SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણિકરાજાનાં કાર્યોનુષ્ઠાન.. રાજની શિક્ષાને પરિજનવગે પણ પિતાની શોભા હોય તેમ ગ્રહણ કરી; (કારણ કે ) એ કેણ હેાય કે જે મુખને વિષે પ્રવેશ કરતા અમૃતને આડે હાથ દઈને નિષેધ કરે? આ વખતે વિપ્રોએ મંત્ર ભણવા માંડ્યા, બંદિજને વિના માંગલિક બોલવા લાગ્યા, વાજિંત્રે ઉંચે સ્વરે વાગવા લાગ્યા અને પ્રમદા નૃત્ય કરવા લાગી. પ્રજાજનો મદન્મત્ત હસ્તીઓ, નાનાવિધ તરંગમે, તેજસ્વી રને, સુવર્ણ પાણદાર મુકતાફળ, હાર-કેયૂર-વૈવેયક-માળા આદિ વિવિધ અંગેના આભૂષણો, નાના પ્રકારના શસ્ત્ર-વસ્ત્ર-પત્ર-પુષ્પ-ફળો અને અ-ક્ષતર અક્ષત પાત્રે આદિની ભેટ ધરવા આવવા લાગ્યા; કારણકે પુત્રના ઉત્સવે આવક હસ્તને વિષે રહેલી ( હાજર-તૈયાર ) જ છે. આ અભિષેક-મહોત્સવમાં બંદીવાનેને છોડી મુકવામાં આવ્યા; પણ એ કંઈ આશ્ચર્ય નહોતું; પ્રાણીઓને કમરૂપી ગુપ્તિથ્થી છોડવવા એજ આશ્ચર્ય. વળી ઘેરઘેર અને હાટેહાટે તોરણો અને ઉંચી કસુંબાની વજાઓ બાંધવામાં આવી અને નાટ્યારંભ થવા લાગ્યા. એથી આ નગરી સ્વર્ગપુરી સમાન શોભવા લાગી. અનુકમે ઈહલેક સંબંધી સર્વ પાપની નિન્દા કરતા, અને સુકૃતની પ્રશંસા કરતા પ્રસેનજિત રાજાએ મરણ સમયે ચાર શરણ અંગીકાર કર્યો. પછી વર્તમાન તીર્થના પ્રભુ પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરતે એ રાજા સ્વર્ગે ગયે; કારણકે એના જેવા ઉત્તમ-દષ્ટિ જી સ્વર્ગેજ જાય છે. પછી શ્રેણિક નરપતિ, સદ્ગુરૂ શિષ્યોને આપે તેમ, ગંધહસ્તીઓને ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપવામાં; કઈ કઈ વાર વક્રમુખ–વિશાળ છાતી-પુષ્ટ અંગે પાંગ–નિગ્ધ રામરાજિ-સુંદર કાન-અને-ઉન્નત સ્કંધ-વાળા. અશ્વોને ખેલાવવામાં; કદાચિત વિદ્વજને સાથે ગોષ્ઠીસુખમાં તે અન્ય વખતે ધર્મકાર્યો આચરવામાં કઈ વખત પદ્મિનીસ્ત્રીઓની સાથે વિવિધ ભેગવિલાસ 1 કંઠના આભૂષણ 2 અખંડ. 3 આવરણ. 4 અરિહંત-સિદ્ધ–સાધુ અને કેવળીપ્રણીત ધર્મ-એમ ચાર. 5 તે સમયે વતતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy