરૂપ ભૂપતિને અને તેની ઉમાને પરાજય કરીને ફાટી જવા લાગ્યા. મેઘરૂપી વાજિત્ર વગાડનાર ગજનાના મિષ થકી જાણે તે જ અવાજ કરતા હોયની એમ શંકા થવા લાગી; નદી અને ઝરાના જળ પરસ્પર સ્પધો કરતા હોયની એમ 1 આકાશ. 2 પગે ચાલનારું (સૈન્ય). 3 દીવી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #128 -------------------------------------------------------------------------- ________________ 111 અકાળે વર્ષ-એનું વર્ણન. પિતાના વેગથી શ્રવણેન્દ્રિયને હેર કરી નાખતા જેસબંધ વહેવા લાગ્યા. ચાતક પક્ષીઓ પણ બાળકની પેઠે, લીલાએ કરીને ગ્રીવા (ડેક ) નમાવી નમાવીને, યથેચ્છપણે મેઘના સ્વચ્છ જળનું પાન કરવા લાગ્યા. દેડકાઓ પણ " અમે જેવી રીતે જળને વિષે રહેવાથી જીવીએ છીએ તેવી રીતે અન્ય કેઈ જીવતું હોય તે કહે " એમ પૂછતા હોયની એમ ત્વરાસહિત શબ્દ કરવા લાગ્યા. વિરતાયુક્ત કલાપ–પાંખ-અને-સ્થિરદષ્ટિવાળા મયુર, નૃત્ય કરનારા પુરૂષોની પેઠે ચરણને બરાબર રીતે મૂકી મૂકીને નાચ કરવા લાગ્યા. અહો ! આચાર અને વર્ણથકી ભિન્ન છતાં પણ નામે કરીને અભિન્ન ( સમાન નામવાળાં ) હોય છે એવાઓને પરસ્પર ઝટ મિત્રતા બંધાય છે; નહિં તે, બલાહકો ( બગલાઓ ) બલાહક (વાદળાંઓ) ની પાસે (આ વખતે) આવ્યાં તે અન્યથા કેમ આવે? (કારણકે બગલાઓને આચાર અને વર્ણ વાદળા કરતાં તદ્દન ભિન્ન છે; ફક્ત બન્નેનું “બલાહક એવું નામજ અભિન્ન–સમાન છે). મલિન એવા મેઘાએ વષોવેલું જળ આપણી કાયાને સ્પર્શ કરે છે એવા ખેદથી જ હેયની એમ પવિનીઓ (પદ્મના છેડવા ) જળને વિષે ડુબવા લાગી. હંસપક્ષીઓ પણ જળથકી જન્મ પામેલા બિસતત આદિના વિરહથીજ હેયની એમ અત્યંત વિષાદ પામતા દૂર પ્રવાસે ચાલી નીકળ્યા. (માનસ સરવરે ગયાં કારણકે વષોત્ર તુને વિષે તેઓ ત્યાંજ જઈ રહે છે). પૃથ્વી પણ પિોપટના પીંછાના રંગ જેવા રંગવાળા ઘાસથી લીલીછમ થઈ ગઈ તે જાણે પિતાના પતિ શ્રેણિકરાજાનું આવું ભાગ્ય જેઈને રોમાંચિત થઈ હાયની ! સિલિન્ધ-અશોક કુટજ કેતકી અને માલતી પ્રમુખ વનસ્પતિઓને પણ જાણે આ વિચિત્ર બનાવ જેવાને ચક્ષુ આવ્યાં હોયની એમ, પુષ્પો આવ્યાં. વળી જાણે મેઘજળના છંટકાવને લીધે એરાવણ હસ્તીના શરીરપરથી ભૂમિપર ટપકતા તેને અલંકારરૂપ સિંદૂરના બિન્દુઓ હોયની એવા દેખાતા ઈન્દ્રગોપ નામના કીડાઓ સ્થળે સ્થળે દેખાવા લાગ્યા. બાળકે પણ સતીના દેવમંદિર આદિ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #129 -------------------------------------------------------------------------- ________________ 112 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. બનાવીને કીડા કરવા લાગ્યા; કારણકે પિતાને સમય આવ્યે છતે કેણ પિતાના સ્વભાવપર જતું નથી ? . આવે વખતે ધારિણીએ પૂર્વોક્તપ્રકારે વૈભારગિરિની તલાટી આદિ સ્થળને વિષે ફરીને નંદાની પેઠે પિતાને દેહદ પૂર્ણ કર્યો. એ પ્રમાણે અભયકુમારે તેને મરથ પૂ; અથવા તે ચિંતિત વસ્તુને આપનાર તે કલ્પદ્રુમજ હોય છે. જો આવા અભયકુમાર જેવા મંત્રીઓ ઘેરઘેર હોય તે કયા રાજાના મરથ અપૂર્ણ રહે? પણ વન વનને વિષે કાંઈ કલ્પદ્રુમ હેાય ? તિથિએ તિથિએ કાંઈ ચંદ્રમા પૂર્ણમંડળમાં દેખાય ? દ્વીપ દ્વીપે લક્ષજન વિસ્તારવાળો મેરૂપર્વત હોય ? દરેક સાગરને વિષે ગેલીર સમાન જળ હોય ? અથવા નગરે નગરે તે રાજધાની હેય ? વળી સર્વ નિધાનને વિષે મણિઓ કદિ હેય ? (અથોત ન જ હોય). - હવે અત્યંત સુખને વિષે રહેવાથી બહુ પુષ્ટ થયું છે શરીર જેનું એવી ધારિણી, બે પર્વત વચ્ચેની ખીણ હસ્તીને વહન કરે તેમ ઉત્તમ અને વા સમાન ગુરૂ એવા ગર્ભને વહન કરવા લાગી; છતાં પણ તે ગૂગર્ભા હોવાથી, એ, ગંભીર પુરૂષના હૃદયને વિષે રહેલા રહસ્યની પેઠે જણાતું નહોતે. અનુક્રમે હર્ષમાંજ નવમાસ અને સાડાઆઠ દિવસ વ્યતિકપે, ગ્રહ ઊચ્ચ લગ્નમાં આવ્યું છd, શ્રેષ્ઠ તિથિને વિષે, રાણીએ, છીપ મુક્તાફળને જન્મ આપે, તેમ, એક લક્ષણવંત, અને શરીરની કાન્તિથી મહેલને ઉતમય કરી મૂકતા, પુત્રને નિવિદને જન્મ આવે. તે દિવસે બહુ કરે (હસ્ત) જ હોયની એવા સૂર્યના કરેથી પ્રમાર્જિત થયેલી દિશાઓ સવે નિર્મળ દેખાવા લાગી. આકાશે પણુ, એ બાળકપર નિર્મળ ઉલ્લોચ (ચંદર) બાંધતું હોયની એમ સુંદર કૃષ્ણપટ્ટમય વસ્ત્રને ધારણ કર્યો. વળી તરતજ જન્મ પામેલા બાળકના, પલ્લવસમાન કેમળ અંગને સ્પર્શથીજ મૃદુતાં પામ્યા હોયની એમ પવને પણ મૃદુપણે વાવા લાગ્યા. એટલામાંતે વૃક્ષને જઈને સ્પર્શ કરી આવવાની કીડામાં પ્રવૃત્ત થયેલા બાળકની પેઠે સર્વ દાસીએ રાજાને વધામણી દેવા એકસાથે P.P. AD Gunratrasuri MS Page #130 -------------------------------------------------------------------------- ________________ મેઘકુમારને જન્મ-દાસીઓને હર્ષાવેશ. 113 દેડી.. એમાં એક શરીરે બહુ માંસલ હતી તેને પીડા થઈ; કારણકે ચાલવાની શક્તિ ન હોવાથી એ ભૂમિપર માંડમાંડ પગલાં મૂકતી હતી. વળી એક બીજી પણ ચાલવાને અસમર્થ હોવાથી પિતાના અતિપુષ્ટ નિતંબ અને ઉર સ્થળને નિન્દવા લાગી. પણ તેજ કારણને લીધે એક ત્રીજી સુકુમાર શરીરવાળી દાસી દેડતી ગઈ. વળી એક અસ્પષ્ટ લેનવાળી અને ચાલવાને અશક્ત એવી અતિવૃદ્ધ દાસી તો પોતાની વૃદ્ધાવસ્થા ઉપર બહુ કપાયમાન થઈ. પણ એવી ત્વરિત ગતિના મહા વેગને લીધે હાલતાં છે પાધર જેનાં એવી એક પ્રિયંવદા નામની દાસી નિતમ્બની ખલનાને પણ નહિં ગણકારીને, શ્વાસ ખાતી, પણ હદયને વિષે હર્ષ પામતી, આડેઅવળે માર્ગે જતી અને પિતાની અનેક સખીઓને આનન્દ પમાડતી, સમુદ્રની પાસે નદી પહોંચે તેમ, મગધેશ્વર શ્રેણિક રાજાની પાસે સર્વ કરતાં ક્ષણવાર વહેલી પહોંચી. પુષ્કળ શ્વાસથી હાંફતી હતી છતાં પણ દાન મળવાની આશાએ બોલી–હે પ્રભુ, મારી વધામણું છે, આપને જય થયે છે, વિશેષ પ્રકારે જય થયો છેઃ ધારિણી દેવીને, રૂપમાં કામદેવને પણ પરાજય કરે એ અને અમારા મને રથને પૂર્ણ કરનારા પુત્ર પ્રસ છે. એ સાંભળી હર્ષ પામી, રાજાએ “મારાં અંગે પાંગ તો સવે હર્ષના માંચરૂપી આભૂષણથી ભૂષિત થયાં છે તો હવે આ અજાગળસ્તન જેવાં આભરણે મારે શા કામનાં છે?” એમ વિચારીને જ જાણે પિતાના દેહ ઉપરથી ( મુકુટ શિવાય ) સર્વ અલંકારે ઉતારીને એ વધામણી લાવનાર પ્રિયવંદા દાસીને આપી દીધાં; અને, ઘણુ અપરાધી એવા પણ શ્રીમંતને કેદખાનાથી મુક્ત કરવામાં આવે છે તેમ, એને દાસીપણાથી મુક્ત કરી. અન્ય દર્સીઓને પણ રાજાએ યથાયોગ્ય દાન દીધું, કારણકે આશા કરીને આવેલાઓની આશા મહાન પુરૂષ પૂર્ણ કરે જ છે. તેજ વખતે નરપતિ શ્રેણિક મહારાજે વળી સકળ નગરને વિષે ચિત્તને ચમત્કાર પમાડે એવો સુત-જન્મ મહોત્સવ કરાવ્યો:-કમળ કંઠવાળી અને રૂપવતી વારાંગનાઓના નૃત્ય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #131 -------------------------------------------------------------------------- ________________ નાના પાત્ર લટાના ભાડાની આગામી વર્ષથી 114 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. અને ગીત શરૂ થયા; વિદ્યાવંત કળાવિ પુરૂષો વાત્રિ વગાડવા લાગ્યા; કેયલના સમાન મધુરકંઠવાળી નારીઓ ધવળમંગળ ગાવા લાગી અને દ્વારે દ્વારે તોરણ બંધાયા. વળી નાગરિકજનો અક્ષતના પાત્ર લઈને આવવા લાગ્યા તેમને સામા ગેળ ઘી આપવામાં આવ્યા; દ્રવ્યના ભંડાર છુટા મુકવામાં આવ્યા અને અથી જનેને દાન દેવામાં આવ્યું. રાજાની આજ્ઞાથી તેલ અને માપ મોટાં કરવામાં આવ્યાં; અને દાસદાસીઓ હર્ષથી ઉછળવા લાગ્યા. ત્યાં નાના પ્રકારની કુશળતા ધરાવનારા પુરૂષે, નિશાળીઆઓને લઈને મહેતાજીઓ, અને મૂળાક્ષરના જનેતા પંડિતે તરફથી આવવા લાગ્યા. વળી સ્થાને સ્થાને અને ચેટે ચાટે દેશાન્તરની લક્ષ્મીના પ્રવેશને અર્થે જ હોયની એમ તળિઆતરણ ફરકવા લાગ્યાં. વળી હાટની શ્રેણી પણ ( ત્યાં ઉડતા લટકતા) કસુંબાના વસ્ત્ર [ દવાઓ ] ના મિષથી જાણે આંગળીઓ ઊંચી કરી કરીને “એક અભયકુમાર જ સર્વ મંત્રિઓને વિષે શિરોમણિ છે કે જેણે પિતાની માતાને નહિં પુરી શકાય એ મનોરથ પૂર્ણ કર્યો " એમ અને અન્ય સંવાદ કરતી જણાતી હતી. આ પ્રમાણે તે આખો દિવસ જાણે કલ્યાણમયસ્વર્ગસુખમય અને આનંદઆનંદમય થઈ રહ્યો. પછી ત્રીજે દિવસે નવા જન્મેલા પુત્રને સૂર્ય અને ચંદ્રમાના દર્શન કરાવ્યાં, તે જાણે એટલા માટે કે તે કાન્તિ અને તેજમાં એમના સમાન થાય. વળી છઠું દિવસે તેના સ્વજનેએ ધર્મજાગરણ કર્યું, તે જાગરણું [ જાગ્રત રહેવાને સ્વભાવ ] ગ્રહણ કરવાને ઈછાતુર એવા એ કુમારની સમક્ષ એ ( જાગરણ ) ની પ્રશંસા કરતા હોયની એમ. દશમે દિવસે સૂતકની શુદ્ધિ કરવામાં આવી, અથવાતો તીર્થકરોના જન્મ સમયે પણ એમ કરવાને કલ્પ ( આચાર) હોવાથી તે કરવી ઘટે છે, તો શેષજનને એમ કરવું જોઈએ એમાં તે શું કહેવું ? પછી બારમે દિવસે સંબંધીજનેને ભેજન જમાડીને રાજાએ પિતે, મદ્રિકાને વિષે મણિની સ્થાપના કરે તેમ, પુત્રનેવિષેun નામનીeat @ાપના કરી P.P. Ac. Gunratnasuri M.S. Page #132 -------------------------------------------------------------------------- ________________ ચિવનાવસ્થા–પાણિગ્રહણ. 115 ( નામ પાડયું ). એ ગર્ભમાં હતું ત્યારે એની માતાને મેઘને દેહદ થયે હતો તેથી એના પિતાએ એનું મેઘકુમાર " એવું ગુણયુકત નામ પાડયું. અનુક્રમે પાંચ પાંચ ધાવમાતાઓના લાલનપાલનથી ઉછરતે મેઘકુમાર, દેવકન્યાઓથી કલ્પવૃક્ષ વૃદ્ધિ પામે તેમ, રાત્રી દિવસ વૃદ્ધિ પામવા લાગે; અને તેનાં બંધુ જનોએ તેનાં ચરણકમણ ( પગે ચાલવું તે )-કેશવપન-મુંડન-રમને નિશાળગરણું આદિ કર્યા. કુમાર પણ, વહાણ વાયુની સહાયથી સમુદ્રને પાર પામે, તેમ, બુદ્ધિના ઉત્કર્ષથી સકળકળાને પાર પામ્યો (સકળકળાને વિષે પ્રવીણ થયે); અને એક ઉત્તમ તરીઓ (તરનાર) જેમ સમુદ્રને તરીને દ્વિીપને પ્રાપ્ત કરે તેમ મારાવસ્થાને ઉલ્લંઘીને, તેણે મનહર એવી યવનાવસ્થાને પ્રાપ્ત કરી. એટલે પિતા–શ્રેણિક રાજાએ તેને સમાનકુળને વિષે જન્મેલી, સમાન વયની, સમાનરૂપસૌંદર્યવાળી અને સિભાગ્યલક્ષ્મીથી વિરાજતી એવી આઠ રાજકન્યાઓની સાથે પાણિગ્રહણ કરાવ્યું અને પ્રત્યેક વધુને કૈલાસ સમાન ધવળ અને ઉન્નત એવો એકેક રહેવાને મહેલ તથા અકેક કટિ રૂપું અને સુવણ આપ્યાં. બીજી પણ તેમને ગ્ય એવી વસ્તુઓ રાજાએ આપી; અથવા તો રાજવધુઓ આ પ્રમાણે વણિકજનની વધુ કરતાં અધિક છે. પછી મેઘકુમાર, શકનો સમાનિક દેવતા સ્વર્ગને વિષે અપ્સરાઓની સાથે ભેગવે તેમ, એ આઠે રાજપુત્રીઓની સાથે ભેગવિલાસ અનુભવવા લાગે. પછી રાજકુમાર પિતાની પ્રિયા સાથે કઈ કઈ વખત ગૂઢચતુર્થ ' આદિ સમસ્યાઓથી વિનેદ કરવા લાગ્ય:-( કારણ કે વિદ્વાન્ જનની, પ્રિયાઓ સાથે આવી જ ગેટ્ટી હેય છે). તેની પત્નીઓએ પ્રથમ પૂછ્યું–હે નાથ, જેણે પરાભવ કર્યો નિત્ય કામને છે, અજ્ઞાન–હસ્તિ-દલને વળી કેસરીઝ જે, 1 જેનું ચોથું પદ ગૂઢ હોય તે. 2 કામદેવનો. 3 અજ્ઞાનરૂપી હસ્તીને નાશ કરવામાં. 4 સિંહ (જેવા) છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #133 -------------------------------------------------------------------------- ________________ 116 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. તે સંહેરો અમીરના અઘ૩ નિત્યમેવ, " આ કાવ્યનું ચતુર્થ પાદ ગૂઢ છે તે આપ પૂરે. " આવી. પ્રિયાઓએ “ગૂઢચતુર્થપાદ” સમસ્યા પૂછી તે લીલામાત્રમાં સમજ જઈને કુમારે પૂર્ણ કરી કે, શ્રી નાભિરાયસુત આદિજિનેશદેવ. પતિની આવી ઉત્તમ પાદપૂત્તિ સાંભળી હર્ષ પામી પ્રિયાએ કહ્યું- હે નાથ, હવે આપ પૂછો. એટલે કુમારે પુછયું“ જન સરવે શું ઈછે, સજિજત ચાપે સુભટ શું આપે ? શાને “ગૃહ પયયી, સત્ત્વવાન શું પરને નવ પેજ ? " આ “ચલબિંદુક સમસ્યા સમજાવો.” એટલે રાજકુમારીઓએ પણ ક્ષણવાર વિચાર કરીને કહ્યું- હે આર્યપુત્ર, સમજાયું. આપના પ્રશ્નનો ઉત્તર " શરણગં " એ ચાર અક્ષરના શબ્દમાં આવી જાય છે. વળી પ્રિયાએને પૂછવાને વારે આવ્યો એટલે એમણે પૂછયું: અંકુરે ઉપજે શાથી? દેવનું વળી ભેજ્ય શું ? નારી પતિવ્રતા કેવા સ્વામીને કહે ઈચ્છતી ? ધ્યાવે તથા મુનીંદ્રો શું સદા તન્મય મન કરી ? નાથ, દ્યો એહ ચારેને, એક શબ્દ જ ઉત્તર. 4 એ સાંભળીને કુમારે તરત જ ઉત્તર આપે–અમૃત વળી પણ તેણે પ્રશ્ન કર્યો:– રવિ કે શું વિસ્તરે પ્રાતઃ સઘળે પ્રકાશને કરતી ? જિનપતિમખજે કેણ રહે ભવિજનમન ઉપદિશતી ? નદી ગંગા ઉલ્લંઘી પાર ગયા એ કહે કૃષ્ણ કેવા ? ચૈિત્યરક્ષણે કેને અષ્ટાપદ પર સગરપુત્ર લાવ્યા ? " 1 નાશ કરો. 2 જેમને પિતાની ઈન્દ્રિયો પર યમ (કાબુદાબ) નથી હોતો એવા (પ્રાણીઓ) ના. 3 પાપ. 4 સર્વે શું છે? શું એટલે સુખ. તૈયાર કરેલા ચાપ ધનુષ્ય પર શું આરોપે ? શબાણ વળી ગૃહ શબ્દ શાનો પયોયી છે કે રાજા નો (ાર શબ્દનો અર્થ ગૃહ” પણ થાય છે.) સત્યવાન પુરૂષ સામાને શું ન સેપે ? રાજા એટલે શરણે આવેલ (પ્રાણી). . * અમૃત(૧) જળ (2) અમૃત ભજન (3) અમર (4) મે. P.P. Ac. Gunratnasuri M.S! Page #134 -------------------------------------------------------------------------- ________________ દંપતીને ગેછી વિદ-સમશ્યાતિ. 117 આ " વ્યસ્તસમસ્ત " સમસ્યાને તેની સ્ત્રીઓએ ઉત્તર આપે–ભા [ પ્રભા ], ગીર (વાણુ–સરસ્વતી), રથી (રથવાળા-રથને હાથમાં લઈને ગંગાનદી તરી ગયા હતા એ. ભાગીરથી ( ગંગાનદી ). વળી સ્ત્રીઓએ પ્રશ્ન કર્યો -- પ્રિય ! સાગરની પુત્રી કેશુ? કહે વળી મેઘ હોય કેવા ? ચરણપ્રતિષેધાથી પંચાક્ષરથી બન્યા શબદ છે ક્યા ? સર સુંદર કયું કેવું? ધનેશ નર કર્યો કે આ જગમાંહિ ? એ પાંચે પ્રશ્નોને એક શબ્દમાં ઉત્તર ઘો સ્વામી. એ સમશ્યા સાંભળી ક્ષણવાર મનન કરી સમજી જઈ કુમારે એને ઉત્તર આપે–પદ્માકર. (1) પદ્મા=લક્ષમી, એ સાગર ( સમુદ્ર) માંથી નીકળી છે માટે એની પુત્રી કહેવાય છે. (2) પદ્માકર. પદ્મા એટલે લક્ષમી અથોત દ્રવ્ય-એના આકર (ખાણ ) રૂપ. મેઘ દ્રવ્યની ખાણ છે–સર્વ સંપત્તિ મેઘ (–વૃષ્ટિ) ઉપર આધાર રાખે છે. (3) પદ્માકર=પ+મા+કર. આમાં પાંચ અક્ષરે છે એ ચરણને પ્રતિષેધ કરનારા છે. (4) પદ્માકર=પદ્મ+ આકર કમળ પુષ્પોના સમૂહવાળું. પુષ્કળ કમળો હોય એવું સરોવર સુંદર કહેવાય. (5) પદ્માકર પદ્મ-આકર. " પદ્મ " એ એક મોટી સંખ્યા છે. એટલે એક પદ્ધ દ્રવ્યવાળો હોય એ આ પૃથ્વી પર ધનેશ્વર એટલે કુબેર કહેવાય. કુમારે સમસ્યા પૂરી એટલે એની ઉત્કૃષ્ટ બુદ્ધિની પ્રશંસા એની સ્ત્રીઓએ કરી. પછી કુમારે સમશ્યા પછી - નીપજાવે કે ધાન્યને ? ગમનહેતુ કર્યો હોય ? નિર્ભય ગૃહ કયું મત્સ્યનું ? હિમાગમે શું જોય ? એને ઉત્તર એની સ્ત્રીઓએ બરાબર વિચાર કરીને આપેઃ –કંપનદ. [1] “કે” એટલે જળ ધાન્યને નીપજાવે છે. [2] પદ એટલે ચરણ જવા આવવામાં હેતુ એટલે સહાયક છે. [3] મસ્યાનું નિર્ભય સ્થળ “નદ” એટલે સમુદ્ર છે. [4] હિમાગમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #135 -------------------------------------------------------------------------- ________________ 118 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. એટલે શિયાળામાં કંપ-શીત [ ચંડી] ને લીધે ધ્રુજવાનું છે. પછી કુમારની સ્ત્રીઓએ વધારે વિષમ સમશ્યા પૂછી - સમર્થથી કે શબ્દ કે? કંઠતણું શું નામ ? પત્રવાચિ પદ શું? કરે કણ કણવર્ધન કામ ? એક નરનાથવિશેષ કે ? કે કે શબ્દ મધુર ? નૃપજ્યહેતુ કેણ? શે બુદ્ધ-અર્થ લખે ઊર? વિષ્ણુ-રંગ-ને તાત-નું એક અવ્યયનું નામ નીકળે આ સમસ્યા થકી. અન્તિમ “લ” તણું ઠામ. 3 ક્ષણમાત્ર વિચાર કરી કુમારે આને ઉત્તર આપે : અગદજનકબતલં. [1] “અલ શબ્દ સંસ્કૃતમાં સમર્થ અર્થમાં વપરાય છે. [2] ગલ કંઠ (ગળું) [3] દલ=દળ એટલે પત્ર કે પાંદડું. [4] જળ ધાન્ય નીપજાવે છે. [5] એક રાજા-નળરાજા. [6] કલ શબ્દનો અર્થ મધુર થાય છે. [7] બળ= સૈન્ય. [8] બુન એ તળ એટલે તળીઆનું નામ છે. વળી અગદ જનકબતલ માં અને એ “વિષ્ણુ” નું નામ છે; “ગદ એ “ગ” નું નામ છે; જનક એટલે “પિતા” થાય છે; બત' એ એક ( સંસ્કૃત ) અવ્યય છે; અને છેલ્લે અક્ષર લ છે. - કુમારે આમ સમસ્યા પૂરી એટલે એની સ્ત્રીઓ બેલીઅહો ! આપને મતિભવ બહસ્પતિને પણ જીતી લે એવે છે; આપની આ બુદ્ધિ ઉત્કૃષ્ટ-સર્વ કરતાં ચઢે એવી છે-અલોકિક છે; તેથીજ આપ અમારી વિષમ સમશ્યા સમજી શક્યા છે. હવે, હે સ્વામિનાથ, આપ કંઈ વિશેષ વિષમ હોય એવું પુછો.ak Trust P.P.AC. Gunratnasuri M.S. Page #136 -------------------------------------------------------------------------- ________________ સમશ્યાપૂર્તિ. 119 એ પરથી કુમારે પૂછયું - ચતુરાઈ શામાં વસે ? કયાં જન્મોત્સવ થાય અરિહંત - પરમેશને સુર-સુરઇન્દ્ર મિલાય ? અતિ પ્રજ્ઞા કયા મનુષ્યમાં? કયાં કસ્તુરી થાય ? તશીલ–ભાવના અર્થમાં પ્રત્યયય કયા સ્કાય ? કહે પંખીડાં કયાં વસે ? કયાં જળ છે દુર્લભ ? સ્ત્રીને કેવા નર વિષે રમે સદા નિજ અપ ? આ સમસ્યા સ્ત્રીઓએ બહુ બહુ વિચારી જે પરતુ એમનાથી સમજાઈ નહિ. એટલે એ બલી-અહો ! આર્યપુત્રે અમારી દુર્લક્ષ્ય એવી પણ સમસ્યા ક્ષણમાત્રમાં પૂરી; પરતુ અમે સર્વે એકત્ર મળીને પણ આપની સમસ્યા સમજી શકતી નથી. અથવા તે પુષ્કળ નદીઓ એકઠી મળવાથી કંઈ સાગર બનતો નથી; ઘણું દીવી હોય તે પણ તે સૂર્યના પ્રકાશની બરાબર થતી નથી. આમ બેલતી બોલતી એઓએ કુમારને કહ્યુંઆર્યપુત્ર, હવે આપના પ્રશ્નનો ઉત્તર આપ જ આપ. કુમારે મંદહાસ્ય કરીને ઉત્તર આપે : કામેગુરૂતમચારિ. [ 1 ] કારિ.” કારૂ એ સંસ્કૃત શબ્દનો અર્થ શિલ્પશાસ્ત્ર થાય છે. કારે એટલે એવા શિલ્પ-હુન્નર કળાને વિષે જ ચતુરાઈ છે. [2] મેર=મેરૂ પર્વત ઉપર-ભગવાનને જન્મોત્સવ થાય છે. [3] અતિપ્રજ્ઞા ગુણ એટલે ગુરૂને વિષે હેય છે. [4] કસ્તુરી ફિરે એટલે રૂરૂ-મૃગને વિષે–મૃગની નાભિમાં થાય છે. [5] સંસ્કૃત વ્યાકરણમાં 22 પ્રત્યયે તાશીલ્ય અર્થમાં વપરાય છે. [6] પક્ષીઓ “તરા - એટલે તરૂ પર-વૃક્ષ પર રહે છે. [7] P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #137 -------------------------------------------------------------------------- ________________ 120 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. ભરે એટલે મરૂ ભૂમિને વિષે (મારવાડ દેશમાં ) જળ બહ દુષ્ય પ્રાપ્ય છે–મળતું નથી. [8] “ચાર એટલે સુંદર પુરૂષને વિષે સ્ત્રી બહુ મેહ પામે છે સુંદર પુરૂષને જોઈને એને અખે-આત્મા મૂઢ બની જાય છે. એ પ્રમાણે મેઘકુમાર પ્રેમની શાળારૂપ એવી પિતાની પ્રિયાઓની સંગાથે પ્રનત્તરાદિએ કરીને સુખમાં કાળ નિર્ગમન કરવા લાગે. શ્રેણિકરાજાને અનુક્રમે જુદી-જુદી રાણીઓથી નદિષણ-કાળ પ્રમુખ શુરવીર પુત્ર થયા; કારણકે સિંહના પુત્ર સિંહ જ હોય છે. તે કૃણિત આદિ સર્વ પુત્રને તેણે રાજકન્યાઓ પરણાવી. કારણકે પુત્રના સંબંધમાં પિતાના શું ઓછા મને રથ હેય છે? પછી અભયકુમારે પિતાના ભાઈઓને સાથે લઈને અશ્વમેલન આદિ કીડાઓમાં કેટલાક દિવસ નિગમન કર્યા. - એવામાં એકદા,–જેમણે પોતાના ગુરૂજનના આગ્રહથી ગૃહસ્થાશ્રમને વિષે રહી પછી જ સકળ સામ્રાજ્યને તૃણની પેઠે ત્યજીદઈને પ્રવજ્યા ગ્રહણ કરી હતી, જેમણે પોતે નિઃસંબ છતાં પણ પિતાનું અધ દેવચ્છ વસ્ત્ર બ્રાહ્મણને આપી દીધું હતું, જેમણે પોતે અનન્ત વયવાળા છતાં પણ મહા મહા 'ઉપસર્ગો સહન કર્યા હતા, જેમણે સર્વ ઘાતિકને નાશ કરીને કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરી હતી; વળી જેમની સમીપે દેવતાઓ કિકરની પિઠે લુંઠન કરતા હતા, જેમનું શરીર સુગંધમય તથા રેમ–પ્રસ્વેદથી રહિત હતું, જેમનું રૂધિર ક્ષીરધારા સમાન, અને માંસ પાંડુર હતું, જેમના આહાર-નીહાર ચર્મચક્ષુવાળાઓને (માનવીઓને ) અદશ્ય હતા; જેમને નિઃશ્વાસ સુગંધમય હત; આવા જન્મની સાથે જ પ્રાપ્ત થયેલા અતિશના ધ, કે જેમના કેશરમ-નખ અને શ્મશ્ર કદાપિ વૃદ્ધિ ન પામતાં એજ સ્થિતિમાં રહેતા હતા; અને જેઓ, આકાશને વિષે જેમ સૂર્ય તેમ, પૃથિવીને વિષે અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરતા હતા એવા દાક્ષિણ્યનિધિ શ્રી મહાવીરભગવાન નાના પ્રકારના ak નગર–ગ્રામ P.P. Ac. Gunratnasuri M.S. Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરભગવાન નું સમવસરણ. 121 આદિથી પૂરાયલી એવી ધરણને વિષે પિતાની વાણીથી ભજનેરૂપ કમળને પ્રબોધ પમાડતા વિચરતા વિચરતા, જાણે શ્રેણિકરાજા વગેરેના ઉત્કૃષ્ટ ભાગ્યેયથી આકર્ષાઈને જ હાયની તેમ રાજગૃહ નગરી ભણી આવ્યા. સર્વજ્ઞ એવા શ્રી વીરસ્વામીના ચરણતળે સુર્વણના કમળ ભતા હતા; તે જાણે સ્વર્ગગંગાને વિષે પિતાના વાસથી (થલી) પિતાની જડ (ળ) તાથી મુકત થવાને અર્થે જ [ તેમના ચરણને સ્પર્શ કરવાનેજ ] આવ્યાં હોયની? માર્ગને વિષે ભગવાનને અનુકુળ શકુને થયા; અથવા તે, ત્રણે લોકના નાથને તે બધુંયે વિશ્વ અનુકુળ હોય છે. વળી, જાણે પિતાના વિરૂપપણને બતાવવાને અનાતુર હોય તેમ મૃદુ પવને પણ પ્રભુના પૃષ્ટભાગે વાતા હતા. વળી વૃક્ષે પણ જાણે “અમે સ્થાવર હોવાથી આપના વ્યાખ્યાનને વિષે આવી શકવાના નથી” એમ કહીને પ્રભુને માર્ગને વિષેજ પ્રણામ કરતા હતા. કટકે પણ “આમણે સર્વ ભાવકંટકને તે ચૂર્ણ કરી નાંખ્યા તે આપણે જેવાની તો વાત જ શી” એમ સમજીને જ જાણે અધમુખ થતા હતા. ઉંચે વિસ્તરતી કાન્તિના સમૂહવાળું ધર્મચક પણ જાણે દંડ લઈને ચાલતો પ્રતીહાર હાય તેમ, પ્રભુની આગળ ચાલતું વિરાજતું હતું. વળી “પ્રભુને અન્તસ્તાપ તો કયારને શમી ગયા છે પણ એમને હવે બાહ્ય તાપ સુદ્ધાં ન રહે” એટલાં માટે જ જાણે તેમના મસ્તક પર ત્રણ કાન્તિમાન છત્રો શોભી રહ્યાં હતાં. વળી પ્રભુની આગળ ધર્મધ્વજ ચાલતો હતો તે પણ “મારો બધુ તે આપના સીધ મિહેલ ને વિષે રહેશે” એમ ઘુઘરીઓનો શબ્દના મિષથી કહેતો હોયની, અને હાલતા વસ્ત્રને હાને ગેલા કરતો હોયની ! વળી (પ્રભુની આગળ) બે વેત ચામરે સુંદર રીતે વીંજાતાં હતાં, તે જાણે તેમના યશરૂપી હંસનું જેલું ક્રીડા કરતું હાયની ! વળી પાદપીયુક્ત સુંદર આસન પણ પ્રભુની સાથે સાથે આકાશને વિષે ચાલતું હતું, તે જાણે માને વિષે પ્રભુને વિશ્રામ લેવાને અથેજ હોયની ! આ પ્રમાણે દેવાધિદેવ એવા શ્રી વીરતીર્થકર અનેક કટિબદ્ધ દેવતાઓના પરિવાર સહિત રાજગૃહનગરે સમવસયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #139 -------------------------------------------------------------------------- ________________ 122 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. તે સમયે વાયુકુમાર દેવતાઓએ સાક્ષાત પિતાની જ રજ દિષીની જેમ, એક જન પ્રમાણ ભૂમિમાંથી રજ (કચરે) હર કયો. પછી મેઘકુમાર દેવતાઓએ જાણે પોતાનાજ પુણ્યરૂપી બીજ વાવવાને અર્થેજ હોયની તેમ તે ભૂમિપર ગંધદકની મહા વૃષ્ટિ કરી. પછી દેવતાઓએ એ ભૂમિને વિષે રત્ન-મણિ-સુવર્ણ આદિ જડી લીધાં; કારણ કે ઉત્તમ રેખાયુક્ત ચિત્ર પણ ભૂમિ શુદ્ધ ન હોય તે દીપતું નથી. ત્યાર પછી દેવેએ બહુજ સુગંધના પ્રસારથી સકળ આકાશતળને ભરી મૂકતા પંચવર્ણના વિકસ્વર પુની, ડાંખળીઓ નીચે અને પાંખડીઓ ઉપર રહે એમ જાનુ પ્રમાણ વૃષ્ટિ કરીઃ નિશ્ચયે સુમન (દેવતા) અનુકુળ છતે સુમન (પુષ્પોની એવી વૃષ્ટિ પર કંઈ વિચિત્રતા નથી. પછી વૈમાનિક દેવતાઓએ પહેલે રમય ગઢ ર; અથવાતે, પ્રથમ મહાન પુરૂષો જ માર્ગ દર્શાવે છે. પછી જાણે એ રત્નમય ગઢની રક્ષાને અર્થે જ હોયની એમ તિષ્ક દેવેએ ક્ષણમાં બીજે સુવર્ણને પ્રાકાર ર. વળી “પ્રભુના પ્રસાદથી આને દુર્વતાવાદ જતે રહો” એવા આશયથી જ હોયની એમ ભવનપતિ દેવતાઓએ ત્રીજો અને છેલ્લે રૂપમય પ્રાકાર રચ્યું. પછી એ ત્રણે પ્રાકારપર તેમણે મણિ-રત્ન-અને સુવર્ણના કાંગરા રચા, તે જાણે મેહરૂપી ભિલ થકી મનુષ્ય તેમજ તિર્યચેની રક્ષા કરવાને અર્થેજ હાયની ! પછી, ગીતાર્થ સૂરિઓએ પૂર્વે સૂત્રાનુયેગને વિષે સુખે પ્રવેશ કરવાને કાર રચાં હતાં તેમ, એમણે પૂવાદિ ચારે દિશાઓને વિષે, પ્રત્યેક પ્રાકારે પદ્મરાગ-ઈદ્રનીલ પ્રમુખ સર્વરત્નોમય ચાર ચાર દ્વારા રચ્યાં. વળી વ્યંતર દેવોએ કામદેવનું સંસ્થાન–એવી પુતળીઓ અને છ યુકત સર્વ પ્રકારના રત્નમયે તેણે રચ્યાં. પછી દ્વિતીય પ્રાકરને વિષે તેમણે ત્રણ છત્ર–પીઠ-અશોકવૃક્ષ--ચામર–અને-દેવછંદ એટલાં વાનાં રહ્યાં. વળી તેમણે ત્યાં મત્સરરૂપી મશકે [ મચ્છર, ડાંસ ] થી પ્રાણિઓનું રક્ષણ કરવાને અર્થે જ હેયની એમ કલાગુરૂ-કપુર૧ વર્ષ માટે રૂપમાં દૂર્વાર્ણતા છે. દુર્વણનો બીજો અર્થ ખરાબ વર્ણ રંગ. P.P. Ac. Gunratnasuri M.S. Page #140 -------------------------------------------------------------------------- ________________ 127 શ્રી વીરગવાન નું સમવસરણ. આદિથી મિશ્ર એ ધૂપ કર્યો. એ પ્રમાણે જેજે કરવાનું હતું તે સર્વ વ્યક્તર દેવોએ કર્યું; કારણકે એમને અન્ય ગમે તે નિગ કરવો પડે છે તે આ સુખકારક નિગ) તે તેઓ કરેજ એમાં તે કહેવાનું જ શું? પછી દેવતાઓથી સંચાર કરાતા કમળપુષ્પો પર ચરણન્યાસ કરતા શ્રી વીરપ્રભુએ પૂર્વદ્વારેથી સમવરણવષે પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને એમણે બત્રીશધનુષ્ય પ્રમાણ ઉંચા એવા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી; કારણકે મહંત પુરૂષો નિત્ય સ્થિતિ | ચાલતા આવતા રિવાજ નું અનુસરણ કરનારા હોય છે. પછી પૂર્વ દિશા તરફ મુખ કરીને પ્રભુ સિંહાસન પર વિરાજમાન થયા; અને નમકતા (તીર્થને-ચતુવિધ સંઘને નમસ્કાર થાઓ ) એમ બેલ્યા; કારણકે જિનેશ્વર ભગવંતને પણ શ્રીસંઘ પૂજ્ય છે. પછી દેવતાઓએ શેષ દિશાઓને વિષે પ્રભુના પ્રભાવથી બિંબ રચાં–તે પ્રભુની જેવાં દેખાવા લાગ્યાં કારણકે દેવતાઓ એ પ્રકારના કાર્યને વિષે સમર્થ હોતા નથી. કારણકે [ દષ્ટાન્ત તરીકે ] સર્વે પણ દેવતાઓ એક અંગુષપ્રમાણ રૂપ કરે તો પણ તે જિનેશ્વરના અંગુષની પાસે એક ખાલી અંગારાની પેઠે જણાતું જ નથી. વળી પ્રભુના દેહના અનિબંધપણે પ્રસરતા તેજને લોકો સહુન કરી શકશે નહીં એમ ધારીને જ જાહેયની તેમ, તેમના [પ્રભુના] પૃષ્ટ ભાગને વિષે તેમણે, દ્વારની પાછળ આગળીઆની જેમ નિત્ય-સેવાને અર્થે ભામંડળની સ્થાપના કરી. પછી એ દેવતાઓએ દુંદુભિને નાદ કર્યો તે જેમ માટે માટે થતો ગમે તેમ તેમ મહારાજા શેકસહિત પિતાનું શીવ કુટવા લાગે હવે દેવદુંદુભિનો નાદ થયે એટલે સર્વ કે ભગવાનના સમવસરણને વિષે આવવા લાગ્યા. સાધુઓ-વૈમાનિક દેવીઓ-અને સાધ્વીઓ સર્વે પૂર્વ દિશાના દ્વારે પ્રવેશ કરી પ્રભુની પ્રદક્ષિણા કરી તથા તેમને નમન કરીને અગ્નિકોણમાં બેડા. જ્યોતિષી, ભવનપતિ તથા વ્યંતર દેવતાઓની અંગનાઓ દક્ષિણદ્વારે પ્રવેશ કરીને નેત્રત્યકાણને વિષે બેઠી, ભવનપતિના દેવતાઓ તથા વ્યન્તર દેવે તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #141 -------------------------------------------------------------------------- ________________ 124 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. તિષ્ક દેવતાઓ પશ્ચિમ દિશાના દ્વારે પ્રવેશ કરીને પ્રભુને નમીને વાયવ્ય કેણને વિષે બેઠા. વૈમાનિક દેવતાઓ તથા મૃત્યલેકના નર-નારીઓ હર્ષસહિત ઉત્તર દિશાના દ્વારે પ્રવેશ કરીને ઈશાન કેણુને વિષે બેઠા. પછી શ્રી ગોતમ ગણાધીશ સર્વ કેવલિમહારાજની આગળ અને શ્રીમાન વીરપ્રભુની પાસે જ બેઠા; કારણ કે એ જ શાશ્વતકાળથી નિયમ છે. પછી મદ્ધિદેવતાને આવતા જેઈ સર્વ તેને નમન કરવા લાગ્યા, અને એ બેઠે એટલે, એને નમતા ગયા; કારણ કે લેકને વિષે પણ ઉચિત શોભે છે તે જિનભગવાનના શાસનને વિષે શેલે એમાં તે કહેવું જ શું. અહે! ધન્ય છે ત્રણ જગતના સ્વામીના આવા–અવશ્યલેકોત્તર પ્રભાવને ! કે જેને લીધે બીજા કેટને વિષે હસ્તિ-અને-સિંહ, ભેંસ-અને-અશ્વ, હરિણ--અને-સિંહ, બિલાડી--અને-ઊંદર, નકુળઅને-સર્પ પ્રમુખ અન્યત્ર-નિત્ય—મત્સરભાવને ધારણ કરનારા પ્રાણીઓ, પિતાના એ સહજ વૈરને ત્યાગ કરીને સાથે રહ્યાં ! ત્રીજા પ્રકારને વિષે સર્વ વાહને રહ્યાં વળી અહો ! જેમને જિનેશ્વર ભગવાનના દર્શન થાય એવા અભિગીને પણ ધન્ય છે ! સર્વે દેવતાઓ હર્ષથી ગર્જના કરવા લાગ્યા, નાચવા કુદવા લાગ્યા, આળોટવા લાગ્યા, ગાવા લાગ્યા, આનંદ કરવા લાગ્યા, તથા હશે હોંશે પ્રભુને વાંદવા લાગ્યા. (એટલામતો) જેમ શરીરને વિષે અસંખ્યાત જીવપ્રદેશ સમાયેલા છે તેમ જન માત્રના માનવાળા સમવસરણને વિષે અસંખ્યાત પ્રાણીઓને સમાવેશ થઈ ગયે. હવે, અહિં પ્રભુના આગમનથી આ પ્રમાણે હર્ષનાદ થઈ રહ્યો હતે એવામાં તે ઉદ્યાન પાળકે જઈને રાજાને હર્ષની વધામણી આપી ક–હે રાજન, જેમને જ્યાં જ્યાં વિહાર થાય છે ત્યાં રેગે સર્વ નષ્ટ થઈ જાય છે; (ભાવગ સુદ્ધાં નાશ પામે છે તે બાહ્યરોગનું તે શું જ કહેવું ?) વળી જેમને જોઈને છ ઈતિઓર દૂર થાય છે, છ ભાવશત્રુ ભય પામીને જ હાયની તેમ જતા રહે 1. સેવકવર્ગ. 2 જુઓ પૃષ્ટ 7 માની પુરનેટ 1hak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #142 -------------------------------------------------------------------------- ________________ 125 ઉદ્યાનપાલકની વધામણી. છે, વાઘ અને બકરીને ઘેર રહેતું નથી, અને સંગ્રામ થકી કાયર પુરૂષ જ જેમ તેમ, મરકીને ઉપદ્રવ પલાયન કરી જાય છે; વળી જેમના આગમનથી દુભિક્ષ અને યુદ્ધકલહ પણ નાસીને ક્યાં જતા રહે છે તેની ખબર સુદ્ધાં પડતી નથી ( અથવા તો સહસ્ત્રકિરણવાળે સૂર્ય ઉદય પામ્ય છતે જડતા અને અંધકાર ક્યાં સુધી રહે ?); જેમના વીતરાગપણાને લોભાવવાને જ જાણે હાયની એમ પાંચે ઈન્દ્રિયાથે મનરંજક બની જાય છે; અને જેમના નામ શ્રવણથી પણ આપને પરમ આનન્દ ઉત્પન્ન થાય છે એવા, ત્રિશલા રાણીની કુક્ષીએ જમેલા, સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી મહાવીરસ્વામો આવીને ગુણશીલ ચેત્યે સમવસર્યો છે. હે પ્રભે, તેમના આવવાથી ઉદ્યાનને વિષે સર્વ હતુઓ જાણે એમનાં દર્શન કરવાને જ હેયની એમ સમકાળે પ્રાદુર્ભાવ પામી છે; જિઓ સર્વ હતુઓને વિષે શિરેમણિ એવી વસંતત્રતુ આવી હાયની એમ, મૃદુવાયુથી જાણે નૃત્ય કરતી એવી વિકાસ પામતા કદઅર વૃક્ષના પુષ્પોની રેણુને લીધે સૂર્યના કિરણને જાણે કેમળ કરી નાખતી એવી ચીમઋતુ પણ આવી પહોંચી જણાય છે. કરવતથી જ હાયની એમ કાંટાવાળા કેતકી પુષ્પોથી વિયોગી જનેનાં હૃદયને ભેદી નાખનારી વષોહતુ પણ વિકાસ પામવા માંડી છે. વળી તે સ્વામિન, નવીન અને શ્રેષ્ઠ એવાં વિકસ્વર કમળથી શરડતુ પણ જાણે ભગવાન વીરસ્વામીની પૂજા કરીને પિતાને કૃતકૃત્ય કરવા આવી છે. કામીજન તુલ્ય હેમન્તઋતુ પણ પિતાના કુન્દપુષ્પોની કળીએરૂપ નથી જાણે દિશારૂપી વધુઓના ઉલ્લંગ વૃક્ષ સ્થળ ઉપર સત નિખક્ષત–પ્રહાર કરવાની ઈચ્છા કરે છે. બે જૂદી જૂદી તુમાં ઉત્પન્ન થનારાં કુન્દ અને સિદ્વાર પુખે આ એક શિશિકતુમાં આવ્યાં જણાય છે; અથવા તો શિશિરને [ થંડી પ્રકૃતિવાળાઓને ] આખું જગત પિતાનું જ છે. ઉદ્યાનપાલકની એ વધામણી સાંભળીને, રાજા, વસન્તસમયે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #143 -------------------------------------------------------------------------- ________________ 126 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. આમ્રવૃક્ષ કુસુમોના સમૂહથી પૂરાઈ જાય તેમ, સર્વ અંગે હર્ષના રોમાંચથી પૂરાઈ ગયે. એણે એને પ્રીતિપૂર્વક પુષ્કળ ઇનામ આપ્યું. કારણ કે જિનેશ્વર ભગવાનના ખબર લાવનારને તે રાજ્યનું દાન દેવું એ પણ થોડું છે. પછી સત્વર રાજાએ પ્રભુને વંદન કરવા જવા માટે સર્વ સામગ્રી તૈયાર કરાવી; કારણ કે પૃથ્વી પર આવી ચઢેલા ક૫મના દર્શનને વિષે કેને અભિલાષા થતી નથી? સેવકેએ તતક્ષણ હસ્તી–અશ્વ-રથાદિ તૈયાર કર્યા; કારણ કે રાજાની આજ્ઞાથી સર્વ કાંઈ નીપજે છે. પછી જાણે સાક્ષાત્ જ હોયનીએ શ્રેણિકનરપતિસેયનક હસ્તી ઉપર બેસીને અભયકુમાર આદિ પુત્રના પરિવાર સહિત બહાર નીકળે. અપ્સરા સમાન રૂપર્યયુક્ત નારીઓ તેના પર છત્ર ધારણ કરી રહી હતી તથા ચામર વજ્યા કરતી હતી. આગળ શુધપાઠ બેલવામાં ચતુર એવા બન્દિજને ટેળાબંધ ચાલતા હતા; તથા હાવભાવથી મન હરણ કરતી વારાંગનાઓ નૃત્ય કરી રહી હતી. વળી ભેરી, ભાકાર આદિ વાજિંત્રના સ્વરથી આકાશ બહેરૂ થઈ ગયું હતું. સાથે ઉત્તમ અપર તથા રથને વિષે મહા સામંતે ભી રહ્યા હતા અને ઈંદ્રાણીની સાથે પદ્ધો કરનારી પવિત્ર અંતઃપુરની સ્ત્રીઓ પણ આવા શ્રેષ્ઠ પ્રસંગને લાભ લેવામાં પાછળ પડી નહોતી. પછી ક્ષણમાં તે નરપતિ સર્વાર્થસિદ્ધિએ જનારે પ્રાણ સિદ્ધશિલાની નજદીક પહેચે તેમ, સમવસરણની નજીક આવી પહોંચ્યા. ત્યાં પ્રભુના ત્રણ છત્ર દૃષ્ટિએ પડયા કે તુરતજ જ્ઞાનાદિત્રયી પ્રાપ્ત કરીને ભવ્યપુરૂષ અહંકારથી ઉતરે તેમ, રાજા ગજવરપરથી ઉતર્યો. ઉતરીને તે નરપતિ પગે ચાલી મુક્તિના સાક્ષાત દ્વારા જેવા સમવસરણના દ્વાર પાસે આવ્યા. ત્યાં તેણે છત્ર-સૂકુટ-ચામરે–ખડ્રગ-પુષ્પ અને તાંબૂલને ત્યાગ કર્યા; તથા મુખશુદ્ધિ કરી. પછી તેણે એકસાટી ઉત્તરાસંગ નાખીને આદરસહિત સમવસરણને વિષે પ્રવેશ કર્યો. ત્યાં જિનપતિના 1 જ્ઞાન દર્શન અને ચારિત્ર, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના અતિશય- શ્રેણિક રાજાની સ્તુતિ. 127 શન થયાં કે તરતજ રાજા અંજલિ જેડીને એકાગ્ર યાને રહ્યો; કારણકે તે વિના સિદ્ધિની પ્રાપ્તિ નથી. પછી પરિવાર સહિત તેણે પ્રથમ પ્રાકારને વિષે પ્રવેશ કરી, ત્રણ પ્રકારના દુઃખને ક્ષય કરવાને અર્થેજ હાયની એમ, અહંદુભગવાનની ત્રણ વખત પ્રદક્ષિણા કરી. ત્યારપછી ભાલપ્રદેશથી ત્રણવાર પૃથ્વીને સ્પર્શ કરીને ( ત્રણવાર ખમાસમણ દઈને) તેણે પ્રભુને વંદન કર્યું તથા હર્ષયુક્ત ચિતે તેમની આ પ્રમાણે સ્તવના કરી - હે પ્રભુ, મારા જેવો વૃદ્ધપુરૂષની જેવી સ્થૂળષ્ટિવાળા પ્રાણી આપના કેટલાક ગુણને જોઈ શકે ? તોપણ હું (આપના) બે ત્રણ ( ગુણ ) ની તો સ્તુતિ કરીશઃ જન્મોત્સવ સમયનું તમારું પરાક્રમ તે મને ચિરકાળ પર્યન્ત વિસ્મય પમાડે છે, કે જે વખતે તમે મેરૂ પર્વતને ચલિત કરીને સુરપતિને નિશ્ચલ કરી દીધે હતે ! વળી હે સ્વામિ, તમારા માતાપિતાએ મુગ્ધભાવ થકી તમને લેખશાળાને વિષે અભ્યાસાર્થે મેકલ્યા તે ઈદ્રનું મહદ્ ભાગ્ય જ, કારણ કે, અન્યથા, એ (ઇંદ્ર)ના નામ પરથી રહ્યા કેવી રીતે નીકળત, અને ભુવનને વિષે કેવી રીતે પસાર પામત? હે દેવાધિદેવ, તમે કૌમારાવસ્થાને વિષે તમારા બળની પરીક્ષા કરવા આવેલા દેવતાને એક મુષ્ટિના પ્રહારથી નીચે કરી નાંખે હતો તે જાણે તેના ગર્વને હેઠે બેસાડવાને તમે પૂર્વે પુનઃ પુનઃ અભ્યાસ કર્યો હેયની ! વળી હે દીનનાથ, આપના પ્રાણ લેવાને તત્પર થયેલા સંગમક દેવતા પર કેપ કરવો તો દૂર રહ્યો, પણ આપને તે ઉલટી, ગ્રીમ તુને વિષે સમુદ્રના જળની પેઠે, દયા વૃદ્ધિ પામી. હે મોક્ષદાયી ભગવાન, સમકિત પ્રાપ્ત કરવાને અર્થે નિત્ય જતા આવતા દેવતાઓથી આપના ચરણકમળ, જનવર્ગથી જનક્ષેત્રની પેઠે, નિરંતર સેવાયા કરે છે. હે જિનેશ્વર, વળી જઘન્ય પદને વિષે પણ આપ કટિબદ્ધ દેવતાઓથી પરવારેલા રહે છે; અથવા તે આપના સૌભાગ્યની કંઈ ઉપમાજ નથી. હે જિનેન્દ્ર, બીજા તે દૂર રહ્યાં, પણ આ ચૈત્યવૃક્ષ સુદ્ધાં ગુંજારવ કરતા ભ્રમરેએ કરીને સહિત એવાં પિતાનાં મુખ્યરૂપી નેત્રોવડે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #145 -------------------------------------------------------------------------- ________________ 128 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. ભુવનને વિષે આપની આવી અભૂત લક્ષમીને જોઈને હર્ષ પામી. મન્દ મન્દ વાયુને લીધે હાલતી શાખારૂપી હસ્તથી જાણે નૃત્ય કરી રહ્યું હોયની એમ જણાય છે ! * મગધેશ્વર શ્રેણિકમહારાજે આ પ્રમાણે સકળભુવનને પૂજ્ય. એવા જિનભગવાનની સ્તવના કરી. પછી તેણે સર્વ મુનિઓને પણ હર્ષ સહિત વંદન કર્યું; કારણ કે મુમુક્ષુજનને સર્વ સંયમી પૂજ્ય હેય છે. ત્યારપછી એ, વૈમાનિક દેવતાઓ બેઠા હતા તેમની પાછળ, પિતાના સમગ્ર પરીવાર સહિત બેઠે; કારણ કે અધિથી પણ અધિક હોય છે. વળી અભયકુમાર આદિ કુમારો પણ જિનેશ્વરભગવાનને વંદન કરીને ભૂપતિની પાછળ બેડા; કારણ કે સુપુત્ર હમેશાં પિતાને અનુસરનારા હોય છે. સામંતે, સચિવવર્ગ, શ્રેષ્ટિજન અને સાર્થવાહ પ્રમુખ લકે પણ યથાસ્થાને બેઠા; કારણ કે નીતિ બલવત્તર છે. હવે ત્રણજગતના ગુરૂ એવા શ્રી મહાવીરભગવાને સર્વ કેઈની ભાષાને અનુસરતી અને જન પર્યન્ત પ્રસરતી વાણીવડે ધર્મદેશના આપવા માંડી - - આ ચગતિ સંસાર દુઃખથીજ પૂર્ણ છે. અમાવાસ્યાની રાત્રીના ચંદ્રમામાં જેમ લેશ પણ પ્રભા હોતી નથી તેમ એ સંસારમાં પણ સુખ લેશ માત્ર નથી. જુઓ કે, દારિક શરીરને વિષે વાત-પિત્ત અને કફ હોય છે તેવી રીતે નરકને વિષે પ્રથમ તે ત્રણ પ્રકારની વેદના છે. સાતે નરકને વિષે સહજ એટલે ક્ષેત્રવેદના છે. અને અન્ય કૃત વેદના છઠ્ઠી નરક સુધી છે અને પરમધામિકકૃત વેદના ત્રીજી નરક સુધી છે. પહેલી ત્રણ નરક પૃથ્વીને વિષે ઉષ્ણ નરકાવાસ છે; ચેથીમાં કેટલાએક ઉષ્ણુ અને કેટલાએક શીત છે; અને છેલ્લી ત્રણમાં અતિશીતળ નરકાવાસ છે. જે કઈ મેરૂ પર્વતપ્રમાણ હિમને પિંડ ઉષ્ણ નરકની પૃથ્વીને વિષે ડું કે તે તે પિંડ ત્યાં પડતાની સાથેજ ઓગળી જાય. વળી કેઈ જે એટલાજ પ્રમાણને અગ્નિથી તપાવેલ લોહને પિંડ શીતળ નરકની પૃથ્વીને વિષે ફેકે તો તે એ પડંતાંની સાથે જ અતિ શીતળ થઈ જાય છે. એટલું જ નહિં Jun Gun Aaradhak Trus Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની દેશના નારકીનું સ્વરૂપ. 129 પણું, એ નારકીના જીવને જે કઈ ઉણ નારકાવાસથી કઈ પ્રકારે ઉદ્ધાર કરીને ખદિર વૃક્ષના અંગારાથી પૂર્ણ એવા કંડને વિષે મૂકે છે તે જીવ નિસંશય, જળના કણથી મિશ્ર એવા વાયુને વિષે મનુષ્ય સુખ પામે છે તેમ, પરમ સુખને પામે છે. વળી પણ છે કેઈ, વષાદ જેસબંધ વષત હોય અને વાયુ શીતળ વાતો હોય એવા પણ શીતળ નરકાવાસથકી કઈ ( નારકીના ) જીવને કાઢીને નિરાવરણ પ્રદેશને વિષે લાવીને મૂકે છે તેથી એ જીવને બીલકુલ પવન વગરના પ્રદેશમાં આવવાથી અત્યંત સુખ પ્રાપ્ત થાય છે. આ નારકીના છ ત્રાણને વશ થઈને જ હેયની. એમ પૂર્વ જન્મના વેરભાવથી પરસ્પર અરણ્યના પાડાની પેઠે રાદ્ધ ક્યો કરે છે. વળી વેપાળ યમના અપત્યસ્થાનીય ભવનપતિનિકાયના ફર મનવાળા પરમધામિક દેવતાઓ ત્યાં આવી આવીને તેમને, બંદિગ્રહના રક્ષકે બંખિાને નાખેલા પુરૂષને દુઃખ દે છે તેમ, સેંકડે પ્રકારે કર્થના કરે છે. તેઓ ઉત્પન્ન થાય છે કે તુરતજ તેમને, સની લાકે ધાતુની સળીઓને ખેંચે છે તેમ સાંકડા મુખવાળા ઘટીયંત્રમાં ખેંચી કાઢે છે; વળી કંસે સુલતાના પુત્રને પછાડ્યા હતા તેમ એમને પગ વચ્ચે લાવીને નિર્દયપણે કઠિન શિલા ઉપર પછાડે છે; સુથાર લોકો લાકડાં ચીર તેમ તેઓનાં અંગોપાંગ ચીર છે, અને તેમને ભૂમિપર લટાવી લટાવીને વરની પેઠે મુદુગરના પ્રહારથી કુટે છે; પત્થરની જેમ તેમના ટુકડા કરે છે અને કરવતથી છેદી નાંખે છે; કણિકની પેટે પીસે અને અડદના દાણાની જેમ દળી નાંખે છે; કુંભનું મુખ બંધ કરીને ધાન્યને રાંધે છે તેમ તેમને રાંધી નાખે છે અને ચણાની પેઠે તળે છે, તથા રાજા પોતાના સેવકેથી ગાના ટેળાંને રૂપે છે તેમ તેમને રૂંધે છે. ઉષ્ણતાપમાંથી જે તેઓ છાયામાં આવે છે તે શાલમલિ વૃક્ષની શાળની પેઠે, તેમના, ખડગ જેવી ધારવાળા પત્રથી તલતલ જેવડા કટકા કરવામાં આવે છે. અને તે પણ તેમનાં તેવાં કર્મનિગને લીધે તેમનાં શરીર 1 સેમ, યમ, વરૂણ અને કુબેર એ ચાર દિશાના ચાર પાળ કહેવાય છે. 2 પુત્રો જેવા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #147 -------------------------------------------------------------------------- ________________ 130 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પારાની કણીઓની પેઠે તક્ષણ મળી જાય છે (અક્ષત થઈ જાય છે).. તૃષાતર (ઈને જે તેઓ શીતળ, સ્વાદિષ્ટ જળ શોધે છે તે તેમને વૈતરણી નદીના પૂજ્ય પ્રમુખ પદાર્થો પાવામાં આવે છે. વળી પૂર્વનાં પરસ્ત્રીગમનાદિ પાપોનું સ્મરણ કરાવી કરાવીને તેમને, તેમના અતિ રૂદન છતાં પણ, અગ્નિથી તપાવેલી. લેહની પુતળીઓનું આલિંગન કરાવે છે. “આ જીન્હાએ તમે અસત્ય વાણી બેલતા હતા " એમ કહી કહીને તેમને તેમના બરાડા છતાં અતિ પ્રયાસે, પીગળાવેલું સાચું સુદ્ધાં પાવામાં આવે છે. આથી ચે તેમનાં દુઃખની સીમા આવતી નથી; “તમને પારકું માંસ બહુ પ્રિય હતું ? એમ કહી કહીને તેમને તેમનું જ માંસ કેતરી કેરીને પરાણે ખવરાવવામાં આવે છે. આમ થવાથી જ્યારે તેઓ, “નાથ, નાથ, રક્ષણ કરે " એમ કરૂણસ્વરે રૂદન કરે છે ત્યારે તેમને કહેવામાં આવે છે કે-હે પાપી છે, તમે પણ તમારાથી ભય પામતા એવા નિર્દોષ પ્રાણીઓને ઘાત કરીને તેમનું માસ ખાતા હતા એ તમે ભૂલી ગયા કે ? અથવા તે. આ લોકમાં આપણે જેવું પારકાનું ચિંતવીએ છીએ તેવું જ આપણને થાય છે. સ્વયમેવ દુઃખી એવા નારકીના જીવને આ કદર્થના, અન્ય પામર જીને વરને વિષે હેડકી થાય છે તેવી થાય છે. આવા અસાધારણ દુઃખમાંથી છુટીને તેઓ બીજાએકેન્દ્રિયથી માંડીને ચતુરિન્દ્રિય પર્યત ભવ પામે છે. અને અતિ અજ્ઞાનદશાને લીધે, વાદને વિષે કુવાદી જ જેમ, તેમ, સામર્થ રહિત હેઈને અત્યન્ત શિક્ષા પ્રાપ્તિરૂપ ગૃહ (ઘર) પ્રત્યે પામે છે. ત્યાં પણ તેમને કાયસ્થિતિને અન્ત લાવવાની ઈચ્છાને લીધે જ જાણે ભેદન-છેદ-ઘાત આદિ અનન્ત દુઃખ-પરંપરા ભેગવવી પડે છે. પછી જાણે સ્થાન-અજીર્ણતાને લીધે જ હાયની તેમ તેઓ અનન્ત કાળે એ એકેન્દ્રિયાદિ ભવને ત્યાગ કરીને પંચેન્દ્રિય પશુ નિને વિષે આવે છે. ત્યાં પણ તેમને, શેત્રુંજની બાજીને વિષે સંગઠીઓને જ જેમ, તેમ, બહુધા, પાશતંત્ર-રજજુ-જાળ આદિ બન્ધનાથી બાંધે છે અને શાકિની ઉપર : P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #148 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ભવનાં દુઃખ. 131 જેમ સરસવના, તેમ, તેમની ઉપર આર-અંકુશ-ચાબુક લાકડી પ્રમુખના નિર્દયપણે પ્રહાર કરે છે. વળી દરજી જેમ કાતર વતી વસ્ત્રો કાતરે છે તેમ તેમનાં ગળાં, કંબળ-પૃષ્ટાગ્ર-વૃષણ-શ્રવણ આદિ અંગને વિષે તેઓ કાપ મૂકે છે. એટલું જ નહિ, પણ, તેમના પર, જિનેશ્વર આદિની આશાતના કરનારા છે પર જેમ કર્મને ભાર તેમ, ભૂખ્યા અને તરસ્યા કંઠ અને પીઠ પર મોટા ભાર ભરવામાં આવે છે. વળી જ્યારે તેઓ નવું એવું વન પામે છે ત્યારે નિર્દય લોકે તેમને દમન કરવાની ઈચ્છાથી, જાણી જનની પાસે જ જેમ, તેમ, તેમની પાસે લાંઘણે કરાવે છે. વળી એમના જેવા નિરાશ્રિતોને પ્રલયકાળના અગ્નિની સમાન વાળાવાળા વહ્નિ વડે, શબ્દ કરતા વેણુની પેઠે, ભસ્મ કરી નાખે છે. એ ક્ષુધા અને તૃષાથી પીડાતા તિર્યંચ તો છેજ એવાને વળી લોકે પણ દુઃખ દે છે, કારણકે દેવ દુર્બળને જ ઘાતક છે. પછી અત્યંત વેદના સહન કરી કમ ખપાવીને ત્યાંથી એવી તેઓ ત્રાદ્ધિવાન પુરૂષ ગ્રામથકી નગરને વિષે આવે છે તેમ, નરનિને વિષે આવે છે. ત્યાં પણ ગર્ભવાસને વિષે તેમજ નિકી હાર નિકળતી વખતે ( જન્મ સમયે) તેમને જે દુઃખ થાય છે તે મનુષ્યનાં અન્ય સર્વ દુઃખથી પણ અધિક છે. વહિનથી તપાવેલી સેને શરીરના રેમને વિષે સંભિન્ન કરાવવાથી જે દુઃખ થાય છે તે કરતાં આઠગણું દુઃખ તેમને ગર્ભવાસને વિષે થાય છે; અને નિથકી પ્રસવતી વખતે તેમને જે દુઃખ થાય છે તે તે ગર્ભવાસના દુઃખ કરતાં અનન્તગણું થાય છે. - હવે મનુષ્યભવને વિષે પણ, બાલ્યાવસ્થાને વિષે દાંત ખૂટે છે ત્યારે અત્યંત દુઃખ વેઠવું પડે છે; અને કે મારાવસ્થાને વિષે ક્રીડા પ્રમુખથી દેહલેશ અનુભવવા પડે છે. વળી તરૂણાવસ્થાને વિષે તેઓ પ્રમદાના સુંદર લોચનરૂપી લક્ષમીને વિલકવાને, ભ્રમરનાં ટોળાં કુસુમોને વિષે ભમે છે તેમ, સ્થાને સ્થાને ભમ્યા કરે છે. તેમની અગ્ય વિષયની ઈચ્છા અફળ થાય છે એટલે તો તેઓં, લાક્ષારસ ઝરનારા વૃક્ષેની જેમ દિવસે દિવસે શરીરે ક્ષીણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #149 -------------------------------------------------------------------------- ________________ 12 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર, થતા જાય છે; વળી કેટલાક એગ્ય સ્થાનને પામેલા છતાં અવિચારી હેઈને ફળ પ્રાપ્ત કર્યા વિના જ પતંગીઆની પેટ વિનાશ પામે છે. કહ્યું છે કે, વાણિજ્ય-નૃપતિની સેવા-કૃષિ-અસ્થાનુિં પિષણ-સમુદ્ર પર્યટણ-રેહણાચળની ભૂમિનું ખેદવું-નિરન્તર ધાતુઓને ફેંકવી–રસ્કૃપિકાને પ્રયોગ-મંત્રતંત્ર-નિમિત્તાદેશ-સમૃદ્ધિ વાન જનેને સહવાસ-શસ્ત્રશાસ્ત્રને વિષે કુશળતા-વિચિત્ર એવું ચિત્રજ્ઞાન તથા વ્યાધિની ચિકિત્સા પ્રમુખ વ્યાપાર પુણ્યહીન વ્યાપારીને ફળદાયી થતાં નથી, કારણકે કંકેલિ વૃક્ષને કદાપિ પણ પુષ્પ આવે નહીં. વળી કેટલાક અત્યંત સુધાના દુઃખથી પીડાતા ઘરના ચારે ખુણામાં ક્રોધી સ્ત્રીના કોધથી નિર્વેદ પામતા છતા મુખ લઈને દૂર દેશાન્તરે જતા રહે છે અને ત્યાં મૃત્યુ પામે છે અથવા તે દુઃખી જનને કંઈ દુકર નથી. હવે વૃદ્ધાવસ્થાને વિષે તે પ્રાણીને પ્રાયઃ અત્યંત દુઃખ હેાય છે; કારણકે કુષ્ટિના શરીરને વિષે તે મક્ષિકા વિશેષ કરીને જાળ બાંધે છે. બુદ્ધિની સાથે શરીર પણ સકેચ પામે છે, અને ગતિની સંગાથે ચક્ષુએ પણ નિરન્તર ગળતાં જાય છે. દાંત પણ " આ કશેએ આપણે શ્વેતગુણ લઈ લીધે " એમ કહીને જાણે રીસાઈ જતા હોયની એમ લજજાને આગળ કરીને જતા રહે છે. વૃદ્ધ માણસ “પવનને વિષે લેશમાત્ર મદ કર નહિં ?" એમ જણે બેધ આપતે હેયની એમ જાણે ઉપર પડ્યો પડ્યો મેં ખેં કર્યા કરે છે. વળી જે એ હિતબુદ્ધિથી પુત્રને શિખામણ આપવા જાય છે તે તેઓ કહે છે કે વૃદ્ધ થયા પણ હજુ મિન ધારણ કરતા નથી; તમે શ્વાનની પેઠે ભસી ભસીને નિત્ય અમારા કાન કરડી ખાધા, હવે તે અમે તમારા જેવા પિતાથી લેકેને વિષે લાજી મરીએ છીએ. પુત્રવધુઓ પણ સર્વે, જે શ્વસૂરની કૃપાથી ઉત્તમ સુવર્ણના આભૂષણે પામી હેય છે એ શ્વસૂરની એવી અવરથા જોઈ જોઈને, લાજ કાઢવી. તે કેરે મૂકીને, ઉલટી તિરસ્કાર સહિત નાક મરડીને મુખ થકી થુંકે છે. સ્ત્રી પણ એને વાતે તુચ્છ જેવું ભેજન બનાવીને P.P. Ac. Gunratnasuri M.S. Page #150 -------------------------------------------------------------------------- ________________ : ઘેર ઘેર માટીના ચલા. " 133 એક જ વાર કાષ્ટપાત્રને વિષે લાવીને એને રંકની પેઠે આપે છે. સૂતાઅતીસાર-કંડક્ષય-કુષ્ટ-જવર આદિ વ્યાધિઓ, જીવડાંએ કાષ્ટને કરે છે તેમ તેના શરીરને નિઃસાર કરી નાખે છે.. (શ્રી વીરસ્વામી શ્રેણિક રાજા પ્રમુખ સમક્ષ દેશના આપે છે તેમાં ઉપર પ્રમાણે કહીને હવે કહે છે કે, એ પ્રમાણે અમે મનુષ્યભવનાં દુઃખ લેશમાત્ર બતાવ્યાં છે; અથવા તે તલ થકી શ્યામ મરી કેટલાંક ભિન્ન કરી શકાય ? વળી કાચને વિષે જેમ લેશમાત્ર મણિને ગુણ નથી તેમ અહીં આપણે ધારીએ છીએ તેવું, સ્વર્ગને વિષે પણ ખરેખરૂં સુખ નથી. કારણકે ત્યાં એ અલ્પ વિભૂતિવાળા દેવે અન્ય દેવેની સમૃદ્ધિ જોઈને શાચ કરે છે અને એમની લક્ષ્મીને નાશ કરવાને વાસ્તે દુજનની પેઠે યત્ન કરે છે. વળી વૈદેહી સીતાને રાવણ હરી ગયા હતા તેમ એઓ પણ પારકાની સ્ત્રીને વિષે મહાન્ય બનીને તેનું હરણ કરી જાય છે. વળી શક્તિવાળા હોય છે એઓ એવા હરણ કરનારા દેને પ્રહારથી જર્જરિત કરે છે અને એમ એમનું સુરપાણું જાણે છોડાવીને એમને અંત્ય દશા પ્રતિ પહોચાડે છે. અહિં જેમ એક રાજા એક કુટુમ્બીને તેનું કંઈક દૂષણ કાઢીને તેનું સર્વસ્વ લઈ લે છે તેમ ત્યાં પણ બળવાન દેવતાઓ કરે છે. તે વખતે ત્યાં પણ એ હરણ કરનારા શક્તિવાળાની પાસે કનિષ્ટ પદવીના દેવેને તેના ચરણમાં પડી દીનમુખ કરી કરૂણ સ્વરે કહેવું પડે છે કે-હે સ્વામિન, આ દાસ પર કૃપા કરે; અમે આવો અપરાધ પુનઃ નહિં કરીએ; માટે ક્ષમા કરે; કારણકે મહંત પુરૂષોને કપ સામાવાળાના નમન ( નમી જવા ) સુધી જ હોય છે. વળી એઓ પણ માળાની સ્લાનિ-નિદ્રા–અંગભંગ-ઉદાસીનતા-કલ્પ વૃક્ષને કંપ–કોપ અને કામની અધિકતા-અને-લજ્જા તથા લક્ષ્મીને નાશ એ આદિ અવનના ચિહે જુએ છે ત્યારે રણક્ષેત્રને વિષે કાયર પુરૂષનાં હદયની જેમ એમનાં હૃદય પણ તદ્દન ભિન્ન થઈ જાય છે. તેઓ પૃથ્વી, જળ કે વૃક્ષ-એમાંની કઈ યોનિને વિષે પિતાની ઉત્પત્તિ થશે એમ જાણીને પિકાર કરી મૂકે છે. “હા ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #151 -------------------------------------------------------------------------- ________________ 134 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. આવાં સ્વર્ગનાં સુખ ત્યજી દઈને હવે તપાવેલી કુંભીને વિષે નારકીના જીવોની પિઠે અશુચિની ખાણ એવી માનવીની કસિને વિષે વાસ કરે પડશે. આજ પર્યત રત્નના સ્તંભે અને મણિની ભૂમિવાળા વિમાનને વિષે રહીને હવે સપના બીલથી પૂર્ણ એવી તૃણની કુટીરને વિષે કેવી રીતે રહેવાશે ? દેવાંગનાઓનાં હાહાહૂ એવા આલાપ યુક્ત ઉત્તમ ગીતનું શ્રવણ કરીને હવે રાસને આરવ કેમ સાંભળી શકાશે ? હા ! આજ પર્યન્ત મુનિનાં પણ મનને હરણ કરનારી એવી રૂપવતી સુરસુંદરીઓને જોયા પછી હવે કેફિલના સમાન શ્યામવર્ણી માતંગી જેવી નીચવર્ગની સ્ત્રીઓને કેમ કરીને જેવાશે ? આજ સુધી મંદારવૃક્ષના પુષ્પના જેવાં દિવ્ય સુગંધી પદાર્થોડે ઘણેન્દ્રિયને તૃપ્ત કયો પછી, હવે, મધવાળો મઘની ગંધ લે તેમ અશુચિની ગંધ કેમ કરીને લેવાશે ? ચિંતવ્યા માત્રથી જ આવીને ઉભા રહેતા એવા દિવ્ય રસયુક્ત ભોજન ગ્રહણ કર્યા પછી હવે શૂકરની પેઠે દુર્ગધવાળા આહારની સામું જ કેમ જેવાશે? હા ! આજ લગી કામદેવના મંદિરરૂપી કમળાંગી સુરાંગનાઓને જ આલિંગન દીધું છે, તે હવે કઠેર શારીરવાળી સ્ત્રીઓનાં અંગેને સ્પર્શ પણ કેવી રીતે થઈ શકશે? આ પ્રમાણે હાહાકાર કરતા એ દેવતાઓના હદય શતધા (સે કટકામાં) ભેદઈ જતાં નથી એજ વિચિત્ર છે. (તેમનાં એવાં કરૂણ રૂદન પ્રમાણે તે એમ થવું જ જોઈએ. ) આ પ્રમાણે દેવગતિને વિ ષે પણ સુખ નથી જ. કારણકે ચલા સર્વત્ર માટીનાજ હોય છે. માટે એ દુઃખને ક્ષય કરવાને, સંસારરૂપી સમુદ્રને પાર પમાડવાને સમર્થ એવો નકા સમાન ધર્મ આશ્રય કરવા ચેચ છે. એ ધમ, લેક અને અલેક એવા ( બે ) ભેદથી આકાશ જેમ તેમ, મુનિ ધર્મ અને શ્રાદ્ધધર્મ એવા ભેદે બે પ્રકાર છે. એમાં મુનિ ધર્મ ક્ષમા-માનત્યાગ-આજ-લેભન નિગ્રહ-તપસંયમ- સત્યતા-શાચ-દ્રવ્યવિવર્જન-અને અધ્યક્ષને ત્યાગ (બ્રહ્મચર્યનું P.P. Ac. Gunratnasuri M.S: Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધ ધર્મ-એના અતિચાર. 135 પાલન ) એમ દશ પ્રકારે છે અને બીજે જે શ્રાદ્ધધર્મ તે, પાંચ અણુવ્રત કરીને, ત્રણ ગુણવ્રત કરીને અને ચાર શિમાવતે કરીને, બાર પ્રકારે છે. એમાં પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચે દેશથી ત્યાગ કરે એ પાંચ અણુવ્રત. આ પાંચ અણુવ્રતમાંના પહેલા અણુવ્રતમાં, વધ–બંધન–છવિ છેદ-અતિભારારોપણ–તથા ભક્તપાનને વ્યવછેદ એ અતિચારે છે. વળી કન્યા-ગાય-ભૂમિ સંબંધી અસત્ય બોલવું, પારકી થાપણ ઓળવવી અને કુટસાક્ષી પૂરવી એ પાંચ વિશેષતઃ અસત્ય અને કેઈની ગુપ્ત વાત સહસા ઉઘાડી પાડવી, મૃષા ઉપદેશ દેવ અને કુટલેખ ઉત્પન્ન કરવો એ સર્વ બીજા અણુવ્રતના અતિચારે છે. વળી ખરી વસ્તુને બદલે બીજી એના જેવી બનાવટી વસ્તુ આપવી, ચેરીને માલ લેવે, ચેરી કરાવવી, વૈરિના રાજ્યમાં જવું અને અસત્ય માન કે તુલા રાખવાં એ સર્વ ત્રીજા વ્રતના અતિચારે છે. હવે ચોથું આણુવ્રત જે અબ્રહ્મવિરતિપાછું તેને વિષે શ્રાવક બે પ્રકારને હાય (1) પિતાની જ સ્ત્રીને વિષે સંતોષ માનનારે અથવા (2) બીજાની સ્ત્રીના ત્યાગવાળો; એણે વિધવા-વેશ્યા-અનંગકીડા-કામને તીવ્રરાગ તથા પરવિવાહન એ સર્વને ત્યાગ કરે. (એ ચાર આણુવ્રત સમજાવ્યા પછી હવે પાંચમું કહેવાને માટે પરિગ્રહને અર્થ કહે છે ) ધન-ધાન્ય-ક્ષેત્ર-વસ્તુ-રૂપું-કાંચન-દ્વિષાદ-ચતુષ્પાદ અને કુખ્ય (સેના રૂપા શિવાયની બીજી તમામ હલકી ધાતુઓ ) એ નવ પ્રકારને પરિગ્રહ છે. એમાં અનુક્રમે બલ્બનું બંધન જન-દાન અને ગભૉધાન તથા કુષ્યની ભાવથકી વૃદ્ધિ એ પાંચમા અણુવ્રતને વિષે અતિચારે છે. ચતમસ આદિ પર્યત ઉર્વ–અધે અને તિય દિમાન કરવું એ આદ્ય ગુણવ્રત; એ, તપાવેલા લેહના ગેળા સમાન જે ગૃહસ્થ–એને બહુ ઉત્તમ છે. ઉ4–અધે અને તિય માનનું અતિક્રમણ કરવું, વિસ્મૃતિ અને ક્ષેત્રની વૃદ્ધિ કરવી એ પાંચ દિગવ્રતના અતિચાર છે. હવે અન્ન-કુસુમાદિની પેઠે જે એકજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #153 -------------------------------------------------------------------------- ________________ 136 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. વાર ભગવાય તે ભેગ; અને ગૃહાદિકની પિકે જેને અનેકવાર ઉપભોગ લેવાય તે ઉપભેગ. એ ભેગની અને ઉપભોગની. ભક્તિથી કે કર્મથી પરિમિતિ (પરિમાણ) કરવી એ “ભેગોપભેગ પરિમાણકૃતિ” નામનું ગુણવ્રત છે. અજાણ્યા ફળ કુલ–અનંતકાયમાંસ-મદ્ય-મધ-માખણ-અને રાત્રિભોજન એ સર્વ વજેવાં. . ઉંબર-વડ–અશ્વત્થ તથા પ્લેક્ષ એ વૃક્ષનાં ફળ તથા કૃમિ વ્યાપ્ત ફળ પણ સર્વથા વજવાં. સચિત્તને, સચિત્તથી સંયુક્ત હોય એને, તથા કુછ ઔષધીઓનો પણ ત્યાગ કરવો અને અપકવ અથવા દુપકવ એવાં ભેજ્ય પદાર્થોને પણ ત્યાગ કરે. (એ સર્વ ભેગ આશ્રયી અતિચાર જાણવા. હવે ‘કર્મથી " કયા તે કહે છે ) ભોગપભોગ પરિમાણના કર્મથી પંદર અતિચાર છે તે અંગારકમ વગેરે છે. ઈંટ પકાવવી તથા કુંભાર-કાંસાકાર-લુહાર-સેની એ સર્વને વ્યાપાર, ભુજનારાને ધંધે, ત્રપુકાર અને તામ્રકારને વ્યાપાર તથા એ સર્વને અર્થે અંગારા બનાવવાને વ્યાપાર એ સર્વ કર્મ “અંગારકમ જાણવાં. પુપપત્ર-કૃત્તાકૃત્ત વન તથા ફળ વેચીને અને કણ પીસીને વન રેપીને આજીવન ચલાવવું એ “વનકર્મ.’ શકટ ( ગાડાં ) તથા એના નાભિ, ચક આદિ અંગે બનાવી તે વેચી અને હાંકીને વૃત્તિ ચલાવવી એ “શકટકમ.” ભેંસ–ગાડું-ઉંટબળદ-ખચ્ચર આદિવડે પારકા માલને અન્યત્ર ભાડાથી લઈ જ એ “ભાટકકિયા. હળ–કેદાળી પ્રમુખ હથીઆરેથી પૃથિવી ખોદવી, અને કઠિન લેહના ટાંકણીવડે પાષાણ ઘડવા એ સર્વ “ફેટનકર્મ.. ખાણને વિષે જઈ ત્રસ પ્રાણીઓના દંત-કેશ–નખ આદિ લાવવા અને મેતી–પારા-શંખ-છીપ આદિ ગ્રહણ કરવાં એ દંતવિક્રય.” કસુંભ (કસુંબે) ધાતકી–લાક્ષા-ગળી અને મનઃ શિલ વગેરે સંસક્ત (ચીકાશવાળા ) પદાર્થોને વ્યાપાર એ લાક્ષાવાણિજ્ય.” વળી મધુ-મદ્ય–વસા-માંસ-અને નવનીત એ સર્વને વ્યાપાર “રસવાણિજ્ય” કહેવાય છે; વ્રત અને તેલ આદિ દેષયુક્ત નથી. નર-વૃષભ-હસ્તી–અશ્વ-ઊંટ પ્રમુખને તથા પક્ષી અને જંતુઓને વિકય તે “કેશવાણિજય” કહેવાય છે. વળી 2. જગમ અને સ્થાવર વિષનો વિય, un અનેdhvમના શિલ-અઝ Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધધર્મ-એના અતિચાર. 137 હરિતાળ આદિને વિજ્ય એ સર્વને " વિષવાણિજ્ય " માં સમાવેશ થાય છે. યવક્ષ-ગેમ-તલ પ્રમુખને યંત્રને વિષે પીલવાંપીલાવવાં એ “યંત્રપીડન” કહેવાય છે. તથા શેભાને અર્થે નાસિકા વિંધવી–મુશ્કને કાપવું–ગલકંબલ તથા કર્ણને વિષે છેદ પાડવા એ સર્વ “નિલાંછન ક્રિયા " કહેવાય છે. નવા તૃણની વૃદ્ધિને અર્થે, ધર્મબુદ્ધિએ અથવા વ્યસનથી તૃણને અગ્નિદાન દેવું ( સળગાવી મુકવું) એ “દાવાગ્નિ દાને " કહેવાય છે. અરઘટ્ટ ( રેટ ) આદિ યંત્રેથી સરેવર નદી આદિનું જળ કાઢીને યવ-શાળ આદિને સિંચવા એ " સર શોષ” ( સરેવરનું શોષણ કરવું) કહેવાય છે. ક્રિીડાથે શ્વાન આદિ પાળવાં તથા દ્રવ્યોથે અશ્વ-સાંઢણું–દાસિકા પ્રમુખનું પિષણ કરવું એ સર્વને “અસતીપોષણકર્મ ? ને વિષે - સમાવેશ થાય છે. આ સર્વ કાર્યોથી, વિવેકહીને નર કમ એકઠાં કરે છે તેથી એ " કમોદન " ને નામે ઓળખાય છે. વળી ચાર પ્રકારને " અનર્થદંડ " કહેવાય છે. એ ચાર પ્રકાર અપધ્યાન, કૃપાણદિનું દાન, પાપને ઉપદેશ અને પ્રમાદાચરણ એ પ્રમાણે છે. એ અનર્થ દંડની વિરતિને વિષે ( –ના વિરમણને વિષે) કંદર્પ, સંયુક્તાધિકરણતા, મુખરતા, કુંચિતપણું તથા ભેગનું અતિરિક્તપણું એ અતિચાર છે.' વળી સર્વ સાવદ્ય ગ ત્યજીને તથા રેન્દ્ર અને આધ્યાન દર કરીને અંતર્મુહૂતોદિ કાળ પર્યત સામ્ય ભાવ રાખવે એ “સામાયિક વ્રત' કહેવાય છે. મન વચન અથવા કાયાને સાવદ્ય વ્યાપાર-ઉપગ રહિતપણું અને છેલ્લો અનવસ્થાન એ એના “અતિચાર” છે. દિગ્વિતિ વ્રતને જ દિવસે દિવસે સંક્ષેપ કરતા જો એને “દેશાવકાશિક” કહે છે. પ્રેષણ, આનયન, શબ્દાનુપાત, રૂપાનુપાત, અને પુદુગળોપએ એ વ્રતના પાંચ જાતિના અતિચાર છે. અષ્ટમી આદિ તિથિને વિષે અબ્રહ્મને ત્યાગ, ભોજનને ત્યાગ, વ્યાપારને ત્યાગ અને દેહને અસત્કાર–એમ ચાર પ્રકારે પિષધવ્રત કહ્યું છે. એને વિષે, અવલોક્યા વિના કે પ્રમજ્યા વિના આદાન, ઉત્સર્ગ કે સંસ્તાર કરે { Úડેલ પરડવવું કે સંથારે કર ), સ્મૃતિ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #155 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. અને ઉપસ્થાપનાને અભાવ, તથા અનાદર એ અતિચાર કહ્યા છે. સાધુઓને શુદ્ધ અન-પાન-વસ્ત્ર–પાત્ર-વસતિ આદિનું ગૌરવ સહિત દાન દેવું એ અતિથિ-સંવિભાગ વ્રત કહેવાય છે. એને વિષે સચિત્ત ક્ષેપ-પિહિત ક્ષેપ-પારકાને ચપદેશ-માત્સર્ય, અને કાલાતિક્રમદાન એ અતિચાર છે. જેમ કર્મથી વિમુકત એવા જ આત્માના પ્રદેશ શુદ્ધ કહેવાય છે તેમ એ ગણાવ્યા એ પાંચ પાંચ અતિચારોથી રહિત હોય તે જ એ વ્રત વિશુદ્ધ કહેવાય છે. ( શ્રી વિરપ્રભુ કહે છે ) આ જે અમે બેઉ પ્રકારને ધર્મ કહ્યો તેનું મૂળ સમક્તિ જ છે. જેમકે સમસ્ત પ્રાસાદનું મૂળ પણ પ્રથમ પાયે પૂર એ જ છે. એ સમકિત, ચેતન જેમ ચેતનાદિથી ગમ્ય છે તેમ, આત્માના પરિણામ તથા સ્વાર્થને વિષે રૂચિથી લક્ષિત હે શમતા આદિથી ગમ્ય છે. એ શમતાદિ સાધુના મહાવ્રતની પિઠે (પ્ર) શમ-સંવેગ-નિર્વેદ-કરૂણા તથા આસ્તિક્ય એમ પાંચ છે. આ સમ્યકત્વ વળી જેમ મોક્ષમાર્ગ સાનાદિએ કરીને ત્રણ પ્રકારે છે તેમ, દર્શનમોહનીયના પ્રશમ, ક્ષય અને પ્રશમક્ષય વડે ત્રણ પ્રકારે છે. એ કાજળ આદિથી વેતવસ્ત્ર મલિન થાય છે તેમ, શંકા-કાંક્ષા-વિચિકિત્સા અને મિથાષ્ટિની સંસ્તવનાથી દેષિત થાય છે, તથા કલ્પવૃક્ષેથી નંદનવન શેભે છે તેમ શાસનને વિષે સ્થિરતા-ઉત્સર્ષણાભક્તિ અને કુશળતા તથા તીર્થસેવાથી, દીપી નીકળે છે. એ (સમક્તિ) વિના સકળ અનુષ્ઠાન તુષ (તરા) ના ખંડનની જેમ, હસ્તીના સ્નાનની જેમ, અરણ્યના ગીતની જેમ, કાસવૃક્ષના પુષ્પની જેમ, પણુની આગળ પ્રાર્થનાની જેમ, ચક્ષુરહિત જનની આગળ નૃત્યની જેમ, અને બધિરપુરૂષની આગળ ગાયનની જેમ વૃથા છે; અને એનાથી ( એ જ હોય છે તે ) ક્રિયા સવે, ચંદ્રમાથી જેમ રાત્રી, નરેશ્વરથી જેમ રાજ્યલક્ષ્મી તથા સ્વામીથી જેમ પતી શોભે છે તેમ અત્યંત શોભી ઉઠે છે. માટે એ સમતિ ધારણ - 1 નાન, દર્શન, ચારિત્ર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #156 -------------------------------------------------------------------------- ________________ સમવસરણને વિષે બલિ-એને પ્રભાવ. 15 કરનારાઓએ તત્કાળ મોક્ષગતિ પમાડનારે યતિધર્મ આદર ગ્ય છે. પણ જેમાં એવી શક્તિ ન હોય તેમણે પરંપરાએ અકિત આપનારે એ ગૃહસ્થ ધર્મ અંગીકાર કરે; કારણકે પગથીએ પગથીએ ચઢતા અનુક્રમે મહેલે પહોચાય છે. આમાં પણ જેઓ અશક્ત હોય તેમણે સમ્યકત્વ તે ધારવું જ કારણકે તે ચિરકાળે પણ સિદ્ધિ પમાડે છે; કેમકે નિધાન પણ ભવિષ્યને વિષે ઉપકાર નથી કરતે શું ? શ્રી વીરસ્વામી આ પ્રમાણે દેશના દેતા હતા એવે સમયે, દુર્બળ સ્ત્રીઓએ ખાંડેલી અને બલિષ્ટ સ્ત્રીઓએ ઝાટકીને મુકેલી અણિશુદ્ધ ઉત્તમ કલમશાળને, રાજાના ગૃહને વિષે જ સિદ્ધ. થયેલે આટાપ્રમાણુ બળિ પૂર્વ દિશાના દ્વારેથી અંદર આવ્યે. તક્ષણ પ્રભુએ દેશના બંધ કરી. ત્યાં જ દેવતાઓએ ઉત્કટ સુવાસમય ગંધ પાળો ફેંકયા; જાણે કે એ બલિના વેષમાં રહેલા પુણ્યને વશ કરવાને ગ્ય ચુર્ણજ ફેંકતા હેયની ! (પછી) સ્થીતિ આવીજ છે એમ બતાવતા હોયની એમ એ બળિને ઉરાડવામાં આવ્યા; તેથી દિવસે પણ જાણે આકાશ ક્ષણવાર તારાતારામય થઈ રહ્યું. પછી પાછા તક્ષણ નીચે પડતાં પહેલાં એ બળિમાંથી અને તે તરીઆ લેકે અગાધ જળને વિષે પડતા મણિ આદિને લઈ લે તેમ વેગથી દેવતાઓ લઈ ગયા. તેના અર્ધ રાજાએ લઈ લીધા અને બાકીના બીજા સામાન્ય જનેએ લીધા; અથવા તે ધર્મમાં તેમજ કર્મમાં ક્રમવારજ લાભ મળે છે. એ બળિને એક પણ સિકથ જેના મસ્તક પર પડે તેના છ છ માસના રે હેય તે પણ નાશ પામે છે. ઉપરની શ્રીઅંતિમતીર્થકરની અત્યુત્તમ દેશનાથી કૃર પ્રાણીઓ પણ પ્રવિધ પામ્યા. કારણકે અતિ નિદ્રાળુ જન પણ ભાનુને ઉદય થયે નથી જાગતે શું ? પછી શ્રેણિકનરપતિએ ત્રિજગદ્ગુરૂ શ્રી વીરપરમાત્માની સમક્ષ મિથ્યાત્વરૂપી - વિષને ત્યાગ કરીને જૈનદર્શનરૂપી અમૃતને સ્વીકાર કર્યો. હૃદયને વિષે અત્યંત ભાવ ઉત્પન્ન થવાથી અભયકુમારે પણ પ્રવ્રુને ત્રણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #157 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર, પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરીને વિજ્ઞાપના કરી કે-હે જિનેશ્વર અદ્યાપિં હું ચારિત્ર લેવાને સમર્થ નથી; કારણકે વૃષભથી વહન થઈ શકે એટલે ભાર ધારણ કરવાની લ્હાના વાછરડામાં શક્તિ હેતી નથી. માટે હે સ્વામી, મારા પર કૃપા કરીને મને શ્રાદ્ધ ધર્મ અંગીકાર કરાવે; કારણકે કલ્પદ્રુમ દુર્લભ હોય તેથી શું આમ્રવૃક્ષ પણ અપ્રાપ્ય કહેવાય ? એ પરથી દેવાધિદેવ શ્રી વીર પ્રભુએ તેને મેગ્ય એવો ધર્મ તેને અંગીકાર કરાવ્યા; કારણકે જિનેશ્વર મહારાજા નિત્ય લેકેને અનુરૂપ ધર્મજ ગ્રહણ કરાવે છે. * હવે અભયકુમારે શ્રાદ્ધધર્મ અંગીકાર ક્યાં પછી “મેઘકુમાર પણ ઉભું થઈને પ્રભુને નમી અંજલિ જેડી ભક્તિકે મળવાણી વડે કહેવા લાગ્યા...હે સ્વામી, જન્મ-જરા-અને મૃત્યુ-રૂપી મસ્યોથી સંપૂર્ણ એવા આ ભવસાગરથી નિર્વેદ પામેલા એવા મને દિક્ષારૂપી નિકા આપ. હું હમણાં મારા માતાપિતાની આજ્ઞા માગી લઈને આપના ચરણકમળ સમીપ પ્રત્રજ્યા ગ્રહણ કરીને પુપની જેમ મારા જન્મને સફળ કરીશ. શ્રી જિનેશ્વર ભગવંતે તે પરથી કહ્યું–હે દેવાનુપ્રિય, તારી એ ઈચ્છા નિવિદને પરિપૂર્ણ થાઓ; તારે હવે કયાંય પણ પ્રતિબંધન કરવું નહિં. જે તીર્થકર મહારાજા શત્ય, તાપ, ક્ષુધા કે તૃષાના ભયની અવગણના કરીને સતત ધર્મદેશના આપ્યા કરે અને સર્વ આયુષ્ય પણ ત્યાં જ ખપાવે તે પણ વખતે શ્રોતામાંથી કઈ પણ નિર્વેદ ન પામે ( સંસાર ત્યજે નહિ. ) પણ ભગવાને તે શરીરને શ્રમ દર કરવાને દેવછન્દને આશ્રય લીધે. કારણકે એમની પણ કાયાને શ્રમ થાય છે. - હવે પછી કૃતકેવલી તમસ્વામીએ પ્રભુના પાદપીઠ પર બેસીને દ્વિતીય પિરૂષીને વિષે દેશના આપી. લેકેને એમના અસંખ્યભની યથાપ્રકારે પ્રતિપત્તિ કરાવીને એમણે એમના વિવિધ પ્રકારના સંશયે ટાળ્યા છે, પણ એ કેવળી નથી એમ : 1 મી પવિત્ર જ એમ સૂત્રપાઠ છે. પ્રભુને કહેવાની મતલબ એ છે કે હવે તું ક્યાંય પણ રાગ કરીશ નહિ.” P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #158 -------------------------------------------------------------------------- ________________ 141 મેઘકુમારને વિરક્તભાવ. છઘને જાણ પડી નથી. કારણકે જેના પર જિનેશ્વરને હાથ હોય તેના વિષે શું શું ન સંભવે? દેશનાને અંતે રાજા પ્રમુખ સે પોતપોતાને સ્થાને ગયા; કારણકે તીર્થંકર મહારાજની આઠ પહોર પર્યન્ત સેવા તે કઈ (વિરલ-ભાગ્યશાળી) ને જ પ્રાપ્ત થાય છે. - હવે મેઘકુમારે પણ માતા પાસે જઈ ચરણે નમીને વિનય સહિત વિજ્ઞાપના કરી કે હે માતા, હું સુરેન્દ્રોની પરંપરાએ સેવેલા શ્રીજિનપતિના ચરણકમળને નમસ્કાર કરીને તથા તેમના મુખથકી ધર્મદેશના શ્રવણ કરીને આવું છું. તેથી આ વખતે મારું અંતઃકરણ ગગનને વિષે ઉચે આરૂઢ થયેલા ચંદ્રબિંબની પિઠે અત્યંત વિરક્ત થયું છે. માટે તમારી સાહાસ્યથી મને એવી રીતે મુક્ત કરે કે હું વ્રત ગ્રામ્હણ કરૂં કારણકે ઉત્તરસાધક વિના સિદ્ધિ થતી નથી. આવું કટુવાક્ય જેના શ્રવણપથને વિષે પડતું નથી તેને ધન્ય છે એમ જ જાણે કહેતી હાયની એમ મૂછોને મિષે ધારિણી ધરણી પર ઢળી ગઈ. (ધારિણીને મૂછ આવી). પછી જળથી લતાને જ જેમ, તેમ ચંદનને રસ સિંચવાથી તથા શીતળ પંખાના વાયરાથી તેને સચેતન કરી એટલે તે ગદ્ગદ્ વાણીથી બેલી–નાના પ્રકારની માનતા માની ત્યારે મને તારા જે લેકદુર્લભ પુત્ર પ્રાપ્ત થયેલ છે. બધુવત્સલ પુત્ર, સમક્તિ વિના ચારિત્રની જેમ તારા વિના મારૂં જીવિત ક્ષણમાત્રમાં જતું રહેશે. માટે હે માતૃભક્ત, હું જીવું ત્યાં સુધી ગૃહને વિષે રહીને તારી અમૃતકલ્પ દષ્ટિથી મારાં અંગને શીતળતા પમાડ. તારી એવી જ ઈચ્છા હોય તો હું ઈદુલેખાની પિઠે પરલોક પામું ત્યારે બન્ધન રહિત થયેલા ગીની જેમ, તારૂં મનવાંછિત પૂર્ણ કરજે. હે પુત્ર, એમ કરવાથી, તું વિજ્ઞ અને કૃતજ્ઞ કહેવાઈશ; કારણકે આ સંબંધમાં વિશ્વસ્વામી શ્રી વીરપ્રભુનું જ પ્રત્યક્ષ દૃષ્ટાન્ત જે. એ સાંભળી મેઘકુમારે કહ્યું- હે માતા, તમારું કહેવું સત્ય છે; પણ તમે જે હું જીવું ત્યાં સુધી " એવું કહ્યું તે એકાન્તનિત્ય અધ્યાત્મ - 1 (1) રાગ વિનાનું–નીરાગી; (2) (ચંદ્રપક્ષે) વિશેષ રાગવાન. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #159 -------------------------------------------------------------------------- ________________ 142 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. વચનની પેઠે ઘટતું નથી. કારણકે સંસ્થાના મેઘના રંગ અને જળના કલેલના બુદ્દબુદુના જેવા ચપળ જીવિતને વિષે કેન મૃત્યુ પ્રથમ થશે અને કેનું પછીથી થશે એ જણાતું નથી. વૃદ્ધ હોય તે જીવે છે અને ન્હાના બાળક જતા રહે છે, નીરોગીનું મૃત્યુ થાય છે અને રેગીજને બેબી રહે છે. માટે છે. માતા, ચિત્તને ભારે કરીને તથા આ પુત્રપ્રતિ કરૂણા લાવીને આજ્ઞા આપે; કારણકે બેધિ (સમ્યકત્વ) અતિ દુર્લભ છે. એ સાંભળી ધારિણીએ કહ્યું- હે પ્રિયવત્સ, તારે પ્રકૃષ્ટ રૂપસૌભાગ્ય અને લાવણ્યરસની કુપિકારૂપ, વર્ણ–વય અને ગુણમાં તારા જેવી શેભી રહેલી, તારે વિષે નિત્ય અત્યંત ભક્તિવાળી, શ્રેષ્ઠકુળને વિષે ઉન થયેલી અને ભોગકળાશલ્યને વિષે અતિ ચતુર એવી આઠ આઠ તે સ્ત્રીઓ છે તો તેમની સાથે હમણું તે દેવતાઓને દુર્લભ એવા ભેગ ભેગવ; પછી તીર્થકરમહારાજની પાસે દીક્ષા ગ્રહણ કરજે. માતાનાં આવાં આકર્ષક વચને સાંભળીને પણ મેઘકુમાર અચલિત રહીને બે– અ, તમે મને જે મત્સ્યકના માનવીના ભેગને અર્થે નિમંત્રણ કરે છે તે ભેગે પણ શરદઇતના મેઘ અને વિદ્યના ચમકારાની જેવાં અસ્થિર છે. રાજ્ય ચરણની રજ સમાન તુચ્છ છે; ભેગોપભોગ મહટા નાગ સમાન ભીષણ છે, મનકામના અનિષ્ટ છે અને વિષયે. પર્યન્ત વિષસમાન છે. શુક-શોણિત-મળ-મૂત્ર-લેબ અને પિત્તાદિથી સંભવતા અને સમુદ્રતરંગવત્ ચંચળ એવા એ અનિત્ય અને નશ્વર છે. પાપની અનિવાર્ય લતા પરંપરાને મેઘની સમાન પિષનાર સ્ત્રી જન વળી અપવિત્ર પદાર્થોની ઘટિકા ( ન્હાના ઘડા) ની જેમ સત્પરૂએ નિન્દા એગ્ય છે. કે પહેલું જશે અને કેણું પાછળથી જશે એનું નિશ્ચિત જ્ઞાન કોને છે ? માટે એવા હેય વિષયે વિષે રતિ શી? પુત્રનાં આવાં ચિત્તવેધક વચને સાંભળીને પણ હારી ને જતાં માતા પિતાને બોધ શરૂ રાખેહે હાલા, શું તને આવા એજસ્વી સ્વર્ણ-રત્નાદિને વિષે તથા વિસ્તારયુક્ત એવા આ સામ્રાજ્યને વિષે વત્સલભાવ નથી P.P. Ac. Gunratrasuri M. Jun Gun Aarama Nust Page #160 -------------------------------------------------------------------------- ________________ વત્સલ માતાનો સંર્વવત પુત્ર. 143 થતું? તારે તરૂણ સૂર્યનાં જેવાં દેદીપ્યમાન રત્ન છે તથા હંસગર્ભ-ઈન્દ્રપુલક પ્રસૃતિ માણિક છે. હે પુત્ર, તું જેને વાસ્ત તપ કરવાની ઇચ્છા કરે છે તે સર્વ અહિં તારી સન્મુખ જ છે માટે યથેચ્છરીતે પૂર્ણ ભેગ ભેગવી લે; પછી યતિ સન્મુખ વ્રત ગ્રહણ કરજે. આ સાંભળીને, સંસારથી સશે ખિન્ન થયેલા મેઘકુમારે માતાને સમજાવ્યા. હે માતા, પરમ અર્થ [ મેક્ષ ] પ્રાપ્ત કરવાના પ્રયાસને વિષે આસક્ત એવા જનેને ક્ષણભંગુર અથેનું એ પ્રયજન છે? એવા તુચ્છ અર્થો ક્ષણમાં ચાર-અગ્નિ-દાયાદરાજા પ્રમુખને સ્વાધીન થાય છે. જે ઉપાર્જન કરવામાં દુર્બદ્ધિ લેકે મહા પાપ બાંધે છે, તેને ત્યાગ કયો વિના તેમનાં કર્મ નષ્ટ થતાં નથી અને તેથી તેમને સંસારમાં ભ્રમણજ કરવું પડે છે. જેમ સમુદ્ર ગમે એટલાં જળથી, અને અગ્નિ ગમે એટલા પણ કેટથી તૃપ્ત થતું નથી તેમ મુગ્ધબુદ્ધિ પુરૂષ પણ લક્ષમીથી કયારે ચે સંતેષ પામતો નથી. અથવા આ કમળપત્ર પર રહેલા જળબિન્દુની જેવા ચંચળ અને તુચ્છ જીવિતને વિષે પણ તૃણની પિઠે કયાં પ્રતિબંધ છે? એ અર્થ (દ્રવ્ય) કીર્તિ વિસ્તારનાર છે પણ દુર્ગતિને હેતુભૂત હોઈ વૃથા છે; કારણકે કાનને તોડી નાંખે એવા સુવર્ણ કરીને શું ? વળી શાન્તાત્મા પ્રાણીઓને વન વૃદ્ધાવસ્થા જેવું છે અને વ્યાકુળ ચિત્તવાળાને તે વૃદ્ધાવસ્થા પણ વન સમાન છે. આમ બુદ્ધિશાળી પુત્રના સત્વવંત ઉત્તરથી કંઈક પાછી પડીને ધારિણીમાતા પિતાના છેલ્લા ઉપાયપર આવી–અરે વ્હાલા કુમાર, એ તો સર્વ ખરું, પણ તું સુકોમળ છે અને ચારિત્ર દુષ્કર છે કારણકે તારે મેરૂ સમાન અતિ ગુરૂ કઠિન પંચમહાવ્રતો વહન કરવાના છે. તારે રાત્રીજનને ત્યાગ કરવું પડશે. મિત્ર-બંધુ-શરીરને વિષે મમત્વ મૂક પડશે; તે વિના છુટકે નથી. ઉદ્ગમશુદ્ધ, ઉત્પાદનાશુદ્ધ, ગ્રાસશુદ્ધ અને એષણાશુદ્ધ એવી ભિક્ષા ગ્રહણ કરીને નિભાવ કરવો પડશે; અને લેભમાત્ર ત્યજી દઈને પરિગ્રહ વિના રહેવું પડશે. ત્રણ ગુપ્તિ અને પંચસમિતિ ધારવી પડશે અને માસાદિ પ્રતિમા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #161 -------------------------------------------------------------------------- ________________ 144 . અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. તથા દ્રવ્યક્ષેત્ર પ્રમુખ અભિગ્રહ લેવા પડશે. એટલું જ નહિ પણ જીવિતપર્યત સ્નાન નહિ થાય; શયન ભૂમિપર કરવું પડશે; કેશ અને સ્મશ્રને લેચ કરવું પડશે, અને રહેવાનું નિરન્તર ગુરૂકુળને વિષે રાખવું પડશે. સુધા પ્રમુખ બાવીશ પરીષહે અને તિર્યંચ-નર-દેવ પ્રમુખના ઉપસર્ગો સહન કરવા પડશે. નિરન્તર મહાપ્રયાસ લઈને અઢારસહસશીલાંગ વહન કરવા પડશે, અને જે મળ્યું તે ઉપર નિવાહ કરે પડશે. હે. પુત્ર ! તારે દિક્ષા લઈને આ સર્વ લેહના ચણ્યા ચાવવાના છે, તથા વેળુના કેળીઆ ભરવાના છે ! મહાન તરંગેને લીધે ભીષણ એ મહાસાગર ભુજામાત્રથી તરવાને છે, તથા જેમાં પૂર આવ્યું છે એવી સ્વર્ગગંગાને સામે પૂરે તરવાની છે ! એટલું જ નહિં પણ તીક્ષણ ખધારાપર પગ મૂકીને ચાલવાનું છે, તથા પ્રજવલિત જ્વાળાવાળા અગ્નિને એકદમ શાંત કરવાના છે, મેરૂ પર્વતને તુલાથી તળવાને છે, અને રાગાદિ ભયંકર શત્રુઓને એકલે હાથે જ પરાજય કરવાને છે ! ઉપસર્ગયુક્ત પરીષહેને સહન કરવા ઉપરાંત, આડાઅવળા ફર્યા કરતા ચકવાળા સ્તંભ ઉપર રહેલી પુતળીને વિંધવાની છે ! દુઃખેથી ઉખેડી શકાય એવા ગૃહમંડપના વાંસને છેદવા એ સહેલું છે; તેમ દીક્ષા લેવી એ પણ સહેલું છે, પણ તેમાં શીલને જે ભાર છે તે દુર્વહ છે. માણસે વિશ્રામ લેતા લેતા તે અનેક ભાર વહન કરે છે, પણ આ શીલરક્ષણરૂપ ભાર તે ચાવજીવ, વિશ્રાતિ વિના વહન કરવાને છે ! હે સુકુમાર વત્સ, તું દીક્ષા લઈશ એટલે તારે, તેં પૂર્વે નહિં ઉપાડેલી એવી જગતની જયપતાકાને ગ્રહણ કરવાની છે. હે પુત્ર, વધારે શું કહે ? આવી આવી અનેકવિધ ઉપમાથી પ્રત્રજ્યા દુષ્કર છે. જનનીનાં એવાં એવાં વત્સલતાયુક્ત વચનો સાંભળીને વળી મેઘકુમારે કહ્યું–હે માતા, તમે જે જે કહો છો તે નિઃસંશય સત્યવાત છે; નહિ તો સર્વ માણસે દીક્ષા લીધા કરત. પણ શ્રી 0 1 ચારિત્રના અંદારભાર અંગ છે તેના કરનારા મુનિ કહેવાય છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા–મહત્સવ. 145 જિનેશ્વર ભગવંતે સંસારને વિષે જે દુઃખ ગણાવ્યું તેને લેશ પણ પ્રવ્રજ્યાને વિષે નથી; કારણકે લવણસમુદ્રમાં જે ખારાશ છે તે મરૂદેશના જળને વિષે કદિ હોય છે શું ? હે માતા, જેમ કાયર પુરૂષને જ સંગ્રામને વિષે પ્રવેશ કર દુષ્કર છે, તેમ કામગને વિષે જેઓ લંપટ હેાય છે તેમને જ ચારિત્ર કુકર છે. શૂરવીર સુભટને જેવા પ્રહાર તેવા નિર્વેદ પામેલા મેક્ષાભિલાષી જનેને સાધુના આચાર સુખેથી વહન થાય એવા છે. આ પ્રમાણે મેઘકુમારે સેંકડેબંધ ઉત્તમ પ્રમાણ arguments વડે માતાને સમજાવીને તેની અનુમતિ મેળવી; કારણકે વક્તા પુરૂષોની જીહા કામધેનુની પેઠે મનવાંછિત આપનારી હોય છે. પછી ત્યાંથી તે પિતા-શ્રેણિક રાજા પાસે ગયે અને ત્યાંયે નાના પ્રકારના ઉપાવડે તેની અનુજ્ઞા મેળવવાનો પ્રયાસ કરવા લાગે એટલે નરપતિએ કહ્યું- હે વત્સ, તું સંસારથી ઉદ્વેગ પામ્યા છે છતાં પણ આ વખતે મારું રાજ્ય ગ્રહણ કર. કૃતજ્ઞ પુત્રે પણ એ વાતની હા કહી, કારણકે માતપિતાના ઉપકારને કઈ રીતે બદલે વળી શકે તેમ નથી. રાજાએ મેઘકુમારને પરમોત્સવપૂર્વક રાજ્યાભિષેક કર્યો અથવાતો એના જેવાને શું શું યેગ્ય નથી ? પછી હર્ષના આવેશમાં તેણે પુત્ર મેઘકુમારને પૂછયું–હે વત્સ, કહે હવે તારું શું અભીષ્ટ કરૂં ? તે પરથી, દીક્ષા લેવાને ઉત્સુક એવા કુમારે કહ્યું- હે તાત, મને બજારમાંથી કયાઈથી રજોહરણ-પાત્ર પ્રમુખ આણું આપ; કારણકે તપરાજ્ય દુર્લભ છે. તે પરથી રાજાએ ચિત્યગૃહને વિષે અષ્ટાબ્લિક મહત્સવ શરૂ કરાવ્યો, બન્દિજનને મુક્ત કર્યો તથા પ્રાણીમાત્રને માટે અમારિશેષણા વજડાવી. પછી રાજપુત્ર મેઘકુમાર, રણુરણાટ કરતી અનેક ઘંટાઓના ટંકારરવથી દિશાઓના અન્તરને પૂરી નાખતી, ચારગવાક્ષ તથા રસુંદર ઉંચા સ્તંભથી વિરાજતી, સ્થળે સ્થળે ઉલ્લાસ પામતી કાન્તિવાળા કળશોથી શોભી રહેલી, અને શીતળ વાયુથી હાલતી અનેક દેવજાઓથી દીપી રહેલી એક વિશાળ શિબિકામાં આરૂઢ થયે તે જાણે એમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #163 -------------------------------------------------------------------------- ________________ 146 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર, સૂચવત હોયની કે નિશ્ચયે આ પ્રમાણે જ હું વિમાનને વિષે આરેહણ કરીશ! પછી પૂવાચળના શિખર પર રવિ આરૂઢ થાય તેમ છે. તે શિબિકાને વિષે પ્રથમથી મૂકી રાખેલા એવા ઉત્તમ સિંહાસન પર બેઠે; એટલે માણસે એ ઉપાડીને ચાલવા લાગ્યા અને કુમાર નિશ્ચળ ચિત્તે સમવસરણ ભણી ચાલ્યું. તેણે ઉત્તમ વેષ પહે હતે; કઠે પુષ્પનીમાળા રહી ગઈ હતી, શરીરે ચંદનાદિથી વિલેપન કર્યું હતું અને નાના પ્રકારના આભૂષણે પણ ધારણ કર્યા હતાં. વળી કેઈની નજર ન પડે તેટલા વાસ્તે મહત્તરા કુળસ્ત્રી હર્ષ સહિત કુમારનાં લૂણ ઉતારતી હતી. ચામરવાળી સ્ત્રીઓ ચામર વીંજતી હતી અને બન્દિજન ઉચે સ્વરે વિવિધ જયમંગળના પાઠ કરતા હતા. વારાંગનાઓ અનેક સ્વરના ગાયન ગાતી હતી અને હાવભાવ સહિત મનહર નૃત્ય કરતી હતી. વાજિત્ર વગાડનારા બારે પ્રકારના વાજિત્રે વગાડતા હતા અને વિદ્યાથી બાળકે પણ ગાતા ગાતા આગળ ચાલતા હતા. આ પ્રમાણે મેઘકુમાર સુવર્ણ-રૂપું વગેરેનું દાન દઈને કલ્પવૃક્ષની પેઠે લેકેના દારિદ્રયને ભેદત, જનસમૂહને સંસારપરથી વૈરાગ્ય-હર્ષને ઉદય અને ચિત્તને વિષે વિચિત્ર ચમત્કાર ઉપજાવતે, અને સાથે શાસનની ઉન્નતિ કરતે, પિતા-શ્રેણિક રાજા અને અભયકુમાર પ્રમુખ સહેદરે સહિત સમવસરણની નજદીક આવી પહોંચ્યા. ત્યાં સર્વેએ, હંસપક્ષીઓ માનસરોવરને વિષે પ્રવેશ કરે તેમ, હર્ષસહિત લક્ષ્મીના ગૃહરૂપ સમવસરણને વિષે પ્રવેશ કર્યો પ્રવેશ કરીને, મંદરાચળની આસપાસ, જેમ તારાગણ તેમ " પ્રભુની આસપાસ વીટળાઈ વળ્યા; અને ફળભારથી વૃક્ષે નમે તેમ વિભુને ભક્તિ સહિત નમવા લાગ્યા. પછી મેઘકુમારના માતપિતાએ પિતાના સર્વ જનવર્ગની સંગાથે ત્રિજગદગુરૂપ્રભુને વિજ્ઞપ્તિ કરી કે-હે સુપ્રભુ, આ અમારી સચિત્ત ભિક્ષા ગ્રહણ કરે; આપને મુકીને બીજું કયું ઉત્તમ સંપ્રદાન અમને મળશે ? એટલે શ્રી વીરપ્રભુ બોલ્યા-ગ્રણ કરીએ. કારણકે શિષ્ય પણ અદત્ત ગ્રહણ Aa કરતી vs નથી, તે P.P.AC. Gunratnasu Page #164 -------------------------------------------------------------------------- ________________ નવદીક્ષિતનું સંકિલષ્ટ ચિત્ત. 147 ગુરૂજન તો શેના જ ગ્રહણ કરે ? પછી મેઘકુમારે પ્રભુને કહ્યું–હે સ્વામી, વિષે ડૂબતે એવો કર્યો માણસ પ્રહણને વિષે ચઢી જવાને ઉતાવળે ન થાય? પછી પ્રભુએ એને સામાયિક સૂત્ર ઉગરવા પૂર્વક વિધિ સહિત દીક્ષા દીધી; અને શિક્ષા આપી કે-હે મુનિ, તમારે યતનાપૂર્વક શયન કરવું, યતના સહિત આસન કરવું, યતના સહિત ઉભા થવું, અને ચાલવું પણ યતના સહિત. વળી આહાર કરે તથા લવું ચાલવું તે પણ યતના પૂર્વક કરવું. પછી ચારિત્ર અંગીકાર કરી હવે સાધુ થયા એવા મેઘકુમારને દેવતાઓ તથા માનવજન વંદન કરવા લાગ્યા; અથવા તો પ્રવજ્યા ત્રણે જગતને પૂજ્ય છે માટે એમાં કંઈ અદ્ભૂત નથી. દીક્ષા આપીને પ્રભુએ એ નવીન સાધુને ગણધરને સેપ્યા; કારણકે રાજા તો આદેશ માત્ર કરે છે, શેષ શિક્ષા તે અધિકારી સેવક વર્ગજ આપે છે. હવે ગણધરને સોંપાયા પછી મેઘકુમારે સાયંકાળે ગુરૂની સમક્ષ આવશ્યક-સ્વાધ્યાય-વાચના વગેરે કર્યું; કારણકે કિયા સર્વે ગુરૂની સાક્ષિએ કરવી કહી છે. પછી રાત્રીને દેઢ પ્રહર વીત્યા પછી પ્રવર્તક ( મુખ્ય સાધુએ ), ઘર બાંધતી વખતે જગ્યાના ભાગ પાડવામાં આવે છે એમ દરેક સાધુને સંસ્કાર ( સંથારા ) ને અર્થે ભૂમિના વિભાગ કરી આપ્યા. તેમાં મેઘકુમારને દ્વાર આગળની જગ્યા સંથારા માટે મળીઃ (કારણકે એક લાકડું પણ ગમે તેવા ન્હાના પણ હાથને લભ્ય છે; ગમે એવી મહેદી પણ ચપટીને લભ્ય નથી). એટલે નિરંતર ત્યાંથી તે તે કાર્યને અર્થે જતા આવતા મુનિઓના ચરણથી એને કસુંબાની પેઠે સંઘટ્ટ થવા લાગે ( ખુંદાવું પડયું) તેથી કુમુદપુષ્પના સમૂહની પિઠે તેને આખી રાત્રી નિમેષમાત્ર નિદ્રા આવી નહિં, અને કર્મ ઉદય આવવાથી એના મનને વિષે સંકલેશ ઉત્પન્ન થયે. અહે ! સ્થાનાસ્થાનને વિચાર નહિ કરનારા એવા કર્મને ધિક્કાર છે ! જ્યારે સકળ કાર્ય નિષ્પન્ન કરવાને સમર્થ એ હું ગુડવાસને વિષે હતો ત્યારે તે આ સર્વ મુનિઓ મને એમ કહેતા હતા કે-“ચાલ, મેઘકુમાર, જિનમંદિરે P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #165 -------------------------------------------------------------------------- ________________ 148 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. ચાલે, ત્યાં તું અનન્તફળને આપનારૂં ઉત્તમ સંગીત કરાવજે; અને સુદ-માલતી–જાતિ-કેતકી-રાજચંપક-અને પદ્મ પ્રમુખ પુષ્પથી ઘણી રચના કરી દેવપૂજન કરજે; તારે નિત્ય જિનમુદ્રાદિથી સંશુદ્ધ એવું પંચશસ્તવાદિક જિનવંદન કરવું એગ્ય છે. કેમ રાજપુત્ર, તું ક્ષેત્રસમાસાદિ શાસ્ત્ર શીખે છે કે? બેલ, જે તે વિસ્મૃત થયે હઈશ તે અમે પોતે તને ગણાવશે. વળી જો તારે અર્થ સહિત શાસ્ત્ર શ્રવણ કરવાની ઈચ્છા હોય તે કહે. અમે તારી પાસે તે સવિસ્તર કહેશું. વળી તું સાધમીવાત્સલ્ય કરીશ કે ? " ઈત્યાદિ કડીને, પિતા પુત્રને લડાવે તેમ મને પૂર્વે બહબહુ લાડ લડાવતા હતા. પણ હમણાં તે એજ તેઓ વિભવ રહિત એવા મને ચરણથી સંઘટ્ટ કરે છેએ શું ? અથવા તે વિજ્ઞાન, જ્ઞાન, વાકચાતુર્ય, દાક્ષિણ્ય, કરૂણા, ન્યાય, વિનય, સિભાગ્ય, વૈરાગ્ય, ક્ષમા, શર્ય, કુલીન પણું કે શરમાળપણું—એ સર્વ લક્ષ્મી વિના નહિં જેવાં છે. મારી માતા જે એમ કહેતી હતી કે “ભાઈ, દીક્ષા દુષ્કર છે " તે ખરૂં કહેતી હતી; પણ જ્યાં સુધી અંદર પ્રવેશ કર્યો ન હોય ત્યાં સુધી શી ખબર પડે? માટે હવે શ્રેમ કુશળ પ્રભાત થવા દે, પ્રભાત થશે એટલે હું નિશ્ચયે આ વ્રત પડતું મૂકી કારણ કે હજુ કઈ મેં બેર (વેચવા) ની બૂમ પાડી નથી. આ વેશ હું પ્રભુને આપી દઈને મારે ઘેર જતે રહીશ; કારણકે શુલ્કશાળા (એટલે જે માંડવી તે) નું દાણ જે ભાંગે છે તેને, તે દાણની. વસ્તુ જ દાણવાળાને આપી દેવાથી [ ખુશીથી ] છુટકે થાય છે. માણસને ચરણે કાંટે વિંધાવાથી માર્ગને વિષે જેવી ખલના થાય છે તેવી જ મોક્ષમાર્ગને વિશે પ્રવૃત્ત એવા મનુષ્યની ખલના પણ છે. તે દિવસે દીક્ષિત થયેલા આ મેઘકુમારને જે આ સંકલેશ થયે તે જાણે નૂતનગૃહને વિષે અગ્નિ ઉત્પન્ન થયે હોયની ! પછી પ્રભાતે સર્વ 1 બોર વેચનાર બહાર રસ્તે “બેર ઘો બોર " એમ બોલે છે એટલે એ બેર વેચવા નીકળે છે એમ મેં જાણે છે. પણ મેઘકુમાર કહે છે કે હું તે હજુ બહાર નીકલ્યો નથી, ઉપાશ્રયમાંજ છું. માટે હજુ બગડી ગયું નથી. બહાર નીકળે નથી એથી કેણ જાણે છે કે સાધુ થયે છે ? Trust - Page #166 -------------------------------------------------------------------------- ________________ એને પૂર્વભવ-ગ્રીષ્મઋતુનું વર્ણન. 149 સાધઓની સંગાથે મેઘકુમાર પણ સમવસરણને વિષે ભગવંતને . વંદન કરીને યથાસ્થાને બેઠે. એટલે શ્રી જિનેશ્વરે તેને કહ્યું- હે મેઘકમાર, તારા ચિત્તને વિષે જે સંકલેશ થયે છે તે . આમ્રવૃક્ષમાંથી કંકુફળની ઉત્પત્તિ જેવું થયું છે. તારા જેવા વિવેકીના વ્રતને ત્યાગ કરવાના પરિણામ યુક્ત નથી; કારણકે ચંદ્રમા થકી * અગ્નિને વષોદ કદિ સંભવે નહિં. ઉત્તમ સાધુઓના ચરણના સંઘથી થયેલી વ્યથા કેણમાત્ર છે ? તે પૂર્વે હસ્તીના ભવને વિષે જે મહાવ્યથા સહન કરી હતી તેનું જ્યારે તને સ્મરણ થશે ત્યારે તે તું એથીએ અધિક સહન કરીશ. સાંભળ:-- ( એમ કહીને પ્રભુ એને એને પૂર્વભવ કહે છે ) આજ ભારતવર્ષને વિષે વૈતાઢ્ય પર્વતની સમીપની ભૂમિને વિષે ત્રીજા ભવ ઉપર તું એક શ્રેષ્ઠ હસ્તી હતી. એક સહસ હસ્તીને અધિપતિ હઈ રાજ્યના સાત અંગેને વિષે પ્રતિષ્ઠિત એ તું વનચરેએ આપેલા " સુમેરૂપ્રભ ? એવા નામને ધારણ કરતા હતા. ત્યાં તું વળી અરણ્ય-કુંજ-નદી-તળાવડી પ્રમુખને વિષે હાથણી અને બચ્ચાઓની સાથે નાના પ્રકારની કીડા કરતે હતે. એમ, રાણીઓની સાથે જેમ રાજાને તેમ હાથણીઓની સંગાથે તને રતિવિલાસ ભેગવતા કેટલાક દિવસ વ્યતીત થયા. એવામાં એકદા યમની જે દારૂણ ગ્રીષ્મસમય આવ્યું. જળ ઉંડા જવા લાગ્યા અને દાહ ઉદય પામવા લાગ્યો. એ વખતે એ ગ્રીષ્મઋતુની સાથે મિત્રીભાવ ધરાવતો તાપ પણ જાણે એને લીધે જ વૃદ્ધિ પામવા લાગે. વળી તાપની સાથે મન્મત્ત વાયુ પણ પ્રચંડપણે ફેંકવા લાગ્યા. એ પ્રચંડવાયુએ ઉરાડેલી ધૂળને લીધે દશે દિશાઓ ખલપુરૂષની વૃત્તિની પેઠે ધૂમ્ર થવા લાગી. વળી એ વખતે સૂર્યના અ પણ ધૂળથી નેત્રે ભરાઈ જવાને લીધે ત્વરિતપણે ચાલવાને અશક્ત હોવાથી જ જાણે એ કાળ ( ઉણ કાળ ) ના દિવસો વૃદ્ધિ પામવા લાગ્યા. અને તેથીજ કૃશતાને 1 સ્વામી–અમાત્ય-સુહતુ–કાશ-રાષ્ટ-દુર્ગ અને સૈન્ય-એ સાત રાજ્યના અને કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #167 -------------------------------------------------------------------------- ________________ 150 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનગ્નરિત્ર, લીધે યામિની (રાત્રી) ત્રણ યામ ( પ્રહર ) ની થવા લાગી. (તે ત્યારથી આજસુધી પણ એજ પ્રમાણે ત્રિયામાં કહેવાય છે. ) એ સમયે સરિતાએ પણ કૃશ થવા લાગી તે યે જાણે પિતાના ઉત્પાદક ગિરિવરના મસ્તક [ શિખર ] ને વિષે ધૂળ પડતી દેખીને જ હાયની શું? સૂર્યના ઉત્તાપને લીધે વળી તલાવડીએને. વિષે પણ જળ ઘટી જવા લાગ્યા; અથવા તે જે કાળને વિષે જેને બહ ખપ પડે તેનીજ અછત થાય છે. “અરે, પ્રચંડતાપને ઝરનાર ઉષ્ણકાળ, મારી સ્ત્રીઓને તું આમ શુક કરી નાંખે છે તે શું તું દૃષ્ટિએ કંઈ નથી દેખતો ? માટે હારે માટે એક સારૂં સ્થાન શોધી કાઢ " એમ નદીપતિ [ સમુદ્ર] પણ જાણે પિતાના મહેટા કલરૂપી ગર્જનાના મિષથી (એ ઉણ કાળને) કહીને તેને ડુબાવી દેવાને જ હોયની એમ ઉંચા ઉંચા ઉછાળા મારવા લાગ્યા. આ ઉષ્ણ કાળે વળી લીલીછમ લતાઓને તથા ઘાસને પણ સૂકવી નાખ્યું અથવા તે દુર્બળ પ્રતિ સે કે પિતાની શક્તિ બતાવે છે. પણ આ બલિષ્ટ છતાં યે એ (કાળ) વૃક્ષની છાયાને ટાળવાને સમર્થ થયે નહિ, કારણકે મૂળને વિષે છે જીવન જેનું એવાને યમ પણ કશું કરી શકતો નથી. વળી જવાસાને પણ તેણે લીલો ને લીલ જ રાખ્યા કારણકે કૃતધ્ર હેય એવાને પણ કઈ કઈ તે વલ્લભ હોય છે જ. આ વખતે વળી તાપથી પીડાતા મહિષે અને શુકરે, ગુડાને વિષે જેમ ઘુવડપક્ષીઓ તેમ જળના ખાબોચીઆમાં પડી રહીને આખો દિવસ ગાળવા લાગ્યા. ધાને પણ જાણે પ્રાણીઓના જીવિત આદિનું અસ્થય બતાવતા હેયની એમ હાંફતા હાંફતા વારંવાર જીવ્હાને હલાવવા લાગ્યા. આમ્રફળ પ્રમુખ તથા લીંબડા પ્રમુખના ફળ પણ સિ સાથે પાક ઉપર આવવા લાગ્યા; કારણકે ઉત્તમ તેમજ જઘન્ય સર્વને સમય સરખે હેય છે. વળી શિરીષ-પાટલ-કદબ-મલ્લિકા-કેતકી પ્રમુખ વૃક્ષોને પુષ્પ આવવા લાગ્યાં; કારણકે પિતાને દિનમાન ઉદય પામ્ય કોણ નથી ફળતું ? ધનવાન લેકે પણ એ વખતે કપરમિશ્રિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gunaradi Page #168 -------------------------------------------------------------------------- ________________ વનને વિષે મહાન દાવાગ્નિ. 151 ચંદનના રસના સેવનનું, પુષ્પની માળાઓનું અને સુંદર સ્ત્રીઓની સાથે વિહારનું સુખ મેળવવા લાગ્યા. પણ સુગંધિ, શીતળ અને સ્વાદિષ્ટ જળથી ભરેલી પરે તે મહંત પુરૂષની સંપત્તિની પેઠે સર્વ કેઈના ઉપયોગમાં આવવા લાગી. . - ' આવા ગ્રીષ્મ સમયને વિષે એકદા વનમાં વાંસના પરસ્પર સંઘઢથી, કુટુંબને વિષે જેમ કલહ તેમ મહાન દાવાગ્નિ પ્રકટ થયે. તે દાવના ધમ્ ધમ્ શબ્દથી, સિંહનાદથી જેમ હરિ કપે તેમ, વનના સમસ્ત પ્રાણીઓ કંપવા લાગ્યાં. માંડ માંડ ફાટે એવા વાંસ ધાણીની પેઠે ફાટવાથી એના ત્રટત ત્રટત શબ્દએ મોટા અવાજ કરી મૂક્યાથી એનું મન અનેક પ્રહાર વડે શાલવૃક્ષ ભાંગી જાય એમ ભાંગી ગયું. જાણે યમરાજા પિતાની ઇચ્છાથી પક્ષીઓને ભક્ષ કરવાને તૈયાર થઈ રહ્યો હાયની એમ ઉંચે પ્રસરતી જવાલાઓથી અગ્નિ સળગવા લાગ્યું. જાણે એક નવીન વિશ્વામિત્ર આવ્યા હેયની એમ એ અગ્નિએ ધુમાડાથી તારાઓને ઢાંકી દઈને લાલચેળ તણખાઓવડે આકાશને કેવળ મંગળમય બનાવી દીધું અને સમસ્ત લીલા અને સુકા તૃણ-વૃક્ષ-લતાદિને બાળવા લાગ્ય; કારણકે ખલપુરૂષ નિરન્તર સર્વકષ ( સર્વની કસોટી કરનાર ) હોય છે. જાણે યમને સહાયક હેયની એમ એ પગ વગરના, ઘણું પગવાળા, બે પગાં, ચોપગાં, સોને સંહાર કરવા લાગે. ધુમાડાથી ભરાઈ ગએલા આકાશને વિષે સૂર્ય તે એક ત્રાંબાના અરીસા જેવો અને એને તડકે કસુંબાના કીટા જેવો દેખાવા લાગ્યો. એ વખતે દાવને લીધે, તારા યૂથના પરિવાર સહિત તું તૃષાતુર થવાથી અસંતોષી જનની પિઠે સર્વ દિશામાં દોડવા લાગ્યું. એમાં નાની નાની ડાળીઓને નમાવી દેતાં, વૃક્ષના સમૂહને ભાંગી નાંખતે અને મહેટી મટી શાખાઓને મરડી નાખતા તું મહા કષ્ટ, બાલંતપસ્વી દુર્ગતિના હેતુભૂત રાજ્યને જેમ પ્રાપ્ત કરે તેમ, એક પંકથી ભરેલા સરવરને પામતે હ. ( શ્રી વીરપ્રભુ મેઘકુમારને કહે છે ) હે મુનિ, તે જોઈને તે જન્મથી જ દારિદ્રી એ માણસ જેમ અલપ પણ ધન પામીને સંતેષ પામે તેમ, મનને વિષે અતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #169 -------------------------------------------------------------------------- ________________ 152 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. સતિષ પામે, અને તુષાતુર હવાથી પરિણામ વિચાર્યા વિના એ કાદવવાળા સરોવરને વિષે અવળે માર્ગો પેઠે; અથવા તે વ્યથાથી પીડાતા પ્રાણીઓ મતિશૂન્ય થઈ જાય છે. અવળે માગે પિસવાથી તું, મહા આરંભના કરનારા પ્રાણીઓ દુર્ગતિના સાગરને વિષે ખુંચી જાય છે તેમ, અગાધ કાદવમાં ખેંચી બેઠે; અને મહા મોહને વશ એ જીવ ઘરરૂપી ન્યાસમાંથી નીકળી શકતા નથી તેમ, એ કાદવમાંથી તું લેશમાત્ર પણ નીકળી શક્યો નહીં. ત્યાં અગાઉ વાસ કરી રહેલે એક પ્રતિસ્પદ્ધ હસ્તી પિતાના બે દશળથી તને નદીના તટની જેમ પીઠ પર પ્રહાર કરવા લાગ્યા. એ પ્રહારની વેદના તે વર્ષ વર્ષ જેવડા સાત દિવસ સુધી સહન કરી, અંતે તારૂં સર્વ એકનેવીશ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તે આર્તધ્યાને મૃત્યુ પામ્યું; અને પુનઃ પણ વિધ્યાટવીની તલાટીને વિષે હસ્તીપણે ઉત્પન્ન થયે; કારણકે એ આધ્યાન તિર્યંચની ગતિને આપનારું છે. હે મેઘકુમાર, તારા એ ભવમાં પૂર્વની જેવાજ ગુણવાળો અને ચાર દન્તુશળવાળો તું સાતસોને પચાસ હસ્તીના યૂથને સ્વામી થઈ મેરૂપ્રભ નામે વિચરવા લાગ્યા. એકવાર દાવાનળ સળગેલે જોઈને તને, વૃદ્ધાવસ્થાના માણસને - વનને વિષે અનુભવેલું યાદ આવે છે તેમ તારી પૂર્વજાતિનું મરણ થયું. એટલે મેં તારા યૂથ સહિત ગંગાને તીરે, ચતુરંગસેના યુક્ત ભૂપતિ શત્રુવને ઉમૂલન કરે તેમ, વૃક્ષાદિને ઉન્મેલન કર્યો. અને ત્યાં ચતુમાસને વિષે મુનિ કરે છે તેમ તે આત્માની રક્ષાને અર્થે ત્રણ અતિ વિસ્તારવાળા ઈંડિલ બનાવ્યાં. પછી ત્યાં ઉગેલા દરેક તરણને જિનકલ્પી મુનિ પજુસણ ઉપર પ્રત્યેક કેશને ટુંપી કાઢે છે તેમ, ઉખેડી નાંખ્યાં. તે ત્રણે Úડિલને તે હથેળી જેવાં, માણસના કેશ વિનાના મસ્તક જેવા અથવા કહો કે દર્પણભૂમિ જેવાં સ્વચ્છ અને સાફ કર્યો. એવામાં એકવાર પુનઃ દાવાનળ પ્રકટ્યો એટલે તું ભયભીત ભિક્ષુ જેમ પર્વત પર 1 મંડળ મુનિ પણ ચેમાસામાં લઘુનીતિ, વડીનીતિ અને આહારને માટે ત્રણ સ્થાપ્તિ રાખે છે. P.P.AC. Gunrannasur M.S. Jun Gun Aaradhak Trust Page #170 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચ છતાં પણ દયાની ઓળખાણ 153 જ રહે તેમ, તારા ચૂય લઇને તે એડિલે પ્રત્યે રહી ગયે. ત્યાં તો પહેલું. ધંડિલ, વૈરભાવ ત્યજી દીધું છે જેમણે એવા મૃગાદિ પ્રાણુંઓએ રેકી દીધું હતું કારણકે સમાન એવા દુઃખને વિષે શત્રુવટ જતી રહે છે અને મિત્રતા થાય છે. પછી તું આગળ ચાલે તે બીજું સ્પંડિલ પણ એ જ પ્રમાણે રોકાયેલું હતું; કારણકે ખપ પડે છે ત્યારે આપણે પોતાની વસ્તુ પણ મળતી નથી. એ બને સ્પંડિલ એ પ્રમાણે રેકાઈ જવાથી તું તારા પરિવાર સહિત ત્રીજા સ્થંડિતને વિષે જઈને રહ્યો; અથવા તો આપણી પાસે સારી રીતે દ્રવ્યા હોય તો થેડે ઘણે ઉપકાર કરજ. ત્યાં તેં ખરજ આવવાથી તારે એક પગ ઉંચે કર્યો; તે જાણે ઉંચી ઉચી ગતિ પ્રાપ્ત કરવાને તે પ્રસ્થાન જ કર્યું હેયની ! પણ એટલામાં બલવાન જાનવરથી પ્રેરાયેલે એક ભયાતુર દીન સસલે એ ચિંતે એ તેં ઉંચા કરેલા પગને સ્થાને આવીને ઉભો રહ્યો. એટલે હે મેઘ, તું એ સસલા પર દયાળુ હોઈને, ત્રેતાયુગને વિષે જેમ ધર્મ તેમ, ત્રણ પગે જ નિશ્ચળ ઉભો રહ્યો. અહો ! જેને વિષે આવી ઉત્કૃષ્ણ દયા દૃષ્ટિગોચર થાય છે એવા તિર્યમવરે પણ ધન્ય છે ! એ દયાની ઓળખાણ પણ જેમાં નથી એવા મનુષ્યભવે કરીને શું ( લાભ છે )? યાની સંગાથે પરિચય છે જેને વિષે એવો પશુ જન્મ પણ ભલે પ્રાપ્ત થાઓ; પણ જેને વિષે એ દયા માણસને લેશ પણ રૂચિકર થતી નથી એ મનુષ્યભવ તે જોઈએ જ નહિં. તત્વનું લક્ષણ તે કરૂણુંજ છે એમ તિર્યંચે સુદ્ધાં સમજે છે, પણ કુતીથિએ તો, નાનાપ્રકારના શાસ્ત્રના પારંગત છતાં પણ એ વાત જાણતા જ નથી. અથવા તો જેમનાં નેત્રે. મિથ્યાત્વથી છવાયેલાં છે એવામાં તે એક બાજુએ રહ્યા; પણ જેઓ જિનભગવાનના અનુયાયી છે એમના ચિત્તને વિધેયે કરૂણા નથી એજ અમને દુઃખ થાય છે. સર્વ પ્રાણની રક્ષા” ને પ્રતિપાદન કરનારૂં એવું જિનેશ્વરનું વચને જેઓ નિરન્તર શ્રવણ કરે છે, ચરચે છે તથા સભાને વિષે પ્રમ’ છે એવા જૈનો પણ જ્યારે ત્યા ધારવાને વિષે શિથિળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #171 -------------------------------------------------------------------------- ________________ 15 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર થાય છે ત્યારે અમારે બીજાને કોને કહેવું, અથવા અમારે કરવું , પણ શું ? અમે તે એ સસલાને વિષે દયાર્દ ચિત્તવાળા એ મેરૂમ હરતીની હર્ષ સહિત સ્તુતિ કરીએ છીએ, પુનઃ પુનઃ સ્તવના કરીએ છીએ. પછી, હે મેઘમુનિ, એ દાવાનળ અઢી દિવસ પર્યરત રહીને શાન્ત પડયો; અથવા તો કાળકરીને ઘાસ પણ પાકી જાય છે. દવ શમ્યા એટલે સિંહ પ્રમુખ પ્રાણીઓ, શત્રનું સિન્ય જતું રહ્યા પછી લેકે દુર્ગ (કિa) થકી નીકળે તેમ, થંડિલ થકી બહાર નીકળ્યા. તે વખતે તું પણ તૃષાતુર હેઈને તે અધર રાખેલે પગ, દુર્ગતિના મસ્તક ઉપરજ હેયની એમ ભૂમિ પર મુકીને જળપાન કરવાને દેડી જવાનું કરવા લાગે ત્યાં તે ચિરકાળ પર્વત પગ એ પ્રમાણે એક જ સ્થિતિમાં રહેવાથી, દેડ. ખિન્ન થવાને લીધે તું ગિરિવરનું શિખર પડે તેમ પૃથ્વી ઉપર તુટી પડ્યો. ત્યાં ગીધ અને કાક પ્રમુખ પક્ષીઓએ તારા જેવા તૃષાતુરની કદર્થના કરી તેથીજ, અહે! એઓ નરકને વિષે પણ પંચકુળ થયાં. અને તેં એ પ્રમાણે સસલા ઉપર કરૂણું કરીને વ્યથા સહન કરી તેથી તું વણિકજન રત્નને સમુચય પામે તેમ નરભવ પામે. તારૂં સર્વ સે વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી શ્રેણિક રાજાના પુત્રપણે ઉત્પન્ન થયે, કારણકે દયા ખરેખર કામધેનુજ છે. (શ્રી વીર પ્રભુ કહે છે ) હે મેઘકુમાર, તે પશુના અવતારને વિષે એક સસલા જેવાને વિષે દયાળુ થઈને એવી વેદના સહન કરી તે, હે વિવેકી, આ વખતે ફક્ત સાધુઓને સંઘ થયે તેમાં કેમ મુંઝાયે? આવા શીલવારી મુનિના ચરણ તે નિત્ય કે ભાગ્યશાળાનાજ શરીરપર પડે છે કારણકે અમૃતની વૃષ્ટિ કંઈ સર્વની ઉપર થતી નથી. એ સર્વ સાંભળીને મેઘમુનિને તેનાં બેઉ પૂર્વભવનું મરણ થયું અથવા તે એ અનન્ત હોય તે પણ સ્વામીના પ્રસાદથી યાદ આવે જ છે. આમ પ્રભુએ તેનું દુધને દૂર કરાવીને તેનામાં સવેગ ઉત્પન્ન કર્યો, કારણકે વેદ્ય પણ શેષને નિગ્રહ કરીને અવશ્યકળા નથી ઉત્પન્ન કરતો શું? (પછી) એણે ચિત્તને વિષે Page #172 -------------------------------------------------------------------------- ________________ તુજાર તપશ્ચર્યો. ૧પપ આદ્રતા કરીને જાણે કાયાને વિષે પણ એ આદ્રતા કરવાની ઈચ્છા રાખ હેય એમ, હયુ સહિત પ્રભુની પ્રદક્ષિણા કરી. વારંવાર પ્રભુને નમસ્કાર કરીને તેણે “મિચ્છાદુકૃત " દીધું; કારણકે વિપકાર્ય થઈ ગયે ને મડાત્માપુરૂને અત્યંત પશ્ચાત્તાપ થાય છે. પછી એણે પ્રભુને વિજ્ઞાપના કરી કે “હે વિશ્વસ્વામિન, હવેથી હું આ મારાં બે નેત્રે શિવાય શેષ અંગ મુનિઓને આપી દઉં છું. એ અંગને, સેવકજનને જેમ સ્વામી ઉપયોગ કરે છે તેમ, આ સર્વ મહાત્મા સાધુઓ યથારૂચિ ઉપયોગ કરે. " પછી એણે પિતાને આ ખગ્નધારાસમ અભિગ્રહ યાજજીવ પાજે. * ત્યાર પછી એ નિરંતર ભગવંતની સાથે પૃથ્વીતળપર વિહાર કરવા લાગે; કારણકે ક૯પવૃક્ષ સેવવાનું મને છતે કો માણસ દૂર જાય છે ? એણે અગીયારે અંગેને ગુરૂ સમક્ષ અભ્યાસ કર્યો; કારણકે તેમના ઉપદેશ વિના મૂળાક્ષરને પણ બંધ થતું નથી. વળી જીવરક્ષાને વિષે તત્પર રહીને એ નિરન્તર વિવિધ તપશ્ચર્યા કરી; કારણકે એ ( જીવરક્ષા) વિના કરેલે તપ અંધપુરૂષ આગળ રજુ (દેરડું ) હોય એવે છે. એક સંવત્સર ઉપરાંત એણે “ગુણરત્ન” તપ કર્યો. એ તપ, ચંદ્રમાની જેટલી કળાઓ છે તેટલા અથોત સેળ માસ પર્યન્ત કરે પડે છે. પહેલા માસને વિષે એણે અકેક દિવસને આંતરે ઉપવાસ કર્યા તથા દિવસે ઉભુટક આસને અને રાત્રીએ વીરાસને રહેવા માંડયું. બીજા માસને વિષે બેબે ઉપવાસ અને ત્રીજાને વિષે ત્રણ ત્રણ-એમ સેળમાં માસને વિષે સેળ ઉપવાસ સુધી વધાય; અને પ્રથમ માસને વિષે જે પ્રમાણે બેવડું આસન ધારણ કર્યું હતું તે જ પ્રમાણે સર્વે માસને વિષે પણ નિરંતર પ્રતિપાદન કર્યું. એમ ચારસોને એંશી દિવસ પર્યત એણે ઉગ્ર તપ કર્યો કારણકે સત્વવંત પ્રાણીઓને કંઈ દુષ્કર નથી. પછી એણે દ્રવ્યથી અને ભાવથી સંલેખના કરી; કારણકે જેમ વણના સંબધમાં બને છે તેમ, અહિં પણ અન્તઃશુદ્ધિ વિના બાહ્ય શુદ્ધિ થતી નથી. તેમાં શરીરની, અસ્થિ અને અમને વિષે અવશેષતા એ પહેલી દ્રવ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #173 -------------------------------------------------------------------------- ________________ 1 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. સલેખના તથા કવાયાદિને ઓછા કરવા એ બીજી ભાવસંખના સમજવી. એ સર્વ કરી રહ્યા પછી એ મેઘમુનિએ અનશન ગ્રહણ કરવાને ઈરછાતર થઈ હર્ષ સહિત શ્રી જિનપતિને નમસ્કાર કરી અંજલિજેડી એમની આજ્ઞા માગી કે “હે સ્વામિ, આપની આજ્ઞા હોય તે મારી અનશન કરવાની ઈછા વતે છે. ગુરૂઓની સર્વ કોને વિષે આજ્ઞા માગવી પડે છે તે આવા કાર્યને વિષે માગવી પડે તેમાં તે શું કહેવું? ભગવાને કહ્યું-હે મેઘમુનિ, તમારું ઈચ્છિત પૂર્ણ કરીને તમારા ધર્મરૂપી પ્રાસાદની ઉપર હતજા ચઢાવે. પછી મેધમુનિએ પણ પ્રભુને નમસ્કાર કરીને તથા ચતુર્વિધ સંઘની આદર સહિત ક્ષમા માગીને રાજગૃહનગરની પાસે આવેલા વિપુલગિરિમી ઉપર આરોહણ કર્યું, તે જાણે દેવગતિએ જવાને અર્થે પહેલું પ્રયાણ કર્યું હેયની ! આરેહણ કરીને એઓ શિલાપટ્ટપર પ્રતિલેખન (શુદ્ધિ) કરી અનશન કરી રહ્યા; કારણકે મહાત્માઓની આરંભની કે અંતની, સર્વ ક્રિયાઓ શુદ્ધ હોય છે. જાતે જ ઉત્સાહવંત એવા એ મુનિએ પ્રભુના વચનને અનુસરીને સિંહની પિઠે-અને સાથે વળી કવચ ધારીની પેઠે અનશન પાળ્યું અને આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ત્યાંથી તે વિજય નામના વિમાનને વિષે દેવતાપણે ઉત્પન્ન થયા; કારણકે એવા પુરૂષની ગતિ શુભ જ હોય છે. ત્યાંના બાર વર્ષના વ્રતપર્યાય પછી ત્યાંથી અવીને વિદેડને વિષે આવી કર્મરહિત થઈ એ મુક્તિ પામશે. - હવે અહિં શ્રાવકશિરોમણિ અભયકુમાર નિત્ય બ્રાહ્મમુહૂર્તને વિષે પંચપરમેષ્ટીનું સ્મરણ કરતો જાગી ઉઠતે. " ત્રણ જગના જ્ઞાનવાળા તથા રસુર, અસુર અને મનુષ્યએ. પૂજ્ય એવા શ્રી મહાવીર પ્રભુ મારા દેવ અને ગુરૂ છે; સર્વ રત્નને વિષે જેમ ચિંતારત્ન તેમ સર્વ કળાને વિષે શ્રેષ્ઠ એવા શ્રાવકકુળને વિષે હું ઉત્પન્ન થયે છું અને મેં સમ્યકત્વમૂળ બારવ્રત અંગીકાર કરેલા છે. એ પ્રમાણે તે નિત્ય જાગીને ધ્યાન કરે. પછી તે હત્યને વિષે પ્રતિમાનું વદન-પૂજન કરતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #174 -------------------------------------------------------------------------- ________________ અભયકુમારનું “ટાઈમટેબલ.” 157 અને તેમની જ સમક્ષ યથાવિધિ પ્રત્યાખ્યાન કરતો. પછી પ્રભાતે ત વ પહેરીને પરિવાર સહિત ત્રણવાર નિિિડ કહીને જિનમંદિરને વિષે જતો. ત્યાં ત્રણ પ્રદક્ષિણ દઈ ત્રણ વખત ભૂમિપર મસ્તકથી સ્પર્શ કરીને જિનેશ્વરની પ્રતિમાને વંદન કરતે; અને મુખકેશ બાંધી ગર્ભદ્વારને વિષે પ્રવેશ કરીને સુગંધી પુપિવડે સર્વ બિંબેની ભક્તિસહિત પૂજા કરે; અને તેની આગળ બહુ પ્રકારના નૈવેદ્ય ધરતે. પછી નવ હાથ સુધી ભૂમિને તપાસી તથા ત્રણવાર પ્રમાઈને, અન્ય ત્રણે દિશાઓ તરફથી દષ્ટિ હરી લઈ તેને જિનેશ્વરના મુખ ભણી જ રાખીને, પ્રમાજેલી ભૂમેને વિષે બેબને તે દેવવંદન કરતે. ઈપથિકી પ્રતિકમી નમસકાર ઉચારીને તે ઉત્તમ ગમુદ્રાએ શકતવ કહે. (બંને હાથની આંગળીઓને એક બીજાની વચ્ચે નાખી કોશાકાર કરી બને કેણાને કુક્ષિને વિષે રાખવાથી ગમુદ્રા થાય છે.) પછી જિનપ્પાથી અરિહંતના સ્થાપના સ્તવનથી આરંભીને સિદ્ધવન પર્યન્ત સ્તુતિગર્ભ દંડને વિચારી; તથા મુક્ત:શુક્તિ મુદ્રાથી, અસાધારણ ગુને લીધે ઉદાત્ત અને સંવેગસૂચક એવા સૂત્રેવડે પ્રણિધાન કરી; મનવચન-કાયાની ગુપ્તિથી ગુપ્ત એ એ અભયકુમાર, વોપ્રતિમા ત્રિક તથા છદ્મસ્થ, સમવસરણસ્થ અને કિસ્ય-એવી જિનેશ્વરની ત્રણ દશાઓને ભાવતે નિરન્તર વિધિસહિત ચિત્યવંદન કરતે. પછી પિતાનઃ સર્વ રસાલા સહિત ગુરૂને નમન કરવા જતો. ત્યાં ગુરૂને એકને બાણું ધાને એ શુદ્ધ એવું દ્વાદશવવંદન કરીને તે પુનઃ પ્રત્યાખ્યાન કરતે. પછી શેવ મુનિને પણ તે મોટા-નાનાને અનુક્રમે નમસ્કાર કરો, અને પ્રત્યેકને શરીર તથા સંયમની નિરાબાધતા છે. પછી અંજલિ જેડીને ગુરૂના મુખથકી વ્યાખ્યાન સાંભળતો. અને તે પૂરું થયે ઉો થઈ ગુરૂને વઢીને પિતાને સ્થાને જતો. ત્યાં જઈ રાજ્યકાર્યો કરીને માયારડિત ભક્તિવડે માહિક જિન પૂજા કરતે. પછી પિતાના પરિવારની ખબરઅંતર પુછી, વિશુદ્ધ અન્નપાનથી મુનિઓને પ્રતિલાલી, દુર્બળ શ્રાવકને જમાડી તથા ને બહુ સારા નિત્તર કિસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #175 -------------------------------------------------------------------------- ________________ 15 " અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, દીન-અનાથાદિને મેઘની કે ઈરાર્થનવડે સવા પમાડી પિતાનું પ્રત્યાખ્યાન સંભારીને, પોતે સમ્યભાવથી ભેજન ગ્રહણ કરતે. પુનઃ પણ સુનીતિસહિત રાજ્યકાને વિચાર કરીને દિવસને આઠમે ભાગે ( એક પ્રહર દિવસ છતે ) તે સાંજનું ભજન લે, પછી જિનબિંબની બહુમાન સહિત સધા-અર્ચ કરીને, પ્રતિક્રમણ કરી પુનઃ સ્વાધ્યાય કરતા. શક્તિને અનુસાર અબ્રહ્મને ત્યાગ કરતા. અને દેવ, ગુરૂ તથા પરમેષ્ટીનમસકારનું સ્મરણ કરીને ગ્ય સમયે નિદ્રા લેતો. જ્યારે નિદ્રામાંથી જાગી જતો ત્યારે બ્રહ્મચારી મુનિઓને વિષે પરમ હર્ષ ધારણ કરતે આ પ્રમાણે ચિંતવન કૉ-સ્ત્રીઓના કૃષ્ણ એ કેશને વિષે, તથા મજા અને ધાતુરૂપમળને વિષે, મૂઢ કે કેવી રીતે વૈર્યમણિના કિરણની શેભાની કલ્પના કરતા હશે ? હા ! દિમઠ અને પશ્ચિમ દિશાને જેમ પૂર્વદિશા માને છે તેમ વિપર્યસ્ત બુદ્ધિના રાગાંધ મળે પ્રીતિને લીધે, સ્ત્રીના કર્ણ-ગંડસ્થળ-એ-ષ્ટિનાસામુખ-દન્ત આદિને અનુક્રમે ઍખા-આદર્શ–પ્રવાળા-કમળ-સુવર્ણ કષ્ટી ચંદ્રમા-કુદવની કળીઓ માને છે. વળી હર્ષથી ગરાંગી સ્ત્રીનાં સતયુગળ જેને મોડને લીધે તેમને સુવર્ણના કુંભ માને છે પણ માંસના લે.ચા નથી માનતા. એ જ પ્રમાણે એ કિશુન્ય જને સ્ત્રીઓના શેષ અંગેને વિષે પણ પિતાને ગમે એવું આજે પણ કરે છે એ શું ? વળી અસ્થિર પ્રેમને વિષે પણ વિલ્હી એવા એ મૂઢ લેક સ્ત્રીએ પોતાના મુખમાંથી આપેલું લાળયુકત ઉચ્છિષ્ટ તાબુલને પણ અમૃત સમાન ગણે છે! એટલું જ નહિં પણ સ્ત્રી જે નિયપણે મસ્તકપર પ્રહાર કરે છે તે એ કે, કકેલિવૃક્ષ જેમ પુપેને ધારણ કરે તેમ હર્ષના માંચને ધારણ કરે છે. માટે જેઓ બાળપણથી આરંભીને ચાવજીવ બ્રહ્મચર્ય પાળે. છે તેમને ધન્ય છે ! અથવા તો સ્વર્ગની વાવના કમળાની સુવાસ વિશે શું કહેવું ? વાસથી ભેગવ્યા વિનાજ આપી દઈને-પડતા મૂકીને) અથવા ભેગવ્યા પછી પણ જે , સાજને વિષયે ત્યજી દે છે તેમને ધન્ય છે ! વધારે શું કહેવું ? જે માણસ ગમે તે રીતે, ગમે. તે અવસ્થાને વિષે ગમે તે સ્થળ P.P. Ac. Gunratnasuri M.S. un Gun Aadhak Trust Page #176 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિશાળી મંત્રીશ્વરની ઉત્તમ ભાવના. 15 અને ગમે તે સમયે કામને પરાજય કરે છે તે જ વિજેતા છે; તેની અમે સ્તુતિ કરીએ છીએ, તેજ સકળ પૃથિવીને શૃંગાર અને અર્ગનું આભૂષણ છે. તેનાથકીજ કાતિ પ્રસરે છે, ગુણી જ તે છે અને સર્વ શુભ પણ તેને વિષે જ છે. એવું કયું ઉત્તમ વર્ષ થશે, એ કર્યો માસ થશે, એ કર્યો પક્ષ થશે, એવી કઈ તિથિ થશે-અને એવું કયું મુહુર્ત કે ક્ષણ થશે-કે જેને વિષે હું મેઘકુમારની પિઠે સર્વસંગ પરિહરીને શ્રી મડાવી પ્રભુના ચરણ સમીપે દીક્ષા અંગીકાર કરીશ ? કયારે હું નિરતર ભગવાનના ચરણકમળની સેવા કરતો છતો, સૂર્યની સંગાથે બુધ ગ્રહ ફરે છે તેમ, તેમની સંગાથે વિહાર કરીશ? " એ પ્રમાણે ચિંતવન કરતો પુનઃ નિદ્રા લઈ વખત થયે તેને ત્યાગ કરી, ઉડીને પૂર્વ પ્રમાણે પ્રવૃત્તિ કરતે. કારણકે વિચક્ષણ પુરૂષ કદાપિ વૃથા ભમતે ફરે ખરે? આ પ્રમાણે અભયકુમાર નિત્ય ચઢતે ચઢતે હર્ષસહિત અનુષ્ઠાન કરતો; કારણકે દિવસ પતિ સૂર્ય શું કદિ પણ આકારમાં) ચઢ્યા વગર રડે છે ? વળી તે, રોગીના દેહને ઉત્તમ ઔષધીથા વૈદ્ય શુદ્ધ કરે છે તેમ, પિતાના આત્માને યથાયોગ્ય રીતે ધર્મકાર્ય કરીને શુદ્ધ કરતે; તથા પિતાને વખતે પિતાની પટ્ટરાણી-સુપેનાંગજા સાથે પ્રેમદ સહિત નાના પ્રકારના વિનેદ પણ કરતા. એમ ઉત્સાહ-મંત્ર-અને પ્રહશક્તિની પેઠે પરસ્પર શત્રુભાવરહિત એવા ધર્મ-અર્થ-અને કામને ચગ્ય સમયે પ્રજને બુદ્ધિશાળી અભયકુમાર અત્યંત વિરાજવા લાગ્યું. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #177 -------------------------------------------------------------------------- ________________ - હવે પિતાના આદેશથી સદા લીલામાત્રવડે નીતિપૂર્વક રાજયલક્ષમીનું ચિંતવન કરતા ધીમંતશિરોમણિ નંદાપુત્રઅભયકુમારની સેવા કરવાને જ હેયની એમ શિશિરઋતુ બેડી. તે વખતે ઉત્તર દિશાના વાયુને પ્રાપ્ત કરીને શીત સર્વત વિસ્તાર પામવા લાગી. પણ એમાં લેશમાત્ર આશ્ચર્ય નહેતું કારણકે વિભુના ઘરના વાયુથી લોકને વિષે કેશ નથી વિજભ' પામતું? વળી અત્યંત જડતાવાળા એવા એ કાળને વિષે રાત્રી પણ વૃદ્ધિ પામવા લાગી; અથવા તો પરસ્પર મિત્રિાવ ધારણ કરનારા એવા એ બેમાંથી એક વૃદ્ધિ પામે એટલે અન્ય પણ વૃદ્ધિ પામે છે. તથા દિવશે જાણે “આપણે પતિ-સૂર્ય, સહસાકરવાળે છતાં પણ જડતાને લીધે શું નિસ્તેજ થઈ ગયે.” એમ જાને નિશ્ચય અત્યંત વિષાદને આધીન દઈને જ હોયની એમ કૃશ ( ટુંક) થવા લાગ્યા. છંછે તે એટલી કડકડતી પડવા લાગી કે સર્વત્ર તળાવડીએનાં જળ પણ ઠરી ગયાં; તે ભાજપને વિષે રહેલાં છૂતની તે વાત જ શી ? હિમના સમૂડેએ લારીના નિવાસભૂત એવા કમળપુને પણ કામાત્રમાં સંહાર કરી નાંખે; અથવા તે મનુષ્ય પણ જડની સાથે મળીને, એકલા ગુણેના જ નિવાસભૂત (ગુણશાળી) હેય એવાને પણ શું શું ઉપસર્ગ નથી કરતા? તે વખતે સૂર્યોદય સમયે વાતે શીતવાયુ પણ ધાન્યના સમૂહ-તૃણ અને વૃક્ષોની શાખાઓને બાળી નાંખવા લાગે અને પ્રાણીઓના અંગ પણ કંપાવવા લાગે; અહે ! દિવસ પામીને (ઉદય-ઉચ્ચ સ્થીતિ પ્રાપ્ત કરીને ) કેઈ વિરલ જ માનવજનને હિતકતો થાય છે. (પણ) ધનવાન લેકે તો ચંપકપ્રમુખના તેલના અભંગ કરી તથા કેસરદિના વિલેપન - કરીને સગડી પાસે બેસી સુખમાં કાળ નિર્ગમન કરવા લાગ્યા. અત્યંત શીતથી પીડાતા : (1) વિસ્તાર પામવે; (2) વગાસું ખાવું. 2. પત્ર, વાસણ, Page #178 -------------------------------------------------------------------------- ________________ આ શિશિરઋતુના સંતાપ. 161 દરિદ્રી માણસેનાં બાળકે નિરતર ભજન કે વસ્ત્ર વિનાનાં હોઈને અંગે પાંગ સંકેચાઈ જવાને લીધે, જાણે ચતુર ગવૈયા જ હાયની એમ દંતવાણુ વગાડવા લાગ્યા. માર્ગને વિષે શીતથી પીડાતા પાંથજને પણ સ્ત્રીના પરિરંભથી થતા શીતાપદને સંભારીને જ જાણે, હદયને વિષે રહેલી એવી એ સ્ત્રીને પરિરંભ કરવાને ઇચ્છતા હોયની એમ તે (હૃદય) ને ભુજાવડે દાબવા (ભીડવા) લાગ્યા. તાપને ઉત્પાદક સૂર્ય છે; તથા જળને ઉત્પાદક મેઘ છેએમ ભુવનને વિષ સર્વ વસ્તુનું કંઈને કંઈ ઉત્પાદક કારણ હોય છે; પણ આ શીતનું તે કાંઈ જ કારણ જણાતું નથી, તો શું એને માતા કે પિતા કેઈ નહિ હોય? લોકો પણ પરસ્પર કહેવા લાગ્યા કે આ દુષ્ટ હતુથી કદથના પામતા એવા અમે અમારાં કામકાજ પણ કરી શકતા નથી, માટે હવે એ આપણું દુઃખ લઈને કયારે જશે ! દિશાઓ પણ સર્વે “અહે ! અમારૂં વિભુત્વ છતાં પણ આ શીત કઈ એવે પ્રકારે જનેને નિરન્તર દુઃખ દે છે કે અમે તેમનું રક્ષણ કરી શકતી નથી” એવા ખેથીજ જાણે પ્રભાતે પ્રભાતે ગ્લાનિ પામવા લાગી. ચંદન-કપૂર-ચંદ્રજ્યોત્સના-મૃણાલ અને મુક્તાફળના હાર એ સર્વને વિષેથી સભાગ્ય ( નીકળીને ) કેસર–અગ્નિ અને સૂર્યની પ્રભાને વિષે આવ્યું અથવાતે સર્વ વસ્તુની સમય આવ્યે કિંમત થાય છે. પ્રિયંગુલતાથી સમન્વિત એવા સિંદુવાર વૃક્ષને તથા કુંદલતાએ સંયુક્ત એવા રોઘ તરૂવરને, બરાબર પિતાને વખતે આવેલા બળવાન્ વાયુને લીધે પુષ્પ આવ્યાં અથવાતો સમર્થ એવા વાયુના સેવનથી કેણ પુષ્પિત (નવજુવાન) નથી થતું? ઉષ્ણતાને તે સમયજ્ઞ એવા પ્રજાપતિએ ઉંડા કુવાને વિષે, હેટા વડની છાયાને વિષે અને સ્ત્રીઓના સુંદર ળ સ્તનયુગળને વિષે રાખીતે જાણે બીજને અર્થે રાખી હેયની ! ( ઉષ્ણતા પુનઃ જોઈએ ત્યારે ક્યાંથી લાવવી. માટે ધાન્યને માટે બીજ રાખી મુકે છે તેમ ત્યાં બી તરીકે રાખી મુકી). તે સમયે, જેમણે હેમાચળને પણ ડેલાવીને પિતાનું સામર્થ્ય પૂરવાર કર્યું હતું એવા, તથા પૃથ્વીપતિ રાજાઓ અને સ્વર્ગપતિ ઇંદ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #179 -------------------------------------------------------------------------- ________________ અર્જ ર 12 અભયકુમાર મંત્રીધરનું જીવન ચરિત્ર. સદ્ધાં જેમના ચરણની સેવા કરી રહ્યા હતા એવા શ્રીવીરજિનેશ્વર ગૌતમસ્વામી પ્રમુખ સંસદા સહિત ત્યાં આવીને માર્યા એટલે પિતાના સિન્યના ચાલવાથી ઉડતી રજથી પ્રભાપતિ-સૂર્યને આછાદિત કરતે શ્રેણિકનારેશ્વર તેમને વંદન કરવા એક કારણ કે જેમની સુરપતિ પણ ઉપાસના કરે છે એવા પ્રભુને વાંદવા જવાને કણ ઉતાવળું નથી થતું ? જિનરાજને મરકાર કરી દેશના સાંભળી ભૂપતિ સંધ્યા સમયે જે નગરભણી પદે ફતે હતે તેવામાં સરોવરના સમીપમાગમાં નાસિકાના અગ્રભાગને વિષે દષ્ટિને સ્થિત કરી શીતપસર્ગ સહન કરવાની ઇચ્છાથી બે પ્રકારે કાર્યોત્સર્ગ કરતા, મૃતિમાન સદ્ધર્મના સમૂહ હાયની એવા એક નિ:વસ્ત્ર મુનિ તેની દષ્ટિએ પડયા. એટલે એમના સદગુણોની પ્રશંસા કરતાં કરતાં વાહન થકી નીચે ઉતરી, રતિ સહવર્તમાન વિજયશાલી કામદેવ હેયની એવા મહીપતિએ ચેલૂણારાણી સહિત અતિ હર્ષવડે મુનિને વંદન કરી. પછી ચિત્તને વિષે સતેષ પામી પુનઃ વાહનમાં બેસી સાધુની સ્તુતિથી કર્મ ખપાવતાં તેણે, જવ કર્મપ્રકૃતિ સહિત પુરને વિષે પ્રવેશ કરે તેમ રાણી સહિત નગરને વિષે પ્રવેશ કર્યો. ત્યાર પછી મહાન સામતે આદિને રજા આપી આદરસાહત સાયંતન કૃત્ય સમાપ્ત કરી કપુર-અગુરૂ-ધુપ આદિથી વાસિત એવા વાસગૃહને વિષે પ્રવેશ કર્યો. ત્યાં એ નરેશ્વર, નિધિ સમુદ્રને વિષે શેષનાગની પીઠ પર શ્રીકૃષ્ણવાસુદેવ લક્ષ્મીની સંગાથે શયન કરે છે તેમ, ચેલુણરાણીની સાથે એકજ સુકમળ પલંગ પર સ્નેડ સહિત શયન કર્યું, અને મનથી તે આપણું પ્રથમથી જ ઐક્ય છે તે ચાલે. હવે શરીરથી પણ એ (એક્ય) કરીએ " એમ વિચારીને જ હોયની એમ દંપતી પરસ્પર (શરીર) મનપૂર્વક ગાઢ આલિંગન દઈને સૂતાં. હવે નિદ્રાવશ થયા પછી તેમનું ગાઢ આલિંગન છુટી ગયું (કારણ કે એ (નિદ્રા) સર્વ પુરૂષાર્થને ઘાત કરનારી છે); રાણીને હાથ જાણે શીતની પરીક્ષા કરવાનેજ હોયની એમ - 1, (1) દ્રવ્યથી, શરીરને (2) ભાવથી, ચાર હાથને, ત્યાગ કરતા, P.P. Ac. Gunratnasuri M.S. Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક રાજાની શંકા. 163 પ્ર૭પટમાંથી બાર નીકળી ગયે. “આપ્તજનની પેઠે મારે આ ચેટરજાની પુત્રીને સિંદર્યવાન અંગેનો કેઈકાળે કયાઈએ સમાગમ થયું નથી, તે આ વખતે આ હાથ દેખાય છે તે કેવોક છે” એમ વિચારીને જ જાણે રાણીના એ બહાર રહેલા હાથને વિષે સત્ર શીત વ્યાપી ગઈ. એટલે એ વેદનાને લીધે ચેલ્લણ જાગી ઉડી; કારણ કે જડતા સર્વ દિશાને વિષે સુખડતો નથી. એટલે લતા પિતાના ફળનેજ જેમ તેમ, એણે સીત્કાર કરીને હાથને પ્રછિદ પટને વિષે લઈ લીધે; અને દિપે જોયેલા મુનિનું સ્મરણ થઈ આવવાથી એ બેલી ઉડી-હા ! એનું શું થયું હશે?” પણ પુનઃ ક્ષણવારમાં જાની અધયકીના સમાન સરલ આશયવાળી એ નિદ્રાવશ થઈ ગઈ. તે જ ક્ષણે રાજા જાગી ગયે; કારણકે મહંત પુરૂષને નિદ્રા સદા સ્વલ્પ હોય છે. જાગી જવાથી રાણીના શબ્દો એને કાને પડયા અને તેથી એ કોષે ભરાયે; કારણકે પ્રિયાને વિષે અત્યંત આસક્ત હોય છેએ બે પશુ ઈચ્છમાવ થી રતિ હેતા નથી. રાજાએ વિચાર કર્યો કે કમળનીના કમળદંડને વિષે ભ્રમર વાસ કરે છે તેમ એના હૃદયને વિષે કઈ મલીમસ જને વાસ કર્યો છે, તેથી તેને શીતળી પીડા થતી હશે " એમ એ શેક કરે છે; કારણ કે ચેતન હદયને વિષે હેય છે તેજ બેલી નાંખે છે. માટે નિશ્ચયે સ્ત્રીઓ, દુર્જનની ચિત્તવૃત્તિ ની પિડે, દ્રવ્ય આપવાથી, માન દેવાથી, સુંદર નવડે સમજાવવાથી, લાભ દેખાડવાથી, લેભમાં નાંખવાથી, બહુ ભય બતાવથી, કામરી, ભેગથી, અમૃતમય વાણીથી, વિશાળ કળાયાનુદી છે કે દ–ગાંભીર્વ-સુરૂપ-શુરતા-ભાગ્ય-દાક્ષિણ્યસુર્ય-ચે.વન આપી પણ નિરન્તર અગ્રાહ્ય છે. શાકિની-વૃશ્ચિક સપ– ગની-વેવાલ-ભૂત-ગૃધ્યક્ષ અને રાક્ષસ પ્રમુખને વશ કરવાને આષધી મંત્ર આ છે તંત્રય-ત્ર વિદ્યમાન છે; પણ નારીજનને વશ કરવાને તે કેઈ ઉપાય નથી. આમ એ સતી સ્ત્રીના સતીત્વને ઉલટું પ્રકલ્પીને ભૂપતિએ જેિ તેણે કલંક્તિ હેવાની શંકા કરી તે હા ! પિટ ચોળીને શૂળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #181 -------------------------------------------------------------------------- ________________ 164 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, ઉત્પન્ન કર્યા જેવું થયું ! કુત્સિત વાદીની પિઠે દુષ્ટ વિકલ્પ કરી કરીને અને સત્કવિની પેઠે જાગતા પડી રફીને એણે આખી રાત્રી દુઃખમાંજ નિર્ગમન કરી; કારણ કે કોધથી દેષિત ચિત્તવાળાઓને નિદ્રા કયાંથી હોય? પછી પ્રભાત થયે પ્રચંડ પ્રતાપવાળા મહીપતિએ નંદા પુત્ર અભયકુમારને આદેશ કર્યો કે-અતઃપુર દેષિત છે માટે એને ભસ્મ કરી નાખે, વેદના વચનની પેઠે મારા વચનને વિષે લેશમાપ શંકા ન લાવવી. એમ કહીને એ નદીના વેગ કરતાં પણ વધારે ત્વરાથી શ્રીજિનપતિને વંદન કરવા ગયે, તે જાણે આચાર અને વિચારને વિષે દુરાગ્રહી એ એ પાછળ શું થાય છે એ કંઈ જાણે નહિં એટલાજ માટે હેયની ! જેને કેઈને ભય નથી એવો અભય પણ પિતાથી ભય પામ્ય, અને આપત્તિ સમયે મિત્રતુલ્ય એવા હદયની સાથે મ ત્રણ કરવા લાગ્ય-આ કાર્ય વિચારવા ચગ્ય છે છતાં પૂજ્ય પિતાએ મને વગર વિચાર્યો કરવાનો કેમ આદેશ કર્યો? કારણ કે દુધમાં પણ કદાપિ પૂરા હોય, શંખને વિષે પણ કદાપિ કૃષ્ણ લાંછન હોય, અમૃતને વિષે પણ કદાપિ વિષ હોય, પણ જનનીને વિષે કદીપણ કલંક હોય નહિં, માટે મારે જનનીનું રક્ષણ કરવું યુકત જ છે. પણ વળી પૂજ્ય પિતાની આજ્ઞા જુદી છે. આહા! મારે “એક બાજુએ સિંહ અને બીજી બાજુએ નદી” જેવું થયું છે, માટે હવે શું કરવું ? એમને સમુદ્રના કલ્લોલ જે આરંભમાં અતિ દુર્ધર એ ક્રોધ ઉત્પન્ન થયે છે માટે આવે વખતે કંઈ મ્હાનું બતાવી એવું કરું કે એમને એ કીધ સ્વછંદ માણસના હાથમાંથી દાસીજન નાસી જાય તેમ ભ્રંશ પામે ( છુટો પડે, નાશ પામે, શાન્ત થાય. ) એમ વિચાર કરીને એ વિચક્ષણ મંત્રીશ્વરે અતઃપુરના સમીપ ભાગે રહેલી પુરાતન ઝુંપડીઓને સળગાવી દીધી, અને વાત એમ ફેલાવી કે અન્તઃપુરને વિષે આગ લાગી છે; (ખરે) સપુરૂષના કાર્ય સુંદર પરિણામવાળા હોય છે. હવે અહિં સમવસરણને વિષે જઈને શ્રેણિક રાજાએ પ્રભુને P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #182 -------------------------------------------------------------------------- ________________ મુંડાવ્યા પછી વાર શો પૂછ. પૂછયું– જિનેશ્વર, ચેલ્લણ પતિવ્રતા છે કે અપતિવ્રતા ? પણ, અહો ! આ એને પ્રશ્ન મુંડન કરાવ્યા પછી નક્ષત્ર પૂછવા જે હતે. પ્રભુએ કહ્યું એ પતિવ્રતા સ્ત્રી છે; એના વિષે વિરૂદ્ધ શંકા ન લાવ. એ તો સીતા અને સુંદરીની પેઠે સર્વ સતીને વિષે શિરોમણિ છે. એ સાંભળીને તે એને એના અવિચારીપણે કરેલા કાર્યને અતિશય પશ્ચાતાપ થયે તેથી ઉભું થઈ પ્રભુના ચરણકમળને નમસ્કાર કરી, ધનુષ્યથી છુટેલાં બાણની જેમ, અતિ વેગથી દેડતો આવ્યો અને સામા આવતા અભયકુમારને પુછવા લાગ્યું–હા ! મારા આદેશ પ્રમાણે તું બધું કરી ચૂક કે? એણે પણ ઉત્તર આપ્યું કે રામનું ભૂષણ પિતાને આદેશ પાળવામાં હતું તેમ મારું પણ આપને આદેશ પાળવામાં જ છે. હે પિતા, મેં તેજ વખતે તે બજા છે; આ સેવકે કદિ પણ એ ( આદેશ ) અન્યથા કર્યો છે?” તે સાંભળીને, તનને વિષે કફ અને સાથે વાયુ વ્યાપે તેમ રાજાના શરીરને વિષે શેક અને કેપ બને વ્યાપી ગયા અને એ કહેવા લાગ્યા હે દુષ્ટ, તેં શુધ્ધ શીલવ્રત પાળનારી તારી પતિવ્રતા માતાઓને બાળી નાંખી ! તે એમ ધાયું હશે જે હું લંકાને વિષે વિભીષણ એકલે રાજ્ય કરતો હતો તેમ, આ નગરને વિષે એકલે રાજ્ય કરીશ! તું જ જીવતા રહ્યા કરતાં એ અગ્નિને વિષે કેમ ન પડે, તને શું મંદિરને વિષે બેસારીને પૂજા છે?” આ પ્રમાણે નરેશ્વર અભયકુમારને ક્રોધયુકત વચને કહેવા લાગ્યઃ અથવાતો રાજાઓ રસનેન્દ્રિય-જીવ્હાને યથા રૂચિ હલાવે છે. અર્થાત એઓ મનમાં આવે એમ બોલી નાખે છે. 1. પિતાના એવા કોપના શબ્દો સાંભળીને અભયકુમાર હાથ જોડીને બે–હે તાત, અરિહંત પ્રભુનાં વચન જેણે હંમેશાં સાંભળ્યાં છે એવા મારા જેવાને એક અજ્ઞાનીની પેઠે બાળમૃત્યુ છે ખરું? હતે સમયે ( વખત આવ્યે ) જિન ભગવત પાસે દીક્ષા લેવાને છું. જે પુજ્ય પિતાએ પ્રથમ એવી આજ્ઞા કરી હોત તો હું સળગતી અગ્નિને વિષે પડયે હેત. પણ પિતાની મેળે એમ પડીને બળી મરવાથી તે ધર્મ કે કીતિ એ બેમાંનું એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #183 -------------------------------------------------------------------------- ________________ 166 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પ્રાપ્ત થતું નથી. ત્યારે નૃપતિએ પુનઃ કહ્યું-અહે! મેં ભૂલ કરી ત્યારે તે પણ કેમ ભૂલ કરી? અરે એક મૂર્ખ માણસ કુવામાં પડે તે શું બીજાઓ પણ પડે છે કે ? ભારવાડક જે તું પણ હવે એમનું મુખ કયાં જેવાને છે! તું તારીજ માતાઓને પ્રાણહારક ક્યાંથી થા ? દિને વિષે પંચમ લેકપાળ પક્ષીભૂત થાય છે તેમ તું આમાં કોને વિષે સાક્ષિભૂત કયાંથી ? શું તને પણ મતિ ન સૂઝી?” આમ બોલતાં બોલતાં મૂછ આવવાથી નરેશ્વર ક્ષણવારમાં, પ્રતિસ્પર્ધી હતીથી ભેદતાં અંગવાળા ગજરાજની પેઠે ધરણી ઉપર ઢળી પડે. તે વખતે “આડા ! જાણે એ સર્વ મેં પરમાર્થતઃ ( સત્યપણે ) કર્યું હોયની એમ તેમને યથાસ્થિત વાત ન કડી” એમ અતિ ખેદ ધારણ કરતા અભયકુમારે શીતોપચારવડે પિતાને ક્ષણમાં સચેતન કર્યા. પછી નમન કરીને તે બોલે છે સ્વામિ, આપના પ્રસાદથી, નિત્ય ઉલ્લાસ પામતા એવા નિર્મળ શીલ-અલંકારથી શોભતા અન્તપુરને વિષે અત્યન્ત ક્ષેમકુશળ વર્તે છે; અથવા ધમાં હોય ત્યાં સુધી પાપ કેવી રીતે પ્રવેશ કરી શકે? મહાસાગર સમાન ગભીર હૃદયવાળા આપના જેવાની, આજ મારા માતૃજન પર અકૃપા થઈ એ એમનાં દુર્ભાગ્યને લીધેજ, એમાં અપ કંઈ કારણભૂત નથી, કારણ કે ધરતી કંપાયમાન થાય તે કઈ અરિષ્ટને લીધે જ થાય છે. હે પ્રતાપે કરીને લકેશ્વર જેવા પૂપિતા, હે ભાગ્યભાજન, મેં ક્ષણવાર વિચાર કરીને અંતપુરની પાસે આવેલી હસ્તીની છણે ઝુંપડીએ બાળી નાંખી છે; અને એમ કરીને આપની આજ્ઞા પણ પાળી છે. એ સાંભળી હથો વષોવતા રાજાએ પુત્રને કહ્યું- હે વત્સ, ભુવનને વિષે તુંજ માત્ર લેનવાળો છે; કારણ કે તે આજે હૃદય રૂપી ચક્ષુથી જોયું છે; અને ધન અને કીGિરૂપી ઉત્તમ સદ્ગુણ ઉપાર્જન કર્યા છે. તું જ પુત્રને ધેિ શિરે મણિ છે. તું જ ગોત્ર રૂપી કમળને સૂર્ય સમાન છે; તુંજ ગમે તેવી બુધિથી અછત છે; અથવા તું જ સર્વગુણસંપન્ન છે, કારણ કે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #184 -------------------------------------------------------------------------- ________________ ' એકદંડીએ મહેલ. " જ આ કલંકથી મને ઉગાર્યો છે. અન્યથા, હું મુખ કેવી રીતે બતાવત?” અહો ! રાજાની આ વાણી અમૃતમય હતી, અથવા તે જીત થયા પછી સે તિપિતાને અદ્વિતીય માને છે. તે વખતે નરપતિએ અભયને મહા કૃપા બતાવીને ઈનામ આપ્યું. પણ માતૃજનની રક્ષા કરવાથી તેણે જે ઉપાર્જ કરી તેની પાસે એ છ ધનની ઉપાર્જના કશામાત્રમાં નહતી. ' હવે રાજગૃહેશ્રવર શ્રેણિક નરપતિ ચેટકરાજપુત્રી-ચેલૂણને જાણે પુનઃ નવે અવતાર આવ્યું હોય એમ માનીને તેનાં દર્શન કરવાને અત્યન્ત ઉસુક બની તેના ઉંચા વાસગૃહ પ્રત્યે . ત્યાં તે તેણીની સંગાથે નવનવીને પ્રેમને વહુન કરતો વિવિધ પ્રકારના વિનેદ સહિત ક્રીડા કરવા લાગે; કારણકે, શિશિરઋતુને વિષે મેઘથી આચ્છાદિત થઈને પુનઃ બહાર નીકળે સૂર્યની જેમ વિપત્તિ ઓળંગી આવેલ સ્વજન અત્યંત વધારે પ્રિય લાગે છે. એકદા તે રાજાને કહેવા લાગી–હે પ્રિય સ્વામિ, મને એક સ્તંભને એક સુંદર મહેલ કર લી આપ; કે જેથી હું, શિખાને લીધે એક મયૂરી બીજીઓથી ચઢે છે તેમ, આપની અન્ય રાણીઓથી વિશેષ થાઉં. હું આપના પ્રસાદથી અતિ સુખને લીધે ઉદય કે અસ્ત કંઈ જાણતી નથી; તેથી, હે પ્રાણપતિ, મહા વિમાનને વિષે સુરાંગનાઓ કીડા કરે છે તેમ, હું ત્યાં રહીને કીડા કરવાને ઈચ્છું છું.” મહીપતિ એ વાતની હા કહી; કારણકે પ્રિયાને અર્થે પુરૂષ શું શું નથી કરતે ? પછી એણે “ચલ્લણને રહેવા માટે આકાશ સાથે વાતો કરતો એક સુંદર એકતંભને મહેલ તૈયાર કરાવ” એમ અભયમંત્રીશ્વરને આદેશ કર્યો; કારણકે જેનાથી પિતાનું પ્રયોજન નિષ્પન્ન થાય એવાને જ સ્વામીએ પિતાનું કાય ઍપવું કહ્યું છે. આ અભયકુમારે પણ વાસ્તુવિદ્યાને વિષે પ્રવીણ એવા સુથારને એ કામને આદેશ કર્યો; કારણ કે જે ઉદાર ચિત્તવાળા અને અન્ય માણસો કામ કરનારા હોય છે તેઓ પોતે શું કદિ કામ કરે છે ખરા ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #185 -------------------------------------------------------------------------- ________________ 168 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. પછી એ સુથારે અભયમંત્રીશ્વરના આદેશથી તંભને અર્થે અરયને વિષે જઈ, ખરીદી કરનારે બજારને વિષે કરિયાણાની પરીક્ષા કરે છે, તેમ, સર્વત્ર વૃક્ષેવૃક્ષની પરીક્ષા કરવા માંડી. એમ કરતાં, પ્રસન્ન અને રસયુક્ત કાવ્યને વિષે કવિજનનું મન વિશ્રમે છે તેમ એકાદ વૃક્ષને વિષે એનું મન વિશ્રામ પામ્યું. યોગ્ય લક્ષણથી ઉપલક્ષિત એવા એ તરૂવરને નિહાળીને એણે હૃદયને વિષે વિચાર કર્યો કે-ગાઢ છાયાવાળું આ વૃક્ષ બે ભાગમાં વહેંચાયેલું છે; વૃષભની પેઠે એ પુષ્ટ સ્કંધ યુક્ત છે; રાજાની પેઠે છત્રવાળું છે; વેદની પેઠે શાખા અને પ્રશાખાનું ધામ છે, અને સમુદ્રની પેઠે ઉલ્લાસ પામતા પ્રવાળાનું સ્થાન છે. વળી એ પવિત્ર નરેવરની પેઠે પુપયુકત છે; પણ ના અધિક આરંભની પેઠે ફળોએ કરીને સહિત છે; મગધેશ્વરના રાજ્યની પેઠે ઉંડા મૂળવાળું છે અને સાધુપુરૂષના મનની જેમ પૃથુ અને ઉન્નત છે. અહિં જેવાં તેવાં વૃક્ષે પણ પ્રાયઃ અધિષ્ઠાયક દેવતા વિનાનાં હતાં નથી; અને આતે વળી આવી લફમીએ યુક્ત હોવાથી દેવતાથી અધિષ્ઠિતજ છે એમ સ્પષ્ટ જણાય છે. તેથી એને છેદવું ન જોઈએ કારણકે કદાચિત વિદ્ધ કરે. માટે હું નિશ્ચયે ઉપવાસ પૂર્વક વિધાન કરૂં કે જેથી આ મારું કાર્ય ત્રણમંગળ કરીને સહિત થાય” એ બુદ્ધિશાલી સુથારે એવો નિશ્ચય કરી ઉપવાસ કરી પ્રતિષ્ઠાને આગલે દિવસે બિંબને કરે છે તેમ સુધિ ધૂપ-ગંધ-કુસુમ આદિથી એ વૃક્ષને સુવાસિત કર્યું. એ વખતે એ તરૂવરના અધિષ્ઠાયક દેવતાએ શ્રેણિક રાજાના પુત્ર અભયકુમારને જઈને કહ્યું કે હું સર્વ તુના પુષ્પ અને ફળના સમૂહથી યુક્ત એવા વૃક્ષોની વાટિકાએ કરીને સહિત એ તારા મન ધાર્યો મહેલ તને કરી આપીશ માટે મારું આશ્રયભૂત જે વૃક્ષ છે તે તારે છેઠાવવું નહિં; માટે સત્વર તારા સુથારને પાછે બોલાવી લે; કારણ કે અર્કનેર વિષે મધ મળે ત્યારે પર્વત પર કેણ જાય ?" એ પરથી રાજકુમારે એ સુથારને " આપણું કાર્ય સિદ્ધ થઈ 1. (1) થડ (2) ખભા. 2. આકડાનું વૃક્ષ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #186 -------------------------------------------------------------------------- ________________ . રાજારાણું કે દેવદેવી ? ચહ્યું છે એમ હર્ષ સહિત કહેવરાવીને પાછા બોલાવી લીધે. એટલે દેવતાએ ક્ષણવારમાં એ પ્રાસાદ બનાવી દીધે; અથવા તો સ્વર્ગના વાસી એવા એઓને ચિંતવ્યા માત્રથી જ સર્વ વસ્તુ સિદ્ધ થાય છે.' પછી ન્હાના-મોટા સર્વ અમાના શિરોમણિ એવા એ અભયમંત્રીશ્વરે રાજાને ત્યાં આગળ લઈ આવીને કહ્યું કે-હે પ્રભુ, આપના યશના સમુહ જે આ સુધાથી પેલે એક તંભને મહેલ આપ : દૃષ્ટિએ કરીને આદર સહિત નિરખે વળી સર્વદા ફુલી રહેલાં તથા ફળી રહેલાં આમ્રવૃક્ષ, રાયણના વૃક્ષ, બીજોરાંના વૃક્ષ, નારંગી તથા ખજૂરના વૃક્ષ, અશોક વૃક્ષ, દાડિમ તથા સંતરાના વૃક્ષ અને કદલી તથા મલ્લિકાના વૃક્ષોથી ભરાઈ ગયેલે, અને બંધુજીવ બાણ-આસન-જાતિ-સપ્તલા-પાટલચંપક-રાજચંપક-દ્રાક્ષ-નાગવલ્લી પ્રમુખ લતાઓનાં મંડપથી ઉભરાઈ જતો એ આ બાગ આપ નિહાળે. એટલે રાજાએ કહ્યું-અહા ! તને ફક્ત મહેલ કરવાનું કહ્યું હતું ત્યાં તે તે સાથે બાગ સુદ્ધાં બનાવી દીધે; અથવા તો સુખે કરીને વિવક્ષિત અર્થને વિન્યાસ કરતા એવા ઉત્તમ કવિજનની કૃતિમાંથી વ્યંગ્યાથે સુદ્ધાં નિકળે જ છે " પછી સ્થિર લગ્ન અને ઉત્તમ દિવસે ભૂપતિએ પ્રમાદ સહિત મહેલની અધિદેવતાજ હોયની એવી પિતાની હર્ષ પામેલ પ્રિય પટ્ટરાણુને તેને વિષે વાસ કરાવ્યું. ત્યાં તરૂવરની કુંજને વિષે નિરન્તર પિતાના સખીજન સાથે ઉચ્ચ પ્રકારની કીડાને વિષે લીન એવી એ ચેલણ વનદેવતા સંગાથે આનન્દકેલિ કરતી કામપ્રિયા રતિ હાયની એમ વિરાંજવા લાગી; અને વળી તેની સાથે ઉપવનના વડે જિનબિંબની પૂજા કરવાથી તથા પતિના કેશપાશ પૂરવાથી એ ધર્મ અને કામ અને ઉપાર્જન કરવા લાગી; કારણકે વિવેકીજનેની લક્ષ્મી અને લેકને સધાવવાવાળી છે. આ પ્રમાણે એ પ્રાસાદને વિષે, ધર્માર્થને કોઈપણ પ્રકારે વિશ્વ ન આવે એવી રીતે ભેગ ભેગવતા દંપતી, વિમાનને વિષે સુરપતિ અને સુરાંગના કરે છે તેમ સુખમાં કાળ નિર્ગમન કરવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #187 -------------------------------------------------------------------------- ________________ 170 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. એવામાં એકદા એજ નગરમાં એક માતંગપતિની પત્નીને આમ્રભક્ષણ કરવાને તીવ્ર દેહદ ઉત્પન્ન થયે તેથી એણે પિતાના સ્વામી પાસે એ ફળ માગ્યાં; અથવા તે પતિજ સ્ત્રીઓને યાચના કરવાનું સ્થાન છે. એ પરથી માતંગપતિએ કહ્યું-તું ઘેલી થઈ જણાય છે કે આવી સમય વગરની યાચના કરે છે. સ્ત્રીએ કહ્યું- હે નાથ, એ ફળ ચલણના ઉપવનને વિષે છે; બજારમાં કઈ જગ્યાએ નથી. એ પરથી માતંગપતિ દિવસે જ તે બાગને વિષે ગ; અને પરિપકવ એવાં ઉત્તમ આમ્રફળ જોઈ આવે; કારણકે ચેરલોકેને દિવસે જોયેલી વસ્તુ રાત્રીએ ચરી જવી સહેલી પડે છે. પછી રાત્રી સમયે ત્યાં જઈને અવનામિની વિદ્યાએ કરીને, ઉચી શાખાઓને હર્ષ સહિત નીચી નમાવીને પિતે જ એને વાવનાર હોઈને એ ગ્રહણ કરતે હોય એમ, એણે સ્વેચ્છાપૂર્વક આમ્રફળો ગ્રહણ કર્યા. પછી એણે ઉન્મામિની વિદ્યાનું સ્મરણ કર્યું એટલે શાખાઓ સભાગે બંદિખાનામાંથી છુટી અત્યંત હર્ષ થયાથીજ હાયની એમ ક્ષણમાં ઉંચી જતી રહી. હવે પ્રભાતે, કમળો તેડી લીધાથી શેભારહિત થઈ જતી કમલિનીની જેમ, આમ્રફળો તેડી લીધેલાં હેવાથી નિર્માલ્ય દેખાતા આમ્રવૃક્ષને એકાએક જોઈને ચેલ્લણા ચિત્તમાં બહુ વિષાદ પામી. અને એ વાત એણે જઈને રાજાને કહી કે-હે આર્યપુત્ર, કેઈએ આમ્રવૃક્ષની વાટિકાના ફળ તેડી લીધાં છે તેથી એ સુવસ્ત્રાલંકાર વિનાની વિધવા સ્ત્રી જેવી થઈ ગઈ છે. " પૃથ્વીપતિએ એ સાંભળીને તત્ક્ષણ અભયકુમારને આદેશ કર્યો કે-હે અભૂતબુદ્ધિના નિધાન, સત્વર અને ચેર પકડી લાવ, કારણકે જેને વિષે આવું કેન્સર સામર્થ્ય છે તેનાથી અતઃપુરને વિષે પણ હાનિ થવાનો સંભવ છે. અભયકુમારે કહ્યું–હે પૂજ્યતાત, ખાલી હેટી હેટી વાતે કરવી એમાં કાંઇ પ્રભુતા આવી જતી નથી; આ આમ્રફળના ચેરને હું જરૂર શોધી લાવીશઃ અથવા તે ન્યાસ દાખલ મૂકેલી વસ્તુને તેના મૂળ સ્વામીને પાછી પવી એમાં જ ખરી પ્રભુતા છે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #188 -------------------------------------------------------------------------- ________________ ચર પકડવાની યુક્તિ. 11 - હવે અભયકુમાર તે ચોરને પકડવાને માટે માણસના વેષ ભાષણ અને ચેષ્ટિતને નિહાળતા નિહાળતા, કૌતુકવાનું વિદેશીય યુવાનની પિઠે, માર્ગને વિષે ત્રિક-ચતુષ્ક-ચત્ર પ્રમુખ સ્થળેએ ભમવા લાગ્યો. એ રાજપુત્ર બહુબહ ઉપાચવડે આમ્રફળના ચેરની ગવેષણ કરવા લાગે; તે પણ વૈદ્યને રેગીજનની નાડીને ધબકારે જણાતું નથી તેમ એ એને કયાંઈ જણાયે નહીં. એવામાં એકવાર કેઈ સ્થળે નાગરિક જન સંગીતક કરાવતા હતા ત્યાં સુદ્ધાં રાજપુત્ર ચેરને મેળવવાની આશાએ ગયે; અથવા તો પિતાનાં કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાવાળા જ ચિત્તને વિષે કદાપિ ઉદ્વેગ રાખતા નથી. ત્યાં કુમારને આસન આપીને એક જણ બોલ્ય-“હે સ્વામી, કૃપા કરીને ક્ષણવાર આ આસન પર બિરાજો.” કારણકે સ્વામીજન પ્રતિ કયે માણસ સત્કાર નથી કરતા ? નાગરિકને એ વિવેક જોઈ મંત્રીશ્વરે આસન ગ્રહણ કર્યું; અને કહ્યું કે જ્યાં સુધી નાટ્યકારે નથી આવ્યા ત્યાં સુધી હું એક કથા કહું છું તે સાંભળે કારણકે રસિકજનેને ક્ષણમાત્ર વિનોદ વિના બેસી રહેવું ગમતું નથી. " એ સાંભળી અંજલિ જોડીને પિરજને બોલ્યા-હે બૃહસ્પતિની જેવી બુદ્ધિવાળા કુમાર, આપની મહેટી મહેરબાની. આપની વાણી તે, જેણે સુકૃત્ય કર્યો હશે તેનેજ શ્રવણે પડશે; કારણકે નિભોગીજનના ગ્રહને વિષે કદિ રત્નવૃષ્ટિ હોય નહિં. પછી એણે કથા પ્રારંભ કર્યો કે| વસંતપુર નામનું એક નગર છે. તેને વિષે સેંકડે ઉપવનવાવ-તળાવ-સરવર-જળાશય-પ્રાસાદ-ગૃહ-બજાર આદિ આવી રહ્યાં છે. ત્યાંના લકે કૃતજ્ઞ–દયાળુ-પરોપકારી-વિનયી-વિચક્ષણ- ઉદારગંભીર-વૈર્યવાન-દક્ષ-દાક્ષિણ્યવાન અને સરલ આશયવાળા છે. ત્યાં એક જીર્ણશેઠ નામનો વ્યવહારિક રહેતો હત; એ પિતાનાં એવાં કર્મને લીધે સમસ્ત વૈભવ એઈ બેઠે હતે; જે દિવસે એને ભેજન મળતું તે દિવસ એને હર્ષની વધામણીને હતો. એને એક એકનીએક પુત્રી હતી. એનાં લોચનની ચંચળ ફીકીઓ લીલા સહિત ફર્યા કરતી હેવાથી યુવકજનના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #189 -------------------------------------------------------------------------- ________________ 172 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. મનને વિષે કામવિકાર ઉત્પન્ન કરતી હતી. દરિદ્ર અવસ્થા હોવાથી, એ વયે પહોચા છતાં પણ હજુ કુમારિકા હતી. એને પિતા એને દરિદ્રના પુત્રવેરે આપવાની ના જ કહેતો હતો; અને કઈ ધનવાન તો એને લેવાની હા પાડતે નહીં; કારણકે માણસ (વર) હમેશાં વધુના માબાપ પાસેથી મહટી પહેરામણું પહેરવાની ઈચ્છા રાખે છે. હવે એ કુમારિકા યેગ્ય વર પ્રાપ્ત કરવાને કામદેવની મૂર્તિની પૂજા કરતી તેથી ક્યાંઈ ઉપવનને વિષે જઈને રોજ પુષ્પ ચેરી લાવતી; કારણકે એની પાસે પુષ્પ લેવા જેટલું મૂલ્ય પણ નહતું. પુષ્પો નિરન્તર ચેરાતાં જાણી એકદા એ ઉપવનને સ્વામી–માળી " આજ ઘણા દિવસના ભક્ષ એવા ચેરને પકડી પાડીને સત્વર પાછો વાળીશ” એવા વિચારથી ગિની પિટ શ્વાસ રોકીને વૃક્ષ વચ્ચે સંતા. એવામાં એ કુમારિકા આવી; અને આવતાની સાથેજ, સગયુક્ત દૃષ્ટિથી જોતા એવા એ માળીના અન્તઃકરણને એણે હરણ કર્યું; કારણકે જેનામાં સુમન ( પુષ્પ ) હરણ કરવાની શક્તિ છે તેની પાસે મન તે કેણુમાત્ર છે ? એને જોઈને એનાં અંગેઅંગ કંપવા લાગ્યાં અને એને મત્સર હતો તે તો તક્ષણ શમી ગયે; અથવા તો શરીરને વિષે દહાવરો થતે જે દાહ તે અત્યંત શીતજ્વરની આગળ રહેતો જ નથી. પછી એણે તેને આગ્રહથી હાથવતી પકડી રાખીને કહ્યું–હે સુંદર સ્ત્રી, તું મને સત્વર તારી સાથે વિલાસ કરવા દે, કારણકે મેં તને, તે બહુ દિવસ પર્યન્ત ચેરેલાં પુષ્પવડે, હવે ખરીદી છે. " એ સાંભળી એ કુમારિકા બેલી-અરે ભલા માણસ, આ તું ઠીક નથી બેલતે. હું હજુ કુમારિકા છું અને પુરૂષના સ્પર્શને યોગ્ય નથી; અથવા તે વેશ્યાજનજ આ સર્વને લાયક છે. હે માળી, તું મારી પાસે શા માટે બેલાવે છે ? જો કોઈ માણસ તારી પુત્રી, હેન, કે બહેનની પુત્રીને આવો અન્યાય કરે તે તું ગમે તે પ્રકારે એનું રક્ષણ કરે ખરે, કે નહિં ? " માળી –હે કુંભસ્તની, તું મહા પંડિતા જણાય છે. પણ હવે અહિં ઝાઝો સવારે કર રહેવા દે. હું તારી કઈ ભારે પ્રતિજ્ઞા કરાવ્યા પછી જ તને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #190 -------------------------------------------------------------------------- ________________ કરિયાણું સારું અવશ્ય ખપનારું: 173 છેડવાને છું; તે પહેલાં નહિં.” કુમારિકાએ વિચાર્યું - આટલી મોટી વય થયા છતાં કુમારાવસ્થા ભેગવવી ( અવિવાહિત રહેવું ) એ અયુકત છે; વળી કોમારાવસ્થા પણ જે અક્ષત નહિં હોય તો મને કેઈ પરણશે પણ નહિં; કારણકે ભેદાયેલો મણિ કેણ ગ્રહણ કરે ?" એમ વિચારીને મળીને તેણીએ કહ્યું- હે દુરાગ્રહી, તું મારી પાસે કેવી પ્રતિજ્ઞા કરાવવા માગે છે ? " એ સાંભળીને માળીએ પુષ્કળ સંકલ્પવિકલ્પથી ચિત્તને વિહળ કરી નાખીને કહ્યું- હે વિશાળનેત્રવાળી, તારે પરણીને આ તારા સુવર્ણના પદ્મની પેઠે ચળકાટ મારતા તથા નવનીત સમાન કમળ એવા અંગને પ્રથમ મને ઉપભોગ લેવા દે; અથવા તે પહેલા બલિદાન દેને જ દેવું પડે છે. પછી કુમારિકાએ પણ " જમવા બેઠેલા માણસે ભેજનનો પહેલો કોળીઓ કાકપક્ષીઓને નાખવો પડે છે. એમાં કંઈ અસત્ય નથી” એમ નિશ્ચય કરીને તેનું વચન માન્ય કર્યું. અને સિંહ પાસેથી નાસીને હરિણી પિતાના યૂથને વિષે જતી રહે તેમ, તેની પાસેથી આમ અખંડશીલે છુટીને હર્ષસહિત પિતાને સ્થાને ગઈ. પછી એકદા કેઈ મહેટા ધનવાન વરે એની સાથે આદર સહિત લગ્ન કર્યા; અથવા તે કરિયાણું સારું હોય તે કાળાંતરે પણ લોકેને વિષે તેની કિમત થાય છે એમાં સંશય નથી એ દંપતીને એકત્ર થયેલાં જઈને સૂર્ય પણ પશ્ચિમદિશાની સાથે સંગમોત્સુક હોયની એમ અસ્ત પામ્યું. અથવા તો ૧વારૂણીનું નિરન્તર સેવન કરવાથી કે અસ્ત, અથોત ક્ષય નથી થતો ? દિવસ પતિ-સૂર્ય અસ્ત પામે છતે જેને વિષે જેનું સંભાવ્યપણું હતું તેને વિષે તે રહ્યું નહીં; કારણકે મહાન એવા પણ આકાશને રાગ થયે; અને જડ ( જળ) થકી ઉદ્ભવતા એવા બિચારાં કમળ ઉલટાં સંકેચ પામ્યાં. જે આકાશમાગને વિષે રહીને સૂર્ય ચરાચર જગતને વિષે ઉદ્યોત કરતો હતો એજ આકાશને વિષે હવે જેમનાં પગલાં થંયાં એવાં મલિનાત્મ અંધકાર પુનઃ તે ( ચરાચર જગત ) ને અબ્ધ બનાવવા લાગ્યાં– . 1 ( 1 ) પશ્ચિમ દિશા. ( 2 ) મદ્ય-દાર- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #191 -------------------------------------------------------------------------- ________________ 14 અભયકુમાર મંત્રીવરનું જીવનચરિત્ર. એવા અંધકારને ધિક્કાર છે ! મિત્રને જોવાની અપેક્ષાથી નેત્રને પ્રસાર હેયની એમ ગગન પણ તે વખતે ચકચક થતા તારાઓથી શોભવા લાગ્યું. વળી સમસ્ત તામસજી ( ખળ પુરૂષે-ઘુવડ પક્ષીઓ) ઉલ્લાસ પામવા લાગ્યા કારણકે ભુવનને વિષે પિતાનું રાજ્ય થાય ત્યારે કેણ વિકસ્વર નથી થતું? એવામાં તો હા! મિત્ર ( સુહુત-સૂર્ય) ના જવાથી અન્ધકારે વિશ્વને દુઃખ દેવા માંડયું છે " એવા રેષથીજ હોયની એમ ક્ષણવાર મુખપર સેહેજ રક્તવર્ણ ધારણ કરતો ચંદ્રમા એ અકારને વિનાશ કરવાને ઉદયાચળ પર આવ્યું. અમૃતરશ્મિ-( ચંદ્ર ) મંડળ હજુ આકાશને વિષે એક કેસ પ્રમાણ ઉંચે વહેતું આવ્યું ત્યાં તો એ શરના મેઘ સમાન કમળ ( શીતળ ) થઈ ગયું; અથવા તે અમૃત (જળ) સ્વભાવથકીજ શીતળ છે. અહે ! આ કલાવાનું ચંદ્રમાની કેઈ લેકોત્તર કળા છે કે શીતળ એવા પણ એણે આ વખતે અન્ધકારનો વિનાશ કર્યો; ચકલાકનાં યુગલને પરસ્પર વિગ પમાડ્યા અને કમળબંધનથી મધુકરને મુક્ત કર્યો. આ ચંદ્રમા જે સુવૃત્ત છે, શીતળ છે, કળાવાનું છે તે જ જે નિષ્કલંક હેત તો જગને વિષે એને કોઈ પ્રતિસ્પદ્ધિ રહેત નહિ, અથવા આ વિશ્વને વિષે કેણ સર્વગુણસંપન્ન છે ? એ વખતે કર્ણપાશને વિષે ચંચળ કુંડળ પહેરી, કંઠરૂપી કંદલને એવેયકથી અલંકૃત કરી, સ્તનમંડળને મનહર હારથી અવરોધ કરી, બાહયુગને શ્રેષ્ઠ કેયૂરવડે શોભાવી, હસ્તકમળને કંકણોથી તથા અંગુલિકાને વજાંતિ મુદ્રાથી વિભૂષિત કરી; વળી કટિપ્રદેશને વિષે સુંદર ઘુઘરીઓને લીધે શદ કરતી મેખલા, ચરણને વિષે રણઝણાટ કરતા નૂપુરે, અંગે સુવાસિત વિલેપન તથા નિર્મળ કસુંબાના વસ્ત્ર ધારણ કરી, એ નવેઢા શ્રેષ્ઠિપુત્રી લહંસીની સુંદર ગતિને પણ તુચ્છકારી કાઢે એવી રીતે પદભ્યાસ કરતી (પગલાં મૂક્તી) શયનગૃહને વિષે ગઈ. ત્યાં આમ્રવૃક્ષના અંકુર ખાવાથી મત્ત થયેલી કેલિાના જેવા મધુરસ્વરવડે એણે પિતાના પ્રિય પતિને કહ્યું- હે પ્રાણનાથ, પૂર્વે એકદા હું એક હેટા સંકટને વિષે આવી પડી હતી તે વખતે મેં બાગવાનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #192 -------------------------------------------------------------------------- ________________ પાતવૃતા પધિનીની પૂર્ણ પ્રતિજ્ઞા. 175 આગળ, પહેલાં તેની પાસે જવાની પ્રતિજ્ઞા કરી છે માટે છે આર્યપુત્ર, કૃપા કરીને મને સત્વર આજ્ઞા આપે, કે જેથી આપના પ્રસાદથી તેની આગળ મારી પ્રતિજ્ઞા સત્ય ઠરે; કારણકે માણસની પ્રતિજ્ઞા એ જ એનું જીવન છે. જે કે હું તેની પાસે એકવાર જઈ આવવાની છું તે પણ નિશ્ચયે હું આપની જ છું એમ સમજજે, કારણકે અલંકારે મહાન ઉત્સવને વિષે બીજાઓ માગી લઈ જાય છે તે પણ એ એના ધણીના જ કહેવાય છે.” એ સાંભળીને એને પતિ અતિ હર્ષ પામી વિચારવા લાગ્યું કે અહીં ! યુધિષ્ઠિરની પેઠે પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તત્પર થયેલી આ સ્વર્ગગંગાના સમાન નિર્મળ આશયવાળી સ્ત્રીને ધન્ય છે ! " એ નિશ્ચય કરીને એણે સ્ત્રીને કહ્યું- હે પદ્મચના, જા તારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી આવ.” પ્રાય: લોકે પિતાનું બેલેલું ક્ષણવારમાં વૃથા કરનારા હોય છે, પણ સત્યને વિષે નિરત તે બહુ થોડા જ હોય છે. પછી ક્ષીરસમુદ્રથકી લક્ષ્મી નીકળી તેમ એ નવોઢા વાસમંદિરથકી નીકળીને જવા લાગી ત્યાં તે ક્ષણવારમાં એને, કુગતિને વિષે ભ્રમણ કર્યા કરતા ચરટ એટલે ચાડીઆ જ હાયની એવા ચેરલોકે મળ્યા. “આપણે ઉત્તમ શકુન જેઈને નીકળ્યા છીએ કારણકે આ સાક્ષાત્ નિધાન પિતાની મેળે આવી મજે, માટે એને, એકદમ ઉપાડે–એકદમ ઉપાડે " એમ કહીને એને ઉપાડી લઈ જવા લાગ્યા. એટલે એણે એમને કહ્યું- હે ભાઈઓ, હું આવા કાર્યને અર્થે જાઉ છું; માટે ત્યાંથી પાછી આવું ત્યારે મારાં આભૂષણે તમે ભલે લઈ લેજો. એ સાંભળીને એઓએ એને જવા દીધી એટલે આગળ ચાલતાં, ઉંદરડીને વિકરાળ બિલાડે મળે તેમ, એને સુધાથી કૃશ થઈ ગયેલા ઉદરવાળો તથા અત્યંત ઉંડા જતાં રહેલાં નેત્રોવાળો રાક્ષસ મળે. " કરંડીઆને વિષે રહેલી ઉંદરડી પોતાની મેળે એમાં છિદ્ર પાડીને બહાર નીકળતાં સપના મુખને વિષે પડે તેમ, આ સ્ત્રી, લાંઘણને લીધે બળી ગયેલું છે શરીર જેનું એવા મારા જેવાના હાથમાં, દેવની સાનુકુળતાને લીધે આવી છે,” એમ કહીને સિંહ મૃગલીને પકડે છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #193 -------------------------------------------------------------------------- ________________ 176 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. તેમ એણે એને ખાઈ જવાની ઈચ્છાથી પકડી રાખી. પણ એની પાસેથી એ પૂર્વની પેઠે પિતાની પ્રતિજ્ઞાની વાત કહીને છુટી. અથવા તે કાર્યસિદ્ધિ અનેક વિનોએ કરીને સહિત છે. એમ ત્યાંથી છુટીને એ પુપચેરીજનારી નવોઢા બાગવાન પાસે ગઈ અને તેને કહ્યું–મારી બુદ્ધિને જે ઠીક લાગ્યું એ મેં તો આ કર્યું, હવે તારા કુળને જે એગ્ય લાગે તે તું કર.” એ સાંભળી એ બાગવાન " અહો ! આણે તો પ્રતિજ્ઞા પાળી; માટે એ મહા સતી સ્ત્રી છે. અને તેથી કુળદેવતાની પેઠે મારે વાંદવા ગ્ય છે,” એમ કહીને એ એને ચરણે પડ્યો; અથવા તે આ લેકને વિષે એક સભાવજ નથી ફળતો શું ? ચરણે પડીને એણે કહ્યું, હે સતી સ્ત્રી, તું આજથી હારી બહેન છે, કુઈ છે-માસી છે અથવા માતા છે; માટે હે પતિવ્રતા, તું ઉત્તમ ગૃહિણી થા, અને ઘેર પાછી જા. એમ કહીને એણે એને વિદાય કરી. હવે અહિં પેલે રાક્ષસ તે " એ મારું ભક્ષ પુનઃ કયારે મારી પાસે આવશે,” એમ સ્મરણ કરતો હતો એવામાં તે બ્રાહ્મણને શ્રાદ્ધતિથિ તેમ, શીલવતી શ્રેષ્ટિવધુ એની પાસે આવી. ત્યાં આવીને એણે એને કહ્યું- હે પુણ્યાત્મા, એ બાગવાને મને પુણ્યાર્થે આમ આમ (કડીને) રજા આપી” યુદ્ધને વિષે એક સુભટનું ઉદ્ભટ વાક્ય સાંભળીને અન્ય સુભટને શુરાતન ચઢે છે તેમ, એ નવેઢાની એ વાત સાંભળીને રાક્ષસને અતુલ પિરૂષ ચડયું કે શું હું રાક્ષસ થઈને એ માળીમાંથી પણ જઈશ? મારામાં શું એના કરતાં ઓછું સત્ત્વ છે? એમ વિચારી તેને નમન કરીને " તારે ઘેર જા અને ચિરકાળ આયુષ્ય ભગવ” એમ કહી તેને જવાની રજા આપી. એટલે ત્યાંથી એ, પાંડુપુત્ર પાસે તેમની રાજ્યલક્ષ્મી આવી હતી તેમ, જે દિશાએ તે પ્રથમ ગઈ હતી તે દિશાતરફ ચક્ષુ દઈને જોઈ રહેલા ચેલેકેની પાસે આવી અને એમની આગળ માળી તથા રાક્ષસ સંબંધી હકીકત કહી બતાવી; કારણકે પિતે પૂર્વે જેયા હોય એવા ઉપાયવડે ક બુદ્ધિમાન્ પિતાની રક્ષા નથી કર? એ નવેઢાએ કહી બતાવેલી વાત સાંભળીને જેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રભાતનો સમય. 177 કાંટે ચઢયે હતું એવા એ ચારલોકે બેલ્યા–ત્યારે જીવિતને બરાબર તૃણસમાનજ ગણનારા એવા અમે શું એ માળી અને રાક્ષસ કરતાં કાંઈ ઓછા છીએ? એમ કહી એને નમન કરીને કહેવા લાગ્યા--હે બહેન, તારે ઘેર જા અને તારા સ્વામિનાથને પ્રિયક્ત થા; અને તારાગણવડે શરદુકાળની રાત્રી વિરાજે છે તેમ ઉત્તમ આભૂષણ વડે નિત્ય વિરાજી રહે. આમ તેમની પાસેથી છુટીને તે ઘેર ગઈ અને પ્રિય પતિ આગળ માળી, ચેર તથા રાક્ષસ સંબંધી સર્વ હકીકત કહી સંભળાવી, અથવા તે બીજ પાસે પણ જેણે પિતાને સુંદર સભાવ જણાવ્યું હતું તે પતિથી તો એ શેનીજ રોપવે ? પ્રિયાની આ બધી વાત સાંભળીને પતિ તે અત્યંત વિસ્મય પામ્યું અને એની સાથે સુખે કરીને ભેગવિલાસ જોગવતાં આખી રાત્રી ક્ષણની જેમ નિર્ગમન કરી. અથવા તો સુખને વિષે નિમગ્ન એવા પ્રાણીઓને નિરતર એમ જ થાય છે. - પ્રભાત સમય થયો એટલે અત્યંત ઊંચા એવા ઉદયાચળના શિખરની–ગેસથી ભરપૂર એવી ભૂમિને વિષે આગમન કરવાથી જ હાયની એમ સહેજ લાલ દેખાતી છે મૂર્તિ જેની એ સૂર્ય અખિલ વિશ્રવને પિતાની કાંતિના સમૂહથી રક્ત કરતો ઉદય પામ્યું. “આ (પર્વત) નીજ ગુહાને વિષે આ મારા શત્રુ દુષ્ટ–અન્ધકાર નિરન્તર વસે છે” એવા રેષથી જ જાણે હોયની એમ ઉષ્ણુદીધિતિ–સૂર્ય પિતાના પાદપ્રહારવડે પર્વતના શિખરોને તાડન કરવા લાગ્યું. “હે પ્રિય, સ્વભાવથી જ આપના શત્ર એવા આ અન્ધકારને મેં નિવિડપણે બાંધીને પકડી રાખ્યું હતું " એમ પશ્ચિની સૂર્યને પિતાનામાંથી બહાર નીકળતા ભમરના મિષથી અન્ધકારના સમૂહને બતાવવા લાગી. ચક્રવાકપક્ષી જાણે વિગથી થયેલા જ્વરના દેહની શાન્તિને અર્થે જ હોયની એમ પોતાની પત્ની-ચકવાકીને પિતે બિસતંતુ આપવા લાગ્યું અને ઘુવડ પ્રમુખ પક્ષીઓ અન્યકારને વિષે જઈ રહેવા લાગ્યા. અથવા તે સને પોતપોતાના જેવાઓની જ સાથે સંગતિ હોય છે. અહે! આ વાયુ પણ ભાગ્યશાળી ! કારણ કે અશરીરી છતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #195 -------------------------------------------------------------------------- ________________ 178 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. પણ એ કમર્થિનીઓના સમૂહને, સર્વાગે ગાઢ આલિંગન દઈને એમની સુગધીરૂપી લક્ષમીને હરણ કરી લઈ આવ્યો છે; અથવા તે એમ થયા શિવાય શુરવીર પુરૂષથકી છુટકારે થતજ નથી. તે ક્ષણે દંપતી પિતાના સર્વે પ્રભાતનાં કાર્યો યથાપ્રકારે કરવા લાગ્યાં; કારણ કે સજજનો જે જે સમયે જે જે કરવાનું હોય છે તેને વિષે કદાપિ પ્રમાદ કરતા નથી. પ્રભાતે ઉઠીને જે પુરૂષ પિતાનાં આધોન-ભક્તિયુક્ત-સુકમળ-વિવેકી તથા સુખદુઃખને વિષે સમાન એવાં મિત્ર-કલત્ર અને તનયને જુએ છે તેને બહુ ધન્ય છે. - હવે શ્રેષ્ઠી કુમારે પણ " આ સ્ત્રી એવા ઉત્તમ ગુણોવાળી છે” એમ ચિત્તને વિષે વિચાર કરીને એને બધુસમક્ષ કુટુંબને પાળવાનું કામ સંપ્યું. કારણ કે એવા અનેક કુટુંમ્બિઓ હોય છે કે જેમને સ્ત્રી જ પ્રમાણરૂપ છે. (આટલી વાત કહી અભયકુમાર લેકને પૂછયું, “આ ભતાંબાગવાનએરલોકે અને રાક્ષસ એ ચારમાંથી કેણે સિથી દુષ્કર કાર્ય કર્યું” ? એ કહે. એ સાંભળી ઈર્ષાળુ લેકે કહેવા લાગ્યા કે-અનન્તબુદ્ધિના નિધાન એવા ભતરે સિંથી દુષ્કર કાર્ય કર્યું; કારણ કે એણે એ સુંદર રૂપથી શોભતી પિતાની નવેઢા પ્રિયાને પોતે ભેગવ્યા પૂર્વે બીજાની પાસે મેકલી; કારણ કે એના કરતાં પ્રાણ આપવા એ સહેલા છે; અમારા જેવાને જે એમ થયું હોત તો અમે તો એ કટુભાષિણે પ્રિયાને પકડીને ખદિરની લાકડીના પ્રહારથી એવી જર્જરિત કરત કે છ માસ પર્યન્ત ખાટલે રહેત.” વળી એ ઉત્તર નહિં સહન કરનારા ક્ષુધાતુર પ્રતિવાદીઓ એમ કહેવા લાગ્યા કે-સુધાએ પીડિત છતાં પણ રાક્ષસે એને એમ જવા દીધી, માટે એ રાક્ષસ જ ખરે સત્વવંત ; કેમકે કુટ-વર-અશ સેજે. ઉદર- સાવ–પૃષ્ટ- અક્ષિ-દંત-મુખ અને શીર્ષ પ્રમુખની વેદના છતાં પણ મહિના અને વરસે પર્યત જીવિત ટકે છે, પણ સુધા તે એક ક્ષણવાર પણ સહન થઈ શકતી નથી. વળી ત્રણત્રણ લાંઘણ કરી અટવી ઉતરેલા જન્મથી જ દરિદ્રી સુધાનિધિ બ્રાહ્મણને ધૃતપૂરના ભેજનની જેમ એ રાક્ષસજાતિને માણસનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #196 -------------------------------------------------------------------------- ________________ ચરનું પકડાવું. 19 માંસ બહુ સ્વાદિષ્ટ લાગે છે. પણ પરસ્ત્રીલંપટ પુરૂષે તે કહેવા લાગ્યા-તમે સર્વ મૂખ છે, પહેલે જરા વિચાર તે કરે; પછી નિર્ણય પર આવે, અસાધારણ રૂપથી વિરાજતી, કામપ્રિયા-રતિને પણ પરાજય કરનારી અને દુષ્ટવર્તનવાળા પુરૂષરૂપી હસ્તીઓને બાંધવાને આલાનસ્તંભ જેવી એ સ્ત્રીને જેણે લીલામાત્રમાં મુનિની પિઠે સત્વરે ત્યજી દીધી, એ માળીએજ પરમ દુકર કાર્ય કર્યું છે, કારણ કે મહાકવિને કાવ્યકૃતિને વિષે, અને તકરૂપી ચક્ર ફેરવવાવાળાને વિવાદને વિષે જે રસ આવે છે તે તરૂણ પુરૂને તરૂણ સ્ત્રીને વિષે રસ આવે છે. " ( છેલ્લે ) એટલામાં તે માતંગપતિ બોલ્યા -અરે, તમે લોકે બદરીફળને વૃન્ત કયાં હોય તે જાણતા જ નથી. માટે રાજકુમાર પાસે ઉત્તર આપવાને તમારામાં કેઈને વિષે ગ્યતા નથી. હે સ્વામી, જેમણે સર્વ સુવર્ણના આભૂષણોથી યુકત એવી પણ એ સ્ત્રીને એ પ્રમાણે રાત્રીએ છોડી દીધી, એ લોકો જ એકલા મહા દુષ્કૃત કાર્ય કરનારા ઠરે છે. કારણ કે જેને અર્થે લોકે સમુદ્ર તરે છે, હજારે શસ્ત્રોવડે ઘેર યુદ્ધ કરે છે, નિરન્તર વિવિધ પ્રકારની ધાતુઓને ધમે છે, ભયંકર રસકૂપિકાને વિષે પ્રવેશ કરે છે, નિત્ય કેદાળીવડે રોહણાચળને છેદે છે અને અંગછેદપૂર્વક દેવ પૂજન કરે છે, એવી પિતાની મેળે આવી મળેલી લક્ષ્મીને કહો કેઈ ક્યારે પણ જવા દે ખરી ? આ પ્રમાણે એ માતંગપતિને બેલતો જઈને અભયકુમારે નિશ્ચય કર્યો કે આમ્રફળને ચાર એજ છે. વિચક્ષણ પુરૂષ એટલા માટેજ કહે છે કે માન ધારણ કરવું એજ સ્વાર્થને સાધનારૂં છે. ( કારણ કે માતંગપતિ બોલે ન હેત તે પકડાત નહિં. ) પછી રાજપુત્રે એને પૂછયું-અરે માતંગપતિ, તે અમારા આમ્રફળ કેવી રીતે ચેય તે કહે. એણે કહ્યું - હે સ્વામી, મારી વિદ્યાથી સ્પર્શ કરીને. કારણ કે મારા જેવાને એ વિદ્યાનું ફળ ચેરી જ છે. " પછી આ વૃતાન્ત મંત્રીશ્વરે જઈને મગધરાજને નિવેદન કર્યું અને એ આમ્રફળના ચોરને પણ એમને સોંપે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #197 -------------------------------------------------------------------------- ________________ 180 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. કારણ કે તસ્કરને મોક્ષ કે નિગ્રહ રાજાની આજ્ઞાથી જ થાય છે. પછી રાજાએ પુત્ર–અભયને આદેશ કર્યો કે “હે વત્સ, આપણે બીજા તસ્કરની પણ ઉપેક્ષા કરતા નથી ત્યારે આ તે વિદ્યાના બળવાળા છતાં દુર્જન છે અને વળી રાજાનાજ ઘરમાં ચોરી કરનાર છે. એ સાંભળી મંત્રિશિરોમણિ અભયે નરેશ્વરને કહ્યુંત્યારે, પહેલાં એની પાસેથી એ વિદ્યા ગ્રહણ કરવાનું તો કરે; કારણ કે આપણે છેડી દીધા વિના એ કડીઆમાંના સર્ષની જેમ ક્યાં જવાનું છે? એવું પુત્રનું વચન સાંભળી તે પ્રમાણુ કરી પેલા માતંગપતિને ભૂમિપર બેસારી રાજાએ પોતે આસન પર બેસી તેની પાસે વિદ્યાને પાડ લેવા શરૂ ક્યો. કારણ કે રાજાઓને કહ્યા વિના નીતિ શું છે એની ખબર પડતી નથી. પછી મગધેરે માટે સ્વરે એનો પાઠ કરવા માંડયા પણ કુલટા સ્ત્રી ગૃહને વિષે રહે નહિં તેમ એ એના ચિત્તવિષે રહી નહિં. એટલે એણે માતંગપતિને કહ્યું-તું બરાબર પાઠ કરાવતે નથી; અને કંઈ મહેતું કપટ કરતો જણાય છે. એ સાંભળી બુદ્ધિશાળી અભયે કહ્યું–હે પૂજ્ય પિતા, આપ બહુ વિનયવડે વિદ્યા ગ્રહણ કરે. કારણ કે વિદ્યાને ત્રણ રીતે ગ્રડણ કરી શકાય છે, વિદ્યાર્થી-વિનયથી અને દ્રવ્યથી; એને ગ્રહણ કરવાને બીજે કઈ માર્ગ નથી. એમાં પણ વિચારવંત પુરૂષે વિનયને જ શ્રેષ્ઠ ગણે છે. કારણ કે એના વિના બીજા બે કાર્યસિદ્ધિને " આપતા નથી; જેમ સંયમ વિનાના સમક્તિ અને જ્ઞાન કાર્યસિદ્ધિ આપતા નથી તેમ. માટે હે તાત, આપ એને આસન પર બેસારે અને તમે પોતે ભૂમિપર બેસે એમ કરવાથી જ એ (વિદ્યા) આપને વિષે સંક્રમણ કરશે; કારણ કે જળ પણ ઉચ્ચ ભૂમિથી નીચી ભૂમિ તરફ જાય છે.” એ પરથી મહીપતિએ વિદ્યાને અર્થે ક્ષણવાર એમ કર્યું; કારણ કે પિતાના કાર્યને અર્થે લેકે પ્રણત નથી થતા શું? પછી “હવે તે એ આપને વિદ્યાગુરૂ છે માટે એને છોડી ઘો” એમ કહીને અભયકુમારે એ માતંગપતિને મગધેશ્વર પાસેથી P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરભુનું પુનઃ આગમન 181 મુક્ત કરાવ્યા; અથવા તે કળાવડે એકવાર તે મહટી આપત્તિમાંથી પણ છુટી જવાય છે. હવે અહિ માતંગપત્ની પણ, “મારે દોહદ નહોતો પૂર” એમ નિરન્તર ચિંતવન કર્યા કરતી હતી એવામાં તે એનો પતિ પારધીના હાથમાંથી છૂટી આવેલા ભુંડની જેમ અક્ષતઅંગે પાછો આવ્યે. હવે મગધનાથ શ્રેણિકનારેવર અભયકુમારની બુદ્ધિથી નિકટક થેલી એવી રાજ્યલક્ષ્મી પાલન કરવા લાગ્યા. એવામાં સુર અને અસુરને પણ જેમના ચરણ કમળ પૂજવા લાયક છે એવા શ્રીમાન વીરતીર્થકર પુન: ત્યાં આવીને સમવસયો એટલે ઉદ્યાનપાળકે આવીને રાજાને જિનભગવાન આવ્યાની વધામણી દીધી. રાજાએ પણ એને દારિદ્રયરૂપી કંદના અંકુરને ઉમૂલન કરનારું એવું દ્રવ્યનું ઈનામ આપ્યું. પછી તેજસ્વી, વાંકી ડેકવાળા, ઉન્નત કંધવાળા અને સ્નિગઇ કેશયાળવાળા, જિનેટવર ભગવાનના આગમનની વાત સાંભળીને જાણે હર્ષસહિત નૃત્ય કરતા એવા, વિસ્તારયુકત પૃષ્ટપ્રદેશવાળા, અસ્થલ-કૃશ મુખવાળા, સીધા કાનવાળા, તથા વાયુ અને અંતઃકરણની જેવા વેગવાળા એક ઉત્તમ અપર આરૂઢ થઈને મગધપતિ-શ્રેણિક મહીપાળ પ્રભુને વંદન કરવા ચાલ્ય; અથવા તે એના ભાગ્યની તે હવે સમાજ રહી નહિં. જેમના હાથને વિષે સુંદર ખડગે નાચી રહી હતી તથા વિશાળ વજો પણ શોભી રહ્યાં હતાં એવા આગળ-પાછળ તથા બન્ને બાજુએ ચાલતા ઊંચા શ્રેષ્ઠ પદાતિ (પાળા) થી; સિંદૂરના સમૂહને લીધે રક્ત છે કુંભમંડળ જેમના એવા, પવનથી હાલતા મેઘ જેવા હસ્તીઓથી; સૂર્યના અવનો પણ જાણે હષારવથી ઉપહાસ કરનારા એવા તરંગોથી, તથા જંગમ પ્રાસાદો હોય એવા ઘંટા-પતાકા અને કળશવાળા રથેથી વિરાજમાન એ નવર જાણે પૃથ્વી પર ઉતરેલી સ્વર્ગપતિ-ઇંદ્રજ હોયની એમ ચાલવા લાગ્યું. તે વખતે સામંતના મસ્તક પર રહેલા કલગીઓથી રચાયેલા છત્રોની અંતરાળે નરપતિના શીષપર રહેલું વેત છત્ર નીલકમળોની વચ્ચે આવેલા વેત કમળની પેઠે શેભવા લાગ્યું. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #199 -------------------------------------------------------------------------- ________________ 182 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. * આગળ ચાલ્યા ત્યાં માર્ગને વિષે કેઈએ જન્મતાંવેતજ ત્યજી દીધેલી, સુંદર આકૃતિની, માજ-ઉંદર-સર્પ તથા શ્વાનના શવ કરતાં પણ અત્યંત દુર્ગધ મારતી એક બાલિકા પડેલી હતી. રણક્ષેત્રને વિષે પણ કદાપિ પાછી પાની ન કરતા એવા સૈનિકે એની દુર્ગધથી નાસિકા બંધ કરીને ગંધહસ્તીના ગંધથી બીજા હસ્તીઓ નાસી જાય તેમ, ક્ષણમાં ભાગી જવા લાગ્યા. રાજાએ પૂછયું-અરે આ શું થયું? એટલે એક જણે કહ્યું- હે રાજનૂ, અહીં એક સાક્ષાત પાપનીમાળા હોયની એવી અત્યંત દુર્ગન્ધ મારતી બાળા પડેલી છે. પછી ભૂપતિએ પંડે એને જોઈ પણ એને તો લેશમાત્ર પણ જુગુપ્સા થઈ નહિં. પછી “મારે એનું ચરિત પુછવું પડશે” એમ વિચારતે આગળ ચાલે. સમવસરણને વિષે પહોચી જિનભગવાનને વંદન બાળિકા જોઈ એણે શું કામ કર્યું હશે કે જેથી એ લસણની જેમ ! ન્યભાવને પામી છે? એ પરથી શ્રી વીરજિનેન્દ્ર જનસમૂહને બોધ થાય એવા હેતુથી કહેવા લાગ્યા - પર્યન્તદેશને વિષે શાલિગ્રામ નામના ગામમાં ધનમિત્ર નામનો ધનાઢય વણિક રહેતે હ; અથવા તે સ્થળને વિષે શું કમળ નથી હતાં ? એ ધનમિત્રને જંગમ વનલક્ષમી હાયની એવી ધનશ્રી નામની પુત્રી હતી. અન્યદા એના પિતાએ ગ્રીષ્મકાળને વિષે એનાં લગ્ન આરંભ્યાં; તે વખતે યુગપ્રમાણ ભૂમિને વિષે દષ્ટિ દઈ ચાલતા એવા, એક અતિ શાંત અને દાંત મુનિએ તે શ્રેષ્ઠીના ગૃહને વિષે ભિક્ષાથે પ્રવેશ કર્યો. એમના દક્ષિણ હસ્તને વિષે એક જાડી યષ્ટિકા હતી; અને એમના ચરણની આંગળીઓના વધી ગયેલા નખ જાણે મન્મત્ત કામદેવરૂપી હસ્તીને ભેદવાને અંકશે હોયની એવા જતા હતા. સત્યને વિષે અનુરક્ત છતાં એ જનાર્દન મહેતા, અને મળ (કર્મમળ) થી મુક્ત છતાં પણ મળયુકત (મલીન શરીરવાળા) હતા. શેઠે એના 1 સીમાડે આવેલ દેશ. 2 કૃષ્ણ, વિષ્ણુ. (2) લેકને દુઃખ દેનાર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #200 -------------------------------------------------------------------------- ________________ 180 ઘેરબેઠાં ગંગા. બધુઓ સહિત મુનિને નમસ્કાર કર્યો અને પુત્રીને કહ્યું- હે પુત્રિ, હારા વિવાહમંગળને વિષે આજે મુનિરાજ પધાર્યા એ આળસુને ઘેર ગંગા આવી છે, માતંગના ગૃહને વિષે સ્વર્ગથકી અરાવણ ઉતર્યો છે, વૈતાઢયપર્વતની ગુફાને વિષે મણિના દીપકને ઉત થયે છે; દરિદ્રીને ઘેર રત્નને વર્ષાદ વર છે અને મરૂભૂમિને વિષે કલ્પતરૂ ઉગે છે. એક તે પર્યન્તદેશને વિષે અને વળી હારા વિવાહ જેવા મંગળક સમયે આમ એચિંતા મુનિરાજ પધાર્યા છે માટે એમને વિવિધ અને મનહર એષણીય અન્નપાનથી પ્રતિલાભ. એટલે જેણે શરીરપર ઉત્તમ સુવર્ણાલંકાર ધારણ કર્યો છે, શ્રીખંડ કપૂર આદિથી વિલેપન કર્યું છે તથા શ્રેષ્ઠ વસ્ત્ર પહેર્યા છે એવી એ હર્ષસહિત મુનિને ભિક્ષા આપવાને આગળ આવી. એવામાં એમનાં પ્રસ્વેદ વાળા અંગવસ્ત્રના મળના ગધે, જાણે આગળ જતાં પણ એને વિષે રહેવાનું છે માટે એવા પિતાના (ભવિષ્યના) વાસસ્થળને જેવાને ઉસુક હોયની એમ, એને વિષે પ્રવેશ કર્યો. એટલે શિંગારને વિષે મોહવાળી એવી એ બાળાએ નાક મરડયું અને વિચાર્યું કે-જિનેશ્વર ભગવાને સકળ જગતના સંદેહને નિવારવાવાળો એ સર્વ રીતે સુંદર ધર્મ પ્રરૂપે છે; પણ અચિત્તજળથી યે સ્નાન કરવાનું કહ્યું હેત તે તેથી શું દૂષણ થાત ? આવા ચાર્કિકની જેવા મલીન અને ચૂંટાતા આવતા શરીરે શા માટે ભમ્યા કરવું જોઈએ? ( વિરભગવાન કહે છે–હે શ્રેણિક રાજા ) આ પ્રમાણે પિતાની બુદ્ધિએ કલ્પિત એવા સંકલ્પ-વિકલ્પ કરતી એ બાલિકાએ એ વખતે દુર્ગ ધરૂપ દુઃસહ પાપ બાંધ્યું; કારણકે ધ્યાનને અનુસારે કર્મ બંધાય છે. અનુષ્કર્મ એની આલેચના લીધા વિના કાળધર્મ પામીને આજ નગરમાં ગણિકાના ઉદરને વિષે ઉત્પન્ન થઈ. એ ગર્ભમાં આવી ત્યારે એની માતાને વેરિની લક્ષ્મી જેવાથીજ હાયની એમ દુઃખ ઉત્પન્ન થયું. એણે ગર્ભપાત કરવાને તીવ્ર ઔષધીઓ ખાધી પરતુ સર્વ નિષ્ફળ ગઈ; અથવા તે નિકાચિત આયુષ્યને તેડવાને કઈ સમર્થ નથી. આજે જ એ વેશ્યાએ પૂર્વભવના કર્મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #201 -------------------------------------------------------------------------- ________________ 184 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. લીધે દુર્ગન્ધથી ભરેલી એવી આ પુત્રીને જન્મ આપીને એને, પાકી ગયેલા વણના પરૂનીજ જેમ તલ્લણ માર્ગને વિષે ત્યજી દીધી છે. એ સાંભળીને પુન: મહીપાળે ભગવાનને પૂછયું-હે પ્રભુ, એ વેશ્યાની પુત્રી છે એજ ઓછું દુઃખ નથી; એને એથી વધારે દુઃખ શા વાસ્તે ભોગવવું પડે છે? કારણ કે નારકીના જીવ શિવાય અન્ય કેઈ જીવ એકાન્ત દુઃખી નથી. સ્પષ્ટ છે વિકાસ જેને એવા કેવળજ્ઞાનથી સકળલોકના વિસ્તારને નીરખતા એવા પ્રભુએ કહ્યું-એણે પૂવે કરેલું સર્વ પાપ ભેગવી લીધું છે; અને હવે એ સુખ ભોગવશે, તે કેવી રીતે તે તું સાંભળ-આઠ વર્ષ પર્યત એ તારી અતિપ્રિય પટ્ટરાણી થઈને રહેશે. કારણ કે સાળવીએ વણેલું એવું પણ સુકોમળ વસ્ત્ર રાજાઓને ભોગવવા લાયક નથી શું? ત્યારે મહીપતિએ કોતકને લીધે પૂછ્યું-પણ હે જિનેશ્વર, મને એની શી રીતે ખબર પડે ? અતીત–અનાગત અને વર્તમાનના જાણનારા એવા ભગવાને ઉત્તર આપેહે પૃથ્વીપતિ, તું હર્ષ સહિત તારી રાણીઓ સાથે કીડા કરતે હોઈશ તે વખતે જે તારી પીડ પર લીલાએ કરીને પણ માંડીને ચઢી જાય તેને જ તું આ ધારજે. " પ્રભુનું આવું કહેવું સાંભળીને કુતુહલથી આકર્ષતું છે મન જેનું એ શ્રેણિક રાજા-અહે. માનસરેવરની હંસીની જેમ, એ કેવી રીતે મારી પ્રિયવલ્લુભા થશે? એવા વિચારમાં તીર્થકર મહારાજાને વંદન કરીને પિતાને - હવે અહિં માગને વિષે જતી કેઈ મહીયારીએ એ બાલિકાને જોઈને વિચાર્યું–અહે! આ તે દેવાંગનાએ પડતી મૂકેલી કિઈ દેવકન્યા છે કે પૃથ્વીમાંથી નીકળેલી એની (પૃથ્વીની) પુત્રી છે? મારે કંઈ સંતતિ નથી તેથી હું એને લઈ લઉં, તે એ મારી પુત્રી થશે; કારણ કે જેને પોતાનું આભૂષણ નથી હોતું તે શું પારકું લાવીને નથી પહેરતો? અહે ! મૃત્યુથી રક્ષણ કરવાને સમર્થ એવા વિધાતાએ નિશ્ચયે મારેજ માટે આ માર્ગને વિષે માર-ઉંદર-ગીધ-વાયસ કોડ બાદિ માંસામ્હારી પ્રાણુઓથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #202 -------------------------------------------------------------------------- ________________ કેમુદી મહોત્સવ. 185 એનું રક્ષણ કર્યું છે. " એમ નિશ્ચય કરીને એણે એક નિધાનની પેઠે એને ઉંચકી લીધી અને હર્ષપૂર્વક ઘેર લઈ ગઈ. ત્યાં તેને પિતાનાજ ફરઝંદની જેમ એનું પાલણપોષણ કરવા લાગી; અથવા તો માણસને અહીં કયાઈથી પણ લાભ મળી રહે છે. ઉછરતી ઉછરતી એ કન્યા અનુક્રમે બાલ્યાવસ્થા અને પછી મારાવસ્થા અનુભવીને વનવયને પામી; કારણકે પ્રથમ સાહિત્ય તથા વ્યાકરણને વિષે બેધ થયા પછી ઉજ્વળ એવા પ્રમાણુશાસ્ત્રનું અવગાહન થઈ શકે છે. નિરન્તર છૂત-ક્ષીર-દહીં–શેરડી આદિના ભોજનથી તેનું શરીર અતિ પુષ્ટ થયું; અથવા ઉત્તમ ગોચરને વિષે સુખે કરીને ચયો કરતી ગાયે પણ પુષ્ટ થાય છે. પછી એકદા એ પિતાની માતાની સાથે શૃંગારલીલાના રસના રંગમંદિર સમાન એવા કૌમુદી મહોત્સવને જોવાને અર્થે નગરમાં આવી. આચ્છાદુનવસ્ત્રથી ઢાંકી દીધું છે સર્વ અંગ જેમણે એવા શ્રેણિક રાજા અને અભયકુમાર પણ ગુપ્ત રીતે એ રાત્રીના લેકમેળાને વિષે આવ્યા; કારણ કે એમ કરવાથી સર્વ કેતુક યથેચ્છ પ્રકારે જોઈ શકાય છે. ત્યાં જનો સર્વે પોતે પિતાનાં, પારકે પારકાનાં, હેટ હેટાના, બાળકે બાળકેનો, યુવાને યુવાનોનાં અને સ્ત્રીએ સ્ત્રીઓનાં, એમ સર્વત્ર પિતપોતાનાં વિભાગમાં વહેંચાઈ જઈ અહમિંદ્રો હોયની એમ ફીડ કરી રહ્યા હતા. આ મહોત્સવને વિષે રાસડે લેતી સ્ત્રીઓને જોવાની ઉત્કંઠાવાળા માણસની, તીર્થને વિષે યાત્રાના ઉત્સવને દિવસે થાય તેવી મહા ઠઠ જામી હતી. એ વખતે પેલી ભરવાડપુત્રી રાજાના ખભા પર પિતાને હાથ નાંખીને કેતક જોવામાં પડી. રાજા પણ પિતાની ચર્ચા કાઈ ન જાણે એમ એ કુમારિકાના ભારને સહન કરતો ઉભો રહ્યો. પણ એના અંગના સ્પર્શથી, નિરન્તર નિરંકુશ એવો કામદેવ જાગૃત થયે; કારણ કે સૂર્યની મૂર્તિના કિરણના વેગથી સૂર્યમણિ થકી અગ્નિ નથી ઉત્પન્ન થતા શું ? એ પરથી કામદેવને લીધે વિહલ થયું છે ચિત્ત જેનું એવા મહીપતિએ વિચાર કર્યો કે આ કુમારિકાનું સુંદર રીર સહકારતરૂના પલ્લવ અને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #203 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, શિરીષના પુષ્પ કરતાં પણ અધિક કમળ છે. તેથી એને શોધી કાઢીને પણ જે હું એને પરણીશ તે સર્વ લેક એમ જાણશે કે લેલુપ ઇદ્રિવાળે રાજા જે જે રૂપવતી સ્ત્રીને જુએ છે તે સર્વની વાંછા કરે છે. માટે કેઈ બીજે પ્રકારે એને ગ્રહણ કરૂં” એમ વિચારીને ભૂપતિએ પિતાની મુદ્રિકાને, જાણે પોતાનું સાક્ષાત્ ઉત્સુક હૃદય હાયની એમ, તેને વચ્ચે બાંધી દીધી. પછી મહીપાળે અભયકુમારને કહ્યું–હે વત્સ, આપણે આવ્યા એવા જ ઠગાયા છીએ કે મારી મુદ્રિકા ચેરી ગયું લાગે છે. વીંટી ગઈ અને જોવાની મજા પણ ગઈ. આ અંગુઠી ગઈ તેથી મારા આત્માને કંઈ દુઃખ થતું નથી. પણ સુવર્ણની હાનિ થઈ એજ દુઃખકર છે કારણ કે તેનું જાય એ સારું નથી. માટે વિના વિલંબે અકેક માણસને તપાસ કારણ કે અગાધ એવા જળને વિષે પડતાની સાથે જ જે રત્નને ગ્રહણ ન કરી લઈએ તો તે સદાને માટે ગયું જ સમજવું. એ પરથી રાજપુત્ર, શેત્રુંજને વિષે એક હંશિઆર રમનાર પિતાની સગડીઓથી સામાવાળાની સંગઠીઓની ચાલ બંધ કરી દે છે તેમ, પિતાના માણસેથી લકેના જવા આવવાના દ્વાર બંધ કરાવ્યા; અને પૂર્વે દરવાજા બંધ કરીને દ્વારિકામાં કરવામાં આવ્યું હતું એ પ્રમાણે ઉત્કૃષ્ટ, સામાન્ય કે જઘન્ય લક્ષણના અકેક માનવીને બાર કાઢવા લાગ્યા. અને એ લોકેાનાં અનુક્રમે મસ્તક પ્રમુખ સર્વ સ્થાનને એ વિચક્ષણ મંત્રીશ્વર, હસ્તલિખિત લેખને શોધનાર એ પુરૂષ પ્રત્યેક અક્ષરેઅક્ષર તપાસે તેમ, બરાબર તપાસવા લાગ્યા. એ પ્રમાણે દરેક માણસને બારીક રીતે તપાસતાં ભરવાડની પુત્રીના વસ્ત્રમાં રાજાની અંગુઠી દીઠામાં આવી? કારણ કે મન દઈને કામ કરનારની નિશ્ચયે સિદ્ધિ થાય છે. પછી રાજકુમારે એ કુમારિકાને કહ્યું-અરે! તે રાજાની મુદ્રિકા કેવી રીતે ચોરી લીધી? તું દેખાય છે તે હાની, પણ તારા પરાક્રમ હેટા છે એ એક આશ્ચર્ય છે? એ બાળ કન્યાએ તે કાનપર હાથ મૂકીને કહ્યું–હે સ્વામી, હું એમાંનું કશું જતી નથી મેં એ ચેરી હોય, કે ચેરાવી હોય અથવા એ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #204 -------------------------------------------------------------------------- ________________ 187 મન અને મુદ્રા ચોરનાર તસ્કરરાજ ! કાર્યમાં મારી દૃષ્ટિની સંજ્ઞા પણ હોય તે સર્વ કપાળો અને દશે દિગપાળે એ મારું ચેષ્ટિત જાણતા હશે તેથી હું કહે તો વિષમ એવું પણ દિવ્ય કરૂં અથવા વિશ્વાસયુક્ત એવા દેવતાને સ્પર્શ કરું.” એ સાંભળી કુમારે તે જાણ્યું જે આના શરીરની ગોરતા-તેજ–લાવણ્ય અને સુંદર આકૃતિથી અનુરાગી થઈને પિતાએ જ આ કાર્ય કર્યું હશે, નહિંતે એની આવી દરતા ક્યાંથી હોય ? પણ એણે એને તે એમ કહ્યું જે-- બહેન, તું સત્ય કહેતી હઈશ તથાપિ આ ચોરીની વસ્તુ લ્હારી પાસે જેવા છતાં હું તેને કેવી રીતે છોડી શકું ? માટે હમણાં રાજા પાસે ચાલ ત્યાં એમને આ વાત જણાવ્યા પછી સર્વ સારું થશે” એમ એને સમાશ્વાસન આપીને રાજા પાસે લઈ ગયે. કારણ કે સુપુત્ર હમેશાં પિતાની ઈચ્છા પ્રમાણે ચાલનારા હોય છે. પુત્ર ત્યાં જઈ પિતાને પ્રણામ કરી ઉભો રહ્યો એટલે રાજાએ કહ્યું કે બુદ્ધિરૂપી કમળનીને સૂર્ય સમાન એવા પુત્ર, તે ખરેખર આ તસ્કરરાજને પકડી કાઢયે જણાય છે; નહિં તો મુખપર આવી રક્તતા ક્યાંથી હોય ? " હાજરજવાબી પુત્રમંત્રીશ્વરે કહ્યું-હા પિતાજી, જેણે આપના મનની સાથે આ મુદ્રા પણ ગ્રહણ કરી છે તે આ જ ચેર.” નરપતિએ જરા હસીને કહ્યું–હે સુપુત્ર, સત્ય છે; નિશ્ચયે એમજ છે. ગમે તેમ કરીને પણ હું એ સ્ત્રીને પરણવાને ઈચ્છું છું; કારણકે હલકા કુળમાંથી પણ સ્ત્રીરત્નને ગ્રહણ કરવું એમ કહ્યું છે. પછી રાજપુત્રે એ કુમારીકાના ભયાતુર માતપિતાને બોલાવીને કહ્યું–તમારી પુત્રીએ રાજાની વીંટી ચેરી છે; કારણ કે લેભને લીધે માણસ શું નથી કરતો ? માટે જે તમે તમારી પુત્રી રાજાને આપો તો તમારે છૂટકે થાય; અન્યથા નહિં. માટે જલદી વિચાર કરીને યોગ્ય લાગે તેમ કરે; કારણકે બાળક અપરાધ કરે છે તો તેની શિક્ષા તેના માબાપને થાય છે” એ પરથી એ કન્યાના માત પિતાએ વિચાર્યું-શક્તિથી કે ભકિતથી પણ રાજા આપણી પુત્રીને જરૂર લઈ લેવાને છે. માટે આપણે પોતે જ એને એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #205 -------------------------------------------------------------------------- ________________ 188 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. દેવી. કારણકે હસતાં છતાં કે રડવા છતાં પણ પણ જ્યારે આવવાનેજ છે ત્યારે હસતાં છતાં આવે એજ સારે. " એમ વિચાર કરીને અંજળી જોડી એ બોલ્યો--આ વસ્તુ નિશ્ચયે રાજની જ છે; કાગડાના માળામાં કેયલ ઉછરે છે તેમ અમારા ઘરમાં તે માત્ર એ ઉછરીજ છે. વળી, અમારી પુત્રીને એક રાજા જે વર મળે તે પછી અમારે ત્રણ ભુવનને વિષેથી કઈ વસ્તુ અલભ્ય રહી છે. કારણકે હવે તે અમને નવેનિધાન અને દે રત્ન પ્રાપ્ત થયાં ! અમારી પુત્રીને એક ભૂપતિ વર મળશે એવું અમે સ્વપ્નને વિષે થે ધાર્યું નહોતું. કારણકે કવચિત્ કદી પણ સ્ત્રીને ઈંદ્ર પતિ પ્રાપ્ત થાય એવી કોઈ સંભાવના કરે ખરું ? માટે આ ઉત્તમ આચરણવાળી કન્યાને આપ એવી રીતે ગ્રહણ કરે કે એની બહેન રાજ્યલક્ષ્મીની સાથે રહે; અને અમે પણ કાશ્યપ મુનિની પેઠે આપના ધશૂરપણાને પામીએ. " પછી મહીપાળે એ કન્યાનું અતિ હર્ષ સહિત પાણિગ્રહણ કર્યું. અથવા તે આ પૃથ્વીને વિષે ગમે તેવી ઈચ્છા થાય તે રાજાને જ શેભે છે. પછી મગધરાજે કુલવાન એવી ચેલૂણું પ્રમુખ રાણીઓને વિષે પણ એને, અનુરાગને લીધે, પટ્ટરાણીનું પદ આપ્યું; કારણ કે પ્રેમવિલ્ડલ માણસ કુલ-અકુલ જોતો નથી. હવે એ નવોઢા રાણીની સાથે સ્નેહને લીધે મનોહર એવા પાંચ પ્રકારના વિષય ભોગવતાં રાજાને શિયાળાના દિવસની જેમ આઠ વર્ષ ઝટ વહ્યાં ગયાં. એકદા એ હાર-જીત કરાવનારા પાસાઓવતી સર્વ રાણીઓની સાથે, ઇંદ્ર રંભા પ્રભુખ દેવીઓની સાથે કીડા કરે તેમ, હર્ષસહિત કીડા કરવા લાગ્યા. કીડાને વિષે સર્વેએ એવું પણ કર્યું કે જે જીતે તે હારનારની પીઠ પર બેસે, કારણ કે ઘુતને વિષે સજા અને રંક બન્ને સરખા છે. પછી જ્યારે અન્ય સર્વ રાણીઓ જીતતી ત્યારે પિતાને જય થયે એમ સૂચવવાને પિતાના વસ્ત્રને પ્રાંતભાગ રાજાના શરીરપર નાખતી; કારણ કે સર્વ ચેષ્ટા કુલને અનુસરીને હોય છે. પણ જ્યારે પેલી વેશ્યા પુત્રી જીતી ત્યારે, ધિક્કાર છે તેને કે ! અન્ય રાણુઓની ઉત્તમ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #206 -------------------------------------------------------------------------- ________________ રાજાને રાગ-રાણીને વૈરાગ્ય. 189 ચેષ્ટા જોઈ હતી છતાં પણ તલ્લણ મહીપતિની પીઠ પર ચઢી બેઠી; કારણ કે પિતાને મૂળ જે સ્વભાવ હોય છે તેજ આગળ થાય છે. ભૂપાળની પૃષ્ટપર રહેલી એ “હે નાથ, નીચ એવી છતાં પણ હું આપની કૃપાથી ઉચ્ચપદને પામી છું; તે હવે આપ મને એથી પણ અધિક પદ અપાવે” એમ જાણે સૂચવતી હોયની. આ વખતે તીર્થકર મહારાજનું વચન યાદ આવવાથી મગધનાથ શ્રેણિક નરેશ્વરને હસવું આવ્યું. એટલે પેલી રાણીએ પીડ ઉપરથી ઉતરીને પતિને ઉડાસનું કારણ પૂછયું, કારણ કે મહંતપુરૂ અકારણ હા કરતા નથી. રાજાએ કહ્યું- હે પૂર્ણિમાના ચંદ્રમાના વ્યાધિને વૃદ્ધિ પ પાડનાર મુખકમળવાળી સ્ત્રી; એ તો સહેજ લીલાએ કરીને હસ્યો હતો, કારણ કે આપણું પિતાની ગોષ્ટીને વિષે જેમ કરવું હોય તેમ થાય છે. પણ મધુર શબ્દો બેલતી એ રાણીએ પુનઃ રાજાને કહ્યું- હે પ્રાણનાથ, હું આપને સત્યભાવથી પૂછું છું; અને આપ તે મારા એ વચનને હસવામાં કાઢી નાંખે છો માટે કૃપા કરીને મને ખરૂં કહો.” આમ આગ્રહ લઈને બેઠી. ખરૂં છે કે સ્ત્રીઓને આગ્રહ કીડીના ગ્રહ કરતાં પણ વધે છે. પછી રાજાએ તેને, જિનેશ્વર ભગવાને કહેલું તેનું પૂર્વજન્મથી આરંભીને પૃષ્ટરોહણ પર્યન્ત યથાસ્થિત ચરિત અથેતિ કહી સંભળાવ્યું. અહ ધન્ય છે તેણીને ! કે પતિના મુખથકી એવું પિતાનું ચરિત સાંભળીને તેણીને સંસાર પર વેરાગ્ય થયે. મહેટ એ પણ વૈરાગ્યને હેતુ કવચિત દેખાય છે. પણ તે કઈ વિરલાને જ પ્રાપ્ત થાય છે. “અહા! જિનધર્મની હીલના દુઃખદાયક છે; કારણ કે પૂર્વભવને વિષે આવા શ્રાવકના કુળને વિષે જન્મ પામેલી હતી, છતાં પણ ધિક્કાર છે મને કે આ વખતે સમસ્ત કુળને વિષે અધમ એવા વેશ્યાના કુળને વિષે ઉત્પન્ન થઈ. કસ્તુરી, ચંદન અને કપુરના વિલેપનથી સુંગધમય થયા છતાં પણ હા! હું અપવિત્ર-પરૂ આદિ પદાર્થોથી વિષમ એવા દુર્ગભાવને પણ પાણી માટે જેઓ અજ્ઞાનભાવથી પણ મુનિને હવે છે, નિદે છે કે હીલના કરે છે તેઓ નરક-તિયચની યાતનાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #207 -------------------------------------------------------------------------- ________________ 190 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. ભેગવીને માતંગ–ડેબ આદિ જાતિને વિષે ઉત્પન્ન થાય છે; તે મુનિની હીલનાનું ફળ જાણવા છતાં પણ જેઓ એમને એ પ્રમાણે અલના કરે છે તેમના જેવા બિચારા અબ્રહ્મ-હિંસા આદિને વિષે મગ્ન પ્રાણીઓનું તે શું જ થતુ હશે? માટે હવે તે હું દુઃખરૂપી વનને બાળીને ભસ્મ કરનારૂં એવું ચારિત્ર જ ગ્રહણ કરૂં " એમ હર્ષસહિત વિચાર કરીને રાણીએ રાજા પાસે દીક્ષાને વાસ્ત રજા માગી; અથવા તે મહંતજનું ચિતવન સદ્ય ફળીભૂત થાય છે. મારું એહિક જીવન આપના પ્રસાદથી જ હતું; હવે મને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે માટે હે પ્રાણનાથ, હું હવે આવતા ભવને સાધીશ; કારણ કે સત્સંગ છે તે ઉભય લેકને સાધના છે. કૃપા કરીને મને રજા આપો કે જેથી હું સત્વર શ્રી વીરભગવાન પાસે જઈને મેક્ષસુખ પ્રાપ્ત કરાવનારી એવી દીક્ષા ગ્રહણ કરૂં; કારણ કે શક્તિ હોય છતાં યે માણસ પિતાના બંધનને નથી ત્રોડ ? રાજાએ કહ્યું-“જેનાં બુધિરૂપ નેત્ર ઉઘડ્યાં છે એવી હે સ્ત્રી, તને ધન્ય છે! તું પૃથ્વીને વિષે પુણ્યનું ભાજન છે; કારણ કે તું શ્રી વીરપ્રભુની શિષ્યા થઈશ; અથવા તો કલ્પદ્રુમની ચાકરી પણ કેને મળે છે? અમે “સત્ય શું છે? એ જાણીએ છીએ છતાં પણ પાપાચરણ ત્યજતા નથી. કામભોગના નશ્વરપણાને લીધે અમારી પ્રભુતા પણ ક્ષણક છે. વૃદ્ધ બળદ વાડામાંથી બહાર નીકળી શકતો નથી તેમ અમે આત્માનો પાપ થકી ઉદ્ધાર કરી શકતા નથી. હે સુંદરિ, તારા વિશ્વ દૂર થાઓ અને તું તારું મનવાંછિત સારી રીતે સાધ. એમ કહીને ભૂપતિએ તેણીને રજા આપી. કારણ કે એ શ્રીકૃષ્ણની પેઠે, દિક્ષા લેવાને ઉત્સુક એવા જનને નિષેધ કરતે નહિ. પછી રાજાએ સુંદર મહોત્સવ અદરા અને રાણીએ પ્રણયિજનને પ્રમેદ આપનારૂં એવું દાન દેવા માંડ્યું. ત્યાર પછી નિવૃત્ત થયું છેમન જેનું એવી એ રાણીએ દીક્ષા ગ્રહણ કરી. - હવે વૈભારગિરિની ગુફાને વિષે ન્યાયમાર્ગને ઉલંઘને આચરણ કરનારે કલિકાળને બધુ હેયની એ લોહખુર નામને ચેર વસંત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #208 -------------------------------------------------------------------------- ________________ લોહખુર ચોર. 16 હતા. અથવાતે એવા ધિક્કારવા લાયક પાપાત્મા પુરૂષને નિર્જનસ્થળને વિષે પ્રીતિ હોય છે. ભાગ્ય અને બળ-એ બન્નેને પણ એકજ સ્વામી એવો એ એ બન્નેની સંધિ કરાવતે છતાં પણ નગરને વિષે સંધિને ભેદ કરી (ઘમાં ખાતર દઈ) દ્રવ્યવાન લેકેનાં ઘર ભાંગીને નિત્ય ચેરી કરતો હતો. એણે લેભને વશ થઈને એકદમ અર્થને સંચય કરવાને વૈભારપર્વતની ભૂમિને ગકામય બનાવી દીધી હતી. અસ્થિ (હાડકાં)ની છે બુર (ખરી) જેને એવાઓ અથોતુ પશુઓ પણ પૃથ્વીને દવાને ઇચ્છે છે તે આ તે લેહખુર એટલે લોઢાની ખરીવાળે કહેવા માટે એ એને કેમ ન ખોદે ? એને અન્ય અનેક વૃત્તિ હતી, પણ ચેરીની વૃત્તિપર તે અત્યંત પ્રીતિ ધરાવતો હતે; અથવા તે ભુંડ તે ઉત્તમ એવા પણ ભેજનને ત્યાગ કરીને પુરીષને વિષેજ અનુરક્ત રહે છે. એ લેહખુરને, શુક્રવારની સાચે (પત્નિ તરીકે) જોડાયેલી રહિણી જ તેમ, તથા ચંદ્રમાને પણ રહિણી જ જેમ, તેમ, મનુષ્યમાત્રને વૈરિભૂત-એ જે-ક્રોધ-તેનું અવરોહણ કરનારી (તેને ઉતારનારી) રોહિણી નામે અતિમાન્ય સ્ત્રી હતી. લેહખુરને આ હિણીની કુક્ષીએ રોહિણેય નામને પુત્ર થયે હતો. એ સંચાર કરતો ( જતાં આવતાં ) કદી અમિત્રમંડળની દૃષ્ટિએ પડતો નહિં માટે ચંદ્રમા કરતાં પણ અધિક હતા. પિતાના જેવું જ રૂપ, અને પિતાના જેવા જ સમસ્ત ગુણોને લીધે એ જાણે બીજો લેહખુર હાયની એ દેખાતે હતે; અથવા તે પુત્રો પ્રાયઃ પિતાના જેવા જ હોય છે. - એકદા એ લોહખુર ચેરે પિતાને કાળ નજીક આવ્યે જાણી પુત્રને પિતાની પાસે બોલાવ્યું અને આ પ્રમાણે કહ્યું ( કારણ કે પિતપોતાના રહસ્ય એક બીજાની સમક્ષ કહેવાને એ સમય છે) “હે પુત્ર, નિરન્તર તારા સુખનું એકજ કારણભૂત એવું મારું વચન જે તું અવશ્ય માન એમ હો તો હું તે તને કહું, કારણ કે પિતાનું વચન કેણ નિરર્થક ગુમાવે ? આજ્ઞાંક્તિ પુત્રે ઉત્તર આપે. હે પિતા, ઉત્તમ પુત્ર હોય તે કદાપિ કવચિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #209 -------------------------------------------------------------------------- ________________ 12 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પણ પિતાનું વચન ઉલંઘન કરે ખરે? માટે આપ જે આજ્ઞા હોય તે ફરમાવો.” એકલા વિનયથી જ પૂર્ણ એવું પુત્રનું બેલડું સાંભળીને હર્ષ પામી દુષ્ટ આશયવાળા લોહખુરે, મોટા પેટવાળો માણસ પિતાની ફાંદ ઉપર જ જેમ, તેમ પુત્રના અંગે પર પિતાને હાથ ફેરવી કહ્યું હે વત્સ, તું આપણું કુળનું એક આભષણરૂપ છે; અને રઘુપતિ રામચંદ્રની પેઠે પિતાના વિષે આવી ઉત્તમ ભક્તિ પ્રદર્શિત કરે છે માટે સર્વ લોકને વિષે તું જ એક કલાનિધાન છે. માટે હે પુત્ર, આ વીરતીર્થકર મણ્યાદિના ત્રણ ગઢને વિષે વિરાજતા છતા પિતાના ધર્મની દેશના આપે છે તો તું જાણે બહેરે છે તેમ તેમનું વચન કદિ પણ કાને સાંભળીશ નહિં. હે પ્રિયવત્સ, એમ છતાં પણ જે કદાપિ તું એ સાંભળ તે એ પ્રમાણે કદી અનુવર્તન કરીશ નહિં. આ પૃથ્વીને વિષે લેકે વિદ્યાથી જ જેમ, તેમ, એમની પાસે કઈ લેકોત્તર કળા છે એનાથી ઠગાય છે. તુંડને તેમજ મુંડને સર્વતઃ મુંડનારૂં એવું એમનું વચન જે કઈ શ્રવણ કરે છે તેને પગબાંધેલા રાસભની પેઠે બ્રહ્મચર્ય પાળવું પડે છે અને ગીજનની પેઠે લાંઘણે કરવી પડે છે, એટલું જ નહિં પણ એના દ્રવ્યને વિનાશ થાય છે અને એને ભિક્ષા માગી માગીને ખાવાને વખત આવે છે. અથવા તે આ વિષે વધારે શું કહું? એ માણસ દેહથી, વર્ણથી અને સંપત્તિથી ટળી જાય છે. એટલા માટે છે પુત્ર, એ વીરના વાકયશ્રવણ શિવાય બીજું તને જે ગમે તે સર્વદા કરજે. જે તું આ પ્રમાણે વતીશ તે તેને સર્વ પ્રકારે સકળવૃદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. મહારે લ્હારા જે કાર્યદક્ષ, કુળભૂષણ અને બુદ્ધિશાળી પુત્ર હોવાથી, ધનાઢય અને ગૌરવવાળાને જેમ બીજા માણસની ચિંતા હોતી નથી તેમ, પાછળ કંઈપણ બીજી ચિંતા નથી. " પુત્રેપિતાના વચન તથાસ્તુ " કહીને સ્વીકાર્યા એટલે પિતાની બદ્ધિ પ્રમાણે સમાધિ લઈને એ લેહખુર મૃત્યુ પામ્યું; અને એનાં પાપક એને નીચગતિને વિષે લઈ ગયાં કારણ કે કમને પણ શું ચેરને ભય હેય ખરે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #210 -------------------------------------------------------------------------- ________________ બળ છે. ચોર-પિતાને ચેર–પુત્ર-હિણેય. પછી પિતાના દેહને સંસ્કાર કરી તથા મહા વિસ્તાર સહિત એનું ધ્વદેહિક પણ સમાપ્ત કરી, વ્યવસાય રહિત એ એ હિણેય ચેર શેકને વિષે રહેવા લાગ્ય; કારણકે અંધકારને નાશ થયે ઘુવડને પણ દુઃખ થાય છે. અનુક્રમે કાળ જતે ગમે તેમ તસ્કરશિરોમણિ રૅહિણેય શોક ત્યજી દઈને પિતાની જેમ નગરને વિષે ચોરી કરવા લાગ્યું. કારણકે શેક ફક્ત પાંચ દિવસને જ હોય છે. એવામાં નાના પ્રકારના ગામ-નગર આદિથી યુક્ત એવી પૃથ્વીપર વિહાર કરી ભવિકજનને પ્રબોધ પમાડતા શ્રીમન મહાવીરજિનેશ્વર એ નગરને વિષે આવી સમવસયો. તત્ક્ષણ વૈમાનિક આદિ દેવતાઓએ ત્રણગઢની રચના પ્રમુખ કાર્યો કયે છતે ભગવાને, એમનાથી (દેવોથી) નિરન્તર સંચાર કરાતા સુવર્ણપદ્મપર ચરણકમળ મૂકી પૂર્વ દિશાને મુખેથી સમવસરણને વિષે પ્રવેશ કરી સિંહાસન પર બેસી મનુષ્ય અને દેવતાઓની પર્ષદાને જન પર્યન્ત સંભળાતી વાણવડે ધર્મદેશના આપી. તે વખતે નગર તરફ આવવા નીકળેલે રહિણેયર, ભવ્યપુરૂષ વીર્યબળવડે મેહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ઓળંગીને ગ્રંથી પ્રદેશ પ્રાપ્ત કરે છે તેવી રીતે પ્રભુના વ્યાખ્યાનપ્રદેશને પ્રાપ્ત કરતે હો ( ની નજદીક આગે) એટલે પિતાએ ભેળવેલે એવો એ વિચાર કરવા લાગ્ય– હું પાસે જઈશ તે એની વાણી સાંભળીશ, પણ ત્યારે જવાને બીજો એકે માર્ગ નથી. તેથી હા ! , ઘન એવી જાળને વિષે મત્સ્ય આવી પડે તેમ, હેટા કષ્ટને વિષે આવી પડ્યો છું. વળી જે હું નગરમાં ન જતાં ઘેર પાછો જાઉં તો મારાં સર્વે કાર્યો દરિદ્રીની પેઠે રખડી પડે એમ છે; માટે કાન બંધ કરીને બહેરે થાઉં; કારણકે કાર્યને વશે શું ઘેલાપણું પણ નથી અંગીકાર કરવું પડતું ? એમ વિચાર કરીને તત્ક્ષણ કાનને વ્રતના કુડલાની જેમ 1 મોહનીય કર્મની શતર કડાકોડી સાગરોપમની સ્થિતિ હોય છે, તેને ઓળંગીને-ઓછી કરીને, એક કડાડી સાગરોપમથી કંઈ ઓછીએ આવે ત્યારે જીવ થી પ્રદેશે પહો કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #211 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પિતાની આંગળી વડે સજજડ રીતે બંધ કરીને, પાછળ જાણે ધાડ આવતી હોય એમ ઉતાવળે પગલે ગામમાં ગયે. એમ માર્ગને વિષે નિરતર આ પ્રકારે ગમનાગમન કરતાં તેણે કેટલાક દિવસ નિર્ગમન કર્યો. અહધિક્કાર છે વિપર્યસ્તમતિવાળાઓની આવી ચેષ્ટાને ! એકદા હમેશની પિઠે એ પ્રકારે ઉતાવળે પગલે જતી એ હિણેયને " તું એમ મેહનિદ્રામાં કેમ સૂઈ રહ્યો છે? અરે ! જાગૃત થા, " એમ પ્રતિબોધ આપવાને માટે જ હાયની એમ પગને વિષે કાંટે વાપે. કાંટે ઘણે ઉડે પસી જવાથી અત્યંત પીડા પામતો એ એક પગલું પણ આગળ ચાલી શકે નંહિ; એથવા તે જે વેદનાનું ફળ ઉત્તર કાળને વિષે અતિ સુંદર થવાનું હોય છે તે વેદના પણ પ્રશંસાપાત્ર છે. એટલેં એ કાંટાને ખેંચી કાઢવાને તેણે કાનમાંથી શેઠે વખતે આગળ કઢી લીધી, તે જાણે એણે અત્યારસુધી સુંગતિને વિષે જેવાનો દ્વાર બંધ કર્યા હતાં તે જાણે હવે ઉઘાડ્યાં હાયની ! કાનમાંથી ઓગળી લઈલઇને એનાવડે એ કાંટે કાઢતે હતો તે જ ક્ષણે “દેવતાઓની માળા કદિ કરમાતી નથી; એમનાં લોચન નિમેષરહિત હોય છે, અને એમને શરીરે રજ, મળ કે પ્રસ્વેદ એમાંનું કંઈ હોતું નથી” એવી શ્રી વીરભગવાનની અમૃતમય વાણું, જાણે તે (ચેર) ના શરીરની રક્ષા કરવાને સમર્થ એવા મંત્રાક્ષરેજ હેયની એમ તેના કર્ણરૂપી કેટરને વિષે ઓચિંતી પ્રાપ્ત થઈ. એટલે એ ચાર “અહો ધિક્કાર છે મને કે મેં બહુ સાંભળ્યું; અથવા તે એણે (વીરતીર્થકરે ) ચેરી ન કરવા વિષે કંઈ કહ્યું નથી " એમ બોલતાં બોલતાં પિતાના કાન બંધ કરી દીધા, તે જાણે અંદર પેસવા પામેલી સત્યવાત રખે બહાર નીકળી જશે એવા ભયથીજ હાયની ! પછી એ રશિરોમણિ દેવતાની પેઠે પવનવેગે નગરમાં ગયે અને ત્યાં ચોરી કરીને, ધાન્યના ક્ષેત્રને તીડને સમૂહ ઉપદ્રવ કરે તેમ અતિશય ઉપદ્રવ કર્યો. * આ પ્રમાણે નગરને વિષે નિરન્તર ચેરી થવા લાગી. એટલે એકદા ત્યાંના સર્વ શેઠીઆએ મળીને મગધરાજ-શ્રેણિકભૂપાળ પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રજાની ફરિયાદ-રાજાને કેપ. 195 ગયા અને તેને નમીને હર્ષસહિત તેની પાસે બેઠા; કારણકે રાજા પ્રજાને પિતાતુલ્ય ગણાય છે. પછી એમણે વિજ્ઞાપના કરી કે “હે મહીપતિ, તમારી કૃપાથી અમારે કઈ વાતની ન્યૂનતા નથી; અમારાં હાટ અને ઘર કરિઆણુથી ભરેલાં છે અને ઉત્તમ સમૃદ્ધિના ભાજન છે. પણ તે રાજા, હમેશાં રાત્રીને વિષે ચેરલેકો આવીને ચોરી કરી જાય છે. એથી " વાવે કેક અને લણે કેક " એ જે લેકેને વિષે કહેવત છે તે ખરી પડે છે.” એ સાંભળતાંજ, મહટ સંગ્રામને વિષે તીક્ષણ એવાં શના પ્રહારથી પણ કદિ પીડા ન પામતે એ શ્રેણિકરાજા પણ ચિત્તને વિષે અતિ ખેદ પા. લાલચેળ નેત્ર કરી લલાટને વિષે ભ્રકુટી ચઢાવી, હોઠ ફફડાવતો એ કેપ કરીને કેટવાળને કહેવા લાગે ( કારણકે શીતળતાજ કેવળ સિદ્ધિ આપનારી નથી ). રાજાએ કહ્યું–અરે, તું કંઈ તારું અહિં લેણું મૂકી ગયો છે; અથવા કેઈને અન્તરાળે તે તે કંઈ મને તારો જામીન કર્યો છે, અથવા તું કંઈ મારે પિત્રાઈ થઈને આવ્યું છે, અથવા કંઈ ભાણેજ કે જમાઈ છો જેથી આ પ્રમાણે વૃથા મારે પગાર ખાય છે ? કારણકે તારી ઉપેક્ષાને લીધે, રાજાના માણસે નિઃપુત્રનું ( વાંઝીઆનું ) ઘર લુંટે તેમ, ચેરલે કે નગરને લુંટે છે. તે તે અમને શું નિ:સત્વ ધાયો કે તું અમારે કંઈ ભયજ રાખતો નથી? અપરાધ માલમ પડશે તે કેપને લીધે અમે તને શિક્ષા કરશે. " એ સાંભળીને કેટવાળે નમીને રાજાને કહ્યું–હે નરપતિ, સર્વ ચેરેને વિષે અગ્રેસર એવો પેલો રહિણેય ચેર છે એ નજરે પડે છે છતાં પણ, આ પૃથ્વી પરના ઇંદ્રકેસરિસિંહની પેઠે એ પકડાતો નથી. વીજળીના ઝબકારાની જેમ કુદકા મારીને તે શાળા, ઘર કે બજારને ઉલ્લંઘીને જતા રહે છે અને તેથી જ તે આપણી પોતાની બપોર પછીની છાયાની પેઠે પકડી શકાતું નથી. માટે કૃપા કરી આ મારૂં કેટવાળપણું આપ પાછું ; મારે એ જોતું નથી. જેનાથી એ સચવાય તેને એ આપે. * પછી રાજાએ ભ્રકુટીના ઉલ્લાસથી સંજ્ઞા કરેલા અભયમંત્રીશ્વર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #213 -------------------------------------------------------------------------- ________________ 196 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. કેટવાળને કહ્યું–તમે ખેદ ન કરે; હમણાં જ જઈને હસ્તિ, અશ્વ આદિ સિન્યને સજજ કરીને નગર બહાર લાવે. પછી જ્યારે એ ચેરને નગરને વિષે પ્રવેશ કરતાં તમે જુઓ ત્યારે, અજાના લોભને લીધે હાથી અંદર ગયા પછી યંત્રમંદિરને ઘેરી લીધામાં આવે છે તેમ તમે નગરને ઘેરી લેજે–આસપાસ ફરી વળજે. તેથી કટકને જોઈને ત્રાસ પામેલે એ એ, જળના મોઝાએ વેગથકી ઉછાળેલ મત્સ્ય ક્ષણમાત્રમાં સમુદ્રના તટપર જ પડે છે તેમ તરતજ નગરની બહાર પડશે. એટલે તમે પછી . જાળને વિષે મૃગને પકડવામાં આવે તેમ એને પકડી લેજે. " એ સાંભળી “બહુ સારું " એમ કહી એમનું વચન અંગીકાર કરી કેટવાળ ચેરને પકડવાને વાસ્તે સર્વ તૈયારી કરવા ગયે. પછી રાજાએ પણ નગરજનેને " હવે તમે આકુળતા ત્યજી દઈને ઘેર - જાઓ; ચિંતા ન કરશો " એમ કહીને આશ્વાસન આપ્યું કારણકે નિતિશાળી પુરૂષનું એજ એક તાન હોય છે. - હવે અહિં કેટવાળ પિતાની સકળસેનાને લઈને નગરની બહાર આવ્યું છે તે દિવસે પેલે શિહિણેય ચેર તો કઈ ગામાન્તરે ગયે હતે. પણ રાત્રીએ ત્યાંથી પાછો આવ્યો ત્યારે મુગ્ધભાવથકી એણે નગરને વિષે પ્રવેશ કર્યો; કારણકે મોહ ( ભૂલ ) થકી કૂપને વિષે પણ પડી જવાય છે. પછી ઉપર કહ્યા એ પ્રકારવડે તેજ વખતે ચિરને પકડી લઈ બાંધીને રાજા પાસે લઈ જવામાં આવે; કારણકે બુદ્ધિના મેગથી શું શું પરાક્રમ નથી થતું? ત્યાં રાજાએ અભયકુમારને કહ્યું-શિષ્ટજનને પાળવા અને દુષ્ટલકેને શિક્ષા કરવી એજ આપણો ધર્મ છે. તે જ્યારે હવે ચેરને પત્તો લાગે છે ત્યારે એને સત્વર શિક્ષા કરે. કારણકે કદાપિ વ્યાધિની ક્ષણવાર પણ ઉપેક્ષા કરવી એગ્ય નથી. " પણ અભયમંત્રીશ્વરે નમન કરીને પિતાને કહ્યું–હે તાત, આપણે એને પકડ્યો છે ખરે, પણ એની પાસે કંઈ ચેરીને મુદ્દાને માલ નથી. માટે વિચાર કર્યા વિના એને શિક્ષા કરવી એ અગ્ય છે; કારણકે વિચાર એ જ આ દુનીઆને વિષે સર્વોત્તમ છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #214 -------------------------------------------------------------------------- ________________ રેહિણેય પકડાય છે.. 197 એપરથી રાજાએ ચેરને પૂછ્યું-તું ક્યાં રહે છે? અહિં શામાટે આવ્યું હતું ? તું જ રહિણેય કે ?" પિતાનું નામ સાંભળીને ચકિત થયે છતો પણ એ બેલ્ય-મારૂં નામ દુર્ગચંડ છે, હું શાલિગ્રામને વિષે હમેશાં રહું છું, અને કૃષિકારની વૃત્તિથી આજીવિકા ચલાવું છું, કંઈ કાર્ય પ્રસંગે અહિં આવ્યા હતા તેમાં શ્રમિત થવાથી દેવમંદિરને વિષે સૂઈ ગયે હતો. કારણકે સદાચારવંત એવા પણ મને કેણ વિશ્વાસ લાવીને અહિં પિતાના ઘરમાં રાખે ? પછી હે પૃથ્વી પતિ, રાત્રીને કેટલેક ભાગ વ્યતીત થયે એટલે હું નિદ્રામાંથી જાગીને વિચાર ક્યા વિના ઘેર જવાને પ્રવૃત્ત થયે; અથવા તે બુદ્ધિ હમેશા પિતાની ઈચ્છા પ્રમાણે કામ કરે છે. પછી મને પહેરેગિરેએ પકડવા માંડ્યો એટલે અસ્થિ ભાંગી જશે એની પણ દરકાર નહિં કરીને મેં કિલ્લાને ઉદ્ઘઘી જવા માટે કુદકે માય; કારણકે કુવામાં પડતો માણસ વિહળ થઈને કુશને પણ પકડવા જાય છે. હું કુદકે મારીને અંગને કંઈ પણ ઈજા થયા વિના નગરની બહાર પડ્યો; તો ત્યાંએ આ આરક્ષકલોકેએ મને મત્સ્યની પેઠે પકડી લીધો. કારણકે અપુણ્યરાશિ જીવ આદરથી પણ જે જે વ્યવસાય કરે છે તે સર્વે અફળ થાય છે. હે દયાનિધિ, નિર્દોષ એવા પણ મને આ પ્રમાણે શા માટે ચેરની પેઠે નિર્દયપણે બાંધીને અહિં આણે છે ? અથવાતો એમાં મારા અશુભ કર્મો જ વાંક છે. પણ રાજાએ તો એને એ વખતે બંદિખાને મોકલાવ્યું. અને તેના કહેલા ગામને વિષે તેને વૃત્તાન્ત મેળવવાને માટે પિતાના માણસને મોકલ્યા; કારણકે નિશ્ચય કર્યો પછી જ એને છોડાય કે શિક્ષા કરાય એમ હતું. હવે એ શાલિગ્રામને વિષે શિહિણેય ચેરે પોતે પ્રકલ્પેલો સંકેત ગામના લેકેને પૂર્વે પ્રથમથી જ કહી રાખેલ હત; કારણકે જેઓ દુષ્ટ આશયવાળા હેય છે તેઓ સુખને માટે દ્વારે બાંધી જ રાખે છે. પેલા રાજસેવકે આખા શાલિગ્રામમાં ઘેર ઘેર પૂછ્યું તો સિાએ કહ્યું કે દુર્ણચંડ - અહિં જ રહે છે પણ આજે કંઈ બહાર ગયે છે કારણકે એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #215 -------------------------------------------------------------------------- ________________ 198 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. જ સ્થળે બેસી રહેનારાનું પેટ ભરાતું નથી. પછી એ ગામવાળાઓએ કહ્યું એ સર્વ યથાસ્થિત આ રાજપુરૂષે રાજાને નિવેદન કર્યું. એટલે અભયકુમારે પણ તે સાંભળીને વિચાર્યું કે અહે ! ચેરને સંકેત પણ અત્યંત ગૂઢ છે. પછી રાજપુત્રે એક આકાશ સાથે વાત કરતો સાતભૂમિને પ્રાસાદ તૈયાર કરાવ્ય; તેમાં નાના પ્રકારના મણિ જડિત સુવર્ણની ભીંતે રચાવી; સેંકડો દેદિપ્યમાન ઉલ્લેચ બંધાવ્યા; અને સુરાંગના સમાન વારાંગનાઓ તથા સુંદર કંઠવાળા ગંધર્વોને પણ તેમાં રાખ્યા; કારણકે પૃથ્વી પતિ-રાજાઓને પોતાનું ઈચ્છિત સિદ્ધ નથી થતું શું ? એ પછી મંત્રીશ્વરે પેલા ચેરનું સત્ય વૃત્તાન્ત જાણવાને માટે એને મદ્યપાનથી બેભાન કરી ઉત્તમ વસ્ત્રો પહેરાવી ક્ષણવારમાં તે મહેલને વિષે એક સુંદર શય્યાને વિષે સૂવરાવ્યું. કારણકે કોપીવ્યસની–રેગી–પ્રિયાને વિષે રક્ત-મદ્યપાન કરનાર અને વિપત્તિમાં આવી પડેલો-એટલા માણસોના ચિત્તને વિષે રહેલું રહસ્ય સત્વર પ્રગટ થાય છે. ત્યાં અલ્પ સમયમાં મદ્ય પરિણતિ પાયે ( ઉતરી ગયે ) એટલે શહિણેય બેઠે થયે; અને અરણ્યવાસીજન નગરની શેભાને જોઈને વિરમય પામે છે તેમ, એ આ સઘળું જઈને વિસ્મય પામે. “આ તે શું ઈંદ્રજાળ છે, કે કંઈ મારી મતિને વિભ્રમ થયે છે ? આતે કંઈ સ્વમ છે કે કંઈ બીજું છું?” આમ તે મનને વિષે ચિન્તવન કરે છે એવામાં તે ત્યાં રહેલા માણસો બેલવા લાગ્યા–હે પ્રભે, આપ આ મહા વિમાનને વિષે ઉત્પન્ન થયા છે, તમે ચંદ્રસૂર્ય તપે ત્યાં સુધી જયવંતા વતો અને આનન્દ પામે. અમે આ આપના સેવકે છીએ. અમે સ્વામીને ઈચ્છતા હતા તેવામાં જ આપ અમારા સ્વામી ઉત્પન્ન થયા છે. હે નાથ, માનવલોકને દુર્લભ એવી સુરાંગનાઓ પિતે તમારી પાસે આવી છે માટે ચંદ્રમા તારાઓની સાથે કરે તેમ, આપ આમની સાથે આદરસહિત ભોગવિલાસ કરે. " ઈત્યાદિ બહુ બહુ ખુશામતના શબ્દો કહીને, તેમણે તેની પાસે નૃત્ય-ગીત પ્રમુખ કરવાને અર્થે, એકદમ હાથ એકઠા ક્યો તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #216 -------------------------------------------------------------------------- ________________ અભયકુમારની બુદ્ધિને ઉઠાવ. ઈન્દ્રજાળ કે સ્વમ! 19 જાણે " તને પણ થોડા વખત પછી એમજ થશે ? (હાથ બંધાશે) એમ સૂચવન કરતા હોયની ! એટલામાં તે કાંચનને દંડ ધારણ કરીને કે એક પુરૂષ ત્યાં આવ્યે અને ક્રોધથીજ જાણે હાયની એમ ભ્રકુટી ચઢાવીને બેલ્ય–અરે ! તમે આ એકદમ શું કરવા માંડયું ?" પેલાએ કહ્યું- હે પ્રતિહાર, અમે તે અમારા સ્વામીને લોકાલોકને વિષે તેને જે પ્રચુરતર ફળ પ્રાપ્ત થયું છે તે યથેચ્છપણે બતાવવામાં પડ્યા છીએ. " એ સાંભળીને પ્રતિહાર બોલે-ભલે તમે તમારું કૌશલ ( કુશળતા ) બતાવે પણ આમની પાસે દેવસ્થિતિનું વિધાન કરાવો. માનવજન પણ પિતાની ફરજનું ઉલ્લંઘન કરતા નથી તો તમે તે દેવતા છતાં પણ કેમ ભૂલે છે?” “એ સ્થિતિ કયા પ્રકારની છે” એમ પૂછવાપરથી એ પ્રતિહારે આક્ષેપસહિત કહ્યું તમે નિશ્ચયે ગર્ભશ્ચર જ છે કારણકે જે મૂળ કરવાનું છે તે પણ તમે વિમૃત થઈ ગયા છે. જે દેવતા આ વિમાનને વિષે ઉત્પન્ન થાય છે તેને પ્રથમજ, શ્વશરના ગૃહને વિષે પ્રવેશ કરતાં પહેલાં વરને કાદિ ઉત્તમ કાવ્યે પૂછવામાં આવે છે તેમ, તેનાં દુકૃત્ય અને સુકૃત્ય વિષે પુછવામાં આવે છે. " પિતાને સ્વામી પ્રાપ્ત થયા તેથી હર્ષ પામીને એઓ પણ બોલ્યા-આપે કહ્યું તે ખરૂં છે; એ સુપ્રસિદ્ધ છતાં પણ અમે આજ ભૂલી ગયા કારણકે હર્ષને લીધે કેણ ઉતાવળું થઈને ભૂલ નથી કરતું ? માટે, હે નીતિજ્ઞ પ્રતિહાર, આપજ એમને એ વિષે પૂછો. " એ સાંભળીને પ્રતિહારે જ પૂછવા માંડ્યું કે-હે દેવ, આપ આપના પૂર્વભવના પુણ્યકર્મ અને પાપકર્મ નિવેદન કરે. " આ સાંભળીને રોહિણેય “શું એ સત્ય છે કે હું સ્વર્ગને વિષે દેવતા ઉત્પન્ન થયે છું ? અથવા આ તે સવ અભયકુમારની બુદ્ધિને ઉઠાવ છે? " એમ વિતર્ક કરવા લાગે. અથવા તે આવું હોય ત્યારે તેને સંદેહ ન થાય? “આ વાતને નિશ્ચય કેવી રીતે કરે?” એમ કરતાં તો તે મનમાં બે-, યાદ આવ્યું, કાંટે કાઢતી વખતે મેં જે મહાવીર પ્રભુની સુરસ્વરૂપ પ્રતિપાદન કરનારી વાણી પરાણે સાંભળી હતી P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #217 -------------------------------------------------------------------------- ________________ 200 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. તેની સાથે જે આ સર્વે મળતું આવશે તો તે હું નિશ્ચયે સ્કુટપણે ખરી વાત કહીશ; અન્યથા મને ગમશે તેવા ઉત્તર આપીશ; કારણકે “વાંકે લાકડે વાંકે જ વેહ” હોય છે. પછી તે પુનઃ બરાબર રીતે પરીક્ષા કરવા લાગે તો જિનેશ્વરે કહેલું નેત્રનું અનિમેષપણું વગેરે અહિં કયાંઈ દેખાયું નહિં; કારણકે સુવર્ણને વેષ લઈને રહેલું તામ્ર કદિ સુવર્ણની પરીક્ષામાં પસાર થાય ખરૂં ? " ત્યારે આ તે શું સર્વ કપટ રચાયું હશે ? એમ વિચાર કરવા લાગે એટલામાં પ્રતિહારે તેને કહ્યું–હે સ્વામિન, આ સર્વ દેવ-દેવીઓ આપનું ચરિત્ર સાંભળવાને ઉત્સુક થઈ રહ્યાં છે.” તે સાંભળી ચારે કહ્યું–અગર જો કે હેટા લેકેએ પિતાની મેળે પિતાને વૃત્તાન્ત કહેવો એ અગ્ય છે તેપણું ભક્તિને લીધે અનુરક્ત એવા આ મારા અસરા વગેરે પ્રત્યે હું તે કહીશ. મેં રમ્ય સુરાલયે કરાવ્યા હતા તથા બિંબની પ્રતિષ્ઠા અને વિવિધ પૂજાઓ કરી હતી; વળી સમેતશિખર-શત્રુંજય-રેવતાચળ આદિ તીર્થોએ અનેકવાર યાત્રા કરી હતી તથા અનુપમ એવું સંઘવાત્સલ્ય કર્યું હતું, પંગુઅંધ-દીન આદિને નિરન્તર દાન આપ્યાં હતાં; ઉત્તમ છે આદર જેને એવા જીર્ણોદ્ધાર કરાવ્યા હતા તથા નિષ્કલંક શીલ પાળ્યું હતું. નિરન્તર ઉપવાસ-છઠ્ઠ આદિ દુસ્તપ તપશ્ચર્યા કરી હતી; તથા બારે ભાવનાઓ ભાવતું હતું. હું નિત્ય આ પ્રમાણે કૃત્ય કરતે હતે” એમ રેહિણેયે પ્રતિહારને પિતે પિતાના પૂર્વના ભવના કાર્યો ગણાવ્યાં. કારણકે કૂડું કહેવું હોય ત્યારે શા માટે ઓછું કહેવું? પછી પ્રતિહારે પુનઃ કહ્યું–હે પ્રભે, હવે આપ આપના પૂર્વભવના દુશ્ચરિત–પાપાચરણ હોય તે કહે. કારણકે જ્યોતિષીઓ શું ઉચફળવાળા ગ્રહોને નિરૂપણ કરીને પછી શું ઈતરગ્રહને નથી નિરૂપણ કરતા ? એ છેલ્લા પ્રશ્નના ઉત્તરમાં લેહખુરના પુત્રે કહ્યું-નિરન્તર ઉત્તમ સાધુઓનો સંસર્ગ હેવાથી મેં કદિ પાપાચરણ કર્યું જ નથી; પણ લેકને વિષે મેં તે બીજાઓના સંબંધમાં સાંભળ્યું છે. હે પ્રતિહાર, મારા ગુરૂની કોઈ એવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #218 -------------------------------------------------------------------------- ________________ ઠગબાજ ચેરને છેવટ પશ્ચાત્તાપ. 201 કૃપાને લીધેજ હું નિરન્તરે એવી રીતે સુકને વિચાર કર્યા કરતે કે પાપ તે મારાથી દૂરને દૂર નાસી જતું. અથવા તો સૂર્યની પાસે અંધકાર કેમ ટકી શકે ? પણ દંડધારી પ્રતિહારે વળી પૂછયું–કેઈને અવતાર કદિપણ એકજ ભાવવડે નિર્ગમન થતું નથી, મહેટા સાધુને પણ અન્તમુહૂર્તને વિષે મહામહ પ્રમાદાચરણ થઈ જાય છે. માટે તમારાથી પરસ્ત્રીગમન-ચેરી આદિ દોષયુક્ત આચરણ થઈ ગયાં હશે; કારણકે નિરન્તર અતિ ઉત્તમ એવાં ક્ષીર ભેજન પ્રાપ્ત થતાં હોય તેના પર પણ શું અરૂચિ નથી થતી? તે સાંભળી રશિરોમણિ રહિણેય બોલ્ય-હે ચતુર પ્રતિહાર, મેં સ્વમને વિષે પણ ચેરી–પરદારાગમન કે અન્ય કિચિત પાપાચરણ નથી કર્યું. જે કર્યું હોય તે પછી સુસાધુની સેવા કેવી સમજવી? વળી તમેજ કહે કે જે એવાં કેઈ પાપ કર્યો હોય તો આવી સ્વર્ગસંપત્તિ મને કેવી રીતે પ્રાપ્ત થાય ? કારણકે યવના બીજમાંથી કદિ શાળની ઉત્પત્તિ સંભવે ખરી ? " પછી આ સર્વ વાત તેણે જઈને અભયકુમારને નિવેદન કરી અને કહ્યું- હે સ્વામિન, એ ચેર પણ મહા ધૂતારો છે, કારણકે એણે એ પ્રકારે આપણને પણ ઠગવાની બાછ આદરી છે. " હવે પાછળ ચેર પણ ચિરકાળ પર્યન્ત ચમત્કાર પામી પિતાના ચિત્તને વિષે વિચાર કરવા લાગે-જે તે વખતે જિનેશ્વરે કહેલાં અમૃત વચન અને કર્ણાચર ન થયાં હતા તે હું અનેક પ્રકારની સેંકડો યાતનાવડે નરક સમાન દુઃખ ભેળવીને કયારને યમ પાસે પહેચી ગયે હેત, કારણકે મારા જેવાઓનું આવુંજ અવસાન હોય છે. હા! મેં તીર્થંકર મહારાજનું વચનામૃત ત્યજી દઈને ચોરી કરનારાનું મહાવિષ સમાન ભાષણ સાંભળ્યું અથવા તો ઉંટ તે અત્યન્ત સુરભિ એવા આમ્રવૃક્ષને ત્યજીને કડવા લીંબડાને જ ખાય છે. હા ! મારા પિતાએ મને છેતરીને જિન ભગવાનના વાક્યામૃતનું પાન કરવા થકી દૂરજ રાખે; અને તેથી જ મારી આ અવસ્થા થઈ - 1 પાપી પ્રાણીઓને પરમાધાર્મીક (પરમાધામી) તરફથી કરવામાં આવતી નાના પ્રકારની પીડા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #219 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. છે; અથવા તે જેને શાકિની જેવી માતા હોય તેનું ક્યાં સુધી - સારૂં થયાં કરે? માટે હવે જે હું આ વિપત્તિમાંથી જીવતો " છુટીશ તે હું એ મહાવીર પ્રભુને શિષ્ય થઈશ. અહો ! તેઓને જ ધન્ય છે કે જેઓ બાળપણથી જ એ પ્રભુને આશ્રયીને રહે છે.” અહીં અભયકુમાર પણ વિચાર કરવા લાગ્યા કે આવા આવા સજજડ ઉપાય કરતાં છતાં પણ એ પકડાઈ આવતું નથી તો હવે ચાલ જઈને શ્રી મહાવીર પ્રભુને પૂછું; કારણકે હાથે કંકણ ત્યાં આરસનું શું પ્રયોજન છે ? પછી તેણે જઈને પ્રભુને નમી અંજલિ જેડી પૂછયું–હે પ્રભુ, હે સર્વ સંદેહરૂપી અંધકારને દૂર કરનાર સૂર્ય, આજ (અમે પકડ્યો છે તેજ ) ચેર છે કે નહિં " કેવળજ્ઞાનના પ્રકાશથી સર્વ વસ્તુસમૂહ જેમને પ્રગટ જણાય છે એવા પ્રભુએ ઉત્તર આપ્યએ ચેર હતો (ખ); (પણ) હમણાં મારા શિષ્ય (થ) છે. ચેર થકી ઇતર અથૉત્ સજ્જન પુરૂષે કાંઈ ખાણમાં પાકતા નથી. " એ સાંભળી અભયકુમાર ભગવાનને નમન કરી ઘેર આવ્યા અને પિલા રહિણેયને સત્વર રાજાને કહીને બન્દિખાનેથી મુક્ત કરાવ્યા; અથવાત એ હવે સંસારરૂપી બન્દિખાના થકી પણ મુક્ત થવાને છે. હવે બન્દિગૃહથી મુક્ત થયેલ રેહિણેય પણ શ્રીજિનેશ્વર પાસે જઈ તેમને નમસ્કાર કરી વિનય સહિત વિજ્ઞાપના કરવા લાગે-તે વિભે, આપની જનપર્યત વિસ્તાર પામતી વાણી જગત્રયને વિષે જયવન્તી વર્તો. અભયકુમારની બુદ્ધિએ રચેલી જે હેટી કપટમય પાશને વિષે મહટા મોટા રાજસિંહ સુદ્ધાં બન્ધાઈ જાય છે તેને વિષે મારા જે એક દીન મૃગ પડ્યો હતે-તે આપની વાણુરૂપી કાતર ન હોત તો તેમાંથી કયારે છૂટી શકત નહીં. મેં શ્રદ્ધા વિના પણ આપની વાણીરૂપી અમૃતનું પાન કર્યું તે આ મૃત્યુથી છૂટ્યો; માટે હે નાથ, આપ હવે એવું બતાવે કે જેથી હું જન્મ–જરા-મૃત્યુથી સંકુલ એવા - આ સંસારથી મુક્ત થાઉં, એપરથી શ્રી જિનભગવાને તેનાપર કરણે લાવી સમ્યકત્વમૂલ યતિધર્મને આદેશ કર્યો. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #220 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય-શુદ્ધિ 203 કારણકે અખિલ વિશ્વને વિષે પિતાના કિરણના સમૂહવડે ઉતકરતો એ સૂર્ય કદ પણ માતંગના ઘરને ત્યજી દે ખરે ?" જ્યારે હું વિરતિને થાઉં ત્યારે, હે પ્રભે, આપ મને એ આપજે” એમ રેડુિણે વિજ્ઞાપના કયોથી શ્રી ભગવાને કહ્યુંહે ભદ્ર, તું નિશ્ચયે એને મેગ્ય જ છે. પછી એણે કહ્યું-ત્યારે હું આપની પાસે દિક્ષા ગ્રહણ કરીશ, પણ મારે લગાર રાજાને વાત કહેવાની છે. એટલે રાજાએ પણ કહ્યું–હે પુજ્યતાના નિધાન, તારે કહેવું હોય તે નિઃશંક થઈ કહે. પેલો કહે-હે રાજસ્, આપે જેના વિષે સાંભળ્યું છે તે સહિણેય નિશ્ચયે હું પિતે જ છું. વિષમેષ કામદેવ ચારિત્રરતને લુંટે છે તેમ મેં આપના આખા નગરને લંચ્યું છે. હે મહીપતિ, વિપત્તિને દળી નાંખનારી એવી શ્રી વીરપરમાત્માની વાણીને ફક્ત એક જ વાર સાંભળવાથી મેં, મહા ગારૂડવિદ્યા સર્પને પરાભવ કરે છે તેમ અભયકુમારની બુદ્ધિને પણ પરાભવ કર્યો છે. માટે આપના કેઈ વિચક્ષણ પુરૂષને મારી સાથે મોકલે છે જેથી હું તેને મારી સર્વ લુંટ બતાવી દઉં. પછી હું પ્રભુ પાસે વ્રત ગ્રહણ કરીશ કારણકે અન્યથા મારા જેવાઓની શુદ્ધિ થાય નહિ. એ સાંભળી રાજાએ આદર સહિત તેની પ્રશંસા કરી કે-પુણ્યવાન જીવના જેવા લક્ષણવાળા એવા તને ધન્યવાદ ઘટે છે કારણકે એક જ વારના વ્યસનથી તને ક્ષણ માત્રમાં કસુંબાના વસ્ત્રની પેઠે વિરાગિતા ઉત્પન્ન થઈ છે. ' પછી રાજાના આદેશથી અભયકુમાર તસ્કરની સાથે ચાત્યે તેને એ પોતાને આશ્રમે લઈ ગયે. લોકે પણ કૌતુકને લીધે તેમની પાછળ ગયા; કારણકે જનસમૂહને સ્વભાવ એ હોય છે કે તેઓ વાજીંત્ર વિના પણ નૃત્ય કરવા મંડી જાય છે. ત્યાં એ ચેરે ખાડાને વિષે, પર્વતને વિષે અને સરોવરના તટને વિષે, તથા કુંજ-ગુહા અને વનને વિષે દાટેલું સર્વ ધન ન્યાસની પેઠે રાજપુત્રને અર્પણ કર્યું, 1. વ્યસન. (1) દઢપણે લગાવવું અથવા પાસ દેવો; (2) દુઃખનો અનુભવ. 2. વિરાગિતા. (1) વિશેષ રંગ (લાલચોળ રંગ); (2) વૈરાગ્ય. 3. થાપણ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #221 -------------------------------------------------------------------------- ________________ 204 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. સુનીતિમાન કુમારે પણ છે જેનું હતું તે તેને આપી દીધું. પણ પિતે તો એક શેષપૂર પણ ઘેર લઈ ગયે નહીં. કારણકે અન્યથા શું સકળ વિશ્વને વિષે ન્યાયઘંટા વાગે ખરી ? પછી શિહિણેયે પિતાના બાંધવોને સમગ્ર વૃત્તાન્ત યથાસ્થિત કહીને પિતાને અભિપ્રાય જણાવી એમને પ્રતિબોધ આપે; કારણકે ભગવાનના પ્રસાદથી એને પણ કંઈક કૃપા ઉત્પન્ન થઈ હતી. પછી અત્યન્ત હર્ષને લીધે મગધેશ્વરે પોતે એ રહિણેયને ઉત્તમ નિષ્ક્રમણોત્સવ કર્યો; કારણકે જે પિતાને કયુસ્વભાવ ત્યજી દઈને ક્ષણવારમાં આમ્રવૃક્ષના સ્વભાવને પાપે એ કેમ ન પૂજાય ? પછી જગતના એકનાયક એવા શ્રીવદ્ધમાન સ્વામીએ એ લેહખુરના પુત્ર રોહિણેયને દીક્ષા આપી. અહો ! આ ચેર જેવાનું પણ ભવિતવ્યતાના યોગે કેવું કેવું કલ્યાણ થયું ! એ મહા મુનિએ દીક્ષા ગ્રહણ કરી વિરાગ્યને લીધે એક દિવસના ઉપવાસથી આરંભીને છ માસ પર્યન્તના ઉપવાસ કરવે કરીને અતિ દુષ્કર એવી તપશ્ચયો કરી; કારણકે ધમ જીવ મેક્ષને પ્રાપ્ત કરવાને વાસ્તે શું શું નથી કરતો ? પ્રાંતે, દ્રવ્યથી અને ભાવથી અતિકૃશ એવા આ રોહિણેય મુનિ, જીને અત્યન્ત અભયદાન આપી, તીર્થકર મહારાજાને આદેશ લઈ પર્વતના શિખર પર જઈ દેડની ઉચ્ચ પ્રકારની સંખના પૂર્વક, નિર્દોષ એવું પાદપાદ્યોપગમન કરી, સર્વ તીર્થકર, સિદ્ધ, આચાર્યો, ઉપાધ્યાય તથા ઉત્તમ મુનિઓનું પણ સ્મરણ કરતા કરતા સ્વર્ગે ગયા. -:- ---- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #222 -------------------------------------------------------------------------- ________________ સર્ગ 5 મ. લક્ષ્મીને કીડાપ્રદેશજ હોયની એ એક મધ્યસ્થલેકેથી વસાયલે આદ્રદેશ નામે દ્વિીપ છે. એ દ્વીપને વિષે સુગંધી પદાર્થોની બજાર જેવું એલચી–લવિંગ-કોલી-જાઈફળ આદિના વૃક્ષેથી મઘમઘી રહેલું વન હતું. જાતિવંત મુક્તાફળની જેમ એની ભૂમિ જળયુક્ત હતી; તથા મેંઢા નિમાળાથીયુક્ત હોય છે તેમ, લીલાઘાસના સમૂહથી ભરપૂર હતી. છીપને વિષે મુક્તાફળના સમૂહ નીપજે છે તેમ, એને વિષે સર્વત્રતુઓના ધાન્ય અને કણ પુષ્કળ ઢગલાબંધ નીપજતા હતા ત્યાં આ આદ્રક (આદુ) ની પિઠે ચિત્તને ચમત્કાર પમાડનાર આદ્રક નામે એક પ્રખ્યાત નગર હતું. એ નગરની હાથીદાંત-પરવાળાં–મુક્તાફળ–માણિક્ય આદિથી ભરેલી બજાર, જાણે સાક્ષાત્ એમની ખાણોજ હાયની એમ શોભી રહી હતી. ઉડી જળભરેલી અને કમળ પુએ કરીને યુક્ત એવી એની વાવ જાણે એને જોવા આવેલા નેત્ર પ્રસારી રહેલા પાતાળભુવનેજ હોયની ( એવી જણાતી હતી). ત્યાં છેદ ઇંધનને વિષેજ હતું, બંધન પુષ્પને વિષે જ હતું, નિન્દા મૂખ જનોની જ થતી હતી, અને નિપીડનર વસ્ત્રોને વિષેજ હતું. આ નગરમાં અથી જનેને દાન દેવામાં કલ્પવૃક્ષ જેવો એક આદ્રક નામે રાજા હતો. જયલક્ષમીરૂપી ઉત્તમ સ્ત્રીને પ્રાપ્ત કરવાને ઉસુક એવા એ મહીપતિને એનું સર્વત્ર અખલિતપણે પ્રસરતું ખગ્ગજ નિરન્તર દૂતનું કાર્ય કરતું. એના એ ખગ્રરૂપી વાયુથી ચારરૂપી વૃક્ષે નાશ પામ્યાં હતાં એમાં કંઈ આશ્ચર્ય નહેતું; વિચિત્ર જ એ હતું કે એનાથી મોટા મહેતા મહીપતિઓ પણ નાસી જતા હતા. વળી એ પણ એક ચમત્કાર જેવું જ હતું કે એ 1. જળ (1) તેજ. મેતી તેજસ્વી કે પાણીદાર; (2) પાણ-નીર. ત્યાં જળાશય બહુ હતાં. 2. નીચોવવું તે. 3. મહીભક્ત થકી ઉત્પન્ન થઈને પાછી મહીભના જ મસ્તકને વિષે આરૂઢ થાય એ આશ્ચર્ય-વિરોધ. શમાવતાં મહીભના બેઉ જગ્યાએ જુદા જુદા અર્થ લેવા. (1) રાજા (2) પર્વત. રાજાથકી ઉત્પન્ન થયેલી એટલે રાજાની કીત પર્વત પર પણ પહોંચી હતી–અર્થાત બહુ વિસ્તરી હતી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #223 -------------------------------------------------------------------------- ________________ 206 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, મહીભૂતથકી ઉત્પન્ન થયેલી કીર્તિરૂપી નદી સકળ પૃથ્વી પર લાઈ જઈને પછી મહીભતના મસ્તક પર પણ આરૂઢ થઈ હતી. કામદેવને જેમ રતિ તેમ એ રાજાને લાવણ્ય-રૂપ આદિથી સકળ લેકને Oામેહ પમાડનારી આદ્રકા નામે પત્ની હતી. કુલટા સ્ત્રીઓએ નિરન્તર નિર્દયપણે કદર્થના પમાડેલું એવું જે-શીલ-તે પિતાના રક્ષણને માટે એ-ક્ષત્રિયાણીને શરણે ગયું હતું. શાલીનતારૂપી સ્ત્રી પિતાને સર્વ વૈભવ વારાંગનાઓએ હરી લીધેલ હોવાને લીધે જાણે એની ફરિયાદ કરવાને માટેજ હોયની એમ એ આદ્રકાની પાસે જઈ રહી હતી. એ દંપતીને નિર્મળ ગુણોવાળા અને સારા છેડાવાળા પટની પેઠે પરગુહ્યને ગેપક-આર્દિક નામે પુત્ર થયે. બાળક છતાં પણ મહેટા માણસ જેવી બુદ્ધિ ધરાવનારે, સર્વ માંગલિક લક્ષણોચિથી ભરપૂર શરીરવાળે અને વળી કાર્તિકેયની જેમ અપ્રતિહત શક્તિવાળ એ કુમાર સિં કેઈને અત્યંત આનન્દ ઉપજાવે એ હતો. એ શુરવીર હતો છતાં એની વાણી ઉપતાપ આપનારી નહતી, એની મૂર્તિ દુર્દશ હતી; એને સ્વભાવ આગ્રહી નહોતે; અને એનું મન અભિમાની નહેતું. આ આદ્રકરાજાને અને શ્રેણિકભૂપતિને, રાવણને અને શિવને હતી તેવી, પરસ્પર મિત્રી હતી. એકદા શ્રેણિકમહીપાળે જાણે પિતાને મૂર્તિમાન સનેહ જ હાયની એવું ભેટાણું લઈને એક મંત્રીને આદ્રકરાજા પાસે મેકલ્ય. એ મંત્રીએ પણ ત્યાં જઈને સભાને વિષે વિરાજેલા રાજાને બહુ આદર સહિત પ્રણામ કરીને કૃષ્ણ લવણ, નિમ્નપત્ર અને કબળ પ્રમુખ વસ્તુઓ ભેટ કરી. એ ચીજે જોઈને આÁકરાજા ચિત્તને વિષે અતિ હર્ષ પામે; કારણકે જે દેશમાં જે વસ્તુ મળતી નથી તે દેશમાં તે વસ્તુ નિશ્ચયે મૂલ્યવાનું ગણાય છે. પછી નરપતિએ એ સચિવને પૂછયું–મારો બાન્ધવ શ્રેણિકનારેશ્વર અને તેને સર્વ પરિવાર કુશળ તો છે ? સચિવે કહ્યું–હે સ્વામિન કમલ (લા) ને ઉલ્લાસ કરાવવાવાળા, પ્રતાપરૂપી 1 શરમાળપણું. 2 દશા. (1) વસ્ત્રના છેડા. (2) સ્થીતિ. 3 (1) કમળ પુષ્પ (2) કમળા-લક્ષ્મી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #224 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર–એને મિત્ર આદ્રકકુમાર. 207 ધનવાળા, સચિકને આનન્દ આપવાવાળા તથા વૃત્તને વિધ્વસ કરનારા એવા દિનપતિ-સૂર્યની પેઠે અત્યંત ભાગ્યવાન એવા મારા સ્વામી સર્વ પ્રકારે કુશળ છે. પછી આદ્રકકુમારે પિતાના જેવી પ્રીતિ છે એ આ શ્રેણિકરાજા કેણ છે? આકરાજાએ કહ્યુંહે વત્સ, એ શ્રેણિક રાજા મગધદેશને અધિપતિ છે. તેના પૂર્વજોની સાથે આપણા પૂર્વજોને સદા મિત્રાચારી હતી. તે સાંભળી વસન્તમાસની શરૂઆતમાં આમ્રવૃક્ષ પુષ્પથી ભરાઈ જાય તેમ, આદ્રકકુમાર ઉભરાઈ જતા હર્ષના માંચથી પૂરાઈ જઈ આ પ્રમાણે કહેવા લાગ્યું–હે સચિવ, ચંદ્રમાને જેમ બુધ તેમ શ્રેણિકરાજાને સર્વગુણસંપન એ કઈ પુત્ર છે કે હું તેની સાથે સત્યને અને પવિત્રતાને તથા ન્યાયને અને શૈરવને છે તેવી શાશ્વતી મિત્રી કરવા ઈચ્છું છું. સચિવે ઉત્તર આપે-તે સ્વામિન, અમારા શ્રેણિકમહારાજાને પાંચસેએ મંત્રીઓમાં મહેટ અભયકુમાર નામે પુત્ર છે. એ ઉત્પત્તિકી બુદ્ધિનું તો જાણે ધામ છે, કરૂણામૃત સાગર છે, અને પરોપકાર કરવાને વિષે નિરન્તર તત્પર છે. વળી એ કલાવાન, ધર્મવેત્તા તથા પરાક્રમી છે; એટલું જ નહિ પણ યાચકના મનવાંછિત પૂર્ણ કરવાને વિષે કલ્પવૃક્ષ સમાન છે, ગુણ અને અગુણના ભેદ જાણનારે છે, કૃતજ્ઞ છે તથા લોકપ્રિય છે. તમે એને દૃષ્ટિએ તે વખતે નહિં જે હોય, પણ શું તમે એના વિષે કાને સાંભળ્યું પણ નથી ? શું સહસ્ત્રકિરણ–સૂર્યને કેઈ ન જાણતું હોય એમ બને ખરું? સકળ પૃથ્વીને વિષે એવા કઈ પણ ગુણ નથી કે જેઓએ - આકાશને વિષે તારાગણની જેમ એનામાં વાસ નહિં કર્યો હોય. પછી આદ્રકરાજાએ કહ્યું- હે પુત્ર, તું શ્રેણિકરાજાના પુત્રની સાથે મિત્રાચારી કરવા ધારે છે એ બહુ યુદ્ધ છે; કારણકે કુલકમાગત રીત-રિવાજને કણ નથી અનુસરતું ?" આ પિતાને 1 (1) ઉત્તમ પ્રાંતોને સમુહ. (2) ચક્રવાકપક્ષી.. . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #225 -------------------------------------------------------------------------- ________________ - 208 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. આદેશ સાંભળીને તે આદ્રકકુમાર બમણો ઉત્સાહમાં આવ્યું કારણકે મયૂર ઉત્કંઠિત તે હજ ત્યાં વળી સંલાપ ( ટંકાર) પણ કર્યો. તેથી તેણે સંભ્રમ સહિત શ્રેણિકરાજાના સચિવને કાનમાં કહ્યું- હે મંત્રીશ્વર, તમે મને કહ્યા શિવાય જશે નહી. શ્રેણિકરાજાના મંત્રીએ આદ્રકકુમારનું કહેવું કબુલ રાખ્યું; કારણકે સુંદર કાર્યમાં કેણ સહાય ન આપે ? પછી રાજાની સારી રીતે આગતાસ્વાગતા પામેલો એ સચિવ પ્રતિહારે બતાવેલા આવાસને વિષે જઈ રહ્યો; કારણકે જેમના સ્વામી સામર્થ્યવાન હેય છે એના સેવકે પણ સારે સત્કાર પામે જ છે. એકદા (ઘેડા દિવસે ગયા પછી ) આદ્ધકરાજાએ એને મુક્તાફલાદિક આપીને પિતાના માણસ સાથે એને દેશ મોકલ્ય. એ વખતે આદ્રકકુમારે પણ શ્રેણિક રાજાના મંત્રીને કહ્યું–અરે ભાઈ, તમે મારીવતી અભયકુમારને એટલું કહેજે જે-તે બુદ્ધિધન, દશરથ જેવી રીતે ઈંદ્રની સાથે, તેવી રીતે આદ્રકુમાર દૂર રહેલા એવા પણ તમેની સાથે મૈત્રી કરવા ઈચ્છે છે. ?" એ પ્રમાણે સંદેશે કહીને જાણે ભવિષ્યમાં ગુરૂ થનારા અભયકુમારને પહેલાંથી જ સતકાર કરવાનું હોયની એમ એને મુક્તાફળ વગેરે આપીને એણે વિસર્જન કર્યો. પછી એ બન્નેએ રાજગૃહનગરે જઈને આદ્રક રાજાએ આપેલી સર્વ વસ્તુ શ્રેણિક મહીપતિને અર્પણ કરી. પેલા સચિવે પણ આદ્રકકુમારે આપેલી શ્રેષ્ઠભેટની વસ્તુઓ અભયકુમારને આપીને તેને સંદેશે કહ્યો. એ સાંભળી જિનશાસનને જાણકાર એ અભયકુમાર વિચારવા લાગે. આ આદ્રકુમારે નિશ્ચયે પૂર્વ જન્મને વિષે સંયમ પાળે - હશે; પણ પિતાનું સાધુપણું વિરાધ્યાથી એ, માસક્ષપક ચંડકૌશિક તિષ્કને વિષે ઉત્પન્ન થયે હતું તેમ કેવળ અનાને વિષે ઉત્પન થયેલ છે. આ ભાગ્યભાજન આદ્રકને હવે સિદ્ધિ નિશ્ચયે હાથને વિષે જ છે; કારણકે અભવિ કે 1 મહિનાના ઉપવાસ કરનાર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #226 -------------------------------------------------------------------------- ________________ A - અનુપમ ભેટ. 209 દૂરભવિ જ કદિપણ મારી મિત્રાચારી અછત નથી. વળી નિશ્ચય સમાન શીલ-ધર્મ-ચેષ્ટિત અને–વયવાળા પ્રાણીઓને જ સલ ગાઢ મૈત્રી થાય છે. કારણકે નિઃસંશય અધ ભાગ અધ ભાગની સાથે, અને ચતુર્થ ભાગ ચતુર્થ ભાગની સાથે જ મળી જાય છે. માટે કઈપણ ઉપાયથી એ આદ્રકુમારને એવી રીતે પ્રબોધ પમાડું કે જેથી એ પિતાના ચિત્તને ધર્મને વિષે ગેજે. માટે એક ભેટ તરીકે હું એને જિનેશ્વરની પ્રતિમા મેલું કે જેથી એ જઈને કદાચિત એને પિતાને પૂર્વ જન્મ સ્મરણમાં આવશે. " એમ વિચારીને મૂર્તિમાન ચિન્તાર હાયની એવી જાતિવંત. રત્નની બનાવેલી શ્રી આદિદેવની એક અપ્રતિમ પ્રતિમાને ઘંટિકા-ધ્રુપદહન પ્રમુખ ઉપકરણે સહિત, ભવસાગર તરી જવાને માટે એક હેડી હાયની એવી મંજુષાને વિષે મૂકી એને દ્વારે તાળું દઈ પિતાની મુદ્રાથી મુદ્રાપિત કરી. અભયકુમારના આવા બુદ્ધિવૈભવે દેવતાઓના ગુરૂ બહસ્પતિના ચિત્તને વિષે પણ નિશ્ચયે આશ્ચર્ય ઉત્પન્ન કર્યું; કારણકે એણે અભવ્ય અથવા દુરભવ્ય ઈત્યાદિને પિતાની મેળે નિશ્ચય કરી એ આદ્રકકુમારને પ્રતિબંધ પમાડવાને આ ઉપાય છે . પછી જ્યારે શ્રેણિક રાજાએ આદ્રકરાજાના માણસને મહેટી મહટી ભેટ આપીને વિદાય કર્યો ( કારણકે સત પુરૂષે સ્નેહની વૃદ્ધિ થાય એવાં - કાર્યો કરે છે ) ત્યારે અભયકુમારે પણ તેને સારી રીતે સત્કાર કરીને પેલી પેટી તેને સોંપી અને કહ્યું કે-તું મારા બાન્ધવ આદ્રકકુમારને આ પેટી આપજે અને મારી વતી કહેજે કે તારે એકલાએ એ પેટી એકાન્તમાં ઉઘાડવી અને તેમાં રહેલી વસ્તુને - આદર સહિત જોવી, પણ બીજા કેઈને એ બતાવવી નહિં. " - પેલા માણસે અભયકુમારનું કહેવું હર્ષ સહિત સાંભળી લીધું; અને પિતાને નગરે જઈ પિતાના સ્વામી આકરાજાને આપવાની હતી એ ભેટ આપીને પછી આદ્રકકુમારને પણ પેલી મંજુષા સેપી; અને અભયકુમારને સંદેશે સ્કુટપણે કહ્યો. 1 જેમાં ધુપ બાળવામાં આવે છે તે. ( પધાણું રે. . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #227 -------------------------------------------------------------------------- ________________ શ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. ત્યાર પછી આદ્રકકમારે પણ એકાન્તમાં જઈ પેલી પેટી ઉપાડી; છે, પરમાત્માની કળા જેવી, યુગાદિ ભગવાનની-અંધકારને નાશ કરવાને સમર્થ એવી–પ્રતિમા એની દૃષ્ટિએ પડી. એ જોઈ એણે વિચાર્યું-અહે! આ કઈ ઉત્તમ આભુષણ છે. હું તે શું એને મસ્તકને વિષે-કઠને વિષે કે કર્ણને વિષે, ક્યાં ધારણ કરું? એ તે બાતું, કરનું, વક્ષસ્થળનું કે બીજા કેઈ અવયવનું આભરણું છે ? અથવા એ તે કંઈ બીજી જ વસ્તુ છે ? આ વસ્તુ મેં પૂર્વે કઈ સ્થળે દીઠેલી લાગે છે; પણ માણસને જેમ ગર્ભવાસ, તેમ મને કંઈ સ્મરણમાં આવતું નથી. એમ વિચાર કરતાં કરતાં એને જાતિનું સ્મરણું કરાવનારી મૂછો આવી; અથવા તે કષ્ટ વિના કંઈ ફળ નથી. મૂછ વળી એટલે એને સદ્ય જાતિ મરણજ્ઞાન ઉત્પન્ન થયું અને ભૂલી ગયેલી વાત પ્રભાત યાદ આવે છે એમ એને પિતાના પૂર્વ ભવને વૃત્તાન્ત યાદ આવ્ય આથી ત્રીજે ભવે, મગધ દેશને વિષે વસંતપુર નગરમાં સામાયિક નામને ગૃહસ્થ હતું અને મારે બધુમતી નામે પ્રિય સ્ત્રી હતી. ત્યાં એકદા જંગમ કલ્પવૃક્ષ હાયની એવા સુસ્થિતઆચાર્ય પધાર્યા હતા. તેમને વંદના કરવાને હું મારી પત્નીને લઈ ગયે હતે ( કારણકે ભંડાર ઉઘડ્યો સાંભળીને લેવા જવાની કે નથી ઉતાવળ કરતું?) પછી આદર થકી તેમને પ્રણામ કરી મેં અને મારી સ્ત્રીએ તેમના મુખ થકી ધર્મદેશના સાંભળી હતી; કારણકે ચંદ્રમા થકી અમૃત જ ઉપલબ્ધ થાય છે. એ ગુરૂ મહારાજાના વાક્યથી, ઉત્તમ મંત્રના જોરથી શરીરમાંથી વિષ માત્ર નીકળી જાય છે તેમ અમારા અંત:કરણમાંથી સકળ ભેગની ઈચછા સત્વર નીકળી ગઈ. એટલે અમે સુસ્થિત આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી; કારણકે પ્રયત્ન માત્રમાં ફળ જ પ્રધાન છે. પછી સંયમ પાળતે હું સાધુઓની સાથે અને મારી પત્ની સાધ્વીઓની સંગાથે રહેવા લાગી; કારણકે ધર્મ નીતિવડે જ સિદ્ધ થાય છે. એકા હું ગુરૂ સંગાથે એક નગરમાં રાજ્ય હતું. ત્યાં થી મારે હતા એમાં એવા લિઇ ગયો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #228 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવનું મરણ. 21 અધમતી પણ સાથીઓની સાથે તે વખતે આવી હતી. મેં સવેગથી દીક્ષા ગ્રહણ કરી હતી તે પણ બધુમતીને જોઈને મને પૂર્વના ગવિલાસ યાદ આવ્યા; કારણકે કર્મની ગતિ વિચિત્ર છે !. એટલે હું આત્માને ભૂલી જઈને એને વિષે અતિ અનુરક્ત થયે; કારણકે કામને વશ થયેલે પ્રાણી પિતાની અવસ્થા ભૂલી જાય છે. પછી મેં મારો અભિપ્રાય એક બીજા સાધુને જણાવ્યું હતું, તેણે પણ તે પ્રવતિની-સાધ્વીને જણાવ્યું હતું કારણકે સજજને નિરન્તર પાપભીરુ હોય છે. પ્રવતિનીએ પણ એ મારે અભિપ્રાય બધુમતીને નિવેદન કર્યો, કારણકે સર્વે ધાર્મિકજનની આવી જ મતિ હોય છે. તે જાણીને સતી સાધ્વી બંધુમતી વિષાદ પામી; કારણકે ધર્મકાર્યોને વિષે વિપરીતતા જોઈને કેને ખેદ ન થાય? પછી એણે પ્રવતિનીને કહ્યું–જે ગાઢ અનુરાગને લીધે એ મદેન્મત્ત હસ્તાની પેઠે પિતાની હદનું ઉલ્લંઘન કરશે તે વૃદ્ધ થયેલી ગાયની પેઠે મારા જેવી અબળાની કોણ જાણે કયા પ્રકારની ગતિ થશે ? હું દૂર દેશાત્રે જઈશ તે પણ ચંદ્રમા જેમ કુમુદ્વતીને તેમ એ મારે રાગ મૂકશે નહિં. આમ એ મ્હારે નિમિત્તે ભવસાગરને વિષે પડશે; પણ છે સ્વામિનિ, મારું કે તેનું શીલ ખંડિત ન થાય એટલા માટે હું તે નિશ્ચયે સત્વર મૃત્યુ અંગીકાર કરીશ; કારણકે વિષમ કાર્ય આવી પડે ત્યારે પ્રાણુ ત્યાગ કરવા એજ સારૂં છે. " એમ કહી મહા સત્વને ભંડાર એવી એ બધુમતી સાધવીએ અનશન કરી દેહને અને તેની સાથે વિપત્તિને પણ અંત આણ્યે. એટલે ક્ષણમાં એ તે વર્ગને વિષે ગઈ કારણકે એવી રીતે મૃત્યુ પામેલા શુદ્ધ આત્માવાળાઓની --શુભ ગતિ હેય છે. પછી એને વૃત્તાન્ત જાણુ હું તો પિશ્ચાત્તાપ કરવા લાગે. અહે! ધિક્કાર છે મને ! કે મેં આવું પાયકાર્ય કર્યું. કેમકે મેં એવી પ્રાર્થના કરીને બંધુમતીસાવીને ઘાત કર્યો, તેથી મને ત્રાષિહત્યાજ ફક્ત નહિ પણ સ્ત્રીહત્યા સુદ્ધાં લાગી. તેથી મને નરકને વિષે પણ રહેવાનું નહિં મળે; અને આ લોકમાં તે હું સદા નિન્દાપાત્ર થઈશ. પુરૂષ થઈને 1. થરામથી-વિરાગ દશાથી જ P.P.AC. Gunratnasuci M.S. Jun Gun Aaradhak Trust Page #229 -------------------------------------------------------------------------- ________________ 212 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર, પણ હું મુંઝાઈ ગયે કે જેથી મેં વ્રતને કલંકિત કર્યું ! મારે મુખે જે મ છે તે એક શ્વાનને મુખે કેમ ન ઉગી? એક બધુમતી સાધ્વીજ ફક્ત જગતને વિષે સત્વવતી છે કારણકે એણે મારા તરફથી કલંકિત થવાની આશંકાથી પિતાના દેહને અંત આ. એણે તે પિતાનું વ્રત લેશમાત્ર પણ ભાગ્યા શિવાય ફક્ત મારાજ દેષને લીધે મૃત્યુ અંગીકાર કર્યું ત્યારે હૃદય થકી પણ શીલને ભંગ કર્યો છે જેણે એવા મારા જેવાએ જીવવું યંગ્ય કહેવાય ખરૂં ? માટે હું પણ નિશ્ચયે પ્રાણ ત્યાગ કરીશ " એ વિચાર કરીને તે વખતે મેં પણ અનશન ગ્રહણ કર્યું હતું. શુભ ધ્યાને મૃત્યુ પામીને હું પણ સ્વર્ગને વિષે દેવતા થયે હિતે; કારણકે અનુતાપના હેતુથી મને પણ શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થઈ હતી. પછી સ્વર્ગથકી અવીને હું આ ધર્મરહિત એવા દેશને વિષે ઉત્પન્ન થયે છું; અથવાતો શુભાશુભ કર્મ ચિરકાળે પણ ફળે જ છે. * “જે અભયકુમારે આ પ્રતિમા ન મોકલી હતી તે અન્ધારા કુવામાં રહેલા અંધપુરૂષની જેમ, આ મેહસાગરમાંથી મારે કેણુ ઉદ્ધાર કરત? અનાયદેશરૂપી શય્યાને વિષે ભાવનિદ્રામાં સૂતેલા મારા જેવાને જેણે પ્રબોધ પમાડ્યો એવી જે એની આ બુદ્ધિ-તેને હું પોતે બલિરૂપ થઈશ. માટે અભયકુમાર હવે મારે પિતામાતા, મિત્ર, સ્નિગ્ધબંધુ અને સહોદર થયે છે; અથવા તે એટલેથી શું ? એ હવે મારે ગુરૂ થયે છે. એવું કયું ભાગ્યશાળી વર્ષ– માસ-ક દિવસ, કયે પ્રહર અને યે ક્ષણ આવશે કે જેને વિષે મારે અભયકુમારને મેળાપ થશે? માટે તાત આજ્ઞા આપે તે લઈને, અને નહિંતો લીધા વિના પણ હું તેની પાસે જઈશ; કારણકે કરવા ગ્ય કાર્ય હોય તે ગમે તેમ પણ કરવું. પછી તે જ દિવસથી આરંભીને તે એ યુગાદીશ્વરની પ્રતિમાની પ્રતિદિન પૂજા કરવા લાગ્યા. એકદા વખત જોઈને એણે એના પિતાને વિજ્ઞાપના કરી; કારણકે રાજાઓને તક જોઈને જ વિજ્ઞાપના કરવી જોઈએ; .. અન્યથા સિદ્ધિ થતી નથી. એણે કહ્યું- હે તાત, ચાર જેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #230 -------------------------------------------------------------------------- ________________ મિત્રદર્શનની કંઠા. . ર૧૩ ચંદ્રમાના દર્શન કરવાને તેમ હું શ્રેણિકપુત્ર-અભયકુમારના દર્શન કરવાને અતિ ઉત્કંઠિત થયે છું. પુત્રવિયોગ સહન કરવાને અશક્ત એવા આદ્રક રાજાએ કહ્યું- હે વત્સ, પરદેશગમન સારૂં નથી, કેમકે પરભૂમિ નિરન્તર વિદ્મયુક્ત હોય છે. માટે હે પુત્ર, તું અહિંજ રહીને એની સાથે મિત્રાચારી બાંધ; કારણકે એકબીજાથી દૂર રહેતા એવા પણ મેઘને અને મયૂરને મિત્રી નથી શું ? આપણું અને એના પૂર્વજો વચ્ચે જે પ્રીતિ હતી તે પણ એ પ્રમાણે જ હતી માટે તું પણ એમજ કર, કારણકે કુળને સંપ્રદાય હમેશાં શ્રેયસ્કર છે. " પિતાએ આમ કહ્યાથી, પત્નીને વિષે અનુરક્ત અને સાથે રણક્ષેત્રને વિષે ઉત્કંતિ એ સુભટ યુદ્ધને વિષે જઈ શકતો નથી તથા યુદ્ધથી દૂર પણ રહી શકતો નથી તેમ આદ્રકકુમાર પણ પિતાની આજ્ઞા છતાં અહિં રહી શક્યા નહીં, તેમ અભયકુમારના દર્શનની ઉત્કંઠા છતાં તેની પાસે પણ જઈ શો નહીં. એટલે ત્યારથી એ સર્વદા, હસ્તી જેમ મદના બિન્દુએ વર્ષાવે તેમ, અશજળની ધારા વર્ષાવવા લાગ્યું. જે દિશાને વિષે અભયકુમાર રહેતા હતા તે દિશા તરફ નિરન્તર મુખ કરીને એ ભેજન-આસન-સ્નાન-શયન પ્રમુખ કિયાએ કરવા લાગે. પક્ષીની પેઠે પાંખ કરીને પણ ઉડીને એની પાસે એકદમ જવાને એ ઈચ્છવા લાગ્યું. એના વિના એને એકાન્તમાં કે માણસેના સાથમાં પણ, જળ વિના મલ્યને જેમ સ્થળને વિષે તેમ, ચેન પડતું નહિં. એથી એને મળવાની ઉત્કંઠાને લીધે પિતાના માણસે સુદ્ધાને પૂછયું કે--મગધદેશ કઈ દિશાએ આવેલ છે તથા એમાં રાજગૃહ નગર પણ કયાં આવ્યું ? * પુત્રની આવી ચેષ્ટા જોઈને ભૂપતિએ પણ વિચાર્યું કે નિસંશય હવે આ મારે પુત્ર અભયકુમાર પાસે ગયા વિના નહિં રહે; હું જોઈ રહીશ ને એ હાથમાંથી જતો રહેશે, કારણકે જેનું મન ઉછળી રહ્યું છે તે કોઈ દિવસ રહે ખરે ? માટે હવે હું એને એવી સારી રીતે કબજામાં રાખું કે જેથી એ ભાગી જઈ શકે જ નહીં; કારણકે પાંખ છતાં પણ પાંજરામાં પૂરેલું પક્ષી ક્યાં જઈ તા 2ષ્ટા પાસે ગયા અને એ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #231 -------------------------------------------------------------------------- ________________ ર૪ અભયકુમાર મળીશ્વરનું જીવનચરિત્ર. શકે ? " એમ વિચાર કરી એણે પિતાના પાંચસો સુભટને આદેશ કર્યો કે તમારે આદ્રકકુમારને બંદોબસ્તમાં રાખવું અને સરદેશ તરફ જવા દે નડુિં.” રાજાને આ આદેશ થયે એટલે તે એઓ, કર્મપ્રકૃતિ જેમ સંસારી જીવની સાથે જ રહે છે તેમ, આદ્રકકુમારની સાથેને સાથે રહેવા લાગ્યા; એને એકલે મૂકતા જ નહિં. એટલે તે એ પિતાને જાણે બન્દિખાને નાખે હેય એમ સનતે, અભયકુમારના ચરણનું સ્મરણ કરતો છતો નીકળી જવાને આ ઉપાય કરવા લાગ્યું –એણે હમેશાં અશ્વોને ખેલાવવાના મેદાનમાં પિતાને અશ્વ ખેલાવ શરૂ કર્યો; કારણકે આળસ ખાઈ ગયેલા માણસોની કદાપિ સિદ્ધિ થતી નથી. પાંચએ અવાર-સુભટ એની પાસે ઉભા રહેતા અને એ ( આદ્રકકુમાર ) પિતાના અશ્વને ખેલાવતે ખેલાવતો દૂર જઈ અ૫સમયમાં પાછો આવતે. આ પ્રમાણે તેમને વિશ્વાસ પમાડી તે નિરન્તર વધારે વધારે દૂર જવા આવવા લાગે; અથવા તો ધર્મને વાતે કપટ ( કરવું એ) સુંદર છે. એ આમ કરવા લાગે એટલે સામન્તને વિશ્વાસ બેઠે; અથવા તે એમ કરવાથી આખી પૃથ્વીને પણ વિશ્વાસ બેસે એમાં કાંઈ આશ્ચર્ય નથી. પછી એણે પોતાના વિશ્વાસુ માણસેને પિતાને અભિપ્રાય જણુ; કારણકે આપણું ચિંતિત નહિં અગુઢ રાખવાથી તેમ વળી નહિં અતિગુઢ રાખવાથી સિદ્ધ થાય છે. એણે એમની પાસે સમુદ્રને વિષે એક પ્રવાહણ તૈયાર રખાવ્યું ને તેમાં, આત્માને વિષે જ્ઞાન પ્રમુખ ભરે તેમ, રત્ન ભર્યા. વળી પહેલેથી જ, જગમ પ્રાસાદ જ હોયની એવા એ વહાણને વિષે એણે શ્રી આદીશ્વરની પ્રતિમા પણ મૂકાવી. પછી પૂર્વની પેઠે અશ્વને ફેરવતા ફેરવતો એ બહુ દૂર જઈ અદશ્ય થઈ ગયા અને ક્ષણમાત્રમાં, ઉન્નત એવા ગુણસ્થાનને પ્રાપ્ત થયે હાયની તેમ, એ પ્રહણપર આરૂઢ થયે. આ પ્રમાણે એ આ ગુરૂસમાન નિકાવડે મિથ્યાત્વરૂપ સાગરને ઉલ્લંઘને, ભવ્ય પુરૂષ દર્શનને પ્રાપ્ત કરે તેમ, આદેશ પ્રત્યે પામ્યું. ત્યાં વાહનથકી ઉતરીને એણે સત્વર, એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #232 -------------------------------------------------------------------------- ________________ આદ્રકમાર પ્રત્યેકબુદ્ધ. ર૧પ પિતે અત્યારસુધી રાખેલી થાપણુ જ હોયની એવી શ્રી જિનપ્રતિમાને અભયકુમાર પાસે મોકલી દીધી, અને જિનમંદિર, જિનબિંબ, પુરતક અને ચતુર્વિધ સંઘ-એ સાત ક્ષેત્રને વિષે ધમબીજની વૃદ્ધિને અર્થે ધનને વ્યય કર્યો. પછી યતિને વેષ ધારણ કરી એણે ઉત્તમ મંત્ર જેવું સામાયિકસૂત્ર સુદ્ધાં પિતે ઉશ્ચર્યું. પણ એવામાં તે દેવતાએ ગગનને વિષે રહીને વાણું કહી કે હે આદ્રકકુમાર, તુંજ સિંહની પેઠે શુરવીર અને સત્વવાન છે, કારણકે તેં આ પ્રમાણે ક્ષણવારમાં રાજ્ય તજીને દીક્ષા લેવા માંડી છે. પણ હજી તારે ભેગાવળી કમ બાકી છે તે પ્રતિબંધક છે. માટે જ્યાં સુધી એ પૂરેપૂરાં ક્ષય પામે ત્યાં સુધી વિલંબ કર. કારણકે નિકાચિત કર્મ ભોગવ્યા વિના ક્ષય પામતું નથી; એ ભેગાવળી કમ બાકી હોય ત્યાં સુધી જિનેશ્વર ભગવાન પણ દીક્ષા આચરતા નથી માટે એમના શેષ અનુયાયિઓએ પણ તેમજ આચરણ કરવું. તેથી એ કર્મ ભેગવી લીધા પછી જ તું દીક્ષા ગ્રતુણ કરજે, હમણા આગ્રહ ત્યજી દે; કારણકે જે પુનઃ પાછળથી ઉત્પન્ન થવાનું છે તેને હમણાં નાશ કરવાથી પણ શું?” એ પરથી એણે પિતાના પિરૂષ વિષે ખુબ મનન કર્યું અને તેવતાના વચનને નહિ ગણીને દીક્ષા લીધી જ; કારણકે અથજન દેષ જેતે નથી. - હવે આ આદ્રકકુમાર પ્રત્યેકબુદ્ધ વિહાર કરતા કરતા કેઈ ભવિતવ્યતાના ચગે જ વસંતપુર નામના વગરને વિષે આવ્યા; કે જ્યાં આકાશ સાથે વાત કરતી ગુનાથી ધોળેલી હવેલીઓ જાણે દાતારજનનાં યશના પિંડ જ હેયની એમ વિરાજી રહી હતી, તથા અતિશય સુગંધ અને વિકાસને - લીધે લક્ષ્મીના નિવાસસ્થાન એવા પુષ્પવડે વાટિકાઓ તરતની ગુથેલી માળાઓની જેમ, શેભી રહી હતી. એ નગરના કેઈ દેવમંદિરમાં, એ જંગમ શમતા રસ હોયની એવા મુનિ ધર્મધ્યાનપરાયણ થઈ કાત્સગે રહ્યા. આ નગરને વિષે નિર્મળ ગુણાએ કરીને શ્રેષ્ઠ એ એક 1 પરૂષત્વ–આત્મબળ. * * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #233 -------------------------------------------------------------------------- ________________ 216 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. અત્યંત સમૃદ્ધિવાન દેવદત્ત નામને શેઠ વસતે હતો. એને પિતાની સમાન રૂપ-ગુણ–વય આદિથી શોભતી ધનવતી નામે પત્ની હતી. ( હવે ) પેલે જે બધુમતીને જીવ હતો તે સ્વર્ગથકી ચવીને આ દંપતીને ત્યાં પુત્રીપણે અવતર્યો હતો અને જંગમ લક્ષ્મી જ હેયની એવી એ પુત્રીનું શ્રીમતી એવું નામ પાડ્યું હતું. ધાવમાતાઓથી ઉછેરાતી અને બધુજનથી લાડ લડાવાતી એવી એ બાળા અનુક્રમે હમણાં રમવા જવા જેટલી વયે પહોંચી હતી. એટલે આ વખતે એ સમાન વયની બહેનપણીઓ સાથે રમતી રમતી જાણે એ જંગમતીર્થને વંદન કરવાને જ હેયની એમ એજ દેવમંદિરને વિષે આવી; અને ત્યાં સેવે પતિ વરવાની રમત રમવા લાગી; અથવા તે બાળપણને વિષે તો પિતપતાના સ્વભાવને ઉચિત એવીજ ચેષ્ટાઓ થાય છે. એમાં સિા પરસ્પર કહેવા લાગી—હે સખીઓ, સિા પિતપતાનો મનવાંછિત વર વરે,” એટલે સેએ એમ કર્યું; અહા ! જેને વિષે આવા પ્રકારની કડાઓ અત્યંત વિરાજી રહી છે એવી જે બાલ્યાવસ્થા તેની કયે માણસ સ્પૃહા નથી કરતો ? એવામાં શ્રીમતી બેલી-હે સખીઓ, હું તે આ મુનિને વરી; એજ મારા વર છે. કારણકે સુધાથકી પર એવું જે-જન-તે કદિ કેઈને રૂચે છે ખરૂં? તે વખતે આકાશવાણું થઈ કે-હે વત્સ, તે ઠીક વર પસંદ કર્યો, તે ઠીક વર પસંદ કર્યો; કારણકે અનેક જણ અસારગ્રાહી હોય છે; સારગ્રાહી તે બહુ વિરલા જ હોય છે. " એમ પ્રશંસા કરી દેવતાએ મહ ગર્જનાપૂર્વક રત્નવૃષ્ટિ કરી; કારણ કે દાન વિનાની એકલી પ્રશંસા.એના ઘરને વિષે જ રહે ( અથોત કંઈ કામની નથી.) ગજેનાથી ભય પામીને શ્રેષ્ઠીપુત્રી, જાણે " ચિરકાળે મને પતિ મળ્યા છે, તે હવે જતા ન રહો " એવી બુદ્ધિથી જ હાયની એમ મુનિને ચરણે વળગી પડી. એટલે “અહે! આ મારા વ્રતરૂપી મેઘને, પુત્રને જેમ અતિશય લાડ તેમ, વાયુરૂપી અનુકુળ ઉપસર્ગ થવા માંડ્યો” એમ વિચારી સાધુ સત્વર ત્યાંથી નીકળી ગયા; અથવા તે અગ્નિને પાસે આવતો જણને કેણુ શીઘ નથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #234 -------------------------------------------------------------------------- ________________ સાધુને વરનારી શ્રીમતીની વાવસ્થા. 217 જતું રહેતું? પછી, જેને કેઈ સ્વામી ન હોય એવી લક્ષમી રાજાની છે એમ ગણી રાજા પિતે ત્યાં આવ્યું કારણ કે એની મેળે મુખને વિષે આવીને પડતો રસ કેને ગળે નથી લાગતું? પણ અહ! પિતે અનેક દેશના સ્વામી છતાં અને વળી અનેક કરોથી સ્કુરાયમાન થતા છતાં પણ રાજાઓ, રાહુથી જેમ સૂર્યચંદ્ર હેરાન થાય છે તેમ, ફક્ત એક લેભને લીધે બહુ હેરાન થાય છે. કારણ કે એ રાજાના સેવકો જેવા પેલા રત્નને ગ્રહણ કરવાને પ્રવૃત્ત થયા તેવા તેમણે (રત્નને સ્થાને) કૂકાર કરતા સેપે જેયા. રાજા લેભી હતી છતાં પણ રત્નને લીધા વિના પાછા ગયે; કારણ કે જ્યાં સુધી ભય બતાવવામાં આવતું નથી ત્યાં સુધી જ લજા રહે છે. એટલામાં આકાશને વિષે દેવી બેલી-“ આ ધન મેં શ્રીમતીને વર તરફથી વરણ તરીકે આપ્યું છે.” એ સાંભળી લક્ષ્યથી ભ્રષ્ટ થયેલા ધનુર્ધારીની પેઠે રાજા વિલક્ષ થઈ ગયે, (ઝંખવાણો પડે.) પછી સમસ્ત રને શ્રીમતીને પિતા પિતાને ઘેર લઈ ગયા; કારણ કે પિતાની મેળે ભેટ દાખલ આવી મળેલું ધન કેઈ મૂકી દે ખરે ? લેકે પણ આશ્ચર્ય પામતા પામતા ક્ષણવારમાં પિતપોતાને સ્થાને જતા રહ્યા; કારણ કે ગમે એટલાં કૌતુકે જેવાથી પણ કંઈ પેટ ભરાતું નથી. હવે કેટલેક વર્ષે શ્રીમતી નાના પ્રકારના યુવાનના મનરૂપી નેત્રોને વશ કરવાને કામણરૂપ એવી યોવનાવસ્થાને પામી; તેના સેનારૂપાના નૂપુરવાળા ચરણ જાણે કમળાને પરાજય કરીને (તેમણે) પ્રાપ્ત કરેલ એ જે યશ-તેનાથી યુક્ત હોયની એમ વિરાજવા લાગ્યા. હાથીની સૂંઢ જેવી એની અને સરલ અને કેમળ જંઘા એની કાયાની અને ચિત્તની જાણે સરલતા સૂચવતી હોયની ! ( એવી હતી ) એના ગોળ, વિશાળ, કદળીસ્તંભ જેવા ઉરૂ જાણે શંભુના નેત્રના અગ્નિથી તપી ગયેલા કામદેવે આલિંગન કરેલા હેયની એવા શોભતા હતા. વળી કામદેવરૂપી ભિવ્ર અછત થઈ પડે છે, તે પણ એના મરૂદેશની ભૂમિ જેવા ઉચ્ચ નિતમ્બપદેશને જ જાણે આશ્રય લઈને હેયની ! ઉપર AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #235 -------------------------------------------------------------------------- ________________ 218 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. રહેલી ત્રિવલિવાળી એની કુક્ષિ પણ કૃશ હતી. અથવા તે વ (બ) લિથી પરાજય પામેલો એ કેણ કૃશ નથી થઈ જતા એના વિસ્તારવંત અને પુષ્ટ વક્ષેજ જાણે યુવાનના ચિત્તને મેહ પમાડવાને ઇંદ્રજાળિકના (બે) ગળાજ હોયની એવા શુભતા હતા. ભુજાના અગ્રભાગે રહેલા એના બને કર જાણે, એના ચન્દ્રવદનની શોભાને નહિ જોઈ શકયાથી (પિતાના) નાળવા (રૂપી ચરણ) ને ઉંચા રાખી (પતે) અધમુખે ( મુખ નીચું કરી ) રહેલા બે કમળાજ હૈયની. એવા દીપતા હતા. ચંદ્રમાનું ફ્લાવા પામ્યું તેજ જણાય કે જે (ચંદ્ર) એના મુખની તદ્દન પાસે આવીને પિતાની કળા બતાવે, અન્યથા તો (શરમાઈને દૂર જતે રહો છે એટલે) ત્યાં રહ્યો રહ્યો ભલે મુખવિકાસ કર્યા કરે ? એમ એનાં બીજા પણ અવયવે લેકેના ચિત્તને પ્રીતિ ઉપજાવનાર હતા; અથવા તે મોદકનું તે સઘળું યે મિષ્ટ જ છે. ' હવે આવી વનમાં આવેલી શ્રીમતીને પરણવાને, પશ્વિનીની પાસે જેમ ભ્રમરે આવે છે તેમ અનેક સુંદર વર આવતા. તે વખતે એને પિતા કહેતે કે- હે પુત્રી, ઘણું ઘણું ઉત્તમ વરનાં ભાગમાં આવે છે માટે તું એમાંના કેઈને કબુલ રાખ. ત્યારે શ્રીમતી પણ કહેતી જે-પિતા, હું તે સાક્ષાત નિધાન જેવા જે ભટ્ટારક ( સાધુ ) દેવમંદિરને વિષે આવ્યા . હતા તેનેજ વરી ચુકી છું. વળી એ વખતે એ મારાં કાર્યથી પ્રસન્ન થયેલી દેવીએ વરણામાં રત્નની વૃષ્ટિ કરી હતી તેથી તે . (કાર્ય) દેવની પણ સાક્ષિએ થયેલું છે. વળી હે તાત, આપ પણ એ રત્નો લઈ આવ્યા તેથી આપની પણ એમાં ખરી સંમતિ થયેલી છે; એમાં જરાએ વાણીને વ્યાપાર (મેઢાની વાત) નથી. - 1 વરિ ને બદલે વઢિ પણ કવચિત્ વપરાય છે. અને જીિ ને . બળવાનું એ પણ અર્થ થાય છે. * 2 બગાસાં ખાધા કરે. ભાવાર્થ એ છે કે ચંદ્રમાં પણ તેના મુખ સાંદર્યથી લજવાઈ જઈ દુર જ રહહ્યો છે, અહીં આવી શકતો નથી, ત્યાં બેઠે બેઠે બગાસાં ખાય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #236 -------------------------------------------------------------------------- ________________ પિતાને આગ્રહ-પુત્રીની લીલ. 19 માટે સર્વ લેકની સાક્ષીએ મારે આ પ્રમાણે તેની સાથે પ્રકલ્પ ક્યો પછી મને બીજા સુરેન્દ્ર સમાન વરને પણ આપવી ગ્ય નથી, કારણ કે આપ શું “સપુરૂષે વચનની પેઠે કન્યા પણ એકજવાર આપે છે " એવું જે સર્વ લેકે કહે છે તે નથી સાંભળ્યું ?" પુત્રીનાં આવાં બુદ્ધિવાળાં વચને સાંભળીને દેવદત્તને કહેવું પડ્યું કે-– હે બાળા તું જાણે બ્રહસ્પતિનીજ પુત્રી હેયની એમ મહા પડિતા છે. પણ એ મુનિ કયાં હશે તે આપણે જાણતા નથી, કારણ કે જાણે ચરણે ભ્રમરા હાયની એમ એ મુનિજને એક સ્થળે પગવાળીને બેસતા નથી. એ તારા અભિષ્ટ મુનિ આવશે કે નહિં તે પણ કહેવાય નહિં; છતાં વળી દૈવયોગે અહિં આવી ચડશે તે તે ઓળખાશે પણ કેવી રીતે ? કારણ કે આ નગરમાં એવા સાધુઓ કંઈ ભેડા ઘણું આવતા નથી; અને વળી તેઓ સર્વે એકસરખાજ હોય છે. છાશ ઉજળી અને દુધ પણ ઉજળું એને ભેદ કણ ઓળખાવી શકે ? વળી હે પુત્રી એ તને ચાહે છે કે નહિ એની પણ તને ખબર છે?.. માટે જવરને નિગ્રહ કરનાર એવા પણ તક્ષકસપના મસ્તકના . મણિ જેવા ( અગ્રાહ્ય ) એ સાધુની વાત પડતી મૂક. અને આ જે આટલા બધા શ્રીમંત-કુળવાન-સુભગ અને રૂપવંત વર આવ્યા છે એમનામાંના એકને તું વર. એ સાંભળી પુત્રીએ કહ્યું હે તાત, આપે જે આદેશ કર્યો તે નિઃસંશય તેમજ છે; આપ વડીલનાં વચને સત્ય જ છે. પણ તે પૂજ્યપિતાજી, તે વખતે જે ગર્જના થઈ હતી તેથી ચમકી જઈને હું એ મુનિના ચરણે વળગી પડી હતી તેથી, બુદ્ધિમાન પુરૂષ જેમ પ્લેકાદિના લક્ષણને તેમ, મેં એમના ચરણે એક લક્ષણ જોયું હતું; આ ભવમાં નિશ્ચયે એ સાધુ જ મારા સ્વામી છે; અન્યથા સુંદર એવા પણ ભેગે-તે જાણે રે હેયની એમ મારે કંઈ કામના નથી. એના સિવાય અન્ય ગમે તેવા ઉત્કૃષ્ટ વર, પંચધારાએ " વહેતી એવી પણ મુખની વાણી તૃમિશાલી જનને જેમ અરૂચિકર છે તેમ મારા ચિત્તને બીલકુલ અરૂચિકર છે. પુત્રીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #237 -------------------------------------------------------------------------- ________________ 220 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. આવાં ડહાપણ ભરેલાં વચને સાંભળીને “તારાં પુણ્ય બળવત્તર હશે તે એ એને અહીં ખેંચી લાવશે” એમ શેઠે કહ્યું, કારણ કે માબાપને અપત્ય પ્રત્યે આ જ પ્રેમ હોય છે. - હવે પિતાના એવા-આદેશ–વચનથી શ્રીમતી ભિક્ષુક સાધુઓને વર્ષારૂતના મેઘની જેમ અવિશ્રાન્તપણે દાન દેવા લાગી. પાદચિન્હને જેવાની ઈચ્છાને લીધે એ નીચી નમી નમીને મુનિઓને વંદન કરવા લાગી; અહો જેને જેને અર્થ હોય છે તેને તેને વિષે જ આદર હોય છે. આદ્રકમુનિ તો શકુન જેવા પણ એ નગર તરફ આવ્યા નહિ; કારણ કે જે ગામ જવું ન હોય તેની વાટ કોણ પૂછે? પણ દિશા ભૂલી જવાને લીધે જ એઓ બારમે વર્ષે ત્યાં આવી ચઢ્યા. માટેજ લોકો કહે છે કે માણસનું ધાર્યું કશુંયે થતું નથી. ત્યાં એ મુનિ માધુકરી વૃતિ કરતા કરતા ઘદૃકુટીપ્રભાતન્યાયે શ્રીમતીને જ ઘેર આવી ચઢ્યા. એટલે નાના પ્રકારના પણ ગેસમૂહને વિષે ગોવાળણી જેમ વૃષભને ઓળખી કાઢે તેમ શ્રીમતીએ પણ એમને ચિન્હ જોઈને ઓળખી કાઢ્યા. તે પરથી તેમને પ્રેમપૂર્વક કહ્યું- હે પ્રાણનાથ, જેમને મેં બાળપણને વિષે દેવમંદિરમાં કીડા કરતાં કરતાં સ્વેચ્છાએ વયો હતા એવા-આપ હરિણી સમાન મારા જેવી મુગ્ધાને ત્યજી દઈને કોઈ દેશાન્તરે જતા રહ્યા હતા, કારણ કે બાળકને છેતરવું બહુ સહેલું છે. પણ હવે તે હું મૂકીશ ત્યારે જ તમે જવા પામશે, કારણ કે એક વાર છેતરાયે એ પુનઃ સાવધાન રહે છે. હે ચન્દ્રબધુ સ્વામીનાથ જ્યારથી આપને મેં જોયા નથી ત્યારથી કુમુદનીની પેઠે હું દુઃખે કાળ નિર્ગમન કરું છું. માટે હે મડા કરૂણાસાગર, હવે આપ કૃપા કરીને મારી સાથે લગ્ન કરે; કારણ કે પુરૂષ ૧ઘટ્ટ કર, કુટી=સ્થાન; ઘટકુટીકર લેવાનું સ્ટેશન. કર લેવાના સ્ટેશન આગળજ પ્રભાત થવું એ ન્યાયને ઘટ્ટકૂટપ્રભાત ન્યાય કહે છે. (કર ન આપવો પડે માટે કાઈ, (દ્રષ્ટાંત તરીકે ગાડીવાળા) રાત્રીને સમયે આડે અવળે રસ્તે થઇને ગાડું હાંકે પણ સવાર પડે તો જ્યાં આવવું જ નહોતું એ સ્ટેશન આગળ જ અજાણપણે આવી ચઢ જુએ છે; અને કર આપવો પડે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #238 -------------------------------------------------------------------------- ________________ ભાવિની પ્રબળતા--આદ્રકમુનિ સંસારી. 221 નિરન્તર દુઃખીજને તરફ વત્સલભાવ રાખે છે. જે કદિ વ્રતને વિષે આગ્રહ કરીને, મને નહિં પરણો તે હું તમને નિશ્ચયે સ્ત્રીહત્યા દઈશ. શ્રીમતી આ પ્રમાણે બોલતી હતી એટલામાં તે ત્યાં બહુ માણસે એકઠાં થઈ ગયાં; તથા આલેખાઈ ગયું છે મન જેનું એ રાજા પણ આવી પહોંચે. નૃપતિ પ્રમુખ સર્વ લેકે કહેવા લાગ્યા...હે સાધુ, આ બાળાની પ્રાર્થના સફલ - કરે; કારણ કે સાધુ અને કલ્પતરૂ બનેને સમાન જ ગણ્યાં છે. સાધુએ ઉત્તર આપે–હે અંગના, રોગી જેમ અપશ્યને વિષે તેમ તમે મારે વિષે પ્રેમ દર્શાવેછો એ ખેટું છે. કારણ કે - शल्यं कामा विषं कामाः काया आशीविषोपमा / #ામાં પ્રાર્થનાના ગામમાં સાત્તિયુતિ છે. અર્થત કામ શલ્ય જેવું છે, કામ વિષસમાન છે અને કામ સર્પની ઉપમાને ગ્ય છે; વળી કામની પ્રાર્થના કરનારાઓ પિતાનાં કામ (મનવાંછિત કાર્યો ) પૂર્ણ કર્યા વિના દુર્ગતિમાં જાય છે. એ શલ્યાદિ ત્રણ વાનાં તે આ જન્મને વિષેજ પીડા કરે છે પરંતુ આ કામ તે પાપકોની પિઠ ભભવ દુઃખદાયક થાય છે. પ્રત્રજ્યા અંગીકાર કરીને, જે કામગને ઘરના કચરાની પેઠે ત્યજી દીધા છે તેવા ભેગવિલાસને હું હવે કેવી રીતે ભેગવું? કારણ કે કઈ માણસ વમન કરેલું પાછું ખાતે નથી માટે તમે મારી આગળ અશુભ સ્વપ્નની જેમ કામગની વાત પણ કરવી રહેવા દ્યો. એ સાંભળીને રાજા પ્રમુખ સે કહેવા લાગ્યા...હે મુનિવર એ સર્વ સત્ય છે; પણ અમારે જે કંઈ કહેવાનું છે તે, હે મુનિ, તમે સાંભળ. બહુ બહુ વર્ષો થયાં, આણે પરણવા લાયક વયે પહોંચ્યા છતાં પણ સ્વપ્નને વિષે થે આપના શિવાય અન્ય વરને ઈચ્છા નથી, માટે હે વિચક્ષણ મુનિ, એને મને રથ પૂર્ણ કરે; અન્યથા સ્ત્રીહઠને લીધે કદાચિત પ્રાણુ ત્યાગ કરશે. એમ ન થવા દ્યો. હે સાધુ, ભેગવિલાસ ભોગવી લઈ પુન: પણ દીક્ષા આચર; કારણ કે એમ કરવાથી પાછળથી પણ શુદ્ધ થવાય છે. " એ સાંભળી મુનિએ દેવતાનું દીક્ષા પ્રતિષેધક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #239 -------------------------------------------------------------------------- ________________ 222 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. વચન યાદ આવવાથી તથા શ્રીમતીના બધુ અને રાજા આદિની પ્રાર્થનાથી, પિતાને અરૂચિકર એવું પણ એ લોકેનું કહેવું માન્ય કર્યું. કારણ કે પાંચ માણસે ભેગા થઈને એલે હોય એને ગાંડો કરી મૂકે છે. ચારિત્રને ત્યાગ કરીને એણે શ્રેષ્ઠીપુત્રીનું પાણિગ્રહણ કર્યું; અથવા તો કર્મને અન્યથા કરવાને કઈ સમર્થ નથી. પાળવા માંડે; અહે! પ્રાણીને એકજ ભવને વિષે અનેક અવસ્થાઓ થાય છે. પ્રીતિપૂર્વક વિવિધ પ્રકારના ભોગવિલાસ અનુભવતા એ દંપતીને એક કુલદીપક સમાન પુત્ર ; એણે વખત ગયે ધાવણુ મૂકયું; અને એની જીભ પણ કઈ વૃક્ષનાં એવાં મૂળીઆંથી અત્યંત મર્દન થઈ હોયની એમ અનુક્રમે સારી રીતે છુટી પડવા લાગી. પુત્ર એટલી વયે પહેંચે એટલે હવે સ્વામીએ શ્રીમતીને કહ્યું–હે પતિવ્રતા, રોહિણીને જેમ બુધ તેમ તને હવે આ પુત્ર સહાધ્યક્ત થયે છે. માટે મને રજા આપ કે જેથી હું પુનઃ વ્રત આદરૂં; કારણ કે, પાશથકી જેમ પક્ષી તેમ હું આ ગૃહસ્થાવાસ થકી નીકળી જવા ઈચ્છું છું. જે તું હા નહિં કહે તે હું દીક્ષ નહિં લઉ, કારણ કે એ વારંવાર ગ્રહણ કરવી અને મૂકી દેવી એ બાળકની રમત કહેવાય, " શ્રીમતી તે આપરથી આ વૃત્તાન્ત પિતાના પુત્રને જણાવવાને રૂ કાંતવાને રેંટીઓ અને પુણી લઈને બેઠી. કારણ કે સ્ત્રીઓને એકદમ બુદ્ધિ સૂઝી આવે છે. માતાને રૂ કાંતતી જોઈને પુત્ર બેલ્ય-હે માતા, તે આ સામાન્ય માણસની પેઠે શું કરવા માંડયું ? માતાએ કહ્યું- હે વત્સ, તારા પિતા દીક્ષા લેવાના છે તેથી મેં એ આવ્યું છે, કારણ કે પતિ વિનાની સ્ત્રીઓને પ્રાયઃ એજ આજીવિકા છે. એ પરથી પુત્ર લાડવાળાં, વિશ્વાસજનક શબ્દથી માતાને કહેવા લાગ્યું–હું મારા પિતાને બાંધી રાખીશ. પછી એ કેમ કરીને જશે? એમ કહીને એણે રેંટીઆપરથી સૂતરને તાંતણે લલઈને, ચેઠું મંગળ ફરતી વખતે સાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #240 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમનાં બાર વર્ષ રર૩ વરના ચરણ બાંધે છે તેમ, પિતાના ચરણ બાંધ્યા. પછી કહેવા લાગે-માતા, તું હવે ભય રાખીશ નહિં. મેં મારા પિતાને સજડ બાંધ્યા છે, એટલે એ કર્મથી બંધાયેલા સંસારી જીવની પિઠ અહિંથી છુટી જઈ શકશે નહિં. એટલે આદ્રષુમારે પણ વિચાર્યુ -અહા ! આ બાળને પણ નારંગી આદિ ફળને વિષે હોય તે મારે વિષે કોઈ અવર્ણનીય સ્નેહ છે. માટે આ મારા પગપર પુત્રે સૂતરના જેટલા આંટા દીધા છે તેટલા વરસ પર્યન્ત હું ગૃહસ્થાશ્રમને વિષે રહીશ કારણ કે એ આંટા અટટેજ દેવરાવ્યા છે. એમ કહી એણે એ આંટા ગણી જોયા તે સ્વર્ગમાર્ગના બંધની જેટલા બરાબર બાર થયા. આમ એ આદ્રકંકુમાર વ્રત લેતાં અટકયે; માટેજ વિદ્વાન લોકો કહે છે કે મહટા માણસોના પણ એથતિ વçવિત્રા ( ઉત્તમ કાર્યો બહુ વિદ્મયુક્ત) હોય છે. આ પ્રમાણે શ્રીમતીએ પુત્ર દ્વારા પતિને વ્રત ગ્રહણ કરતા અટકાવ્યા; કારણ કે અન્ય ઉપાયથી સિદ્ધિ થતી હોય ત્યાં સુધી વર કોણ ઉત્પન્ન કરે ? પણ આકકુમારને તે સમૃદ્ધિવાન છે પણ ગૃહવાસ પ્રીતિદાયક થઈ પડશે. નહિં; કારણ કે રાજહંસને સુવર્ણનું પાંજરૂચે સુખકારક થતું નથી. હવે આદ્રકુમારે સુખે દુઃખે પણ સંસાર ચલાવવા માંડ્ય; અને જેમ તેમ કરીને બાર વર્ષ નિગમન કર્યો. બારમા વર્ષને અન્ને એણે એકવાર રાત્રીને વિષે પિતાના મનમાં સંવેગ રૂપી રસની નીક સમાન એવો વિચાર કરવા માંડેયે-અહે ! ગતભવને વિષે મેં નિશ્ચયે વ્રતભંગ કર્યું હશે, તેના પ્રભાવથી (મને ખેદ થાય છે કે, હું અનાર્યદેશમાં ઉત્પન્ન થયે; અને તેમાં પણ વ્રતભંગનું ફળ જાણતાં છતાંયે મેં-પાપીએ કાયાએ કરીને હમણાં વ્રતને ભાંગીને તેના કડકેકડક કરી નાખ્યા. જ્યારે અજ્ઞાનપણે પાપ ક્યોથી પણ મહા દુઃખ ભોગવવું પડે છે ત્યાર તે જાણતાં છતાં પણ એ (પાપકર્મ) કરનારની તો શી ગતિ થશે ? આ પૃથ્વી પર જેઓ ધર્મને ઓળખતા જ નથી તેઓની અવસ્થા શેક કરવા લાયક છે. પણ જેઓ જાણતાં છતાંયે એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #241 -------------------------------------------------------------------------- ________________ 224 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. કરતા નથી તેઓ એ કરતાં વધારે શોક કરવા લાયક છે; અને જેઓ ધમને ગ્રહણ કરીને એને અધવચ્ચે પડતો મૂકે છે એની અવસ્થા તે સૌથી વધારે શેક કરવા લાયક છે. મારે પણ આ છેલ્લા ગણવેલા જનવર્ગ જેવું થયું છે. માટે હું હવે એ શુદ્ધિને અથે દીક્ષા ગ્રહણ કરૂં; કારણ કે બુડેલે એવો ડાહ્યો માણસ કદિ વધારે બુડવાનું કરે ખરે?” એમ વિચારીને એણે પ્રભાત થયો એટલે શ્રીમતીને કહ્યું-હવે દીક્ષા લઈશ, કારણ કે હવે તારે પુત્ર, વૃષભની પેઠે, કામકાજની ધુરાને વહન કરી શકે એ થયે છે. એ સાંભળીને બુદ્ધિવાન એવી શ્રીમતી સતીએ . પતિને જવા દીધા; કારણ કે પંડિતજને કોઈપણ કાર્યને વિષે એકાગ્રહી થતા નથી. પછી આદ્રકકુમારે અનન્તાનન્ત દુષ્કર્મોને મૂળમાંથી ઉખેડી નાંખવાને સમર્થ એવી ભાગવતી–દીક્ષા પુનઃ ગ્રહણ કરી. પુનઃ દીક્ષા ગ્રહણ કરીને એ મહાત્મા મુનિએ ત્રણ જગતના ગુરૂ એવા શ્રી મહાવીર ભગવંતના ચરણને વંદન કરવા તથા પિતાના ગુરૂ અભયકુમારનાં દર્શન કરવા રાજગૃહનગર ભણી વિહાર કર્યો કારણ કે કે વિદ્વાન પુરૂષ વિશિષ્ટ ગુણના લાભને અર્થે પ્રયત્ન નથી કરતા? ' હવે પેલા પાંચસે સામો જેઓ પૂર્વે આ આદ્રકકુમારના રક્ષકે હતા એઓ હમણું ચરવૃત્તિથી અરણ્યને વિષે રહેતા હતા, કારણ કે રાજસેવાથી વિમુક્ત એવા પાયદળને બીજો શો માર્ગ રહ્યો ? માર્ગને વિષે જતા આ આદ્રકમુનિને, કપિલમુનિને પાંચસે ચેરી મળ્યા હતા તેમ પોતાના આ પાંચસો સામન્ત મળ્યા. એમણે મુનિને ઓળખી કાઢયા અને હર્ષ સહિત વાંદ્યા; કારણ કે ચીરકાળે સ્વામીને જેવાથી કેને હર્ષ નથી થતો? મુનિએ પણ ધર્મલાભ પૂર્વક એમને કહ્યું–અરે ભાઈઓ, તમે ખાટકીની જેમ આ શી કુજીવિકા લઈ બેઠા છો ? પેલાઓએ કહ્યું--હે સ્વામી, તમે તે વખતે અમને છેતરીને કયાં જતા રહ્યા તેની અમને બીલકુલ ખબર પડી નહિં, અમે તે તમને બહુબહુ પ્રયાસવડે સર્વત્ર શોધ્યા, પરંતુ અમારા જેવા ભાગ્યહીનને આપ મત્સાજ નહિ, એટલે Page #242 -------------------------------------------------------------------------- ________________ . “ધર્મ' ની વ્યાખ્યા. 225 રણક્ષેત્રને વિષેથી પલાયન કરી ગયેલાઓની પેઠે અમે રાજાને સુખ બતાવવાને અસમર્થ હોઈને (ત્યારથીજ) અહિં રહ્યા છીએ. સ્વામીની સેવાથી ભ્રષ્ટ થયેલા એવા અમે અહિં ચોરવૃત્તિથી જ આજીવિકા ચલાવીએ છીએ; કારણકે સ્થાન થકી ભ્રષ્ટ એવા દંત-કેશ-નખ અને માણસે શુભતા નથી. સાધુએ કહ્યું-અરે, તમે અહિ આ પ્રમાણે દુઃખમાં રહે છે એ યુક્ત નથી, કારણકે આ નરજન્મ છે તે યુગશમિલાન્યાયે દુર્લભ છે. પિલાઓએ પૂછયું- સ્વામી યુગ મિલા શું ? ત્યારે ભવ્યજનને પ્રતિબંધ પમાડવાને વિષે ચતુર એવા મુનિએ કહ્યું-કેઈ માણસ સમુદ્રના પૂર્વ ભાગમાં એક યુગને લઈને નાંખે, અને એના છેક પશ્ચિમ ભાગમાં એ યુગની સળીને લઈને નાંખે, તે જેમ ઘણકાળે પણ એ સળીને યુગના છિદ્રને વિષે પ્રવેશ દુર્લભ છે, તેમ મનુષ્યને ભવ પણ એકવાર ગુમાવ્યું તો પુનઃ મળ દુર્લભ છે. વળી એ સળી તે કઈવાર પણ પ્રચંડવાયુથી ઉછાળા મારતા મેઝઓથી પ્રેરાઈને એ યુગના છિદ્રને પામે પણ ખરી; પરતુ નિદ્રા-હાસ્ય કષાય આદિથી વૃથા ગુમાવેલ મનુષ્યજન્મ તો બીજીવાર મળતાજ નથી. માટે હે વિવેકી સામન્તો, સર્વ પુરૂષાર્થને સધાવવાવાળા એ નરજન્મ પ્રાપ્ત કરીને ધર્મકાર્યને વિષે પ્રવૃત્ત થાઓ. મન, વચન અને કાયાએ કરીને નિરન્તર ત્રસ અને સ્થાવર પ્રાણીઓની ઉત્તમ રક્ષા કરવી-કરાવવી અને કરવાની અનુજ્ઞા આપવી તથા સર્વદા સર્વ પ્રાણીઓને વિષે અનુકમ્પાવાળું-લકાને પ્રિય–અને પહેલેથી વિચારેલું એવું સત્ય ભાષણ કરવું વળી સૂક્ષ્મ કે બાદર પણ પારકી વસ્તુને મહા સપના વિષની પેઠે ત્યજી દેવી; અને સર્વ દેવ-મનુષ્ય અને તિર્યંચની સ્ત્રીઓને યાજજીવ મનવચન-કાયાએ કરીને માતા અને બહેન સમાન નિરખવી; તથા અપથ્યને વિષે જેમ રેગી કરે તેમ, બાહ્યઅત્યંતર સર્વ પરિચહને વિષે સદાકાળ મૂછને ત્યાગ કરે; એ ધમ ? કહેવાય છે. એ ધર્મ ઉત્કૃષ્ટ બધુ સમાન છે; પરમવત્સળ મિત્ર જેવો છે; વળી દુ:ખરૂપી સપને દૂર કરવા મહામંત્રતુલ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #243 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. છે અને પાપરૂપી વ્યાધિનું ઉત્તમ ઔષધરૂપ છે. જો તમે સ્વામિભક્ત છે તે હું એને પુત્ર છું એટલે એક સારસને માગે બીજા સારસે ચાલે છે તેમ તમે પણ મારે માર્ગે ચાલે. પિતાના સ્વામીના પુત્રને આવે ઉપદેશ સાંભળીને તેઓ બેલ્યા-અમારા ગ્રહવાસને વિષે આપ અમારા સ્વામી હતા તે હવે તમારે બેધ પામેલા અમારા જેવાના આપ ગુરૂ પણ થાઓ. માટે હે સ્વામી, હવે અમને દીક્ષા આપીને આ સંસારમાંથી તારે; કારણકે કુવામાં પડતો એ કેણ માણસ હસ્તને ટેકે નથી ઈચ્છત? પછી મુનિવરે એ સર્વ સામતને દીક્ષા આપી, કારણકે મહટા પુરૂષે સર્વદા હજારના ઉદર ભરવાવાળા હોય છે. પછી આગળ આદ્રકમુનિ અને પાછળ તત્કાળદીક્ષિત પાંચસે યે સાધુઓ-એમ વિહાર કરતા એઓ જાણે યુથપતિહસ્તી અને એનાં બચ્ચાઓ ચાલ્યાં જતાં હોયની એમ અત્યંત શોભવા લાગ્યા. એવામાં માર્ગને વિષે એ મુનિસિંહને, દુખે જોઈ શકાય એ, દુર્મુખ અને કલહપ્રિય ક્ષુદ્રવાદ્ય જે શાળ સામો મળે. પિતાને વિશેષ જ્ઞાની માનત એ ગોશાળ વગર બેલાબે વાચાળ થતું આવ્યું અને આદ્રકમુનિની સાથે વિવાદ કરવા લાગ્યું. એટલે ત્યાં તે ભૂચરપ્રાણીઓ, અને ખેચર- . વિદ્યાધરાદિ એકઠા થઈ ગયા અને નેત્ર પ્રસારીને જોવા લાગ્યા કારણકે પારકું વગર પૈસાનું કેતુક કેણુ નથી જોતું ? ગોશાળે આદ્રકમુનિને કહ્યું–તમે આ કેશલેચાદિ ક્રિયા કરે છે તે સર્વ ઉષરભૂમિને વિષે બીજ વાવવાની જેમ વ્યર્થ છે; કારણકે શુભાશુભ ફલ આપનારી એવી એકલી નિયતિજ, સર્વ ધાજોને જેમ વૃષ્ટિ તેમ, સર્વ ભાવની હેતુરૂપ છે. અથવા તે અવે સર્વે અશ્વસમાન છે, હસ્તીઓ હસ્તી જેવા છે, મનુષ્ય સવે મનુષ્ય જેવા છે, અને સ્ત્રીઓ પણ સેવે સ્ત્રી તુલ્ય છે; વળી ટાઢ શિયાળામાં પડે છે, તડકે ઉન્ડાળામાં પડે છે, અને વષાદ ચેમાસામાં આવે છે એ સર્વ બનાવોમાં નિયતિ જ કારણરૂપ છે. હે મુનિ, જે એ ઠેકાણે નિયતિ કારણરૂપ ન હોય તે આ નિયતાકારકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #244 -------------------------------------------------------------------------- ________________ શાળા સાથે વાદવિવાદ 227 બહુ અલ્પ છે તે કેમ હોય ? સ્વર્ગાદિ પણ જે પ્રાપ્ત થવાનાં હશે તો તે અહિં ( આ પૃથ્વી પર ) પણ પ્રાપ્ત થશે. માટે તમે તુષખંડનની પઠે વૃથા તપશ્ચયોનું દુઃખ સહન કરે છે. ગશાળાએ આ પ્રમાણે આક્ષેપ સહિત અને મહેટે સ્વરે મુનિને કહ્યું તે સાંભળીને એ મુનિરાજથી પણ બોલ્યા વિના રહેવાયું નહિ, કારણકે મૃગરાજસિંહ શું કોઈની પણ હાક સહન કરે ખરે? એ સાધુ બેલ્યા-અરે ! તારે કપિલવાદ માત્ર પામરજનેની પર્ષદાને વિષે જ સારે છે; (કારણકે) શિયાળીઆની કીકીયારી શિયાળીઆઓના ટોળાને વિષે જ પે છે. આ નિયતિની સાથે જ કર્મ, સ્વભાવ, કાળ અને ઉદ્યમ હોય તે જ કાર્યસિદ્ધિ થાય છે. જે નિયતિજ સર્વ ભાવવસ્તુઓનું કારણું હોય તે કેડારને વિષે રહેલાં બીજ પણ કાર્ય કેમ ન સાધ (કેમ ન ઉગે) " નિયતાકાર કાળ છે એમ તે પ્રતિપાદન કર્યું એટલે તે સ્વયમેવ કાળને પણ પ્રમાણરૂપ માન્ય કહેવાય. પણ નિયતિ પ્રમુખ વિના એક કાળ પણ હેતુરૂપ નથી; કારણકે એમ હોય તે કઈ વખત વષોકાળને વિષે પણ વૃષ્ટિ થતી નથી એ કેમ બને ? પ્રતિમા બનાવવાને ગ્ય અથવા અગ્ય એવા પાષાણુ અથવા કાષ્ટના નિશ્ચિત દૃષ્ટાન્તોથી “સ્વભાવ ની હેતતા પણ સિદ્ધજ છે; એટલે કે બીજાઓની સાથે “સ્વભાવ' પણ એક હેતુ છે, એમ સિદ્ધ થાય છે. વળી એ “સ્વભાવ' એકલે હેતુભૂત છે એમ પણ ન માનવું; કારણકે જે એમ હેય તે પુરૂષના પ્રયત્ન વિના પણ કાષ્ટની પ્રતિમા બનત. વ્યયવહારનું સમપણું છે તે પણ કેઈ સ્થળે લાભ થાય છે અને અન્ય સ્થળે નથી થતે માટે “કમ' પણ નિશ્ચયે ઉપર કહેલા હેતુઓની સાથે એક હેતુ છે એમ સમજવું. વળી નિકાચિત એવું જે કમ તે પણ કઈ વખત ઉપર કહ્યા એ પુરૂષકારઆદિથી પરાજય પામે છે માટે કર્મ પણ એકલું જ કારણભૂત નથી. ઉદ્યમથી ભૂમિ પેદવાથી જળનો પ્રવાહ નીકળે છે માટે . એ ઉદ્યમને પણ તારે એક હેતુ માનવો પડશે. વળી નિયતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #245 -------------------------------------------------------------------------- ________________ 228 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પ્રમુખ વિના આ પુરૂષકાર ( ઉદ્યમ) એકલે જ હેતુરૂપ નથી; કારણકે પ્રયત્ન કર્યો છતે પણ ભૂમિમાંથી જળ નિસરતું નથી એમ પણ કવચિત્ બને છે. માટે એ સર્વે ભેગાં મળીનેજ (કેઈ) કાર્યના હેતુભૂત થાય છે. એક જ વસ્તુમાંથી કદિ પણ બીજી વસ્તુ સંભવતી નથી; સર્વ વસ્તુઓ સામર્થ્ય (સઘળી-ઘણી–અનેક વસ્તુઓ.) થકી ઉત્પન્ન થાય છે, માટે નિશ્ચયે આ વિવાદના વસ્તુ રૂપ કાર્યની ઉત્પત્તિ અન્વય-વ્યતિરેકને અનુવિધાયિત્વને લીધે નિયતિ પ્રમુખ સર્વના એકત્ર મળવા થકી જ થાય છે. જેના અન્વયવ્યતિરેકનું જે અનુવિધાન કરે છે તે તેમાંથી ઉત્પન્ન થાય છે. દૃષ્ટાંત તરીકે (જેમકે ) અંકુર એ બીજાદિનો અનુવિધાયક છે. વળી વિવાદના વસ્તુરૂપ એવું એ કાર્ય કાળાદિ સામગ્રીનું અનુવિધાયક છે માટે એ એમાંથી જ ઉત્પન્ન થાય છે એવું અનુમાન પણ થાય છે. આ પ્રમાણે યુક્તિ-પ્રમાણ આદિવડે આદ્રકમુનિએ પરાજય પમાડ્યો એટલે એ ગોશાળ ( બે ) મિન રહ્યો; કહ્યું છે કે સૂર્યના પ્રતાપ આગળ પતંગીયું કયાં સુધી તેજસ્વી દેખાય ? બેચરાદિ પણ હર્ષ સહિત જયમંગળ શબ્દ કરતા, યુદ્ધને વિષે વિજય પામેલા સુભટની જેમ આદ્રકમુનિની કસ્તુતિ કરવા લાગ્યા. -અહીંથી આગળ ચાલતાં આદ્રકમુનિ હસ્તિતાપસ નામના એક આશ્રમ પાસે આવી પહોંચ્યા. તે આશ્રમની ઝુંપડીઓ સ : તાપસ અને તાપસીઓથી પુરાઈ ગઈ હતી. વળી ત્યાં તડકામાં હસ્તિનું માંસ પડેલું હતું; તથા સર્વત્ર હસ્તિનાં અસ્થિ-ચમ–દાંત આદિ વેરાયેલાં પડ્યાં હતાં તેથી એ એક ખાટકીના ઘર જેવું જણાતો હતે. એ તાપસે અહીં નિરન્તર હસ્તિઓને જ હણી અર્વાચીન માંસાહારી લોકેની પેઠે માંસપર જ નિર્વાહ કરતા હતા. એમને અભિપ્રાય એવો હતું કે એક હસ્તિનું માંસ ઘણુ કાળ સુધી ચાલે છે માટે અકેક હસ્તિને જ હણ એ સારું છે. કેળ-ભૂંડ-છાગ-હરણ મસ્ય-મૃગ આદિ પ્રાણીઓ આવે છે તથા ધાન્ય પણ બહુ બહુ પ્રકારનાં થાય છે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #246 -------------------------------------------------------------------------- ________________ હસ્તીને મિક્ષ. 229 પણ એમને વિનાશ શા માટે કરવો જોઈએ ? સર્વ વસ્તુઓને આહાર કરવામાં અધિક પાપને લાભ થાય છે. પણ વિચક્ષણ હેય તેજ આવક તથા વ્યયને પૂર્ણ વિચાર કરે છે. " પોતાની બુદ્ધિએ જીવદયાતત્પર એવા એ તાપસીએ આ પ્રમાણે “ધર્મ” ને કલ્પી કાઢીને હમણું એક હસ્તીને પિતાની એક મહાન્ત પુંજી હાયની એમ વધ કરવાને બન્ધનાવતી બાંધ્યું હતું. મહેટી શંખલાને વિષે રહેલે આ હસ્તિ ક્યાં હતું તેજ માગે જંગમ જીવન-એષધ જ હેયની એવા આદ્રકમુનિ ચાલવા લાગ્યા. અનેક લોકે જેને ભક્તિસહિત વંદન કરી રહ્યા છે એવા તથા પાંચ સાધુઓના પરિવારવાળા આ મુનિને જોઈને લઘુકમ એટલે હળુકર્મ હોવાથી એ હસ્તિ વિચારવા લાગ્ય–આ મુનિને નમન કરનારાઓને ધન્ય છે, હું પણ એને હમણાં જઈને નમું-પણુ મને તે તસ્કરની જેમ બાંધે છે માટે હું હનપુણ્ય છું; એટલે શું કરું ? એટલામાં મુનિની દૃષ્ટિ પડવાથી એની સાંકળ જીર્ણ થઈ ગયેલા દેરડાની પેઠે ત્રુટી ગઈ; કારણકે એના પ્રભાવથી તે કર્મના બબ્ધ સુદ્ધાં સત્વર નાશ પામે છે. (સાંકળનું બન્ધન ગયું એટલે ) હસ્તિ પરમભક્તિ સહિત વંદન કરવાને મુનિ સન્મુખ દેડ્યો. એટલે કે એના ભયથી તરફ નાસવા લાગ્યા. પણ મુનિ તે એમને એમ ઉભા રહ્યા તેથી માણસ એકમુખે બોલવા લાગ્યા-આ હસ્તી નિશ્ચયે મુનિને હિણશે; કારણકે પશુઓને કાર્યકાર્યને વિવેક હોતો નથી. પણ એ હસ્તી તો જઈને સુંઢ નીચી નમાવીને મુનિને ચરણે પડ્યો-તે જાણે એમ જણાવતે હેયની કે આ ચરણના પ્રતાપે મારે મેક્ષ થયા છે. મુનિને વારંવાર પૂર્ણ હર્ષથી નિહાળતો હસ્તી તો ક્ષણમાં મહા અટવીમાં જ રહ્યો. (પણ) નિને આ પ્રભાવાતિશય જોઇને તાપને એના પર કૈધ થયે; ( કારણકે ) ક્યા અવિવેકીને ગુણવાન તરફ મત્સર નથી થતો ? મુનિએ અતિશય કમળ વાણીથી તાપસેને કહ્યું-તમે આ ધર્મને મિથ્યાજ્ઞાનવડે પ્રકલ્પ છે. (ધર્મ છે એનું તમને જ્ઞાન નથી ) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #247 -------------------------------------------------------------------------- ________________ 230 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. આહાર વિના આ દેહ ટકી શકતો નથી એ વાત તે સત્ય છે પરન્તુ એ આહાર ધાન્યને હેય તેજ સારે છે. સર્વ સાવધને જેમણે ત્યાગ કર્યો છે. એવા યતિઓને, સચિત્ત આહાર અથવા તો ગૃહસ્થાએ એમને અર્થે પ્રાસુક કરેલ હોય એવો પણ, કલ્પ નથી; તે આ કાચું માંસ પકવે છે તેમાં અને પકવ્યા પછીનામાં પણ અનન્ત જીવ ઉત્પન્ન થાય છે એવા માંસની વાત જ શી કરવી ? એક હસ્તી હણો એ સાર–એ જે તમારે અભિપ્રાય છે તે પણ યુકત નથી, કારણકે પંચેન્દ્રિય જીવનું ચેતન્ય ગુરૂ હોય છે અને એકેન્દ્રિયનું ચિંતન્ય તે સ્વપ હય છે. આવી આવી યુકિતવડે આદ્રકમુનિએ એ તાપસને સદ્ય પ્રતિબંધ પમાડ્યો; અને એમને શ્રી મહાવીર ભગવંતના સમવસરણમાં મોકલ્યા. ત્યાં તેમને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેમણે દીક્ષા ગ્રહણ કરી. એવામાં હસ્તીના મેક્ષની અને તાપસેના પ્રતિબંધની વાત સાંભળી શ્રેણિક રાજા અભયકુમારને લઈને આદ્રકમુનિ પાસે આવ્યું અને એમને સહપરિવાર વંદન કર્યું. મુનિએ પણ કલ્પવૃક્ષ સમાન ઈચ્છિત આપનારે એ ધર્મલાભ દીધું. રાજાએ પૂછયું–હે મુનિ, શિલેશીકરણથી જેમ અગી એવા મુનીંદ્રને તેમ, તમારા દર્શનથી આ હસ્તીને મોક્ષ થયે એ ચિત્રથી, ભીંતની પેઠે મારું મન પૂરાઈ ગયું છે. એ સાંભળી સરલ હૃદયવાળા મુનિએ કહ્યું- હે રાજન, એ હસ્તિને મેક્ષ થયે ( છુટ્યો ) એમાં કંઈ દુષ્કર નથી; તરાકથી કાંતેલા સૂતરના બંધનમાંથી છુટવું એજ દુષ્કર છે. એ સાંભળીને વિરમય પામેલા શ્રેણિકરાજાએ પ્રશ્ન કર્યો–હે ભગવન, આ તરાકના સૂતરની વળી શી વાત છે (એતો કહો). મહર્ષિએ, એ પરથી ભવ્યજીને સ્વર્ગ અને મેક્ષ સુદ્ધાં પ્રાપ્ત કરવામાં (અપાવવામાં) જમાનરૂપ એવું પિતાનું ચરિત્ર કહી સંભળાવ્યું. અનેક સત્વથી સંકીર્ણ એવું મુનિનું ચરિત્ર સાંભળીને રાજા, અભયકુમાર અને સર્વ માણસે વિસ્મય પામ્યા. 1 ચિત્ર==૧) બી, (2) વિચિત્રતા P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #248 -------------------------------------------------------------------------- ________________ 21 . આદ્રક મુનિનું મિક્ષગમન. પછી કૃતજ્ઞતાના ગુણથી શોભતા એવા મુનિએ અભયકુમારને કહ્યું-તંજ એક મારે પરમ મિત્ર અને ધર્મબધુ છો. હે મહાબુદ્ધિ રાજપુત્ર, તે જે પ્રતિમા મેકલી હતી તેને નિરખ્યા કયોથી મને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું હતું. હે બધુ, તેં મને ધર્મ પમાડી સ્વર્ગના સુખ હસ્તગત કરાવ્યાં છે અને મને મોક્ષપદ આપ્યું છે. હું અનાર્યદેશરૂપી અન્ધારા કુવામાં પડ્યો હતે તેમાંથી તમારી બુદ્ધિરૂપી દેરડાવડે તમે મને ખેંચી લઈને ધર્મદેશના કુશળ તટપર મૂક્યું છે. તમે મને પ્રતિબંધ પમાડે એટલે જ મેં દીક્ષા ગ્રહણ કરી છે, માટે તમે મારા ગુરૂ છે; કારણકે ગૃહસ્થ હોય કે ત્યાગી હેય પણ ધર્મ પમાડે એ ગુરૂ કહેવાય. હું આ તમારે ઉપકાર કેઈ ભવમાં વાળી શકું એમ નથી; કેમકે સમ્યકત્વ પમાડનારને પ્રત્યુપકાર કરી શકાતે જ નથી. અરે અભયકુમાર, તું વિવિધ ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ પ્રમાડીને ઉત્તરોત્તર ધર્મકાર્યમાં નિરન્તર વૃદ્ધિ પામતે જા. એ સાંભળીને અભયકુમારે કહ્યું- હે પ્રભુ, એમ ન કહે, શુભ કે અશુભ ફળ પ્રાપ્ત થાય છે તેમાં બીજા તે નિમિત્ત માત્ર છે; દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપી સમગ્ર સામગ્રીની સહાયતા હોય તેજ પ્રાણીઓ પ્રાપ્ત કરવા ગ્ય એવા પદાર્થોનું સંપાદન કરે છે. એમાં કર્તાહર્તા કઈ છે નહિં. પછી મહીપાળ, અભયકુમાર અને અન્ય સર્વ મુનિરાજને વંદન કરીને સ્વસ્થાનકે ગયા અને એ મુનિરાજ સહપરિવાર સમવસરણ પ્રત્યે પધાયાં. ત્યાં શ્રીવીરપરમાત્માને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કરી યથાસ્થાને બેઠા અને એમના વાક્યામૃતનું પાન કર્યું. પછી આ આદ્રકમુનિએ નિરન્તર જિનેશ્વર ભગવાનની પપાસનાવડે પિતાના આત્માને નિર્મળ કર્યો; રાખવડે દર્પણને નિર્મળ કરે તેમ. અનુક્રમે ઘાતિકમને ક્ષય કરીને, કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને કેટલેક કાળે સર્વ કર્મને ક્ષય કરી ક્ષે ગયા. એકદા શ્રી વીરજિનેશ્વર કેવળજ્ઞાનરૂપી દીપકથી ત્રણ જગતને વિશે ઉદ્યોત કરતા પુનઃ રાજગૃહનગરે આવી સમવસચો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #249 -------------------------------------------------------------------------- ________________ 232 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. ત્યાં દેવતાઓએ સમવસરણ રચ્યું તેને વિષે રહીને દેવમનુષ્યની પર્ષદાને આ પ્રમાણે ધમને ઉપદેશ આપવા માંડ-ચુલા” નું વગેરે દશ દષ્ટાન્તાએ કરીને દુર્લભ એવો મનુષ્યભવ પ્રાપ્ત કરીને વિદ્વજનેએ ધર્મને વિષે ઉદ્યમ કરે. શ્રેષ્ઠ ઔષધીવડે વ્યાધિ નાશ પામે છે તેમ, ધર્મથી વિપત્તિ નાશ પામે છે, અને ચિંતામણિથી જ જેમ, તેમ, સર્વ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. કદિ ધર્મ કરતાં છતાંયે ગ્રીષ્મઋતુમાં સરેવરનાં નીરની જેમ, લાભાન્તરાય (કર્મ) ને લીધે, વિભવ ક્ષીણ થાય, તે પણ એ (ધર્મ) ના જ મહાન પ્રભાવવડે, પ્રાણીને પુનઃ અહિ ને અહિં જ જિનદત્તની પેઠે ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થાય છે. એ જિનદત્તનું વૃત્તાન્ત આ પ્રમાણે છે વિચિત્ર પ્રકારના ચિત્રોએ કરીને યુક્ત, ન્યાયતંતજનથી વસાયેલું વસંતપુર નામનું એક સુંદર નગર હતું. ત્યાં ચુનાથી ધોળેલા હજારે મહેલ હતા; તે જાણે નગરની શેભા નિરખવાને શેષ નાગના મસ્તકે બહાર આવ્યાં હોયની ! આ નગરમાં શત્રુએરૂપી કુમુદના સમુહને સંકેચાવવામાં સૂર્યસમાન જિતશત્રુ નામને નામ પ્રમાણેગુણવાળો રાજા રાજ્ય કરતો હતો. તેના વસ્તૃત્વગુણને લીધે બૃહસ્પતિએ (શરમાઈ જઈને) સ્વર્ગને, અને એના ઉદાર સ્વભાવને લીધે બળિરાજાએ પાતાળને આશ્રય લીધે હેયની ! ત્યાં સાધુઓની ઉપાસના કરનારાઓમાં અગ્રેસર અને ધાર્મિક પુરૂષોમાં મુખ્ય એ જિનદત્ત નામને એક શ્રેષ્ઠી રહેતું હતું. એ પિતાના નામની જેમ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજર, બંધ અને મેક્ષ એ નવે તવેનું જ્ઞાન ધરાવતે હતે. વળી એ મેક્ષ સંપત્તિનું સબળ કારણ જે દાનએ હર્ષસહિત આપતો હતો, શીલવ્રત પાળતો હતો, યથાશક્તિ તપશ્ચયો કરતો હતો અને ભાવના પણ ભાવતો હતો. આ પ્રમાણે ધર્મના રહસ્યને જાણનારાઓમાં શ્રેષ્ઠ એ એ શ્રેષ્ઠી પિતાના મનુષ્યભવને સફળ કરતો હતે. એ ધનવાન હતું અને વળી દાનનિપુણ પણ હતું તેથી પિતાને ઘેર, ઘરબહાર, લેકમાં, રાજદ્વારે અને અન્ય સર્વ સ્થળે એનું બહુ માન હતું. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #250 -------------------------------------------------------------------------- ________________ જિનદત્ત શેઠ અને એનું કુટુંબ. ર૩૩ એને જિનદાસી નામે ડહાપણ, વિનય, સિન્દર્ય, શીલ આદિ ગુણોએ ચુકત સ્ત્રી હતી. જિનદત્ત શેઠને જિનદાસીની કુક્ષિથી, જાણે ઘરને ભાર ધારણ કરવાને ચાર મૂળસ્ત હોયની એવા નાગદેવ, જિનદેવ, ધનદેવ અને સોમદેવ નામના પુત્રો થયા હતા. એમને અનુક્રમે નાગશ્રી જિનશ્રી, ધનશ્રી અને સમશ્રી નામની શીલરૂપી સુગંધ યુકત સ્ત્રીઓ હતી. ઘેર કામકાજ કરનારા દાસદાસીઓ હવાથી શેઠના પુત્રો અને પુત્રવધુઓ, મણિ-સુવર્ણના આભૂષણે ધારણ કરી સુખમાં રહેતા હતા. જિનદત્ત શેઠ તે સમેતશિખર-અષ્ટાપદ આદિ તીર્થોની, અનર્ગલ દ્રવ્ય ખરચી બહુબહુવાર યાત્રા કરવા જતો શ્રીસંઘની ભકિત કરત-પુસ્તક લખાવતો અને જિનમંદિરોને તથા સાથે દુર્બળ શ્રાવકેન સુદ્ધાં ઉદ્ધાર કરતો. વળી એણે વસંતપુર નગરને વિષે જ જાણે દેવતાઓનું વિમાન હેયની એવું, કાતિ યુકત ફરસબંધીવાળું, અત્યન્ત સુંદર જિનમંદિર કરાવ્યું હતું–તે ઉંચા શેભિતા સ્તને લીધે મનહરણ કરતું હતું. તેમાં હાલતી પુતળીઓ અને સુવર્ણના કુંભાએ કરીને યુકત મંડપ તથા ગજ–અશ્વ અને મનુષ્યની બેઠકે કરેલી હતી. વળી એ એક પર્વતના શિખર જેવું મહા પ્રમાણુવાળું, સુવર્ણના દંડ અને કળશથી તથા ઘણા તેરણને લીધે રમ્ય જણાતું હતું. એ જિનમંદિરમાં પછી એણે શ્રી આદીશ્વરભગવાનની અદ્વિતીય પ્રતિમાનું અને ( એમ કરીને ) સુગતિને વિષે પિતાના આત્માનું સ્થાપન કર્યું. આ મંદિરને વિષે એ ત્રણે સંધ્યાએ ગીતવાદ્ય આદિથી મનહર એવી દેવપૂજા કરવા લાગ્યા. વળી અઠ્ઠાઈ, કલ્યાણક તથા ચર્તુમાસાદિ પર્વોને વિષે તે એ હર્ષોલ્લાસથી વિશેષ મહિમા કરવા લાગે. આ પ્રમાણે જિનદત્ત શ્રેષ્ટી ધર્મકાર્યને વિષે તત્પર રહેતો હતે એવામાં દુષ્કર્મના વેગે એની લમી જતી રહી; અથવા કુલટાસ્ત્રીની પેઠે એ ક્યાંય પણ સ્થિર રહેતી નથી. આમ થવાથી નગરને વિષે પિતાને નિર્વાહ ન ચાલતો જોઈ, એ કુટુંબ પરિવારને લઈ ગામડામાં રહેવા ગયે; કારણ કે દરિદ્રતા હોય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #251 -------------------------------------------------------------------------- ________________ 234 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, ત્યાં શું સારૂં હૈય? ગામડામાં છાશ-દહીં, ઇધન–પાણી આદિની છત હોય છે માટે જ દુર્બળ લોકો ત્યાં રહેવાનું પસંદ કરે છે. પછી તૃણ–કાષ્ટ આદિ લાવી એની એક ઝુંપડી બનાવી શેઠ સહકુટુંબ એમાં રહેવા લાગ્યા, કમળ કાદવને વિષે રહે તેમ. શેઠના ચારે પુત્રો લોકેાના ક્ષેત્રને વિષે હળ ફેરવવા રહ્યા; અથવા તો આ સંસારમાં કેને ઉદયાસ્ત નથી થતો? શેઠની પુત્રવધુઓ પણ ઘરમાં પાણી ભરી લાવવું વગેરે કાર્યો કરવા લાગી; અથવા તે જેમ વિધિ વગાડે તેમ નાચવું પડે છે. શેઠની સ્ત્રી જિનદાસી ઘરની અંદરનું સર્વ કામકાજ કરવા લાગી; કારણ કે ઘરમાં (બેસીને) કેણે પુણ્ય કર્યું છે? શેઠ પોતે પિતાના પુત્રોનાં બાળબચ્ચાંને રમાડવાનું કામ કરવા લાગ્યા. અહો ! આવા ધર્મિષ્ટ પ્રાણીઓની પણ દુર્દશા કરનાર વિધિને ધિક્કાર છે ! એમાં યે વળી આ પ્રમાણે નિરન્તર મહેનતમજુરીનું કામ કરતાં છતાં પણ એમને ખાવાને ઘેંશ અને તેલ જ મળતાં. તથાપિ (આવું આવું દુઃખ છતાં પણ) સત્વને ભંડાર એ જિનદત્ત શેઠ કિંચિત પણ ખેદ પામે નહીં, તેમ એણે ધર્મકાર્યને વિષે પણ ઉદ્યમ ત્યજ્યો નહીં. ' ખાઉં આવી દુઃખી અવસ્થાને વિષે માંડમાંડ કેટલોક સમય વ્યતીત થયે એવામાં એકદા શેઠે ચારે પુત્રોને બેલાવીને કહ્યું હું જિનેશ્વર ભગવાનના દર્શન કરવા શહેરમાં જાઉં છું. પુત્રોએ એકમુખે કહ્યું–તાત, ગાંડા થઈ ગયા જણાઓ છો. ધમ ધર્મ એમ કરી કરીને તમે તે અમારે જીવ લીધે. દેહથી, વર્ણથી તથા લક્ષ્મીથી ભ્રષ્ટ થયા તે પણ ધર્મ ધર્મ કરતા રહેતા નથી ! હે ધર્મઘેલા તાત, તમે ધમોથે દ્રવ્ય વાપરી વાપરીને ઘરને ચારે ખુણે ભૂખ તે લાવીને મુકી છે ! માટે હવે મિન ધારણ કરીને અહીં પડયા રહે. તમારે દેવને શું કરવા છે ? એ તે તમારા ચિત્તમાં છે જ. એ સાંભળીને શેઠે કહ્યું, અરે બાળકે, તમે કંઈજ સમજતા નથી તેથી જ આવું ન્હાના બાળકો જેવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #252 -------------------------------------------------------------------------- ________________ લક્ષમીને નાશ-દારિદ્રય. 235 બોલે છે. યુક્ત દાનભેગથી લક્ષ્મી કવચિત નાશ પામતી નથી. નિરંતર પાણી કાઢીએ તો પણ કહે કદિ ખાલી થાય ખરે? પરત લક્ષ્મીને નાશ તે પાપકર્મના ઉદયથીજ થાય છે, ક્ષયરોગથી ઘેરાયેલા મનુષ્યના શરીરનો નાશ થાય છે તેમ. અથવા તો તમારા જેવા અવિવેકીઓની સાથે વાદ શું કરે? હું મારું ધાર્યું કરીશ કારણ કે, વિજ્ઞપુરૂષે સ્વાર્થ બગડતા નથી. એમ કહી પુત્રેની ઈચ્છા વિરૂદ્ધ પણ, આજે મારાં મહભાગ્ય કે હું ચિત્યના દર્શન કરીશ, એવી ભાવના ભાવો, શેઠ શહેર ભણી ચાલ્યું. શેઠ શહેરમાં પેઠા પણ શહેરીઓએ કૌતુકથી પણ એના સામું જોયું નહીં; તે સંભાષણ કે જુહાર તે કરે જ કેણ ? અહે ! દારિદ્રય ખરેખર એક પરમ અદશ્યીકરણ છે કારણ કે એ જેની પાસે હોય છે એને સમીપરહેલા ચક્ષુવાળાઓ પણ દેખતા નથી ! શ્રેષ્ઠીએ વિચાર કર્યો–તેજ હું છું, ને તેજ આ માણસો પણ છે, એમને હું જોઉં છું પણ એઓ મને [ મારી તરફ | જોતા નથી. અહીં દારિદ્રયનું ભિત આશ્ચર્યકારી છે. માટે જ કહ્યું છે કે હે દારિદ્રય, તને નમસ્કાર છે, તારી કૃપાથી હું સિદ્ધ થયેલ છું, કારણ કે હું સર્વને દેખું છું, એ મને દેખતા નથી. પછી જળસ્થાને જઈ પિતાના હાથે જળ ગળી સ્નાન કરી જિનેશ્વરના મંદિરના દ્વારમાં પ્રવેશ કર્યો. ત્યાંજ, અહો ! આતો જિનદત્ત શેઠ છે એમ ચિન્તવન કરતી એક પુષ્પવાળી પુષ્પની માળા હાથમાં લઈને એમને કહેવા લાગી–અહો શેઠ, આ મારી માળા બહુ સારી છે તે તમે ગ્રહણ કરે. શેઠે કહ્યું–મારી પાસે એક બદામ પણ નથી તે હું તે કેવી રીતે લઉં ? પુષ્પવાળીએ કહ્યું- હે તાત, અમે અદ્યાપિ આપનું આપેલું જ ખાઈએ છીએ; આતે એની ફકત નિશાની દાખલની શેષ છે. માટે હે તાત, આપની પુત્રી પર કૃપા કરીને એ ગ્રહણ કરે. એમ કહીને એ પુપવાળીએ શેઠના ચરણ પકડી રાખ્યા. ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું-હે પુત્રી, હું તો અહીં ફકત દર્શન કરવાને આવ્યો છું પરંતુ તારી માળા ભલે લાવ. પછી એ પુષ્પવાળીના હાથમાંથી માળા લઈ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #253 -------------------------------------------------------------------------- ________________ 236 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. ત્રણ વખત નિસિહિ કહી રોમાંચિત થઈ શેઠે દેવમંદિરની અંદર પ્રવેશ કર્યો. ત્યાં સર્વને પહેરવાનાં હતાં એવા વસ્ત્રમાંથી વસ્ત્ર પહેરી, મુખકેશ કરી, મંદિરના ગર્ભગેહ ( ગભારા ) માં પિઠે. તે વખતે એના આખા શરીર પર રોમાંચ પ્રકટ થયા અને એને હર્ષના આંસુ આવ્યાં. જિનેશ્વરનું પૂજન કરતાં કરતાં એણે વિજ્ઞાપન કરી કે- હે ભગવાન, એક એવા દિવસો હતા કે જેને વિષે હું સુવર્ણના પુષ્પોથી અને આભૂષણોથી આપની પૂજા કરતો વળી ઉત્સવ હોય ત્યારે મોટા ઠાઠમાઠથી, વિધિ પ્રમાણે, રથયાત્રાસંગીતક [ ગીત-વાદ-નૃત્ય ] વગેરે સહિત હું આપની ભકિત કરતે. અને એક આ દિવસ પણ આવ્યું છે કે જ્યારે હું દુઃખી છું અને પારકાં પુષ્પ લઈને આપની પૂજા કરૂં છું. નિશ્ચયે કે ધર્મકાર્ય કરતા ધમોમા પુરૂષને મેં અન્તરાય કર્યો હશે તે આજે આવીને ઉભે રહ્યા છે. આમ ભાવના ભાવમાં શેઠનું મન અત્યંત આદ્ર થયું. એણે જીનપ્રભુની પૂજા કરી બહાર આવી ચૈત્યવંદન કર્યું. પછી વસ્ત્ર બદલી, ધર્મશેષ આચાર્ય વ્યાખ્યાન કરતા હતા ત્યાં ગયે; જઈને સૂરિશ્રીને વંદન કરીને સભાને છેડે બેઠે. સૂરિશ્રીએ એમને મહાન સંભ્રમસહિત ધર્મલાભ દીધે. “વ્યાખ્યાન કરતા હોય છે ત્યારે સૂરિજી કઈ ધનવાનનો પણ આ ગૈરવ કરતા નથી માટે શું રાજા તો નથી આવ્યા " એમ વિચારી તાજાએ પાછું વાળી જોયું તે હાથમાં લાકડી છે, મલિન અને ફાટેલા વસ્ત્રો પહેર્યો છે, કરચલીવાળી ચામડી લટકે છે, હાડપીંજર દેખાય છે, મસ્તકે વેતવાળના ગુંચળા છે એવા જિનદત્ત શેઠને ભાળ્યા. એઓ વિચારવા લાગ્યા, અહો ! આ વૃદ્ધ રંકપ્રાય જિનદત્ત સૂરિજીએ કેઈ કારણને લઈને મહા સત્કાર કર્યો છે. એટલામાં તે ગુણજનનું બહુમાન કરતા એવા સુરિશ્રીએ શેઠને, આગળ આવે, આગળ આવે એમ કહ્યું. પણ શેઠ બોલ્યા-હે પ્રભુ અહીં જ ઠીક છે. એમ કહે છે ત્યાં તો શ્રાવકેએ એમને લઈને સૂરિશ્રીની પાસે જ બેસાડયા. એ વખતે સૂરિશ્રીએ કહ્યું-અહે શ્રાવકે, એક ચિત્તે સાંભળ-આ જિનદત્ત છે છે. અમે ચૈત્યવાન કામ થયું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #254 -------------------------------------------------------------------------- ________________ યેગી જેવે જણુતો પુરૂષ. 237 શેઠ ઉત્તમ શ્રમણોપાસક છે. એણે જ આ વીશ જિનેશ્વરનું મંદિર કરાવ્યું છે. એણે વળી ઘણે સ્થળે જિનાલયે તથા ઉપાશ્રયે કરાવ્યા છે. સાધર્મીવાત્સલ્ય ક્યાં છે, અનેક તીર્થયાત્રા કરી છે, તથા વંદન-પ્રતિક્રમણ-તપશ્ચર્યા આદિ પણ ઘણી કરી છે. ધન્ય છે એના પુણ્યકાર્યોને, એના ઉત્તમ જન્મને, એની શ્રેષ્ટબુદ્ધિને, એના ધર્મિષ્ટપણને અને એના બૈર્ય તથા ગભીયને! આ પ્રમાણે સૂરિશ્રીએ પિતે જિનદત્તની પ્રશંસા કરી કારણ કે ગુણોની પ્રશંસા કરવી એને આગમને વિષે દશનાચાર કહ્યો છે. પછી સરલ સ્વભાવવાળા આવા સૂરિજીને વંદન કરીને જિનદત્ત ઉભું થયું એટલે કે ઈ મેગી જેવા જણાતા પુરૂષે એને એકાન્તમાં લઈ જઈને કહ્યું- હે શેડ, તમને ગુરૂજીએ એક મોટા માણસ કહ્યા છે, માટે તમે જે મારી પ્રાર્થનાને ભંગ ન કરે તે હું તમારી પાસે કંઈ યાચના કરૂં. શેઠે “મારી સ્થિતિ તે આવી છે એ પ્રત્યક્ષ છે, માટે એ શું માગે છે એ જોઉં તો ખરે” એમ વિચારીને કહ્યું- હે ભદ્ર, તારે ઈષ્ટ હોય તે કહી દે. એટલે પિલાએ કહ્યું-મારી પાસે દારિદ્રયને હાંકી કાઢનાર એ એક ઉત્તમ મંત્ર છે તે તને આપું છું તે લે કારણ કે તારા જેવું બીજું કઈ પાત્ર (ઉત્તમ પાત્ર) નથી. જિનદતે કહ્યું- હે ભદ્ર, એ મંત્ર તો તારી પાસે ભલે રહ્યો; મારે હવે ધર્મ કરવાનો સમય છે, ધન સંચયનો નથી. એ સાંભળી પેલાએ કહ્યું મેં તારી પાસેથી પહેલેથી જ માગી લીધું છે. માટે હવે કૃપા કરીને આ. મંત્ર ગ્રહણ કરવું અને આગ્રહ ત્યજી દે. એ પરથી શ્રેષ્ટીએ વિચાર્યું–સર્વ લેકે તથા મારા પુત્રો સુદ્ધાં એક મતે કહે છે કે ધર્મમાં કાંઈ નથી; જો હોત તે, જે જિનદત્ત પૂર્વે આવો વૈભવવાળો હતો તે આજે આમ દારિદ્રયશિરોમણિ થાત નહીં, માટે આ વિકલપ નાશ કરવાને તથા ધર્મની ખ્યાતિને અર્થે હું આ પુરૂષ આપે છે તે મંત્ર ગ્રહણ કરૂં. એમ વિચારીને શેઠે પેલાને કહ્યું-જે એમ જ હોય તો ભલે આપ. પિલાએ પણ એને પ્રીતિપૂર્વક એ મંત્ર કે જેને નવ અક્ષરમાં સમાસ થત P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #255 -------------------------------------------------------------------------- ________________ ર૩૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. હતો તે આવે અને કહ્યું કે એને એકને આઠવાર જપ કરવો. શેઠે તે પરથી કૃષ્ણ ચતુદશીને દિવસે સ્મશાનને વિષે જઈને વિધિ પ્રમાણે એને જપ કર્યો એટલે તો સ્વર્ગ થકી એક વિમાન ત્યાં આવ્યું તેમાંથી આમ તેમ હાલતાં કુંડળવાળો એક દેવતા નીકળીને કહેવા લાગ્યું–હે શ્રેષ્ઠી, તેં મને કેમ યાદ કર્યો ? જિનદતે કહ્યું- હે દેવ ! કેમ, તે તું પિતે જાણે જ છે. દેવતાઓ કહ્યું-જે એમ હોય તો તારે જોઈએ તે માગી લે. શેઠે કહ્યું-પુષ્પવાળીએ આપેલાં પુષ્પ વડે મેં જિનેશ્વરની પૂજા કરી એનું મેં જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય તેનું ફળ તું મને આપ. બાકી જિનેશ્વરના મંદિર-તીર્થયાત્રા આદિ કરવાથી મેં જે ઉપાર્જન કર્યું છે તે તો ભંડારમાં ભલે રહ્યું. એ સાંભળી દેવે કહ્યું–હે શ્રેષ્ઠી, તે પારકા પુપીએ પૂજન કયોથી પણ સુગતિ ઉપોજન કરી છે. એ હું તને આપી શકતો નથી, પરંતુ કંઈ તારે માટે કરું છું. તારા ઘરના ચારે ખુણામાં તને નિધાન પ્રાપ્ત થશે. એમ કહીને એ દેવતા સદ્ય પિતાને સ્થાનકે ગયે. - હવે જિનદત્ત શેઠ તે શહેરમાંથી પિતાના ગામડામાં જઈ પિતાના પુત્રોને કહેવા લાગ્યા...હે પુત્રો, ચાલે આપણે શહેરમાં જઈએ. પેલાઓએ ઉત્તર આપે-હે પિતા, તમારૂં ગાંડપણ હજુ ગયું નહિં. વારંવાર આટલી બધી હેરફેરવણ કેણ કરશે.” અહિં તેલ ને પેંશ મળે છે તેથી શું તમારું ચાલતું નથી ? વળી અહીંથી પણ છેક ભ્રષ્ટ થઈશું. માટે અમે તે આવતા નથી તમે એકલા જાઓ; કારણ કે ફર્યોફર કરવાથી શું દારિદ્રય છેદાવાનું છે? એ સાંભળી પિતાએ કહ્યું–શુકનથી મેં ત્યાં લાભ જેવું જોયું છે; આપણે આપણું નગરમાં જઈએ એથી વખતે આપણી દશા વળવી હોય તે વળે. પુત્રોએ કહ્યું–જે તમારે ન જ રહેવું હોય તે ભલે એમ કરો–એમ કહીને એઓ પણું અનુમત થયા. ( કારણ કે હવે એમને શુભ કર્મ ઉદય આવ્યા હતા ) પછી શેઠ કુટુંબ પરિવાર સહિત શહેરમાં આવ્યા. આવીને પિતાને ઘેર જઈ જુએ છે તે તદન નિર્માલ્ય થઈ ગયેલું માલમ પડયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #256 -------------------------------------------------------------------------- ________________ ભૂતનું સમરણ–વર્તમાનનું અવલોકન. 239 એ પરથી શેઠ વિચારવા લાગ્ય–અહ, આ ઘરના દ્વારપર રહેલા પણ ભેગા થઈ ગયા છે—જાણે શેઠ ક્યારે આવશે એને વિચાર કરવાને જ હાયની આ દ્વાર પણ મારા ગાલની પેઠે ઢીલા થઈ ગયા છે; અને ભીંતમાંથી મારા દાંતની જેમ ઇટે પણ નીકળી ગઈ છે. વળી મારા વાળની જેમ આ ઘરનાં ઢાંકણરૂપ લાકડાં જતા રહ્યા છે; ચિત્રશાળાના ચિત્ર મારાં લેચનની પેઠે ગળી ગયાં છે; ઉંદરોએ ધાન્યની સ્પદ્ધથીજ હોયની એમ ધુળના ઢગલા કયો છે; મયૂરના છત્રની જગ્યાએ લીંબડે ઉગે છે. વળી અમે જંગમોએ જે ભાગ્ય ગુમાવ્યું છે તે ભાગ્ય આ તૃણવલ્લી આદિ સ્થાવરેને આવી મળ્યું છે. મારાં ભાગ્યની પેઠે આ પાટીઆં પણ પોતાના સ્થાનથકી ચલિત થયા છે. વળી ચરણને વિષે જેમ વ્રણ તેમ આ ભીંતોમાં પણ ફાટ પડેલી છે. એટલું જ નહિ પણ જ્યાં જ્યાં એરડાઓમાં ઉત્તમ ઉલેચ જડેલા હતા ત્યાં પણ કોળીઆઓએ જાળાં બાંધી દીધાં છે. આમ પિતાની પૂર્વદશાને સંભારતાં અને વર્તમાનને અવલેતાં શેઠે સને લઈને ઘરમાં પ્રવેશ કર્યો, અને પુત્રવધુઓ પાસે ગેમયને એક ગેમુખ કરાવી ત્યાં બે જળના કુંભ મુકાવ્યા. શેઠના નાગદેવ આદિ પુત્રે તે ગળીઆ બળદેની પેઠે ભૂમિપર લાંબા પગ પસારીને પડ્યા. શેઠે એમને કહ્યું-ઘણે સમય થયાં તમે જિનમંદિરનાં દર્શન કર્યા નથી માટે તમે સર્વ સ્થળે જઈને દર્શન કરી આવે. એ સાંભળીને તે પુત્રો ક્રોધે ધમધમાયમાન થઈ કહેવા લાગ્યા...હે પિતાજી, તમે હજુ પણ ધર્મને કેડે મુક્તા નથી? અમારા જેવા માર્ગના શ્રમથી ખિન્ન થયેલાને તમે ચિત્યપરિપાટી કરવા જવાનું કહો છો તે નિશ્ચયે માળપરથી પડેલાને પ્રહાર કરવા જેવું છે. પણ શેઠે તે કહ્યું- હે પુત્રો, તમે ક્ષણવાર તે ઉઠો અને દેવને વંદન કરો કે જેથી આપણને ઇન્ટ ભેજન મળે. આ સાંભળી પુત્રો-આ શ્વાનની પેઠે ભસતા રહેશે નહીં–એમ કહીને તેની સાથે દેવદર્શન કરી આવ્યા. ઘેર આવીને શેઠે કહ્યું-ચાલે હવે હું તમને શાળ-દાળ આદિનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #257 -------------------------------------------------------------------------- ________________ 240 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. ભેજન કરાવું; કારણ કે દેવવંદન ઈચ્છિત આપવાવાળું છે. પણ પુત્રોએ કહ્યું-તમારા દાળભાતને દૂર રાખેને; અમને ફક્ત પેંશ જ ઈષ્ટ છે તેનું જ પારણા કરાવે. પણ દઢ શ્રદ્ધાવાળા પિતાએ કહ્યું-હવે તમે પેંશનું નામ મૂકે, તમને શાળ આદિ આપું તે કહો તમે શું ધર્મકાર્ય કરશે ? પુત્રોએ કહ્યું- હે તાત, તમે દુષ્કર એવાં પણ ધર્મકાર્યો કરવાનું કહેશે તે અમે હર્ષ સહિત કરીશું. શેઠે કહ્યું–જો એમ હોય તો તમારે નિરન્તર ત્રણકાળ દેવપૂજન, બે વખત પ્રતિક્રમણ, ચૈત્યવંદન, શક્તિને અનુસરીને પ્રત્યાખ્યાન, ઈત્યાદિ ઉભયેલેકને વિષે સુખકારી એવા ધર્મકાર્ય કરવાં. એટલે " આપણે રાત્રિને વિષે શીત, દિવસે તાપ, વખત બેવખત કુજન, પગે કાંટા વાગવા-ઈત્યાદિ અનેક દુઃખ સહન કર્યો છે; તો આવા વંદન, પ્રતિક્રમણ પ્રમુખ જે એનાં કરતાં બહુ સહેલાં છે તે અમે જરૂર કરશું” એમ સર્વે પુત્રોએ સાથે કહ્યું. શેઠની પુત્રવધુઓએ પણ કહ્યું કે–પારકાં ઘરનાં કામકાજ કરતાં ધર્મનાં કામ સુખે કરી શકાય એવાં છે માટે અમે પણ હવેથી તે અવશ્ય કરશું. છેવટે શેઠના પિત્રેએ પણ એ પ્રમાણે કરવાનું કહ્યું. એટલે શેઠે પુત્ર-વધુ-અને પિત્રો સર્વ પાસે એક કાગળ પર એ એમના હસ્તાક્ષરે લખાવી લીધું. પછી એમણે બલિવિધાન પૂર્વક ભૂમિનું પૂજન કરીને પુત્રો પાસે એક ખુણે ખોદાવ્યું. તે એક મોટો કળશ તેમના જેવામાં આવ્યું એટલે એમણે વિચાર્યું-અહો ! આજે ચિરકાળે પૂજ્યપિતાશ્રીને કયાંથી આ નિધાન યાદ આવ્યું ? પછી એ ઉઘાડીને જોયું તે એમાં એમણે સુવર્ણ–પદ્મરાગાદિમણિ તથા માણિક્યને સમૂહ દીઠ. પિતાની આજ્ઞાથી, એમાંનું શૈડું સુવર્ણ વેચીને પુત્રોએ, વસ્ત્ર, સ્થાળ-કાળાં પ્રમુખ વાસણો, તથા શાળ આદિ આપ્યાં અને તક્ષણ વધુઓએ ઉત્તમ રસોઈ બનાવી એટલે જિનદત્ત વગેરે સિાએ ભજન કર્યું. (અહે આ ભેજન જ એક વસ્તુ સર્વત્ર જય પામે છે.) ભજન કરી રહ્યા પછી શ્રેષ્ઠી ભેટશું લઈ પુત્રો સહવર્તમાન, સારાં વસ્ત્રો પહેરી રાજમંદિરે ગયે. ત્યાં રાજાને ભેટ ધરી, નમન કરી શેડ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #258 -------------------------------------------------------------------------- ________________ 241 ધર્મને પ્રભાવ-પુનઃ ભાગ્યને ઉદય. અને એના પુત્રે અતિૌરવસહિત આપવામાં આવેલા આસન પર બેઠા. એટલે રાજા મડીપેન પિતે ગેરવસહિત બેલ્ય-અહે શેઠ ! આજે તે ઘણે દિવષે આવ્યા ? જ્યારે જ્યારે મહાજન અમારી આગળ આવતું ત્યારે ત્યારે મને વિચાર થતું કે આ મહાજનમાં જિનદત્ત શેઠ કેમ કયાંય પણ દેખાતા નથી ? શેઠ કહ્યું–અહીં અમારે કમાણી નહતી એથી આપના ચરણકમળ થકી દૂર ગયા હતા. વળી પાછા ભાગ્યના ઉર્યો કરીને માણસાઈમાં આવ્યા એટલે આપ મારાજાનું સ્મરણ કરતા સા અહિં આવ્યા છીએ. એ સાંભળી રાજાએ ખુશી થઈને પિતાને હાથે શેઠને અને એના પુત્રને મયૂર છત્ર અને સુવર્ણની સાંકળી આપ્યાં. ત્યાંથી અથજનોને દાન આપતા આપતા લેકે તરફથી પ્રશંસા મેળવતા શેઠ ઘેર આવ્યા. એના સ્વજન સંબંધીઓ કહેવા લાગ્યા-અહો ! શેઠે દૂર જતી રહેલી લક્ષમીને પણ ધમને પ્રભાવે પાછી વાળી ! પછી થોડા વખતમાં સ્થાને બેલાવીને શેઠે ઘર પણ સમરાવ્યું, એક તંબેળી જેમ નાગરવેલના ઢગલાને કરે તેમ. હવે પછી નિરન્તર પુત્ર-પુત્રવધુઓ અને ત્રેિ, સે કંઈક ભયે અને કંઈક ભાવે,, શેઠે કહેલા તે ધર્મકાયો કરતા હતા. એક દિવસ આળસ કરીને એ વંદનાદિ કર્યા વિના રહેલા તેથી શેઠે એમને પૂછયું કે આજે તમે પોતપોતાના અનુષ્ઠાન કેમ કયો ? તેઓએ ઉત્તર આપે કે-હે તાત, અમે રાજદ્વાર થકી મોડા આવ્યા એટલે પરિશ્રમને લીધે નિદ્રા આવવા માંડીએ કારણથી અમે દેવવંદન આદિ કંઈ કર્યું નથી. એ સાંભળી શેઠે કૃત્રિમ કેપ કરીને કહ્યું કે–તમે તમારૂં પિતાનું કહેલું કેમ અત્યારમાં જ ભૂલી ગયા? થેંડા વખત પહેલાં હળ ફેરવવું પડતું હતું તેથી શ્રમ પડતે કહેતો; ને હવે વાહનમાં બેસીને જાઓ આવે છે એમાં શ્રમ પડે છે ! હવે તમને વગર ચિંતાએ ભોજન મળે છે તેથી અતિશય સુખલંપટપણાને લીધે તમારું શરીર ફૂલી ગયાં છે એટલે તમને ધર્મકાર્ય કરવા ગમતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #259 -------------------------------------------------------------------------- ________________ 242 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. નથી. માટે હવે પેલે કાગળ લાવીને, તમારું પિતાનું લખેલું રદ કરે કારણકે પુત્રને બીજો શે દંડ હોય ? એ સાંભળીને પુત્રે પિતાને ચરણે પડ્યા અને કહેવા લાગ્યા-અમે એક વાર ભૂલ્યા, અમને કુબુદ્ધિ ઉપજી; હવેથી અમે અમારું પ્રતિપાદન કરેલું નિરન્તર કરીશું, માટે અમારા પર કૃપા કરી આ અમારો અપરાધ ક્ષમા કરે. શેઠે એ સાંભળી એમને ક્ષમા કરી. એએ પણ ત્યાર પછી ધર્મકાર્યોને વિષે નિરતર પૂર્વવત પ્રવૃત્તિ કરવા લાગ્યા; અથવા તો કહેવું છે કે પિષણ કરવા લાયક એવી જે પ્રવૃતિઓ છે તે પિોષણ કરનારાઓને જ આધીન છે. ચાલે આપણે પિતાપિતાના અનુષ્ઠાન વહેલાં વહેલાં કરી લઈએ; નહિંતર પિતાશ્રી આવશે તે આપણને ઉપાલંભ દેશે–આમ વિચારીને પુત્ર, પુત્રવધુએ અને પિત્રે સર્વે વદન પ્રતિક્રમણ આદિ એમના આવ્યા પહેલાં કરી લેતા. આ પ્રમાણે એઓ પ્રતિદિન કરતા એથી એમનું મન ધર્મકાર્યને વિષે લીન થયું. કેઈ વખત માંદગી આદિના કારણને લીધે પોતાના ધર્મકાર્ય ન કરી શકતા ત્યારે તેમને બીલકુલ ચેન પડતું નહિં. એઓ પ્રીતિ પૂર્વક પરસ્પર કહેતા કે–પૂજ્યતાને આપણને સુખી કર્યો છે તથા આપણને તાયો છે. એ જ આપણને ઉત્તમભજન, વસ્ત્ર અને આભૂષણે આપે છે અને આપણી પાસે ધર્મકાર્ય કરાવે છે. કપમથી અધિક એવા પૂજ્યતાતની કૃપાથી આપણને તે અહિં સંસાર અને સ્વર્ગ બેઉ છે. પછી અનુક્રમે જિનદત્તને નિશ્ચય થયો કે મારૂં કુટુંબ હવે ધર્મને વિષે નિશ્ચળ છે ત્યારે એણે એમને શેષ ત્રણ નિધાન ઉઘાડીને બતાવ્યા. પછી શેઠ પ્રમુખ સર્વે પિતાનું ધન સાતક્ષેત્રને વિષે વાવરીને પિતપિતાને સમયે ઉત્તમ દેવલોકની ( સંપત્તિ) ને પામતા હવા. ત્યાંથી કેટલાએક ભવ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી એકાન્તસુખે કરીને વ્યાપ્ત એવી શાશ્વતી સિદ્ધિને પામશે. [ શ્રી વીરપ્રભુ કહે છે ] આવું ધર્મનું માહાત્મ્ય છે સાંભળીને તમે એ ધર્મને વિષે આદરસહિત પ્રયત્ન કરતા રહો કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #260 -------------------------------------------------------------------------- ________________ - આનંદમાં વિધ્ર-અમૃતમાં વિ. 247 જેથી તમને પણ અચળ એવી સુખસન્તતિને લાભ થાય. . . - પ્રભુ આ પ્રમાણે મધુરવાણીવડે ઉપદેશ આપતા હતા. એવામાં એ પાંચવર્ણના મણિઓએ યુક્ત અને દેવતા તથા મનુષ્યોથી પૂર્ણ એવી સમવસરણની ભૂમિને વિષે, એક કોઢીઆએ પ્રવેશ કર્યો; દેવમંદિરને વિષે એક કાગડે પ્રવેશ કરે તેમ એણે, ચિત્રા નક્ષત્ર જેમ જળવડે ધાને સિંચે છે તેમ, નિશંકપણે પિતાના શરીરપરના પરૂઆદિનું પ્રભુના ચરણુપર સિંચન કર્યું. એ જોઈને મગધપતિ-શ્રેણિક રાજા એ કેઢીઓ પર બહુ કપાયમાન થયા; કારણકે જિનેશ્વરઆદિની આશાતના કરનારાઓ પર વિદ્વાન પુરૂષ કેપ કરે છે એ યે જ છે. " આ પાપી છે, અમર્યાદ છે, નિર્લજજ છે અને એને કેઈને ભય પણ નથી કારણકે ઈન્દ્રાદિ જોઈ રહેતા છતાં એ પ્રભુને એમ કરે છે. જો આ ઈન્દ્ર વગેરે કઈ હેતુને લઈને આ પાપીને શિક્ષા ન કરે તે ભલે ન કરે; એ રહ્યા. હું જ એને યેગ્ય ફુટ ઓષધ આપીશ. એના જેવાને શરીરનિગ્રહ ( માર ) શિવાય બીજ શિક્ષા ન જોઈએ. પ્રભુને આમ પરાભવ થાય છે તે જોઈને જેને કંઈપણ લાગતું નથી એવા નીચશિરોમણિજને જન્મતા ન હોય તે જ સારૂ. આ પ્રમાણે શ્રેણિક રાજા ચિંતવન કરતા હતા ત્યાં વીરપ્રભુને છીંક આવી એટલે પિલા કુષ્ટીએ એમને કહ્યું–તમે મૃત્યુ પામો (મો), એવામાં રાજાને છીંક આવી ત્યારે એણે કહ્યું-(ઘણું) છે, વળી અભયકુમારને છીંક આવી ત્યારે એણે કહ્યુંઅથવા મરે, અને કાળશાકરિકને છીંક આવી ત્યારે એણે કહ્યું-તું ન મરે કે ન જીવ. એ કુષ્ટિએ આવું આવું કહ્યું એટલે તે હોમ નાખવાથી અગ્નિ જાજવલ્યમાન થાય એમ રાજા અધિક કે પાયમાન થ. “એણે એક તે પ્રભુ તરફ એવું ( અસંત ) આચરણ કર્યું અને વળી આવાં દુવક કહ્યાં- એ બરાબર દાઝયા ઉપર ડામ જેવું થયું. " સમવસરણમાં છે તેથી એને હું શું કરું–બહાર આવે એટલે એને સ્વાદ ચખાડું.” દેશના પૂરી થઈ એટલે કુટી પ્રભુને નમીને ચાલવા લાગ્યા ત્યાં તે રાજાએ પોતાના માણૂસેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #261 -------------------------------------------------------------------------- ________________ 244 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, એને પકડી લેવાની સંજ્ઞા કરી. પણ જેવા એ સેવકે એને અટકાવવા ગયા તેવામાં દીવ્યરૂપ ધારણ કરીને પક્ષીની પિઠે ઉચે આકાશમાં જતો રહ્યો. એટલે એમણે આવીને એ વૃત્તાન્ત રાજાને નિવેદન કર્યું. તે પરથી વિસ્મય પામીને રાજાએ ત્રણજગતના સ્વામી વીરપ્રભુને પૂછયું--હે ભગવન, આ કેહીઓ તમને ચરણે પરૂ ચેપડી ગયે અને વળી હમણાં દિવ્યરૂપ લઈ આકાશમાં જતો રહ્યો-એ કોણ હતો ? ( શ્રેણિક રાજાને આ પ્રશ્ન સાંભળીને ) હસ્તકળને વિષે રહેલા આમળાની જેમ વિશ્વની સકળ વસ્તુને જાણનાર પ્રભુએ એનું વૃત્તાન્ત મૂળથી કહેવું પ્રારંભ કર્યું-- 'હે રાજા, ગાયે, વૃષ અને વલ્લે જ્યાં સુખે ચર્યા કરે છે એવા વત્સદેશને વિષે, જઘન્ય તેમજ ઉત્તમ લેકોની માતા હાયની એવી કૌશામ્બી નામે નગરી છે. તે નગરીના દેવમંદિરના શિખરેપર હાલતી દવાના વસ્ત્ર લોકોને આચારને વિષે તત્પર જોઈને પ્રીતિવડે નૃત્ય કરતે ધર્મ જ હોયની શું (એવા દેખાય છે!) શ્રીમંત અને ઉદાર નાગરિકેના ઉત્તમ ફરસબંધીથી શોભી રહેલા ગ્રહોને વિષે જે યક્ષમ હોય છે તે શિવાય નગરને વિષે અન્યત્ર કયાંય કર્દમ દેખાતું નથી. તેની, અનેક વસ્તુઓથી ભરેલી એક સરખી દુકાનને વિષે. દ્રવ્ય આપતાં સર્વ વસ્તુઓ મળે છે; " નથી " એ જ નથી મળતું. ત્યાં બંધ અને પાત ગુણશ્રેણિને જ છે; અને માયા-લેભ-મદ-ભય-શેક અને જુગુપ્સા કેવળ કર્મગ્રંથને વિષે જ છે; વળી વિતંડાવાદ, નિગ્રહસ્થાન, અધ્યક્ષબાધિત પ્રતિજ્ઞા અને છલ તર્કશાસ્ત્રમાં જ છે. પ્રજાને વિષે એમાંનું કંઈ નથી. ન આવી આ નગરીને વિષે, કલ્પવૃક્ષની પેઠે અથજનનાં મનવાંછિત પુરના અને શત્રુઓના સેંકડે સિન્યપર વિજય મેળવનારે શતાનીક નામને રાજ હતું. તે સમુદ્રના જે ગંભીર, મેરુપર્વત જે અચળ, વાયુના જેવો બળવાન અને સૂર્યના જે તેજસ્વી હતા. વળી તે અમૃતસમાન મધુર, ચંદ્રમા દશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #262 -------------------------------------------------------------------------- ________________ - દરિદ્રશિરોમણિ વિપ્ર સૈડુબક 24.5 શિશિર (કંડે,) બૃહસ્પતિ તુલ્ય નીતિજ્ઞ, અને રામ જે નીતિમાન હતું. પણ એનામાં એક દૂષણ હતું: પરસ્ત્રીથી દૂર રહેતા છતાં, પર (શત્રુની) રાજ્યલક્ષ્મીને નિઃશંક મને (એમની) ઈચછા વિરૂદ્ધ સંગ્રહ કર ! ત્યાં મહામૂખ અને દરિદ્રશિરોમણિ એ એક સેડૂબક નામને બ્રાહ્મણ રહેતે હતે. પિતાની સ્ત્રીની સાથે સ્થિતિને અનુસરતા ભોગ ભોગવતાં એક પુલિન્દની પેઠે મહા કષ્ટ કરીને એણે કેટલાક દિવસ નિર્ગમન કર્યો, એવામાં એની સ્ત્રીને ગર્ભ રહ્યો. ગર્ભવતી એવી તે એકદા કહેવા લાગીઘી વગેરે તમે લઈ આવે, સુવાવડમાં એ વસ્તુઓ જેઈશે. બ્રાહ્મણે કહ્યું–હે પ્રિયે, હું એ કયાંથી લાવું ? અમાસના ચંદ્રમાની પેઠે મારામાં પણ એક પણ કળા નથી. કળાહીન પણાને લીધે મને કંઈ પણ મળતું નથી; લેકમાં એ કળા જ મૂલ્યવતી ગણાય છે; જાતિ કે કુળ કાંઈપણ મૂલ્યવાળા ગણાતાં નથી. એ વખતે બ્રાહ્મણને બુદ્ધિ ઉત્પન્ન થવાથી કહેવા લાગી–તમે જઈને રાજાને વળગેએથી જ તમને લક્ષ્મી મળશે. અથીજનેનાં મનવાંછિતને પૂરવામાં શક્તિમાન હેઈને રાજાઓ જ કામકુંભ છે; (બાકી જે) કામકુંભની વાત છે તે તો અસત્ય છે. પણ આ રાજાઓ સામા માણસના ગુણ અવગુણની પરીક્ષા કરતા નથી; દેની પેઠે અત્યન્ત ભક્તિથી જ એમની મહેરબાની મેળવી શકાય છે. બ્રાહ્મણીનાં આવાં વચન અંગીકાર કરીને બ્રાહ્મણ પુષ ફળ-પત્ર આદિ લઈ જઈને મહા આદર સહિત શતાનીકરાજાની નિરન્તર સેવા કરવા લાગે. બુદ્ધિહીન જને પારકી બુદ્ધિ પ્રમાણે વર્તન કરે છે તે યે સુંદર છે. એવામાં અન્યદા ચંપાનગરીના રાજા દધિવાહન ભૂપાળે આવીને, પાળા–અશ્વ-હસ્તી આદિથી કૌશાંબી નગરીને ચોતરફ ઘેરી; પરિધિ ચંદ્રમાને ઘેરી રહ્યું છે તેમ. પણ શતાનીક રાજા કઈ હે પ્રપંચ શોધતો અંદર જ રહ્યો. કારણકે જે કાર્ય પરાક્રમથી 1. ચંદ્ર અને સૂર્યની આસપાસ ધૂમસના કુંડાળા જેવું દેખાય છે, તે પરિધિ " કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #263 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. અશક્ય હોય એ ઉપાય વડે કરવું કહ્યું છે. બહુ સમય વીતવાથી દધિવાહન રાજાના સુભટ વિષાદ પામ્યા અને એણે પણ જાણ્યું કે કૌશાંબી કિલ્લે લઈ શકાય એવો નથી. પછી એણે વષકાળને વિષે ઘણા કાળ થવાથી ઘેર જવાને ઉત્કંઠા થઈ હાયની એમ, પાછું ફરવા માંડયું. એ વખતે પુષ્પને કારણે પિલે સેડૂબક વિપ્ર ઉપવને ગયે હતું તેણે પાકી ગયેલા પત્રે વાળા વૃક્ષની જેવું, ખિન્ન થઈ ગયેલું એન્ય જોયું. એટલે સત્વર આવીને એણે શતાનીક રાજાને કહ્યું–હે સ્વામી, તમારે શત્રુ થાકી પાછા જાય છે, માટે જે તમે પ્રયત્ન કરશે તે એને પરાજય કરી શકશે; કારણકે પ્રયત્ન મોટા વૃક્ષની પેઠે સમય આવ્યે ફળે જ છે. આવું બ્રાહ્મણનું યુક્ત વચન સાંભળીને ચંપાના રાજાના સિન્યની પાછળ પિતાનું સિન્ય લઈને, શતાનીકરાજા એકદમ ચાલ્યું અને મેઘ જેમ જળને વરસાદ વરસાવે તેમ તેણે તીરને વર્ષાદ વરસાવી મૂકે. એનાથી દુઃખી થઈને ચંપાધિપતિદધિવાહન રાજાના સુભટ વૃષભે નાસે તેમ નાસવા માંડ્યા. તેથી સન્ય તજી દઈ, બહુ અલભ્ય સામગ્રી રહી હતી તે લઈને ચંપીને રાજા પિતાને નગર પહોંચી ગયે; કારણકે પિતે કુશળ (રહ્યો હોય તે સર્વ કાર્ય સિદ્ધ થાય છે. એનાં કેશ-હસ્તી આદિ ( પાછળ રહ્યાં હતાં તે ) શતાનીક રાજાએ પિતાને સ્વાધીન કયો; અથવા તે સ્વામી નષ્ટ થયે છતે એના સેવકે એ પણ શું નષ્ટ થવું ? હવે શતાનીક રાજાએ અત્યંત હર્ષ સહિત નગરીને વિષે પ્રવેશ કર્યો, પછી બ્રાહ્મણને કહ્યું–હે વિપ્ર, તું તને ગમે એ માગે. પણ નિભોગ્ય શિરોમણિ એ એ બે -“હે રાજન, હું મારી સ્ત્રીને પુછીને માગીશ; " કેમકે મૂખજને હમેશાં બીજાનાં મુખ સામું જોનારા હોય છે. પછી શ્રાદ્ધમાં જમી આવ્યું હોય એમ અત્યન્ત હર્ષ પામતો ઘેર જઈને એ બ્રાહ્મણ પિતાની સ્ત્રીને પૂછવા લાગ્યું–હે ભટ્ટિની, રાજા (આપણુ પર ) તટમાન થયા છે માટે કહે એની પાસે હું શું માગું ? બુદ્ધિની નિધાન એવી એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #264 -------------------------------------------------------------------------- ________________ 247 - મૂર્ખશિરોમણિની યાચના. બ્રાહ્મણીએ વિચાર્યું–જે હું એને ગામ આદિ માગવાનું કહીશ તે એ ઉત્તમ લાવશ્યવાળી અન્ય સ્ત્રી પરણી લાવશે અને મને વાત પણ પૂછશે નહિં; કારણકે ધનવાન લેકેની આવી જ સ્થિતિ હોય છે. માટે એને કંઈ એવું અલ્પ માગવાનું કહ્યું કે જેથી એ મને ત્યજી દે નહિં; કારણકે કયે સમજુ માણસ પિતાના જ અવોથી પિતાના ઉપર ધાડ લાવશે. પછી એણે ભટ્ટને કહ્યું-તમારે રાજા પાસે જઈને આટલું માગવું-પ્રતિદિન એમની સાથે સભા વચ્ચે ગુપ્ત વાત કરવા દે, વળી સિથી પહેલું આસન આપે, ભેજન આપે અને દક્ષિણામાં એક સુવર્ણ મહેર આપે. આટલાં વાનાં તમારે એની પાસે માગવાં. એટલે બ્રાહ્મણે જઈ રાજા પાસે એ પ્રમાણેની યાચના કરી. રાજાએ કહ્યું-અરે, તે આમાં મારી પાસે શું માગ્યું ? કલ્પદ્રુમ પાસે એક પાંદડાની યાચના શું કરી ? બ્રાહ્મણે ઉત્તર આપ્ય-હે રાજન, બ્રાહ્મણીએ કહ્યા ઉપરાંત એક હલકામાં હલકી દીવેટ પણ હું વધારે માગતા નથી. હે મહીપતિ, પાણું પણ મારી બુદ્ધિમતી બ્રાહ્મણ કહે છે તેટલું જ હું પીઉં છું. એજ મારો પરમ મિત્ર છે, એજ પરમ દેવતા છે, એજ મારું સર્વસ્વ છે, અને એજ મારું જીવિત છે. રાજાએ પણ વિચાર્યું એ મૂર્ખ આટલી જ કૃપાને લાયક છે. પાણુની ડેલ છે તે સમુદ્ર પાસેથી પણ પિતામાં સમાઈ શકે એટલું જ ડુણ કરે છે. એવો વિચાર કરીને તથા એને બાજુ સ્વભાવ જોઈને, એણે જે યાચના કરી હતી તે સર્વે એને આપી. એ (બ્રાહ્મણ) પણ રાજા સાથે વાતચિત કરવાનું મળવાથી તથા અગ્રાસને બેસીને ભોજન કરતા હોવાથી અને ઉપરાંત એક સુવર્ણ મહારની દક્ષિણ મેળવતો હોવાથી એની સંભાવના થવા લાગી. રાજાને માનીત હોવાથી લેકે પણ નિત્ય એને બેલાવવા લાગ્યા. જેના પર રાજ સંતુષ્ટ થાય છે એને કલ્પવૃક્ષ પણ ફળે છે. દક્ષિણાના લેભથી એ બ્રાહ્મણ તે જમેલું પુનઃ પુનઃ વમન કરવા લાગે અને પાછું જમવા લાગ્યો કારણકે બ્રાહ્મણને કિંચિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #265 -------------------------------------------------------------------------- ________________ 248 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. પણ યોગ્ય લેભ નથી હોત. દક્ષિણામાં ઘણું દ્રવ્ય મળ્યું એથી એને બહુ જ સારું થયું અને તરૂવરમાંથી શાખા નીકળવા માંડે એમ એનું કુટુમ્બ વિસ્તાર પામવા લાગ્યું. પણ અજીર્ણ આહાર અને વમનને લીધે કાચેરસ ઉપર ને ઉપર રહેવાથી એને ત્વચામાં વિકાર થયે કારણકે જેવી ક્રિયા હોય છે, તેવું જ ફળ પ્રાપ્ત થાય છે. પ્રતિકાર નહિ કરવાથી એને વ્યાધિ વધે. વર, વ્યાધિ, વ્યાણ અને અગ્નિ-એ ચારે વાનાં સરખાં છે. એની નાસિકા આગળથી બેસી ગઈ, એના હસ્ત અને ચરણ ફાટી ગયા અને એને સ્વર તુટી ગયે, તે પણ અતૃપ્તની પિકે એણે રાજાની સાથે પાંચે ઈન્દ્રિયેના ભેગોપગ શરૂ રાખ્યા; કારણકે એવા ભૂખાળ લેકેને લેશ પણ શરમ હોતી નથી. એ જોઈ મંત્રીઓએ તે રાજાને કહ્યું-આ કુષ્ટરોગ છે તે ચેપી રોગ છે; માટે ભેજન વગેરેમાં એની સાથે સંબંધ રાખવે એ યુક્ત નથી; એવું હેત શા કામનું કે જેથી પિતાને વિનાશ થાય ? માટે હે સ્વામી, આના નરોગી પુત્ર છે એમના માંના કેઈને એને સ્થાને રાખે, આદેશીને સ્થાને આદેશ રાખવામાં (મૂકવામાં ) આવે છે તેવી રીતે. મહીપતિએ એ વાતની હા કહી એટલે મંત્રીઓએ વિપ્રને કહેવરાવ્યું કે-હવે તારે રાજમહેલમાં પિતે ન આવતાં તારા પુત્રને મોકલવા. તું ઘરમાં જ સારે છે. એ સાંભળી અત્યન્ત ખિન્ન થયેલો એ બ્રાહ્મણ પછી પિતાના પુત્રને રાજમંદિરમાં મોકલવા લાગે. વ્યાધિએ તો અતિ ઉગ્રરૂપ ધારણ કર્યું એટલે વળી પુત્રએ પિતાને ઘરની બહાર એક કુટીર ( ઝુંપડી) કરાવીને એમાં રાખે, ત્યાં એ એકલે કેવી રીતે રહી શકશે એમ વિચારીને જ હેયની એમ એની આસપાસ પુષ્કળ માખીઓ બણગણવા લાગી. એક જૂના પુરાણ ખાટલામાં પડ્યો પડ્યો તે બબડતે તેને કોઈ ઉત્તર પણ આપતું નહીં; તો કહ્યું કરવાની તો વાત જ શી ? એના પુત્ર એની આજ્ઞા ન પાળતા એટલું જ નહિ પણ એની સામા ઉલ્લંડ રાત સુદ્ધાં કહેવા લાગ્યા. વળી પુત્રવધુઓ પણ કાષ્ટના પાનમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #266 -------------------------------------------------------------------------- ________________ કૃતની પુત્રને પ્રપંચી પિતા. 248 તછ આહાર દઈને કુતરાને નાખે એમ અવજ્ઞાથી એને આપવા લાગી; અને ધિક્કાર છે એમને કે નાક મચકેડતી, મુખ બગાડતી, ખભા મરડતી અને ત્રાંસી આંખે જેતી થુંકવા લાગી. એવાં વધુઓનાં આચરિત જોઈ વિપ્રે વિચાર્યું-એઓ ભલે એવી ચેષ્ટાઓ કરે; મારે પારકી પુત્રીઓને શે દેષ કાહાડો? આ મારા પુત્રોને જ એમાં દોષ છે કે જેઓ મારી જ સંપત્તિ લઈને મારે જ મસ્તકે પગ મુકવા તૈયાર થયા છે ! અથવા તળાવની કૃપાથી એમાં રહેલું જળ વૃદ્ધિ પામે છે ત્યારે એ તળાવના જ કિનારાને તોડી નાખે છે ! વળી સુવર્ણ સમાન તેજસ્વી એ જે અગ્નિ જે કાષ્ટ્રમાંથી ઉત્પન્ન થાય છે તે કાષ્ટને જ પ્રથમ બાળી નાખે છે. માટે આ કૃતના પુત્રને મારા અપમાનનું ફળ સત્વર દેખાડું જેથી મારું વેર વળે. આ પ્રમાણે વિચાર કરીને સર્વ પુત્રને બોલાવી એણે કહ્યુંઆ કુષ્ટ રેગને લીધે દુઃખી થવાથી મને વિરક્તભાવ ઉત્પન્ન થયે છે. માટે હવે આપણે કુળાચાર કરીને હું પ્રાણત્યાગ કરવા ઈચ્છું છું. એ સાંભળીને પુત્રો તે જાણે અમૃતનું પાન કરતા હાયની એમ હર્ષ પામ્યા. “બહુ જ સારું થયું કે એ મરવાને તૈયાર થયા છે; વગર ઔષધે વ્યાધિ જતો હોય તો ભલે જાય.” એમ વિચારીને કહેવા લાગ્યા...હે તાત, અમને આજ્ઞા આપ; આપનું કહ્યું કરવાને અમે તૈયાર છીએ. પિતાએ કહ્યું-એક પુષ્ટ અંગવાળા છાગ (બોકડા) ને તમે અહીં લઈ આવે તેને વિવિધ મોથી પવિત્ર કરીને હું તમને સોંપીશ. પછી તમે તેને સે સાથે મળીને ભક્ષણ કરો કે જેથી આપણે કુળને વિષે શાન્તિ અને આરોગ્ય થશે. “હે પ્રિય, આજે બળદને પ્રસવ થયે છે. એમ લકે કહેતા તે તે વાતને પણ સત્ય માનનારા એવા ભેળા) સેબકે પણ કોણ જાણે કેમ આ વખતે પ્રપચ રઃ અથવા તે કેને શિક્ષા વિના પોતાની પાપબુદ્ધિની ખબર પડતી નથી. પેલા પુત્રોએ તો પિતાને પ્રપંચ નડુિં સમજીને એના કહેવા પ્રમાણે g : LIV/ Jun Gun Aaradhak Trust Page #267 -------------------------------------------------------------------------- ________________ 250 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. પશુ આને એને આપે; અથવાતો યુવાનોને મતિ ક્યાંથી હોય? સેડબકે પશુને અન્નની સાથે પિતાના અંગમાંથી નીકળતું મળ-પરૂ આદિ પણ આપવા માંડ્યું. એમ કરતાં જ્યારે પશુની સાતે ધાતુઓ મહા કુષ્ટરોગે ભેદી નાખી ત્યારે એને મારી નાખીને વિપ્રે પિતાના પુત્રોને સેં. એમણે પણ પિતાને અભિપ્રાય નહિં સમજીને એ પશુનું ભક્ષણ કર્યું. એટલે પિતા જાણે કૃતાર્થ થયે હાયની એમ આનન્દ પામવા લાગ્યો. એણે પુત્રોને કહ્યું-હું હવે નિશ્ચિત થયે છું એટલે કે તીર્થસ્થળે જાઉં છું. આ જન્મને તે આમ અંત આવ્યે માટે હવે અન્ય જન્મ કરવાની મારી ઇચ્છા છે. પુત્રોને આ પ્રમાણે કહીને સંબક બ્રાહ્મણ સપના રાફડામાંથી ભાગી નીકળતો હોયની એમ ઘર થકી ચાલી નીકળ્યા. ચાલતા ચાલતાં અસંખ્ય ભયાનક જાનવરવાળા એક અરણ્યમાં આવી પહોંચે. માર્ગના શ્રમથી થાકેલા અને સૂર્યના તાપથી અકળાઈ ગયેલા ડુબકને, એના કુષ્ટરોગની સાથે સ્પદ્ધો કરતી હોયની એવી તૃષાએ મુંઝ. પાણી પાણું કરતે આમ તેમ ભટકતો હતો એવામાં એના જીવિતવ્યની આશા સમાન એક પાણુને ધરે એની દૃષ્ટિએ પડયે. તીરપર ઉગેલાં હરીતકીખદીર-આમળા-લીંબડા–બાવળ વગેરે વૃક્ષોનાં પુપ અને ફળ એ, ધરાના અત્યન્ત તપી ગયેલા જળમાં પડ્યા કરતાં હોવાથી એ જળ જાણે કવાથ [ઉકાળા જેવું દેખાતું હતું. એવું જળ પણ સેડુબકે અમૃત સમાન માનીને પીધું: પ્રસ્તાવ એટલે અમુક અવસર જ ખરેખર વસ્તુઓને અમુલ્યપણું બક્ષે છે. જેમ જેમ એ જળ પુનઃ પુનઃ પીવા લાગ્યા તેમ તેમ એને વિરેચન થવા લાગ્યું અને શરીરમાંથી કૃમિઓ બહાર નીકળવા લાગ્યા. તેણે આ પ્રમાણે નિરન્તર કરવું શરૂ રાખ્યું તેથી અલ્પ સમયમાં એની કાયા સુવર્ણની સમાન અત્યન્ત દેદીપ્યમાન થઈ ગઈ. પિતાના શરીરની એ પ્રકારની કાન્તિ જોઈને તે અન્તઃકરણને વિષે અત્યન્ત હર્ષ પામવા લાગ્યું કે મેં સ્વપ્નને વિષે પણ આરેગ્યતા પ્રાપ્ત થશે એવું ધાર્યું હતું. મહા P.P. Ac. GunratnasuPPM.S. SUNRed Page #268 -------------------------------------------------------------------------- ________________ વિધાતાની અનુકુળતા દેહ જ સ્વર્ગ. 251 બળવાન એ વિધાતા અનુકુળ હોય છે ત્યારે ન ધાર્યું હોય એવું બને છે અને તે પ્રતિકુળ હોય છે ત્યારે ધાર્યા કાર્ય પણ પડ્યાં રહે છે. માટે હવે મારા કૌશામ્બીન લેકેને મારી આ શરીરની કાન્તિ નજરે પાડું, કારણ કે જ્યાં સુધી લેકે દેખે નહિ ત્યાં સુધી ગમે એવી શ્રેષ્ઠ શાભા હોય તેથી પણ શું? વળી મારા કુપાત્ર પુત્રેની શી દશા થઈ છે એ પણ હું જોઉં કારણ કે ભાગ્યશાળી પુરૂષે જ પોતાના ઉદાર પામોને નજરે જુએ છે ! એમ વિચારીને પાછો વળી નગરી ભણી ચાલ્યું. નગરમાં પ્રવેશ કર્યો એટલે નગરવાસીઓ એને વિકસ્વર નેત્રોથી જોઈ રહ્યા, અને કહેવા લાગ્યા “અહો ! આ વિપ્ર કયાંથી આવે તદ્દન નીરોગી થઈ આવે? તારી સ્થીતિ બદલાઈ ગયેલી જોઈને અમને અત્યન્ત આશ્ચર્ય થાય છે! " બ્રાહ્મણે એમને ઉત્તર આપે-નિરન્તર એકાગ્ર ચિત્તે ઉત્તમ તીર્થની સેવા થી મને દેવ પ્રસન્ન થયા અને એણે મારો વ્યાધિ દૂર કર્યો. અથવા તે-દેવતા પ્રસન્ન થાય છે તે આ દેહુ જ સ્વર્ગ બનાવી દે છે. લેકે કહેવા લાગ્યા–અહે ધન્ય છે આ વિપ્રને કે દેવતાની કૃપા એણે પ્રાપ્ત કરી ! આમ પ્રશંસા પામતા સેડૂબકે પિતાના ઘરમાં પ્રવેશ ક, તો અનેક કીડાઓથી ખવાઈ ગયેલા પત્રવાળા વૃક્ષની જેમ મહા વ્યાધિથી પીડાતા એના પુત્રો એની નજરે પડયા. અત્યન્ત હર્ષ સહિત પિતાએ પુત્રોને કહ્યું- હે કુપુત્રો, તમે મારી અવજ્ઞાનું પૂરેપૂરું ફળ ભેગવે. એ સાંભળી પુત્રી કહેવા લાગ્યા-હે તાત, તમે આવું નિર્દય આચરણ તમારા જ પુત્રો પ્રત્યે કેમ કર્યું ? તમારી બુદ્ધિ ચળી ગઈ છે! તમે આવું કુકર્મ કરતાં પાપથી પણ ડયી નહિં અથવા તમારા આ પળીઓથી પણ લજ્જા પામ્યા નહિં ? એ સાંભળી પિતા પણ હોટેથી આકોશ કરી બોલ્ય---અરે દુટો ! તમારા પિતાનાં કાર્યો તે તમે સંભારે કે તમે તમારા પિતાને પણ કેવી રીતે એક શ્વાનની પેઠે પરાભવ કર્યો છે! તમારા પિતાના જ પાપને લીધે ભય ને લજજા બેઉ જતા રહ્યા છે તેથી જ તમે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #269 -------------------------------------------------------------------------- ________________ ર૫ર અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. જેના થકી આ ઉચ્ચ પદવીને પામ્યા છે એવા મને બહુ વિડંબના પમાડી છે ! અથવા તે લેકે પારકા અપ દેષને મહેટા રૂપમાં જુએ છે અને પોતાના પર્વત સમાન મહાન દોષ હોય છે તેને ભાળતા જ નથી. વળી તમે બ્રાહ્મણને કે વણિકને દંશ જાણતા નથી લાગતા તેથી જ તમે મારા ઉપર એટલી આફત ગુજારી હતી. તે હવે જાણુજે કે મારા જેવા કે તમારા જેવા ઉચ્ચ પદવાળાની આ સ્થિતિ કરી છે ! અથવા એક કાંકરી પણ ઘડો ફેડે છે. પુત્રોની સાથે આ પ્રમાણે પિતાને કલહ કરતો જોઈને લકે કહેવા લાગ્યા–આ તો મુગ્ધ-બાળક હતા એમણે તો ભૂલ કરી, પણ તે જાણતાં છતાં ( જાણું જોઈને ) કેમ ભૂલ કરી ? એક જણ કુપને વિષે પડે તેથી બીજાએ પ શું એમ કરવું ? શું તે નથી સાંભળ્યું કે પુત્ર કુપુત્ર થાય પણ પિતા પિતા ન થાય? આ પ્રમાણે સર્વ લેકે એકમુખે એ ડુબકની નિન્દા કરવા લાગ્યા અથવા તો લેકે તે ક્ષણમાં સ્તુતિ કરે છે અને ક્ષણમાં નિન્દા પણ કરે છે. પછી લેકેના તિરસ્કારને લીધે સેડૂબકે કશામ્બી નગરી ત્યજી દીધી; કારણ કે જનાપવાદના ભયથી રામે પણ સીતાને ત્યજી દીધી હતી. ( શ્રી વિરપ્રભુ શ્રેણિક રાજને કહે છે ) ( શ્રેણિક રાજા, શામ્બી નગરી પડતી મુકીને એ સેડૂબક વિપ્ર ચાલી નીકળે તે તારે નગર આવ્યા ને આજીવિકાને અથે તારા દ્વારપાળને આશ્રય લઈને રહ્યો; કારણ કે વિદેશને વિષે ધનહીનની એવી જ વૃત્તિ હોય છે. હે રાજા, જિનના વિઠારથી જ લેકોપર ઉપકાર થાય છે માટે વિચરતા વિચરતા અમે એકદા આ નગરમાં પણ આવ્યા હતા. તે સમયે તારે દ્વારપાળ સેબકને “તારે હું આવું ત્યાંસુધી આ સ્થાનેથી જવું નહી " એમ કહીને મને વંદન કરવા આવ્યે. પણ પાછળ સેડૂબક બ્રાહ્મણ જાણે કાળમાંથી આવેલ રાંક ભિક્ષક હેયની એમ કુળદેવીને શહેરીઓએ ચઢાવેલ બળિ ખાવા લાગે. અતિલુપ હતા તેથી તેણે કઠપર્યન્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #270 -------------------------------------------------------------------------- ________________ સેતુબકને ઉત્તર ભવ. 253 ખાધું તેથી અને વળી ગ્રામ કાતુને ઉત્કટ તાપ હતું તેથી તેને બહુજ તરસ લાગી. એટલે એને વિચાર છે કે આ જળચરે જે છે એમને પૂરાં ભાગ્યવાન સમજવાં કે એઓ વિશ્વના જીવનભૂત એવા જળને વિષે જ પ્રથમ ઉત્પન્ન થાય છે. વળી ત્રિદિવસ જળને વિષે જ રહ્યાં છતાં એઓ યથારૂચિ જળ ઉપર તરી આવે છે, અંદર ડુબકી મારે છે અને આડાઅવળા પણ ફર કરે છે. એટલું જ નહિં પણ આવું અમૃતસમાન થંડુ જળ નિરન્તર પીએ છે અથવા તે “અમૃત " તે ફક્ત વાર્તામાં જ છે; આ જળ છે તેજ અમૃત છે. આમ વિચારતો એ તૃષાતુર છતાં પણ દ્વારપાળના ભયથી કેઈ જળાશયે જળ પીવા ગયે નહીં. અહે! સેવકનું જીવતર ખરે કષ્ટદાયક છે. તૃષાથી પીડાતે ગરીબ બિચારો જળ, જળ એમ બૂમ પાડવા લાગ્યા, મંદબુદ્ધિ શિષ્ય લેકાદિ ગોખવા મંડી જાય તેમ. તૃષાને દુઃખે મૃત્યુ પામીને એ નગરની બહારની વાવમાં એક દેડકો [ ઉત્પન ] થયે કારણ કે જે લેશ્યામાં જન્તુ મૃત્યુ પામે છે એજ વેશ્યામાં એ ઉત્પન્ન થાય છે. હે રાજનૂ, (વીરપ્રભુ શ્રેણિકમહીપતિને સંબોધી કહે છે) અમે પાછા ફરતા ફરતા તારા જ નગરને વિષે આવ્યા, જાણે એ દેડકાના કેઈ મડદુભાગ્યથી આકર્ષાઈને હાયની એમ. તે વખતે સર્વ લોકો અમને વંદન કરવા આવતા હતા ત્યારે વાવમાંથી પાણી ભરવા આવેલી પનીહારીઓમાં આવા પ્રકારનો સંલાપ થયે - એક બોલી, અરે બહેન, આજે શું કઈ મકાનૂ ઉત્સવ છે કે જેને લીધે સર્વ લેકે એક સાથે હર્ષમાં જતા જણાય છે? ત્યારે બીજી આક્ષેપ સહિત કહેવા લાગીઅરે તું તો કઈ ગર્ભ શ્રીમંતની પુત્રી છે અથવા તો કેવળ મૂખ છે કે એટલું જાણતી નથી. ! સુરેન્દ્રો સુધ્ધાં સેવકજનની પેઠે જેમના ચરણને વિષે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે એવા શ્રીમાન મહાવીર ઉદ્યાનને વિષે પધાયો છે. એવા એ મહાવીર જિનને તું નથી જાણતી તો એમજ સમજજે કે તું કાંઈ પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #271 -------------------------------------------------------------------------- ________________ ર૫૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. નથી જાણતો; કારણ કે મહા તેજસ્વી સૂર્યમંડળને ઉદય થાય છે ત્યારે મંદનેત્રવાળાને પણ એની ખબર પડે છે. પનહારીઓના આવા સંલાપ સાંભળીને જેને સંજ્ઞા થઈ એ એ દેડકો વિચારવા લાગ્ય-મેં પૂર્વે કયાંય નિશ્ચયે “મહાવીર એવો શબ્દ સાંભળ્યું છે. ઉહાપોહ કરતાં એને પિતાને પૂર્વભવ સમરણમાં આવ્યું તે જાણે એને ભવિષ્યમાં થનારા પ્રતિબંધની વાતને નિવેદન કરવાને હેયની ! દ્વારપાળ મને દરવાજો સંપીને તે વખતે જેમને વંદન કરવા ગયે હતું તેજ આ મહાવીર પધાર્યા છે. માટે આ લેકે એ જિનેશ્વરને વંદન કરવાને જાય છે એમ હું પણ જાઊં, કારણ કે તીર્થ તો સિનું છે. એમ વિચારીને એ દેડકે કુદત કુતો અમને વંદન કરવાને આવવા નીકળે એવામાં માર્ગને વિષે, હે રાજન, તારા અવની ખરી નીચે દબાઈ ગયે; અને મૃત્યુ પામ્યા. મરણ સમયે શુભ ધ્યાન રહ્યું એથી એ દેવનિને વિષે ઉત્પન્ન થયે છે અને દરેક એવું એનું સાર્થક નામાભિધાન છે. ભાવ થકી તો એ સૂર્ય સમાન છે; એની ક્રિયા જ એક ખદ્યોત (પતંગીઆ) જેવી છે. આ વખતે દેવતાઓની સભામાં, હે રાજન્ , ઈંદ્ર તારી પ્રશંસા કરી કારણ કે ગુણીજનેને પરના ગુણેપરે પક્ષપાત હોય છે. છેકે એમ કહ્યું કે- આ વખતે ભરતક્ષેત્રને વિષે શ્રેણિક રાજા જે કઈ શ્રાવક નથીઃ મણિ તે બહુ છે પરંતુ ચિન્તામણિ તુલ્ય કઈ મણિ નથી. એ શ્રેણિકને સુર તેમજ સુરેન્દ્ર-કઈ પણ જૈન ધર્મથી ચળાવવાને સમર્થ નથી. જેવી રીતે જિનેશ્વર ભગવાનના વચનને ગુરૂકમાં પ્રાણી સત્ય માનતું નથી, તેવી રીતે એ રાંકદેવે અંકે કરેલી વાતને સત્ય માની નહિં તેથી એ ( દરાકદેવ) આ તારી પરીક્ષા કરવાને આ હતો. એણે અમારા ચરણપર ગશીર્ષચન્દનનું વિલેપન કર્યું છે પરંતુ તારી દૃષ્ટિને મેહ પમાડીને અન્ય દેખાડ્યું છે. શ્રેણિક રાજાએ પુનઃ કહ્યું- હે ભગવંત, એ વાત તે હું સમજે, પણ ત્યારે એણે જે મંગલિક અને અમંગલિક શબ્દો કહ્યા અને હેતુ શું સમજે તે જણાવશે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #272 -------------------------------------------------------------------------- ________________ કલ્પદ્રુમ છતાં દારિદ્રય ? 255 ભગવાને કહ્યું–એણે “મરે” એમ કહ્યું તે એવા અભિપ્રાયથી કે આ ભવને વિષે રહેતાં તે કષ્ટ જ છે અને મૃત્યુ પછી મને મોક્ષ મળવાને છે તો મેક્ષ પ્રાપ્ત થાય માટે મરો” એમ કહ્યું છે. વળી હે રાજનૂ, તને આ જન્મમાંજ સુખ છે; મૃત્યુ પછી તો નરક મળવાનું છે, માટે જ તને એણે “જીવો” એમ કહ્યું છે; અને અભયકુમારને બેઉવાના કહ્યાં એ એવા અભિપ્રાયથી કે એ આ જન્મમાં ધર્મકાર્યો કરે છે અને મૃત્યુ પછી અન્યજન્મમાં પણ એ દેવગતિમાં જવાનું છે. માટે એ છે કે મને એ બેઉ સરખું છે. કાળશારિકને એણે બેઉ વાનને નિષેધ બતાવે એ એવા અભિપ્રાયથી કે આ જન્મમાં એ પાપકર્યો કરે છે અને મૃત્યુ પછી એ સાતમી નરકે જવાનું છે. શ્રી વીરપરમાત્માએ દરેક દેવનાં આચરિત વિષે ખુલાસો કરતાં શ્રેણિક રાજાની નરકગતિ થવાની કહી એ સાંભળીને એને કંપારી છુટીઃ અથવા તો નરકની વાત સાંભળતાંજ ભય ઉત્પન્ન થાય છે, તો એ દુઃખ ભેગવવા પડવાનું સાંભળીને થાય એમાં શું આશ્ચર્ય ? શ્રેણિકરાજાએ પૂછવું–હે જગન્નાથ, આપ જેવા મારા સ્વામી છતાં મારે નરકગતિ કેમ ? કલ્પદ્રુમ છતાં દારિદ્રય હાય નહીં. પ્રભુએ ઉત્તર આપ્ય—હે મહીપતિ, તે નરકનું જ આયુષ્ય બાંધ્યું છે; માટે તારે ત્યાં જ જવું પડશે; એ વિષયે અન્યથા સમજવું જ નહિં. હે રાજન, નિકાચિત કર્મ જે છે તેને અન્યથા કરવાને દેવ, દાનવ, ચકવર્તી કે અમે પિતે પણ સમર્થ નથી. જેમ મુનિની પાસે મહાબાહ રાજા કે રંકને વિષે જરાએ અંતર નથી તેમ એ કમની પાસે પણ નથી. હે નરપતિ, તું ભવિષ્યમાં થનારા વીશ જિનેશ્વરમાં પ્રથમ પદ્મનાભ નામે જિનેશ્વર થવાને છું માટે વૃથા ખેદ કર રહેવા દે. પણ શ્રેણિકભૂપતિએ પુનઃ વિજ્ઞાપના કરી કે- હે ભગવંત જેમ દુઃસાધ્ય એવા પણ સનિપાતને વિષે ઉત્તમ વૈદ્ય બુદ્ધિથી વિચાર કરીને ઔષધ આપે છે તેમ નિર્મળ કેવળજ્ઞાનરૂપી લોચનવાળા આપ મને દુર્ગતિથી છુટાવનાર કોઈ Ganratnasu M.S. Jun Gun Aaradhak Trust Page #273 -------------------------------------------------------------------------- ________________ 256 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. ઉપાય બતાવે. એ સાંભળીને તીર્થકર મહારાજા પણ સમાધાનને માટે બેલ્યા- કપિલા બ્રાહ્મણી પાસે તું સાધુઓને દાન દેવરાવ અને કાળકરિકને (પ્રાણીઓને) વધ કરતો અટકાવ તો તારે નરકવાસ મટે. પણ અમને તે નિશ્ચય છે કે સોમનાથ મરવાને યે નથી; અને આચાર્ય એને કાષ્ટની ચિતા પર બેસાડવાના યે નથી. ' જિનેશ્વર ભગવાને કહેલી આ વાક્યાવલીને સંજીવિની સમાન સમજી એમને પ્રણામ કરીને મગધેશ્વર શ્રેણિક રાજા પિતાના નગર ભણું પાછો વળે. એ વખતે એજ દરેક દેવે એની પરીક્ષા કરવાને એને માયાવડે, જાળ નાંખી મત્સ્ય પકડતો એક મુનિ દેખાડે. એ મુનિને જોઈ એને બેલાવીને રાજાએ પૂછયું-આ શું આદર્યું ? મુનિએ ઉત્તર આપે આ મા વેચીને મારે એક ઉત્તમ કાંબળી લેવી છે. એ કાંબળી હું શરીર પર ઓઢીને વષોકાળને વિષે અપૂકાય જીવોની રક્ષા કરીશ. કારણકે દયા એજ ધર્મનું મૂળ છે. રાજાએ વિચાર્યું–આ મુનિ મુગ્ધ બુદ્ધિવાળા એટલે મૂખ જણાય છે કે એકેન્દ્રિયની રક્ષાને અથે પંચેન્દ્રિયને વિનાશ કરે છે. અલ્પ પાપનો ભય રાખે છે અને પડે છે તે તે બહુ બહુ પાપમાં; હવાડાથી હીએ છે, ને પડે છે કુવામાં. પછી એ મુનિને રાજાએ કંબળ અપાવી; કારણ કે શાસનની હીલણ થતી અટકાવવાને કુપાત્રને પણ ( દાન) . દેવું કહ્યું છે. આગળ ચાલતાં રાજાને દેવતાએ (માયાવડે ) એક ગર્ભવતી સાધ્વી દેખાડી કે જે દુકાને દુકાને કંઇ દ્રવ્ય માગતી હતી. આવી સ્થિતિમાં સાધ્વીને જોઈને રાજાને અત્યન્ત ખેદ થ; કારણકે આવું અગ્ય જોઈને યે શ્રાવક ન દુહવાય ? આ બીજી શાસનની હીલણ ઉત્પન્ન થઈ એ–ખેતીમાં જળના દુકાળને શમાવે ( 0 નું શમન કરે ) ત્યાં તેમાં તીડ આવવા જેવું થયું. આવી સાધ્વીઓ ભગવતી દીક્ષા ગ્રહણ કરીને પણ એને કેમ વૃથા ગુમાવે છે એમ ચિન્ડવીને રાજાએ એ સાધ્વીને બેલાવીને કહ્યું. એક અકાર્ય કરીને પુનઃ પાછું n એને શા માટે P.P. Ac. Gunnasun M.S. Page #274 -------------------------------------------------------------------------- ________________ સત્વવંત રાજા–દેવતાની અનુપમ ભેટ. ' ર૫૭. ખુલ્ય બતાવવું પડે છે ? માંસ ખાઈને પાછાં અસ્થિ કેઈ ગળે બાંધે ખરાં? તારું સર્વ કાર્ય હું નીવેડી આપીશ એમ કહીને રાજાએ સાવીને ગુપ્ત પ્રચ્છન્નપણે રાખી; કારણકે પોતાની જાંગ ઉઘાડતાં માણસ પોતે જ લજવાય છે. પ્રસવકાળ નજીક આચ્ચે સર્વ કળાના જાણ એવા નૃપતિએ પિતે એનું સૂતિકર્મ કર્યું કારણકે એ સમય એવો હતો. એની એવી દુર્ગન્ધ છુટી કે નાસિકા ફાટી જાય; તે પણ શાસનના રક્ષક એવા રાજાને એના તફ અભાવ ન થયે. વળી પ્રસવ થતાં જ બાળકે દેવતાની માયાવડે એટલું ગાઢ રૂદન કરવા માંડયું કે ત્રણ ત્રણ શેરી સુધી તે સંભળાવા લાગ્યું. એ જોઈને શ્રાવકશિરોમણિ નરપતિ અત્યન્ત દુઃખી થયે. એ કહેવા લાગ્ય-ઉપાય ચાલ્યા ત્યાંસુધી તે અત્યારસુધીનું સર્વ મેં ગુપ્ત રાખ્યું; પણ હવે કાંઈ બુદ્ધિ સુઝતી નથી તો આ કેમ કરીને હવે ગુપ્ત રહેશે ? અથવા તે આકાશ ફાટયું તે તેનાથી સાંધી શકાય ? | (દેવતાએ પિતાની માયાવડે બહુ બહુ પ્રકારે પરીક્ષા કરી તે સર્વમાં ) રાજાની પૂર્ણ દૃઢતા જાણીને પેલા દેવતાએ પિતાનું રૂપ પ્રકટ કર્યું અને એ હર્ષ સહિત બો–હે રાજન , દેવતાઓની સભામાં ઈજે તને જે પ્રશસ્ય છે તે જ તું છે; અથવા એથી પણ અધિક છે. પ્રકાશ કદિ અન્ધકાર થઈ જાય; મેરૂ પર્વત કદિ ચલાયમાન થાય, જળ કદિ અગ્નિરૂપ થાય, અમૃત વિષ થઈ જાય, અથવા સૂર્ય કદિ પશ્ચિમ દિશામાં ઉદય પામે; તોપણ, હું સત્વના ભંડાર, તું કદિ પણ સમ્યકત્વથી ચલિત થવાનું નથી. સમુદ્રના મહિમાનો પાર પામી શકાય પરંતુ તારા મહિમાને પાર સર્વથા અલક્ષ્ય જ છે. મારા જેવા તારૂં કયા પ્રકારનું સન્માન કરી શકે એમ છે? તોપણ હું કઈક તારૂં સન્માન કરવાને ઇચ્છું છું. તેથી હું તને આ હાર અને આ બે ગેળા આપે છું તેને તું સ્વીકાર કર. એમાં આ હાર જે છે તે ત્રુટશે તો એને જે સાંધશે તેનું મૃત્યુ થશે. એમ કહીને એ બે ગેળાઓ અને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #275 -------------------------------------------------------------------------- ________________ 258 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. હાર રાજાને આપીને ક્ષણમાં જતો રહ્યો. ( એ ત્રણ વસ્તુઓમાં) એકલા એક હારનું જ મૂલ્ય મગધના રાજ્યના મુલ્ય જેટલું હતું. આ પછી રાજાએ કપિલાને બોલાવીને શૈરવ સહિત કર્યું છે શુદ્ધમતિ, તું મુનિઓને આદર સહિત ભિક્ષા આપ. તું જે કંઈ માગીશ તે સર્વે હું તને આપીશ. કારણકે મુનિદાન જે છે તે ઉત્તમ છે. કપિલાએ કહ્યું- હે રાજા, તમે મને કદાપિ સર્વ સુવર્ણમય બનાવી તે પણ હું એ કરવાની નથી; કારણકે મેં આટલો બધો કાળ મારા આત્માને મુનિદાનથી કલંકિત કર્યો નથી તે હવે થોડા માટે કેણ એ દૂષણ હરી લે ? રાજાએ એને પત્થર સમાન કઠેર જાણીને પડતી મુકી. પછી એ કાળારિક કસાઈને કહ્યું-તું તારી પ્રાણવધ કરવાની વૃત્તિ પડતી મુક. તું દ્રવ્યને અર્થે એવું પાપકાર્ય કરે છે તે ચાલ, હું તને એટલું બધું દ્રવ્ય આપું કે તું કુબેરભંડારીની જેવો થઈ જા. પેલાએ કહ્યું–આ મારી વૃત્તિ કેવી રીતે પાપરૂપ કહેવાય ? એનાથી તો નિરન્તર પુષ્કળ પ્રાણીઓ હયાતિ ભેગવે છે ( જીવે છે ). માટે એને હું કેવી રીતે ત્યજી શકું ? મારી એવી ઈચ્છા છે કે એ ને એ જ મારી વૃત્તિમાં મારું મૃત્યુ થાય. રાજાએ " એ પાપી આ પાપ ક્યો કરતો કઈ રીતે અટકવાને નથી " એમ વિચારીને એને નરક સમાન કુવામાં નંખાજો. હે પાપી, પ્રાણીઓને વધ કરે છે એથી તું નરકને વિષે જ જઈશ એમ કહી કહીને એને આખો દિવસ અને રાત્રી ત્યાં રાખે અને જઈને ભગવંતને વાત કરી કે એ કાળશાકરિક પાસે એની વૃત્તિ છેલ્લા આઠ પહેર થયાં તે પડતી મુકાવી છે. પણ જિનેશ્વર ભગવંતે કહ્યું- હે રાજન, એણે તે કુવામાં રહ્યા છતાં પણ માટીના પાંચસો પાડા બનાવીને એમને વધ કર્યો છે. હે મહીપતિ, આ કાળારિક અને કપિલા બેઉ અભવિ છે. અમેશ્ચ (મળ) અને લસણની પેઠે એ બેઉ પિતાને મૂળ સ્વભાવ ત્યજવાના નથી. બનવાની વસ્તુ અવશ્ય બને જ છે. અન્યથા થતી નથી. આ પ્રમાણે પ્રભુને પ્રતિબંધ પામીને રાજ નમન કરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #276 -------------------------------------------------------------------------- ________________ આપે તેવું મળે-વાવે તેવું લણે. 259 સ્વસ્થાનકે ગયે. ભગવાન્ વીરજિનેશ્વર પણ ભજનને પ્રતિબોધ પમાડવા અન્યત્ર વિહાર કરી ગયાઃ અથવા તો સૂર્યને સર્વ જગતપર પ્રકાશ કરવાને છે. હવે કેટલેક કાળે પેલા કાળશારિકને મૃત્યુ પાસે આવ્યું, કારણ કે પ્રાણી માત્રની એ જ પ્રકૃતિ છે. હંમેશાં પાંચસો પાંચસે પાડાને વધ કરવાથી એણે જે પાપ બાંધ્યું હતું તે હવે આવીને ઉભું રહ્યું. એના પ્રભાવથી એના શરીરમાં મહાન વ્યાધિઓ ઉત્પન્ન થયા એની એને વ્યથા થવા લાગી. અથવા તે જેવું આપ્યું હોય તેવું જ મળે છે. તે માતા, હે પિતા, હે આજ્ઞાંકિત સુલસ, હું વગર રક્ષાએ મૃત્યુ પામું છું-એમ એ વારંવાર આકંદ કરવા લાગ્યા; અને એની પાસે બેઠેલા બીજાઓ પણ એના દુઃખે દુઃખી હોઈને આંસુ લાવીને રૂદન કરવા લાગ્યા. એને પુત્ર સુલસ તો પોતાના પિતાને સુખ વતાય એટલા માટે વેણુ-વીણા-મૃદંગ આદિ વાત્રેવડે, અને અત્યન્ત સુંદર અને લાવણ્યવતી વેશ્યા સ્ત્રીઓના ગાયનવડે, સંગીત કરાવવા લાગે. વળી કપુર, કસ્તુરી મિશ્રિત ચંદનના રસવડે પિતાના શરીર પર વિલેપન કરવા લાગ્યો અને એની નાસિકાં આગળ ઉત્તમ ધપ બાળવા લાગ્ય; એને મધુર અને નાના પ્રકારના ભેજન જમાડવા લાગ્યો અને અત્યંત કમળ શવ્યાને વિષે સુવરાવવા લાગ્યો. પણ એવા એવા મનોજ્ઞ શબ્દાદિ સુદ્ધાં અનેક પાપના ભારવાળાને પ્રતિકૂળ લાગ્યા; પિત્તના વ્યાધિવાળાને સાકર લાગે તેમ. એને ન જાગવું હતું કે ન ઉંઘવું ગઠતું; ન બેસવું ગમતું કે ન ઉડવું ગમતું નહોતું એને જમવાનું ગમતું કે હેતું ભૂખ્યા રહેવું ગમતું. પિતાના પિતાની આવી આવી ચેષ્ટાઓ જોઈને પુત્ર સુલસને ભય લાગે; અથવા તો શ્રેણિબંધ ઉત્પાત જોઈને કર્યો માણસ ન ક્ષોભ પામે ? સુલસે જઈને સર્વ હકીકત અભયકુમારને નિવેદન કરી; અથવા તે નન્દાના નન્દન ( અભયકુમાર ) વિના અન્ય કેણુ ગુંચ કાઢી શકે ? ઉત્પત્તિકી આદિ બુદ્ધિઓએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #277 -------------------------------------------------------------------------- ________________ 260 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. . સંપન્ન એવા એ મંત્રીશ્વરે કહ્યું-અનેક પ્રાણીઓને વધ કરતાં તારા પિતાએ જે ઘેરપાપ ઉપાર્જન કર્યું છે તે, ભરેલા કુંભમાં જળ સમાતું નથી તેમ, સાતમી નારકીમાં પણ સમાયું નથી, અને આજ ભવમાં તારા પિતાની પાસે આવીને ઉભું રહ્યું છે. કારણકે અત્યન્ત ઉગ્ર પુણ્ય કે પાપનું ફળ આજ ભવમાં ત્રણ વર્ષમાં ત્રણ માસમાં ત્રણ પક્ષમાં અથવા ત્રણ દિવસમાં મળે છે. માટે એને હવે અતિ બીભત્સ વસ્તુઓનો અનુભવ કરાવો; કારણકે સન્નિપાતવાળાને કટુ ઐષધ જ અપાય છે. એ પરથી એ સુલસે ઘેર જઈ અભયકુમારના વચનપર શ્રદ્ધા રાખી પિતાને અતિ તીક્ષણકંટકની શય્યાને વિષે સુવાડ્યા; અત્યન્ત દૂર્ગધ મારતા પુરીષવડે એના અંગપર વિલેપન કર્યું, નીરસ, કુત્સિત અને તિખું ભેજન આપ્યું; અત્યન્ત ખારૂં, ઉષ્ણ અને તીખું જળ પીવાને આપ્યું, ઉંટ ખર પ્રમુખના કર્કશ શબ્દો શ્રવણ કરાવ્યા; કાણું–વામન–પંગુ-અબ્ધ વગેરેનાં રૂપ દેખાડ્યાં. એ સર્વને એ કલશોકરિક કસાઈ, પાપના ઉદયને લીધે, સુખરૂપ અનુભવવા લાગ્યા. એણે કહ્યું પુત્ર, આ શય્યા અતિ સુંદર અને માખણથી પણ કેમળ છે; આ સુગન્ધી વિલેપન નાસિકાએ પાન કરવા લાયક છે. આ ભેજન છે તે અતિ સ્વાદિષ્ટ અને દેવતાઓના ભેજનથી પણ ઉત્કૃષ્ટ છે. વળી આ જળ તે કેવળ થંડુ અને જાણે માનસ સરોવર થકી આણેલું હોય એમ મનપસંદ છે. આ શબ્દ પણ શ્રવણગોચર થાય છે તે અમૃત સમાન મધુર અને જાણે દેવતાઓના ગાયકે ગાતા હેયની એવા છે. આ રૂપ જે મારી દૃષ્ટિએ પડે છે તે પણ દેવતાઓના રૂપ જ, હાયની એવાં છે; એવાં પૂવે ન જોયેલાં રૂપનું મૂલ્ય પણ આંકી શકાય એમ નથી. મારા જન્મમાં તો મેં આવું સુખ કદાપિ અનુભવ્યું નથી, જ્યારે ભાગ્યમાં હોય છે ત્યારે જ દશા વળે છે. હે પુત્ર, તારા જેવા સુપુત્રે મને પ્રથમથી જ વિના કારણે શા માટે આવાં સુખથી દૂર રાખે ? પિતાની આવી ચેષ્ટા તથા વચને જોઈને સુલસ વૈરાગ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #278 -------------------------------------------------------------------------- ________________ ગાડરીઓ પ્રવાહ તે મૂઓને જ શેભે 261 પ્રાપ્ત થયે હોય એમ વિચારવા લાગ્યઃ આહા! મારા પિતાને આ જ ભવને વિષે * હિંસાના મહા પાપનું કેવું ફળ મળ્યું ? વળી ભવાન્તરને વિષે પણ કાળ, મહાકાળ આદિ દુર્ગતિને વિષે દુઃખ સહન કરતાં એનું શું થશે ? સુલસ આમ ચિન્તવન કરતે હતો અને અન્ય સ્વજને આકંદ કરતા હતા એવામાં તો કાલોરિક એકપણ શરણ લીધા વિના પંચત્વ પામે; અને અપ્રતિષ્ઠાન નામની સાતમી નારકીને વિષે તેત્રીશ સાગરોપમને આયુષ્ય ઉત્પન્ન થયે. પછી સર્વ બાન્ધાએ મળીને સુલસને કહ્યું–હે સુબુદ્ધિ, ક્રમે કરીને પ્રાપ્ત થયેલ તારા પિતાનું પદ તું હવે સ્વીકાર. તારી જ કૃપાવડે સ્વજને અને સેવકે આજીવિકા ચલાવે છે, તે પ્રભુત્વ અને લેકેને સંતેષ-એ ઉભય જાતે છતાં તું શા માટે નિરૂદ્યમી રહે છે ? કાલશેકરિકને સ્થાને તું હવે અમારે થા; કારણકે નીતિશાલિ પુરૂષે સ્વામીના પુત્રને સ્વામીની સમાન રાખવાનું કહે છે. તુલસે કહ્યું–તમે આ કહ્યું તે મને ગડતું નથી; કારણકે હું આ પાપકર્મ કઈ રીતે કરવાને ઉત્સુક નથી. જીવને ઘાત કરીને પ્રભુત્વ અને બધુઓનું . પિષણ કરવું એ ઉભયથી સયું (એ બેઉ મારે કામના નથી ) કારણકે એ બેઉ દુર્ગતિના હેતુભૂત છે. એના બાલ્વેએ સુલસને કહ્યું-શું તારા પૂર્વજો મૂર્ખ હતા કે જેમણે સ્વજનોને અને ઈતર લેકેને આધારભૂત એવું આ કાર્ય અત્યારસુધી કર્યું છે ? પણ તું પંડિત ઠર્યો; અથવા તે તારું પાંડિત્ય જાણ્યું ! તું જ અમને ગળે પકડીને તારી પિતાની સાથે અમારો પણ વધ કરવા તૈયાર થયે છે! યથાસ્થિત કુલાચારને પાળે તેજ પુત્ર કહેવાય છે; કળાચાર નહિં પાળનારા મનુષ્ય અને તિર્યંચમાં કંઈ પણ અન્તર નથી. (કુળાચાર નહિં પાળનારા તિર્યંચ જેવા સમજવા. ) એ લોકો આ પ્રમાણે કહેવા લાગ્યા એટલે સુલસે એમને કહ્યું–શું આપણા પૂર્વજો પંગુ, વ્યાધિગ્રસ્ત, અબ્ધ કે દરિદ્રી હેય તે એમના વંશજોએ પણ એવા થવું ? ગાડરીઓ પ્રવાહ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #279 -------------------------------------------------------------------------- ________________ 262 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર, તો મૂર્ખને જ શોભે, નરકને વિષે લઈ જાય એ કુળચાર શા કામનો ? સદ્ય પાચન ન થાય એવું ભેજન ઉત્તમ હોય તે પણ શા કામનું ? વળી મારા પિતાનું આવું પાપકાર્યોથી ઉત્પન્ન થયેલું દુઃખ તમે જોયું છે છતાં પણ તમે આમ મૂર્ખતા ભર્યું કેમ બોલે છે ? અથવા તે બહુ શું કહેવું ! આવું અતિશય ઘર અને અશુભ ફળ આપનારું કાર્ય હું કરવાનો જ નથી. મિથ્યા આગ્રહને વળગી રહીને પુન: પણ સુલસના બધુઓએ એને કહ્યું-તું પાપકાર્યોથી ડરે છે માટે નિશ્ચયે તું વ્હીકણ છે. સર્વ પાપ અમે ભેગા મળીને વહેંચી લઈશું. તારે તે આ બાબતમાં ગંગાસ્નાન જ છે. ( તારે માથે કંઈ નથી. ) જેવી રીતે વિષ્ણુએ રાહુને શિરચ્છેદ કર્યો હતે તેવી રીતે તારે ફક્ત એક પાડાને શિરચ્છેદ કરવાને છે; પછીનું તે સર્વ અમે કરી લેશું. આવું સાંભળીને તે એમને પ્રતિબોધ પમાડવાને માત્મા સુલસે સદ્ય પિતાના પગ પર એક કહાડાવતી પ્રખ્તાર કર્યો. (આવા ઉત્તમ પુરૂષમાં શું સત્વ નથી હોતું? ) એટલે પ્રહારની વેદનાને લીધે તે પૃથ્વી પર પડી ગયું અને કરૂણસ્વરે રૂદન કરવા લાગેહે બધુઓ, મને આ પગમાં બહુજ પીડા થાય છે; માટે ગેત્ર વિભૂતિ-સુખમાં ભાગ પડાવે છે તેમ તમે એ મારી પીડા ભાગ પાડીને વ્હેચી ; કે જેથી હું ક્ષણમાત્રમાં સાજો થાઉં. એ સાંભળી પેલાએ કહ્યું-પારકી પીડા કેણ લેવાને સમર્થ છે ? ભરસમુદ્રમાં અગ્નિ લાગે તેને કેણુ બુઝવી શકે ? સુલસે કહ્યું-જ્યારે તમે એ મારું દુઃખ લેવાને શક્તિમાન નથી ત્યારે પ્રાણુના વધથી ઉત્પન્ન થનારું દુઃખ તમે કઈ યુક્તિથી લઈ લેવા સમર્થ થશે ? નદીના જળમાં ડૂબતો છતાં જે પ્રાણી બહાર નીકળી જઈ શકતા નથી તે સમુદ્રના જળના પુરમાંથી તે ક્યાંથી જ નીકળી શકશે ? જે કાર્ય જે પ્રાણી કરે છે તે કાર્યનું ફળ એ પ્રાણીને જ ભેગવવાનું છે. અગ્નિમાં પ્રવેશ કરે છે તેજ બળી જાય છે; તટસ્થ ( બાજુએ ઉભેલા ) હોય છે એમને કંઈ નથી. પ્રાણું એકલે જ આ સંસારમાં આવે છે અને કોના જળમાં ડબલ કઇ યુક્તિર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #280 -------------------------------------------------------------------------- ________________ વિષને પરિત્યાગ–અમૃતનું ગ્રહણ. 263 જય છે પણ એકલે જ. વળી સમુદ્રને વિષે માછલું એકલું કયો કરે છે તેમ એ આ સંસારમાં એક જ પરિભ્રમણ કર્યા કરે છે. એ પ્રાણીને દુર્ગતિમાં પડતાં માતા, પિતા, બાતા, મિત્ર કે સ્વામી કઈ પણ ધારી રાખી શકતું નથી. ફક્ત એક ધર્મ જ પ્રાણીને (દુર્ગતિમાંથી) ધારણ (રક્ષણ) કરી શકે છે; સમુદ્રમાં પહેલાનું, મહાન પ્રવાહણ (વહાણ) રક્ષણ કરે છે તેમ. માટે એ કસાઈને વ્યાપાર ત્યજી દઈને ધમને વિષે પ્રયત્ન કરે; વિષને પરિત્યાગ કરીને અમૃતને ગ્રહણ કરે. આવાં આવાં મનહર વાગ્યે સંભળાવીને સુલસે પિતાનાં બધુઓને પ્રતિબંધ પમાડ્યાઃ કારણકે અભયકુમાર જેવાથી જેને બોધ થયે તેનામાં અન્યને પ્રતિબંધ પમાડવાનું સામર્થ આવે એમાં કાંઈ આશ્ચર્ય નથી. પછી સર્વ પાપાચરણને ત્યજી દઈને, ધમને જ સારભૂત મા છે જેણે એવા અભયકુમારને પોતાના ગુરૂ માની, મેરૂપર્વત સમાન અચળ સમક્તિવાળે સુલસ નિત્ય હર્ષથી વિધિ પ્રમાણે શ્રાદ્ધધર્મ પાળવા લાગ્યું. ઝરત : - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #281 -------------------------------------------------------------------------- ________________ પરિષિષટપણ. પૃષ્ઠ. પંક્તિ. 9-8. કુશાગ્રપુર. ઉત્તર હિન્દુસ્તાનમાં, અત્યારે બુદેલખંડ કહેવાય છે એ દેશમાં પૂર્વે કુશાવતી, કુશસ્થળ–એ નામનાં નગરો હતાં એમ કેઈ સ્થળે લેખ છે. એમાંથી તો આ કુશાગ્રપુર ન હોય ? 8-10. યુગલીઆ, ત્રીજા આરામાં (શ્રી ત્રાષભદેવના વખતમાં) સ્ત્રીને પેટે પુત્રપુત્રીનું યુગલ અવતરતું. તે પરથી તે કાળના મનુષ્ય યુગલિક-યુગલીઆ કહેવાતા. - 9-2. હરિના ઉદરમાં... ઈત્યાદિ. હરિ–વિષ્ણુ–એ પિતાના ઉદરમાં સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલેક-એમ ત્રણે લોક એટલે ભુવને દેખાડયાં હતાં. સરખા, " માર્કડત્રષિ વિશ્વસ્થિતિનું અવલોકન કરવાને હરિની કુક્ષિને વિષે પેઠા હતા.” (પૃષ્ટ 46. પં. 5). 10-5. શ્રી પાર્શ્વનાથનું શાસન. કેમકે એ વખતે એમનું શાસન વર્તતું કહેવાય. શ્રી મહાવીરના નિવાણ બાદ મહાવીરનું શાસન, ધર્મરાજ્ય પ્રવર્તતું કહેવાય. જુઓ પૃષ્ટ 33. પં. 19 10-7. સમ્યકત્વ. તીર્થકરે પ્રરૂપેલાં તત્વોપર સ્વાભાવિકરીતે અથવા ગુરૂના ઉપદેશથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા. અણુવ્રત માટે જુઓ. પૃષ્ટ ૧૩પ. 5 2.. 12-7. બળિ. દેવ આદિને ધરવામાં, આપવામાં આવતા ભેજ્ય પદાર્થ શરાવ. માટીના પાત્ર. 13. 2-3. સરખાવો - निवातपद्मस्तिमितेन चक्षुषा नृपस्य कान्तं पिवतः सुताननम् / महोदधेः पूर इवेन्दुदर्शनात् गुरुः प्रहर्पः प्रवभूव नात्मनि / રઘુવંશ સગ 3. લોક 17. 13--3. ચંદ્રમાના ઉદયથી સાગર......ઇત્યાદિ. આ વિચાર પૂર્વના કવિઓએ બહુવાર દર્શાવ્યા છે તે પરથી એમ ચક્કસ થાય છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #282 -------------------------------------------------------------------------- ________________ 266 પરિષિ૪–ટિપ્પણું. પૂર્વે પણ “ચંદ્રમાના ઉદય પર ભરતીને આધાર છે” એ વાત પ્રસિદ્ધ અને લેકમાન્ય હતી. 13-9. કમબન્ધ આદિ. અમુક કાર્ય કરવાથી, કર્મને બંધ થશે-કમ બંધાશે, ઈત્યાદિ. 13-17. આદીશ્વરના ચરણને ગુગળીઆ પ્રક્ષાલન કરે. શ્રી વીરવિજય આચાર્ય પણ નવ અંગપૂજાના દુહામાં લાવ્યા છે કે - જળ ભરી સંપુટપત્રમાં, યુગલિક નર પૂજત; રાષભચરણ અંગુઠડે, દાયક ભવજળઅંત “યુગલીઆ” ના અર્થ માટે જુઓ પૃષ્ટ 8, પં. 10 ઉપરનું ટિપ્પણું 14-1. કૈસ્તુભ મણિ. સમુદ્રમંથનથી ચાર રને નીકળ્યા કહેવાય છે એ ચદમાં આ કસ્તુભમણિ પણ એક છે. એને વિષ્ણુએ પિતાના હૃદય પર ધારણ કર્યું હતું. જુઓ રઘુવંશ સર્ગ 6. લોક 48. सकौस्तुभं रुपयतीव कृष्णम् / 14-6. પટહુ વજડાવ. ઢોલ પીટાવ. અમારિ ઘોષણા. જીવની બીલકુલ હિંસા ન કરવી એવી ઉદૂષણું, એ સાદ પડાવ. 15-16. પિતાની પત્ની. અર્થત પોતાની માતા. ૧૫–૧૯વિદૂર પર્વતની ભૂમિ......ઈત્યાદિ. આવો જ વિચાર કવિકુલભૂષણ કાલીદાસે પણ જણાવ્યું છે. વિદ્ગમૂર્તિવમેઘરા રાહુન્ના રનરાયેલ છે કુમારસંભવ, 1-24. 16-3. ભંભાસાર, બોદ્ધલેકેના ઇતિહાસમાં અશોકરાજાના પુત્રનું, આને મળતું આવતું “બિબિસાર " એવું નામ છે. લગભગ એકજ સમયે અને દેશમાં થઈ ગયેલા એવા ઐતિહાસિક પુરૂષ, નામના સાસ્યથી, જુદી જુદી વ્યક્તિ નહિ પણ એક જ વ્યકિત હોય એવું અનુમાન નીકળી શકે ખરૂં ? 17-23. વિષ કન્યા. જેની સાથે સંગ ક્યાંથી વિષ વ્યાપીને મૃત્યુ ઉત્પન્ન થાય એવી કન્યા. 18-3. નગરના અધિષ્ઠાયક દેવ. નગરનું પાલન-રક્ષણ કરનાર દેવ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #283 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-ટિપણી. 267 19-1. વિકરણ...સહાય કરે છે. આ એક સંસ્કૃત વ્યાકરણનો નિયમ છે. જેમકે રશ્ન એ પ્રકૃતિ છે, તિ પ્રત્યય છે, અને વચ્ચે સહાય કરનાર આવે ત્યારે વચ્ચે અથ નીકળે. (+=+ તિ=રાતિ થયું એ વાએ અર્થ નીકળે). 19-23. પારિજાત એ નામનું, સ્વર્ગમાં એક વૃક્ષ છે. એને, ત્યાંથી શ્રી કૃષ્ણ લાવીને પિતાની એક પત્ની કિમણને આપ્યું હતું. 20-24. સર્વકામગુણવાળું (ભજન). સંપૂર્ણ સંતોષકારક, તૃપ્તિ થાય એવું. 23-14. શૂન્યભાવને ધારણ કરતો. ક્ષય પામતો, ક્ષીણ થત 24-7 ગરી. હેમાચળની પુત્રી પાર્વતી. 24-21. મસ્તક પર કેલ્લો.... ઇત્યાદિ અત્યારે દાક્તર લોકો આંખની ગરમી ઓછી કરી શીતતા લાવવા માટે લમણા પર બ્લિસ્ટર” ઉપસાવે છે. ફેલ્લે એ આ “બ્લિસ્ટર'. 25-15. ગજરાજને . . ઉત્તમ પુરૂષને જન્મ થવાને હોય છે ત્યારે પૂર્વેથી સ્વમના રૂપમાં કંઈ આભાસ જેવું જણાય છે. તીર્થકર, ચકવતી આદિ મહાપુરૂષેની માતાઓ એવાં સ્વપ્ન જુએ છે એ સુપ્રસિદ્ધ છે. બુદ્ધદેવની માતા તે રાજા શુધ્ધદનની પત્નીએ પણ એવું સ્વપ્ન જોયાની હકીકત છે તે આ પ્રમાણે - "That night the wife of kiug Suddhodana, "Maya, the Queen, asleep beside her Lord, "Dreamed a strange dream; dreamed that a star from heaven"Splendid, six-rayed, in colour rosy pearl, "Shot through the void and shining into her, "Entered her womb upon the right." * The Light of Asia. 25-21. શ્રત સામ્રાજ્યને લાભ. સકળ શાસ્ત્રજ્ઞાન (રૂપી રાજ્ય)ની પ્રાપ્તિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #284 -------------------------------------------------------------------------- ________________ 268 પરિષિક-ટિપ્પણી. 25-22. અત. અદ્વિતીય. 25-25. પ્રદ્યુમ્ન, કિમણીની કુક્ષિએ ઉત્પન્ન થયેલ કૃષ્ણને પુત્ર. 28-11. બને લોક. આ લેક અને પરલેક. બને કુળ. પિતાનું કુળ અને શ્વરનું કુળ. 28-22. સંસારી જીવા.....પ્રણાય કરતો. કારણ કે જ્યાંસુધી “મુક્ત થઈ ઠરી ઠામ ન બેસે ત્યાં સુધી એને ચેયોશીનાફેરા માં ફર્યોજ કરવાનું છે. અખંડઃબીલકુલ વિસામે લીધા વિના, 28-24. લાજ. જવ વગેરેની ધાણું અથવા પલાળેલા ચેખા. એ વડે વધાવવાને પૂર્વે ચાલ હતે. જૂઓ રઘુવંશ સગ 2-10, (त) अवाकिरन बाललताः प्रसुनैराचारलाजैरिव पौरकन्याः // 29-15. અપ્રમત્ત ગુણસ્થાન. જેનશાસ્ત્રમાં ગુણના ઉત્તરોત્તર શ્ચિદ રસ્થાન કે (મેક્ષ મહેલે ચઢવાના) પગથી કલપ્યાં છે, તેમાં અપ્રમત્ત સાતમું છે. અપ્રમત્ત=પ્રમાદદોષરહિત, નિર્મળ. 30-13. ગુરૂજનનો પ્રબળ પક્ષપાત. આપસમાન વડીલને અત્યંત પ્રેમ. 31-7. ગજદંત. (પર્વત) મેરૂ પર્વતની ચાર દિશાએ માલ્યવાન, વિધુત્વભ, સિમનસ અને ગંધમાદન એમ ચાર પર્વત આવેલા છે તે ગજદંત પર્વતો કહેવાય છે. કેમકે એઓ ગજ-હસ્તીના દાંતના આકારનું છે. 33-17-18. પાપની નિંદા...ઇત્યાદિ મૃત્યુસમયની આ કરણી “સંલેખના કહેવાય છે. (જુઓ આ ચરિત્રને બીજો ભાગ પૃષ્ટ 243). 35-20. રિક્ત હસ્તે, ખાલી હાથે (પુષ્પ, ફળ, દ્રવ્ય આદિની કંઈપણ ભેટ લાવ્યા વિના). જૂઓ - રિતો ન હૈ દ્રાગાને સેવતાં રમ્ | दैवज्ञं च विशेषेण फलेन फलमादिशेत् // - 35-7. દેહદ. ગર્ભ ધારણ કર્યા પછી સ્ત્રીને થતી વિવિધ ઈચ્છા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #285 -------------------------------------------------------------------------- ________________ પરિષિક-ટિપ્પણી. 269 37-20. કેન્દ્રસ્થાન. ગ્રહનાં બાર સ્થાન કહ્યાં છે તેમાં પહેલું, ચેથું, છઠું ને દશમું આટલા “કેન્દ્રસ્થાન છે. મુખસ્થાનને વિષે લગ્નને વિષે-સ્થિર લગ્ન. ગુરૂ=બૃહસ્પતિ - 40-10. કુન્દ પુષ્પ. આ પુષ્પ ઉજજવળતા માટે પ્રસિદ્ધ છે; જેવી રીતે ગાયનું દુધ, દાડમ, ચંદ્રમાના કિરણો વગેરે “નિર્મળતા” ને માટે પ્રસિદ્ધ છે. (પૃષ્ટ 21 પં. 15). 40-20. ઉત્પત્તિકી બુદ્ધિ. કેઈના પ્રશ્ન કે શંકાને એકદમ તુરત ખુલાસે સુઝી આવ તે Presence of Mind. ઉત્પત્તિકી, કામણિકી, વનયિકી અને પરિણામિકી–એમ ચાર પ્રકારની બુદ્ધિ કહેવાય છે. - 4. સમિતિ. જુઓ પૃષ્ટ 7 ની કુટનેટ 6. 40-27. પાદ (1) કિરણ (2) ચરણ. 41-4. પ્રજ્ઞાવિશાળા.......વગેરે. આ ત્રણે ઉપમિતભવપ્રપંચકથાના પાત્ર છે. જેવી રીતે પ્રજ્ઞા (સમજણ) પુરૂષને આગમ પાસે લઈ જાય, (આગમ એટલે શાસને પરિચય કરાવે ). 42-6. શિવને પિતા....કારણ કે શિવ કેને પુત્ર છે તે કઈ જાણતું નથી. 42-10. માતૃ પુરાક. આ એક મહેણુ છે. ફલાણી બાઈને આ દીકરો છે એમ કહેવાતું નથી. બાપનું જ નામ લેવાય. એ ફલાણા ફલાણું ગૃહસ્થને પુત્ર છે એમ કહેવું ઉચિત છે. 44-24. પુત્રીને શિખામણ દીધી. આની સાથે સરખાવે શકુન્તલાને સાસરે એકલતાં કહવત્રષિએ શિખામણ આપી હતી એ - शुश्नपस्व गुरून्कुरु प्रियसखीयत्तिं सपनीजने भविप्रकृतापि रोषणतया मा स्म प्रतीपं गमः। भूयिष्टं भव दक्षिणा परिजने भाग्येष्वनुत्सेकिनी यान्त्येवं गृहिणीपदं युवतयो वामाः कुलस्याधयः // શકુન્તલા નાટક અંક 4-17. 45-20. ગુણ. (1) સદ્ગુણ, (2) દરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #286 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ પરિષિક-ટિપ્પણી. 45. છેલ્લી. શિવલાસ. મોક્ષ, મુક્તિ. કવિજનો મોક્ષને મુક્તિનગરી, મુકિતવધુ, શિવવધુ-એવાં એવાં અલંકારિક નામ આપે છે. 46-. માર્ક ડગડષિ. એ એક મોટા ત્રાષિ થઈ ગયા. એમણે એક પુરાણુ રચ્યું છે જે એમના નામથી “માકડેય પુરાણ” કહેવાય છે. 46-11. શું અહિં ગેળ વહેંચાય છે? પૂછનાર બાળક એટલે એને ગોળ કે એવી મિષ્ટ વસ્તુ વહાલી હોય એટલે એ જ યાદ આવે. 47--12. કળા. (1) સામર્થ્ય, હિકમત; (2) ચંદ્રમાની કળા digit. " કળા " નો એક ત્રીજો અર્થ પણ થાય છે તે માટે જુઓ પૃષ્ટ 6 ની નેટ 3. 48-18. રાજાએ અભયને પુત્રની જેમઈત્યાદિ. દુષ્યન્ત રાજાને પણ પિતાના પુત્ર અરિદમનને ઓળખ્યા સિવાય પણ જોતાંવેત થાય છે કે– િનું વજુ વાઢેડ રિબ્રજરે રુવ પુરે નિસ્યતિ મન: છે શકુન્તલા નાટક અંક 7 મે. 49-11. ભદ્રહસ્તી. અમુક જાતિના હસ્તીઓ “ભદ્રહસ્તી કહેવાય છે. એ હસ્તી જે રાજ્યમાં હોય એ રાજ્ય સદા કુશળ રહેતું કહેવાય છે. 49-14. કમલિની પદ્મને જન્મ આપે કમલિની-તળાવડી કમળને ઉત્પન્ન કરે તેમ. સગ બીજે. શું પ૧–૨૫. ચાર વિદ્યાઓ. (1) આન્વીક્ષિકી, (2) ત્રયી, (3) વાર્તા અને (4) દંડનીતિ; જો કે સાધારણતઃ તે વિદ્યાએ ચાદ ગણાય છે. પણ આપણે આપણાં (1) દ્રવ્યાનુગ, (2) ચરણકરણનુગ, (3) ગણિતાનુગ અને (4) કથાનુગ છે એજ ચાર વિદ્યા લઈએ. પ૧–૯. ગુજ્જુ છુંટી. પ૧–૧૬. કેશના ગુચ્છને ધારણ કરનારૂં ઉર:સ્થળ, વિષ્ણુને ઉર સ્થળપર એટલે છાતીએ વાળનો ગુચ્છ હતો, જે “શ્રીવત્સ” કહેવાય છે. આ અભયને પણ એ જ ગુચ્છ છે એમ કહીને કવિ એને પૂર્ણ ભાગ્યશાળી લેખે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #287 -------------------------------------------------------------------------- ________________ ર૭૧ પરિષિષ્ટ-ટિપ્પણી. પ૧–૧૮. જાનુપર્યત દીઈ બાહુ. જાનુ એટલે ગોઠણ સુધી પહેચતા હાથ હવા એ મહાપુરૂષનું એક લક્ષણ છે. પ૧–૨૬. બિબફળ સદશ એષ્ટિ. બિમ્બફળ એક જાતના વૃક્ષનું ફળ. એ જ્યારે પરિપકવ હોય છે ત્યારે એને વર્ણ લાલ થાય છે. સાધારણતઃ સ્ત્રીઓના ઓષ્ટને એની ઉપમા અપાય છે. પર–૮. કીતિની યષ્ટિ. કીર્તિરૂપી છડી Mace. પર–૨૪. વિમશે. વિચાર. પ્રક. બુદ્ધિને ઉત્કર્ષ. બુધ્ધિ એટલે સરસ્વતી તે કુમારિકા હોવાથી એને સંતતિ હોય નહિં, અને આ બેઉ વાનાં એનાં નિકટનાં–સંતતિ જેવાં જ; માટે એમને એના ભ્રાતૃસુત-ભત્રિજા કયા હશે. પર–૨૫. જળભર્યા ભાદ્રપદના મેઘના જે ગંભીર સ્વર. સરખા–મહેમૂતવિરતિ મીમાંસા તાન્વેષ માવતીનિષ: . (ઉત્તરરામ ચરિત્ર અંક ). - પર–૨૪. મંત્રશક્તિ રાજાની ત્રણ પ્રકારની શક્તિ કહેવાય છેઃ (1) પ્રભુત શક્તિ (પિતાના પ્રભુત્વ-સર્વ શ્રેષ્ઠ પદવીરૂપી શક્તિ. (2) મંત્રશક્તિ, મંત્રણાશક્તિ (સાચી સલાહરૂપ, સુવિચારપૂર્વક કાય કરવારૂપ શક્તિ; (3) ઉત્સાહ શક્તિ પ૩–૨. સામુદ્રિક શાસ્ત્ર. શરીરપરના વિશિષ્ટ લક્ષણોચિહેને અર્થ–પ્રભાવ સમજાવનારૂં શાસ્ત્ર. પ૩–૧૯. સરખાવે - वालादपि गृहीतव्यं युक्तमुक्तं मनीषिभिः / વેરાશે જિં જ પરીપશ્ય પ્રવાસન | સુભાષિત. પ૩–૨૨. ઢીલાં પડી ગયેલાં કંકણે. પતિવિરહને લીધે કંકણે નહિ, પણ હસ્ત વગેરે અવયવે ઢીલાં, કૃશ, પાતળા થઈ ગયા હતા. એટલે ઢીલા હસ્તપર રહેલાં કંકણો મેટાં પડેલાં. 5--7 સ્ત્રીઓની વિવિધ ચેષ્ટ. કવિજને આવી અસંભવિત હાસ્યજનક ચેષ્ટાઓ વર્ણવીને “નિરંકુરાર વચઃ” એ બિરૂદની યેગ્યતા સિદ્ધ કરતા હશે ? 54- છેલ્લી ગિયર=ગેરાપણું, ગેરૂં રૂપ. ઘુ=મુખ્ય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #288 -------------------------------------------------------------------------- ________________ 272 પરિષિષ્ટ-ટિપ્પણી. ૫૫–છેલ્લી. પિતાની બહેન વિદ્યાધર વેરે પરણાવી. પૂર્વે પૃથ્વીપતિ રાજાઓ અને આકાશગામી વિદ્યારે વચ્ચે કન્યા લેવા ! દેવાનો રિવાજ રાસગ્રંથ આદિ સ્થળોએ વર્ણવેલે પ્રસિદ્ધ છે. 60 -3. કળશની હારનો આશ્રય લઈને વાંસ રહ્યા. અહિં વાંસને આશ્રય લઈને કળશ રહ્યા” એમ વાંચવું. 60-5. આશ્રય લે. અહિં “ન આશ્રય લે ' એમ જોઈએ. - 60-8. અહિં લગ્ન સમયે સ્ત્રીઓના સંભાષણ વર્ણવ્યાં છે એવા જ પ્રકારના આલાપ–સંતાપ શ્રી ષભદેવના લગ્ન સમયે આનંદની રેલમછેલ કરતી રમણીઓના સુખમાં શ્રી હેમચંદ્રાચાર મૂકયા છે. જુઓ શ્રી આદિનાથ ચરિત્ર. શ્રી જે. ધ. પ્ર. સભાએ પ્રસિદ્ધ કરેલ. આવૃત્તિ પહેલી પૃષ્ટ 101. ર૩-૮. અભયકુમારની લગ્ન વિધિ. આ વ્યવહાર (સરાવસંપૂટનું ચૂરણ, યુગ-તરાક આદિથી પાંપણું વગેરે) શ્રી બાષભદેવના લગ્ન વખતે સ્વર્ગપતિ ઈન્દ્ર પાસે રહીને બતાવેલ અદ્યાપિપર્યત ચાલતો આવ્યો છે. જુઓ એજ ચરિત્ર પૃષ્ઠ 104. ૬૧–૨૬અષ્ટમીના ચંદ્રમાના ભ્રમથી. લલાટપર તિલક કરેલું છે તે કવિ કહે છે કે તિલક નથી પણ આદ્રા નક્ષત્ર છે જે (અષ્ટમીના ચંદ્ર અને લલાટ વચ્ચે સાદસ્ય હોવાથી) લલાટને ભૂલથી ચંદ્રમા અથોત્ પિતાનો પતિ સમજીને એની પાસે આવ્યું છે. (“આદ્રા નક્ષત્ર' એ એકજ તારાનું છે એટલે જ તિલક' નું ઉપમાન થઈ શકયું છે,–એ ધ્યાનમાં રાખવું). 64-22. અનિમેષ નેત્રે ...ઈત્યાદિ. એમ કહીને જાણે બોલ્યા વિના હદયના સંદેશા મોકલવા લાગ્યા ! આને અંગ્રેજીમાં speechless messages" કહે છે, જુઓ, "I did receive fair speechless messages" (Merchant of Venice.) "She speaks, yet she says nothing; what of that? "Her eye discourses, I will answer it" (Romeo and Juliet). P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #289 -------------------------------------------------------------------------- ________________ પરિષિક-ટિપ્પણી. 273 64-23. જન્મભવન. અહિં જન્મભવન આમ જઈએ. 64-28. જ્યોતિષની. અહિં "2. તિષની આમ જોઇએ. દ–૩. સંસારી જીવ અને ભવિતવ્યતા. આ બેઉ ઉપમિતભવપ્રપંચાકથા ”.માં એના કર્તાએ પ્રપંચેલા પાત્ર છે. નરનિ. મનુષ્યભવ. 65-9 છાયાયુક્ત સૂર્ય. છાયા અને સંજ્ઞા–એમ બે સૂર્યની સ્ત્રીઓ છે. (“છાયા” થી “શનિ ને જન્મ થયે છે.) 65-15 અમાસને ચંદ્રમા......ઈત્યાદિ અમાસને ચંદ્રમા સૂર્યના કિરણને અટકાવી રાખે છે-ગ્રહણ કરતો જ નથી. (અમાસને દિવસે એને લીધેજ એ વરતાત નથી. ચંદ્રમાને સૂર્યનું તેજ મળે તે જ પ્રકાશિત દેખાય. કારણ કે એને પિતાનું તેજ નથી. ત્યાર અત્યારે અંગ્રેજ લોકેએ શેાધેલી કહેવાતી The moon has no light (lustre) of its own' આ વાત પૂર્વે પણ કોની.. જાણ બહાર નહતી એમ આ પરથી સિદ્ધ થાય છે. : 65-23. કીતિયુક્ત શાશ્વત ધમ. હસ્તમેળાપ છુટે એ વખતે પુષ્કળ દાન દેવું એ રાજાને નિરંતરને ધર્મ છે અને એમાંજ એમની કીતિ છે. 66-17. અહિં કવિએ શત્રુને જીતવા માટેના ચાર ઉપાય કહેવાય છે તે બતાવ્યા છે(૧) સામ, એટલે સંધિ અથવા સમાધાની; (2) દામ, એટલે શત્રુના માણસોને રૂશ્વત આદિ આપવી; (3) ભેદ, એટલે શત્રુના પક્ષના હેય એમનામાં ફાટતુટ કરાવવી; (4) દંડ, એટલે ખુલ્લી રીતે યુદ્ધમાં ઉતરી પડવું. 67-3. ધર્મપુત્ર યુધિષ્ઠર. સત્યજ ઉચરવું, ન્યાયને પથેજ અનુસરવું આદિ શ્રેષ્ઠ મનુષ્યધર્મનું અનુપાલન કરતો હોવાથી યુધિષ્ઠિર ધર્મ, ધર્મપુત્ર આદિ નામથી ઓળખાય છે. 27-4. પદ્મમિત્ર. બાંધવજનેરૂપ “પોને વિકસાવવામાં મિત્ર એટલે સૂર્ય જે. 67-10. હું પુત્રને બળામાં બેસાડીશ.....ઈત્યાદિ. પુત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #290 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ પરિષિ૪–ટિપ્પણ. સંબંધી આવા મને રવાળું, કવિએ આલેખેલું ચિત્ર જોઈને ખરેખર કઈ પણ સહૃદયનું ચિત્ત વેધાયા વિના નહિં રહે! - દ૭–૧૫. ત્રિશંકુની પેઠે.....ઈત્યાદિ. એવી વાર્તા છે કે અયોધ્યાના રાજા ત્રિશંકુને જ્યારે વિશ્વામિત્ર ઋષિએ વસિષ્ટ ત્રાષિની મરજી વિરૂદ્ધ, પોતાની શકિતથી, સ્વર્ગમાં મોકલવા માંડે ત્યારે ઇંદ્રાદિક દેવોએ એને સ્વર્ગમાં પેસવા ન દેતાં પાછે ફેંકનીચેથી ત્રાષિને પ્રયાસ ઉપર મોકલવાને, ને દેવોને નિશ્ચય કે એને ન આવવા દેવે એમ વિરોધ થવાથી એ અન્તરીક્ષમાં લટકી રહ્યો. આ ઉપરથી હાલ કહેવત ચાલે છે કે ત્રિશંકુરિવ અત્તરાસ્તે તિ 68-17. જળને નિર્મળ કરનાર ઈત્યાદિ. અહિં “મલિનતાને ખરે ઉપાય જળ છે એમ જોઈએ. - 70-25. અપુણ્યરાશિવાળી. જેની પાસે ગયા ભવને પુછયરાશિ–પુણ્યસંચય કંઈ નથી એવી. કુષ્માંડવલ્લી તુંબડી. કુમાંડફળ તુંબડું. 70-18. એનું નામ સિાથી પ્રથમ લેવાય છે. જુઓ ભરડેસર ની સજઝાય ઘરનવાર સમા મચા મતિ ઈત્યાદિ, (આઠમી ગાથા). એમાં સતી સ્ત્રીઓ ગણાવી છે એમાં પહેલી એને ગણાવી. 70-28. ઇન્ડે ભારત પાસે.....ઇત્યાદિ. ઈન્દ્રનું મનહર રૂપ જોઈને એકદા ભરત ચકૈવર્તાએ એને પુછેલું કે તમે સ્વર્ગમાં કયે રૂપે રહે છે ? આ પ્રત્યક્ષ છે એ રૂપે કે અન્ય રૂપે ? (કારણ કે દે કામરૂપી હોય છે). એ પ્રશ્નને ઇમહારાજે ઉત્તર આપ્યો હતો કે “અમારૂં સ્વર્ગમાં જે રૂપ હોય છે તે માનવજાતથી જોઈ શકાય જ નહિં, એટલું અમારું તેજ તીવ્ર હોય છે. એ પછી ચકવતીની પ્રાર્થના પરથી એણે એને સ્વર્ગના તેજમાં ઝળહળી રહેલી કરીને પિતાની એક આંગળી બતાવી હતી. 71-4. ધમકલ્પ. સધર્મ દેવલોક, 71-. સનતકુમાર. એ એક ચકવતી રાજા થઈ ગયે. એને આખે શરીરે કેઈ આકરે કુણને વ્યાધિ થયે હતે. પણ એ પિતાનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #291 -------------------------------------------------------------------------- ________________ પરિષિક-ટિણી. 275 આગલા ભવનાં અશુભ કર્મ ઉદયે આવ્યાં છે અને એ ભેગવ્યા વિના છુટકે નથી એમ સત્યપણે સમજી એ વ્યાધિને પ્રતીકાર કરવા કોઈ વૈદ્યનું આષધ કરતે નહિં. એ વખતે એના મનની દૃઢતાની પરીક્ષા કરવા કેઈ દેવતા સ્વર્ગમાંથી વૈદ્યનું રૂપ લઈને એની પાસે આવ્યા હતા. વ્યાધિ જેઈ ઓષધ આપવા માંડયું પરતુ ચક્રવતીએ દલીલ પૂર્વક ના કડી ઔષધ લીધું નહિં; ને પોતે ધારે તો પિતાનાજ મુખના થુંકથી પિોતાની કાયા નિર્મળ કંચન જેવી કરી દેવાની પોતાની શક્તિ જાહેર કરી; અને થોડુંક કરી બતાવ્યું પણ ખરું. 71-3. દુરભવ્ય (જન). જેને ઘણે કાળે મોક્ષ થવાને હોય એ. અભવ્ય. જેનો મોક્ષ થવાનાજ નથી એવો. ભવ્ય સામગ્રીને સદૂભાવે જેને તુરત મેક્ષ થવાને છે એ. 71--22. દેવીની પેઠે પુત્રની ખામી છે. દેવદેવીને પુત્ર પુત્યાદિ સંતતિ હતી નથી, તેમ મારે પણ નથી 71-5. નિકાચિત કર્મ નિશ્ચળકર્મ અવશ્ય ભોગવવું પડે તે. નિકાચિત ન હોય તે તપશ્ચર્યાદિવડે ભેગવાઈ જવાય છે. 73-7. વિદેહભૂમિ. મહાવિદેહક્ષેત્ર. જમ્બુદ્વીપના ભરતક્ષેત્ર વગેરે સાત ક્ષેત્રે છે (જુઓ પૃષ્ઠ 4 ની નોટ 4) તેમાં એ ચોથું ને સિાથી મોટું છે. એ નીલવંત તથા નિષધ પર્વતોની વચ્ચે આવેલું છે. એના ચાર ભાગ છેઃ–પૂર્વ વિદેહ, પશ્ચિમ વિદેહ, ઉત્તર કુરૂ ને દેવ કુરૂ. એ મેરૂ પર્વતની ચારે દિશાએ આવી રહેલા છે. એમાંના પ્રત્યેકને આઠ આઠ વિજયે છે. એક આઠમાં એક “પુષ્કળાવતી નામને વિજય છે એમાં અત્યારે ( વર્તમાન ) શ્રી સીમંધરજિન વિચરે છે. બીજા આઠમાં એક “વત્સ” નામને વિજય છે એમાં વર્તમાનકાળે શ્રી બાહજિન વિચરે છે. ત્રીજા આઠમાં એક નલિનાવતી નામને વિજય છે તેમાં શ્રી સુબાહજિન અત્યારે વિચરે છે. રોથા આઠમાં એક “વ” નામે છે એમાં હાલ શ્રી યુગંધરજિન વિચરે છે. 73-18. સંતતિ હેય એને ધન્યવાદ આપનારે મહા કવિ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #292 -------------------------------------------------------------------------- ________________ 276 પરિષિષ્ટ-ટિપ્પણું. કાલીદાસને નીચેને સુંદર આકર્ષક ક ખાસ મનન કરવા લાયક છે -- आलक्ष्यदन्तमुकुलाननिमित्तहासैरव्यक्तवर्णरमणीयवचःप्रवृत्तीन् / / अंकाश्रयप्रणयिनस्तनयान्वहन्तो धन्यास्तदंगरजसा मलिनीभवन्ति // શંકુન્તલા નાટક, અંક 3 17. 74-. ભિન્નભિન્ન પ્રકારના રસ...ઇત્યાદિ. બજારપક્ષે રસ–ઘી, તેલ, દુધ આદિ રસ પ્રવાહી પદાર્થોનું સૂત્ર સૂતર; અર્થ=દ્રવ્ય. અન્તઃકરણપક્ષે રસ-લાગણી, ભાવ Sentiments; સૂત્ર=નિયમ, શાસ્ત્રના વાકયે precepts; અર્થશબ્દ કે વાકયને અર્થ meaning. 74--7. અનેક જાતિઓ. નગરપક્ષે બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ ચાર જાતિ-વર્ણ. તર્કશાસપક્ષે અમુક વર્ગના પદાર્થોને વિશિષ્ટગુણ, જેથી એ વર્ગ બીજા વર્ગથી ભિન્ન ઓળખી શકાય જેમકે શોત્વ, ત્વ આદિથી શો, અશ્વ આદિ ઓળખાય. 74--22. ખગલતા ખારા ને ઉષ્ણ જણથી સિંચાતી છતાં.. ઇત્યાદિ. લતા એટલે કેઈપણ વેલા ઉપર ખારું કે ઉણ જળ સિંચાય છતાં ફળ આપે એમ કહેવું એ વિરોધ. પણ અહિં લતા એ એ રાજાની ખગૂલતા-ખર્ગ-તલવાર છે. અને એ જળ એ શત્રુઓની સ્ત્રીઓનાં, પતિને પરાજય થવાથી, નિસરેલાં અશ્રુજળ છે-જે ખારાં ને ઉષ્ણ હોય, સ્વાદિષ્ટ ને શીત ફળ-એ એ ચેદી રાજાએ શત્રુ પર મેળવેલા વિજયરૂપ ફળ. આમ વિરોધ શમાવવો. 74-20. યશ સમસ્ત જગતને વેત બનાવી દેતો હતો. કારણ કે સંસ્કૃત કવિજનેએ “યશ પુણ્ય, હાસ્ય આદિનો વેતવર્ણ કપે છે. જ્યારે શાપ, પાપ વગેરેને શ્યામ ગણેલો છે. અંગ્રેજ કવિઓ પણ એમજ ગણે છે. જુઓ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #293 -------------------------------------------------------------------------- ________________ પરિષિક-ટિપણી. 277 "No might nor greatness in mortality "Can censure' scape; back-wounding calumny "The Whitest virtue strikes." Measure for Measure Act III. Sc. II. "The frequency of crimes has washed them white" Cowper's Garden. L. 71. શત્રુઓના મુખપર કાળાશ પાથરી દેતો હતો. શત્રુઓ યુદ્ધમાં પરાજય પામે એટલે એમના મુખપર ગ્લાનિ આવેએ ગ્નાનિરૂપ કાળાશ 74-. પણ જાગરણું......ઈત્યાદિ ઉપર સામાન્ય ઉકિત કહી એને દઢ કરનારું આ દૃષ્ટાન આપ્યું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે બાળક અવતયો પછી છડું વાસે દેવીની પૂજા કરી જાગરણ કરવું. પિતાના દોષ અહિં “પિતાનાઓના દોષ” એમ જોઈએ. 75-1. પૃષ્ઠભાગે બાણ મારવામાં પરમુખ રહેતો. પીઠ બતાવે, નમી પડે, પરાજય પામીને જતા રહે એમને પછી હેરાન કરતો નહિ. 75-18. સપ્તર્ષિ તારાઓ. સાત ઋષિઓના નામ પરથી પડેલ. આકાશમાં દેખાતે સાત તારાઓને જુમખો. 75-18. પરમાર્થવેદી. સાથી શ્રેષ્ઠ શું એ સમજનાર; ઉત્કૃષ્ટ શાસ્ત્રજ્ઞાનવાળો. 75-3. મહાસાગરે યુવતીને સોંપી દીધા. અહિં “મહાસાગરે પવતોને સોંપી દીધા નહોતા” એમ જોઈએ. એવી કથા છે કે પૂર્વના કાળમાં પર્વતોને પાંખો હતી તેથી એઓ ઉડી ઉડીને સ્વર્ગમાં જઈ ઈન્દ્રાદિ દેવોને પણ હેરાન કરતા. એથી કે પાયમાન થઈ ઈન્દ્ર એમની પાંખો કાપી નાખી હતી એમાંથી મેનાક વગેરે પર્વત સમુદ્રમાં પેસી જવાથી બચી ગયા હતા. એમને સમુદ્ર પિતાના આશ્રિત ગણીને ઈન્દ્રને સંધ્યા નહતા. સરખા આ ચરિત્રને બીજો ભાગ પૃષ્ટ 174. 21. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #294 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ પરિષિષ્ટ-ટિપ્પણી. 76-13. મેરૂગ્રામની સભાને વિષે. કેમકે મરૂદેશ એટલે મારવાડ, ત્યાં જળને દુષ્કાળ, એટલે લોકે મલિન જેવાં રહે એમને જળથી ન્હાઈ ધેઈ પવિત્ર થવાનું કહેવા સિવાય બીજો શે ઉપદેશ આપવાનું હોય? 76-16. તેલીની જેવાં મલિન વસ્ત્ર, આ, ઢંઢક સાધુઓને અપેક્ષીને તે નહિં કહ્યું હોય? 76-19. નગ્ન રહી સંતાતા ફરનારા...વગેરે. આ, વળી દિગમ્બર સાધુઓને અપેક્ષીને કહ્યું હોય એમ નથી લાગતું ? 76-20. શરીરે ભસ્મ અને મસ્તકે જટા......ઈત્યાદિ. આ વાત પણ અન્ય મતના જોગીઓને અપેક્ષીને જ કરી જણાય છે. 76-22. સ્ત્રીઓની જેવું કટિવસ્ત્ર પહેરી.....ઈત્યાદિ. આ વાત પણ “કૃષ્ણ ગેવાળીઆ ને લક્ષીને કેમ ન કરી હોય ? 78-11. વિરૂપ. કદ્રુપ. 78--19. ચંદ્રમા ભગ્ન થઈ ગયું છે. ભગ્ન=મનભંગ, નિરાશ. બહુપક્ષ=(૧) બહોળાપક્ષ, સમ્બન્ધીવર્ગ, (2) કૃષ્ણપક્ષ, અંધારીયું. - 78--23. કેઈ બે લોકની સ્ત્રીઓ ઉપર. સ્વર્ગલેક, મૃત્યુલોક ને પાતાળલોક–એ ત્રણમાંને હરકોઈ બે લેક. 78--26. ઉપર ત્રણ રેખા.....ઈત્યાદિ. સ્ત્રીઓને ઉદર પર ત્રિવળિ હોય, ત્રણ રેખા પડેલી દેખાય એ પણ એક સન્દર્ય ગણાય છે. જુઓઃ-- મથેન ના વિમળા વઢિયં ચાર ચમાર વાછા | કુમારસંભવ 1. 39. 78-25. અતિકૃશ એવું ઉદ૨. અહિં “અતિકૃશ” ને બદલે કૃશ” જોઈએ. 78--27. સ્થૂળતાથી કંઈ મળતું નથી....... ઈત્યાદિ. સ્થૂળતા=(૧) જાડાપણું, (2) જાડી બુદ્ધિ, મિર્કે. મધ્યસ્થતા, અથવા મધ્યમતા=(૧) સાધારણત્વ, (2) નિષ્પક્ષપાત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #295 -------------------------------------------------------------------------- ________________ 279 થી 1 પરિષિષ્ટ-ટિપ્પણી. 79--4. કદલીવૃક્ષ. અહિં કદલીથંભી જોઈએ. 7--2. એના નિરન્તર ફળદાયી.......ઈત્યાદિ. એના ઉરૂ અમુક બાબતમાં કદલીખંભ કરતાં ચઢી જાય છે માટે ( સમાનતા નથી તેથી) એને એની ઉપમા શી રીતે આપવી? ઓકે કાળી એટલે કેળ એકજ વાર ફળનારી, અને આ સ્ત્રી જાતિ હમેશ સંતતિ રૂપી ફળ આપનારી; કેળ સારરહિતમધ્યભાગવાળી (કેમકે એને છેક ટેચે ફળ આવે છે), અને આ સ્ત્રી સર્વત્ર સાર-સત્વ-વાળી. - ૭૯–-પ. વિશાળ ને ઈત્યાદિ. સુંદર સ્ત્રીઓ સાધારણતઃ મૃગનયની, હરિણાક્ષી એવાં નામથી સંબોધાય છે પણ આનાં તો એ પ્રાણીઓ કરતાં પણ વિશાલ નેત્રે છે. 79-8-10. રકતતા અને કાન્તિમાં કેણ વધે છે એ બાબતમાં નીવેડે લાવવા આના ચરણ કમળ સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. એમાં કમળો હારી જવાના ભયથી જ જાણે જળરૂપી દુગમાં પેસી ગયા છે તે હજુ ત્યાંને ત્યાં છે. હજુ એમને ભય નથી ! 7924. ઘુણાક્ષર ન્યાયે. ઘુણ નામનાં જીવડાં કાષ્ટને કેતરે છે. એ કે તરતાં વખતે અચાનક અક્ષર પડી જાય છે એવી રીતે; અજાણતાં. 80-6. અમૃતને જનક ક્ષીર સાગર છે. અમૃત ક્ષીરસાગર માંથી નીકળ્યું હતું, એટલે ક્ષીરસાગર (સમુદ્ર) એને પિતા કહેવાય. 80--8. કયા પુરૂષોત્તમની સાથે....ઈત્યાદિ. એક લક્ષ્મી તો પુરૂષોત્તમ (વિણ) ને વરી હતી; પણ આ ક્યા પુરૂષોત્તમ (ઉત્તમ પુરૂષ) ને વરશે તે મારાથી કહી શકાય નહિં કારણ કે એ વાત વિધિના હાથમાં છે. સરખાવે - જ્ઞાને મા મિટ્ટ સમુપરસ્થાસ્થતિ વિધિ.શકુન્તલા અંક 2 લે. 10. 80-10. કરગ્રહણ કરે. (1) કર-વેરે tax લે; (2) કર-પાણિ ગ્રહણ કરવું–પરણવું. 80-14. વૃતની ધારા. ધારે ઘી–બ્રાહ્મણેમાં પીરસાય છે એવી રીતનું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #296 -------------------------------------------------------------------------- ________________ 280 પરિષિકટિપ્પણું. 81-9. વાહિક ગાત્ર... ઈત્યાદિ વાહિક ગોત્ર “હેયય " કરતાં ઉતરતું હશે. 81-26. સર્વ કળાઓને નિધિ...ઈત્યાદિ સંપૂર્ણ કળામાં પ્રકાશતે હેઈને આકાશરૂપી ઉત્કૃષ્ટ રથને દેદીપ્યમાન કરવામાં સૂર્યસદશ એ. 82--22. કાકતાલીય ન્યાયથી. અણધાયો. કાકનું બેસવું (થાય) ને તાડનું પડવું (થાય)–એવી અણધારી રીતે સરખાવે ધૂણાક્ષર ન્યાય.” (પૃષ્ટ 79. 24) - 82--23. શાર્વગુણ વડે......ઈત્યાદિ. શૂરવીરતામાં સિંહ, મદેન્મત્તતામાં નાગ-હસ્તિ, ગંભીરતામાં સમુદ્ર અને ધૈર્યગુણમાં હિમાચળ પ્રસિદ્ધ છે; પણ આ મારા સ્વામી તે એ બધાં કરતાં ચઢી જાય છે. 83--26. દષ્ટિને વિષે લીન...ઇત્યાદિ..... આજ વિચાર એક સ્થળે મહાન અંગ્રેજ કવિ શેકસપીયરે દશો છે-- "All senses to that sense did make their repair "To feel only looking on fairest of fair: "Methought all his senses were locked in his eye, "As jewels in crystal for some prince to buy." 84--1. તિલોત્તમા એ નામની એક સ્વર્ગની અપ્સરા. 85-9. ચક્રવાક અને ચક્રવાકી. મહાત્માના શાપથી, રાત્રીના સમયમાં વિરહાવસ્થા ભોગવતું કપેલું પક્ષીયુગલવિશેષ 85--24. અમૃતવલી. અમરવેલ નામની લતા. 85-13. રસજ્વર. શરીરમાં ઉત્પન્ન થતા રસમાં કંઇક ગેટાળ થઈ જવાથી આવતે વર-તાવ. 84-11. રુકિમણીને કૃષ્ણ ઉપર રાગ બંધાયો હતો. રુકિમણું વિદર્ભ દેશના રાજા ભીમકની પુત્રી હતી. પિતાએ પુત્રીનું વેશવાલ શિશુપાલ સાથે કર્યું હતું. પરંતુ એને ગુપ્ત પ્રેમ કૃષ્ણ ઉપર હોવાથી એણે એને પત્ર દ્વારા જણાવ્યાથી એ (કૃષ્ણ) આવીને એનું હરણ કરી ગયો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #297 -------------------------------------------------------------------------- ________________ પરિષિક ટિપણી. 281 80-8. પદ્મદ્રહ. સ્વર્ગમાં એ નામને એક દ્રહ (ધરો) છે. 86-19. ભારંડપક્ષી. કવિકલ્પિત પક્ષીવિશેષ.. 86-23. ચિત્રા અને સ્વાતિ. સત્યાવીશ નક્ષત્રે ગણાવ્યાં છે. એમાં આ ચિદમું અને પંદરમું—એમ જુદાં જુદાં નક્ષત્રે છે. એટલે એમને ઉદય એક સાથે હેય નહિં. છતાં થાય તો ઇન્ટ-ઇરછવા ગ્ય જ ગણાય કેમકે એ બેઉ શુભ, માંગલ્યકારિ ગણાય છે. સ્વાતિ નક્ષત્રમાં તે મેઘજળના બિન્દુઓનાં સમુદ્રની છીપમાં મોતી બંધાય છે. ત્યાં સિંપુરત તાપસે મૈરાગ્ય ! . 87-19. સમુદ્રમન્થન સમયે...ઈત્યાદિ. વાત એમ છે કે એકવાર દેવેને અમૃતને ખપ પડયે, પણ તે, સમુદ્રનું મન્થન કરે તે જ ઉપર તરી આવે એમ હતું. એટલે શ્રીકૃષ્ણ મન્દરાચળને રવા કરી, અને વાસુકિનાગનું દેરડું કરી પિતે જ સમુદ્ર લેવી અમૃત કહ્યું. પણ એ સમયે ત્યાં દૈત્યે પણ હાજર હતા એ એ (અમૃત) ઉપાડી ગયા હતા. 89-13. કમલિની પદ્મિની. આ શબ્દ અહિં “કમળની તલાવડી” ના અર્થમાં છે. કમળને સમૂહ એ પણ એને અર્થ થાય છે. ૮૯–-છેલ્લી. વાડવાગ્નિવાળા સમુદ્રને વિષે લબ્ધિ હોય નહિં. વાડવાગ્નિસમુદ્ર તળે કપેલે અગ્નિ. સમુદ્રમાં નદીઓના પાણી આવે પણ અંદર રહેલા અગ્નિથી શેકાઈ જાય એટલે “લબ્ધિ એટલે લાભ-વધારે થાય જ નહિ. ૯૦–-ક. ગાન્ધર્વ વિવાહ. આઠ જાતિના વિવાહ હિન્દુ શાસ્ત્રકારોએ ગણાવ્યા છે. બ્રાહ્મ, દેવ, આષ, પ્રાજાપત્ય, આસુર, ગાન્ધર્વ, રાક્ષસ અને પિશાચ. એમાં ગાન્ધર્વ વિવાહ કન્યા અને યુવકના પરસ્પરના પ્રેમ કે મનવૃત્તિથી જ થાય છે. રૂછાળ્યોઃ વસ્થાપાશ્ચ વર વા મનુસ્મૃતિ 3. 32. એમાં કંઈ વિધિ-વિધાન હેતું નથી તેમ બાન્ધવજનની અનુમતિ પણ લેવાતી નથી. જાથમ अबान्धवकृता स्नेहप्रवृतिः / 90--10. સુલસાને વિલાપ અને રૂદન, સુલસા જેવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #298 -------------------------------------------------------------------------- ________________ 282 પરિષિક ટિપ્પણી ધમિષ્ટ અને ભાવિની બળવત્તા સમજનારી પ્રથમ પંકિતની શ્રાવિકાને રૂદન કે વિલાપ હેય નહિં. પરંતુ અકથ્ય સંતાજનક હૃદયવાળાને હાર વિલાપ રૂપે માગ ન મળે તે હૃદય શતધા ફાટી જાય, જુઓ ઉત્તરરામ ચરિત્ર અંક ત્રીજે - पुरोत्पीडे तडागस्य परीवाहः प्रतिकिया / शोकक्षोभे च हृदयं प्रलापैरेव धार्यते // 7-7. અગ્નિશર્મા. દુર્ભાગી બ્રાહ્મણનું નામ, જ્યાં ત્યાં અગ્નિશર્મા જ સંભળાય છે. લ્પ–પ. વિચિતરંગ ન્યાયે. જળને વિષે એક મેજું બીજાને ધક્કો મારે છે, બીજું ત્રીજાને ધકેલે છે અને એ પ્રમાણે દર દૂર સુધી જળકલેલ પહોંચી જાય છે એમ. હાલના વિજ્ઞાનની વિદ્યની પ્રગતિના જમાનામાં તો સાબીત પણ થયું છે કે જળનાં જ મેજ કે કન્સેલોની જેમ હવાના અને અવાજના કલેલો (waves of air and sound) ધકેલાઈ ધકેલાઈને અલ્પકાળમાં એટલે દૂર દૂર જાય છે કે સાધારણ બુદ્ધિવાળાને એ વાત ગળે જ ન ઉતરે. - 5-18. અક્ષ (ભકિત) લૂખી; કંઈ લેવું દેવું ન પડે એવી; વણિફ મિત્રની તાળી જેવી. 95-19. રાજપિંડ......ઈત્યાદિ સાધુઓને રાજાના ઘરને પિંડ (આહાર વગેરે) અગ્રાહ્ય છે. એનાં કારણો વિસ્તાર સહિત આચારાંગ સૂત્રના અધ્યાયમાં બતાવ્યાં છે. 5-23. માસક્ષપણ. મહિનાના ઉપવાસ. 5-25. શિરેબાધા, માથાનો દુખાવે. 96-1. અભિગ્રહ. નિયમ ગ્રહણ કર. 96-4. આ લોકે સુધા કેવી રીતે... ઈત્યાદિ. અહિં આ (નીચે રહેલા) નારકીના જીવો સુધા કેમ સહન કરતા હશે એ જોવા, જાણવા ઈચ્છતો હાયની એમ અધમુખ મુદ્રિકા ધારણ કરી રહ્યો ?' એમ જોઈએ. - 97-26. બાળ તપસ્વી, અજ્ઞાન તપસ્વી; (લાભાલાભ) સમજ્યા વિના તપશ્ચયો કરનાર. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #299 -------------------------------------------------------------------------- ________________ 283 પરિષણ ટિપ્પણી. 98-6. અલ્પદ્ધિક. અલ્પ સમૃધિવાળો 98-11. લેગ્યા. મનવૃત્તિ. 98-23. પતિરૂપ દેવતા. પતિદેવ, ભર. 9-21. અપવાદ ઉત્સગ કરતાં બળવાન છે. ઉત્સર્ગ = સામાન્ય નિયમ. અપવાદ-વિશિષ્ટ નિયમ. ગાવા રિસ તથાઇત્તર: ઘરે કુમારસંભવ સર્ગશોક ર૭. ઝવા રૂવો થાવાર : | રઘુવંશ સર્ગ 15. લેક 7. 98-25. કાર્ય એવી રીતે કરવું જોઈએ કે........ઈત્યાદિ. અત્યારે રીતસર કહેવત એવી છે કે સાપ મરે નહિ ને લાકડી ભાંગે નહિ. સર્પ વહ્યો આવતો હોય એને જમીન પર લાકડી ઠપકારી ઠપકારીને દૂર રાખવો. એને લાકડી વતી મારી નાખવો નહિં એમ બહ જેસથી ઠપકારીને લાકડી પણ ભાંગી નાખવા નહિ. આપણે ફક્ત કાર્યો સાધી લેવું. 98-20. માંસ મંગાવ્યું. પૂર્વે જેમાં માંસ ભેજન થતું હોવું જોઈએ એનું આ એક નહિ, પણ શ્રી નેમિનાથના લગ્ન સમયે અનેક અવાચક પશુઓ એકઠાં કરવામાં આવ્યા હતા, આદિ દુષ્ટાન્ત છે. એમ કેમ હશે ? - ૧૦૦—છેલ્લી. અશોક વાટિકા. એ નામને શ્રેણિક રાજાને બગીચે. 101-15. ઉગ્રસેન રાજાને કંસ થયો હતો એમ. કંસ મથુરાના રાજા ઉગ્રસેનને પુત્ર અને કૃષ્ણને કટ્ટો શત્રુ હતે. વેર ઉત્પન્ન થવાનું કારણ એમ કહેવાય છે કે વસુદેવના દેવકી સાથે લગ્ન થયા પછી એકદા એવી આકાશવાણી એણે સાંભળી કે દેવકીના આઠમા ફરઝંદથી એનું મૃત્યુ થશે. એ પરથી એણે વસુદેવ અને દેવકી બેઉને બન્દિખાને નાખ્યા અને મજબૂત બેડીઓ પહેરાવી. વળી એમનાપર સખત પહેરે મૂકો. દેવકીને જે જે ફરઝંદ થયા તેને એણે દેવકી પાસેથી જન્મતાં વેત જ લઈ લીધા અને મરણશરણ કર્યો. આ પ્રમાણે એણે એના છ ફરઝંદેને ઠેકાણે કયો. (પણ એના સાતમા અને આઠમા ફરઝંદ બળરામ અને કૃષ્ણને એની ગમે એટલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #300 -------------------------------------------------------------------------- ________________ 284 પરિષિક ટિપ્પણી. ચેઠી છતાં નન્દને ઘેર સલામત પહોંચાડી દીધા. આ બેમાંથી કૃષ્ણ છેવટે ઠંદ્વયુદ્ધમાં એના પ્રાણ લીધા.) 101-17. પુત્રપ્રાપ્તિઅથે સ્ત્રીઓ રાત્રીદિવસ...ઇત્યાદિ. અહિં કવિએ જે વિચારો દર્શાવ્યા છે. એનેજ મળત “કૃતપૂણ્ય ની માતાના સંબંધમાં દર્શાવ્યા છે. જુઓ આ ચરિત્રને બીજો ભાગ પૃષ્ટ 156. 102-18. પુષ્પદન. સૂર્ય અને ચંદ્રમા. પર્વ દિવસે. પૂર્ણિમાને દિવસે. 102-24. શ્રી ત્રિકૂટપર્વતની ભૂમિ પેઠે. અહિ “શ્રી ત્રિકૂટપર્વતનાં ત્રણ શિખરે પૃથ્વી પર આવ્યાં હોયની એમ " એમ જોઈએ. સગ ત્રીજો ૧૦૩–ગંગાના પુલિન પ્રદેશ જેવી થયા. પુલિન પ્રદેશ એટલે રેતીવાળો કિનારે=Sand banks એમાં પગ મૂકતાં જેમ અંદર ઉતરી જાય તેમ, શગ્યા પણ એવી નરમ કે શરીર અંદર પેસી જાય. 105-21. સુધર્મા એ ઈન્દ્રની સભાનું નામ છે. 105-29. મેરૂની સન્મુખ કુલાચલ શેભે તેમ આઠ કુલાચલે-કુલપર્વતે કહ્યા છે પદ્મોત્તર, નીલવાન, સુહસ્તી, અંજનગિરિ, કુમુદ, પલાશ, વતંસ અને રોચન કે રેહણાગિરિ, જુઓ લેક પ્રકાશ સર્ગ 18. 1. ધ્યાનમાં રાખવું કે આ આઠે મેરૂની સન્મુખ, મેરૂની અકેક વિદિશાએ બબ્બે આવેલા છે. સાત વર્ષધર પર્વતે કહેવાય છે એ જુદા. જુઓ પૃષ્ટ 4, ટીકા 3. 106-20. મેરૂ પર્વતની ભૂમિની પેઠે મેરૂપર્વતને ચાર વન છે તેમાં એક નન્દન વન છે. બીજાં ત્રણ “ભદ્રશાળ, સોમનસ અને “પંડક છે. 107-7 અશક વૃક્ષની જેમ દેહદ...ઈત્યાદિ. જુઓ પૃષ્ટ 35 ની કુટનેટ. - 107-12. વૈભારગિરિ. રાજગૃહીની સમીપે આવેલે પર્વત. ૧૦૭—–છેલ્લી. તક્ષકનાગ. આ એક જાતના મહા ભયંકર નાગ છે. એના મસ્તકેથી “મણિ લઈ લેવા જેવો મુશ્કેલ દેહદ. એવા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #301 -------------------------------------------------------------------------- ________________ પરિષિક ટિપ્પણ. 285 હોટા ભયંકર નાગને મસ્તકે મણિ હોય છે અને એ, એઓ રાત્રીને સમયે ભક્ષ શોધવા નીકળે છે ત્યારે ચેદિશ પ્રકાશ પાડે છે એમ કહેવાય છે. 104-8. મેઘવૃષ્ટિથી કદમ્બ વૃક્ષ...ઇત્યાદિ મેઘની ગર્જના થાય ત્યારે કદમ્બવૃક્ષને અંકુરે કુટે છે એમ કહેવાય છે. 109-17. બાર બાર સૂપર વિજય....ઈત્યાદિ. એના દેહની કાતિ બાર સૂર્યોની એકત્ર કાન્તિ–તેજ-થી પણ અધિક હતી. હિન્દુ શાસ્ત્રકારોએ બાર સૂર્ય કહ્યા છે. એ બારે સામટા જગતના લય વખતે જ પ્રકાશતા કહેવાય છે. 109-18-19. ચરણે....નેત્ર.....ઇત્યાદિ. દેવનાં આ ખાસ લક્ષણે છે. એનાથી એઓ ઓળખાઈ આવે છે કે એઓ દેવતા છે, મનુષ્ય નથી. (જુઓ પૃષ્ટ 104-16.) દમયન્તીને સ્વયંવરમાં વરવા માટે જે વરૂણ આદિ દેવો નળનું જ રૂપ ધારણ કરીને આવેલા હતા એમને દમયન્તીએ એ જ લક્ષણેથી ઓળખી કાઢયા હતા. જુઓ નળાખ્યાન - साऽपशद्विबुधान् सर्वानस्वेदान् स्तब्धलोचनान् / भूमिष्टो नैषधश्व निमेषेण च मूचितः // ... 110-15. પૂર્વ તરફનો વાયુ..ઇત્યાદિ. બીજાં કારણેની સાથે પૂર્વના વાયુને સદ્ભાવ હોય ત્યારે જ મેઘવૃષ્ટિ થાય છે. ( 110. જ્યાં જ્યાં પ્રસંગે ઉપસ્થિત થયેલ છે ત્યાં ત્યાં સુઆદિનાં વણનોરૂપ વિષ, જે કાવ્યનાં અલંકાર ગણાય છે તે આ કાવ્યકાર આપવા શક્યા નથી. અહિં જેમ વષોડતુનું તેમ અન્યત્ર (પૃષ્ટ 160) શિશિરઋતુનું, અને (પૃષ્ટ 149) ગ્રીષ્મઋતુનું–એમ તાદશ વર્ણન આપ્યા છે. સ્ત્રી-પુરૂષના સુંદર સ્વરૂપ પણ ઉત્તમ ચિત્રકારની પછીથી ચીતર્યો છે. (જો કે મારા નમ્ર મત પ્રમાણે ચગીઓ-સાધુઓ અને તેમાં પણ શ્રી અડુતના પંચમહાવ્રત આચાયોએ આવા કાવ્યમાં અને અન્યત્ર (“અજિત શાન્તિ સ્તવન” જેવામાં) પણ હદને ઉલંઘીને સ્ત્રીનાં અંગે પાંગ-હાવભાવ આદિનાં કામોત્તેજક વન ન કર્યા હતા તે શી ખોટ જાત !) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #302 -------------------------------------------------------------------------- ________________ 286 પરિષિક ટિપ્પણી. ' 111-15. મલિન મેઘ. કૃષ્ણવર્ણકાળા મેઘ; (કારણ કે પાણીથી ભરેલા). ( 111-19. હંસ પક્ષીઓ...ચાલી નીકળ્યાં. કારણ કે વર્ષાઋતુ એમને પ્રતિકૂળ છે. (વર્ષાઋતુમાં હંસ સંતાઈ જાય છે અને મયૂરનું બળ વધે છે. શરદમાં એથી ઉલટું બને છે). 112 -8. વને વને કપકુમ હોય? સરખાવે - शैले शैले न माणिक्यं मौक्तिकं न गजे गजे / સાધો નદિ સર્વત્ર વ ન વ ને સુભાષિત. 113. અજાગળ સ્તન જેવાં. નકામાં. ( અજાને ગળે સ્તન જેવા આકારનાં લટકતાં હોય છે એ કંઈ દુધ દેતાં નથી તેથી નકામાં છે). 112-. તિથિએ તિથિએ.... ઈત્યાદિ. હમેશાં પુનમ હોય? 114-19. સૂર્ય ચંદ્રનાં દર્શન કરાવ્યાં. શાસ્ત્રકારોએ ( શુદ્ધિ અથે) " સોળ સંસ્કાર " કરવાના કહ્યા છે. એમાંનો આ એક સંસ્કાર છે. બીજા ષષ્ઠી જાગરણ, નામકરણ, ચૂડાકરણ, ઉપવીત...............વગેરે છે. 115. મેઘકુમારને સમશ્યા વિનેદ. હાલની સ્ત્રીઓની વિદ્વત્તા, અરે! ખરી કેળવણીના અભાવના જમાનામાં તો આપણે આવા વિનદ આદિ પુસ્તકમાંથી વાંચીને જ સંતોષ માની બેસી રહે. વાનું છે. કયે રાજપુત્ર કે કહેવાતે ગૃહસ્થ પણ પિતાની પત્ની સાથે આવું ગષ્ટીસુખ અનુભવતો હશે? પૂર્વના આચાર્યોએ રાસ વગેરે કથનગના ગ્રંથમાં અનેક અનેક સ્થળોએ નાયકનાયિકાના લગ્નની પ્રથમ રાત્રી વગેરે અવસરેએ આવા આનન્દજનક પ્રસંગે ચીતયો છે તે અત્યારની લક્ષાધિપતિઓની સંતતિ સુદ્ધાં વિકટ નિશાના ઘેર સ્વપ્ન જ સમજશે? હા લક્ષ્મી ! તારે સરસ્વતીની સાથે ક્યા ભવનું વેર હશે ! સરસ્વતી ! તારે પણ શું લક્ષમીની સપત્ની તરીકે જ જન્મારો કાઢવે છે? 120-14. ગુરૂજન. વડીલ; માતપિતા, (અહિં) ચેષ્ટબધુ નન્દિવર્ધન આદિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #303 -------------------------------------------------------------------------- ________________ પરિષિક ટિપ્પણી. 287 120-17. નિઃસંગ. ત્યાગી. પ્રભુતો ત્યાગી હતા પરંતુ ઈન્દ્રમહારાજાએ વ્યવહારોનુસાર, એક દેવદુષ્ય, જે એક લક્ષમૂલ્યનું હતું, તે પ્રભુને ખભે મૂકહ્યું હતું. એ મેળવવાની લાલસામાં એક બ્રાહ્મણ પ્રભુના વિહારમાં એમની પાછળ પાછળ ભમતો હતો. એ વાતની પ્રભુને ખબર પડી એટલે એમાંથી અરધું એ બ્રાહ્મણને આપી દીધું હતું. (બાકીનું અરધું પણ એના ભાગ્યે એને જ મળી ગયું હતું.) 120-18. અનન્ત વીર્યવાળા. શ્રી જિનભગવાનનાં ચાર વાનાં અનન્ત હોય છે. (1) અનન્ત વય, (2) અનન્ત જ્ઞાન, (3) અનન્ત ચારિત્ર અને (4) અનન્ત દશન. 120-19. ઉપસર્ગો. તિર્યંચ–અસુર આદિ કૃત કાયક્લેશ. 120-20. ઘાતકર્મ. આઠ પ્રકારનાં કર્મમાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય અને અન્તરાય-એ ચાર “ઘાતિ” કહેવાય છે કેમકે એ આત્માના જ્ઞાન, દર્શન આદિ ગુણોને “ઘાત કરનારા છે ( કેવળજ્ઞાન થવા દેતા નથી). 1223. શરીર સુગન્ધમય.ઇત્યાદિ. અહિંથી શરૂ કરીને શ્રી જિન પ્રભુના જે ચેત્રીશ “અતિશય " એશ્વર્ય) Extraordinary Superhuman Qualifications કહેવાય છે તે વર્ણવ્યા . 121-10. વિરૂપપણું. (1) અરૂપીતા, (2) કદ્રુપતા 121-11. પૃષ્ઠભાગે. કારણ કે સામેને પવન નહિ સાર; પીડનેપાછળને સારે. - 121-14. ભાવકંટકે. કામ, ક્રોધ, લોભ, મેહ આદિ અભ્યન્તર શત્રુઓ. 122-21. સૂત્રાનુયેગને વિષે સુખે પ્રવેશ કરવાને....ઈત્યાદિ. સૂત્ર સહેલાઈથી સમજી શકાય માટે. પૂર્વાચાર્યોએ ચાર “દ્વાર” રચા છે. જેને પ્રથમ અભ્યાસ થયેલ હોય તો સૂત્રે સુખે-સહેલાઈથી સમજી શકાય છે. દ્રવ્ય-અનુગ, ચરણકરણ-અનુયોગ, ગણિત-અનુગ અને ધર્મકથા-અનુગએ ચાર અનુગરૂપી ચાર દ્વાર સમજવાં. - 122-26. દેવછંદ. સમવસરણને વિષે, પાછળ, તીર્થકર .P.AC. Guntainasuri M.S. Jun Gun Aaradhak Trust Page #304 -------------------------------------------------------------------------- ________________ 288 પરિષિષ્ઠ ટિપ્પણું. મહારાજાને દેશનાને અન્ને વિશ્રામ લેવાને માટે દેવતાઓએ રચેલું 2014 (924-Chamber. 123-20. ભામંડળ. ભા–કાન્તિ-મંડળ. પ્રભુનું સર્વ તેજ લેકે સહન ન કરી શકે, એની સામે જોઈ જ ન શકે, માટે, એવું ભામંડળ હોય તો એને વિષે એ તેજ સંક્રમણ થાય ને ત્યાં પણ રહે. એમ ભાગ પડી જાય એટલે પછી જેનારને મુંઝવણ ન રહે. (અત્યારે જે જે સ્થળે વીજળીની બત્તીનાં કારખાનાં છે ત્યાંથી એને પ્રવાહ current જેસબંધ આવે, અને એટલે આવે એટલે વપરાય નહિ તે સામટે એકત્ર થયેલે નુકસાન કરી બેસે, યત્રકામ ફાડી નાખે, માટે વધારાને ઝીલવાને-સંઘરવાને વચ્ચે વચ્ચે સ્ટેશને કયો છે ત્યાં એને સંગ્રહ થાય છે. આ વાત સમજવાથી ભા–મંડળના ઉપગની વાત ધ્યાનમાં ઉતરશે). 123-22. મહારાજા શેક સહિત.....ઈત્યાદિ. (સરખા આ ચરિત્રને બીજો ભાગ પૃષ્ટ 16. પંક્તિ 1.) 124-13. અ અન્ય મત્સરભાવને ધારણ કરતા પ્રાણીઓ .....ઈત્યાદિ. આવા મહાત્માની હાજરીમાં એવાનું સ્વાભાવિક વેર જતું રહે છે. અન્યત્ર પણ કહ્યું છે કે - विरोधिसत्वोज्झितपूर्वमत्सरम् तपोवनं तच्च बभूव पावनम् // કુમારસંભવ કાવ્ય સર્ગ પલેક 17 124-15. ત્રીજા પ્રાકારને વિષે સર્વ વાહને રહ્યાં વળી. અહિં “વળી ત્રીજા પ્રાકાર-ગઢને વિષે સર્વ વાહનો રહ્યાં. એમ વાચવું. 124-16. અભિગી. (સભામાં આવેલાઓની સેવામાં આવેલાં) સેવકે અથોત વાહને. 125-10. ગુણશીલ ચિત્ય. શ્રેણિક રાજાના ઉદ્યાનમાં આવેલું એ નામનું-ચત્ય-જિનમંદિર. ( 126-9. સેચનક હસ્તી. આ “સેચનક' નામના હસ્તીની ઉત્પત્તિ વગેરે માટે જુઓ આ ચરિત્રને બીજો ભાગ પૃષ્ટ ૧૭૪-૧૭પ.. P.P. Ac. Gunratnasuri M.S. Page #305 -------------------------------------------------------------------------- ________________ - પરિષિ૪-ટિપ્પણી. 289 ભવ્ય પુરૂષ અહંકારથી ઉતરે. આ એક “ઉપમિતભવપ્રપંચા કથામાંથી દુષ્ટાત છે. જ્ઞાન આદિ પ્રાપ્ત થાય એટલે અહંકાર ટળે એ સ્વાભાવિક છે. 126-23. છત્ર........નો ત્યાગ કર્યો. દેવગુરૂ સન્મુખ ગમન " કરતાં આ વસ્તુઓને ત્યાગ કરે, એ “અભિગમન” કેમ કરવું–કેમ પાળવું–કેમ સાચવવું–એમ સમજાવતાં છેવટ એ વિધિ જ અભિગમન સાંચવવાં” કહેવાય છે. જુઓ આ ચરિત્રને બીજો ભાગ પૃટ 15 ની સવિસ્તર ટીકા. - 126-27. એસટી ઉત્તરાસંગ. એક પડે એસ રાખ. આ પણ એક “અભિગમન સાચવવા નું છે. * 127-12. મેરૂ પર્વતને ચલિત કરીને સુરપતિને નિશ્ચળ કર્યો હતો. મેરૂને ધણધણાવીને ઈદ્રના મનને સંદેડ ભાંગ્યે હતો. વાત એમ છે કે પ્રભુના જન્મોત્સવ વખતે ઈન્દ્રને સંદેહ થયે હતો કે જે પુષ્કળ જળ દેવ તરફથી અભિષેક અર્થે એકઠું કરવામાં આવ્યું હતું તેને એક સામટો અભિષેક પ્રભુ સડન કરી શકશે કે નહિ. પ્રભુને જન્મતાંની સાથેજ અવધિજ્ઞાન " તો હોય છે એટલે ઈન્દ્રને એ સંદેહ જાણી ગયા, અને પિતામાં કેટલી શક્તિ છે એ બતાવવા એમણે ફક્ત પિતાના એક અંગુઠાના જોરે મેરૂને કમ્પાયમાન કર્યો હતો. ૧ર૭૨૫. જનવર્ગથી જનક્ષેત્રની પેઠે. મનુષ્ય લેક જેમ મનુષ્યથી ભરપૂર છે, શુન્ય નથી, એમ આપના ચરણકમળાન્ય રહેતા નથી, દેના વૃન્દ એની સમીપે બેઠાને બેડા જ રહે છે. 127-15. અન્દ્ર વ્યાકરણ. પ્રભુને નિશાળે મોકલવામાં આવ્યા ત્યારે ત્યાં, પ્રભુમાં તો સર્વ વિદ્યા વિદ્યમાન છે-એમ એના વિદ્યાગુરૂને બતાવવા માટે, ઈદ્ર સર્ગથકી બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા; અને ગુરૂના દેખતાં કેટલાક પ્રશ્ન પ્રભુને પૂછ્યા હતા. એ પ્રશ્નોના ઉત્તર ગુરૂ પિતે પણ ન આપી શકો અને પ્રભુએ તે સર્વ શંકાઓનું સદ્ય સમાધાન કર્યું. (પછી ઈન્ટે પોતાનું રૂપ પ્રકટ કર્યું હતું ). એ વખતે જે પ્રશ્નોત્તરી થઈ હતી તેને એક ગ્રંથ થયે, જેને “ઈન્દ્ર' ના નામ પરથી એ% વ્યાકરણ કહેવામાં આવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #306 -------------------------------------------------------------------------- ________________ 290 પરિષિષ્ઠ ટિપ્પણી. * 127-22. ગ્રીષ્મઋતુમાં જળાશયોમાં જળ વૃદ્ધિ પામે છે એમ. વાવ, કુવા વગેરેમાં ઉન્ડાળામાં જળ ઉંચા આવે છે એ સુપ્રસિદ્ધ છે. ( 127-26. જઘન્ય પદ. સૈથી ઉતરતું- સંસારી તરીકેનુંપદ. કહેવાની મતલબ એ છે કે આપનો જન્મ થયો ત્યારથી, અને સંસારમાં હતા તે વખતે પણ, દેવતાઓ આપની સેવામાં હાજર ને હાજર હતા. (સંસાર ત્યજી સાધુ થયા એ એ કરતાં ચઢતું પદ, અને હવે કેવળજ્ઞાનના ધણી થયા છે એ એથી પણ ઉંચું ઉત્કૃષ્ટ પદ). 127-2. સંગમક દેવ. આ સંગમક દેવે શ્રી વીરને અનેક પ્રાણાંત ઉપસગો ક્યો હતા. 128-14. સર્વ કેઈની ભાષાને અનુસરતી વાણી. પ્રભુ દેશના આપે એ સે કેઈ–દેવ મનુષ્ય અને તિર્યંચ સુદ્ધાં પિતપોતાની ભાષામાં સમજી જાય એવી ભાષા પ્રભુની હેય. આ પણ પ્રભુને એક “અતિશય " અર્થાત એશ્વર્યા છે. 12-15. જન પર્યન્ત પ્રસરતી વાણી. એક એજન સુધીમાં સંભળાય એવી વાણી પ્રભુની હેય. આ પણ એક " અતિશય.” - 129-17. કંસે સુલસાના પુત્રોને...ઇત્યાદિ. અહિંઆ ગ્રંથ કતોની કંઈ ભૂલ કે સ્મૃતિષ થયે જણાય છે. કારણ કે ખરી હકીકત કસે સુલતાના પુત્રોને નહિં પણ દેવકીના પુત્રને મારી નાખ્યા હતા એમ છે. જૂઓ પૃષ્ટ 101 પં. ૨પ ઉપરનું ટિપ્પણ. . 12924 રાજા ગાયેનાં ટેળાં.......ઈત્યાદિ. પૂવે એમ બનતું કે એક રાજાને બીજા પડશના રાજાની સાથે શત્રુતા હોય તો એ રાજાના ગામની ગાય સીમમાં ચરવા ગઈ હોય ત્યાંથી એને સ્થાને ન જવા દેતાં, રાજસેવકે મેકલી રૂંધીને –અટકાવીને વાળી લઈ જતા. એને “ધ” વાળી જવું કહેતા. (વાળી જનાર રાજા બળવાન ગણાતો, અને સામાવાળે એમાં પિતાનું અપમાન-અપકીતિ થઈ સમજતો. ગા જેવા નિર્દોષ અને વળી પવિત્ર પ્રાણીને માટે રાજાએ પિતાનું શરીર પણ આપવા તૈયાર થતા). 232-5. રસકૂપિકાનો પ્રયાગ. અહિં “રસકૂપિકાને વિષે પ્રવેશ” એમ જોઈએ. રસકૂપિકા જેના સ્પર્શથી લોહ આદિ હલકી ધાતુઓ “સુવર્ણ થઈ જતી કહેવાય છે એવા રસની કુઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #307 -------------------------------------------------------------------------- ________________ પરિષિક-ટિપ્પણી. 291 132-4. રેહણાચળની ભૂમિનું છેદવું. રહણગિરિ નામનો પર્વત છે એમાંથી રને મળી આવે છે. 132-6. નિમિત્ત–અદેશ. કેઈનું શુભ થવાનું છે કે અશુભ થવાનું છે એ પિતાના જ્ઞાનબળથી કહેવું. ( નિમિત્તિક એવું જ્ઞાન ધરાવનાર.) 131-15. સદ્ધિવાન પુરૂષ ગામથી નગરમાં.......વગેરે. ( ગામડામાં) માણસ પાસે પૈસા થાય એટલે ગામડું મૂકી શહેરમાં રહેવા આવે છે એમ. ૧૩ર--મનુષ્ય ભવનાં દુ:ખ, બુદ્ધદેવ પણ સંસારમાં સર્વત્ર કલેશ જ જુએ છે-- "Birth is sorrow, old age is sorrow, disease is sorrow, uuion with one whom we do not love is sorrow, separatiou from one whom we do love is sorrow; iu short, our five bouds with the things of the earth are sorrow". - 132-20, જાણે ઉપર. અહિં “ખાટલા ઉપર” એમ જોઈએ, 133-. તલથકી શ્યામ મરી......વગેરે. તલ પણ કાળા અને મરી પણ કાળા. કહેવાનો ભાવાર્થ એવો છે કે સર્વત્ર જરખું જ છે, સ્વર્ગમાંએ એકાન્ત સુખ નથી. આપણામાં અત્યારે કહેવત છે કે “કેણુ કાળું ને કણ ગોરૂં ? " 133-16. અન્યદશા. કનિષ્ટ દશા. 133-16. અહિ. આ પૃથ્વી પર 133-24. માળાની કલાનિ...ઈત્યાદિ. માળા કરમાઈ જાય છે.......વગેરે ગણાવ્યાં એ સ્વર્ગના દેવેને ચવન એટલે મૃત્યુ સમયના ચિહે છે. 134-2. અશુચિની ખાણ એવી માનવીની કુક્ષિને વિષે. અશુચિમય એવી માનવી-મનુષ્યણી–સ્ત્રીના ઉદરમાંથી મનુષ્ય જન્મે છે. પણ દેવોના સંબંધમાં એવું કંઈ નથી–એઓ તે પુષ્પની શસ્યામાંથી બેઠા થાય છે-ઉત્પન્ન થાય છે. 134-7. (રાસભેનો) આરવ. શબ્દ, ભુકવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #308 -------------------------------------------------------------------------- ________________ 292 પરિશિષ્ટ-ટિપ્પણું. 134-2-17. આ આખા પારગ્રાફમાં દિવ્ય જીવન અને મનુષ્યજીવન વચ્ચે ભેદ દશોષે છે. 134-27. દ્રવ્યવિવજન. પરિગ્રહને ત્યાગ. 135-3. “દેશ થી ત્યાગ. ઓછાવત્તોડે ત્યાગ. 135-. અતિચાર. ઉલ્લંઘન Transgression વ્રત નિયમનાં અનુપાલનમાં કંઈ દોષ, સહેજ ભૂલ કરવી તે. (વ્રત નિયમને એકદમ ભંગ એ “અનાચાર”). 135-5. છવિ છે. બળદ આદિ પશુઓના નાક કાન વગેરે છેઠવા, વીંધવા એ. (છવિચામડી). 135-5. ભક્તપાનને વ્યવદ, પશુ આદિને ખોરાક પાણી આદિમાં અંતરાય પાડ, અટકાયત કરવી; વખતસર “નીરણ” ન કરવી વગેરે. 135-12. વેરિના રાજ્યમાં જવું. અહિં “વેરિના રાજ્ય ઉપર ચઢાઈ લઈ જવી " એમ જોઈએ. પારકું રાજ્ય લઈ લેવું એ “અદત્ત–આદાન” નો એક પ્રકાર જ કહેવાય. (વંદિતા સૂત્રમાં ‘વિરૂદ્ધ ગમન'એમ અતિચાર' કહ્યો છે. અન્યત્ર “રાજ્ય વિરૂદ્ધ ગુન્હો” એમ કહ્યું છે). 135-19. વસ્તુ. અહિં “વાસ્તુ " જોઈએ. વાસ્તુ=ધર, દુકાન વગેરે. 135-22. અનુક્રમે બમ્બનું બધી. પહેલા બેનું બંધનઃ ધનનું બન્ધન અને ધાન્યનું બંધન. એમાં ધનનું બન્શન એવી રીતે કે દશ કોથળી દ્રવ્યનું “પરિગ્રડ પ્રમાણુ રાખ્યું હોય ને એથી વધી જાય તે છે કે થળીની એક કરી નાખવી. ધાન્યનું બન્શન એવી રીતે કે દશ આવે અનાજનું પ્રમાણ કર્યું હોય અને તે કરતાં વવી. જાય તો એ માપનું એક કરી નાખવું (મોટાં માપ બાંધવા). બખ્ત નું મોજ. બીજા એનું જનઃ ફોરતું રોજન અને વાસ્તુનું જન. એમાં ક્ષેત્રનું જનએટલે બે ક્ષેત્રનું એક કરી નાંખવું ( વ વાડ હોય તે કાઢી નાખવી). વાતુનું જન એટલે બે ઘર કે હાટ હોય એની વચ્ચે કરે કાઢી નાખીને એક કરી નાખવું. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #309 -------------------------------------------------------------------------- ________________ પરિષિક ટિપ્પણી. 297 બમ્બનું દાન. ત્રીજ બેનું દાનઃ સેનાનું દાન અને રૂપાનું દાન, દાન એટલે ( સ્ત્રી પુત્રાદિને) આપી દેવું, અગર ચેપડામાં એમને નામે ચડાવી દેવું. બબેનું ગર્ભાધાન. ચેથા બેનું ગર્ભાધાન: દ્વિપદ એટલે બે પગ દાસ દાસીઓ વગેરે, અને ચતુષ્પદ એટલે ચેપગાં-ઢોર ઢાંખર. આ બેઉ ધારેલા “પ્રમાણુ” થી વધી જતાં હોય તો બોધાન એટલે ગર્ભનું અધાન-ગર્ભનું ન ધારણ કરવાપણું, થાય એમ કરવું, અથવા મેડે ગર્ભધારણ કરાવ. કુયની ભાવથી વૃદ્ધિ. મુખ્ય એટલે સોનારૂપ શિવાયની (હલકી ધાતુ. એનાં વાસણકુસણ વગેરે ધારેલી સંખ્યાથી વધી જાય તો (ભાંગી નાખી) “ભાવથી " વૃદ્ધિ, એટલે કદમાં? વૃદ્ધિ કરાવવી–હેટાં કરાવવાં (અને એમ કરીને ધારેલી સંખ્યા ન વધે એમ કરવું.) ૧૩૫–૨પ ગૃહસ્થ એટલે સંસારી, શ્રાવકને તપાવેલા લેહના ગોળા જેવા કહ્યા–એનું કારણ એ કે, જેમ એ તપાવેલો લેહને ગોળ એક જગ્યાએ અટકાવ્યે રાખે સારે અથવા ઝાઝું ન ફરવા દેતાં થોડું ફર્યો સારો (કેમકે જ્યાં જ્યાં એ ફરશે-જશે ત્યાં ત્યાં એનાથી અનેક જીવજતુની હાનિ થશે); તેમ શ્રાવક પણ લીલ, ફુલ, વનસ્પતિ આદિથી પૂર્ણ એવી ચોમાસાની ઋતુમાં અને અન્ય હતુઓમાં પણ જ્યાં જ્યાં ગમનાગમન કરે ત્યાં ત્યાં એનાથી જીવોની વિરાધના જ થવાની. માટે ગૃહસ્થ-શ્રાવક જવા આવવાના અન્તરને નિયમ ધારે, અમુક પ્રમાણ બાંધે એ એને બહુ ઉત્તમ એટલે હિતકારક છે. 176-7 સચિત્ત. ચૂલે (અગ્નિપર) ચડ્યા વિનાનું બધું સચિત્ત” કહેવાય. તુચ્છ એષધી. ખાવાનું થોડું ને ફેંકી દેવાનું ઝાઝું-એવી વસ્તુઓ જેવીકે બેર (જેમાં ઠળીયે મેટ ને ખાવાનું તો ફકત ઉપલી છાલ જ ); શેરડી ( જેમાં રસ છેડે, ને છતાં ઝાઝાં) વગેરે. 136-016. વન રેપીને. અહિં 6 તથા વન રેપીને " એમ જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #310 -------------------------------------------------------------------------- ________________ 294 પસિષષ્ટ-ટિપ્પણી. 13630. જગમ તથા સ્થાવર વિષ. સર્પ વગેરે પ્રાણી જંગમ વિષ કહેવાય; જ્યારે અફીણ, સેમલ, વછનાગ વગેરે પદાર્થો સ્થાવર વિષ કહેવાય. 137-14. અપધ્યાન. ધર્મધ્યાન, શુક્લધ્યાન, આર્તધ્યાન અને રદ્રધ્યાન-એ ચાર પ્રકારનાં ધ્યાનમાં છેલ્લાં બે અપશ્ચાન-દુષ્ટધ્યાન કહેવાય. 137-4. ગળકંબળ. બળદ વગેરે પશુઓને ગળા નીચે જાડી ચામડી લટકતી હોય છે તે. 137-8. જળ કાઢીને. અહિં “જળ ઉલેચાવી નાખીને " એમ વાંચવું. 137-19. કન્દર્પ કામે દીપક વચન બોલવાં. મુખરતા. અઘટિત લવારે ક્યાં કર. કુંચિતપણું. શરીરના અંગોપાંગવડે હાસ્યજનક કુચેષ્ટા કરવી, ચાળા પાડવા. ભેગાતિરિકતતા. ભેગ-ઉપભેગ-ની વસ્તુઓ ખપ કરતાં વિશેષ રાખવી. . સંયુકતાધિકરણતા. શસ્ત્ર, ઘંટી, મુશળ વગેરે અધિકરણ તૈયાર સજ્જ કરી રાખવાં, કઈ માગવા આવે એને આપવાં; વગેરે. - 137-13. અનર્થ દંડ, જે થકી આત્માને નિરર્થક દંડાવું પડે, પાપ વહેરવું પડે એ. - 137-14. કૃપાણ આદિનું દાન. શસ્ત્રો માગ્યાં આપવાં. 137-17. સર્વ સાવઘ ગ ત્યજીને. સંસારનાં કાર્યો ત્યજીને 137-19. મન, વચન અને કાયાને સાવદ્ય વ્યાપાર. (1) સંસારના કાર્યોની ચિન્તા કરવી; (2) કર્કશ ભાષા બોલવી; (3) ભૂમિ પ્રમાર્યા વિના બેસવું વગેરે. 137-20. અનવસ્થાન અસ્થિરતા, નિરાદર. પ્રેષણ. નિયમ ધાર્યો હોય એથી બહાર કંઈ મોકલવું કરવું. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #311 -------------------------------------------------------------------------- ________________ પરિષિક...ટિપ્પણી. 295 આનયન ધારેલી ભૂમિની બહારથી કંઈ મંગાવવું વગેરે. શબ્દાનુપાત. શબ્દ, ખુંખારા વગેરે પડે પિતાની હાજરી જણાવવી. પાનુપાત (ઊંચા થઈ) શરીર દેખાડી, સામા વાળાની દૃષ્ટિએ પડવું પુદુશળક્ષેપ. આપણી ધારેલી ભૂમિની બહાર કેઈના તરફ કાંકરે આદિ નાખવે. આદાન. કંઈ લેવું કરવું. ઉત્સર્ગ, મળમૂત્ર આદિ પરઠવવાં. સસ્તાર. સંથાર, બીછાનું. દેહને અસત્કાર સ્નાન, ભૂષા વગેરેને ત્યાગ.. 138--2, સ્મૃતિને અભાવ. (વિધિ કરવાનું) વીસરી જવું. 138-1. ઉપસ્થાપનાને અભાવ. સ્મરણશક્તિ જાગ્રતા ન હેવી તે. 138-4. સચિત્તક્ષેપ. સચિત્ત-દોષવાળી આહાર પાણીની વસ્તુ ઉપર પ્રાશુક-નિર્દોષ વસ્તુ મુકવી. વિહિતક્ષેપ=નિર્દોષ ભોજ્ય પદાર્થોને દેષિત વસ્તુ વડે ઢાંકવો. 138-4. પારકાનો વ્યપદેશ. વસ્તુ પિતાની હેય છતાં પારકી છે એમ હાનું કાઢવું. કાલાતિકમાન. ભિક્ષાને સમય વીતી ગયા પછી, સાધુને અન્નપાનાદિ માટે બોલાવવા. 138-7. પૃષ્ટ ૧૩પ થી આરંભીને અહિં સુધી શ્રાદ્ધધર્મના આચાર અને અતિચાર ગણાવ્યા છે. ભીમસિંહ માણેકવાળા " સાથે પંચપ્રતિકમણ” ના મહટાં પુસ્તકમાં શ્રાદ્ધધર્મના અતિચાર સવિસ્તર વર્ણવ્યા છે તે વાંચવાની જિજ્ઞાસુઓને મારી ભલામણ છે. 138-18. શંકા. જિનેશ્વર ભાષિત વચન પર શંકા. કાંક્ષા. પરદર્શન પર અભિલાષા. વિચિકિત્સા. સત્કર્મના ફળને વિષે સંદેહ. સંસ્તવના. અહિં “પ્રશંસા તથા પરિચય” એમ જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #312 -------------------------------------------------------------------------- ________________ 296 પરિશિષ્ટ-ટિપણી. . ઉક્સપણ. ધર્મનું મહમ્ય વધારવું; શાસન દીપાવવું. 13-11. આટાપ્રમાણ. આટક એક જાતનું માપ છે. (ચાર “પ્રસ્થ”). | અંદર આવ્યા. અંદર લાવવામાં આવ્યું. સિદ્ધ કરેલા=તૈિયાર કરેલ, રાંધેલે. 139-14. યોગ્યચણી. અહિં “ગણું વાંચવું. 140-22, દેવછંદ. જુઓ પૃષ્ઠ 122. પં. ૨૬નું ટિપ્પણ. 140-25. ગતમ ગણધરે દેશના આપી. શ્રી જિન ભગવંતની દેશના પૂરી થયા પછી બીજી પૌરૂષીને વિષે ગણધર દેશના આપવા બેસે છે–એના ત્રણ ગુણ બતાવ્યા છે–એક તો પ્રભુને બેદાપદ એટલે વિશ્રાન્તિ મળે છે, બીજું શિષ્યનું સામર્થ્ય પ્રકાશમાં આવે છે, અને ત્રીજું, બન્ને બાજુએ (ગુરૂરાજ તથા શ્રેતૃવર્ગને) પ્રતીતિ થાય છે. 141-12. ઉત્તરસાધક. સહાયક 141-23. ઇન્દુલેખાની પેઠે.............ઇત્યાદિ. ઈદુલેખા એટલે ચંદ્રમા પરલોક પામે-અસ્ત થાય ત્યાંસુધી યેગીજને આસનબદ્ધ રહે છે. પછીજ એઓનું આસનબંધન છૂટે છે અને એ સિદ્ધિ-મનવાંછિત પ્રાપ્ત કરે છે–એ પ્રમાણે જ્યારે હું પરલેક પામું (મૃત્યુ પામું) ત્યાંસુધી તું સંસારબદ્ધ રહે, પછી છૂટીને તારું મનવાંછિત પૂર્ણ કરજે. 142-1. સંધ્યા સમયના મેઘના રંગ......ચપળ જીવિત. મનુષ્યની જીંદગીને સર્વ ધર્મવાળાઓએ આવાજ શબ્દોમાં વર્ણવી છેઃ "Like the dew on the mountain, "Like the foam on the river, "Like the bubble on the fountain, "Thou art gone, and for ever." (English poet). "Life is like a dream, a sleep, a shadow, a vapour, water spilt on the ground, a tale that is told, not only short but contemptible." (The Bible) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #313 -------------------------------------------------------------------------- ________________ 27 પરિષિક ટિપ્પણી. 142. સમુદ્રતરંગવત ચંચળ....ઇત્યાદિ. લક્ષ્મી, વન આદિ, સંસારીની પ્રત્યેક વસ્તુની ચંચળતા દશાવનારે, પ્રભુ પાસે રક્ષણ માગતા ભકતજનના મુખમાંથી નીકળેલ એક સુંદર શ્લેક જેમાં આ મેઘકુમારની સર્વ દલીલોને સમાવેશ થઈ જાય છે, તે મને યાદ આવવાથી અહિં ટાંકી બતાવવાની અભિલાષા રોકી શક્તા નથી. आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनम् બન્યાયાત્તિ જતા જુનને વિસા જા નક્ષ. लक्ष्मीस्तोयतरंगभंगचपला विद्युच्चलं जीवितम् तस्मान्मां शरणागतं शरणद त्वं रक्ष रक्षाधुना // 143-17. ઉગમશુદ્ધ...ઇત્યાદિ. આ અને બીજા પ્રકારે મળીને 47 પ્રકારે શુદ્ધ-એ આહાર જ સાધુને ઉપગમાં આવી શકે છે. ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ. જુઓ પૃષ્ટ 7 ની કુટનેટ પ-૬. 143-30. માસ-આદિ પઢિમાં એક માસ આદિ પર્યત કરતી એક જાતિની તપશ્ચયો. શ્રાવક આવી અગ્યાર “પડિમા” વહન કરે, જ્યારે સાધુને એવી બાર વહેવાની કહી છે. જુઓ - જુવારહું उवासगपडिमाहि वारसहि भिख्खुपडिमाहिं / 144 પરીષહ. સુધા, તૃષા આદિ સહન કરવા રૂપ બાવીશ પરીષહે. ઉપસર્ગજુઓ પૃષ્ઠ 120 પંકિત 19 ઉપરનું ટિપ્પણ, 143-14. જીવિતને વિષે કયાં પ્રતિબંધ છે? જીવિતની સાથે ક્યાં આત્યન્તિક સંગ છે? . 144-2. દ્રવ્ય ક્ષેત્ર આદિ અભિગ્રહ. અમુક જ દ્રવ્યપદાર્થ વાપરવાને, તથા અમુક જ ક્ષેત્ર અન્તર પર્યત જવા આવવાને નિયમ. 144-5 ગુરૂકુળ. ગુરૂને આશ્રમ–ઉપાશ્રય. 144-17, દુખેથી ઉખેડી શકાય..... છેઠવા એ સહેલ છે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #314 -------------------------------------------------------------------------- ________________ 28 પરિષિક ટિપ્પણું. અહિં “વાંસને છેદવા–કાપી લેવા એ સહેલું છે પરંતુ જમીનની અંદરથી ઉખેડી કાઢવા દુષ્કર છે ?' એમ જોઈએ. : 145-23. અષ્ટાલ્પિક. આઠ દિવસ પર્યન્ત. 145. અમારિ ઘોષણા વજડાવી. જુઓ પૃષ્ટ 14 પંક્તિ 6 ઉપરનું ટિપણ. 146-9. લુણ ઉતારતી હતી. અવતરણ–ઉતારણ માથે ઉતારવાને પ્રસિદ્ધ દેશાચાર છે. 146-27. સચિત્ત ભિક્ષા. કારણ કે ભિક્ષામાં “જીવત જીવવાળી બે વસ્તુ અથાત્ મેઘકુમારને આપવાનું છે. 146-28, સંપ્રદાન મેગ્યપાત્ર. એને બીજો અર્થ ગ્ય વસ્તુ” પણ થાય છે. * 147-. યતનાપૂર્વક જીવજન્તુની વિરાધનાન થાય એવી રીતે સાવધાનતાપૂર્વક - 147-16. આવશ્યક “આવશ્યક' એટલે અવશ્ય કરવાની વિધિ-પ્રતિકમણ, સામાન્યતઃ તે આવશ્યક છ છે –સામાયિક, ચઉવિસલ્ય (વીશ જિનની સ્તુતિ). વાંદણ (વંદનક), પ્રતિકમણ, કાયેત્સર્ગ અને પચ્ચખાણ (પ્રત્યાખ્યાન). પણ અહિં એ શબ્દ એના રૂઢ અર્થમાં વાપર્યો છે. અર્થાત્ અહિં આવશ્યક એટલે “પ્રતિક્રમણ લેવું. “પ્રતિક્રમણ ને અર્થ “પાપનું અણકરવું”– undo, remove, destroy sins પાપ ટાળવું–પાપ દૂર થાય એવું કિયાવિધાન કરવું–એમ મૂળ સૂત્રમાં અર્થ કર્યો છે “મૂળ સૂત્રે પડિકમણું (પ્રતિક્રમણ) ભાગું પાપતણું અણુકરવું. અથવા “પ્રતિકમણને એમ પણ અર્થ થાય કે “શુભગ થકી અશુભ યેગને વિષે ગમન થઈ ગયું હોય એમાંથી પાછું શુભ ગને વિષે કમણ કરવું (પ્રતિ કમણ કરવું ). સ્વાધ્યાય ભણવું–ભણેલું વિચારવું. વાચના. ગુરૂ પાસેથી નવે પાઠ લે. 147-19. એક કાષ્ટ હાથને લભ્ય છે.......ઈત્યાદિ જેમ કાષ્ટ ઉચકવામાં–ઉપાડવામાં “હાથ’ નું કામ પડે છે, “ચપટી કામ આવતી નથી, તેમ સાધુને રાત્રીના સંથારા માટે જગ્યા નિમૉણ કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #315 -------------------------------------------------------------------------- ________________ પરિષણ ટિપ્પણી.. 29 આપવામાં એને દક્ષા પર્યાય જોવાનું હોય છે; નહિં કે એની પૂર્વની સંસારી પદવી. 147 -24. કુમુદપુના સમૂહની પેઠે નિદ્રા આવી નહિં. કુમુદ પુષ્પની જેમ ઉન્નિદ્ર રહ્યો. મેઘકુમાર, ઉન્નિદ્ર-નિદ્રા આવ્યા વિનાને કુમુદ (ચંદ્રવિકાસી કમળો), (રાત્રીએ) ઉન્નિદ્ર-અણ બીડાયલા-વિકસિત 148-3. જિનમુદ્રા. ધ્યાન ધરતી વખતે જિનપ્રભુ ઉભા રહે એમ ઉભા રહેવું. બે ચરણ વચ્ચેનું અત્તર આગળ ચાર આંગળનું હાય, અને પાછળ એથી કંઈક ન્યૂન હોય એવી રીતે. - 108-4. પાંચ શકતવાદિક. શકે એટલે ઈદ્રમહારાજ –એમણે કરેલી પ્રભુની સ્તવના, જે “નમુથુનું નામથી ઓળખાય છે એ, અથોત પાંચ નમુક્કુણું વગેરે કહેવા પૂર્વક ૧૪૮–પ. ક્ષેત્ર સમાસ. પૃથ્વી–પૃથ્વીપરના દેશો આદિ ભૂગોળ સંબંધી, હકીકતનું વર્ણન જેમાં કરેલું છે એ ગ્રન્થ છે. 148-1. વિભવ. વૈભવ-રાજપુત્ર તરીકેનું મહત્વ. 148-25. નૂતન શહને વિષે....ઈત્યાદિ. નવા જ ઘરમાં, ઘર બંધાઈ તૈયાર થયું ત્યાં જ એમાં આગ લાગે-એમ........થયું. ૧૪૯-રપ સૂર્યના અધેિ. આપણા કવિઓ જેમ, સૂર્યને અ ડેલા રથમાં બેસી આકાશમાં સંચાર-પ્રયાણ કરતો કલ્પે છે (અને એમની ધીમી કે ઉતાવળી ચાલને લઈને દિવસે લાંબા કે ટૂંકા થાય છે એવી પણ અલંકારિક કલ્પના કરવામાં આવે છે) એમ પાશ્ચિમાત્ય કવિજન પણ સૂર્યને એવા જ કાલનિક લેબાસમાં વર્ણવે. છે. જાઓ:. << Gallop apace, you fiery-footed steeds " Towards Phoebus' lodging; such a waggoner " As Phaeton would wlip you to the west " Aud bring in night immediately". ( Romeo and Juliet ). 150-18. જવાસાને લીલો જ રાખે, " જવા " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #316 -------------------------------------------------------------------------- ________________ 300 . પરિષિક ટિપ્પણું, નામની વનસ્પતિ આવે છે એ ગ્રીમતુમાં લીલીછમ રહે છે અને ચેમાસામાં સૂકાઈ જાય છે. 152-23. જિનકપી. સ્થગિરકલ્પી અને જિનકલપી–એમ બે પ્રકારના મુનિ કહ્યા છે. જેનામાં, શ્રી જિનપ્રભુ પાળતા એવો કઠિન કલ્પ એટલે આચાર પાળવાની શક્તિ વિદ્યમાન હોય એ “જિનકલપી”. (એ આચાર તપ, શ્રત, સત્વ, બળ અને વિહાર એ પાંચ વાનાં પરત્વે છે). ૧૫ર–૨૭. ભયભીત ભિલ જેમ. અહિં “જિલ્લ લેકેથી ભય પામીને માણસ જેમ” એમ જોઈએ. 153-16. ત્રેતાયુગ. (1) કૃતયુગ અથવા સત્યયુગ, (2) ત્રેતાયુગ, (3) દ્વાપરયુગ અને (4) કલિયુગ-આમ ચાર યુગ ગણાવ્યા છે. એમાં ધર્મ અનુક્રમે ઘટત ઘટને પળાતો આવ્યો છે. કૃતયુગમાં પૂર્ણપૂણે, સેએ સે ટકા પળાતો ધર્મ ચાર પગે ઉભે કલમે છે. ત્રેતાયુગમાં એથી ઓછે, પણ સો ટકા પળાતે, એટલે ત્રણ પગે ઉભેલો કહે છે. એ જ પ્રમાણે " દ્વાપર” માં બે પગે ઉભેલે કલો . છે. અને વર્તમાન “કલિયુગ” માં એક પગે ઉભેલે કલચે છે, કારણ કે બહુ જ જુજ પાળવામાં આવે છે. 153-22. કુતીથિએ. કુગુરૂના અનુયાયીઓ, અધમીએ. ૧૫૪–છેલી. અમૃતમય કળા નથી ઉત્પન્ન કરતો ? અમી નથી લાવતે ? 155-4. વિરૂપ. અગ્ય, અઘટિત. 155-12. એકાદશ અંગ. આચારાંગ, સૂત્રકૃતાંગ,સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અંતતિદશાંગ, અનુત્તરપપાતિક, પ્રશ્નવ્યાકરણ, અને વિપાક–એમ શાસ્ત્રના અગીઆર અંગ કે સૂત્રે કહ્યા છે. 20. ઉત્કટિક. અહિં “ઉત્કટિક” વાંચવું. ઉત્કટિક= ઉભડક. વીરાસન. ચેગી લેકે ધ્યાનનિમગ્ન અવસ્થાને વિષે શરીરને અમુક અમુક સ્થિતિમાં રાખે છે, બેસે છે એ સ્થિતિ posture ને “આસન” કહે છે. (આ બેસવું. એ ઉપરથી). P.P.AC. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust Page #317 -------------------------------------------------------------------------- ________________ પરિપિટ ટિપ્પણી. 301 એવાં ઘણી જાતનાં આસન છે. એમાંનું એક “વીરાસન” છે. પ્રભુની પ્રતિમાનું જે પ્રમાણેનું આસન દેવાલયમાં હોય છે તે વીરાસન, " કે પર્યકાસન કહેવાય છે. બીજા આસનો “ભદ્રાસન,’ ‘પદ્માસન” વગેરે છે. 155 29. અસ્થિ અને ચર્મ...ઈત્યાદિ. માત્ર હાડ અને ચામડી બાકી રહે ત્યાં સુધી તપશ્ચય કરી કરીને શરીર ગાળી નાખવું. 156 -2. અનશન. મૃત્યુ નજીક આવ્યું જાણી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો તે. (અન્ + અશન). 156-17. સિંહની પેઠે અને વળી કવચધારીની પેઠે. સિંહ જેટલું બળ, અને વળી શરીરે બખ્તર-એમ બેવડા બળથી,” 156-21. વિદેહ, મહાવિદેડ ક્ષેત્ર. જુઓ પૃષ્ઠ 73. પંક્તિ 7 નું ટિપ્પણ. 156-23. પંચપરમેષ્ટી. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપધ્યાય અને સાધુ 156-22. બ્રાહ્મ મુહ. રાત્રીને છેલ્લે પહોર “બ્રાહ્મ મુહૂર્ત કહેવાય છે. ૧૫૬–છેલ્લી, ગૃહત્ય. ઘરદેરાસર. . 157-1. પ્રભુની પ્રતિમા સમક્ષ પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન એટલે નિરાદર, અમુક જાતને ત્યાગ-પચ્ચખાણ. એ પચ્ચખાણ આદિ દેવગુરૂની સમક્ષ કરવાનું કહ્યું છે, એટલા માટે કે સાક્ષી પડતું કર્યું હોય તે પછી એમાં દઢ રહેવાય, અસ્થિર ન થઈ જવાય. 157-2. ત્રણ નિરિસહી. ત્રણ નષેધકી–અમુક અમુક વ્યાપારનો નિષેધ-ત્યાગ કરું છું એમ કહેવા રૂપ, (1) ઘરસંબંધી વ્યાપાર-કાર્યોને ત્યાગ કરૂં છું એમ દેરાસરના મુખ્ય દ્વારે પ્રવેશતાં જ બેલે. (2) રંગ મંડપમાં પ્રવેશ કરતાં દેરાસર સંબંધી કાર્યોના વિચારને ત્યાગ કરૂં છું એમ બેલે. (3) પ્રભુ સન્મુખ રહી દર્શન કરે તે પહેલાં જિનપૂજા સંબંધો સર વિચારને ત્યાગ કરૂં છું એમ બેલે. એમ ત્રણ સ્થળે ત્રણ નિસિહી કહે. 15--14. જિનમુદ્રા. જુઓ પૃટ 148. 3. ઉપરનું ટિપ્પણું. 157-15. સ્થાપના સ્તવન. પાંચ પ્રકારના સ્તવન કહ્યા P.P. Ac. Gunratnasuri M,S. Jun Gun Aaradhak Trust Page #318 -------------------------------------------------------------------------- ________________ 302 હા , પરિષિષ ટિપ્પણી. છેઃ (1) “નમુશ્કણું કે શર્કસ્તવ; (2) “અરિહંત ચેઈયાણું” કે ચેત્યસ્તવ અથવા સ્થાપનાસ્તવ; (3) બચવસ” કે “લેગસ્ટ અથવા નામસ્તવ; (4) “પુખરવઢ઼િ કે શ્રુતસ્તવ અને (5) “સિદ્વાણું બુદ્વાણું” કે સિદ્ધસ્તવ. આ પાંચ સ્તવને પાંચ “દંડક' કહેવાય છે. સ્તુતિગભ. જેમાં ચાર) સ્તુતિ આવે છે એવું 157-17. મુકતાથુક્તિ મુદ્રા. મોતીની બે છીપ જોડાયેલી હોય એવી રીતે બેઉ હાથ પિલા રાખીને જોડવા એ. 157-19 વર્ણપ્રતિમા ત્રિક. વર્ણ શુદ્ધ ઉચ્ચાર કરે. અર્થ બોલવું તે સમજતા જવું, પ્રતિમા–પ્રભુની પ્રતિમા સમક્ષ દૃષ્ટિ રાખવી;-એ ત્રણવાનાં. આ ત્રિકને વણોદિ ત્રિક અથવા આલમ્બન ત્રિક પણ કહે છે. આવાં દશ ત્રિક કહ્યાં છેઃ નિિિહત્રિક, પ્રદક્ષિણાત્રિક, પ્રણામત્રિક, પૂજાત્રિક, અવસ્થાત્રિક, દિશત્રિક (ત્રણ દિશાએથી દષ્ટિ સંહરી લઈ પ્રભુપ્રતિમા સમીપજ રાખવી , પ્રમાજનત્રિક, આલંબનત્રિક, પ્રણિધાનત્રિક અને મુદ્રા ત્રિક, 157-23. દ્વાદશાવતું વજન. જેમાં બાર “આવ આવે છે એવું વન્દન. બે વખત “વાંદણું બેલાને વંદન કરીએ છીએ એમાં અકેક “વાંદણું” માં ત્રણ ને ત્રણ છ આવર્ત આવે છે એટલે બે “વાંદણા” માં બાર “આવર્ત આવ્યાં. વંદનના ત્રણ પ્રકાર કહ્યા છે. - (1) બે હાથ જોડીને, (2) બે ખમાસમણ દઈને, (3) બે વાંદણું બેલીને. આ ત્રીજું-તે દ્વાદશાવત વંદન. જુઓ “ગુરૂવંદનભાગ્ય " ની ગાથા પહેલી. 15--25. સંયમ તથા શરીરની નિરાબાધતા. શરીર બાધારહિત-સ્વસ્થ છે કે? સંયમ પણ નિબંધિતપણે પળાય છે કે ? 157-28, માધ્યાહિ જિનપૂજન. ત્રણ વખત પૂજનઅર્ચન કરવાનું કહ્યું છે –પ્રાત:કાળે, મધ્યાહે અને સંધ્યાકાળે. 157-30. અન્નપાનથી........પ્રતિકાભી. મુનિઓને અન્નપાન વહેરાવી. 159-13. (ચઢતે ચઢતે) હર્ષ સહિત. “હર્ષ સહિત” ની જગ્યાએ “હર્ષે " વાંચવું. 158-19 પટ્ટરાણી સુસેનાંગજા. અહિં “સુસેનાંગજા વગેરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #319 -------------------------------------------------------------------------- ________________ પરિષિ ટિપ્પણી.. 303 પત્નીએ” એમ વાંચવું. શ્રેણિક રાજાની બહેન સુસેનાની અંગજપુત્રી–ને અભયકુમાર પર હતો. (ફઈની પુત્રીને પરણવાને નિષેધ નહિ હોય.) 159-20. ઉસાહશકિત વગેરે, જુઓ પૃષ્ટ પર પંકિત 24 નું ટિપ્પણ. 159-21. પરસ્પર શત્રુભાવરહિત.ઈત્યાદિ. ધર્મ, અર્થ અને કામને, પરસ્પર-મોહમાંહે વિરોધ ન આવે એવી રીતે. સર્ગ ચે. 161-4. દંતવાણુ વગાડવી. અતિશય ઠંડીને લીધે દાંત ધ્રુજે અને હેડલા ઉપલાની સાથે અથડાય તેથી વીણાની જે અવાજ થાય એને “દંતવાણુ વગાડવી ? કહે છે. 161-5. પરિરંભ. આલેષ. શીતાપદ=શીત-કંડીને દૂર કરવી તે; હુંફ 161-19. સમય આવ્યે......લાગે છે. સરખા પૃષ્ટ 250 પંકિત 12. વળી જુઓ “શિશુપાળવધ” સર્ગ 6 શ્લોક 44. समय एव करोति बलावलं प्रणिगदन्त इतीव शरीरिणाम् / - शरदि हंसरवा परुषाकृतस्वरमयूरमयूरमणीयताम् / 162-10. કાયોત્સર્ગ. કાયાની સર્વ ચેષ્ટાઓ રૂધી, ઉભા રહી ધ્યાન ધરવું. કર્મ ખપાવવાં. કમને ક્ષેપ કર, કર્મને ક્ષય કરો. 162-16. પુર. (1) નગર, (2) શરીર. 162-16. જીવ કમ પ્રકૃતિ સહિત...ઈત્યાદિ. પોતાની સમગ્ર 158 પ્રકૃતિ સહિત આઠે કર્મ જીવની સાથે લાગેલા જ છે માટે જ્યાં જ્યાં એ જીવ સંચાર કરે ત્યાં ત્યાં કમપ્રકૃતિ સાથે જ હાયસાથે જ સંચાર કરે. 163-1. પ્રચ્છદપટ. એઢવાનું વસ્ત્ર. આપ્તજન. સબધી જને. મલીમસ. (1) કૃષ્ણવણ, શ્યામ. (2) દુષ્ટ. 164-19. એક બાજુએ સિંહ ને બીજી બાજુએ નદી. આ વ્યાઘટી ન્યાય” કહેવાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #320 -------------------------------------------------------------------------- ________________ 304 પરિષિક ટિપ્પણું. - 1660-6. દિવ્ય. શાસ્ત્રમાં અપરાધીની પરીક્ષા કરવા માટે અમક શિક્ષાઓ (ordeals) કહેલી છે તે “દિવ્ય કહેવાય છે. આવા * વ્યિ” વખતે પંચમ લોકપાળ એટલે રાજા હમેશાં સાક્ષી રહે છેરાજાની હાજરી એવે વખતે હોય છે. સેમ, યમ, વરૂણ અને કુબેર એ ચાર કપાળ તે કહેવાય છે. રાજાને પાંચમે કપાળ (લેકેનું પાલન કરનાર) ગણાવ્યો. 167-3. સિ પોતપોતાને અદ્વિતીય માને છે. અહિં “મા. ણસ બીજે જ થઈ જાય છે–બદલાઈ જાય છે.” એમ જોઈએ. - 167-21. અરિષ્ટ. અશુભ. 168-4. રસયુકત. (1) કરૂણ, હાસ્ય વગેરે રસયુકત-રસિક (કાવ્ય); (2) ભીનાશવાળું (વૃક્ષ). પ્રસન્ન=સહેલાઈથી સમજી શકાય એવું (કાવ્ય); મંગળમય (વૃક્ષ). 168-10. પ્રવાલ. (1) સમુદ્રમાં ઉત્પન્ન થાય છે તે પ્રવાળા"; (2) વૃક્ષના કુંપળીઆ. 168. બિમ્બ. જિનબિલ્બ, જિનેશ્વરની પ્રતિમા. 198-17, “વિધાન” ની જગ્યાએ મંગળવિધાન” જોઈએ. ત્રણ મંગળે કરીને સહિત " ની જગ્યાએ “સિદ્ધ જોઈએ. . 170 -2. માત ગ=ચંડાળ. 170-11. અવનોમિની વિદ્યાને બળે ઉંચી વસ્તુ નીચી નમે છે, અને ઉનામિની વિદ્યાને બળે, નીચી નમેલી પાછી ઉંચી જાય છે. 11-4. ત્રણ રસ્તા ભેગા મળે તે સ્થાન ત્રિક; ચાર ભેગા મળે તે ચતુષ્ક, ચેક કહેવાય છે. ચત્વર=ઘણા રસ્તા ભેગા મળે તે સ્થાન 173-21 અરત પામતો સૂર્ય આપણું સંસ્કૃત કવિવરે જેમ “સૂયોસ્ત” ને માટે નવનવીન અલંકારિક કલપનાઓ ઉઠાવે છે તેમ અન્ય પ્રજાના કવિવરે પણ એવી કલ્પનાઓ રચવામાં પાછા પડતા નથી. જુઓ - "Now deep in oceau suuk the lamp of light". (Homen's Iliad VIII, 605.) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #321 -------------------------------------------------------------------------- ________________ પરિષિક ટિપણી. 305 વળી સરખાવે –આ જ ચરિત્રના બીજા ભાગમાં પ્રષ્ટ 73 પંકિત 11 મી, જ્યાં કવિ કહે છે–સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં ડુબવા લાગે વગેરે. 174-13. સત્યને વિષે નિરત. પોતાની પ્રતિજ્ઞા પાળવાવાળા. નિર=અનુરક્ત. 177-23. પોતામાંથી (કમળમાંથી) બહાર નીકળતા ભ્રમર. સંધ્યાકાળે ભ્રમર કમળમાં પેસે છે તે રાત્રી પડે છે તે અંદર ને અંદર બેસી રહે છે. એટલામાં એ કમળ પુષે બીડાઈ જાય છે એટલે એ અંદર રહી જાય છે અને વળતા દિવસની પ્રભાતે બહાર નીકળવા પામે છે (અંદર રહી ગયેલા અને પ્રભાત થવાની વાટ જતા એક ભ્રમરની થયેલી દશા વિષે “ભ્રમરાણક માને એક કરૂણત્પાદક લોક સેંકડો મનોરથ કરતા સંસારી માનવીને વિચારવા જે रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातम् भास्वानुदेष्यति हसिष्यति पंकजश्रीः / इत्थं विचिन्तयति कोशगते द्विरेफे। हा हन्त हन्त नलिनी गज उज्जहार // 178-17. ભયંકર રસકૂપિકા. જુઓ પૃષ્ટ 132. પંકિત 5 ઉપરનું ટિપ્પણ 178-15 અનન્ત બુદ્ધિના નિધાન એવા અહિં “હે અનન્ત બુદ્ધિનિધાન (કુમાર), એના” એમ વાંચવું. 181-15. અસ્થૂલ મુખવાળા. કૃશ-પાતળા મોંવાળા. આ બધાં ઉત્તમ જાતિના અધનાં લક્ષણો છે. 182. જુગુસા. ઘણા, તિરસ્કાર. 182-6. ગંધ હતી. ઉત્કટ મદગંધવાળે હાથી. यस्य गन्धं समाघ्राय न तिष्टन्ति प्रतिद्विपाः / तं गन्धहास्तिनं प्राहुः नृपतेर्विजयावहम् // 182-17 પર્વના દેશ. છેવાડે આવેલો, ખુણે પડી ગયેલ દેશ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #322 -------------------------------------------------------------------------- ________________ 306 પરિષિ ટિપ્પણી. - 182-17. શાલિગ્રામ નામના ગામડામાં ધનાઢય વણિક. ઈત્યાદિ. “ગામડા ગામમાં વળી ધનવાન કે ? " એવી કેઈ શંકા કરે તે દૂર કરવા માટે કાવ્યકત્તો દષ્ટાન્ત આપે છે કે કમળ જેમ જળમાંયે હોય તે સ્થળને વિષે પણ હાય એમ ધનવાન શહેરમાંચે હોય તેમ ગામડામાં પણ હેય. (સિદ્ધાતને દુષ્ટાતવડે સિદ્ધ કર્યું છે). 182--21. યુગ. ધંસરું. - 182-28. સત્યાનુરક્ત. સત્યા-સત્યભામાને વિષે અનુરક્ત છતાં “જનાર્દન–કૃષ્ણ નહિં એમ કહેવું એ વિરોધ. એ વિધ), સત્યને વિષે અનુરકત છતાં જનાર્દન—લેકેને દુખ દેનારા નહિં–એમ અર્થ કરીને શમાવવું. (વિરોધાભાસ અલંકાર). 183-8. એષણીય અન્નપાન...ઇત્યાદિ એમને વિશુદ્ધ અનપાન વહેરાવ. 183 --15. (શ્રૃંગારને વિષે) મૂઢ. મેહવાળી. 18. આચિત્ત જળ, અગ્નિથી પાકું કરેલું–ઉકાળેલું જી. 20. ચાકિક, કુંભાર, તેલી. બેઉના શરીર એમના એવા ધંધાને લીધે ચીકણું હોય છે. 25. આલોચના. પોતાથી કંઈ પાપાચરણ થઈ ગયું હિય એ ગુરૂ સમક્ષ પ્રકાશિત કરી એને માટે પશ્ચાત્તાપ કરે. આલોચના” ને શબ્દાર્થ “વિચારી જવું " છે. . 29. નિકાચિત આયુષ્ય. જુઓ પૃષ્ઠ 71 5. 25 નું ટિપ્પણ 184-14. અતીત, અનાગત અને વર્તમાનને જાણનારા. આવું જ્ઞાનબળ ધરાવનારા મહાત્માઓની વાત, કરૂક્ષેત્રના યુદ્ધ વર્ણવતા “મડાભારત” ના સહેદર જેવા Iliad માં મહાન ગ્રીક કો હેમરે પણ કરી છે. જુઓ - "That sacred seer whose comprehensive view "The past, the present and the future kuew". (Ilad Bh. I. L. 93-94. 185-19. અહમિ. જેને માથે કે સ્વામી નહિ એવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #323 -------------------------------------------------------------------------- ________________ પરિષિક ટિપ્પણી. 307 ઈન્દ્ર. (નવ વેયક” તથા પાંચ “અનુત્તર વિમાન” ના ઈન્દ્ર અહમિન્દ્ર છે.) 26. સૂર્યની મૂર્તિના કિરણે. સૂર્યના કિરણ. સૂર્ય અહિં કુમારિકાનું ઉપમાન છે તે એની " જાતિ” નું જોઈએ માટે સૂર્ય’ શબ્દની જગ્યાએ “સૂર્યની મૂતિ”એ શબ્દ વાપર્યો છે. 186-17. પૂર્વે દ્વારિકામાં કરવામાં આવ્યું હતું એમ. શ્રી કૃષ્ણના શાંબ અને પ્રદ્યુમ્ન નામના પુત્રોએ, મદિરાના નિશામાં કરેલા પ્રાણુતક પ્રહારથી કે પાયમાન થયેલા દ્વિપાયન રષિએ મૂત્યુ પામ્યા બાદ અસુરના અવતારમાં દ્વારિકા નગરીને અગ્નિને વષાદ વરસાવી ભમસાત્ કરી તે વખતે જેમણે જેમણે “ચારિત્ર” લેવાની ઈચ્છા જણાવી હતી તેમને ખાત્રી કરી કરીને અંદરથી બહાર કાઢયા હતા–એમ વાત છે. 188-12. કાશ્યપ મુનિની પેઠે. પિતાની પુત્રી હતી એવી શકુન્તલાને આપીને કાશ્યપ ઋષિ દુષ્યન્ત રાજાના ધશ્ર થયા હતા એમ. 188-7. નવે નિધાન ...વગેરે. અત્યારે પ્રચલિત કહેવત આમ છે –નવે નિધિ અને અષ્ટ મહાસિદ્ધિ. 188-29. પાંચ પ્રકારના વિષયે. પાંચે ઈદ્રિના વિષય. 188-12. રાજ્યલમીની સાથે રહે. રાજ્યભવ ભોગવે. 189-16. કીડીને ગ્રહ. શરીર પર કીડીનું વળગવું–ચૂંટવું તે. ૧૮૯–છેલ્લી. હીલના કરવી. અપવાદ બોલવા. 189. યાતના. નરકમાં ભેગવવી પડતી ઘોર શિક્ષા. 190-23. વિષ્ણુની પેઠે .....ઈત્યાદિ. જેને જેને ચારિત્ર લેવાનું મન થતું એ સર્વને, પોતાના પુત્ર પુત્રીઓને સુદ્ધાં, શ્રીકૃષ્ણ પાસે રહીને દીક્ષા અપાવી હતી. 191-2, ભાગ્ય અને બળઈત્યાદિ. ભાગ્ય અને બળ બેઉને પિતામાં એકત્ર રખતે એ (એ લેહખુર). કહેવાનો ભાવાર્થ એ છે કે એ બળવાન હતો તેમ ભાગ્યશાળી પણ હતે. . 191-19. ચંદ્રમા કરતા. અહિં “ચંદ્રમાના પુત્ર–રોહિણેય અથૉત્ બુધના ગ્રહ કરતાં” એમ જોઈએ. 1 -18. અમિત્રમંડળની દષ્ટિએ ઈત્યાદિ. બુધનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #324 -------------------------------------------------------------------------- ________________ 308 પરિષદ ટિપ્પણી. ગ્રહ જ્યાં જ્યાં સંચાર કરે છે ત્યાં ત્યાં એ અમિત્રમંડળનું લક્ષ્ય બને છે, અને આ ચાર જ્યાં જ્યાં સંચાર કરે છે ત્યાં ત્યાં અમિત્રમંડળનું લક્ષ્ય બનતો નથી. માટે ચેર એ ગ્રહ કરતાં અધિક. ગ્રહપક્ષે અમિત્રમંડળ સૂર્યમંડળ નહિં. અર્થાત એ સૂર્યમંડળની દષ્ટિએ પડતો નથી, સૂર્યમંડળથી બહુ દૂર છે. ચેરપસૅ અમિત્રમંડળ =શત્રુમંડળ, એનું લક્ષ્ય એ ચાર બનતે નહિ-શત્રુઓથી પકડાતો નહિં. મિત્ર’ શબ્દના (1) દસ્તકાર, અને (2) સૂર્યએ બે અર્થપર અહિં કવિએ અલંકાર રચે છે. 12-14. તુંડને તેમજ મુંડને મુંડનારૂં. તુંડ મુખ, હૈ. મુંડ-માથું. એ વીર મુંડને તે મુડે છે પણ સાથે તુંડને-મેઢાને પણ મુડે છે (મેઢાને મુંડાય નહિ છતાં એમ કરે છે). આંખે મીંચીને બધાને મુંડે છેન્ડીક્ષા આપે છે. 194-10. ઉત્તર કાળને વિષે. ભવિષ્યમાં જે વેદનાનું ફળ... ..ઇત્યાદિ માટે સરખાવો અંગ્રેજી કહેવત All's well that ends well. 194-23. કાન બંધ કરી દીધા તે જાણે....ઈત્યાદિ. સરખાવે - "And so locks her in embracing, as if she would piu her to her heart that she iniglt no more be iu danger of losing." . (Shakespeare's Winter's Tale Act V. 2.) - 195-16. શ્રેણિકનું કહેવું એમ છે કે પિત્રાઈ, ભાણેજ કે જમાઈને વૃથા પગાર આપ પડે. પણ તને શી બાબત આપ. 195-26. બપોર પછીની છાયાની પેઠે. આપણી બપોર પછીની છાયા લાંબી લાંબી થતી જાય છે અને આગળને આગળ જ ચાલ્યા કરે છે એથી પકડાતી નથી, તેમ એ ચેર પણ પકડાતો નથી. 197-16. આરક્ષક. પિોલીસના માણસે. 197-17. અપુણ્યરાશિ. જેની પાસે પૂર્વભવની પુણ્યરૂપી કમાણું કાંઈ ન હોય એવા; પુણ્યહીન. P.P. Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust Page #325 -------------------------------------------------------------------------- ________________ 30 પરિષિક ટિપ્પણી. 19-16. વરને કાદિ ઉત્તમ કાબે પૂછવામાં આવે છે. અત્યારે ગુજરાતમાં આ રિવાજ પ્રચલિત છે. 19--30. સુરસ્વરૂપ પ્રતિપાદન કરનારી. દેવતાને એાળખાવનારી. 200-26. છતર. ( ઉચફળવાળા શિવાયના ) બીજા; નિકૃષ્ટ ફળવાળા. 203--10 વિષમેષ, વિષમ-અસહ્ય ઈર્ષા–બાણ જેનાં છે એ. 203-4. વિરાંતને યોગ્ય થાઉં. વ્રત-દીક્ષા લેવાની યોગ્યતા મારામાં આવે ત્યારે. 204-9. નિષ્કમeત્સવ, નિષ્કમણ-સંસારમાંથી નીકળી જવું. એ વખતે અથોત દીક્ષા લેતી વખતે કરવામાં આવતા ઉત્સવ. 204-17. દ્રવ્યથી કૃશ. અત્યન્ત તપશ્ચર્યાને લીધે શરીરે કૃશ-દુર્બળ. “ભાવ” થી કૃશ. જેની સર્વ ઈચ્છાઓ-તૃણા આદિ કૃશ એટલે પાતળી પડી ગઈ છે, ઘટી ગઈ છે એ. 204-28.. ઉચ્ચ સંલેખના. મરણ સમયે મેક્ષની આરાધના કરવી તે; મેક્ષ પ્રાપ્ત કરવાની કરણિ કરવી તે. (જુઓ આ ચરિત્રને બીજો ભાગ પૃષ્ઠ 243.) ર૦૪-૨૧. પાદપાવોપગમન કરી. પડી ગયેલાં વૃક્ષ આદિ જેમ એકજ સ્થિતિમાં પડયા રહે છે તેમ પડ્યા રહી. (પાદપ–વૃક્ષ આદિનો જેમ ઉપગમન કરી). સગ પાંચમે. 205-5 નિમાળાથી યુક્ત. અહિં નિમાળાથી ભરપૂર વાંચવું. 25-15. નિન્દા મૂખ જનની...ઈત્યાદિ. અહિં “કુટ્ટન સંઢાઓને વિષેજ હતુ” એમ વાંચવું. મુંઢા એટલે વૃક્ષના ઢીમચાં એને જ કુટવા-કાપવા પડતા. (લેકેને વિષે છેદન, બન્ધન, કુટ્ટના કે નિપડન-એમાંનું કંઈ પણ દુઃખ નહોતું.) 205 22. મહાપતિઓ નાસી જતા હતા. અહિં “મહી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #326 -------------------------------------------------------------------------- ________________ 310 પરિષિષ્ઠ ટિપ્પણું. ભૂતે પણ નષ્ટ થતા હતા” એમ વાંચવું. મહીભૂત(૧) રાજા, (2) પર્વત. નષ્ટ થતા હતા=(૧) નાશી જતા હતા, (2) નાશ પામતા હતા. 206-17 રાવણને અને શિવને હતો તેવી મૈત્રી. જન માન્યતા અનુસાર રાવણ દૃઢ શ્રદ્ધાવાન સમકિતી શ્રાવક હતા. એવાને શિવની સાથે મિત્રી કે પરિચય હોવાની વાત આ કાવ્યગ્રંથના કત્ત શા માટે અને કયા જૈનગ્રંથમાંથી લાવ્યા હશે ? 206-10 પટ. પડદો, ચક. 206-22. કૃષ્ણલવણ, નિમ્નપત્ર આ બે વસ્તુને એના સ્ફટ અર્થમાં લઈએ તે તે કઈ નવાઈની વસ્તુ તરીકે દૂર દેશાવર ભેટ મોકલવા જેવી કહેવાય નહિં. માટે એ બે કેઈ નવાઈની અમૂલ્ય વસ્તુઓ હોવી જોઈએ. 207-1. ચક. (1) ચકલાક પક્ષી (જેને, સૂર્ય હોય ત્યારે સાગરૂપ આનન્દ થાય ); (2) માંડળિક રાજાઓનું મંડળ. 207-2. વૃત (1) અન્ધકાર, (2) વિરોધીઓ. 206-12. કાર્તિકેયની જેમ અપ્રતિહત શકિતવાળે, શક્તિ (1) સામર્થ્ય, (2) કાર્તિકેયનું એ નામનું શસ્ત્ર. અપ્રતિહત= જેને કઈ હઠાવી ન શકે એવું. જુઓ - “આ ...વતિય રૂવ અતિત.......... નામ " શ્રીમદ્ બાણભટ્ટની કાદમ્બરી પૃષ્ટ 1. 207--10. ચંદ્રમાને જેમ બુધ.......ઇત્યાદિ. જુઓ પૃષ્ટ ૪ર પંક્તિ 14.* 207-13. શાવતી. કાયમન, હમેશને માટે 16. ઉત્પત્તિકી બુદ્ધિ. બુદ્ધિને એક પ્રકાર છે. Presence of mind. જુઓ પૃષ્ઠ 40 પં. 20 ઉપરનું ટિપ્પણ. 208-2. ઉત્કંઠિત. ઉંચા કંઠ–ડેકવાળા (મયુર); જિજ્ઞાસા વાળો (રાજપુત્ર). સંલાપ. ટહુકા–ટીકા (મયૂરના ); શબ્દો (રાજાના ). 208-24. માસક્ષપક ચંડકૌશિક મહિનાના ઉપવાસ કર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #327 -------------------------------------------------------------------------- ________________ પરિષિક દિપણું. 311 નાર ચંડકૌશિક નાગ. એવી કથા છે કે એ નાગ લોકેને બહુ હેરાન કરતો હતો, પણ પાછળથી શ્રી વીરના પ્રતિબંધથી વેરાગ્ય પામી માસક્ષપણ કરી મૃત્યુ બાદ જ્યોતિક દેવતા થયે હતે. (જે એણે વ્રત વિરાયું ન હેત તો એ એ કરતાં ચઢીયાત વૈમાનિક દેવ થયા હત). O ૨૦૮-ર૭. સિદ્ધિ હાથને વિષે જ છે. સિદ્ધિ-મેક્ષ નજીક " જ છે-એ આદ્રક “ભવિ” જીવ છે. 208-27. અભવિ. જુઓ પૃષ્ટ 71. પં. 3 ઉપરનું ટિપ્પણ. 209-3. અદ્ધભાગ અદ્ધભાગેની સાથે.....ઈત્યાદિ. “અરધા અરધાઓની સાથે અને પાવલી પાવલીઓની સાથે જ ભળે છે. 211-16. કુમુદિની. કુમુદપુષ્પો. ચન્દ્રમા અને આ જાતિનાં કમળને અત્યન્ત રાગ છે. ચંદ્રદય થયે એ કમળ પ્રકૃલ્લિત થાય છે. આ ર૧ર–છેલ્લી, ચર (જેમ ચન્દ્રમાના દર્શન ઈચ્છે છે). ચંદ્રમાના જ કિરણનું પાન કરીને રહેવું કહેવાતું પક્ષીવિશેષ, ચંદ્રચકેરની પ્રીતિ સુપ્રસિદ્ધ છે. 214-4. કમ પ્રકૃતિ જેમ...ઇત્યાદિ. સરખાવો ‘જીવ કર્મપ્રકૃતિ સહિત દેહને વિષે પ્રવેશ કરે છે” (પૃ 162 5. 16 ). 214-15. ધર્મને અર્થે કપટ કરવું સુંદર છે! કેણ જાણે કયી અપેક્ષાએ ગ્રન્થતોએ આ વાત કહી હશે–એ કંઈ સમજાતું નથી. શિષ્યપરંપરા વધારવાના મોહમાં ફસેલા અત્યારના સાધુનામધારી મહાત્માઓ અને એમને સહાય કરનારા ઉપાસક શ્રાવકે રખે આ વાક્યના બળપર એમની દલીલેને પાયે ચણતા ! ધર્મને નામે અને ધર્મને માટે કહીને વર્તમાનમાં કઈ કઈ અયોગ્ય કાર્યો થતાં જોવામાં આવે છે એ કાયો તે સર્વથા વજ્ય જ સમજવાં. એને આ વાક્યનું બજેર” મળી શકે નહિ. ( 214-29. દશન. જ્ઞાન, દર્શન અને ચારિત્ર–એ ત્રિકમાનું એક. ' 214----26. ઉન્નત ગુણસ્થાન, ઊંચું ગુણસ્થાન. જુઓ પૃષ્ટ 29 પં. 15 નું ટિપ્પણ, ચઢતે ચઢતે ગુણસ્થાને અવનતિને અવકર્ષ થતું જાય છે અને ઉન્નતિને ઉત્કર્ષ થતું જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #328 -------------------------------------------------------------------------- ________________ નિકા ૩૧ર પરિષિષ્ઠ ટિપ્પણી. 215-19. પ્રતિબંધ. નડતર. ભોગાવળી કમ. સંસાર ભેગવવા રૂપ કર્મ નિકાચિત. જુઓ પૃષ્ટ 71. પં. 25 નું ટિપણું. ' 216-17. સુધાથકી પર એવું ભેજન......ઈત્યાદિ અહિ “ક્ષુધા (ભૂખ), અને ભાવતા ભેજનની પ્રાપ્તિએ બે એકસાથે કઈ ભાગ્યશાળીને જ થાય છે.” એમ જોઈએ. (ભૂખ લાગી હોય અને ભાવતું ભેજન મળી જાય—એવું કેકને જ થાય છે). 217-1. જેને કઈ સ્વામી ન હોય એવું ધન રાજાનું છે. પૂર્વે નિપુત્ર ગુજરી જતા ધનિકનું ધન રાજાના ભંડારમાં જતું. જુઓઃ नौव्यसने विपत्रस्य सार्थवाहस्य धनमित्रस्य राजगामी अर्थसंचयः (શકુન્તલા નાટક અંક 6 ઢો.) વળી પુત્ર નાગકેતુના મૃત્યુથી નિપુત્ર થયેલા શ્રેષ્ઠીનું દ્રવ્ય હસ્તગત કરવા આવેલા રાજાની વાત કલ્પસૂત્રમાં પણ છે. 15-21. ગુરૂ આદિના ઉપદેશ વિના, કેઈ વસ્તુના નિમિતે કરીને બેધ પામેલા પ્રત્યેકબુદ્ધ કહેવાય છે. એમની સંખ્યા ચોદહજાર કહેવાય છે. એમાં વિશેષ પ્રસિદ્ધ ચાર છે. વળી પોતાની મેળે જ, જાતિસ્મરણ વગેરેથી પ્રબુદ્ધ થાય એઓ સ્વયંભુદ્ધ” કહેવાય છે. 21-1. એની સાથે પ્રકલ્પ...ઇત્યાદિ. એને દેવાને સંકલ્પ કર્યો પછી. 219-3 પુરૂષના વચનની પેઠે કન્યા...ઈત્યાદિ. જુઓ - सकृत् जल्पन्ति राजानः सकृत् जल्पन्ति सज्जनाः / सकृत् कन्याः प्रदीयन्ते त्रीण्येतानि सकृत्सकृत् // 219-24. લક્ષણ. વિશિષ્ટલિંગ characteristic. (લેકનું); શિનાની (ચરણ ઉપરની). - 219-16 તક્ષક નાગ. ..ઈત્યાદિ. જુઓ પૃષ્ઠ 107. પંકિત છેલ્લી ઉપરનું ટિપ્પણ. ર૧લ–૨૭ પંચધારાએ વહેતી.....ઇત્યાદિ. અહિં “તૃપ્તિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #329 -------------------------------------------------------------------------- ________________ પરિષિક દિપણું. 313 પર્યત જમી ઉભા થયેલાને જેમ પાંચધારી લાપશી પણ અરૂચિકર છે તેમ' એમ જોઈએ. 220-12. માધુકરી વૃત્તિ. મધુકર-ભ્રમર પુષ્પમાંથી રસ ચુસે છે પણ પુષ્પને ઈજા આવવા દેતો નથી તેમ સાધુ–ગીજન ગૃહસ્થને ત્યાંથી ભિક્ષા લે છે તે એને અડચણ ન આવે, પાછળ જમનારાને અગવડ ન આવે એમ લે છે એટલે એ “માધુકરી વૃત્તિ કહેવાઈ. એને “ગોચરી ભિક્ષાવૃત્તિ પણ કહે છે; ગાય જેમ ભૂમિપર ઉગેલું ઉપર ઉપરથી ચરે છે અને પાછળ રહેવા દે છે એમ ગૃહસ્થને ત્યાં પાછળ રહેવા દઈ સાધુ થેડું થોડું હો–લે. એમ ગોચરી, માધુકરી આદિ શબ્દ સમાનાર્થવાચી છે. રરર—છેલ્લી. સાળો વરના ચરણ બાંધે છે તેમ. સરખાઃસાળે વરના પગને અંગુઠે થેભી રાખે છે. (પૃષ્ટ 65 પં. 15). 225 - 4. સ્થાનભ્રષ્ટ નખ, કેશ આદિ. જુઓ - राजा कुलवधुः विप्राः मंत्रिणश्च पयोधराः। स्थानभ्रष्टा न शोभन्ते दन्ताः केशा नखा नराः // (સુભાષિત ભાંડાગાર). * 225-7. યુગશમિલા ન્યાય. મનુષ્યભવની દુર્લભતાના દશ દૃષ્ટાન્ત કહ્યાં છે એમાં એક આ દૃષ્ટાન્ત પણ છે. 225-18, ત્રાસ ચલનસ્વભાવી, હાલી ચાલી શકે એ ત્રસ " જીવ કહેવાય છે. વનસ્પતિ આદિ હાલી ચાલી ન શકે એ સ્થાવર " કહેવાય છે. 22528. મૂછ. લેભ, અસંતોષ. 226-16. ગોશાળ. એ શ્રીવીરને એક ક્ષુદ્ર શિષ્ય હો; તે રસ્તે રફતે ગુરૂથી વિરૂદ્ધ પ્રરૂપણ કરતો ફરતે. ર૩૦–૧૯. શિલેશીકરણ. ચંદમે " અગી " ગુણસ્થાનકે મુનિજને શેલેશ–મેરૂની જેમ સર્વ આત્મપ્રદેશ સ્થિર કરી રહે છે એ શેલેશીકરણ” કહેવાય છે. - અયોગો (મુનીદ્રો). “યોગી " નામના ચંદમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #330 -------------------------------------------------------------------------- ________________ 314 પરિષિષ્ઠ ટિપ્પણી. ગુણસ્થાનકે રહેલા. અહિં મન, વચન અને કાયાને “અગ ? એટલે ‘યોગને ત્યાગ " થાય છે એ પરથી " અગી " કહેવાય છે. ૨૩૦–છેલ્લી. અનેક સોથી સંપૂર્ણ અનેક આશ્ચર્યકારી બનાથી ભરપૂર. 231-26. ઘાતકર્મ. જુઓ પૃ. 120 પં. 20 ઉપરનું ટિપ્પણ. 232-17. વકતૃત્વ ગુણને લીધે..ઇત્યાદિ. વકતૃત્વશક્તિમાં બૃહસ્પતિ અને દાનેશ્વરીમાં " બલિરાજા " દૃષ્ટાન્તાસ્પદ છે. પણ આ રાજા તે એ બેઉથી ચઢી જતે. ર૩ર–૨૨. આશ્રવ. સમયે સમયે નવાં નવા કર્મો અને એવું વર્તન. સંવર. સર્વ આના દ્વારને નિરાધ કર. નવાં કર્મ ન બંધાય એવું વર્તન રાખવું. નિજર. આત્માને લાગેલાં કર્મો “જરી " જાય એમ કરવું. ર૩ર-૨૫. ભાવના. “અનિત્ય " આદિ બાર ભાવના. (આ બાર ભાવનાનું બહુ સુંદર સ્વરૂપ આ ચરિત્રના બીજા ભાગમાં ગ્રંથતોએ સમજાવ્યું છે. જુઓ પૃષ્ટ 27. અથવા બીજી રીતે ચાર " ભાવના પણ કહેવાય છે –મંત્રીભાવના, પ્રમોદભાવના મધ્યસ્થ ભાવના અને કરૂણાભાવના. 233--21. ત્રણ સંયા. પ્રાતઃ, મધ્યાન્હ, અને સાંજ. 22. અઠ્ઠાઈ. આઠ દિવસ. પાપારંભ ત્યજીને ધમકા જ કરવાના અમુક અમુક આઠ આઠ દિવસ કહ્યા છે તે અઠ્ઠાઈ કહેવાય છે. વરસમાં એવો છ અઠ્ઠાઈ આવે છે. ફાગણ માસમાં, અશાડ માસમાં અને કાર્તિક માસમાં-એમ ત્રણ ચાર્તુમાસને અને ત્રણ ચિત્ર માસ અને આસો માસમાં નવપદમહિમાની છે; અને પજુસણ પર્વની એક. કલ્યાણક. જિન ભગવાનના પાંચ “કલ્યાણક” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #331 -------------------------------------------------------------------------- ________________ પરિષિક ટિપ્પણી. 315 એટલે કલ્યાણકારી પ્રસંગો-દિવસે કહ્યા છેઃ ૨ચવન કલ્યાણક એટલે માતાના ગર્ભમાં આવ્યા હોય એ દિવસ; જન્મ-કલ્યાણક; દીક્ષાકલ્યાણક; કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોય એ દિવસરૂપ કલ્યાણક; અને નિવણિ-કલ્યાણક. 235-15. જભિત. વિકાસ; બળવત્તા. 37-8. દશનાચાર. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, ત, આચાર, અને વીયોચાર–એમ પાંચ “આચાર’ કહ્યા છે. એમાં, ગુણવંતની પ્રશંસા ઇત્યાદિ આઠ બાબતનો દર્શન-આચારમાં સમાવેશ થાય છે. જુઓ - निस्संकिय निकंखिय निबितिगिच्छा अमूढदिछी / उवचुहथिरीकरणे वच्छलप्पभावणे अह // (અતિચારની આઠ ગાથામાંની ત્રીજી). 239-1. (ઘરના દ્વારપર રહેલા) તોદક. ટેડલા. 8. મયૂરના છત્ર. અહિં “મયૂરછત્ર’ એમ વાંચવું. એ એક જાતના પુષ્પના છોડવા થાય છે. ર૪. માળ પરથી પડેલાને પ્રહાર કરવો પડયાપર પાટુ મારવી. 25. ચૈત્યપરિપાટી. સર્વ ચે-જિનમંદિરે દર્શન કરવા જવું. પરિપાટી–ફરવા જવું. 24-9 પ્રત્યાખ્યાન પવરવાળ, ત્યાગ, વિરમવું, ના કહેવી. Rejection, Denial. જેમકે, મારે અસત્ય બોલવાના “પચ્ચખાણ છે=મેં અસત્ય ભાષણ કરવું ત્યજયું છે. મારે આજે ચારે આહારના પશ્ચખાણ છે હું આજે સર્વ પ્રકારના આહારથી વિરમું છું-સર્વ પ્રકારનો આહાર ત્યજી છું. 240-25. સ્થાળ કચોળાં. થાળી વાટકા. જમવાના થાળી વાટકા પણ શેઠને નહિં રહ્યા હેય ! અહે! કેવી દરિદ્રતા! 241-10. મયરછત્ર અને સાંકળી. રાજા જેના પર રીઝતા તેને રાજકૃપાના ચિન્હ દાખલ આ પ્રમાણે છત્ર, કડી, મશાલ, છડી, વાહન વગેરે આપતા એ વાત સુપ્રસિદ્ધ છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #332 -------------------------------------------------------------------------- ________________ 316 પરિષિષ્ઠ ટિપ્પણી. 242-24. સાત ફેરા. જિનાલય, જિનપ્રતિમા, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા–એ સાત. - 243-22. કાળશાકારક. એ નામને એક કસાઈ હતું, જે હમેશાં પાંચસે પાડાને વધ કરતે કહેવાય છે. 244-17. યક્ષકઈમ. જુઓ પૃષ્ટ 14. પુટ નેટ 2. 18. કદમ. કય, ગારે. 20. બંધ અને પાત......ઈત્યાદિ. ગુણ એટલે અનાજ, કરિયાણા વગેરેથી ભરેલા કેળાઓને જ બાંધવા પડતા (બંધ); અને એમની થપી કરેલ હોય એ જ વખતે પડી જતી (પાત). 22. કર્મગ્રંથ. જેમાં કર્મનું સ્વરૂપ વર્ણવેલું છે એ ગ્રંથ. એમાં જ આ માયા, લેભ આદિ (વર્ણન રૂપે) છે. - નિગ્રહ ન ટકી શકે એવી દલીલ. વિતંડાવાદ. ખોટો વિવાદ. અધ્યક્ષબાધિત પ્રતિજ્ઞા. પ્રત્યક્ષપણે–દેખીતી રીતે અને સંબદ્ધ-વિધી એવું સિદ્ધાન્ત. છલ હેત્વાભાસ-ખે હેતુકપટ. 245-6. પુલિન્દ. પ્લેચ્છ–શૂદ્ર જન. 11. કળા. (1) ચન્દ્રમાની કળા digit; (2) હુન્નર. 248-17. આદેશીને સ્થાને આદેશ....ઇત્યાદિ. સંસ્કૃતમાં - એક ધાતુના રૂપાખ્યાન કરતી વખતે કઈ વખતે એને સ્થાને બીજે આવી ઉભું રહે છે. જેમકે જમ્ ધાતુનાં રૂપાખ્યાન વખતે જન્મ ને બદલે જીં આવે છે. અહિં છું એ નો “અદેશ ) કહેવાય છે. 249-25. હે પ્રય, અહિં “હે વિપ્ર " એમ વાંચવું. * સાત ધાતુઓ. શરીરની અંદર, એની હયાતિ માટે આવશ્યક એવી-સાત રસરૂપ ધાતુઓ રહેલી છે : રસ, રકત, માંસ, મેદ, અસ્થિ, મજજા, અને શુક (વીર્ય). 250-22. પ્રસ્તાવ એટલે અમુક અવસર......ઇત્યાદિ. સરખા પૃષ્ટ 161 5. 19 અને એના પરનું ટિપ્પણ 251-1-2. વિધાતા અનુકુળ હોય છે.... વગેરે. સરખા:Mau proposes, God disposes. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #333 -------------------------------------------------------------------------- ________________ પરિષિક ટિપ્પણી. 317 25-1-2, પારકા અલ્પ દોષને ઈત્યાદિ. સરખાવોઃ परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यम् / निजहुदि विकसन्तः सन्ति सन्तः कियन्तः // ... ભર્તુહરિનું નીતિશતક૨૫૩–૭. અમૃત. દેવોનું ભેજન. દેવે અત્યન્ત શીતળ અને સ્વાદિષ્ટ એવા અમૃતને આહાર કરનારા કહેવાય છે. અમૃત તો ફકત વાર્તામાં જ છે.......ઈત્યાદિ. સરખા " કામ કુંભ' ની વા . કહેવાય છે તે અસત્ય છે; ખરા કામકુંભ તે આ રાજાઓ જ છે. (પૃષ્ટ ૨પ પં. 16-17 ) 254-10. તીર્થ તો સિાનું છે. “તીર્થ” શબ્દનો અર્થ તારનાર " થાય છે. સરખાવે -" જે તારે તે તીરથ રે . (પ્રાચીન પૂજા). 254-14. દરેક દર=દેડકે. 254-23. ગુરૂકમ. ભારેકમી; અનેક કર્મના ભારવાળે. સરખાવ: લઘુકમી (બહુ ઓછાં કમ ભેગવવાનાં રહેલાં હોય અર્થાત જેને કમને ભાર ઘટી ગયે હેય એ જીવ). 256-2. કપિલા બ્રાહ્મણી. એ શ્રેણિકના રાજ્યમાં એક બ્રાહ્મણી-દાસી હતી, જેને શ્રેણિકના ગમે તેટલા આગ્રહપૂર્વકનાં વચન છતાં પોતાને હાથે દાન દેવું ગમ્યું નહોતું. 256-4. સોમનાથ મરનો યે નથી....... ઇત્યાદિ. કઈ બ્રાહ્મણ ગુરૂની અને એના મનાથ નામના શિષ્યની આ વાત છે. જેમાં બે જણને પરસ્પર વાદ થયે હતે. અહિં શ્રીવીરપ્રભુ શ્રેણિકને આ દૃષ્ટાન્ત આપીને એમ કહેવા ઈચ્છે છે કે એ કસાઈ અને એ દાસી તારું કહ્યું માનવાના નથી, અને તારી નરકગતિ ટળવાની નથી, 256-7. સંજીવની. મરેલાને જીવતાં કરનારી કહેવાતી ઓષધીવિશેષ. 257-26, હાર અને ગોળ. મેતીને હાર અને દડા આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #334 -------------------------------------------------------------------------- ________________ 318 પરિષિષ્ઠ ટિપ્પણી. હાર વિષે અતિ ચમત્કારી હકીકત છે તે આ ચરિત્રના બીજા ભાગમાં વિસ્તારપૂર્વક વર્ણવી છે. - 259 છેલ્લી. ઉત્પત્તિકી આદિ બુદ્ધિએ. જુઓ પૃષ્ઠ 40. પં. 20 ઉપરનું ટિપ્પણ 260-7. બીભત્સ (વરતુઓ). જતાં ધૃણા-ઉદ્વેગ થાય એવી 261-3. કાળ મહાકાળ આદિ દુર્ગતિ. સાતમી નરકમાં કાળ, મહાકાળ, રોરૂ અને મહારાષ્ટ્ર નામના ચાર નરકાવાસ કહ્યા છે તે. 7. અપ્રતિષ્ઠાન. સાતમી નરકનો છેલ્લો પ્રતર. 6. એક પણ શરણ લીધા વિના. જુઓ પૃષ્ઠ 33 ની કુટનેટ 4. પંચત્વ પામે. મૃત્યુ પામ્યા. (જે પાંચ તત્વો એકત્ર થઈને આ દેહ બનેલો તે પાંચે છૂટા પડી જઈ પિત પિતામાં ભળી જાય-એ મૃત્યુ). 262-11. વિષ્ણુએ રાહુનું શીષ છેડ્યું હતું. એવી કથા છે કે સમુદ્રમાંથી નીકળેલું અમૃત દેને વહેંચતા હતા તે વખતે આ અસુર-રાહુ દેવતાના વેષમાં એ અમૃત લેવા ગયા ત્યાં સૂર્યો અને ચં. દ્રમાએ એનું કપટ વિષ્ણુને જણાવી દીધું તેથી વિષ્ણુએ એનો શિરચ્છેદ કર્યો હતો. (ડું અમૃત તે ચાખવા પામ્યું હતું તેથી તેનું શીષ અમર રહ્યું છે પણ ત્યારથી એ સૂર્ય અને ચંદ્રમાને પિતાના શત્રુ ગણી એમના પર વેર લે છે અને એમનું “ગ્રેડણ” કરતો કહેવાય છે.) - 263-4. ધમ જ પ્રાણીને........ઈત્યાદિ. ધારકતાતિ ધર્મ ! --- (0) -- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #335 -------------------------------------------------------------------------- ________________ 319 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. આ પુસ્તક વિષે આચાર્ય મહારાજ શ્રીમદ બુદ્ધિસાગરજીનો અભિપ્રાય. શ્રી ભાવનગર મધ્યે સુશ્રાવક શા. મોતીચંદ ઓધવજી ચે૫ ધર્મલાભ. વિ. તમારે પત્ર તથા અભયકુમાર ચરિત્ર મળ્યું. પુસ્તક વાંચ્યુંતમેએ અસરકારક વિવેચનસહ ભાષાન્તર કર્યું છે-જમાનાને અનુસરી જેવી ઢબમાં જોઈએ તેવી ઢબમાં પુસ્તક રચાયું છે. આવી સુંદર રહસ્યભરપૂર રચના માટે તમને ધર્મલાભપૂર્વક ધન્યવાદ ઘટે છે. જેનના ગુજર સાહિત્યમાં ઉચ્ચ પુસ્તકની શિલીનું આ પ્રથમ પુસ્તક દેખી અત્યાનન્દ થાય છે. આ પુસ્તક વાંચતાં આનન્દ સાથે જ્ઞાન મળે તેમ છે અને કંટાળો તે આવતું નથી. જનસમૂહ આ પુસ્તકને દેખી વાંચી સાર ગ્રહી પ્રસન્ન થશે અને તે પ્રમાણે થાઓ. આ પુસ્તક સંબંધી જેટલું વર્ણન કરવું તેટલું ઓછું છે. સમયના અભાવે આટલું લખી વિરમું છું. ધર્મસાધન કરશે. ધર્મકાર્ય લખશે. ૐ શાંતિઃ અમદાવાદ, લી. મુનિ બુદ્ધિસાગર. ઝવેરી વાડો જેવા કામ કર રહસ્ય રા. બ. કમળાશંકર પ્રાણશંકર બી. એ. અમદાવાદ પ્રેમચંદ રાયચંદ ટ્રેનીંગ કોલેજના પ્રીન્સીપાલ; અને ભાવનગર કેલેજ, ડેકન કેલેજ તથા એલ્ફીન્સ્ટન કેલેજના સંસ્કૃતના પ્રોફેસર-એમણે આપેલે અભિપ્રાય - શ્રી અભયકુમાર મંત્રાશ્વરનું જીવન ચરિત્ર ભા. 2 જે. આ ભાષાન્તર વાંચી મને ઘણો આનંદ થયે છે. મૂળ સાથે મેં * કેટલોક ભાગ મેળવી જ છે. ભાષાન્તર શુદ્ધ અને સરળ છે એ એની વખાણવા લાયક ખુબી છે આ મહાકાવ્યમાંથી વાચકને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩ર આનન્દની સાથે ઘણે નાતિબોધ મળે એમ છે ભાષાન્તરકાર રા મોતીચંદ ઓધવજીએ ભાષાન્તર એવી પ્રાસાદિક ભાષામાં કર્યું છે કે સાધારણ રીતે ભાષાન્તરે કિલષ્ટ હોય છે તેવું આ નથી એ એનો સ્તુત્ય ગુણ છે. પૃષ્ટ ટિપણમાં તેમજ પરિષષ્ટમાં ભાષાન્તરકારે સાધારણ વાચકવર્ગને માટે ઉપયોગી નોંધ આપી છે. મૂળ ગ્રંથકાર શ્રીમાન ચંદ્રતિલકનું મહાકાવ્ય સુંદર છે, તે સરળ છે અને તેમાં ઉપમા અને અથોત્તરન્યાસ સ્થળે સ્થળે જોવામાં આવે છે. આવા સુંદર મહા કાવ્યને સરળ ગુજરાતી ભાષામાં વાચક સમક્ષ મૂકી રા. તીચંદે ગુજર સાહિત્યની સારી સેવા બજાવી છે. પુસ્તક ઉત્તેજનને પાત્ર છે. સુરત તા, 23-1-24. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી, રા. 2. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી. એમ.એ., એલ એલ. બી. મુંબાઈની લકૅઝીસ કોર્ટના ચીફ જડજ-એમણે આપેલે અભિપ્રાયઃ A very readable production. One of the best Gujarati renderings of Sanskrit Mahakavyas yet published. બુદ્ધિપ્રકાશ” ના માર્ચના અંકમાં. કાવ્ય સાહિત્યનું આ એક કિંમતી પુસ્તક છે. ક * * * સાહિત્ય અને ચારિત્રની દૃષ્ટિએ તેનું વાંચન હિતાવડ અને ઉપગી માલમ પડશે અને એક વાતોની જેમ તે રસદાયક જણાશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust