SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ 222 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. વચન યાદ આવવાથી તથા શ્રીમતીના બધુ અને રાજા આદિની પ્રાર્થનાથી, પિતાને અરૂચિકર એવું પણ એ લોકેનું કહેવું માન્ય કર્યું. કારણ કે પાંચ માણસે ભેગા થઈને એલે હોય એને ગાંડો કરી મૂકે છે. ચારિત્રને ત્યાગ કરીને એણે શ્રેષ્ઠીપુત્રીનું પાણિગ્રહણ કર્યું; અથવા તો કર્મને અન્યથા કરવાને કઈ સમર્થ નથી. પાળવા માંડે; અહે! પ્રાણીને એકજ ભવને વિષે અનેક અવસ્થાઓ થાય છે. પ્રીતિપૂર્વક વિવિધ પ્રકારના ભોગવિલાસ અનુભવતા એ દંપતીને એક કુલદીપક સમાન પુત્ર ; એણે વખત ગયે ધાવણુ મૂકયું; અને એની જીભ પણ કઈ વૃક્ષનાં એવાં મૂળીઆંથી અત્યંત મર્દન થઈ હોયની એમ અનુક્રમે સારી રીતે છુટી પડવા લાગી. પુત્ર એટલી વયે પહેંચે એટલે હવે સ્વામીએ શ્રીમતીને કહ્યું–હે પતિવ્રતા, રોહિણીને જેમ બુધ તેમ તને હવે આ પુત્ર સહાધ્યક્ત થયે છે. માટે મને રજા આપ કે જેથી હું પુનઃ વ્રત આદરૂં; કારણ કે, પાશથકી જેમ પક્ષી તેમ હું આ ગૃહસ્થાવાસ થકી નીકળી જવા ઈચ્છું છું. જે તું હા નહિં કહે તે હું દીક્ષ નહિં લઉ, કારણ કે એ વારંવાર ગ્રહણ કરવી અને મૂકી દેવી એ બાળકની રમત કહેવાય, " શ્રીમતી તે આપરથી આ વૃત્તાન્ત પિતાના પુત્રને જણાવવાને રૂ કાંતવાને રેંટીઓ અને પુણી લઈને બેઠી. કારણ કે સ્ત્રીઓને એકદમ બુદ્ધિ સૂઝી આવે છે. માતાને રૂ કાંતતી જોઈને પુત્ર બેલ્ય-હે માતા, તે આ સામાન્ય માણસની પેઠે શું કરવા માંડયું ? માતાએ કહ્યું- હે વત્સ, તારા પિતા દીક્ષા લેવાના છે તેથી મેં એ આવ્યું છે, કારણ કે પતિ વિનાની સ્ત્રીઓને પ્રાયઃ એજ આજીવિકા છે. એ પરથી પુત્ર લાડવાળાં, વિશ્વાસજનક શબ્દથી માતાને કહેવા લાગ્યું–હું મારા પિતાને બાંધી રાખીશ. પછી એ કેમ કરીને જશે? એમ કહીને એણે રેંટીઆપરથી સૂતરને તાંતણે લલઈને, ચેઠું મંગળ ફરતી વખતે સાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy