________________ શ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. ત્યાર પછી આદ્રકકમારે પણ એકાન્તમાં જઈ પેલી પેટી ઉપાડી; છે, પરમાત્માની કળા જેવી, યુગાદિ ભગવાનની-અંધકારને નાશ કરવાને સમર્થ એવી–પ્રતિમા એની દૃષ્ટિએ પડી. એ જોઈ એણે વિચાર્યું-અહે! આ કઈ ઉત્તમ આભુષણ છે. હું તે શું એને મસ્તકને વિષે-કઠને વિષે કે કર્ણને વિષે, ક્યાં ધારણ કરું? એ તે બાતું, કરનું, વક્ષસ્થળનું કે બીજા કેઈ અવયવનું આભરણું છે ? અથવા એ તે કંઈ બીજી જ વસ્તુ છે ? આ વસ્તુ મેં પૂર્વે કઈ સ્થળે દીઠેલી લાગે છે; પણ માણસને જેમ ગર્ભવાસ, તેમ મને કંઈ સ્મરણમાં આવતું નથી. એમ વિચાર કરતાં કરતાં એને જાતિનું સ્મરણું કરાવનારી મૂછો આવી; અથવા તે કષ્ટ વિના કંઈ ફળ નથી. મૂછ વળી એટલે એને સદ્ય જાતિ મરણજ્ઞાન ઉત્પન્ન થયું અને ભૂલી ગયેલી વાત પ્રભાત યાદ આવે છે એમ એને પિતાના પૂર્વ ભવને વૃત્તાન્ત યાદ આવ્ય આથી ત્રીજે ભવે, મગધ દેશને વિષે વસંતપુર નગરમાં સામાયિક નામને ગૃહસ્થ હતું અને મારે બધુમતી નામે પ્રિય સ્ત્રી હતી. ત્યાં એકદા જંગમ કલ્પવૃક્ષ હાયની એવા સુસ્થિતઆચાર્ય પધાર્યા હતા. તેમને વંદના કરવાને હું મારી પત્નીને લઈ ગયે હતે ( કારણકે ભંડાર ઉઘડ્યો સાંભળીને લેવા જવાની કે નથી ઉતાવળ કરતું?) પછી આદર થકી તેમને પ્રણામ કરી મેં અને મારી સ્ત્રીએ તેમના મુખ થકી ધર્મદેશના સાંભળી હતી; કારણકે ચંદ્રમા થકી અમૃત જ ઉપલબ્ધ થાય છે. એ ગુરૂ મહારાજાના વાક્યથી, ઉત્તમ મંત્રના જોરથી શરીરમાંથી વિષ માત્ર નીકળી જાય છે તેમ અમારા અંત:કરણમાંથી સકળ ભેગની ઈચછા સત્વર નીકળી ગઈ. એટલે અમે સુસ્થિત આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી; કારણકે પ્રયત્ન માત્રમાં ફળ જ પ્રધાન છે. પછી સંયમ પાળતે હું સાધુઓની સાથે અને મારી પત્ની સાધ્વીઓની સંગાથે રહેવા લાગી; કારણકે ધર્મ નીતિવડે જ સિદ્ધ થાય છે. એકા હું ગુરૂ સંગાથે એક નગરમાં રાજ્ય હતું. ત્યાં થી મારે હતા એમાં એવા લિઇ ગયો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust