________________ કરિયાણું સારું અવશ્ય ખપનારું: 173 છેડવાને છું; તે પહેલાં નહિં.” કુમારિકાએ વિચાર્યું - આટલી મોટી વય થયા છતાં કુમારાવસ્થા ભેગવવી ( અવિવાહિત રહેવું ) એ અયુકત છે; વળી કોમારાવસ્થા પણ જે અક્ષત નહિં હોય તો મને કેઈ પરણશે પણ નહિં; કારણકે ભેદાયેલો મણિ કેણ ગ્રહણ કરે ?" એમ વિચારીને મળીને તેણીએ કહ્યું- હે દુરાગ્રહી, તું મારી પાસે કેવી પ્રતિજ્ઞા કરાવવા માગે છે ? " એ સાંભળીને માળીએ પુષ્કળ સંકલ્પવિકલ્પથી ચિત્તને વિહળ કરી નાખીને કહ્યું- હે વિશાળનેત્રવાળી, તારે પરણીને આ તારા સુવર્ણના પદ્મની પેઠે ચળકાટ મારતા તથા નવનીત સમાન કમળ એવા અંગને પ્રથમ મને ઉપભોગ લેવા દે; અથવા તે પહેલા બલિદાન દેને જ દેવું પડે છે. પછી કુમારિકાએ પણ " જમવા બેઠેલા માણસે ભેજનનો પહેલો કોળીઓ કાકપક્ષીઓને નાખવો પડે છે. એમાં કંઈ અસત્ય નથી” એમ નિશ્ચય કરીને તેનું વચન માન્ય કર્યું. અને સિંહ પાસેથી નાસીને હરિણી પિતાના યૂથને વિષે જતી રહે તેમ, તેની પાસેથી આમ અખંડશીલે છુટીને હર્ષસહિત પિતાને સ્થાને ગઈ. પછી એકદા કેઈ મહેટા ધનવાન વરે એની સાથે આદર સહિત લગ્ન કર્યા; અથવા તે કરિયાણું સારું હોય તે કાળાંતરે પણ લોકેને વિષે તેની કિમત થાય છે એમાં સંશય નથી એ દંપતીને એકત્ર થયેલાં જઈને સૂર્ય પણ પશ્ચિમદિશાની સાથે સંગમોત્સુક હોયની એમ અસ્ત પામ્યું. અથવા તો ૧વારૂણીનું નિરન્તર સેવન કરવાથી કે અસ્ત, અથોત ક્ષય નથી થતો ? દિવસ પતિ-સૂર્ય અસ્ત પામે છતે જેને વિષે જેનું સંભાવ્યપણું હતું તેને વિષે તે રહ્યું નહીં; કારણકે મહાન એવા પણ આકાશને રાગ થયે; અને જડ ( જળ) થકી ઉદ્ભવતા એવા બિચારાં કમળ ઉલટાં સંકેચ પામ્યાં. જે આકાશમાગને વિષે રહીને સૂર્ય ચરાચર જગતને વિષે ઉદ્યોત કરતો હતો એજ આકાશને વિષે હવે જેમનાં પગલાં થંયાં એવાં મલિનાત્મ અંધકાર પુનઃ તે ( ચરાચર જગત ) ને અબ્ધ બનાવવા લાગ્યાં– . 1 ( 1 ) પશ્ચિમ દિશા. ( 2 ) મદ્ય-દાર- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust